Page #1
--------------------------------------------------------------------------
________________
ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા વિરચિત ટિપ્પણ સહિત
શ્રી ભોજદેવકૃત રાજમાર્તડવૃત્તિસમેત મહર્ષિ શ્રી પતંજલિ વિરચિત
પારિજી ૯ ટી
)
શબ્દશઃ વિવેચતા
भाग-२
सादगारश्चंदननवावीमत्रानुसारतावत्ययानंजलस्पार्थ ससिपंक्रियाश्रयं अर्थयामानासनयथित्ययमक्षिकारार्थेयो गस्पावशासनं शास्त्र मधिकतंटयं योगःसमाधि सवसावलोमश्चिनम्मधर्मरिमविहितमेकायनिक मिति विस्तूमयास्त्र वितिनामिवित्तपोयसर्जनानूनसमाधिनयोगपवर्ततेयरवकायचेनसिसनतमप्रद्योतयनिक्षिणोनिचलनान कर्म Taलायतिनिरोधमनिमरवं करोनिमसंप्रजातियोगश्मरयायत समाविकानगतिविकारानुगतनानयानगगम्मि तानसपरिवेदयिश्यामः सर्वत्रिनिरोधेन्दसत्रज्ञानः समाधिसम्मलाणानिधियित्रप्रवतिर योगाश्र ननिनिरोधः सर्वशवायरुणातसंग्रहातापियोगश्त्यारयायतेचित्रलिप्रमान्निस्थितिवशालत्वात्रियंप्ररयारूहिचिश्मत्वं रजस्तमात्यांमसष्टमश्याप्रयतवति तदेवनमसानुवितमधज्ञिानावराग्मानश्यविगंवतितदेवप्रक्षालमासवरणं सर्वतःप्रयोतमानमनविरजीमात्रयाधर्महानवैराग्य पिगेनवतितस्विरजोलवामलपितस्वरूपप्रविष्टसत्वपुरु पान्मतारयालिमात्रधर्ममिद्यध्वनिपगंलवति तत्परंप्रयेवानमित्पावतियायिनाधितिशतिरपरिणमित्मप्रतिसक्रमाद दितिविषयामाचा ताच सत्वगुणामिकावियमताविपरीतादिदकरयातिरित्सतस्तस्पाविरचितंतामपियातिनिरुणस्तिख स्वसंस्कशिपगंतवतिसनितीजः समाधि-तत्रकिचित् संत्रज्ञायतरससंप्रज्ञातः सर्ववाध्यायलप्पनिल्लानारमानः संग्रहातविलिष्टविनाशिनिरोक्षयागतिलक्षणेसम्म गयशसमितिगुप्तिसाझरणेधर्मयापारत्वमवयोगसमितित्व स्माकमाचार्या नडलं मारकणेजोगाउ जोगासंबाविधावाबशिनि द्विविधाययोगश्चितिनिरीधातितरद सवितमिविषयात्तावाबशिक्षामाइसका विस्वतावश्त्याह) तरास्वरूपेऽवस्थान स्वरूपप्रतिष्शानदानादिति
વિવેચક 8 પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા
Page #2
--------------------------------------------------------------------------
________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨
શબ્દશઃ વિવેચન
* મૂળ ગ્રંથકાર
* રાજમાર્તંડ ટીકાકાર : શ્રી ભોજદેવ
* ટિપ્પણીકાર : શ્રીમદ્ યશોવિજયજી મહારાજા
: શ્રી પતંજલિ મહર્ષિ
* આશીર્વાદદાતા *
વ્યાખ્યાનવાચસ્પતિ, શાસનપ્રભાવક સ્વ. પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા તથા
ષગ્દર્શનવેત્તા, પ્રાવચનિકપ્રતિભાધારક સ્વ. ૫. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા તથા વર્તમાન શ્રુતમર્મજ્ઞાતા વિદ્વાન ૫. પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા
શ્રુતદેવતા ભવન,
• વિવેચનકાર -
પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા
* સંકલન-સંશોધનકારિકા *
સ્વ. પરમપૂજ્ય આચાર્યદેવેશ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સામ્રાજ્યવર્તી તથા પરમપૂજ્ય પ્રવર્તિની સાધ્વીજી રોહિતાશ્રીજી મહારાજના શિષ્યરત્ના સાધ્વીજી ચંદનબાલાશ્રી
* પ્રકાશક *
સંસ્થાના જ્ઞાનખાતામાંથી આ પુસ્તક જ્ઞાનભંડાર/શ્રીસંઘને ભેટ આપેલ છે.
arth
गीतार्थ गंग
૫,
જૈન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭.
Page #3
--------------------------------------------------------------------------
________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ શબ્દશઃ વિવેચન
+ વિવેચનકાર કે પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા
વીર સં. ર૫૩૭ આવૃત્તિ : પ્રથમ
વિ. સં. ૨૦૬૭ નકલ : ૨૫૦
મૂલ્ય : રૂ. ૨પપ-૦૦
F આર્થિક સહયોગ - એક સદગૃહસ્થ તરફથી
અમદાવાદ,
: મુખ્ય પ્રાપ્તિસ્થાન :
૫.
/
૧૩૧
હતાર્થ
છે.
[૩]
મૃતદેવતા ભવન, ૫, જૈન મર્ચન્ટ સોસાયટી, ફતેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩.
નવરંગ પ્રિન્ટર્સ આસ્ટોડીયા, અમદાવાદ-૧. ફોન : (મો.) ૯૪૨૮૫૭૦૪૦૧ (ઘર) ૨૬૬૧૪૬૦૩
Page #4
--------------------------------------------------------------------------
________________
પર પ્રાપ્તિસ્થાન . - અમદાવાદ :
- વડોદરા : ગીતાર્થ ગંગા
શ્રી સોરીનભાઈ દિનેશચંદ્ર શાહ શ્રુતદેવતા ભવન, ૫, જૈન મર્ચન્ટ સોસાયટી,
‘દર્શન' ઈ-૬૯, લીસાપાર્ક સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭.
વિભાગ-૨, રામેશ્વર સર્કલ, સુભાનપુરા, = (૦૭૯) ૨૯૯૦૪૯૧૧, ૩૨૯૧૧૪૩૧
હાઈટેન્શન રોડ, વડોદરા-૩૯૦૦૨૩.
R (૦૨૬૫) ૨૩૯૧૬૯૬ મુંબઈ : શ્રી નિકુંજભાઈ આર. ભંડારી
શ્રી હિમાંશુભાઈ એન. શેઠ વિષ્ણુ મહલ, ત્રીજે માળે,
એ-૨/૪૧, અશોક સમ્રાટ, ત્રીજે માળે, ગરવારે પેવેલીયનની સામે,
દફતરી રોડ, ગૌશાળા લેન, બીના ક્વેલર્સની ડી-રોડ, ચર્ચગેટ, મુંબઈ-૪૦૦૦૧૦.
ઉપર, મલાડ (ઈ.) મુંબઈ-૪૦૦૦૯૭. (૦૨૨) ૨૨૮૧૪૦૪૮
8 (૦૨૨) ૩૨૪૩૮૪૩૪
(મો.) ૯૩૨૨૨૧૪૮૫૧
શ્રી લલિતભાઈ ધરમશી ૩૦૨, ચંદનબાળા એપાર્ટમેન્ટ, જવાહરલાલ નહેરૂ રોડ, સર્વોદય પાર્શ્વનાથનગર, જૈન દેરાસરની પાછળ, મુલુંડ (વેસ્ટ), મુંબઈ-૪૦૦૦૮૦. 8 (૦૨૨) ૨૫૬૮૦૬૧૪, ૨પ૬૮૧૦૩૦
- જામનગર : શ્રી ઉદયભાઈ શાહ C/o. મહાવીર અગરબત્તી વર્ક્સ, C-9, સુપર માર્કેટ, જયશ્રી ટોકીઝની સામે, જામનગર-૩૬૧૦૦૧. 8 (૦૨૮૮) ર૬૭૮૫૧૩
સુરત : કે ડૉ. પ્રફુલભાઈ જે. શેઠ
ડી-૧, અર્પણ એપાર્ટમેન્ટ, કે બાબુનિવાસની ગલી, ૬ ટીમલીયાવાડ, સુરત-૩૯૫૦૦૧.
8 (૦૨૬૧) ૩૨૨૮૧૨૩
* રાજકોટ : શ્રી કમલેશભાઈ દામાણી “જિનાજ્ઞા”, ૨૭, કરણપરા, રાજકોટ-૩૬૦૦૦૧. 6 (૦૨૮૧) ૨૨૩૩૧૨૦
* Bangalore : Shri Vimalchandji Clo. J. Nemkumar & Co. Kundan Market, D. S. Lane, Chickpet Cross, Bangalore-560053. # (080) (O) 22875262, (R) 22259925
Page #5
--------------------------------------------------------------------------
________________
શ પ્રકાશકીય
“ગીતાર્થ ગંગા”નું મુખ્ય લક્ષ્ય તો આપણા ઉપકારી પૂર્વાચાર્યો જેવા કે પ. પૂ. આ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ, પ. પૂ. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ સાહેબ આદિ રચિત જૈનશાસ્ત્રોમાં પથરાયેલા વિવિધ પરમાર્થભૂત તત્ત્વોનાં રહસ્યોનું નય, વિક્ષેપ, વ્યવહાર, નિશ્ચય સાપેક્ષ અર્થગાંભીર્યપૂર્ણ વિશ્લેષણ કરવાનું છે, જેથી શ્રી જૈનસંઘને તે તે પદાર્થોના સર્વાગી બોધમાં સહાય મળે. આ કાર્ય અત્યંત વિસ્તારવાળું અને ગહન છે, ઘણાં સાધુ-સાધ્વીજી ભગવંતો આમાં સહાય કરી રહ્યાં છે, અનેક શ્રાવકો અને શ્રાવિકાઓ પણ સૌ સૌને યોગ્ય કાર્યો સંભાળી રહ્યાં છે, તે અનુસાર કામ બહાર આવી રહ્યું છે અને ક્રમસર આવતું રહેશે. દરમ્યાન શ્રી સંઘમાંથી જિજ્ઞાસુ મુમુક્ષુઓ તથા શ્રાવકો-શ્રાવિકાઓ તરફથી એવી માંગ વારંવાર આવે છે કે પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજ સાહેબનાં તથા પ. પૂ. આ. ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજ સાહેબનાં જુદા જુદા વિષયો પરનાં અપાયેલાં વ્યાખ્યાનો તથા પંડિતવર્ય શ્રી પ્રવીણભાઈ મોતાએ વિવિધ શાસ્ત્રીય વિષયો પર કરેલાં વિવેચનો છપાવીને તૈયાર કરવામાં આવે તો સકળ શ્રી સંઘને ચોક્કસ લાભદાયી નીવડે. આવી વિનંતીઓને લક્ષ્યમાં રાખીને ટ્રસ્ટે નક્કી કર્યું છે કે આવાં વ્યાખ્યાનો તથા વિવેચતોનાં પુસ્તકો પ્રકાશિત કરવા અને તેને માત્ર એક સંલગ્ન પ્રવૃત્તિ તરીકે સ્વીકારવી. આ કામ ગીતાર્થ ગંગાના મુખ્ય લક્ષથી સહેજ ફંટાય છે, બોધની વિવિધતા અને સરળતાથી દૃષ્ટિએ પણ ભિન્ન પ્રકારે છે, છતાં તત્ત્વજિજ્ઞાસુ માટે હિતકારી હોવાથી તેમ જ અતિ માંગને કારણે ઉપર્યુક્ત વિનંતી લક્ષમાં રાખીને આ પ્રવૃત્તિ ચાલુ રાખેલ છે.
તત્ત્વજિજ્ઞાસુ જીવો માટે આવાં પુસ્તકો સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધનામાં ઉપયોગી થશે, તેવી આશા સહિત –
૫, જેન મર્ચન્ટ સોસાયટી, ફત્તેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૭.
ટ્રસ્ટીગણ ગીતાર્થ ગંગા
સર્વ હક્ક ગીતાર્થ ગંગા ટ્રસ્ટને આધીન છે.
