Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
દિવસ ચાવીસ ૨. પ્રભુના મંદિરમાં કે મંદિર બહાર ગમે તે ઠેકાણે પ્રભુના નિમિત્તે જે જે બેલી બોલાય તે સઘળું દેવદ્રવ્ય કહેવાય.
૩. ઉપધાન સંબંધી માળા આદિકની ઉપજ દેવદ્રવ્યમાં લઈ જવી યોગ્ય જણાય છે.
૪. શ્રાવકેએ પોતાના દ્રવ્યથી પ્રભુની પૂજા વગેરેને લાભ લે જ જોઈએ. પરંતુ કોઈ સ્થળે અન્ય સામગ્રીના અભાવે પ્રભુની પૂજા આદિમાં વાંધો આવતે જણાય, તે દેવદ્રવ્યમાંથી પ્રભુપૂજા આદિને પ્રબંધ કરી લે. પણ પ્રભુની પૂજા આદિ તે જરૂર જ થવી જોઈએ.
૫ તીર્થ અને મંદિરના વહીવટદારોએ તીર્થ અને મંદિર સંબંધી કાર્ય માટે જરૂરી મિલક્ત રાખી; બાકીની મિલકતમાંથી તીર્થોદ્ધાર અને જીર્ણોદ્ધાર તથા નવીન મંદિર માટે એગ્ય મદદ આપવી જોઈએ, એમ આ સંમેલન ભલામણ કરે છે. ૩-સંધ
૧. શ્રમણપ્રધાન જે સંધ તે “શ્રમણુસંધ”—એટલે સાધુ છે. પ્રધાન જેમાં એ સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંધ તે “શ્રમણુસંધ.” - ૨. શ્રી ચતુર્વિધ સંઘને કરવા લાયક કાર્યોમાં શ્રી ચતુર્વિધ સંઘની મૂખ્ય સત્તા છે.
૩. (સલસંધ) શ્રાવક સંધની શ્રાવક-શ્રાવિકાના સમુદાય ઉપર શાસનગુન્હાની બાબતમાં યોગ્ય કરવા પૂર્ણ સત્તા રહેશે. પણ શ્રાવક સંધે સાધુ-સાધ્વી પ્રત્યે રાજા સમાન, માતાપિતા અમાન, ભાઇસમાન અને મિત્ર સમાનપણે શુભાશયે વર્તવું રોગ્ય છે.
૨ ૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org