Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
કાર્યવાહી
(૮) શ્રી જયસૂરિ (૯) મુનિ શ્રી સાગરચંદજી.
આ કમીટી જે ઠરાવો કરે તે બધાએ મંજૂર કરવા, એ વાત આગળ ચાલતાં, દરેકની એ ઠરાવ પર સહીઓ લેવાનું નક્કી થયું. એ વખતે ચંદ્રસાગરજી કહેવા લાગ્યા કે “હું તે તે નિર્ણ ઉપર મારી જુદી નેંધ કરીશ!”
એક મુનિએ કહ્યું“જે તમારે જુદી નોંધ કરવી હોય તે પછી આ નવ સાધુઓ શા માટે મહેનત કરે છે બધાની સાથે તમારે પણ તે કબૂલ રાખવું હોય તો જ આ સમિતિ નીમાય.”
અગાઉ જ્યારે નવની કમીટી નિમાઈ અને કામ ઠેકાણે પડે તેવું વાતાવરણ થયું હતું, ત્યારે આ મુનિએ જ પથરે મારી ચારની કમીટી ઊભી કરી હતી. એટલે આ વખતે પણ ફાવી જવાશે એવી ધારણા હતી પણ છેવટે તે નિષ્ફળ ગઈ. સારાંશ
નવ જણની સરમુખત્યાર કમીટી નક્કી થઈ. આજે હંમેશ કરતાં લગભગ એક કલાક વધારે થયું હતું, પરંતુ તેના પરિણામ કામ ઠીક થયું ગણાય. એકંદરે બધાને આનંદ થયો અને કંઈક સારું કામ થશે એવી હવા સઘળે પ્રસરી ગઈ.
આ વેળા થડા વખતથી શારીરિક અવસ્થતાને કારણે પીડાતા ન્યાયવિશારદ, ન્યાયતીર્થ, વિદ્વાન મુનિ શ્રી ન્યાયવિજયજી મહારાજ જેઓ બાલદીક્ષાના સમર્થ વિધી તરીકે પંકાયેલ છે; તેઓ સ્વાથ્ય ઠીક ન હોવાથી અહીં ભરાયેલા મુનિ સંમેલનમાં ભાગ લઈ શક્યા નહોતા. તેઓએ તા. ૨૫ મી માર્ચે
૧૮૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org