Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
કાર્યવાહી આભાર માનવાની વાત ઉપાડી હતી; પણ શ્રી વિજયનેમિસૂરિજીએ સમય સમજી ઝપાટાભેર સર્વમંગળ બેલાવી, આદીશ્વર ભગવાનની જય બોલાવી કામ ખતમ થયેલું જાહેર કર્યું હતું. - બપોરે શ્રી નગરશેઠના વડે પૂજા ભણાવવામાં આવી હતી. તથા ચાર વાગે પ્રતિકાર કમિટિની બેઠક પણ નગરશેઠના વડે મળી; જેમાં કેટલાક નિયમો ઘડાયા હતા. એની સ્વતંત્ર ઓફિસ અમદાવાદમાં રાખવાનું કર્યું હતું, જેમાં એક વિદ્વાન ગૃહસ્થની મંત્રી તરીકે નિમણુંક કરવાની અને પ્રતિકારને લગતે બધે પત્રવ્યવહાર કયાં કરે, તે સંબંધી કાર્ય થયું હતું.
દિગમ્બર તરફથી થતા આક્ષેપને અમુક મુનિરાજોએ જવાબ આપ, આર્યસમાજીસ્ટને અમુકે ઉત્તર આપે. તે બીજાઓને બીજાઓએ, તે માટે દરેક તે તે સંપ્રદાયના ગ્ર તથા વર્તમાનપત્રોથી વાકેફ રહેવાનું નક્કી કર્યું હતું. વાર્ષિક ખર્ચ માટે રૂા. ૧૦૦૦ની રકમ તે જ વખતે
ધાઈ ગઈ હતી. પ્રકીર્ણ
આજે સાધુસંમેલન ખતમ થયું હતું, ને આ પટ્ટક હવે ચતુર્વિધ સંધ સમક્ષ વંચાવાનું બાકી હતા. જેનતિ સાપ્તાહિક, જે હંમેશાં પોતાના વધારા કાઢી રહ્યું હતું; તેણે આજે પિતાના વધારા બંધ કર્યા હતા, ને નીચેનું નિવેદન જનતા સમક્ષ રજા કર્યું હતું. : “જે કાર્ય નિમિત્તે જેનતિના દૈનિક વધારાઓ પ્રગટ થવા શરૂ થયા હતા, તે કાર્ય હવે પૂર્ણ થયું છે. એને છેવટને
૨૨૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org