Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
દિવસ એકત્રીસ ચૈિત્ર વદ ૪, મંગળવાર તા. ૩ એપ્રીલ, ૧૦૪
ગઇ કાલ બપોરથી, સંમેલન છોડી ગયેલા શ્રી વિજય દાનસૂરિજી અને શ્રી વિજયસિદ્ધિસૂરિજીને સમજાવવા નગરશેઠ શ્રી કસ્તુરભાઈએ અથાગ મહેનત શરૂ કરી હતી. શ્રી સાગરાનંદસૂરિજીએ પણ એક વખત પ્રયત્ન કર્યો હતો.
આજ બપોર સુધીમાં શ્રી નગરશેઠ કંઈ કરી શક્યા નહતા, એટલે તેમણે વધુ કશીશ કરવા માટે ચોવીસ કલાકની માગણી કરી હતી. શ્રી વિજયનેમિસુરિજીએ તેને સ્વીકાર કર્યો હતે.
બરે શ્રી સાગરાનંદસૂરિજીએ નગરશેઠના વડે એ બંને વયોવૃદ્ધ આચાર્યોને પિતાનું દષ્ટિબિંદુ સમજાવ્યું હતું અને રાત્રે પણ બહુ મોડા સુધી બીજાઓ સાથે વાટાઘાટ ચાલી હતી. આ પરિસ્થિતિથી બને આચાર્યોના મન તથા શરીર ઉપર પણ ભારે અષર થયેલી જણાતી હતી અને આખરે તેમણે નવ જણની કમીટીમાં આવવાનું કબૂલ કર્યું હતું.
૨૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org