Page #6
--------------------------------------------------------------------------
________________
ગીતાર્થ ગંગાનાં પ્રકાશનો wuluh
પ. પૂ. મુનિપ્રવર શ્રી મોહજિતવિજયજી મહારાજા | (મોટા પંડિત મ. સા.)ના પ્રવચનનાં પુસ્તકો
૧. આશ્રવ અને અનુબંધ ૨. પુદ્ગલ વોસિરાવવાની ક્રિયા ૩. ચારિત્રાચાર
પ. પૂ. આ. ભ. શ્રીમદ્વિજય યુગભૂષણસૂરીશ્વરજી મહારાજા
(પંડિત મ. સા.) કૃત, સંપાદિત અને પ્રવચનનાં પુસ્તકો ૧. શ્રાવકનાં બાર વ્રતોના વિકલ્પો ૨. યોગદષ્ટિસમુચ્ચય ૩. કર્મવાદ કર્ણિકા ૪. સદ્ગતિ તમારા હાથમાં ! ૫. દર્શનાચાર ૬. શાસન સ્થાપના ૭. અનેકાંતવાદ ૮. પ્રશ્નોત્તરી ૯. ચિત્તવૃત્તિ ૧૦. ચાલો, મોક્ષનું સાચું સ્વરૂપ સમજીએ ૧૧. મનોવિજય અને આત્મશુદ્ધિ ૧૨. ભાગવતી પ્રવ્રજ્યા પરિચય ૧૩. ભાવધર્મ ભાગ-૧ (પ્રણિધાન) ૧૪. ભાવધર્મ ભાગ-૨ (પ્રવૃત્તિ, વિષ્ણજય, સિદ્ધિ, વિનિયોગ) ૧૫. રૈનશાસન સ્થાપના ૧૬. ચિત્તવૃત્તિ ૧૭. શ્રાવ રે વાર વ્રત પૂર્વ વિવેન્ય ૧૮. લોકોત્તર દાનધર્મ “અનુકંપા” ૧૯. પ્રશ્નોત્તરી
Page #7
--------------------------------------------------------------------------
________________
૨૦. કુદરતી આફતમાં જૈનનું કર્તવ્યા ૨૧. ધર્મરક્ષા પ્રવચન શ્રેણી ભાગ-૧ ૨૨. જૈનશાસન સ્વતંત્ર ધર્મ કે સંપ્રદાય ? ૨૩. નિનશાસન સ્વતંત્ર ધર્મ યા સંપ્રાય ? 28. Is Jaina Order Independent Religion or Denomination ? 24. Status of religion in modern Nation State theory ૨૬. ગૃહજિનાલય મહામંગલકારી ૨૭. શ્રી ઉપધાન માપદેશિકા
संपादक :- प. पू. पंन्यास श्री अरिहंतसागरजी महाराज साहब १. पाक्षिक अतिचार
ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત અન્ય પુસ્તકોની યાદી
૧. શ્રી સમેતશિખરજીની સંવેદના ૨. શ્રી નવપદ આરાધના વિધિ ૩. સ્વતંત્ર ભારતમાં ધર્મ પરતંત્ર !!!!! (ગુજરાતી) ૪. સ્વતંત્ર ભારત મેં ઘર્મ પરતંત્ર !!!!! (હિન્દી) ૫. Right to Freedom of Religion !!!!! (અંગ્રેજી) ૬. ‘રક્ષાધર્મ' અભિયાન (ગુજરાતી) ૭. Rakshadharma'Abhiyaan (અંગ્રેજી) ૮. સેવો પાસ સંખેસરો (ગુજ.) ૯. સેવો પાસ સંવેસર (હિન્દી)
સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : ધર્મતીર્થ રક્ષા સમિતિ સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ સંકલનકર્તા : જ્યોતિષભાઈ શાહ
Page #8
--------------------------------------------------------------------------
________________
ગીતાર્થ ગંગા દ્વારા પ્રકાશિત
વિવેચનનાં ગ્રંથો ~ ~ ~ ~ ~ વિવેચનકાર :- પંડિતવર્ય શ્રી પ્રવીણચંદ્ર ખીમજી મોતા
~
~ ૪
છે
૧. યોગવિંશિકા શબ્દશઃ વિવેચન ૨. અધ્યાત્મઉપનિષત પ્રકરણ શબ્દશઃ વિવેચન ૩. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪. અધ્યાત્મમતપરીક્ષા શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫, અધ્યાત્મમતપરીક્ષા શબ્દશ: વિવેચન ભાગ-૩ ૬. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન પૂર્વાર્ધ ૭. વિંશતિવિંશિકા શબ્દશઃ વિવેચન ઉત્તરાર્ધ ૮. આરાધક-વિરાધક ચતુર્ભગી શબ્દશઃ વિવેચન ૯. સમ્યકત્વ પટ્રસ્થાન ચઉપઈ શબ્દશઃ વિવેચન ૧૦. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૨. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૩. ફૂપદષ્ટાંત વિશદીકરણ શબ્દશઃ વિવેચન ૧૪. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧ (સૂત્ર ૧-૨) ૧૫. સૂત્રના પરિણામદર્શક યત્નલેશ ભાગ-૧ ૧૬. પંચસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૨ (સૂત્ર ૩-૪-૫) ૧૭. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૧૮. સામાચારી પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૧૯. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૨૦. દાનદ્વાચિંશિકા-૧ શબ્દશઃ વિવેચન ૨૧. મિત્રાદ્વાચિંશિકા-૨૧ શબ્દશઃ વિવેચન ૨૨. યોગશતક શબ્દશઃ વિવેચન ૨૩. પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૨૪. યોગભેદદ્વાચિંશિકા-૧૮ શબ્દશઃ વિવેચન ૨૫. યોગવિવેકદ્વાચિંશિકા-૧૯ શબ્દશઃ વિવેચન ૨૬. સાધુસામય્યદ્વાચિંશિકા-૬ શબ્દશઃ વિવેચન ૨૭. ભિક્ષુદ્રાવિંશિકા-૨૭ શબ્દશઃ વિવેચન ૨૮. દીક્ષાદ્વાચિંશિકા-૨૮ શબ્દશઃ વિવેચન ૨૯. યોગદષ્ટિની સઝાય શબ્દશઃ વિવેચન ૩૦. કેવલિભક્તિવ્યવસ્થાપનદ્વાચિંશિકા-૩૦ શબ્દશઃ વિવેચન ૩૧. પાતંજલયોગલક્ષણવિચારદ્વાચિંશિકા-૧૧ શબ્દશઃ વિવેચન
Page #9
--------------------------------------------------------------------------
________________
૩૨. જ્ઞાનસાર શબ્દશઃ વિવેચન ૩૩. સંથારા પોરિસી સૂત્રનો ભાવાનુવાદ અને હિંસાષ્ટક શબ્દશઃ વિવેચન ૩૪. જિનમહત્ત્વદ્વાચિંશિકા-૪ શબ્દશઃ વિવેચન ૩૫. સમ્યગ્દષ્ટિદ્વાચિંશિકા-૧૫ શબ્દશઃ વિવેચન ૩૬. યોગલક્ષણદ્વાચિંશિકા-૧૦ શબ્દશઃ વિવેચન ૩૭. મુક્તિઅદ્વેષપ્રાધાન્યદ્વાચિંશિકા-૧૩ શબ્દશઃ વિવેચન ૩૮. અપુનબંધકદ્વાચિંશિકા-૧૪ શબ્દશઃ વિવેચન ૩૯. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૪૦. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૪૧. યોગદષ્ટિસમુચ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૪૨. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૪૩. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૪૪. યતિલક્ષણસમુચ્ચય પ્રકરણ શબ્દશઃ વિવેચન ૪૫. દૈવપુરુષકારદ્વાચિંશિકા-૧૭ શબ્દશઃ વિવેચન ૪૬. તારાદિત્રયદ્રાવિંશિકા-૨૨ શબ્દશઃ વિવેચના ૪૭. કુતર્કગ્રહનિવૃત્તિદ્વાäિશિકા-૨૩ શબ્દશઃ વિવેચન ૪૮. સદ્દષ્ટિદ્વાચિંશિકા-૨૪ શબ્દશઃ વિવેચન ૪૯. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૫૦. માર્ગદ્વાચિંશિકા-૩ શબ્દશઃ વિવેચન ૫૧. દેશનાદ્વાચિંશિકા-૨ શબ્દશઃ વિવેચન પ૨. જિનભક્તિદ્વાચિંશિકા-૫ શબ્દશઃ વિવેચન પ૩. યોગાવતારદ્વાચિંશિકા-૨૦ શબ્દશઃ વિવેચન ૫૪. યોગમાહાભ્યદ્વાચિંશિકા-૨૬ શબ્દશઃ વિવેચન ૫૫. સજ્જનસ્તુતિદ્વાચિંશિકા-૩૨ શબ્દશઃ વિવેચના ૫૬. પૂર્વસેવાદ્વાચિંશિકા-૧૨ શબ્દશઃ વિવેચના ૫૭. ઈશાનુગ્રહવિચારદ્વાચિંશિકા-૧૬ શબ્દશઃ વિવેચના ૫૮. ક્લેશતાનોપાયદ્વાચિંશિકા-૨૫ શબ્દશઃ વિવેચન ૫૯. વિનયદ્રાવિંશિકા-૨૯ શબ્દશઃ વિવેચન ૬૦. શ્રી સીમંધરસ્વામીને વિનંતીરૂપ ૧૨૫ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ૬૧. પ્રતિમાશતક શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૬૨. પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૬૩. પંચવસ્તક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૪ ૬૪. ગુરુતત્ત્વવિનિશ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૬૫. ગુરુતત્ત્વવિનિશ્ચય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૬૬. મુક્તિદ્વાચિંશિકા-૩૧ શબ્દશઃ વિવેચન
Page #10
--------------------------------------------------------------------------
________________
૬૭. યોગસાર પ્રકરણ શબ્દશઃ વિવેચન
૬૮. શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૬૯. શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૭૦. તત્ત્વાર્થાધિગમસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧
૭૧. ષોડશક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧
૭૨. પ્રતિક્રમણ હેતુગર્ભિત સ્વાધ્યાય શબ્દશઃ વિવેચન ૭૩. કથાદ્વાત્રિંશિકા-૯ શબ્દશઃ વિવેચન
૭૪. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૪
૭૫. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૫
૭૬. અધ્યાત્મસાર શબ્દશઃ વિવેચન ભાગ-૬ ૭૭. નવતત્ત્વ પ્રકરણ શબ્દશઃ વિવેચન
૭૮. ૧૫૦ ગાથાનું હૂંડીનું સ્તવન શબ્દશઃ વિવેચન ૭૯. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૫ ૮૦. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૬
૮૧. ષોડશક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૨
૮૨. અમૃતવેલની મોટી સજ્ઝાય અને નિશ્ચય-વ્યવહાર ગર્ભિત શ્રી શાંતિજિન સ્તવન તથા શ્રી સીમંધરસ્વામી સ્તવન શબ્દશઃ વિવેચન
૮૩. પંચવસ્તુક પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૭
૮૪. આનંદઘન ચોવીશી શબ્દશઃ વિવેચન
૮૫. પીસૂત્ર શબ્દશઃ વિવેચન
૮૬. ધર્મપરીક્ષા પ્રકરણ શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૮૭. ઉપદેશરહસ્ય શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૮૮. ઉપદેશરહસ્ય શબ્દશઃ વિવેચન ભાગ-૨ ૮૯. ઉપદેશરહસ્ય શબ્દશઃ વિવેચન ભાગ-૩ ૯૦. પાતંજલયોગદર્શન શબ્દશઃ વિવેચન ભાગ-૧ ૯૧. પાતંજલયોગદર્શન શબ્દશઃ વિવેચન ભાગ-૨
ગીતાર્થ ગંગા અંતર્ગત
ગંગોત્રી ગ્રંથમાળા દ્વારા પ્રકાશિત ગ્રંથો
૨. ધર્મતીર્થ ભાગ-૨
૧. ધર્મતીર્થ ભાગ-૧
籽
Page #11
--------------------------------------------------------------------------
Page #12
--------------------------------------------------------------------------
________________
પાતંજલયોગસૂત્ર શબ્દશઃ વિવેચન
ભાગ-૨ના સંકલનની વેળાએ પ્રાસ્તાવિક
પાતંજલયોગસૂત્રમાં યોગની વ્યુત્પત્તિ ‘યુક્ સમાઘો’થી સ્વીકૃત છે. ભાષ્યકાર વ્યાસના અનુસાર યોગ અને સમાધિ પર્યાયવાચી છે. સૂત્રકાર પતંજલિએ પણ સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત આ બંને પ્રકારના યોગના માટે ‘સમાધિ’ પદનો પ્રયોગ કરેલો છે.
મહર્ષિ પતંજલિને ‘યોગ’ શબ્દથી ‘પરમસમાધિ' અર્થ અભિપ્રેત છે. પરમસમાધિરૂપ યોગની સ્થિતિ ચિત્તવૃત્તિઓનો પૂર્ણ નિરોધ થયા પછી સંભવિત છે. તેથી ‘ચિત્તવૃત્તિઓના નિરોધ’ને યોગ કહ્યો છે. આ પરિભાષા અનુસાર ચિત્તવૃત્તિઓનો પૂર્ણ નિરોધ ત્યારે જ સંભવે કે જ્યારે વૃત્તિઓની સાથે તેના સંસ્કારોનો પણ નિરોધ થઈ જાય. આ દષ્ટિથી એકાગ્રાવસ્થામાં થવાવાળા યોગને ‘સંપ્રજ્ઞાત’ અને નિરુદ્ધાવસ્થામાં થવાવાળા યોગને ‘અસંપ્રજ્ઞાત' કહીને યોગના બે ભેદ કરેલા છે.
ભોજદેવે તે અવસ્થાને સંપ્રજ્ઞાતસમાધિ કહી છે જેમાં સંશય અને વિપર્યય રહિત ધ્યેય વસ્તુનું સમ્યગ્ જ્ઞાન થાય છે, પરંતુ આ અવસ્થા અસંપ્રજ્ઞાતસમાધિની અપેક્ષાએ નીચલી કક્ષાની છે; કેમ કે આ અવસ્થામાં પ્રકૃતિ અને પુરુષવિષયક ભેદની અનુભૂતિ થાય છે અને દ્વૈતબુદ્ધિ રહે છે, જ્યારે અસંપ્રજ્ઞાતસમાધિમાં તેનો પણ નિરોધ થઈ જાય છે, ત્યાં કોઈ પણ વસ્તુનું આલંબન રહેતું નથી અને ધ્યાતા, ધ્યાન અને ધ્યેય ત્રણે એકાકાર બની જાય છે, બધી વૃત્તિઓનો નિરોધ થઈ જાય છે.
મહર્ષિ પતંજલિએ ‘ચિત્તવૃત્તિનિરોધ’ આ લક્ષણમાં સંપ્રજ્ઞાત અને અસંપ્રજ્ઞાત બંને પ્રકારની સમાધિનો અંતર્ભાવ કરેલો છે જે લક્ષણ માત્રથી સ્પષ્ટ થતું નથી. વાચસ્પતિ મિશ્રે ‘ક્લેશાદિવિરોધીચિત્તવૃત્તિનિરોધ' કહીને ઉક્ત યોગલક્ષણમાં મહત્ત્વપૂર્ણ પરિષ્કાર સૂચિત કરેલો છે.
