Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
કાર્યવાહી થાય તે વધારે સારું. મુનિ મંડળને યોગ્ય લાગે તે રસ્તે લે. શેઠ આ૦ કની પેઢીના પ્રતિનિધિઓને બેસાડવા માટેની પહેલાં પણ એકવાર આપણે વાત થઈ હતી.
વિદ્યાવિજયજી આ બાબતમાં જેમને વિરોધ હોય તે બેલે. જેને કાંઈ કહેવું હોય તે કહે. ન બોલે તે સર્વસંમત છે એમ માનવું. ' હર્ષ સુરિજી–આપણે પહેલાં એમ નક્કી કર્યું છે કે આપણે પહેલાં નક્કી કરી લેવું. પછી ગૃહસ્થોને જરૂર પડે તે બેલાવીશું.
ઉ. દેવવિજ્ય –આપણી વચ્ચે તે આ વિષયને ખુલાસે થઈ ગયો છે. એટલે જ ગૃહસ્થોને બોલાવવા માટે હું કહું છું.
હર્ષસૂરિજી–આ બાબતમાં હાલમાં કાંઈ કરવાનું રહેતું નથી.
વિદ્યાવિજયજી–મ્યુનિસિપાલિટીની નોટીસ મળ્યા પહેલાં કાંઈ કામ કરી લેવું જોઈએ, નહિ તે કામ અધૂરું રહી જશે. આપણું ઠરાવે આપણું કાગળમાં જ રહી જશે. આપણે જેટલું કરીએ તે શેઠ આ૦ કપેઢીના પ્રતિનિધિઓને સાથે રાખીને કરીએ. કોઈ વિષયમાં મત આપવો હોય તો તે શ્રાવકે આપે. એમાં આપણે પરાધીન થવાનું નથી. હું ઉપાધ્યાયજી મહારાજના મતને ખરેખર મળત થાઉં છું. માટે જેમ બને તેમ કામ જલદી પતાવવું જોઈએ. બીજી મારી પ્રાર્થના છે કે આટલા મેમ્બરે (૩૦) અને ૮–૯ ગૃહસ્થો મળી કેાઈ કમરામાં બેસી કામ કરીએ, તે મ્યુ૦ વાળાની નોટીસ પણ આપણને લાગુ પડશે નહિ. મતબલ કે ૩૦ સિવાય બીજા સાધુઓએ વિષય વિચારિણી કમીટીમાં બેસવાની હવે જરૂર નથી.
ભૂપેન્દ્રસિરિજી—વિદ્યાવિજ્યજીએ જે કંઈ કહ્યું છે, તે
૧૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org