Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
દિવસ પહેલે યજીએ કેશરિયાજી તીર્થના ઠરાવ માટે કહ્યું કે “જ્યાં સુધી શાંતિવિજયજીએ આદરેલું અનશન શાસ્ત્રીય રીતે છે કે નહીં તે ન જાણીએ, ત્યાં સુધી શું કરી શકીએ ?” - વિદ્યાવિજયજી-જે વખતે ઉદેપુરના મહારાણુ ન્યાય આપતા નથી, પંડયાએ તીર્થને લૂંટી રહ્યા છે, અને એક સાધુ મહિનાપયેતના ઉપવાસ આદરે છે, ત્યારે શાસ્ત્રની ચર્ચામાં વખત ગાળવાને અર્થ શું? એમ શાસ્ત્રનાં પિથાને આવી બાબતમાં આગળ લાવવાનાં ન હોય! - હંસસાગર–શાસ્ત્રોને સ્વચ્છંદી સાધુઓ પિથાં શબ્દ કહીને નિંદે છે, માટે તેમણે તે શબ્દ પાછું ખેંચી લેવ જોઈએ.
ચરણવિજયજી–તમે સાધુઓને માટે જે સ્વચ્છંદી શબ્દ વાપર્યો, તે પ્રથમ પાછા ખેંચી લેવો જોઈએ.
(આ વેળા વાતાવરણ ગરમાગરમ થયું હતું.) તીર્થવિજયજી–મારવાડમાં શાસ્ત્રને પિથાં કહે છે. સાગરાનંદજી–પેથાં નહિં પણ પિથાં
વિજયવલ્લભસૂરિ–ભાઈએ ! આપણે શબ્દોની નિરર્થક તકરાર કરવાને એકઠા થયા નથી. વક્તાને આશય શાસ્ત્રોને ઉતારી પાડવાને નહે. જુદા જુદા વક્તાઓની બોલવાની પદ્ધતિ જુદી જુદી હોય છે. અને તેથી તેમની પાસે અમુક પ્રકારને શબ્દસંગ્રહ થઈ જાય છે, એથી જોશભર્યા ભાષણમાં તેવા શબ્દ વપરાઈ જાય છે.
સાગરાનંદસૂરિ—હા બેલનારો આશય તે ન હતા. પણ સભામાં ઉપયોગ રાખવો જોઈએ. અને તે ઉપગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org