જૈન પરંપરાનુસાર યોગ એક વિશિષ્ટ પારિભાષિક શબ્દ છે જેનો અર્થ છે – ‘મન, વચન, કાયાની સુર્દઢ પ્રવૃત્તિ' આ પ્રવૃત્તિના પુરોવર્તી આત્મપરિણામોને પણ ‘યોગ’ કહેલ છે. યોગના બે પ્રકાર છે - શુભયોગ અને અશુભયોગ. શુભયોગથી પુણ્યનો આશ્રવ અને અશુભયોગથી પાપના આશ્રવ થાય છે. આ બંને પ્રકારના યોગ કર્મબંધનો કારણ છે, તેથી મોક્ષ પ્રાપ્ત કરવા માટે યોગનિરોધસંવર અને પૂર્વબદ્ધ કર્મોનો ક્ષય કરવો પડે છે. પ્રાચીન જૈનાગમોમાં મુખ્યપણે ‘યોગ’ શબ્દ આશ્રવના કારણભૂત મન, વચન અને કાયાની પ્રવૃત્તિ આદિ અર્થમાં વપરાયેલા છે પરંતુ સાથે સાથે ધ્યાન, સમાધિ આદિ વિવિધ યૌગિક સાધનોના અર્થમાં પણ ‘યોગ' શબ્દનો પ્રયોગ થયેલો જોવા મળે છે. યોગપરંપરામાં પ્રચલિત યમ, નિયમ, તપ, સ્વાધ્યાય, ઈશ્વરપ્રણિધાન વગેરે પણ એક પ્રકારથી યોગ જ છે.
Page #13
--------------------------------------------------------------------------
________________
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | પ્રાસ્તાવિક પતંજલિ પ્રણીત યોગસૂત્ર ઉપર ધારેશ્વર ભોજદેવે આ વૃત્તિ-ટીકા લખેલી જે રાજમાર્તડ' નામથી પ્રસિદ્ધ છે. પતંજલિપ્રણીત યોગસૂત્રના ચાર પાદ છે :
(૧) સમાધિપાદ, (૨) સાધનપાદ, (૩) વિભૂતિપાદ અને (૪) કેવલ્યપાદ. તૃતીય વિભૂતિપાદમાં આવતા પદાર્થોનું સંક્ષિપ્ત કથન :
ધારણા, ધ્યાન અને સમાધિરૂપ અંતરંગ ત્રણ યોગાંગોનું સ્વરૂપ અને અંતરંગ ત્રણ યોગાંગોની સંયમસંજ્ઞાનો નિર્દેશ, સંયમના વિષયને પ્રતિપાદન કરવા માટે નિરોધપરિણામ, સમાધિપરિણામ અને એકાગ્રતાપરિણામરૂપ ત્રણ પરિણામોનું કથન, સંયમના બળથી ઉત્પન્ન થતી પૂર્વાતભવ, અપરાંતભવ અને મધ્યભવ સિદ્ધિઓનું પ્રતિપાદન, સમાધિના આશ્વાસની ઉત્પત્તિ માટે બાહ્ય સિદ્ધિઓ અને અત્યંતર સિદ્ધિઓનું કથન, સમાધિમાં ઉપયોગ માટે પ્રાણજયાદિપૂર્વક ઇન્દ્રિયજય અને પરમપુરુષાર્થની સિદ્ધિ માટે યથાક્રમ અવસ્થા સહિત ભૂતજય, ઇન્દ્રિયજય અને સત્ત્વજયથી ઉદ્ભવ થયેલી એવી સિદ્ધિઓનું વર્ણન, વિવેકજ્ઞાનની ઉત્પત્તિ માટે તે તે ઉપાયોનો ઉપવાસ કરવાપૂર્વક સર્વસમાધિની અવસ્થાના પર્યત થનારા તારકજ્ઞાનના સ્વરૂપનું કથન અને તારકજ્ઞાનની પ્રાપ્તિથી ચિત્તસત્ત્વ પ્રકૃતિમાં વિલય થવાને કારણે પુરુષને કૈવલ્યની પ્રાપ્તિનું કથન. ચતુર્થ કૈવલ્યપાદમાં આવતા પદાર્થોનું સંક્ષિપ્ત કથન:| સર્વ સિદ્ધિઓના મૂળભૂત એવી સમાધિસિદ્ધિઓનું વર્ણન, જાત્યંતર પરિણામ સ્વરૂપ સિદ્ધિવિશેષનું કારણ પ્રકૃતિનું આપૂરણ, ધર્માદિનું પ્રતિબંધકમાત્રમાં સામર્થ્ય, નિર્માણચિત્તોનો અસ્મિતા માત્રથી ઉભવ અને નિર્માણચિત્તોનું અધિષ્ઠાપક યોગચિત્ત, યોગીઓના ચિત્તનું અન્ય ચિત્તોથી વિલક્ષણપણું અને તેઓના કર્મોનું અલૌકિકપણું, વાસનાઓમાં આતંતયનું ઉપપાદન, વાસનાઓમાં અનાદિપણાનું ઉપપાદન, વાસનાઓના અનંતપણામાં પણ હતુ અને ફલાદિ દ્વારા હાનનું કથન, અતીત અધ્વાદિમાં ધર્મોના સભાવનું કથન, વિજ્ઞાનવાદનું નિરાકરણ અને સાકારવાદનું પ્રતિષ્ઠાપન, પુરુષનું જ્ઞાતૃત્વ ચિત્ત દ્વારા સંકલ વ્યવહારની નિષ્પત્તિનું ઉપપાદન, ચિત્ત દ્વારા સકલ વ્યવહારની નિષ્પત્તિનું ઉપપાદન, પ્રકૃતિથી અતિરિક્ત પુરુષના સત્ત્વમાં પ્રમાણનું ઉપદર્શન, કૈવલ્યના નિર્ણય માટે ક્રમસર ઉપયોગી અર્થનું અભિધાન અને શાસ્ત્રાંતોમાં પણ પાતંજલદર્શનકારે કહેલ કૈવલ્યના સ્વરૂપનો નિર્ણય.
આ રીતે પાતંજલયોગસૂત્ર ભાગ-રમાં ઉપરોક્ત પદાર્થનું વર્ણન કરેલ છે.
પરમપૂજય ન્યાયાચાર્ય ન્યાયવિશારદ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ સાહેબે ચારે પાદના કેટલાક સૂત્રો ઉપર જૈનમતાનુસારી વ્યાખ્યા કરીને તે તે પદાર્થોની સમાલોચના કરેલ છે. તેમાંથી તૃતીય અને ચતુર્થપાદમાં નીચે મુજબ પદાર્થોની વિચારણા કરેલ છે : તૃતીય પાદમાં કરેલ પદાર્થોની વિચારણા -
સૂત્ર-૩/૫૫ કહેલ કૈવલ્યના સ્વરૂપમાં તર્ક અને યુક્તિ દ્વારા વિશેષ સમાલોચના.
Page #14
--------------------------------------------------------------------------
________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | પ્રાસ્તાવિક ચતુર્થ પાદમાં કરેલ પદાર્થોની વિચારણા :
સૂત્ર-૪૧૨ ઉપર વિશેષ સમાલોચના, દ્રવ્ય અને પર્યાયસ્વરૂપથી જ અધ્વત્રય સમાવેશ ઘટી શકે છે અન્યથા ઘટતો નથી એ કથનમાં સ્યાદ્વાદથી સંગતિ, સ્યાદ્વાદના સ્વીકાર વગર એક અનેક પરિણામનું દુઃશ્રદ્ધાન, પુરુષનું સદા જ્ઞાતૃત્વપણું કઈ રીતે સંગત થાય છે તેની સમાલોચના, ચિત્તનું સર્વાર્થપણું કઈ રીતે એ કથનની સમાલોચના, જ્ઞાનનું આવારકપણું કઈ રીતે સંગત થાય છે તેની ચર્ચા, ક્રમના લખાણમાં ક્રમાક્રમઅનુવિદ્ધ ત્રિલક્ષણપણું સંગત, કૂટસ્થનિયણામાં માનાભાવ, પર્યાયમાં ચાર પ્રકારની સ્થિતિથી વિચિત્રપણું છે એ પ્રમાણે પ્રવચનનું રહસ્ય.
આ પ્રમાણે ઉપરોક્ત પદાર્થો ઉપર શાસ્ત્રપાઠો આપવા દ્વારા પૂજય ઉપાધ્યાયશ્રી યશોવિજયજી મહારાજે સમાલોચના કરેલ છે તેને મધ્યસ્થ પુરુષો તટસ્થ દષ્ટિથી વિચારશે તો યથાર્થ તત્ત્વની પ્રાપ્તિ જરૂર થઈ શકશે.
ગીતાર્થગંગાથી પ્રકાશિત થતાં દરેક શબ્દશઃ વિવેચનાનુસાર આ ગ્રંથમાં પણ અવતરણિકા, અવતરણિતાર્થ, સૂત્ર, સૂત્રાર્થ અને ત્યારપછી તેનો ભાવાર્થ આપેલ છે. પૂ. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબે જે જે સૂત્ર ઉપર ટિપ્પણરૂપ વ્યાખ્યા કરેલ છે તે વ્યાખ્યા તે તે સૂત્રના ભાવાર્થ પછી ત્યાં જ આપીને એનો પણ અર્થ અને ભાવાર્થ આપેલ છે જેથી વાચકવર્ગને સમજવામાં વિશેષ ઉપયોગી થઈ શકશે.
પરમપૂજ્ય ન્યાયાચાર્ય, ન્યાયવિશારદ પૂ. ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે દ્વાત્રિશદ્ધાત્રિશિકા અંતર્ગત પતંજલિઋષિએ કહેલા યોગમાર્ગને કહેનારી પાતંજલયોગલક્ષણાત્રિશિકા, ઈશાનુગ્રહવિચારદ્વત્રિશિકા, યોગાવતારાત્રિશિકા, ક્લેશતાનોપાયદ્વત્રિશિકા, યોગમાયાભ્યદ્વાત્રિશિકા ઇત્યાદિમાં ભોજદેવકૃત રાજમાર્તડ વૃત્તિને સામે રાખીને પદાર્થોની વિચારણા સમાલોચના કરેલ છે અને જૈનદર્શનના પક્ષપાત વગર પદાર્થના વાસ્તવિક સ્વરૂપને જોનારી દૃષ્ટિથી પૂજય ઉપાધ્યાય મહારાજે યત્ન કરેલ છે તે રીતે યોગના અર્થી જીવો મધ્યસ્થતાપૂર્વક પ્રસ્તુત ગ્રંથના અધ્યયન માટે અર્થ કરશે તો યોગમાર્ગની પ્રાપ્તિમાં પ્રસ્તુત ગ્રંથ ઉપકારક બનશે.
મારી નાદુરસ્ત રહેતી તબિયતમાં પૂજયોની આજ્ઞાથી અમદાવાદ-રાજનગર મુકામે સ્થિરવાસ રહેવાનું થયું. તે દરમ્યાન યોગમાર્ગ-અધ્યાત્મમાર્ગવેત્તા પં. શ્રી પ્રવીણભાઈ મોતા પાસે યોગગ્રંથોઅધ્યાત્મગ્રંથોનું વાંચન કરવાનો, સ્વાધ્યાય કરવાનો, આ લેખન કરવાનો સુઅવસર સાંપડ્યો. દ્વત્રિશદ્ધાત્રિશિકા ગ્રંથનું વાંચન પણ કર્યું, તેમાં પાતંજલયોગવિષયક બત્રીશીઓ આવી ત્યારે તે તે સૂત્રો અને તેનું વિવેચન રાજમાર્તડવૃત્તિ અનુસારે ખોલેલું, ત્યારપછી સંપૂર્ણ પાતંજલયોગદર્શનસૂત્રરાજમાર્તડવૃત્તિ સહ પ્રવીણભાઈ પાસે મયંકભાઈએ વાંચન કર્યું તે વખતે વિવેચન લખાતું ગયું. ફરી સંપૂર્ણ વિવેચનની સાંગોપાંગ પ્રેસકોપી કરવાનો લાભ મને પ્રાપ્ત થયો અને પતંજલિઋષિના યોગવિષયક પાતંજલયોગસૂત્રના વિશેષ સ્વાધ્યાયનો લાભ મળ્યો. આ બધાના મૂળમાં બીજ રોપનાર પરમપૂજય અધ્યાત્મયોગી પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ સાહેબ તથા યોગગ્રંથોના વાચન
Page #15
--------------------------------------------------------------------------
________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | પ્રાસ્તાવિક માટે પ્રેરણા કરનાર પરમપૂજ્ય પ્રવચનપ્રભાવક આ. શ્રી કીર્તિયશસૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા જામનગર મુકામે વિ. સં. ૨૦૪૭માં ચાતુર્માસ કર્યું ત્યારે પાતંજલયોગસૂત્રનું અધ્યયન, વાંચન કરાવનાર અને યોગમાર્ગવિષયક વિશેષ રુચિ ઉત્પન્ન કરાવનાર પંડિતવર્ય શ્રી વ્રજલાલ ઉપાધ્યાયનું કૃતજ્ઞભાવે સ્મરણ કરું છું, તેમ જ પંડિતવર્યશ્રી પ્રવીણભાઈએ આ ગ્રંથના પદાર્થોને ખોલવામાં જે અથાક પ્રયત્ન કર્યો છે એના દ્વારા પાતંજલયોગસૂત્રના રહસ્યો અને પૂજ્ય ઉપાધ્યાય મહારાજે કહેલ સમાલોચના દ્વારા જે રહસ્યો પ્રાપ્ત થયા છે અને યોગમાર્ગનો જે વિશદ બોધ પ્રાપ્ત થયો અને આંશિક યોગપરિણતિનો વિકાસ થયો તે બદલ તેમનો ઉપકાર સદા માટે અવિસ્મરણીય રહેશે.
૪
પ્રાંતે યોગમાર્ગનો સમ્યગ્ બોધ કરીને ક્લિષ્ટ ચિત્તવૃત્તિઓના નિરોધ દ્વારા અપર વૈરાગ્યથી પરવૈરાગ્યને પ્રાપ્ત કરી સંપ્રજ્ઞાત સમાધિ દ્વારા પ્રજ્ઞાલોક-ઋતુંભરાપ્રજ્ઞાને પામીને અસંપ્રજ્ઞાતસમાધિ અર્થાત્ વૃત્તિસંક્ષય દ્વારા ભવોપગ્રાહી કર્મનો ક્ષય કરીને આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરી સાદિ અનંતકાળ સુધી સ્વસ્વરૂપમાં રમમાણ બનીએ એ જ શુભકામના.
એફ-૨, જેઠાભાઈ પાર્ક, નારાયણનગર રોડ, પાલડી, અમદાવાદ-૭.
