Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
દિવસ સત્તરમા
૬. દીક્ષા લેવા આવનારની ચેાગ્ય પરીક્ષા કર્યા પછી જ તેને દીક્ષા આપવી જોઇએ.
૭. દીક્ષા માટે મુદિ જોવાના વિધિ છે.
૮. ચામાસામાં દીક્ષા આપવાના સંબંધમાં શ્રી નંદનસૂરિજી અને પૂણ્યવિજયજી જણાવે છે કે-નિશિથભાષ્ય તથા ચૂણી વિગેરે પાડાથી, જે અપવાદથી કે ઉત્સર્ગથી વિધિ કે નિષેધ છે તે સમ્મત જ છે, પણ આપણી સામાન્ય રીતે ચાલી આવત પરિપાટી પ્રમાણે ચેમાસામાં દીક્ષા ન અપાય તે ઠીક લાગે છે.
આ સંબંધમાં ૫૦ શ્રી રામવિજયજી જણાવે છે કે શ્રી પ્રવચન સારોદ્ધારવૃત્તિ, દશવૈકાલીકચૂણી, દશાશ્રુતસ્કંધણી, દશવૈકાલિક હારિભદ્રીવૃત્તિ, શ્રુતિકલ્પવ્રુત્તિ, સ્થાનાંગીન્નત્તિ, દશાશ્રુતસ્કંધના ચોથા અધ્યાયની વૃત્તિ, આદિ અનેક શાસ્ત્રોમાં ચેોમાસાની દીક્ષાના નિષેધને સ્પષ્ટ વિધિ હાવાથી નિશિથ ભાષ્ય અને નિશિથસૂણી માં પુરાણ અને ભાવિત શ્રાદ્ધને દીક્ષા આપવાનું કરવામાં આવેલું વિધાન, આપવાદિક હેય, એમ લાગે છે; અને એ વિધાન મુજબ અતિશ્રદ્ધાળુ રાજા અને અમાત્ય આદિને આપવા ચેાગ્ય દીક્ષા અટકાવી શકાય નહિ.
આ સબંધમાં શ્રી ચંદ્રસાગરજી જણાવે છે —નિશિથ ભાષ્ય તથા ચૂ વગેરે પાડાથી, જે અપવાદથી કે ઉત્સર્ગાથી વિધિ કે નિષેધ છે તે સમ્મત જ છે, પણ ભાવિત શ્રાદ્ધાદિને આપવામાં હરકત નથી
૯. રાત્રિએ દીક્ષા આપવાના સંબંધમાં શ્રી નંદનર્સરજી, શ્રી પુણ્યવિજયજી તથા શ્રી ચંદ્રસાગરજી જણાવે છે કે તે સબધમાં સૂત્રેાકત વિધિ કે નિષેધ જે કાંઇ છે તે સમ્મત જ છે, પણ રાત્રિએ દીક્ષા ન આપવી તે ઠીક લાગે છે.
૧૩૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org