Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
ચોત્રીસમો દિવસ ચૈત્ર વદી ૭, શુક્રવાર તા. ૬ એપ્રીલ, ૧૪૪
આજ સવારથી લોકોને કરા સાંભળવાની જિજ્ઞાસા હતી અને નગરશેઠના વડે બધા જમા થવા લાગ્યા હતા, જો કે આજે તે ફક્ત સાધુઓને જ એ ઠરાવો વાંચી સંભળાવવાના હતા.
પ્રાતઃકાળમાં નગરશેઠ ઉજમફઈની ધર્મશાળાએ શ્રી વિજ્યવલ્લભસૂરિજી પાસે આવ્યા હતા કે જેઓએ નવની કમીટીમાં ઠરાવ લખવાનું કાર્ય કર્યું હતું. અહીં તેઓએ સાથે રહીને બધા ઠરાવની નકલ કરી હતી, જેમાં ધાર્યા કરતાં વધારે વખત પસાર થયો હતો. આ કામ પતાવી નગરશેઠ ૧૦-૫૦ મિનિટે વંડામાં આવી પહોંચ્યા હતા અને અગિયાર વાગતાં બધા મુનિરાજે એકઠા થયા હતા. કોઈપણ જાતનું કાર્ય શરુ થાય તે પહેલાં શ્રી વિજયનેમિસુરિ, શ્રી સાગરાનંદસૂરિ શ્રી વિજયવલ્લભસૂરિ અને નગરશેઠે ખાનગીમાં મળી કેટલીક ચર્ચા કરી હતી. ખરડા પૈકીના કોઈ શબ્દોમાં સુધારો થતો હોય એમ જણાતું હતું.
કાર્યની શરૂઆત થતાં નેધવા લાયક બીના એ હતી કે શ્રી વિજયનેમિસુરિ, શ્રી સાગરાનંદસૂરિ, શ્રી વિજયવલ્લભસૂરિ, શ્રી વિજયનીતિસૂરિ, શ્રી વિજયનંદનસરિ, શ્રી વિજયસૂરિ,
૨૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org