Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
પશ્ચાદ્ અવલોકન
કેટલાકે સામા દળ સાથે ટક્કર ઝીલવા માટે પક્ષોની રચના કરી. સાધુસંમેલનનો પ્રારંભ થતાં સુધીમાં ચાર જુદા જુદા પક્ષો રચાયા, ને દરેકે અકેક ખુણામાં
સ્થાન લીધું. (૪) સંમેલન ભરવાના છેલ્લા દિવસ સુધી વિષયનિર્ણ
યક સમિતિ નક્કી કરવામાં ન આવી. પરિણામે છ દિવસ સુધી ચર્ચા થયા પછી એનું કંઇક સ્વરૂપ બંધાયું, પણ ચોક્કસ કાર્યપદ્ધતિના અભાવે અનેક અગત્યના ઠરાવને ટોપલીને સ્વાધીન કરવામાં આવ્યા અને ફક્ત
અગિયાર મુદ્દાઓ તારવી કાઢી ચારની કમીટીને સોંપવા પડ્યા. અને તે ચારની કમીટીએ કરેલા કાર્યના છેવટના
નિર્ણય માટે તે નવની સરમુખત્યાર કમીટી નીમવી પડી. (૫) સંમેલનમાં સરમુખત્યાર કમીટી જે કરે તે બધાએ
કબૂલ રાખવાની સહીઓ લેવાઈ અને સરમુખત્યાર કમીટીમાં બધા સંમત થાય તેવાજ ઠરાવો લેવાનું નક્કી કર્યું, જેથી દેશ-કાળને યોગ્ય અનેક મહત્વના ઠરાવો થઈ શક્યા નહિ અને જે ઠરાવ થયા તેમાં કેટલાક
સંદિગ્ધ અને નિરર્થક થયા. (૬) ઠરાને સક્રિય અમલ કરનારી કે તેને ભંગ પર વિચાર
કરનારી કોઈ કમીટી મુકરર કરવામાં ન આવી; એટલે જે હેતુથી સંમેલન યોજવામાં આવ્યું હતું; તે હેતુ બર ન આવ્યો અને સંમેલનની બધી મહેનત નિરર્થક ગઈ.
એ વાત નિઃસંદેહ છે કે જે સમેલન ભરવાની વર્તમાન પદ્ધતિનો આશ્રય લેવામાં આવ્યા હતા, અને વર્તમાનપત્રોનો સહકાર સાધવામાં આવ્યું છે, તે કદી પણ આવું પરિણામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org