Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
વિરુદ્ધ
4 પણ
ગમે તે
હંધ સંધ
દિવસ નવમો મતની પુષ્ટિ ઉલ્લેખ કરતાં, કેટલેક પ્રસંગે અતિશયોક્તિ કિવા ઉલટસુલટ વાતે પણ જણાવી હતી. દાખલા તરીકે, શ્રી વજસ્વામીને તેમના પિતા ધનગીરીને સોંપી દેવામાં આખું ગામ વિરુદ્ધ હતું, એમ જણાવી તેમણે એ સિદ્ધ કરવા પ્રયત્ન કર્યો હતો, કે પૂર્વે પણ બધે લેકમત વિરુદ્ધ હોવા છતાં આચાર્યો બાળદીક્ષા આપતા, ને ગમે તેવો કોલાહલ થતો તેને ગણકારતા નહિ. જ્યારે વાસ્તવિક રીતિએ ચતુર્વિધ સંધ એમના પક્ષમાં હતો. આવી જ રીતે બીજાધાન રૂપે ચારિત્ર આપવાની લાયકાતમાં અતિશયજ્ઞાનીનું શાસ્ત્રમાં જે નિરૂપણ થયું છે, તે વાતને ઉલ્લેખ ન કરતાં; તેમ જ વજીસ્વામી કેટલા પ્રકારની વિશિષ્ટ શક્તિવાળા હતા, તે પણ ન જણાવતાં, ફક્ત બાળવયમાં દીક્ષા લીધી હતી, તેમ જણાવ્યું હતું. મુખ્યત્વે અપવાદના પ્રસંગે તેમણે પિતાના મતની પુષ્ટિમાં લઇ, તે જાણે ઉત્સર્ગ માર્ગ હેય તેમ બતાવવા પ્રયત્ન કર્યો હતો. અને તેમાં તેમણે આગમ, પૂર્વકાલીન આચાર્યો વગેરેને પ્રથમ આશ્રય ન લેતાં, શ્રીમદ્દ યશોવિજયજી મહારાજના પ્રસંગે બગડેલી સ્થિતિ સુધારવા ગુસ્તત્ત્વ વિનિશ્ચય” નામને ગ્રંથ-જે અમુક અપેક્ષાએ લખાયે છે, તેને આશ્રય લઈ એક પાઠ આપ્યો હતો. એ પાઠ બેલતી વખતે તેમાં એમણે એમ બતાવવા પ્રયત્ન કર્યો હતો, કે શાસનની રક્ષા બાળકથી જ થઈ શકે છે, અને ૬ થી ૮ વર્ષની બાબતમાં તેમણે જણાવ્યું હતું, કે આ બંને ભિન્ન મત છે. પણ હું અત્યારે આઠ વર્ષને પક્ષ લઈને જ બોલી રહ્યો છું. - જ્યારે તેઓ પિતાનું આ પ્રતિપાદન કરી રહ્યા હતા, ત્યારે શ્રી સાગરચંદ્રજી મહારાજે એક પ્રશ્ન કર્યોઃ
ઉપાધ્યાયજી મહારાજ કઈ અપેક્ષાએ બેલ્યા છેએને નિર્ણય આપ શા ઉપરથી કરે છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org