Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
દિવસ પહેલે પરંતુ તેથી અટકવાના નથી, માટે આ નવજવાનોને ભવિષ્યમાં સુધારવાને માટે વિષયવિચારિણી સમિતિ નીમવી જોઈએ. મહેરબાની કરીને સર્વ મુનિમંડળમાંથી એ સમિતિ નીમાવી જોઈએ.
વિજયનેમિસૂરિજી—આપ બેસે! વિષયવિચારિણી સમિતિની કોઈ જરૂર નથી. આપણે ઉત્સાહભંગ થવાનું કોઈ કારણ નથી. આવતીકાલ પર રાખે !
તીર્થવિજયજી–હવે જવા માટે આજ્ઞા આપે !
વિજયવલભસૂરિજી–સંમેલનમાં ક્યારે આવવું તેને સમય નિશ્ચિત થવો જોઈએ.
સિદ્ધિમુનિજી-–વિષયવિચારિણી સમિતિ તો આજે જ થવી જોઈએ.
(આ પ્રસંગે ક્યા સમયે આવવું, તે અંગે ડી વાર વાતચીત ચાલી હતી.)
વિજયનેમિસુરિજી–સહુને અનુકુળ સમય હોય તે મને અનુકુળ છે.
| વિજયવલ્લભસૂરિજી–એકથી ચાર વાગ્યા સુધીનો સમય રાખે ! જ એક પ્રશ્નને નિર્ણય કરીશું, તે આઠ દિવસમાં આઠ પ્રશ્નોને તે નિર્ણય થશે જ.
વિજયનેમિસૂરિજી–ફાગણ વદ ત્રીજનું સંમેલન ભરવું એમ લખ્યું છે, પણ પુરા કરવા સંબંધી કાંઈ લખ્યું નથી. સમિતિ કે કમિતિ ગમે તે રીતે કામ થાય તે જોવું જોઈએ.
માણેકમુનિજી—સવારે પાંચ સાત આગેવાન સાધુએ ભેગા થઈને નિર્ણય કરે તે આપણને મહેનત ઓછી પડે.
૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org