Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
દિવસ બીજે સમુદાયના બબ્બે લેવા. પછી પાંચ કે પચ્ચીસ થાય એના ક્યાં ઉચાટ છે?”
(આ વખતે ઉપાધ્યાય શ્રી દેવવિજ્યજીએ કાંઈક સૂચના કરી હતી.) | નેમિસુરિજી—એમાં મતલબ એવી છે કે વિ. વિ. સમિતિ થયા પછી પણ કોઈના મનમાં ન રહે કે મારા વિષય બાકી રહી ગયા.
ઉ૦ દેવવિજયજી–હા, કે ના, નિર્ણય કરે ને?
નેમિસુરિજી–જેમાં કોઈને મતભેદ ન હોય એવા ઠરાવો પહેલા પાસ કરવા.
ઉ. દેવવિજયજી –સમિતિ તે થવી જોઈએ.
નેમિસુરિજી—વિ. વિ. સમિતિ નીમવી એમાં મત લેવામાં જુદા જુદા ભાગ પડશે.
હર્ષસૂરિજી–(ઊંચેથી બોલતાં) સમિતિ વિના બધાને ન્યાય કેમ મળે ?
(આ વખતે બે તદન નાના સાધુએ ઊભા થયા, જે જોઈને ભારે હસાહસી થઈ રહી.)
માણિક્યસિંહસૂરિજી –શી રીતે કામ કરીએ તે આપ બોલે !
નેમિસૂરિજી– હું કાંઈ ના પાડતું નથી.
સાગરાનંદસૂરિજી—વિષ કાત્યા પછી કંઈનું કંઈ તે કરવું જ પડશે.
પં. રામવિજ્યજી–જે વિષય ચર્ચવા તે બહુમતિએ કે સર્વાનુમતિએ પાસ કરવા તેને પણ નિર્ણય કરવું જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org