Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
દિવસ વીસમો વિદ્યાવિજયજી અત્યાર સુધી પરિવર્તન થયાં છે તે ખરાંને ? ભૂપેન્દ્રસૂરિજી–ઘણું થયાં છે.
વલ્લભસૂરિજી—આને (દીક્ષાને) રસ્તો નીકળશે, ત્યારે શ્રાવકેથી જ નીકળશે; માટે તેમને સાથે રાખવા જોઈએ. જે ગૃહસ્થાએ કમ્મર કસીને પ્રવૃત્તિ વધારી છે અને જેઓએ તેમને વિરોધ કર્યો છે, તે તરફ ઉપેક્ષા કરવી જોઈએ નહિ. પાટી ત્યારે પડે કે જ્યારે કઈ વસ્તુ માટે કદાગ્રહ હોય. જ્યાં સુધી સાધુઓમાં તે ન મટે ત્યાં સુધી શાંતિ ન થાય.
જસવિજયજી–ઉપદેશપદ્ધતિ એક થવી જોઈએ. વલ્લભસૂરિજી–ઉપદેશપ્રણાલિ નક્કી કરે.
જસવિજયજી–શાસ્ત્ર છે, તે જ પ્રણાલિકા. મહાવ્રતધરધીરાઃ એ પ્રણાલિકા છે. '
(હસાહસ. આ વખતે શ્રી વિજયવલ્લભસૂરિજીએ ઉપદેશરનાકરમાંનું એક દષ્ટાન્ત આપ્યું)
ઉ૦ દેવવિજયજી દેશકાળથી સારી ગતિ થઈ છે.
સાગરાનંદસૂરિજી—દેશકાળના નામથી ધબડકે ન મારે; બાકી દ્રવ્યક્ષેત્રકાળભાવ તો શાસ્ત્રમાં પણ છે.
(અહીં “ધબડકા શબદ ઉપર અંદર અંદર ટીકા અને હસાહસ થઈ હતી.)
રંગવિમળજી–પિંડનિર્યુક્તિમાં જે જે આહાર–પાણીની વિધિ લખી છે, તે અનુસાર ચાલવાનો ઠરાવ પાસ કરે.
હતમુનિજી—શ્રાવકો કહે છે, કે કંઈક કરીને આવજે.
ઉ૦ દેવવિજયજી–હમણું કંઈ નહિ થાય. એ તે બ્રિટિશ રાજ્યમાં કાયદો થશે એટલે કામ થશે.
૧૫૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org