Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
કાર્યવાહી અને મુકવી હોય તે નગરશેઠ મારફતે છાપામાં લખાય એમ ન થાય તે પરિણામ સારું ન આવે.
વિદ્યાવિજ્યજી–જે સાચા વિચારે આપણે પ્રગટ કરાવવા હોય તે અહીં રિપોર્ટરને બેસાડવા જોઈએ.
લલિતસાગરજી–આ સભાની વાત બહાર ન જાય તે માટે કમીટી નિમાવી જોઈએ. .
(આ માટે કેટલીક ચર્ચા ચાલી.)
૫. રામવિજયજી–નગરશેઠની સહીથી બહાર પડે તે સાચું, એવું પત્રોમાં પ્રગટ કરવું જોઈએ.
હેમેન્દ્રસગર–આવો ઠરાવ પણ વિષયવિચારિણું સમિતિ વગર ન થાય. નગરશેઠ સાથે ચર્ચા.
આ વેળા નગરશેઠ અંદર આવ્યા હતા. આ વખતે પણ ચાર વાગ્યા હતા. રામવિજયજી મહારાજે આ પ્રસંગે કેટલુંક વિવેચન કરતાં છાપાઓમાં વાત ન આવવી જોઈએ તે સમજાવ્યું.
નગરશેઠે કહ્યું કે હું પણ એ કહેવાનું હતું કે હું જાહેર કરીશ કે છાપાઓમાં જે સમાચાર આવે તે પ્રામાણિક માનવા નહિ.”
પં. રામવિજયજી—એમ નહિ, પણ સંમેલન સંબંધી નગરશેઠની સહી સિવાય જે બહાર પડે તે અપ્રમાણિક માનવા. તાર અને પત્ર.
નગરશેઠ–એક તાર આવ્યું છે તે સંભળાવું. નેમિસુરિજી—કાંઈ જરૂર નથી.
-
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org