Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
કાર્યવાહી પર દષ્ટિપાત શક્તિઓ છે. એ શકિતઓના કિલ્લામાં કેવા ગાબડાં પડી રહ્યાં છે, એનું ગંભીરતા પૂર્વક, બારીકાઈથી અવલોકન કરવાની જરૂર છે. વિચારશીલ અને સાચા પ્રભાવક પુરુષોએ હવે પિતાની મહત્વાકાંક્ષાઓને બાજુ ઉપર મૂકી, પિતાના આડબરેની ધૂનને હવે કોરાણે મૂકી, પરસ્પર વિચારોની લેણ દેણ કરી ક્રિયાત્મક એવાં કાર્યો કરવાની જરૂર છે કે જેથી અંદરને સડે દૂર થાય, શક્તિઓ વધે અને પરમાત્માના શાસનનું શરીર નિરોગી બની તેજસ્વી અને પ્રભાવશાળી બને.
આ લેખમાળાની અંદર મારા નમ્ર મત પ્રમાણે વર્તમાન પરિસ્થિતિનું અવલોકન કરી, કંઈ પણ રચનાત્મક રોજના બતાવવા પ્રયત્ન કરીશ.
આ પ્રમાણે વર્તમાન પરિસ્થિતિનું અવલેન” અને રચનાત્મક કંઈક એજના ઉપસ્થિત કરું તે પહેલાં, હમણાં જ થઈ ગયેલા “ મુનિ સંમેલન” અને “તે પછીની પ્રવૃત્તિ' સંબંધી કંઇક સિંહાવલોકન કરું. આ “સિંહાવલોકન” મારે ઉપર્યુક્ત ઉદ્દેશની સાથે જ સંબંધ રાખે છે. “મુનિ સમેલન” અને તે પછીની પ્રવૃત્તિ ઉપરથી પણ આપણને જૈન સમાજની વર્તમાન પરિસ્થિતિને ઓછો ખ્યાલ જરૂર આવશે, એટલું જ નહિ પરંતુ જે કેટલીક ગેરસમજુતિઓ વર્તમાનમાં ફેલાઈ રહી છે, એના ઉપર પણ કંઈક પ્રકાશ પડશે. સંમેલન શા માટે થયું હતું ?
હું “મુનિસંમેલન’ને પાછલા ઈતિહાસને આપીને આ લેખનું ફ્લેવર વધારવા નથી ઈચ્છતે. સંમેલન ભવાને નિર્ણય, મગરબૈઠનાં આમંત્રણે મહેગામ સમિતિની મંત્રણ, જુદાં જુદાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org