Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
દહેગામ-મંત્રણ પંન્યાસ શ્રી લાભવિજયજી, પં. ન્યાયવિજ્યજી, મુનિ પ્રેમવિમલજી તથા બીજા પણ ઘણું મુનિઓ ધ્યાન ખેંચતા હતા.
અમદાવાદથી તથા બીજા પણ ઘણા સ્થળેથી ઘણું જેને અહીં આવ્યા હતા. તેમજ જૈન જ્યોતિના ખબરપત્રી સાથે પ્રજાબંધુ, જૈન, તરુણ જેન, આત્માનંદ પ્રકાશ વગેરે પાના ખબરપત્રીઓ પણ આવેલ હતા, જેમાં કેટલાક તંત્રી મહાશને પણ સમાવેશ થયો હતો.
દશ વાગે પૂ. આચાર્ય શ્રી વિજયવલ્લભસૂરિજી આદિ ઠાણું બાર સાથે (જેમાંના કેટલાક સંધ અને ગછના પ્રતિનિધિ હતા) પધાર્યા હતા. દહેગામને શ્રી સંધ તથા ત્યાં બીરાજમાન દરેક સાધુઓ તેમનું સ્વાગત કરવા સામે ગયા હતા.
પૂ. આચાર્યશ્રીએ શાંતમૂતિ મુનિ મહારાજ શ્રી હંસવિજયજીને સ્વર્ગવાસ થયેલ હોવાથી સામૈયાનો નિષેધ કર્યો હતો, જેથી તેઓશ્રી બધા સમુદાય સાથે પોતાના ઉતારવાના મુકામે પધાર્યા હતા, અને પિતાની પ્રભાવશાળી વાણીમાં તેઓશ્રીએ મંગળાચરણ કર્યું હતું, જેમાં સાર્વજનિક દયા, સાહિમભાઈની મદદ (સ્વામી વાત્સલ્ય) તથા વીતરાગ શાસન ઉપર અતિ સુંદર પ્રવચન કર્યું હતું. હૃદયથી હૃદય મળવા દે
આ વખતે મંત્રણાના સમયને પ્રશ્ન પૂછાતાં તેઓશ્રીએ પિતાની ભાવવાહી વાણીમાં પ્રત્યુત્તર આપ્યો હતો કે
ભાઈઓ ! અમે બધા તે અપરિચિત છીએ. હજી અમને આંખોથી આંખો મેળવવા દે, હદયથી હૈદ્ય મેળવવા દે, પછી વાણુની એક્તા થશે. અને તેમ થશે તે જરૂર છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org