Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
કાર્યવાહી આપવી કે અત્યારે ચાલે છે તેમ આપવી? ( સાગરાનંદસૂરિ પ્રત્યે ) તમે તમારો સ્વભાવ નહિ છોડે અને હું મારો અભ્યાસ નહી છોડું, માટે મુનિમંડળને શું પસંદ છે ?
માણેક્યુનિછ–દીક્ષા અપાય છે અને પોલીસ આવે છે.
વલ્લભસૂરિજી–દ્રવ્યક્ષેત્રાદિ વિચાર કરીને દીક્ષા અપાય તે જ અમને માન્ય છે. બાકી આમની વાત આમને આમની વાત આમ, એમ ગેટાળાપંચક કરી અપાતી દીક્ષા અમને માન્ય નથી. જેને માન્ય હોય તે ભલે આપે! દરેક વખતે શાસ્ત્રના પાઠ અપાય છે. શાસ્ત્રનો આધાર લેવાય છે ને પછી મનમાન્યું કરાય છે. તમારી પદ્ધતિ બધા પાસે કબૂલ કરાવવા ચાહતા હે તે કબૂલ કરાવો. અમને તે મંજુર નથી. દ્રવ્યક્ષેત્ર વગેરેનો વિચાર કર્યા વિના દીક્ષા આપવી હોય તે જાવ વડેદરામાં જઈને દીક્ષા આપે! તમારી બહાદુરી તે ત્યારે જ સમજાય. બાકી અહીં મુનિમંડળમાં કબૂલ કરાવવાથી કાંઈ વળવાનું નથી.
માણેકમુનિજી–બે વરસ સુધી પાલીતાણા કઈ કેમ ગયું નહિ ? કઈ બહાદુર નથી.
વલ્લભસૂરિજી –તમે આપણી સત્તા ખોઈ, સંધની સત્તા ખાઈ અને સરકારની સત્તા કાયમ કરાવી. તમે તમારી સત્તાનક્કી કરે તે ઠીક છે નહિ તે સંધ, સત્તા નક્કી કરીને સરકાર પાસે જશે અને ન્યાય મેળવશે. કાન પકડીને બહાર કાઢો.
આ પ્રસંગે ત્રીશ સિવાયના પણ કેટલાક સાધુઓ બેલી ઊઠ્યા અને સાગરાનંદજીથી છૂટી પડેલી ટુકડીમાં ગરબડ થઈ
૧૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org