Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
દિવસ અગીઆરમો આ વખતે ઉ૦ દેવવિજયજીએ એક પ્રશ્ન કર્યો હતો.
સાગરાનંદસૂરિજી—યશોવિજયજી મહારાજે આઠ વર્ષના બાળકને દીક્ષા આપવાનું કહ્યું, ત્યારે તેને કેટલું જ્ઞાન હોય કે ન હોય તે માટે વિચાર કરી ન શકાય.
ઉ. દેવવિજયજી –વજીસ્વામી, નંદિષેણ વગેરેના ગુરુ જ્ઞાની હતા, માટે જ્ઞાની પુરુષે દીક્ષા આપી શકે.
સાગરાનંદસૂરિજી—એવું કંઈ નથી. ધર્મબિન્દુ તથા પ્રવચનસારહાર ઈત્યાદિમાં ગ્રામ્યનાં જે લક્ષણો બતાવ્યાં છે, તેના પરથી પ્રશ્નો પૂછીને આપણે પરીક્ષા કરી શકીએ.
ભૂપેન્દ્રસૂરિજી–માતાપિતાને દુઃખી કરીને, ઝઘડીને વગેરે રીતે દીક્ષા આપવામાં કોઈ વખત આવી છે અને રાજાઓએ અટકાવ્યા હેય-રાજાઓ કાયદા કરે અને તે માટે સંમેલન ભરવું પડે એવા કોઈ પ્રસંગે શાસ્ત્રમાં બન્યા છે ? નગરશેઠ તો કહેતા હતા કે “પધારે સબ ઠીક હે જાયગા મગર એ સબ ગોટેગોટા થા ! અમને શાસ્ત્રદષ્ટિએ આઠ વર્ષની ઉંમરનાને દીક્ષા આપવી મંજુર છે, પણ રાજા હસ્તક્ષેપ કરે તથા માતાપિતાને દુઃખી કરી દીક્ષા આપવી તે વ્યાજબી નથી. માટે અત્યારે જે નોબત આવી છે તેને માટે શું કરવું તેને જ વિચાર કરે. બેટાઓના પૂછયા વિના કાર્યની શરૂઆત કરવાથી આવું પરિણામ આવ્યું છે. છતાં હવે આપણુથી બને તેટલો વિચાર કરીએ. માતાપિતાના રેવા છતાં, રાજાના અટકાવવા છતાં અને સંધના રેકવા છતાં, દીક્ષા આપવી તે વ્યાજબી છે કે કેમ?
શ્રી ભૂપેન્દ્રસૂરિજીના આ ધડાકાથી આખી સભા સ્તબ્ધ બની ગઈ હતી અને પાંચ મિનિટ સુધી અખંડ શાંતિ જળવાઈ રહી હતી..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org