Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
દહેગામ-મંત્રણ આપી ઘણે ખરે અંશે લેકમત તૈયાર કર્યો હતે. જુદા જુદા ઉપાશ્રયમાં બિરાજતા સાધુઓની મુલાકાતે તેઓ લઈ ચૂકયા હતા. તેઓ યુવકમાં-સુધારક ગૃહસ્થમાં ઉત્સાહની ભરતી જોઈ શક્યા હતા. તેમણે અમદાવાદના ઉત્સાહી કાર્યકર્તા ધીરજલાલ ટોકરશી શાહ, મૂલચંદ આશારામ વૈરાટો, શેક શકરાભાઈ લલ્લુભાઈ જેવા ખાસ ખાસ મહાનુભાને પિતાની પાસે બોલાવી પિતાનો નિશ્ચય મૂકો. તે ભાઈઓ સમ્મત થયા; અને તેમની દ્વારા પ્રયત્ન શરૂ કરવામાં આવ્યું. તેના પરિણામે ઉત્તર અને મધ્ય હિંદ તરફથી વિહાર કરીને આવતા સાધુઓએ અમદાવાદથી થોડે દૂર, દહેગામ મુકામે ફાગણ સુદી અગિયારશને દિવસે એકત્ર થવાનું નક્કી કર્યું. એ મંત્રણામાં ભાગ લેવાને અમદાવાદ આવી ગયેલા કેટલાક સાધુઓએ પણ નિશ્ચય કર્યો અને ફાગણ સુદી ૪ ના જેન તિમાં નીચેના સમાચારે પ્રગટ થયા.
દહેગામ ભણી મુનિવિહાર આચાર્ય શ્રી વિજયનીતિસૂરિજી, પંન્યાસ શ્રી કલ્યાણવિજયજી આદિ મુનિવરો સાથે કપડવંજથી વિહાર કરી ફાગણ સુદ આઠમ અથવા તેમને દિવસે દહેગામ પધારશે. ત્યાંથી અમદાવાદ આવશે.
આચાર્ય શ્રી વિજયહર્ષસૂરિ આદિ મુનિમંડળ મહેસાણાથી વિહાર કરી દહેગામ ખાતે આચાર્ય શ્રી વિજયનીતિસૂરિજીને મળશે.
આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજીએ મુનિરાજ શ્રી પુણ્યવિજયજી, પંન્યાસ શ્રી ઉમંગવિજયજી તથા બીજા અનેક
પક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org