Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
પ્રકરણ ૮ મું
પ્રવેશ સાધુ સંમેલન શરૂ થવાને હવે બે દિવસની જ વાર હતી. આચાર્ય શ્રી વિજયનેમિસૂરિ તથા શ્રી સાગરાનંદસૂરિ પિત પિતાના સમુદાય સાથે પાંજરાપોળના ઉપાશ્રયે ઉતર્યા હતા. સાગરાનંદસૂરિના સમુદાયમાં થોડા દિવસ અગાઉ છાણ મુકામે અંદર અંદર મારામારી થવાથી ૧૯ જેટલા શિષ્યો જુદા પડ્યા હતા ને તેઓ ઝાંપડાની પોળના ઉપાશ્રયે ઉતર્યા હતા. આચાર્ય શ્રી વિજયદાનસુરિ અને શ્રી વિજયલબ્ધિસૂરિને સમુદાય વિદ્યાશાળામાં ઉતર્યો હતે. આચાર્ય શ્રી વિજયસિદ્ધિસૂરિ પિતાના શિષ્ય સમુદાય સાથે પગથિયાના ઉપાશ્રયે રહ્યા હતા. મુનિશ્રી તીર્થવિજયજી આદિ ત્રણ થઈવાળ સમુદાય (દહેગામ મંડળી) શાંતિસાગરના ઉપાશ્રયે ઉતર્યો હત; ત્યારે આચાર્ય વિજયાહનસૂરિ વીશા શ્રીમાળીની વાડીમાં ઉતર્યા હતા. શ્રી રંગવિમળજી આદિદેવશાના પાડે ઉતર્યા હતા. શ્રી જયસિંહરિ, શ્રી માણેકમુનિ (દહેગામ મંડળી) પ્રીતિવિજયજી આદિ ખરતરગચ્છના ઉપાશ્રયે, મુનિરાજ શ્રી સાગરચંદ્રજી (દહેગામ મંડળી) વગેરે શામળાની પળના ઉપાશ્રયે અને શ્રી જશવિજયજી માંડવીની પોળમાં નાગજી ભુદરની પાળના જૈન ઉપાશ્રયે સ્થિર થયા હતા.
૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org