Book Title: Rajnagar Sadhu Sammelan Vikram Samvat 1990 Year 1934
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Dhirajlal Tokarsi Shah
View full book text
________________
પૂર્વ૨ગ પણ વ્યક્તિ, સંસ્થા કે સંધ આ ચલાવી લે જ નહિ, એમ અમે ખુલ્લે ખુલ્લું જાહેર કરીએ છીએ.
આથી દરેક નાના-મોટા સને, મંડળને, યુવકસાથે વગેરેને વિજ્ઞપ્તિ કરીએ છીએ કે રૂઢિચૂસ્ત પક્ષનું વીરશાસન જે ચાલબાજી ચલાવી રહ્યું છે, તેને નમસ્વરૂપે ખુલ્લી પાડવા, ગ્ય ઠરાવ અને પ્રચાર કરે.
આમંત્રણપત્રિકાની શબ્દરચના, સંમેલનની રીતભાત, તેના સુત્રધારનું મૌન બને વીરશાસનની મનોદશા જોતાં અંતરના ભાગમાં જુદું તરવરી આવે છે, એટલે એવા કટોકટીના પ્રસંગમાં આપણે શું ? તેના લખવાથી શું વળ્યું ? એમ મન વાળીને બેસી રહ્યા; અને મૌન સેવ્યું તે સંધસત્તા અને સ્વમાનને નાશ કરવાની જે રમત રમાઈ છે, તે ફળીભૂત થશે અને તેનું ભયંકર પરિણામ સમાજને ભેગવવું પડશે.”
લિ. સેવકે, મણિલાલ એમ. શાહ અમીચંદ ખેમચંદ શાહ રતિલાલ સી. શાહ
મંત્રીઓ, શ્રી મુંબઇ જેન યુવસંધ આ નિવેદનને અમદાવાદના રમણલાલ સારાભાઇ નામના જેનગૃહસ્થ તરફથી નીચે મુજબ જવાબ આપવામાં આવ્યો
બાલવૃદ્ધ જેને જાણે છે કે અમદાવાદના નગરશેઠ કે જેઓ અમદાવાદના સંધપતિ છે, એટલું જ નહિ પણ હિંદના સકળ સંઘના પ્રમુખ છે; એટલે સંઘપતિ છે. આ સત્ય હકીકત
૫૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org