Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
દિવસ પહેલે પરિણામ આવી શકશે. બીજી મહત્વની વિચારવાની વાત એ છે કે આ વીસમી સદીને જમાને છે. મોટી મેટી કોન્ફરન્સ ભરાય છે, ને તેના ઠરાવનું કંઈ પરિણામ આવતું નથી, ત્યારે લેકે તેની ઠેકડી ઉડાડે છે! જ્યારે આપણે તો વ્રતધારીઓ છીએ. એટલે આપણું ઠરાવને અમલ ન થાય તે આપણું બીજ વ્રતમાં દોષ લાગે. માટે ઠરાવો ભલે થોડા થાય પણ અમલ થાય તેવા કરવા અને તે ઠરાવોને અમલ થાય માટે એક સત્તા ઉત્પન્ન કરવી જોઈએ. જો એમ ન થાય તો આપણા ઠરાવની કિસ્મત કેડીની પણ નથી.
તીર્થવિજ્યજી–સંમેલન કોને કહેવાય છે? સંમેલન બે પ્રકારનાં થાય છે. એક દ્રવ્યસંમેલન અને બીજું ભાવ સંમેલન. ફક્ત મળવું તેનું નામ દ્રવ્યસંમેલન છે. જ્યારે હૃદયથી મળવું તેનું નામ ભાવસંમેલન. હું મેટે છું એવી ભાવના રાખવાથી તે આ દ્રવ્યસંમેલન જ થશે. કૃપા કરી બધા મુનિઓ મળ્યા છે, તે પિતાની મલીનતા છોડીને મળો તે સારું.
આ પછી શ્રી વિજયનેમિસૂરિજીએ શ્રી સાગરાનંદસરિજી સાથે કાંઈક ગુપ્ત વાત કરી અને થોડું મૌન વ્યાપ્યું.
સાગરાનંદસૂરિજી—અનશનને પ્રશ્ન શાસ્ત્રીય છે કે નહીં, તેને વિચાર કર્યા વગર ઠરાવ કેમ કરાય ?
વિજયવલ્લભસૂરિજી—વિષયવિચારિણી સમિતિ નીમવાને સહુ વિચાર કરી લે ! આપણને બધાને નિમંત્રણ કર્યું છે ને સર્વ ગવાળાને બેલાવવાની ઉદારતા કરી છે, તો જે વાત સર્વસંમત હોય તે જ અહીં કાઢવી જોઈએ. પરંતુ આપણે
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org