Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
દિવસ ચારો એક અવાજ...વિદ્યાવિજયજીનું નામ પણ રાખો.
નેમિસુરિજી—ના, એ જુવાન નથી. એના દાંત પડી ગયા છે. કેમ વિદ્યાવિજય !
વિદ્યાવિજયજી–જી, હા. બે દાંત બાકી છે, તે પણ પડાવી નાંખવાનો છું.
નોંધવા લાયક વાત તે એ હતી કે સવારે જ્યારે પાંચ નામે વધારીને નવ કરવામાં આવ્યા હતા, ત્યારે તેમનું તથા ૫. રામવિજયજીનું નામ જુવાન તરીકે દાખલ કરવામાં આવ્યું હતું. પરંતુ આ ચારની નિમણુંક સામે કોઈને વધે ન હતા. એટલે બધાએ તેમને ખરડે ઘડનારી કમીટી તરીકે સ્વીકાર્યા. નવભારતમાં સમાચાર કેણે મોકલ્યા?
ત્યારબાદ એક સાધુએ જણાવ્યું કેહમેશાંએકપક્ષીય સમાચારની બ્રમે આવે છે, પણ જિના નવભારતમાં કેવા સમાચાર છપાયા છે? બાળદીક્ષાને ઠરાવ પાસ થઈ ગયો.” આ સમાચાર અમદાવાદથી મોકલાયા છે અને તેની મૂળ નકલ અમારી પાસે આવી છે. માટે નિશ્ચિત કરે છે એવા એકપક્ષીય સમાચાર આપનારને શું પ્રાયશ્ચિત આપવું?
એક અવાજ-મૂળ નકલ બતાવે જોઈએ?
પ્રત્યુત્તર–પહેલાં પ્રાયશ્ચિત નકકી કરે. હજી તે સંમેલન ચાલે છે. સહુ જાણે છે કે ઠરાવ પસાર નથી થયે; છતાં આવા જૂઠા સમાચાર કેમ છપાય ? સમાચાર છપાવવાની તરફેણ! આ વખતે ભારે કેલાહલ મચી ગયો અને “સહુને મન
૧૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org