આસો સુદ-૧૦, વિ. સં. ૨૦૬૬,
તા. ૧૭–૧૦-૨૦૧૦, રવિવાર.
कल्याणमस्तु सर्वजीवानाम्
5)
વ્યાખ્યાનવાચસ્પતિ પરમપૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સામ્રાજ્યવર્તી તથા પરમપૂજ્ય સમતામૂર્તિ પ્રવર્તિની સાધ્વીજી રોહિતાશ્રીજી મહારાજના શિષ્યરત્ના સાધ્વીજી ચંદનબાલાશ્રી
''
Page #16
--------------------------------------------------------------------------
________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / સંકલના
C
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ ની સંકલના
મોક્ષમાર્ગને માનનારા સર્વદર્શનકારોને મોક્ષમાં વિવાદ નથી, પરંતુ મોક્ષના ઉપાયોમાં તે તે દર્શનનો કાંઈક ભેદ પણ છે અને કાંઈક સામ્ય પણ છે.
પતંજલિઋષિએ મોક્ષમાર્ગ બતાવવા અર્થે ચાર વિભાગમાં યોગસૂત્રની રચના કરેલ છે : (૧) સમાધિપાદ, (૨) સાધનપાદ, (૩) વિભૂતિપાદ અને (૪) કૈવલ્યપાદ.
પ્રથમ સમાધિપાદમાં અંતરંગ મોક્ષને અનુકૂળ પરિણામસ્વરૂપ સમાધિનું વર્ણન કરેલ છે. ત્યારપછી દ્વિતીય સાધનપાદમાં સમાધિની પ્રાપ્તિનો ઉપાય ક્રિયાયોગ હોવાથી ક્રિયાયોગનું વર્ણન, ક્રિયાયોગથી ક્ષીણ થતાં ક્લેશોનું વર્ણન, જીવ દ્વારા બંધાતા પુણ્યાપુણ્યરૂપ કર્મનું સ્વરૂપ, ફળાદિનું વર્ણન, પ્રકૃતિ અને પુરુષના ભેદજ્ઞાનથી વિવેકખ્યાતિ થવાને કારણે યોગી કર્મોથી કઈ રીતે મુક્ત થાય છે તેનું વર્ણન, વિવેકખ્યાતિની પ્રાપ્તિ પૂર્વે થતાં યોગના આઠ અંગોનું વિસ્તારથી બતાવવામાં આવેલ છે. તે સર્વનું વર્ણન પાતંજલયોગસૂત્ર શબ્દશઃ વિવેચન ભાગ-૧માં કરવામાં આવેલ છે.
યોગની સાધના કરનારા યોગીઓને યોગમાર્ગના સેવનથી અનેક અતીન્દ્રિય શક્તિઓ રૂપ વિભૂતિઓ પ્રગટ થાય છે. તે વિભૂતિઓ કઈ રીતે પ્રગટ થાય છે તે બતાવવા અર્થે પતંજલિઋષિએ ત્રીજા વિભૂતિપાદમાં યોગના અંગભૂત ધારણા, ધ્યાન અને સમાધિ આ ત્રણ જેમાં વર્તે તેને સંયમ એ પ્રમાણેની સંજ્ઞા આપેલ છે. જેઓ ધારણા, ધ્યાન અને સમાધિમાં યત્ન કરે છે તેના દ્વારા ચિત્તનો નિરોધ કઈ રીતે થાય છે અને ચિત્તનિરોધની પૂર્વભૂમિકાવાળા યોગીઓ ધારણા, ધ્યાન અને સમાધિરૂપ સંયમને કયા કયા વિષયોમાં પ્રવર્તાવે છે અને તેનાથી કેવી કેવી અતીન્દ્રિય શક્તિઓ પ્રાપ્ત થાય છે તે ત્રીજા વિભૂતિપાદમાં બતાવેલ છે.
વળી ધારણા, ધ્યાન અને સમાધિમાં યત્ન કરવાથી પ્રાપ્ત થતી સિદ્ધિઓ સમાધિમાં કઈ રીતે વિઘ્નભૂત બને છે અને પ્રાપ્ત થયેલી સિદ્ધિઓ કઈ રીતે સમાધિમાં જવા માટે ઉત્સાહનું કારણ બને છે તેનું વિસ્તારથી વર્ણન પતંજલિઋષિએ ત્રીજા વિભૂતિપાદમાં કરેલ છે.
વળી ધારણા, ધ્યાન અને સમાધિરૂપ સંયમમાં કરાયેલા યત્નથી યોગી અગાધ સંસારસાગરથી તરી શકે તેવું તારકજ્ઞાન યોગીને કઈ રીતે પ્રાપ્ત થાય છે અને તેના ફળરૂપે પુરુષ પ્રકૃતિથી મુક્ત થઈને કેવલસ્વરૂપ કઈ રીતે બને છે તેનું વર્ણન ત્રીજા વિભૂતિપાદમાં કરેલ છે.
ચોથા કૈવલ્યપાદમાં સંસારથી મુક્તાત્મા કૈવલ્યસ્વરૂપ છે અર્થાત્ કેવલજ્ઞાનસ્વરૂપ નહીં પરંતુ પ્રકૃતિથી પૃથક્ એવા કેવલ પુરુષસ્વરૂપ છે તેને બતાવવા માટે પતંજલિઋષિએ યત્ન કરેલ છે.
વળી ત્રીજા વિભૂતિપાદમાં જેમ કહ્યું કે ધારણા, ધ્યાન અને સમાધિરૂપ સંયમથી યોગીઓને અનેક સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે તેમ જન્મથી, ઔષધિથી, મંત્રથી, તપથી અને સમાધિથી પણ સિદ્ધિઓ થાય
Page #17
--------------------------------------------------------------------------
________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / સંકલના છે અને તે સિદ્ધિઓના બળથી યોગી અનેક ભવમાં ભોગવવા યોગ્ય કર્મોને કઈ રીતે એક ભવમાં ભોગવીને સર્વ કર્મોનો નાશ કરે છે તે પતંજલિઋષિએ ચોથા કૈવલ્યપાદમાં બતાવેલ છે.
વળી પતંજલિઋષિ આત્માને કૂટસ્થ નિત્ય સ્વીકારે છે, તેથી આત્માને પરિણામી માનતા નથી છતાં સંસાર અને મોક્ષની કઈ રીતે તેઓ સંગતિ કરે છે તેની વિસ્તારથી ચર્ચા ચોથા કૈવલ્યપાદમાં કરેલ છે, પરંતુ આત્માને કૂટસ્થ નિત્ય સ્વીકારીને યોગમાર્ગની સંગતિ પતંજલિઋષિએ જે રીતે કરેલ છે તે કઈ રીતે યુક્ત નથી તેની કાંઈક વિશાળ ચર્ચા પૂજય ઉપાધ્યાય યશોવિજય મહારાજ સાહેબે ટિપ્પણી દ્વારા કરેલ છે તેના દ્વારા સ્વસ્વદર્શન પ્રત્યેના આગ્રહનો ત્યાગ કરીને મધ્યસ્થતાપૂર્વક યોગમાર્ગના પરમાર્થને જાણવા યત્ન કરવાથી યોગ્ય જીવોને પ્રસ્તુત ગ્રંથમાં બતાવેલ યોગમાર્ગથી અવશ્ય યોગમાર્ગની પ્રાપ્તિ થઈ શકે તે માટે પૂજય ઉપાધ્યાય યશોવિજય મહારાજે ઉચિત યત્ન કરેલ છે.
જૈનદર્શનના પક્ષપાત વગર પદાર્થના વાસ્તવિક સ્વરૂપને જોનારી દૃષ્ટિથી જે રીતે પૂજ્ય ઉપાધ્યાય યશોવિજય મહારાજે યત્ન કરેલ છે તે રીતે યોગના અર્થી જીવો મધ્યસ્થતાપૂર્વક પ્રસ્તુત ગ્રંથના અધ્યયન માટે યત્ન કરશે અને વિશેષ જિજ્ઞાસુ જીવ આ વિષયમાં પતંજલિઋષિએ કહેલા યોગમાર્ગને કહેનારી બત્રીશીઓ પાતંજલયોગલક્ષણદ્ધાત્રિશિકા, ઈશાનુગ્રહવિચારદ્વત્રિશિકા, યોગાવતારદ્વત્રિશિકા, ક્લેશતાનોપાયદ્વાર્નાિશિકા, યોગમાયાભ્યદ્વાર્નાિશિકા ઇત્યાદિને સામે રાખીને અધ્યયન કરશે તો વિશેષ લાભ થશે.
[આ પાતંજલયોગસૂત્રવાળી દરેક બત્રીશીઓનું શબ્દશઃ વિવેચન આની પૂર્વે ગીતાર્થગંગા સંસ્થા તરફથી પ્રકાશિત થયેલ છે. ]
પાતંજલયોગસૂત્રના શબ્દશ: આ વિવેચનમાં ગ્રંથકારશ્રીના આશય વિરુદ્ધ કે પૂજય ઉપાધ્યાય મહારાજના આશય વિરુદ્ધ કાંઈ પણ ક્ષતિ થઈ હોય તે બદલ મિચ્છા મિ દુક્કડું માંગું છું.
– પ્રવીણચંદ્ર ખીમજી મોતા,
આસો સુદ-૧૦, વિ. સં. ૨૦૬૬, તા. ૧૭-૧૦-૨૦૧૦, રવિવાર ૩૦૨, વિમલવિહાર, સરસ્વતી સોસાયટી, પાલડી, અમદાવાદ-૭. ફોન : ૦૭૯-૩૨૪૪૭૦૧૪
Page #18
--------------------------------------------------------------------------
________________
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | સંક્ષિપ્ત ટ્રી
પાતંજલ યોગસૂત્ર પાદ-૩/૪માં આવતાં પદાર્થોની સંક્ષિપ્ત ટ્રીરૂપે સંકલના.
અષ્ટાંગ યોગમાં છઠ્ઠા ચોગાંગરૂપ ધારણાનું સ્વરૂપ (પા.યો. ૩/૧)
ચિત્તનો દેશબંધ ધારણા અષ્ટાંગયોગમાં સાતમા ચોગાંગરૂપ ધ્યાનનું સ્વરૂપ (પા.યો. ૩|૨)
જે પ્રદેશમાં ચિત્તની ધારણા કરી છે ત્યાં જ્ઞાનની એકતાનતા અષ્ટાંગયોગમાં આઠમા ચોગાંગરૂપ સમાધિનું સ્વરૂપ (પા.યો. ૩/૩)
કેવલ ધ્યેય પદાર્થની જ પ્રતીતિ કરાવવાવાળા ચિત્તના પોતાના સ્વરૂપનો પણ અભાવ ભાસે તેનું ધ્યાન
સંયમ
સ્વરૂપ
ફળ
ઉપયોગ
એક વિષયમાં પ્રવર્તી
સંયમના જયથી સંયમનો ઉપર ઉપરની રહેલા ધારણા, ધ્યાન
પ્રજ્ઞાલોક
ભૂમિમાં વિનિયોગ અને સમાધિની તાંત્રિકી એવી સંયમ સંજ્ઞા ધારણા, ધ્યાન અને સમાધિરૂપ ચોગાંગ અંતરંગ અને બહિરંગ (પા.ગો. ૩/૦-૮)
યમાદિ પાંચ યોગાંગોની અપેક્ષાએ ધારણા, ધ્યાન અને સમાધિરૂપ
યોગાંગ અંતરંગ
નિર્બેજસમાધિ પ્રત્યે ધારણા, ધ્યાન અને સમાધિરૂપ યોગાંગ બહિરંગ
Page #19
--------------------------------------------------------------------------
________________
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | સંક્ષિપ્ત ટ્રી
નિરોધપરિણામ (પા.યો. ૩/૯-૧૦)
સ્વરૂપ
વ્યુત્થાનના સંસ્કારનો અભિભવ ચિત્તના નિરોધના સંસ્કારથી અને નિરોધના સંસ્કારનો પ્રાદુર્ભાવ પ્રશાંતવાહિતાની પ્રાપ્તિ
અને નિરોધક્ષણમાં ચિત્તનો અન્વય તે નિરોધપરિણામ
સમાધિપરિણામ (પા.યો. ૩/૧૧)
ચિત્તનો નિરોધપરિણામ પ્રગટ થયા પછી સર્વાર્થતાનો ક્ષય અને
એકાગ્રતાનો ઉદય તે ચિત્તનો સમાધિપરિણામ
એકાગ્રતાપરિણામ (પા.ચો. ૩/૧૨)
શાંત અને ઉદિત સમાન પ્રત્યયવાળો ચિત્તનો એકાગ્રતાપરિણામ ભૂતો અને ઇન્દ્રિયોમાં ત્રણ પ્રકારના પરિણામો (પા.યો. ૩/૧૩)
ધર્મપરિણામ
લક્ષણપરિણામ
અવસ્થા પરિણામ
ધર્મીના પૂર્વ ધર્મની નિવૃત્તિ થયે છતે ઉત્તર ધર્મની પ્રાપ્તિ તે ધર્મીનો ધર્મપરિણામ
અન્ય પદાર્થોની વ્યાવૃત્તિ વસ્તુ ઉત્પન્ન થયા પછી જે
કરનાર લક્ષ્યમાં રહેલો આકારરૂપે અવસ્થિત હોય તે ધર્મ તે લક્ષણ અને લક્ષ્યમાં આકારરૂપે જ પછીની તે લક્ષણ આવ્યા પછી બીજી, ક્ષણોમાં રહે તે ત્રીજી આદિ ક્ષણોમાં તે લક્ષણ અવસ્થા પરિણામ અનુવૃત્તિરૂપે રહે તે લક્ષણપરિણામ ધર્મીનું સ્વરૂપ (પા.યો. ૩/૧૪)
શાંત, ઉદિત અને અવ્યપદેશ્ય એવા ધર્મોમાં અનુસરનાર ધર્મી એક ધર્મના અનેક પરિણામ હોવાનો હેતુ (પા.યો. ૩/૧૫)
|
|
ધર્મોના ક્રમનું અન્યપણું પરિણામના અન્યપણામાં અનુમાપક હેતુ
Page #20
--------------------------------------------------------------------------
________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | સંક્ષિપ્ત ટ્રી
ધારણા, ધ્યાન અને સમાધિરૂપ સંયમથી પ્રાપ્ત થતી સિદ્ધિઓ
↓
(૧) વિષયોના ધર્મ, લક્ષણ અને અવસ્થારૂપ પરિણામત્રયમાં સંયમ કરવાથી યોગીને અતીત, અનાગત જ્ઞાનની પ્રાપ્તિ (પા.યો. ૩/૧૬)
(૨) શબ્દ અર્થ અને જ્ઞાનની પૃથક્કતામાં સંયમ કરવાથી સર્વ પ્રાણીઓના શબ્દવિષયક જ્ઞાન (પા.યો. ૩૧૭)
