Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
પૂર્વ મુનિવરે સાથે પાટણથી વિહાર કર્યો છે. ફાગણ સુદ નવમીને દિવસે ઘણે ભાગે તેઓ દહેગામ પહોંચશે અને ત્યાં થનાર મુનિસંમેલનની સફળતા સંબંધીની મંત્રણામાં ભાગ લઈ અમદાવાદ આવશે.
આચાર્ય શ્રી રિદ્ધિસાગરજી, મુનિરાજ શ્રી હેમેન્દ્રસાગરજી તથા બીજા શિષ્ય પરિવાર સાથે પાનસરથી દહેગામ તરફ પધારશે.
મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી પિતાજી નાદુરસ્ત તબિચતને અંગે હાલ અમદાવાદમાં રોકાયેલા છે. તેઓ તબિયત સુધરતાં જ મુનિ શ્રી હિમાંશુવિજયજી, મુનિ શ્રી ધર્મવિજયજી તથા શ્રી સંપતવિજયજી તથા શ્રી વિજયદુર્લભસૂરિ આદિ મુનિઓ સાથે દહેગામ પધારશે.
“મુનિ શ્રી લલિતસાગરજી તથા શ્રી લક્ષ્મીસાગરજીએ સાશંદથી વિહાર કર્યો છે. તેઓ અમદાવાદ થઈને દહેગામ જશે.”
આ વખતે શ્રી વિજયનેમિસુરિ અમદાવાદ આવી પહોંચ્યા હતા ને નદી પાર સુતરિયા બિલ્ડીંગમાં ઉતર્યા હતા. બીજા પણ કેટલાક આચાર્યો તથા સાધુઓ જુદાજુદા સ્થળે ઉતર્યા હતા. જૈન જ્યોતિ પત્ર અમદાવાદમાં એક દિવસ આગળ પ્રગટ થતું હોવાથી તે સમાચાર ફાગણ સુદી ત્રીજના સાંજે અમદાવાદમાં ફરી વળ્યા, અને લોકોને તરેહ તરેહની કલ્પનાઓ થવા લાગી. શ્રી વિજયનેમિસૂરિએ દહેગામમાં થનારી વિચારણના આ સમાચાર બહુ આશ્ચર્ય સાથે સાંભળ્યા. અને તેમને તથા સંમેલનના કેટલાક કાર્યવાહકેને શેતરંજની બધી બાજી પલટાઈ જતી લાગી. સોસાયટી પક્ષ પણ ઊંચે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org