Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
કાર્યવાહી શાસ્ત્રાર્થ કરવાને અહીં એકઠા થયા નથી. શાસ્ત્રાર્થ કોણ જાણે છે. આપણે કેટલાંક એવાં આચરણ કરીએ છીએ, જે શાસ્ત્રમાં કહેલ નથી. અને કેટલીક વાતે શાસ્ત્રમાં કહેલ છે, તે પણ કરતા નથી. બધાએ પીળાં વસ્ત્ર પહેરવાં જોઈએ, છતાં હું પીળાં વસ્ત્રો પહેરું છું, મારા શિષ્ય સફેદ પહેરે છે. એજ રીતે બીજી બાબતોમાં છે. માટે આપણે જે રૂઢિઓ ચલાવી છે, તે રૂઢિઓનું આપણે જ પરિવર્તન કરી શકીએ. આ મંડલી શાસ્ત્રાર્થને માટે નથી. સહુને અનુકુળ વાત કાઢે !
વિદ્યાવિજ્યજી—યથાર્થ છે.
સાગરાનંદજી–રામવિજયજી શાસ્ત્રાર્થ માટે કહેતા નથી; પરંતુ શાસ્મસંમત છે કે નહીં તેને નિર્ણય કરવાનું કહે છે. - પુણ્યવિજથજી–જ્યાં સુધી વિષયવિચારિણી સમિતિ ન થાય ત્યાં સુધી આગળ કામ ન ચાલવું જોઈએ.
વિદ્યાવિય–આ બાબત પર ખાસ ધ્યાન આપવા જેવું છે.
મેઘવિજયજી –જયાં સુધી વિઠ્યવિચારિણી સમિતિ ન થાય, ત્યાં સુધી બધું નકામું છે.
રંગવિમલજી-કેઈપણ કડાકૂટની ચર્ચામાં કેઈ નાના સાધુની સત્તા નહીં હેવી જોઈએ. શાસ્ત્રાર્થની બાબતમાં ભલે. હોય. અમે ભૂલી જઈએ તે સાગરજી–સૂરિજી–મેટા બેલી શકે છે. આપણે તે બધા જર્મનીના જોદ્ધા છીએ.
વિજયવલ્લભસૂરિજી આપનું નામ રંગ છે તે રંગમાં ભંગ ન પાડવો જોઈએ. આપણે તે બધા ક્ષમાશ્રમણ છીએ. આજકાલના નવજવાના વિચારો નવીન છે તેઓ ન બેલે
૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org