Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
કાર્યવાહી સવારની હકીક્ત જાહેર કરવાનું સૂચન કર્યું હતું. એથી શ્રી સાગરનંદસૂરિજી ધીમે ધીમે તે વાત કહેવા લાગ્યા, પરંતુ જોઈએ તે રીતે વાત કહેવાતી નહિ હોવાથી, શ્રી વિજયનેમિસૂરિજીએ વચમાં જ વાત ઉપાડી લીધી. દરમ્યાન મુનિ શ્રી વિદ્યાવિજ્યજી સામે દૃષ્ટિ પડતાં, તેમને જ બધી હકીક્ત જણાવવાની સૂચના કરી. આથી મુનિ શ્રી વિદ્યાવિજ્યજીએ બધાને સવારની હકીકત ટૂંકમાં સ્પષ્ટ ભાષામાં સંભળાવી દીધી હતી.
ત્યારબાદ શ્રી વિજયનેમિસૂરિજીએ નામો જણાવવાની સૂચના કરતાં નામ બેલાયાં. એ જ વખતે પરચુરણ ગ્રુપ પૈકીનાં ચંદ્રસાગરજી જેઓ પાંચ વર્ષ પૂર્વે સાગરાનંદસરિના શિષ્ય થયેલા ને છાણુ મુકામે થયેલી મારામારી દરમ્યાન છુટા પડેલા હતા, તેઓ બેલી ઉઠયા કે “આ ગ્રુપને એક પણ સભાસદ કમીટીમાં કેમ નથી? અને પેલા એક જ ગ્રુપમાંથી પાંચ જણ છે, જ્યારે બાકીના બધામાંથી ચાર જણ છે. માટે અમારે આ સામે વિરોધ છે. ત્રીશની અનુમતિ સિવાય તમે કઈ ઠરાવ કરી શક્તા નથી.” ખરડો ઘડનારી કમીટી
શ્રી વિજયનેમિસુરિજીએ આથી જણાવ્યું કે “ઠીક ભાઈ ! તમને આ કમિટિ પસંદ ન હોય તે તમારી જુવાન પાર્ટીમાંથી આ કમિટિ બનાવે. લે, હું પોતે જ નામે કહું.'
(૧) પુણ્યવિજયજી (૨) રામવિજયજી (૩) ચંદ્રસાગરજી (૪) નંદનસૂરિજી
૧૨૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org