Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
બાવીસમે દિવસ ચૈત્ર સુદ ૧૦, રવિવાર તા. ૨૫ માર્ચ, ૧૯૩૪
અાજે સાધુ સંમેલનની બેઠકનું પરિવર્તન થયું હતું. પ્રથમ દિવસે જે વિશાળ મંડપ નીચે સાધુઓ એકઠા થયા હતા, તેજ સ્થળે આજે બધા એકઠા થયા હતા. બરાબર ૧-૨૫ મિનિટ કાર્યને પ્રારંભ થયો હતો.
શરૂઆતમાં ચાર પાંચ મિનિટના મૌન પછી મુનિશ્રી પુણ્યવિજયજીએ મૌન તેડતાં જણાવ્યું હતું, કે “મૌન રહે કામ ચાલવાનું નથી. માટે કેઈએ તે પહેલ કરવી જ પડશે. અમને ચારને ખરડ કરવાનું કામ સેપ્યું હતું, તેની નીચે મેં નોટ કરી છે, એ સૌના ખ્યાલમાં હશે. છતાં હું વાંચી સંભળાવું . પૂર્વાચાર્યોએ જે હેતુઓથી જે જે બંધારણે બાંધ્યાં છે, તે બધાં ધ્યાનમાં લઈને તેમાં આ સમયમાં ઉચિત ફેરફાર કરવો યોગ્ય લાગતો હોય તો કરવું જોઈએ. અત્યારે જે પરિસ્થિતિ છે તે સૌના ખ્યાલમાં છે. અને તેની વિચારણા પછી જ સંમેલન ભરવાનું નક્કી થયું છે. શાસ્ત્રમાં પ્રાચીન પુરુષોએ જે જે બંધારણ કર્યા છે, તેની જ વિચારણ માટે સંમેલન થયું નથી. અત્યારની સ્થિતિને માટે જ સંમેલન થયું છે. માટે સૌ વિચારે અને યોગ્ય પ્રયત્ન કરે આટલું મારું નિવેદન છે.”
વિદ્યાવિયજી–પુણ્યવિજયજીએ જે નિવેદન કર્યું, તેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org