Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
પ્રવેશ બેલાવેલ સાધુ સંમેલનના અંગે સંધની પરિસ્થિતિને વિચાર કરતાં દહેગામ મુકામે એકત્ર થએલા જુદા જુદા સમુદાયના અને બહાર હોવા છતાં એકમત થયેલા અમે સઘળા સાધુઓને દઢ અભિપ્રાય છે કે સાધુ સમેલન સફળ થાય ને દરેક સમુદાયને ન્યાય મળે તે માટે સૌથી પ્રથમ અમદાવાદમાં સંમેલન પ્રસંગે ઉપસ્થિત થનારા દરેક ગચ્છ અને સમુદાયના ચુંટેલા પ્રતિનિધિ સાધુઓની એક વિષયવિચારિણી સમિતિ બનવી જોઈએ અને તે સમિતિ સાધુસંમેલનમાં ચર્ચવાના જે વિષયો નક્કી કરે એ જ હાથ ધરવા.
આ ઠરાવની નકલ નગરશેઠ પર મોક્લવાની સત્તા સાધુ સમુદાય શ્રી વિજયનીતિસૂરિ મહારાજને આપે છે.”
વિજયનીતિરિ, વલ્લભવિજય, અદ્ધિસાગર, સિદ્ધિમુનિ, નેમવિજય, કસ્તુરવિજય, મુનિ મેઘવિજ્ય, વિદ્યાવિજય પુણ્યવિજય. મિત્રવિજય, સમુદ્રવિજય,પ્ર. ૫૦ લાભવિજય પ્ર. ન્યાયવિજય, મુનિ મૃગેન્દ્ર, ઉદયવિજયજી, કલ્યાણવિજયજી, સંપદવિજયજી, રામવિજય–
[સમંતિઓ જુદી. આ કાગળ પર પાછળથી ૪૦ જેટલી સાધુઓની વિશેષ સહીઓ થઈ હતી]
આ પત્ર વંચાયા પછી દરેકને સાધુઓની બરાબર ભક્તિ કરવાનું સૂચન કરી તથા આજે જે ઉત્સાહ બતાવ્યો છે તે દર વખતે બતાવશે તેવી આશા પ્રદર્શિત કરી સભા વિસર્જન કરવામાં આવી હતી.
બીજા દિવસે પ્રાતઃકાળમાં દહેગામ મંડળી'એ અમદાવાદમાં પ્રવેશ કર્યો હતે. સર્વત્ર ખૂબ ઉત્સાહ હતું, અને સ્વાગત માટે પ્રચંડ માનવ મેદની એકઠી થઈ હતી. દહેગામ ખાતે સૌએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org