Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
અગિયારમા દિવસ
ફાગણ વદ ૧૪, બુધવાર તા. ૧૪ માર્ચ, ૧૯૩૪
મંગળવારની
ગળવારની સાંજથી શહેરમાં દીક્ષાના મ તથ્ય સંબંધમાં જુદી જુદી અફવાઓ ફેલાઇ હતી, અને ખાસ કરીતે ‘આ વ પછી દીક્ષા આપી શકાય' એવા ઠરાવ સાધુ સ ંમેલનમાં થયે છે એમ કેટલાક માનવા લાગ્યા હતા. એથી આજે ચર્ચા આગળ વધે અને શું પરિણામ આવે છે, તે જાગવા લોક ભારે આતુર જણાતા હતા.
શરૂઆતના બે દિવસેામાં ૧-૫ વાગે નિયમિત કામ શરૂ થયા પછી હવે વળી ૧૦—૧૫ મિનિટ મેડું થવા લાગ્યું હતું. આજે લગભગ ૧–૧૫ વાગે બધા હાજર થયા હતા. શરૂઆતમાં મૌન વ્યાપી રહ્યું હતું. સહુ એક બીજાના સુખનું દર્શન કરી રહ્યા હતા. આખરે રવિમલજી ખેલ્યાઃ ‘આજે મુહુતૅ ૧!! વાગ્યાનું છે?’
નેમિસૂરિજી—ખબર નથી.
વળી ઘેાડીવાર મૌન ચાલ્યું અને એ મૌનને ભંગ કરતાં સાગરાન’દસૂરિજી ખેલ્યાઃ “ગઇ કાલે આઠ વર્ષની ઉંમર ગર્ભથી ગણવી કે જન્મથી તેને વિચાર આજ ઉપર રાખ્યા હતા. પ્રવચનસારાદ્ધારના મત મુજબ જન્મથી શરૂ કરીને આઠ વર્ષ સુધી દીક્ષા પ્રસંગે બાળ ગણાય છે. આઠથી ઓછા વર્ષ વાળા દેશ-સર્વાં વિરતિ પામી શકતા નથી.”
૯૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org