________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | પ્રાસ્તાવિક માટે પ્રેરણા કરનાર પરમપૂજ્ય પ્રવચનપ્રભાવક આ. શ્રી કીર્તિયશસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા જામનગર મુકામે વિ. સં. ૨૦૪૭માં ચાતુર્માસ કર્યું ત્યારે પાતંજલયોગસૂત્રનું અધ્યયન, વાંચન કરાવનાર અને યોગમાર્ગવિષયક વિશેષ રુચિ ઉત્પન્ન કરાવનાર પંડિતવર્ય શ્રી વ્રજલાલ ઉપાધ્યાયનું કૃતજ્ઞભાવે સ્મરણ કરું છું, તેમ જ પંડિતવર્યશ્રી પ્રવીણભાઈએ આ ગ્રંથના પદાર્થોને ખોલવામાં જે અથાક પ્રયત્ન કર્યો છે એના દ્વારા પાતંજલયોગસૂત્રના રહસ્યો અને પૂજ્ય ઉપાધ્યાય મહારાજે કહેલ સમાલોચના દ્વારા જે રહસ્યો પ્રાપ્ત થયા છે અને યોગમાર્ગનો જે વિશદ બોધ પ્રાપ્ત થયો અને આંશિક યોગપરિણતિનો વિકાસ થયો તે બદલ તેમનો ઉપકાર સદા માટે અવિસ્મરણીય રહેશે.
૪
પ્રાંતે યોગમાર્ગનો સમ્યગ્ બોધ કરીને ક્લિષ્ટ ચિત્તવૃત્તિઓના નિરોધ દ્વારા અપર વૈરાગ્યથી પરવૈરાગ્યને પ્રાપ્ત કરી સંપ્રજ્ઞાત સમાધિ દ્વારા પ્રજ્ઞાલોક-ઋતુંભરાપ્રજ્ઞાને પામીને અસંપ્રજ્ઞાતસમાધિ અર્થાત્ વૃત્તિસંક્ષય દ્વારા ભવોપગ્રાહી કર્મનો ક્ષય કરીને આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરી સાદિ અનંતકાળ સુધી સ્વસ્વરૂપમાં રમમાણ બનીએ એ જ શુભકામના.
એફ-૨, જેઠાભાઈ પાર્ક, નારાયણનગર રોડ, પાલડી, અમદાવાદ-૭.
આસો સુદ-૧૦, વિ. સં. ૨૦૬૬,
તા. ૧૭–૧૦-૨૦૧૦, રવિવાર.
कल्याणमस्तु सर्वजीवानाम्
5)
વ્યાખ્યાનવાચસ્પતિ પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સામ્રાજ્યવર્તી તથા પરમપૂજ્ય સમતામૂર્તિ પ્રવર્તિની સાધ્વીજી રોહિતાશ્રીજી મહારાજના શિષ્યરત્ના સાધ્વીજી ચંદનબાલાશ્રી
''