Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
દિવસ ચોથા આપવું જોઈએ. હું બીજે ઠરાવ રજુ કરું છું. આ પછી તેમણે બીજે ઠરાવ રજુ કર્યો હતો.
મુનિ ક્ષમતવિજયજીએ એ ઠરાવને વિરોધ કરતાં જણાવ્યું
હું મારવાડમાં વિચર્યો છું ને તેથી જાણું શક છું કે શાંતિવિજયજી ભોળા દિલના છે. હાલના સમયમાં અનશન થઈ શકતું નથી. છતાં એમના ઉપવાસ સંબંધી પ્રચારકામ કરનારા જણાવતા હતા કે આ ઉપવાસ ગાંધીજીના જેવા નથી કે જેમાં મોસંબીને રસ કે બીજું કાંઈ ખવાય; પણ આ તે જૈન મુનિના ઉપવાસ છે પણ તેઓ ધીમે ધીમે છુટ મૂકે છે ને ત્યાર પછી છાશ પીવાની શરૂ કરી છે. આપણે અત્યારે અનુમોદન કરીએ ને તેઓ દરબારને કંઈ લખી આપે તે આપણું તીર્થ જાય.”
સાગરાનંદસૂરિજી—આપણે તે બધાની દૃષ્ટિથી કામ કરવાનું છે.
સમાવિયજી–તેમણે જે કર્યું છે તે માટે તેઓ જોખમદાર છે અને તેઓ જે ફેરફાર કરે તે માટે આપણું મુનિસંમેલન શા માટે જોખમદાર થાય ? પુરુષાર્થની અનુમોદના કરે !
વિદ્યાવિજયજી–આમાં જોખમદારીને કાંઈ સવાલ જ નથી. માત્ર તેમના પુરુષાર્થને અનુમોદન આપવાનું છે.
ઉ. દેવવિજયજી–આપણે તેમના કાર્યને જ અનમેદન આપવાનું છે. - સાગરાનંદસૂરિજી–જે “ભગ” શબ્દ ભારે પડતે હેય તે તેની જગાએ બીજો શબ્દ મૂકે ! પંરામવિજ્યજી––ભોગની પાછળ બીજું આવવાનું શું
૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org