Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
દિવસ બાવીસમે સાગરચંદ્ર–આના સંબંધમાં કાંઈ ખુલાસે થે જોઈએ. શ્રી વીરવિજયજી, શ્રી શુભવિજયજી, શ્રી ધીરવિજ્યજી વગેરે એક સૈકા પહેલાં થયેલા છે. તેમણે ૧૭ વર્ષ પહેલાં દીક્ષા ન આપવી, એ ઠરાવેલ. જો કે તે યતિઓ હતા પણ તેમની સત્તા ઓછી ન હતી. તેઓ પહેલાં જણાવતા પછી ૧૭ વર્ષ પછી દીક્ષા આપતા. તે લેકેની છાયા આપણા વડીલે-મણિવિજયજી દાદા, બુટેરાયજી, મુલચંદજી તથા તેમસાગરજી વગેરે વગેરે ઉપર પડી હતી. તેઓએ આઠ વર્ષની દીક્ષા આપી નથી. તેઓને જન્માષ્ટમૂ–ગર્ભાસ્ટમને પાઠ માલુમ નહોતે ? બાળકે નહેતા મળતા એમ નહેતું પણ તેઓ બાળદીક્ષા આપતા નહેતા. તે તે મેટા પુરુષોના પગલે આપણે ચાલીએ તે શું ખોટું છે? બાલ્યાવસ્થામાં ભણાવવામાં આવે તે છોકરા વિદ્વાન થાય, કદાચ આપણે થોડું સહન કરવું પડે પણ સમાજમાં શાંતિ થાય માટે સુધારણા કરવાની જરૂર છે. સુધારા થયા છે માટે થઈ શકે.
ઉ૦ દેવવિજયજી–પરિણામની ધારા પડી જાય છે ?
સાગરચંદ્રજી—તો શ્રાવકમાં તે રહેશે. શ્રાવકમાંથી તો નહિ જ જાય. વળી આપણું સંસર્ગમાં રહે અને પરિણામની ધારા પડી જાય એ કેમ બની શકે ?
ઉ૦ દેવવિજયજી-કઈ ઉપાડી જાય છે? પુણ્યવિજયજી-એવી વાત સંમેલનમાં ન થાય તે ઠીક.
સાગરચંદ્રજીસંમેલનને યોગ્ય લાગે તેમ કરો, પણ કાંઈક સુધારે કરશો તે જ વાતાવરણ શાંત થશે. તે વિના નહિ જ થાય, માટે સુધારણની ખાસ જરૂર છે.
૧૬૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org