Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
દિવસ બીજે (આ ચર્ચા પછી સમુદાયના નામે લખવાની વાત થવા લાગી.) ૫. રામવિજયજી–લાવોને નામ હું લખું.
દયાવિજયજી–અમારા વૃદ્ધિચંદ્રજીના ચતુરવિજયજી પન્યાસ તરફથી શ્રી વિજયનેમિસુરિ કરે તે કબૂલ છે.
(પરંતુ આ વખતે શ્રી વિજયનેમિસુરિજીએ એમને રોક્યા.) હર્ષ સૂરિજી–આ વાત પ્રમુખ માટે થાય છે કે બીજી ? નેમિસૂરિજી–ભાઈ! પ્રમુખની વાત જ નથી..
નીતિસૂરિજી–એક ગુરુને ત્રણ ચેલા હોય ને ત્રણેના રાગ જુદા હોય તે ત્રણેનાં નામ લખે.
નેમિસૂરિજી–ચાર હોય તે ચાર લખવા જોઈએ. લખે, એમાં મારે વાંધો નથી. પણ જે કામ કરવું હોય તે પાર પાડે ને ?
એક સાધુ–આપણે એક છીએ એમ નથી, કારણ કે મંડપમાં જુદા જુદા પ્રવેશ કર્યો નથી. તેમ જુદા છીએ એમ પણ નથી, કારણ કે દરેકે પોતપોતાના આગેવાનની સાથે પ્રવેશ કર્યો છે.
એક સાધુ–આ સભા મૂખની નથી તેમ ડાહ્યાની પણ નથી. આપણાં કરતાં તે શ્રાવકમાં શાસનની લાગણું વધુ છે; જેઓ ૨૪ કલાક ધર્મ નથી કરતા તેમનામાં આટલી લાગણી છે તે પછી આપણામાં કેટલી હોવી જોઈએ ? નાના મેટાને સરખે ન્યાય
વિદ્યાવિજયજી–હમણાં જે વાત આપણું સમક્ષ મુકવામાં આવી છે તે વિચારણીય છે. જુદા જુદા ગચ્છાએ અમુકને હક્ક આપી દીધા છે એમ તે નથી. નાનામાં નાને સમુદાય પણ તેવા જ હક્કો રાખી શકે છે કે જેટલે મેટે રાખે. જેટલા મેટા તેટલા નાના. એટલા માટે બધાને ન્યાય મળે તેમ કરે!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org