Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
કાર્યવાહી પર દષ્ટિપાત અનિચ્છનીય વાતાવરણ શાંત થયું છે?
હું પહેલાં કહી ગયો છું તેમ–મુનિ સમેલને જે ઠરાવો કર્યા છે તે ત્રિકાલાબાધિત, અવિચ્છિન્ન, પ્રભાવશાળી શ્રી વીતરાગ શાસનમાં ચાલી રહેલું અનિચ્છનીય વાતાવરણ શાંત કરવાને કર્યા હતા. પરંતુ આ ઉદ્દેશની સિદ્ધિ થઈ છે કે કેમ, એ પણ એક વિચારણીય પ્રશ્ન છે. સમેલન પછીની પ્રવૃત્તિઓ ઉપરથી જોઇ શકાય તેમ છે કે જૈન સમાજમાં જે મતભેદ હતા તે બરાબર કાયમ છે, જે પાટીઓ હતી તે બરાબર કાયમ છે. એક બીજાના ઉપર જે આક્ષેપ–વિક્ષેપ થતા હતા તે ચાલુ છે.
પિતાના બ્યુગલેના નાદે બરાબર ચાલી રહ્યા છે. પિતપોતાના વિચારોને પ્રચાર બરાબર થઈ રહ્યો છે. વડોદરા રાજ્યને કાયદે પાછે હઠયો નથી. બીજા સ્થળે કાયદે પસાર કરાવવાના પ્રયત્નો બંધ થયા નથી. દીક્ષા વિષયની મતભેદવાળી ચર્ચાઓ બરાબર ચાલુ છે. દેવદ્રવ્ય સંબંધી ગમે તેવા ગોળ ગોળ શબ્દોમાં ઠરાવ કર્યો હોય પરંતુ એને સંબંધ ગૃહસ્થની સાથે જ હાઈ ગૃહસ્થ, પિતપોતાના અનુકુળ જે જે પ્રમાણેના રિવાજ ચલાવતા આવ્યા છે, તે તે રિવાજમાં ફેરફાર કરે તેમ નથી. હવે ગૃહસ્થો સંપૂર્ણ રીતે -સમજી ગયા છે કે બેલીઓને રિવાજ ગામેગામ જુદી જુદી
જાતને સૌ સોની અનુકુન્તાવાળો છે, એટલે એમાં સાધુઓની “ખલગીરીની કઈ જરૂર નથી. મતલબ કે આ ચર્ચા પણ જેમની તેમ ઊભી જ છે. સંધસત્તા તે એક રીતે નહિંતુ અનેક રીતે સાધુ સમુદાયે-સમ્માને સવીકારી છે, એમ કરા ઉપરથી જાહેર થઈ ચુક્યું છે, છતાં જેઓને મને ભણવાનો સિદ્ધાંત બંધાઈ ગયા છે તેઓ મન્નો ભણ્યા જ કરવાના. એટલે એ પણ થર્ચા ઊભી જ કહેવાય, તેની સાથે
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org