Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
દિવસ બીજે રંગવિમળ–કાલે વિષય વિચારિણી સમિતિ કરવી કે ન કરવી એ આજ ઉપર રાખ્યું હતું. પ્રાચીન પદ્ધતિ કયાં છે?
વલભસૂરિજી—વિ. વિ. સમિતિ વિના ચાલી શકતું હશે? એને નિર્ણય આજે થઈ જાય તે ઠીક. વિ. વિ. સમિતિ એ નવી પદ્ધતિ છે, એટલા માટે જ એને સ્વીકાર ન કરે એ ઠીક નથી. આપ બધા ટેબલ લઈને બેઠા છે; એ શું પ્રાચીન પદ્ધતિ છે? આપણે સમાજની સાથે રહેવાનું છે, એથી નવીન પદ્ધતિ અંગીકાર કરવી જોઈએ. એ તે કઈ પણ કહી શકે તેમ નથી કે આપણે સમાજની તરફ લક્ષ ન આપવું. માફ કરજો! આજકાલની પરિસ્થિતિ જોતાં બધા ગચ્છ અને સમુદાય વચ્ચે એક દેરીમાં બાંધે એવી, ફક્ત એક જ વસ્તુ રહી છે, અને તે દેવ. બધાના દેવ એક છે. જ્યાં ગુરુ અને ધર્મનું નામ આવે છે ત્યાં કેવી દશા થાય છે, એ કેઈથી અજાણ્યું નથી. વિ. વિ. સમિતિ વિના નિમંત્રણ આપ્યું, બેલાવ્યા; એ બધું શું કામનું?”
રંગવિમળજી–પ્રાચીન પદ્ધતિ શી હતી, તે જાણવા લેકે ચાહે છે. વલ્લભસૂરિજી–સવાલ જવાબની જરૂર નથી.
(થોડી ક્ષણો માટે પાછું મૌન) થોડી વારે વિજયનેમિસુરિજીએ વિજયવલ્લભસૂરિજીને બોલવા કહ્યું. એના જવાબમાં વિજયવલ્લભસૂરિજીએ કહ્યું કે મારા જે વિચાર હતા, તે મેં અહીં જણાવી દીધા છે.'
આ વખતે શ્રી વિજયનેમિસુરિ થોડું બેલ્યા, પણ બરાબર સંભળાયું નહિ. પછી તેમણે જણાવ્યું કે “કેટલા વિષય ચર્ચવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org