Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
દિવસ ત્રીજો ફાગણ વદ ૫, મંગળવાર તા, ૬ માર્ચ, ૧૯૩૪
ગઇ કાલના શ્રી વિજયનેમિસુરિ અને દહેગામ મંડળીના નાયકના મેળાપે વાતાવરણમાં અનેક જાતના તર્ક વિતર્ક થતા હતા. આજે લગભગ ૧–૧૦ મિનિટે ત્રણે ગ્રુપના સાધુએ આવી ગયા હતા. આગળ બેઠેલ સાધુએ ટેબલ રાખી, તે ઉપર કાગળ પેન્સીલ રાખી, મૌન ધારણ કરી પિતાની શાંતિમાં વધારો કરતા હતા. દહેગામની ટૂકડી સિવાયની ટૂકડીઓમાં દશ વર્ષની અંદરના કેટલાક નાના નાના સાધુઓ પિતાના મોટા સાધુઓની આગળ બેઠા હતા. મુનિસંમેલનના પંડાલમાં પ્રવેશ કરતાં પહેલાં કેટલીક ભક્ત શ્રાવિકા બહેને એ બધા મુનિઓને અક્ષતથી વધાવી લીધા હતા. સવા વાગે કાર્યને પ્રારંભ થયો હતો.
વિદ્યાવિય–આ બે દિવસમાં શું કાર્ય થયું છે તે આપણુથી અજાણ્યું નથી. ગૃહસ્થ ત્રણ દિવસમાં કેન્ફરન્સ પૂરી કરે છે, ત્યારે આપણે ત્રણ દિવસમાં શું કર્યું ? કાલે પૂ. આચાર્ય શ્રી વિજયનેમિસૂરિ મહારાજે ઉપદેશ આપ્યો હતો, તે આપને ધ્યાનમાં હશે. તેમના ઉપદેશનો મુદો એ છે કે આપણે જે રીતે પ્રેમમાં રંગાઈએ, એમ કરીએ. મારી સહુને પ્રાર્થના છે કે આપણે એક માર્ગ કાઢી જગતને બતાવી આપીએ કે અમને લડાઈ કરતાં અને મળતાં પણ આવડે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org