Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
દિવસ ત્રીજો પરમાત્મા મહાવીર દેવના શાસનની પ્રભાવના માટે આપણે બધા ભેગા થયા છીએ. આપણું કામ સરળ થાય તે માટે મને વિચાર થયો કે જે કારણએ આપણામાં બગાડ કર્યો છે તે કારણોનાં મૂળ શોધીએ નહિ, ત્યાં સુધી ઉપરના મલમપદાથી કાંઈ કાર્ય થવાનું નથી. સહુથી પહેલામાં પહેલી વસ્તુ એ છે કે આપણામાં જે છિન્નભિન્નતા થઈ ગઈ છે તેમાં સુધારો કરવા જોઈએ. આપણું અગ્રેસર એક મંડળી નીમવી જોઈએ અને તેને લગતું બધું કાર્ય આપણે તેને સેંપી દેવું જોઈએ. ટૂંકામાં જેમ શાંતિ થાય તેમ જલદી ઉપાય જવા જોઈએ.
નેમિસુરિજી–વસ્તુના નિર્ણય માટે પાંચ, પચાસ કે સેની એક મંડળી નીમીએ, જે રસ્તો કાઢે.
માણેકમુનિજી–બરાબર વાત છે. સિંહસૂરિજી–મને યોગ્ય લાગે છે.
માણિક્યસિંહસૂરિજી–લે ભાઈ ! બધાને ગ્ય લાગે છે. હવે વિચાર કરી લે ! વિષયે કહી દે !
વિદ્યાવિજયજી–સાધુઓની કમિટી અથવા મંડળી નક્કી કરે તે વધારે ઠીક. મને લાગે છે કે સહુથી પહેલાં નામે લખાય તે વધારે સારું
નેમિસુરિજી—નામ શી રીતે આપવાં?
વિદ્યાવિજયજી–મને લાગે છે કે કેઈ સમુદાયને ખોટું ન લાગે કે મને અન્યાય મળ્યો છે; માટે બધાને ઠીક લાગે તેમ કરવું જોઈએ.
નેમિસૂરિજી––કેમ ભાઈ! નામ કેમ લખવાં ? રંગવિમલજી–આપ લખતા જાઓ! મહેતાજીને કહેવાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org