Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
દિવસ બીજે નેમિસૂરિજી—જેને કોન્ફરન્સમાં સબજેકટ કમિટી કહે છે. તમે બહુ દેશમાં ફર્યા છે માટે જાણે છે.
વલ્લભસૂરિજી–બધાની કૃપા. અમુક કાર્ય માટે આપણને અહીં બોલાવ્યા છે તેને ખુલાસે થવો જોઈએ.
નેમિસૂરિજી–એજંડા થાય એવું આપણે ત્યાં છે કે?
૫. રામવિજયજી–આજે જૈન મુનિઓ જગે જગે ભાષણ આપી રહ્યા છે અને જૈન ધર્મની અવગણના કરી રહ્યા છે. વ્યક્તિગત ટીકા ન જોઈએ. | હિમાંશવિજયજી–ભાઈઓ! સંમેલનમાં ખાસ ધ્યાન રાખવું કે આપણું પ્રવચનમાં ક્યાંય વ્યક્તિગત ગુણદોષની વાત તે નથી આવતી ? દરેકે આને ઉપગ રાખવો જોઈએ.
લલિતસાગરજી–સ્પષ્ટતયા આક્ષેપ થઈ રહ્યા છે. આવા હડહડતા આક્ષેપ કેમ સહેવાય ? મેટા મેટા વ્યાખ્યાનો કરનારાઓ આવી ભૂલ કરે એ કેવું ખરાબ કહેવાય ?
પં. રામવિજયજીકની આજ્ઞાથી બોલે છે ?
ઉ. દેવવિજયજી–એક ગ્રુપમાં આવ્યા એટલે બધા એક છે. એક સમુદાયના છે એવું કંઈ નથી. એક મંદિરમાં મળ્યા એટલે એક ન કહેવાય.
પ્રીતિવિજયજી –મારી ભાષા જેરની છે. વલ્લભરિજી મહારાજને નમ્રપણે વિનવું છું કે તમે પણ નામ આપો. વર્તમાનપત્રો સામે વિરોધ.
પં. રામવિજયજી–અમે શબ્દો ન બોલવા સારા છે એ વાત સાચી છે, પણ વસ્તુસ્વરૂપને માટે કઠેર શબ્દો આવે તેમાં વાંધો નથી. આ સભામાં જે વાત થાય તે પામાં મુકાવી ન જોઈએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org