Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah

View full book text
Previous | Next

Page 379
________________ સંમેલન પછીના બનાવો આવ્યા હતા ને જ્યારે જ્યારે એ વિષે મતભેદ પડે ત્યારે તને નિકાલ કરવા માટે એક કમીટી મુકરર કરવામાં આવી હોત તો કદી આ સ્થિતિ તો ઉત્પન્ન થાત જ નહિ. આ તકરાર આજે પણ જેવી ને તેવી ઊભી છે અને તેના અંગે શું પરિણામ આવશે, તે તે ભવિષ્ય જ કહી શકશે એકંદરે સાધુસંમેલને કરવા ઠરાવો ન કરવાથી, કરેલા ઠરાવોમાં સંદિગ્ધતા રાખવાથી અને કરાવાનું સ્પષ્ટ પાલન કરાવનારી કોઈ કમીટી નિયુક્ત ન કરવાથી તેની તમામ મહેનત નિષ્ફળ ગઈ. આ સંમેલને જૈન સમાજને સ્પષ્ટ બતાવી આપ્યું કે ન સાધુઓમાંથી સામુદાયિક ક્રમ કરવાની શક્તિ નષ્ટ થઈ છે અને આ સ્થિતિમાં તેમના દ્વારા ધર્મપ્રચાર કે સમજેહારની આશા રાખવી લગભગ ઝાંઝવાના જળ જેવી છે. બેશક, તેમાં કેટલીક વ્યકિતઓ જરૂર શક્તિશાળી છે અને નવીન ભાવનાઓને અપનાવી કાર્ય કરે જાય છે, પણ સામુદાયિક સહકારથી જે કાર્ય કરવું જોઈએ, તે કાર્ય થતું નથી; એ તે સ્પષ્ટ જ છે. શાસનદેવ સર્વને સન્મતિ આપે ને જૈન શ્રમણ સંસ્થા ઈતિહાસના અનુભવપાકે લક્ષમાં રાખી પોતાની આંતરિક સુધારણા દ્વારા પુનઃ ઉજજવલ બને, એજ અભ્યર્થના ! ૫૫-—૩૬૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392