(૩) સંસ્કારોમાં સંયમ કરવાથી પૂર્વજાતિઓની અનુસ્મૃતિ (પા.યો. ૩/૧૮)
(૪) પરિચત્તમાં સંયમ કરવાથી પચિત્તગત સર્વભાવોનું જ્ઞાન (પા.યો. ૩/૧૯-૨૦)
(૫) કાયાના રૂપની શક્તિના સ્તંભનમાં સંયમ કરવાથી તિરોધાન થવાની યોગ્યતા (પા.યો. ૩/૨૧) (૬) સોપક્રમ અને નિરુપક્રમ - આ બે પ્રકારનાં કર્મોમાં સંયમ કરવાથી શરીરના વિયોગનું જ્ઞાન અથવા અરિષ્ટોથી શરીરના વિયોગનું જ્ઞાન (પા.યો. ૩/૨૨)
અરિષ્ટોનું સ્વરૂપ
(૧) આધ્યાત્મિક
કર્ણને ઢાંકવાથી કોબ્ર્હ્મ વાયુના ઘોષનું અશ્રવણ
(૨) આધિભૌતિક ↓
આકસ્મિક વિકૃત પુરુષનું દર્શન
(૩) આધિદૈવિક
↓
અશક્ય એવા સ્વર્ગાદિ
પદાર્થનું દર્શન
(૭) મૈત્ર્યાદિભાવોમાં સંયમ કરવાથી મૈત્ર્યાદિભાવોનાં બળની પ્રાપ્તિ (પા.યો.૩ ૩/૨૩)
(૮) હસ્તિ આદિનાં બળોમાં સંયમ કરવાથી હસ્તિ આદિના બળોની પ્રાપ્તિ (પા.યો. ૩/૨૪)
(૯) વિષયવતી અને જ્યોતિષ્મતી પ્રવૃત્તિથી સૂક્ષ્મ, વ્યવહિત અને વિપ્રકૃષ્ટ અર્થોનું જ્ઞાન (પા.યો. ૩/૨૫) (૧૦) સૂર્યમાં સંયમ કરવાથી સમસ્ત ભુવનનું જ્ઞાન (પા.યો. ૩/૨૬)
(૧૧) ચંદ્રમાં સંયમ કરવાથી તારાના સમૂહનું જ્ઞાન (પા.યો. ૩/૨૭)
(૧૨) ધ્રુવ તારામાં સંયમ કરવાથી તારાઓની ગતિનું જ્ઞાન (પા.યો. ૩/૨૮) (૧૩) નાભિચક્રમાં સંયમ કરવાથી કાયના વ્યૂહનું જ્ઞાન (પા.યો. ૩/૨૯) (૧૪) કંઠકૂપમાં સંયમ કરવાથી ક્ષુધા અને તૃષાની નિવૃત્તિ (પા.યો. ૩/૩૦) (૧૫) કૂર્મનાડીમાં સંયમ કરવાથી મનઃસ્વૈર્યની સિદ્ધિ (પા.યો. ૩/૩૧) (૧૬) મસ્તકની જ્યોતિમાં સંયમ કરવાથી સિદ્ધ પુરુષોનું દર્શન (પા.યો. ૩/૩૨) (૧૭) પ્રાતિભજ્ઞાનમાં સંયમ ક૨વાથી સર્વ વસ્તુનું જ્ઞાન (પા.યો. ૩/૩૩)
પ્રાતિભજ્ઞાનનું સ્વરૂપ ↓
સૂર્યોદય પહેલા રાત્રિની સમાપ્તિ થવાથી જે અરુણોદય થાય છે તેના જેવું પ્રાતિભજ્ઞાન
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૦
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | સંક્ષિપ્ત ટ્રી
(૧૮) હૃદયપ્રદેશમાં સંયમ કરવાથી ચિત્તની સંવિદ્=સ્વચિત્તગત વાસનાનું જ્ઞાન અને પરચિત્તગત રાગાદિનું જ્ઞાન (પા.યો. ૩/૩૪)
(૧૯) પરાર્થકભોગથી ભિન્ન એવા સ્વાર્થમાં સંયમ કરવાથી પુરુષવિષયક સંવિદ્ (પા.યો. ૩/૩૫) (૨૦) સ્વાર્થ સંયમમાં અભ્યાસ કરાતા એવા પુરુષના સંયમથી પ્રાતિભ, શ્રાવણ, વેદના, આદર્શ, આસ્વાદ અને વાર્તારૂપ જ્ઞાનોની પ્રાપ્તિ (પા.યો. ૩/૩૬)
પ્રાતિભાદિ ફળવિશેષોનો વિષયવિભાગ (પા.યો. ૩/૩૭)
સમાધિમાં વિઘ્નરૂપ
વ્યુત્થાનદશામાં સિદ્ધિરૂપ
(૨૧) શરીરબંધના કારણોની શિથિલતાથી અને ચિત્તના પ્રચારના જ્ઞાનથી યોગીના ચિત્તનો પરશરીરમાં પ્રવેશ (પા.યો. ૩/૩૮)
(૨૨) ઉદાનવાયુના જયથી જળ, કાદવ, કાંટા વગેરેમાં અસંગપણું અને ઉત્ક્રાંતિ (પા.યો. ૩/૩૯) (૨૩) સમાનવાયુના જયથી તેજની સિદ્ધિ (પા.યો. ૩/૪૦)
(૨૪) શ્રોત્રેન્દ્રિય અને આકાશના સંબંધમાં સંયમ કરવાથી દિવ્યશ્રોત્રની સિદ્ધિ (પા.યો. ૩|૪૧) (૨૫) કાયા અને આકાશના અવકાશદાનસંબંધમાં સંયમ કરવાથી લઘુતૂલમાં સમાપત્તિથી આકાશમાં ગતિની સિદ્ધિ (પા.યો. ૩/૪૨)
(૨૬) મહાવિદેહામાં સંયમ કરવાથી પ્રકાશના આવરણના ક્ષયની સિદ્ધિ (પા.યો. ૩/૪૩)
(૨૭) સ્થૂલ, સ્વરૂપ, સૂક્ષ્મ, અન્વય અને અર્થવત્વમાં સંયમ કરવાથી ભૂતજય (પા.યો. ૩/૪૪) ભૂતોની પાંચ અવસ્થાવિશેષ (પા.યો. ૩/૪૪)
(૧) સ્થૂલ અવસ્થાવિશેષ
↓ પાંચ ભૂતોનો
દેખાતો
આકાર
વિશેષ
(૨) સ્વરૂપ અવસ્થાવિશેષ
પૃથિવીમાં કર્કશપણું જલમાં સ્નેહ
અગ્નિમાં ઉષ્ણપણું વાયુમાં પ્રેરણા
(૩) સૂક્ષ્મ અવસ્થાવિશેષ
↓
પૃથિવીનું કારણ ગંધતન્માત્રા, જલનું
કારણ રસતન્માત્રા, અગ્નિનું કારણ
આકાશમાં રૂપતન્માત્રા, વાયુનું અવકાશદાન સ્પર્શતન્માત્રા, આકાશનું
કારણ શતન્માત્રા
(૪) અન્વય અવસ્થાવિશેષ
↓ સર્વભૂતોમાં પ્રકાશ, પ્રવૃત્તિ અને સ્થિતિ
આ ત્રણ
ગુણો
(૫) અર્થવત્ત્વ
અવસ્થાવિશેષ
↓
પાંચ ભૂતોના ગુણોમાં ભોગ અને અપવર્ગ
સંપાદન શક્તિ
Page #22
--------------------------------------------------------------------------
________________
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | સંક્ષિપ્ત ટ્રી
ભૂતજયનું ફળ (પા.યો. ૩/૪૫-૪૬)
(૨) કાયાની સંપત્તિ
(૧) અણિમાદિ આઠ શક્તિની પ્રાપ્તિ
(૩) કાયાના ધર્મોનો
અનભિઘાત
(૧) અણિમાશક્તિ
રૂપ, લાવણ્ય, બળ (૨) મહિમાશક્તિ
અને વજસંહનનપણું (૩) લધિમાશક્તિ (૪) ગરિમાશક્તિ (૫) પ્રાકામ્યશક્તિ (૬) ઇશિત્વશક્તિ (૭) વશિત્વશક્તિ
(૮) યત્રકામાવસાયિત્વશક્તિ (૨૮) ક્રમથી ગ્રહણાદિમાં સંયમ કરવાથી ઇન્દ્રિયજય (પા.યો. ૩/૪૭)
ગ્રહણાદિનું સ્વરૂપ (પા.યો. ૩/૪૦)
(૧) ગ્રહણ
(૨) સ્વરૂપ
(૩) અસ્મિતા
(૪) અન્વય
(૫) અર્થવત્ત્વ
ઇન્દ્રિયોની વિષયને અભિમુખ પ્રવૃત્તિ
ઇન્દ્રિયોનું તે તે ઇન્દ્રિયોથી પ્રકાશ, ક્રિયા વિષયોનો બોધ વિષયોનો ભોગ અને સ્થિતિ કરાવવા સ્વરૂપ કર્યા પછી ભોગ એ ઇન્દ્રિયોના પ્રકાશકપણું કરનારને અહંકાર અન્વયો=ગુણો
થાય છે તે અસ્મિતા ઇન્દ્રિયજયનું ફળ (પા.યો. ૩/૪૮)
પુરુષને ભોગ અને અપવર્ગ સંપાદન કરવું તે ઇન્દ્રિયોનું અર્થવસ્વ=પ્રયોજન
(૧) મનોજવા
(૨) વિકરણભાવ
(૩) પ્રકૃતિનો જય
જય
મનની જેમ શરીરની કાયાથી નિરપેક્ષ
કર્મપ્રકૃતિનો અનુપમગતિનો
ઇન્દ્રિયોની વૃત્તિનો લાભ
લાભ (૨૯) શુદ્ધસાત્ત્વિક પરિણામમાં સંયમ કરવાથી સત્ત્વ અને પુરુષની વિવેકખ્યાતિ (પા.યો. ૩/૪૯)
Page #23
--------------------------------------------------------------------------
________________
૧૨
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ / સંક્ષિપ્ત ટ્રી અંતઃકરણજયનું ફળ (પા.યો. ૩/૪૯)
(૧) સર્વજ્ઞપણાની પ્રાપ્તિ
(૨) સર્વભાવોના અધિષ્ઠાતૃપણાની પ્રાપ્તિ વિશોકાસિદ્ધિનું સ્વરૂપ (પા.યો. ૩/૫૦)
સત્ત્વ અને પુરુષની અન્યતાખ્યાતિ થવાને કારણે સર્વજ્ઞ અને
સર્વભાવોના અધિષ્ઠાતા એવા યોગીની સિદ્ધિ તે વિશોકાસિદ્ધિ વિશોકાસિદ્ધિવાળા યોગીને પ્રાપ્ત થતાં ફળો (પા.યો. ૩/૫૦)
(૧) વિષયોમાં વૈરાગ્ય
(૨) વિશોકાસિદ્ધિરૂપ ગુણોમાં વૈરાગ્ય
બંને પ્રકારના વૈરાગ્યના પ્રકઈને કારણે રાગાદિ દોષોના બીજ એવી અવિદ્યા
આદિનો નાશ થવાથી પુરુષને કૈવલ્ય પુરુષનું સ્વરૂપમાં પ્રતિષ્ઠાણું વિશોકાસિદ્ધિમાં પ્રાપ્ત થયેલ સમાધિમાં સ્થિતિનું બીજ (પા.યો. ૩/૫૧)
સંગ અને સ્મયનું અકરણ (૩૦) ક્ષણ અને ક્ષણના ક્રમમાં સંયમ કરવાથી વિવેકજ્ઞાનની ઉત્પત્તિ (પા.યો. ૩/૫૨)
વિવેકથી ઉત્પન્ન થયેલા જ્ઞાનનું સ્વરૂપ (પા.યો. ૩/૫૩)
જાતિ, લક્ષણ અને દેશ વડે અનવચ્છેદથી તુલ્ય એવા બે પદાર્થોમાં ભેદનો નિર્ણય
વિવેકથી ઉત્પન્ન થયેલા જ્ઞાનનું સ્વરૂપ (પા.યો. ૩/૫૪)
(૧) સંજ્ઞા
(૨) વિષય
(૩) સ્વભાવ
તારકજ્ઞાન
મહદાદિ સર્વવિષયવાળું
સર્વપ્રકારે સૂક્ષ્માદિભેદવિષયવાળું
Page #24
--------------------------------------------------------------------------
________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / સંક્ષિપ્ત ટ્રી
વિવેકથી ઉત્પન્ન થયેલા તારકજ્ઞાનનું ફળ (પા.યો. ૩/૫૫)
સત્ત્વની અને પુરુષની સમાન શુદ્ધિમાં પુરુષનો મોક્ષ
સિદ્ધિના પ્રકારો (પા.યો. ૪/૧)
(૧) જન્મ નિમિત્ત સિદ્ધિ
(૨) ઔષધ
સિદ્ધિ
(૩) મંત્રસિદ્ધિ
(૪) તપસિદ્ધિ (૫) સમાધિસિદ્ધિ
પક્ષી વગેરેમાં આકાશગમનાદિ
કપિલમહર્ષિ વગેરેને જન્મતાની
સાથે ઉત્પન્ન થયેલા જ્ઞાનાદિ સ્વાભાવિક ગુણો
પારદ વગેરે રસાયનાદિ ઉપયોગથી થાય છે તે ઔષધ સિદ્ધિ
મંત્રના જપથી
થનારી આકાશાદિ સિદ્ધિઓ
વિશ્વામિત્ર વગેરેને થયેલ તપસિદ્ધિ
સમાધિથી થનારી સિદ્ધિ
જન્માદિ સિદ્ધિઓનું કારણ
જન્માંતરમાં અભ્યસ્તસમાધિ મુખ્ય કારણ જાત્યંતરપરિણામની પ્રાપ્તિનું કારણ (પા.યો. ૪/૩-૪)
પ્રકૃતિનું આપૂરણ ધર્માદિ નિમિત્ત અર્થાતરના પરિણામમાં
અપ્રયોજક ધર્માદિનિમિત્તથી ક્ષેત્રિકની જેમ વરણભેદ અનેક ચિત્તોથી નિર્માણ ચિત્તનું પ્રસરણ (પા.યો. ૪/૪) અનેક ચિત્તોની પ્રવૃત્તિમાં એક ચિત્તપ્રયોજક (પા.યો. ૪/૫)
ચિત્તના પ્રકારો (પા.યો. ૪/૫-૬)
(૧) જન્મ પ્રભવ ચિત્ત
(૨) ઔષધિ પ્રભવ ચિત્ત
(૩) મંત્ર પ્રભવ ચિત્ત
(૪) તપ પ્રભવ ચિત્ત
(૫) સમાધિ પ્રભવ ચિત્ત
ધ્યાનથી થનારું ચિત્ત અનાશય
Page #25
--------------------------------------------------------------------------
________________
૧૪
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | સંક્ષિપ્ત ટ્રી અયોગીઓ અને યોગીના કર્મનું સ્વરૂપ (પા.યો. ૪/૦)
અયોગી
યોગી
શુક્લકર્મ કૃષ્ણકર્મ શુક્લકૃષ્ણકર્મ
અનાશયકર્મવાળા ત્રણ પ્રકારના કર્મોનું ફળ (પા.યો. ૪૮)
કર્મથી આત્મામાં વાસના
(૧) સ્મૃતિમાત્રફળવાળી (૨) જાતિ, આયુષ્ય અને ભોગફળવાળી સ્કૃતિ અને સંસ્કારરૂપ કાર્ય-કારણનું એકરૂપપણું હોવાથી વ્યવહિત એવી પણ વાસનાઓમાં આનંતર્યનું ઉપપાદન (પા.યો. ૪/૯)
વાસનાઓના અનાદિપણાનું કારણ (પા. ચો. ૪/૧૦).
