Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
પૂર્વ રંગ કામ માટે આપણે જઈ રહ્યા છીએ તે કામ સફળ થશે. ” આ પછી તેઓશ્રી સાધુવર્યોને મળ્યા હતા અને આહાર પાણી વાપર્યા પછી બે વાગતા મીટીંગની શરૂઆત થઈ હતી.
બંધ બારણે મસલત
બપોરના બે વાગે બધા સાધુ મહારાજે શ્રી વિજયવલભસૂરિજીના ઉતારે એકત્ર થયા હતા અને બંધ બારણે મસલત ચલાવવામાં આવી હતી. જે વખતે કોઈ પણ શ્રાવક કે કઈ પણ પત્રના પ્રતિનિધિને હાજર રાખવામાં નહેતા આવ્યા. આ મંત્રનું લગભગ સાડા ચાર સુધી એટલે અઢી કલાક સુધી ચલાવવામાં આવી હતી. જેમાં ધારવા મુજબ એક ડ્રાફટ રજુ કરવામાં આવ્યું હતું અને તેમાં સાધુ સંમેલનની બધી યોજના બહાર પાડવા માટે નગરશેઠને પત્ર દ્વારા જણાવવાનું હતું. બસ સાધુનું પ્રતિનિધિત્વ
આ બધામાં ભાગ લેનારા લગભગ ૪૦ થી ૫૦મુનિવરે હતા, જેઓ લગભગ બસે ઉપરાત સાધુઓનું પ્રતિનિધિત્વ ધરાવતા હતા.
શ્રાવક મંત્રણા
સાધુ મહારાજાઓ જ્યારે આમ મંત્ર ચલાવી રહ્યા હતા, ત્યારે બીજી બાજુ મુંબઈ પાટણ, અમદાવાદ, દહેગામ, મહુવા, ભાવનગર વગેરેના ભેગા થયેલા આગેવાન ગૃહસ્થ પણ વિચારણું ચલાવી રહ્યા હતા અને લાંબી વાટાધાટને અને સર્વેએ એકમત થઈ નીચેને ઠરાવ પસાર કર્યો હતે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org