Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
કાર્યવાહી
નેમિસુરિજી –ચાર જણાએ કાચે ખરડે કર્યો છે, અને આ તો પાકે થાય છે, માટે હાલ રહેવા દે ! આગળ વધે નહિ આવે એમ થશે.
આ ચર્ચાએ લગભગ બે કલાક લીધા હતા. તે પછી સાતમી કલમ મુહૂર્ત જોઈને દીક્ષા આપવાની હતી, તે સર્વાનુમતે પાસ થઈ હતી. આઠમી કલમ ચેમાસામાં દીક્ષા આપવા સંબંધી હતી. સાગરાનંદસૂરિજીએ નિશિથચૂર્ણમાં જે પાઠે કહ્યા છે તે ઉત્સર્ગ છે કે અપવાદથી તે જોવું જોઈએ, તેમ જણાવ્યું,
નેમિસુરિજી –બે દિવસ જશે. જે સૌની ઈચ્છા હોય તે કહી નાખું.
સૌએ કહ્યું–કહે.
નેમિસૂરિજી–માસામાં આપણે દીક્ષા ન આપવી એમ ઠરાવો.
સાગરજી અમુક પાઠે બતાવવા જતા હતા, પરંતુ નેમિસુરિજીના કહેવાથી તે બંધ રહ્યા.
છેવટ નેમિસુરિજીએ સૂચવ્યું કે “માસામાં દીક્ષા ન આપવી.”
પં. રામવિજયજી–તે ઠીક છે, પરંતુ આ કલમ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવમાં લખવાનું રાખે.
તેમ ઠરાવ્યું. તે પછી નવમી કલમ રાત્રે દીક્ષા નહીં આપવાની હતી તે સર્વાનુમતિએ પસાર થઈ અને સભાને સમય પૂરે થતાં સર્વે વિખરાયા હતા.
ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org