મહામોહરૂપ અને વાસનાના કારણભૂત એવા આશિષનું નિત્યપણું
વાસનાઓના અભાવનું કારણ (પા.યો. ૪/૧૧)
હેતુ, ફળ, આશ્રય અને આલંબનથી વાસનાઓનું સંગૃહીતપણું
હોવાથી તેમના અભાવમાં વાસનાઓનો અભાવ વાસનાનો હેતુ – તેનો અનંતર અનુભવ વાસનાનું ફળ – શરીરાદિની પ્રાપ્તિ અને સ્મૃતિ આદિની પ્રાપ્તિ વાસનાનો આશ્રય > બુદ્ધિસત્ત્વ વાસનાનું આલંબન – અનુભવનું આલંબન તે જ વાસનાનું આલંબન અતીત અધ્વાદિમાં ધર્મોના સદ્ભાવનું ઉપપાદન (પા.યો. ૪/૧૨) ચિત્તરૂપધર્મો અને તેમાં રહેલા ધર્મોનું સ્વરૂપ (પા.યો. ૪/૧૩-૧૪).
* સત્ત્વ, રજસ્ અને તમોરૂપ ગુણસ્વરૂપ * પરિણામના એકપણાથી ચિત્ત આદિ વસ્તુનું એકત્વ
Page #26
--------------------------------------------------------------------------
________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / સંક્ષિપ્ત ટ્રી
વિજ્ઞાનવાદનું નિરાકરણ અને સાકારવાદનું પ્રતિષ્ઠાપન (પા.યો. ૪/૧૫) ચિત્તમાં બાહ્યવસ્તુના ઉપરાગતું અપેક્ષીપણું હોવાથી વસ્તુ જ્ઞાતાજ્ઞાત (પા.યો. ૪/૧૬)
પુરુષના જ્ઞાતૃપણાનું કથન (પા.યો. ૪/૧૦) ચિત્ત દ્વારા સકલ વ્યવહારની નિષ્પત્તિનું ઉપપાદન (પા.યો. ૪/૧૮)
દેશ્યપણું હોવાથી ચિત્ત પરપ્રકાશક (પા.યો. ૪/૧૮) એક સમયમાં અર્થના સંવેદનનું અને બુદ્ધિના સંવેદનનું અનવધારણ
હોવાથી ચિત્ત પરપ્રકાશક (પા.યો. ૪/૧૯) દેષ્ટા પુરુષ અને દેશ્ય વિષયોથી ઉપરક્ત એવું ચિત્ત સર્વ અર્થગ્રાહક (પા.યો. ૪/૨૨) અસંખ્ય વાસનાઓથી ચિત્ર એવું ચિત્ત સંહત્યકારી હોવાથી પરાર્થ (પા.યો. ૪/૨૩) પ્રકૃતિથી અતિરિક્ત પુરુષના સત્ત્વમાં પ્રમાણનું ઉપદર્શન (પા.યો. ૪/૨૪ થી ૩૧) સત્ત્વરૂપ બુદ્ધિના અને પુરુષના ભેદને જોનારને આત્મભાવની ભાવનાની નિવૃત્તિ
|| તેનાથી વિવેક તરફ વળેલું કૈવલ્યના પ્રારંભવાળું ચિત્ત
| | તેનાથી ફળની અલિપ્સાવાળા યોગીને સર્વથા વિવેકખ્યાતિથી ધર્મમેઘસમાધિની પ્રાપ્તિ
| | તેનાથી ક્લેશ અને કર્મની નિવૃત્તિ
છે તેનાથી સર્વઆવરણરૂપ મલથી રહિત એવા જ્ઞાનનું અનંતપણું હોવાથી શેય પરિમિત
| | તેનાથી કૃતાર્થ થયેલા ગુણોના પરિણામક્રમની સમાપ્તિ
ક્રમનું લક્ષણ (પા.યો. ૪/૩૨)
પરિણામના અપરાંતથી નિર્વાહ્ય ક્ષણપ્રતિયોગી ક્રમ યોગમાર્ગના સેવનના ફળભૂત એવા કૈવલ્યનું અસાધારણ સ્વરૂપ (પા.ચો. ૪/૩૩) શાસ્ત્રાંતોમાં પણ પાતંજલદર્શનકારે કહેલ કેવલ્યના સ્વરૂપનો નિર્ણય (પા.યો. ૪/૩૩)
- સાધ્વી ચંદનબાલાશ્રી
Page #27
--------------------------------------------------------------------------
________________
૧૬
સૂત્ર નં.
૧.
૨.
3.
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ની અનુક્રમણિકા
(૩) વિભૂતિપાદ :
ધારણાનું સ્વરૂપ.
ધ્યાનનું સ્વરૂપ.
સમાધિનું સ્વરૂપ.
સંયમનું સ્વરૂપ.
સંયમનું ફળ.
સંયમનો ઉપયોગ.
વિગત
૪.
૫.
૬.
૭.
૮.
૯.
૧૦.
૧૧.
એકાગ્રતા પરિણામનું સ્વરૂપ.
૧૨.
૧૩થી ૧૫. ભૂત અને ઇન્દ્રિયોમાં ધર્મ, લક્ષણ અને અવસ્થાના પરિણામનું સ્વરૂપ. પરિણામના સંયમથી અતીત અનાગતનું જ્ઞાન. ૧૭થી ૩૫. સંયમથી પ્રાપ્ત થતી અનેક પ્રકારની સિદ્ધિઓ.
૧૬.
૩૬.
૩૭.
૩૮.
૩૯થી ૪૬. સંયમથી પ્રાપ્ત થતી જુદા જુદા પ્રકારની સિદ્ધિઓ.
૪૭.
સંયમથી ઇન્દ્રિયોનો જય.
૪૮.
૪૯.
૫૦.
ધારણા, ધ્યાન અને સમાધિ અંતરંગ યોગાંગ.
નિર્બીજ સમાધિવાળાને ધારણાદિ ત્રણ બહિરંગ.
નિરોધ પરિણામનું સ્વરૂપ.
નિરોધનું ફળ.
સમાધિ પરિણામનું સ્વરૂપ.
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | અનુક્રમણિકા
સંયમનું ફળ.
સંયમનું ફળવિશેષ.
સંયમથી પરશરીરમાં પ્રવેશની શક્તિ.
ઇન્દ્રિયજયનું ફળ.
અંતઃકરણજયનું સ્વરૂપ અને ફળ.
વિશોકાસિદ્ધિમાં વૈરાગ્ય થવાથી સ્વરૂપ પ્રતિષ્ઠિતપણારૂપ ફળની પ્રાપ્તિ.
પાના નં.
૧-૧૦૬
૧-૩
૩-૪
૪-૬
૬-૭
૭-૮
૮-૯
૯-૧૦
૧૦-૧૧
૧૧-૧૪
૧૪-૧૫
૧૫-૧૭
૧૭-૧૯
૧૯-૨૬
૨૬-૨૭
૨૮-૫૬
૫૬-૬૦
૫૮-૬૦
૬૦-૬૨
૬૨-૭૪
૭૫-૭૬
૭૬-૭૮
૭૮-૮૦
૮૦-૮૧
Page #28
--------------------------------------------------------------------------
________________
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | અનુક્રમણિકા
પાના નં.
૮૧-૮૩
૫૨.
૮૩-૮૬
૫૩.
૮૪-૮૬
૫૪.
૮૬-૮૮
૫૫.
૫૫.
૮૮-૮૯ ૮૯-૧૦૫ ૧૦૫-૧૦૬
સૂત્ર નં.
વિગત ૫૧. સમાધિમાં સ્થિર થવાનો ઉપાય.
| સંયમના ફળભૂત એવી વિવેકખ્યાતિ ઉત્પન્ન થવામાં અન્ય ઉપાય. ક્ષણ અને ક્રમના સંબંધમાં સંયમ કરવાથી વિવેકથી ઉત્પન્ન થયેલું જ્ઞાન જાત્યાદિથી તુલ્ય એવા બે પદાર્થોનું વિવેચક. | વિવેકથી ઉત્પન્ન થયેલા જ્ઞાનની સંજ્ઞા, વિષય અને સ્વભાવ. | વિવેકથી ઉત્પન્ન થયેલા જ્ઞાનથી ફળપ્રાપ્તિ. | ઉપાધ્યાય યશોવિજયજી મ. સા.ની ટિપ્પણી વિભૂતિપાદ ઉપર ઉપસંહાર (૪) કૈવલ્યપાદ :
સિદ્ધિઓ થવાના ઉપાયો. ૨-૩. | ઈશ્વરની ઉપાસનાથી જાત્યન્તરની પ્રાપ્તિનું કારણ. ૪-૫. યોગીથી અનેક ભવોના કર્મોના નાશ માટે નિર્માણ કરાયેલા ચિત્તનું સ્વરૂપ.
ધ્યાનથી થયેલા ચિત્તનું સ્વરૂપ.
યોગીનું ચિત્ત અને ઇતરના ચિત્તનું સ્વરૂપ. ૮-૯, કર્મોનું ફળ.
વાસનાનું અનાદિપણું. ૧૧થી ૧૩ વાસનાના નાશનો ઉપાય. ૧ ૨. ઉપાધ્યાય યશોવિજયજી મ. સા.ની ટિપ્પણી
પરિણામનું એકપણું હોવાથી ચિત્ત આદિ વસ્તુઓનું એકત્વ. ૧૪. ઉપાધ્યાય યશોવિજયજી મ. સા.ની ટિપ્પણી
| વસ્તુના સામ્યમાં ચિત્તનો ભેદ હોવાથી જ્ઞાન અને અર્થનો ભિન્ન માર્ગ, ચિત્તનું બાહ્ય વસ્તુના ઉપરાગનું અપેક્ષીપણું હોવાથી વસ્તુ જ્ઞાતાજ્ઞાત. | ચિત્તનું ગ્રહણ કરનાર એવા પુરુષની ચિત્તવૃત્તિઓ સર્વકાળ જ્ઞાનનો વિષય.
ઉપાધ્યાય યશોવિજયજી મ. સા.ની ટિપ્પણી ૧૮-૧૯. પાતંજલમતાનુસાર ચિત્ત પરપ્રકાશક. ૨૦. બુદ્ધિનું વેદના અન્ય બુદ્ધિથી માનવાથી આવતા દોષનું સ્વરૂપ.
૧૦૯-૨૩૦ (૧૦૭-૧૦૯ ૧૧૦-૧૧૪ ૧૧૪-૧૧૯ ૧૧૯-૧૨૦ ૧૨૦-૧૨૧ ૧ ૨૧-૧૨૮ ૧૨૮-૧૩૦ ૧૩૦-૧૩૯ ૧૩૫-૧૩૭ ૧૩૯-૧૪૦
૧૦.
૧૪.
૧૪૦-૧૪૧
૧૫.
૧૪૧-૧૪૮
૧૬ .
૧૪૮-૧૫૧
૧૫૧-૧૫૩
૧૭.
૧પ૩-૧૫૫
૧૫૫-૧૫૯
૧૫૯-૧૬૨
Page #29
--------------------------------------------------------------------------
________________
૧૮
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ / અનુક્રમણિકા
સૂત્ર નં.
વિગત
પાના નં.
૨૧.
| પાતંજલમતાનુસાર પરપ્રકાશક એવી બુદ્ધિ દૃષ્ટા એવા પુરુષથી પ્રકાશ્ય હોવાથી બાહ્ય વિષયોના બોધની પ્રાપ્તિ.
૧૬૨-૧૬૫ દષ્ટા પુરુષ અને દશ્ય ઘટ-પટાદિ વિષયોથી ઉપરક્ત એવું ચિત્ત સર્વ અર્થગ્રાહક, પાતંજલમતાનુસાર ભોગનું સ્વરૂપ.
