Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
દિવસ સાતમે (૬) સાધુ સંસ્થામાં જ્ઞાનાદિની વૃદ્ધિ. (9) દેશના (૮) શ્રાવકન્નતિ (૯) પરસ્પર સંપની વૃદ્ધિ (૧૦) ધર્મ ઉપર થયા આક્ષેપના અંગે
(૧૧) ધર્મમાં રાજસત્તાના પ્રવેશ સંબંધી પાછી એની એ રામકહાણી!
અગિયાર મુદ્દાઓ નક્કી થયા તરત જ પં. શ્રી રામવિજયજી તથા શ્રી સાગરાનંદસૂરિજી તરફથી વર્તમાન પત્રો સામે ઝુંબેશ ઉઠાવવામાં આવી હતી, અને તેમાં અગ્રભાગ શ્રી સાગરાનંદસૂરિજીએ લીધા હતા. તેમણે જણાવ્યું કે –
“આપણી કમીટીમાં ના પાડવા છતાં આ વિષય પત્રમાં શા માટે આવે છે? શું આપણને શાસનની એટલી પણ દાઝ નથી ? આથી આપણે કેટલી બધી હિલ થાય છે ? આપણે એવા પત્રકારોને નોટીસ આપવી જોઈએ. વગેરે.”
તેમના આ આવેશ ભર્યા ભાષણથી તેમણે બધાને ઉદ્દેશીને પ્રશ્ન કર્યો કે “સમાચાર કેણ આપે છે તે પુરવાર કરવા હું તૈયાર છું. કમીટી તેને માટે શું કરવા માગે છે ?”
એક અવાજતેને સમિતિમાંથી દૂર કરવા જોઈએ. સાગરાનંદસૂરિજી—કેમ ભાઈ! આ બાબત બધાને
બધાએ એ બાબતમાં પોતાની સંમતિ આપીને એ વાત ઠરાવવામાં આવી કે જે શ્રી સાગરનંદસૂરિ પત્રમાં લખનારનું ના સિદ્ધ કરી આપે તે તેણે કમીટીમાંથી
૧૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org