Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
દિવસ ત્રીસ ૩. તીર્થોના જીર્ણોદ્ધારાદિ કાર્ય કરનારાઓને મૌલિક પ્રાચીન શિલ્પકળા તથા શિલાલેખ આદિ હણાઈ ન જાય તેની પૂરતી સાવચેતી રાખવાને ઉપદેશ આપવો. -સાધુસંસ્થામાં જ્ઞાનાદિને પ્રચાર
૧. આગમેને અભ્યાસ સમુદાયના વડીલે અથવા તે તે આગમના જાણકાર મુનિઓએ સાધુઓને કરાવા જોઈએ.
૨. સાધુઓની દર્શનશુદ્ધિ વધે તેવા પ્રયત્નો સમુદાયના વડીલે કરવા જોઈએ.
૩. ચારિત્રક્રિયામાં સાધુઓ તત્પર રહે તેની કાળજી વડીલે અવશ્ય રાખવી જોઈએ.
૪. સર્વ સાધુઓનો વ્યાકરણ, ન્યાય, સાહિત્ય આદિ દરેક જાતને જ્ઞાનાભ્યાસ એક સ્થળે થઈ શકે એવી એક સંસ્થા કાયમ થાય, એવો ઉપદેશ શ્રીસંધને સાધુઓએ આપ યોગ્ય છે. ૭–દેશના
૧. સાધુએ શ્રોતા મિથ્યાત્વાદિ આશ્રવમાં ઉત્તેજિત ન થાય અને શ્રી વીતરાગદેવાદિની શ્રદ્ધા તથા પાપની વિરતિને પિષક થાય તે ધ્યાનમાં રાખી વીતરાગપ્રણિત ધર્મપ્રધાન દેશના આપવી. ૮ શ્રાવકેન્નતિ
૧. શ્રાવક-શ્રાવિકાઓ, ધન-ધાન્ય-વસ્ત્ર-આભૂષણાદિ સર્વ યોગ્ય વસ્તુથી ધર્મની ઉન્નતિ અને સ્થિરતાને અનુલક્ષીને શ્રાવક-શ્રાવિકાની દ્રવ્યભક્તિ તથા શ્રી વીતરાગદેવ, સાધુ અને ધર્મ પ્રત્યે લાગણીવાળા બનાવવા રૂ૫ ભાવભક્તિ કરવી. એ બાબતમાં સાધુઓ ઉપદેશ આપી શકે છે.
૨૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org