૧૬૫-૧૭૮ ઉપાધ્યાય યશોવિજયજી મ. સા.ની ટિપ્પણી
૧૭૯-૧૮૪ પાતંજલમતાનુસાર અસંખ્ય વાસનાઓથી ચિત્ર એવું ચિત્ત સંહત્યકારી હોવાથી પરાર્થ.
૧૮૪-૧૮૮ સત્ત્વરૂપ બુદ્ધિના અને પુરુષના ભેદના જોનારને આત્મભાવની ભાવનાની નિવૃત્તિ.
૧૮૮-૧૮૯ આત્મભાવની ભાવનાની નિવૃત્તિ થવાથી કૈવલ્યના પ્રારંભવાળું ચિત્ત. ૧૮૯-૧૯૦ સમાધિમાં રહેલા યોગીના અંતરાલોમાં સંસ્કારથી વ્યુત્થાનરૂપ જ્ઞાનની પ્રાપ્તિ. ૧૯૦-૧૯૧ વ્યુત્થાનના સંસ્કારોના હાનનો ઉપાય.
૧૯૧–૧૯૩ ફળની અલિપ્સાવાળા યોગીને સર્વથા વિવેકખ્યાતિથી ધર્મમેઘ સમાધિની પ્રાપ્તિ.
૧૯૩-૧૯૪ ધર્મમેઘ સમાધિથી લેશો અને કર્મોની નિવૃત્તિ.
૧૯૪-૧૯૫ ક્લેશ અને કર્મની નિવૃત્તિથી જ્ઞાનની અપેક્ષાએ શેય પરિમિત.
૧૯૫-૧૯૬ ઉપાધ્યાય યશોવિજયજી મ. સા.ની ટિપ્પણી
૧૯૬-૧૯૮ ધર્મમેઘ સમાધિથી જ્ઞાન અનંત પ્રાપ્ત થયા પછી કૃતાર્થ થયેલા ગુણોના પરિણામક્રમની સમાપ્તિ.
૧૯૯-૨૦૦ ક્રમનું લક્ષણ.
૨૦૨-૨૦૪ ઉપાધ્યાય યશોવિજયજી મ. સા.ની ટિપ્પણી
૨૦૨-૨૦૪ પાતંજલમતાનુસાર મુક્તાત્માનું સ્વરૂપ.
૨૦૪-૨૩૫ કૈવલ્યપાદ ઉપર ઉપસંહાર
૨૩૫-૨૩૭ પરિશિષ્ટ
૨૭૮-૨૪૨
Page #30
--------------------------------------------------------------------------
________________
ॐ ही अहँ नमः । ॐ ह्रीं श्रीशङ्केश्वरपार्श्वनाथाय नमः ।
न्यायविशारद-न्यायचार्यपदप्रतिष्ठित-महामहोपाध्याय
श्रीमद्यशोविजयगणिरचितटिप्पणसहितानि, श्रीभोजदेवकृतराजमार्तण्डवृत्तिसमेतानि च
પાતøનયોગસૂત્રાnિ |
(ભાગ-૨)
तृतीयः विभूतिपादः ॥
દ્વિતીય સાધનપાદ સાથે તૃતીય વિભૂતિપાદનું યોજના :
પતંજલિઋષિએ યોગનું સ્વરૂપ બતાવવાનો પ્રસ્તાવ કરેલ, તેથી પ્રથમ સમાધિપાદમાં યોગનું સ્વરૂપ બતાવ્યું. યોગનું સ્વરૂપને બતાવ્યા પછી યોગનું સાધન શું છે તે બીજા સાધનપાદમાં બતાવ્યું અને એ યોગનું સાધન યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર સુધીના યોગનાં અંગો છે. તેથી બીજા પાકના અંતે ઉપસંહાર કરતાં કહ્યું કે યમ, નિયમથી યોગ બીજભાવને પામે છે, આસન, પ્રાણાયામથી તે બીજ અંકુરિત થાય છે, અને પ્રત્યાહારથી તે બીજ પુષ્પિત થાય છે. આ રીતે પુષ્પિત થવાની ક્રિયા સુધી યોગ સાધનભૂમિકામાં છે. હવે તે સાધન દ્વારા ક્રમસર ધારણા, ધ્યાન અને સમાધિ પ્રગટે છે તેનાથી આત્મામાં કેવી વિભૂતિઓ પ્રગટ થાય છે તે બતાવવા માટે ત્રીજો વિભૂતિપાદ બતાવે છે.
ટીકા :
यत्पादपद्मस्मरणादणिमादिविभूतयः । भवन्ति भविनामस्तु भूतनाथः स भूतये ॥
Page #31
--------------------------------------------------------------------------
________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૧ ટીકાર્ય :
જેમના ચરણકમળના સ્મરણથી અણિમાદિ વિભૂતિઓ ભવિજીવોને થાય છે તે ભૂતનાથ ભૂતિને માટે વિભૂતિ માટે, થાઓ ! ટીકાઃ
तदेवं पूर्वोद्दिष्टं धारणाद्यङ्गत्रयं निर्णेतुं संयमसज्ञाभिधानपूर्वकं बाह्याभ्यन्तरादिसिद्धिप्रतिपादनाय लक्षयितुमुपक्रमते । ટીકાર્થ :
તવં ... ૩૫#મ ા આ પ્રમાણે યોગીઓ યમ, નિયમાદિના સેવન દ્વારા પ્રત્યાહાર નામના યોગાંગને પ્રાપ્ત કરે છે ત્યારે ઇન્દ્રિય વિષયોથી પ્રત્યાહાર પરિણામવાળી બને છે અને યોગીઓને પોતાની ઇન્દ્રિયો પર પ્રભુત્વ પ્રાપ્ત થાય છે. આ પ્રકારના પ્રભુત્વથી યોગીને ઉત્તરમાં ધારણા, ધ્યાન અને સમાધિ પ્રગટે છે, તેથી પૂર્વમાં કહેવાયેલ ધારણાદિ અંગ ત્રયનો ધારણા, ધ્યાન અને સમાધિરૂપ અંગત્રયનો, નિર્ણય કરવા માટે બાહ્ય સિદ્ધિના અને અત્યંતરસિદ્ધિના પ્રતિપાદન માટે ધારણા, ધ્યાન અને સમાધિ આ ત્રણની સંયમ સંજ્ઞા કહેવા પૂર્વક સંયમથી પ્રાપ્ત થતી બાહા અને અત્યંતર વિભૂતિને જણાવવા માટે ઉપક્રમ=પ્રારંભ, કરે છે. અવતરણિકા :
तत्र धारणायाः स्वरूपमाह - અવતરણિકાર્ય :
ત્યાં ધારણાના સ્વરૂપને કહે છે – સૂત્ર:
देशबन्धश्चित्तस्य धारणा ॥३-१॥
સૂત્રાર્થ :
ચિત્તનો દેશબંધ ધારણા છે. I૩-૧II
ટીકા : ___ 'देशेति'-देशे नाभिचक्रनासाग्रादौ चित्तस्य बन्धो-विषयान्तरपरिहारेण यत्स्थिरीकरणं सा चित्तस्य धारणोच्यते, अयमर्थः-मैत्र्यादिचित्तपरिकर्मवासितान्तःकरणेन यमनियमवता जितासनेन परिहृतप्राणविक्षेपेण प्रत्याहृतेन्द्रियग्रामेण निर्बाधे प्रदेशे ऋजुकायेन जितद्वन्द्वेन योगिना नासाग्रादौ सम्प्रज्ञातस्य समाधेरभ्यासाय चित्तस्य स्थिरीकरणं कर्तव्यमिति રૂ
Page #32
--------------------------------------------------------------------------
________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૧-૨ ટીકાર્થ :
રેશે ...૩ખ્યતે, નાભિચક્ર અને નાસાગ્રાદિ દેશમાં ચિત્તનો બંધ=વિષયાંતરના પરિહારપૂર્વક જે સ્થિરીકરણ, તે ચિત્તની ધારણા કહેવાય છે.
મયમર્થ: - આ અર્થ છે – મૈચાર્િ .... #ર્તવ્યપતિ મૈત્રાદિ દ્વારા ચિત્તના પરિકર્મથી વાસિત એવા અંત:કરણવાળા, યમ અને નિયમવાળા, જીતી લીધેલ આસનવાળા, ત્યાગ કરાયેલ પ્રાણના વિક્ષેપવાળા, પ્રત્યાહત ઇન્દ્રિયોના સમૂહવાળા સ્પર્ધાદિ ઇન્દ્રિયોના વિષયોથી ઇન્દ્રિયોના સમૂહને પાછી ખેંચનારી અવસ્થાવાળા, નિબંધ પ્રદેશમાં સરળ કાયાવાળા, જીતી લીધેલ કંઠવાળા એવા યોગી વડે નાસાના અગ્રભાગાદિમાં સંપ્રજ્ઞાતસમાધિના અભ્યાસ માટે ચિત્તનું સ્થિરીકરણ કરવું જોઈએ. તિ શબ્દ સૂત્રના કથનની સમાપ્તિસૂચક છે. ll૩-૧||
ભાવાર્થ :
(૬) પાતંજલમતાનુસાર અષ્ટાંગયોગમાં છઠ્ઠા યોગાંગરૂપ ધારણાનું સ્વરૂપ :
જે યોગીઓ યોગમાર્ગમાં પ્રવેશ કરવા અર્થે ચિત્તને મૈયાદિ ભાવોથી પરિકર્ષિત કરે છે, તેથી સર્વ જીવો સાથે તેમનું ચિત્ત ઉચિત પ્રવૃત્તિ કરનારું બને છે, યમ અને નિયમોનું સેવન કરીને યોગની પ્રાથમિક ભૂમિકાવાળું બને છે, પદ્માસનાદિ આસનમાં બેસીને સ્થિરપ્રકૃતિવાળા બને છે, પ્રાણાયામનો અભ્યાસ કરીને પ્રાણના વિક્ષેપનો પરિહાર કરનારા બને છે અને ઇન્દ્રિયોના પ્રત્યાહારરૂપ યોગાંગના સેવનથી પોતાની ઇન્દ્રિયોને વશ કરનારા બને છે તેવા યોગીઓ બાધા વગરના પ્રદેશમાં બેસીને, કાયાને શિથિલ કરીને, રાગ-દ્વેષ, રતિ-અરતિરૂપ કંદોને જીતીને સંપ્રજ્ઞાતસમાધિનો અભ્યાસ કરવા માટે યત્ન કરે છે તેવા યોગીઓ ચિત્તને નાસિકાના અગ્રભાગમાં કે નાભિચક્રમાં કે અન્ય કોઈ ઉચિત સ્થાને સ્થિર કરે છે તે ચિત્તનો એક દેશમાં સ્થિરીકરણરૂપ બંધ છે તે ધારણા નામનું છઠું યોગાંગ છે. ll૩-૧ી.
અવતરણિકા :
धारणामभिधाय ध्यानमभिधातुमाह - અવતરણિકાર્ય :
ધારણાને કહીને ધ્યાનને કહેવા માટે પતંજલિઋષિ કહે છે –
સૂત્ર :
तत्र प्रत्ययैकतानता ध्यानम् ॥३-२॥
Page #33
--------------------------------------------------------------------------
________________
४
સૂત્રાર્થ:
ત્યાં=જે પ્રદેશમાં ધારણા કરી છે ત્યાં, પ્રત્યયની=જ્ઞાનની, એકતાનતા ધ્યાન છે. II3-૨ગા
ટીકા :
‘તન્ત્રતિ’-તંત્ર-તસ્મિન્ પ્રવેશે યત્ર ચિત્ત ધૃતં તંત્ર, પ્રત્યયસ્ય-જ્ઞાનસ્ય વૈતાનતા વિદૃશपरिणामपरिहारद्वारेण यदेव धारणायामालम्बनीकृतं तदालम्बनतयैव निरन्तरमुत्पत्तिः सा ધ્યાનમુદ્ધતે રૂ-રા
ટીકાર્ય :
तत्र ઉન્મત્તે । ત્યાં=જે પ્રદેશમાં ચિત્તની ધારણા કરી છે ત્યાં, પ્રત્યયની=જ્ઞાનની, જે વિસદેશ પરિણામના પરિહાર દ્વારા એતાનતા=જે ધારણામાં આલંબન કરાયેલ છે તે આલંબનપણાથી જ નિરંતર ઉત્પત્તિરૂપ એકતાનતા, તે ધ્યાન હેવાય છે. II૩-૨
ભાવાર્થ :
*****
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ / સૂત્ર-૨-૩
(૭) પાતંજલમતાનુસાર અષ્ટાંગયોગમાં સાતમા યોગાંગરૂપ ધ્યાનનું સ્વરૂપ :
સંપ્રજ્ઞાતસમાધિ માટે અભ્યાસ કરતા યોગી નાસાગ્રાદિ સ્થાનમાં ચિત્તને ધારણ કરે છે, તે ચિત્ત જ્યારે એકાગ્ર બને છે ત્યારે વિસદેશ પરિણામના પરિહારપૂર્વક જે એકતાનતા આવે છે તે એકતાનતા ધ્યાનસ્વરૂપ છે.
