Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
કાર્યવાહી માનું છું. મુનિ સંમેલનની સફળતા ઈચ્છનારા જે સદેશાઓ મને મળ્યા છે, તે હું આપ સમક્ષ વાંચી સંભળાવું છું. તેની પૂર્ણાહુતિ પછી આપ સૌ પૂજ્ય મુનિરાજાઓને સંમેલન માટેના મંડપમાં પધારી, સંમેલનના મંગલકાર્યની શુભ શરૂઆત વિશાળ હદયની ઉદારભાવનાથી કરવાને વિનંતિ કરું છું. ઉદારભાવનાથી થયેલા નિર્ણયને પ્રભાવ આપણું જેનસમાજમાં ચિરકાળ શિરોધાર્ય થઈ રહે.
“અંતમાં આ કાર્યને લઈને આપશ્રીના સમાગમમાં આવતાં મારાથી કોઈ પણ જાતને અવિય થયે હેય, તે તેની હું નમ્રભાવે ક્ષમા યાચું છું. જૂદા જૂદા ગામે યા શહેરમાં બિરાજતા મુનિમહારાજેને જ્યારે આમંત્રણ કરવા ગયા હતા, ત્યારે તે સૌ સ્થળોના શ્રી સંઘએ મને જે અત્યન્ત ભાવપૂર્વક આવકાર આપે છે, તે સૌ શ્રી સંઘને પણ હું આભાર માનું છું.” શ્રી વિજયશાન્તિસૂરિને સંદેશ
આટલું પિતાનું નિવેદન રજૂ કર્યા બાદ શ્રી વિજયશાનિત સૂરજનો મદાર [ ઉદેપુર] ખાતેથી શેઠ ત્રિકમલાલ મગનલાલ સુતરિયા દ્વારા નીચે પ્રમાણેને પત્ર મળ્યું હત; તે વાંચી સંભળાવવામાં આવ્યો હતે. પરમપૂજ્ય ગુરુદે,
રાજનગરની પુણ્યભૂમિમાં સાધુ સંમેલન વખતે અવશ્ય મારે હાજરી આપવી જોઈએ, પણ શ્રી કેશરીઆજી તીર્થ માટે મેં કરેલી પ્રતિજ્ઞા પૂરી કરવા માટે હું અહિંયા આવેલો છું. તેથી કરીને શ્રી સંમેલનમાં હું ભાગ લઈ શક નથી. માટે પૂજ્ય ગુરુદેવાની તથા શ્રી સંધની માફી ચાહું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org