આ એકતાનતાનું સ્વરૂપ સ્પષ્ટ કરતાં કહે છે
ધારણામાં જે આલંબન કરાયેલું હતું તે આલંબનપણાથી જ જ્ઞાનની નિરંતર ઉત્પત્તિ છે તે ધ્યાન છે. આનાથી એ ફલિત થાય છે કે, ધારણામાં વિસદેશ ચિત્તની પરિણતિ હોય છે, પરંતુ ધ્યાનકાળમાં સદેશ ચિત્તની પરિણતિનો પ્રવાહ વર્તે છે તેથી ચિત્ત ધારણાકાળમાં એકાગ્રતાવાળું નથી પરંતુ ધ્યાનકાળમાં એકાગ્રતાવાળું છે. II૩-૨
અવતરણિકા :
चरमं योगाङ्गं समाधिमाह -
-
અવતરણિકાર્ય :
ચરમ=છેલ્લા યોગાંગરૂપ, સમાધિને કહે છે
સૂત્ર :
तदेवार्थमात्रनिर्भासं स्वरूपशून्यमिव समाधिः ॥३-३॥
Page #34
--------------------------------------------------------------------------
________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૩ સૂત્રાર્થ :
અર્થમાણનો નિભસિ=કેવલ ધ્યેય પદાર્થની જ પ્રતીતિ કરાવવાવાળું, સ્વરૂપ શૂન્ય જેવું ચિત્તનું પોતાનું સ્વરૂપ પણ શૂન્ય ભાસે એવું, તે જ=ધ્યાન જ, સમાધિ છે. II3-31
ટીકા :
___ 'तदेवेति'-तदेवोक्तलक्षणं ध्यानं यत्रार्थमात्रनि समर्थाकारसमावेशादुद्भतार्थरूपं न्यग्भूतज्ञानस्वरूपत्वेन स्वरूपशून्यतामिवाऽऽपद्यते स समाधिरित्युच्यते, सम्यगाधीयत एकाग्रीक्रियते विक्षेपान् परिहृत्य मनो यत्र स समाधिः ॥३-३॥ ટીકાર્ય :
તવ.... સમાધિ: જેમાં જ્ઞાનના ઉપયોગમાં, અર્થાકારના સમાવેશને કારણે=ધ્યાનના વિષયભૂત એવા અર્થના આકારનો સમાવેશ થવાના કારણે, ઉદ્ભૂતઅર્થસ્વરૂપ અર્થમાત્રનો નિર્માસ, તે જ્ય કહેવાયેલા લક્ષણવાનું ધ્યાન જ, જગુભૂત ગૌણભૂત, જ્ઞાનસ્વરૂપપણાના કારણે સ્વરૂપશૂન્યતા જેવું પ્રાપ્ત થાય છે તે સમાધિ એ પ્રમાણે કહેવાય છે.
સમાધિશબ્દની વ્યુત્પત્તિ સ્પષ્ટ કરે છે – વિક્ષેપોનો પરિહાર કરીને મન જેમાં સમ્યમ્ આધીન કરાય છે એકાગ્ર કરાય છે, તે સમાધિ છે. |૩-૩||
ભાવાર્થ :
પાતંજલમતાનુસાર અષ્ટાંગયોગમાં આઠમા યોગાંગરૂપ સમાધિનું સ્વરૂપ :
યોગીઓ ઇન્દ્રિયોનો પ્રત્યાહાર પ્રાપ્ત કર્યા પછી ધ્યેયના વિષયમાં ચિત્તની ધારણા કરે છે, અને તે ધારણા કર્યા પછી તે ધ્યેયના વિષયમાં ચિત્ત એકાગ્ર બને છે ત્યારે ધ્યાન પ્રગટે છે અને ધ્યાન પ્રકર્ષવાળું થાય છે ત્યારે તે ધ્યાન જ સમાધિ બને છે.
સમાધિકાલીન ધ્યાન કેવું છે તે બતાવતાં કહે છે –ધ્યાનકાળમાં ‘યોગી પોતે ધ્યાતા છે, ધ્યાનનો વિષય એ ધ્યેય છે અને ધ્યેયનું હું ધ્યાન કરું છું એ પ્રકારે ઉપસ્થિતિ હોય છે. જયારે સમાધિકાળમાં અર્થના આકારનો સમાવેશ હોવાથી ધ્યેયના આકારનો સમાવેશ હોવાથી, ઉદ્ભૂતઅર્થરૂપ અર્થમાત્રનો નિર્માસ વર્તે છે. અર્થાત્ સ્પષ્ટ ધ્યેય એવા અર્થમાત્રનો નિર્માસ વર્તે છે અને તે વખતનું ધ્યાન
ભૂતજ્ઞાનસ્વરૂપ બને છે હું આ ધ્યેયનું ધ્યાન કરું છું એ ગૌણ બને છે, માત્ર ધ્યેયનું સ્વરૂપ જ ઉપસ્થિત હોય છે તેથી જ્ઞાનના સ્વરૂપની શૂન્યતાના જેવું તે જ્ઞાન પ્રાપ્ત થાય છે તેને સમાધિ કહે છે.
આશય એ છે કે, સામાન્યથી યોગીઓ પરમાત્માને ધ્યેય કરીને તેમાં ચિત્તને એકાગ્ર કરવા યત્ન કરે છે અને એકાગ્ર થયેલું ચિત્ત જયારે વર્તે છે ત્યારે યોગીને પ્રતીતિ હોય છે કે હું ધ્યાતા છું, આ
Page #35
--------------------------------------------------------------------------
________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૩-૪ પરમાત્મા ધ્યેય છે અને હું તેનું ધ્યાન કરું છું. આ પ્રકારની ઉપસ્થિતિવાળું એકાગ્ર ચિત્ત ધ્યાનકાળમાં વર્તે છે.
સમાધિકાળમાં ધ્યેય એવા પરમાત્માના આકારનો સમાવેશ થવાથી પરમાત્માના સ્વરૂપમાત્રનો નિર્માસ તે વખતે વર્તે છે, પરંતુ હું પરમાત્માનું ધ્યાન કરું છું એ પ્રકારનું જ્ઞાનનું સ્વરૂપ ગૌણ બની જાય છે. તે અપેક્ષાએ તે ધ્યાનનો ઉપયોગ જ્ઞાનના સ્વરૂપની શૂન્યતાના જેવો હોય છે. તેથી ધ્યાતા, ધ્યેય અને ધ્યાનરૂપ ત્રણની એકતાની પ્રાપ્તિરૂપ સમાધિ પ્રગટે છે.
સમાધિશબ્દની વ્યુત્પત્તિ બતાવે છે – ચિત્તના વિક્ષેપોનો પરિહાર કરીને જેમાં મન સમ્યગ એકાગ્ર કરાય તે સમાધિ કહેવાય. સમાધિવાળા ચિત્તમાં સર્વ વિક્ષેપોના પરિહારપૂર્વક ધ્યેયમાત્રનો નિર્ભાવ હોવાથી સમાધિનો અર્થ ત્યાં સંગત થાય છે. ll૩-all અવતરણિકા :
उक्तलक्षणस्य योगाङ्गत्रयस्य व्यवहाराय स्वशास्त्रे तान्त्रिकी सज्ञां कर्तुमाह - અવતરણિતાર્થ :
કહેવાયેલા લક્ષણવાળા=પાતંજલયોગસૂત્ર ૩-૧/૨/૩માં બતાવેલા લક્ષણવાળા, યોગાંગત્રયનાર ધારણા, ધ્યાન અને સમાધિરૂપ ત્રણ યોગાંગનો, વ્યવહાર કરવા માટે ત્રણેયનો એક સાથે એક્વાક્યતાથી ઉલ્લેખ કરવા માટે, સ્વશાસ્ત્રમાં પતંજલિરૂષિ પોતાના પાતંજલયોગદર્શનરૂપ શાસ્ત્રમાં, તાંત્રિકી સંજ્ઞાને કરવા માટે કહે છે – સૂત્ર :
त्रयमेकत्र संयमः ॥३-४।
સૂત્રાર્થ:
એકત્ર કોઈ એક ધ્યેયવિષય પદાર્થમાં ત્રણેનું ધારણા, ધ્યાન અને સમાધિરૂપ ત્રણેનું, એકી સાથે હોવું તે સંયમ છે. I3-૪ll ટીકા?
'त्रयमिति'-एकस्मिन् विषये धारणाध्यानसमाधित्रयं प्रवर्तमानं संयमसञया शास्त्रे વ્યવયિતે રૂ-૪
ટીકાઈ:
મિન્... વ્યક્તિ એકવિષયમાં પ્રવર્તમાન પ્રવર્તી રહેલા, ધારણા, ધ્યાન અને સમાધિત્રય સંયમસંજ્ઞાથી શાસ્ત્રમાં વ્યવહાર કરાય છે. ll૩-૪ll.
Page #36
--------------------------------------------------------------------------
________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૪-૫
ભાવાર્થ :
એકવિષયમાં પ્રવર્તમાન ધારણા, ધ્યાન અને સમાધિનો શાસ્ત્રમાં સંચમસંજ્ઞારૂપવ્યવહાર :
યમ, નિયમાદિના સેવનથી પ્રત્યાહાર સુધીની ભૂમિકાને પામેલા યોગીઓ સંસારના ઉચ્છદ અર્થે કોઈ ધ્યેયને લક્ષ કરીને પ્રથમ ભૂમિકામાં ચિત્તને ત્યાં સ્થાપન કરે છે. ત્યારપછી તેમાં એકાગ્રતાને પ્રાપ્ત કરે છે અને તે એકાગ્રતા પરાકાષ્ઠાને પ્રાપ્ત થાય ત્યારે સમાધિ પ્રાપ્ત થાય છે, તેથી એક ધ્યેયવિષયમાં ધારણા, ધ્યાન અને સમાધિ ક્રમસર પ્રવર્તી રહ્યા છે અને એક વિષયમાં ધારણાદિ ત્રણના પ્રવર્તને પ્રસ્તુત શાસ્ત્રમાં સંયમસંજ્ઞા તરીકે વ્યવહાર કરવામાં આવેલ છે. ૩-૪ll
અવતરણિકા :
तस्य फलमाह - અવતરણિકાર્ય :
તેના સંયમના, ફળને કહે છે –
સૂત્ર : તજ્ઞયાત્ પ્રજ્ઞાત્નિો: //રૂ
સૂત્રાર્થ :
તેના જયથી સંયમના જયથી, પ્રજ્ઞાલોક થાય છે. Il3-પી. ટીકા : ___ तदिति'-तस्य-संयमस्य जयाद्-अभ्यासेन सात्म्योत्पादनात्, प्रज्ञाया विवेकख्यातेरालोकः प्रसवो भवति, प्रज्ञाज्ञेयं सम्यगवभासयतीत्यर्थः ॥३-५॥ ટીકાર્ય :
તસ્ય તીત્યર્થ છે તેના=સંયમના, જ્યથી અભ્યાસ વડે સાભ્યના ઉત્પાદનથી=ધ્યેય પદાર્થની સાથે એકરૂપતાની પ્રાપ્તિ થવાથી, પ્રજ્ઞાનો વિવેકખ્યાતિનો, આલોકપ્રસવ, થાય છે અર્થાત્ વિવેકખ્યાતિની ઉત્પત્તિ થાય છે–પ્રજ્ઞાથી શેયનો સમ્યમ્ અવભાસ થાય છે અર્થાત્ સાધક્ની બુદ્ધિ જાણવા યોગ્ય પદાર્થને સમ્યમ્ રીતે પ્રકાશિત કરે છે. ll૩-પી
ભાવાર્થ :
ધારણા, ધ્યાન અને સમાધિરૂપ સંયમનું ફળ :
જે યોગીઓ ધ્યેયને લક્ષ કરીને પ્રથમ ધારણ કરે છે, તે ધારણના વિષયમાં ચિત્ત સ્થિર થાય છે ત્યારે ધ્યાન પ્રગટે છે અને તે ધ્યાન પ્રકર્ષવાળું થાય છે ત્યારે સમાધિ પ્રગટે છે, આ રીતે ધારણા,
Page #37
--------------------------------------------------------------------------
________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૫-૬ ધ્યાન અને સમાધિમાં યત્ન કરીને વારંવાર તે ત્રણેયને સુઅભ્યસ્ત કરવા યોગી પ્રયત્ન કરે છે અને અભ્યાસથી તે ત્રણેય સાત્મ્યભાવને=એકરૂપતાને, પામે ત્યારે યોગીને વિવેકખ્યાતિરૂપ પ્રજ્ઞાનો પ્રસવ=ઉત્પત્તિ થાય છે.
વિવેકખ્યાતિરૂપ પ્રજ્ઞા યોગીને પ્રગટે છે તે કેવી છે તે સ્પષ્ટ કરે છે
વિવેકખ્યાતિરૂપ પ્રજ્ઞાથી જ્ઞેય એવા પદાર્થો સમ્યગ્ ભાસે છે. આશય એ છે કે, યોગી માટે પ્રજ્ઞાથી જ્ઞેય આ ભવપ્રપંચથી ભિન્ન એવો પોતાનો આત્મા છે અને પોતે આ સર્વથી ભિન્ન છે એવી વિશેષ પ્રકારના જ્ઞાનરૂપ વિવેકખ્યાતિ=ભેદજ્ઞાન, યોગીને થાય છે તે પ્રજ્ઞાલોક છે અને આ ભેદજ્ઞાનના પ્રકર્ષથી જૈનદર્શનની પ્રક્રિયા પ્રમાણે ક્ષપકશ્રેણિ પ્રગટે છે; કેમ કે જૈનદર્શનની પ્રક્રિયા પ્રમાણે પ્રજ્ઞાલોક એટલે પ્રાતિભજ્ઞાન, આ પ્રાતિભજ્ઞાનથી ક્ષપકશ્રેણિ પ્રાપ્ત થાય છે. II૩-૫ા
અવતરણિકા :
तस्योपयोगमाह
અવતરણિકાર્ય :
તેના=સંયમના, ઉપયોગને કહે છે અર્થાત્ ક્યા મથી સંયમને યોગી સેવે છે તે સ્પષ્ટ કરે છે
સૂત્ર ઃ
तस्य भूमिषु विनियोगः ॥ ३-६ ॥
સૂત્રાર્થ :
તેનો=સંયમનો, ભૂમિમાં વિનિયોગ કરવો જોઈએ. ||૩-૬।।
―
ટીકા :
'तस्येति'- तस्य= संयमस्य, भूमिषु = स्थूलसूक्ष्मालम्बनभेदेन स्थितासु चित्तवृत्तिषु, विनियोगः कर्तव्यः, अधरामधरां चित्तभूमिं जितां जितां ज्ञात्वोत्तरस्यां भूमौ संयमः कार्यः, न ह्यनात्मीकृताधरभूमिरुत्तरस्यां भूमौ संयमं कुर्वाणः फलभाग् भवति ॥३६॥
ટીકાર્ય :
तस्य મતિ । તેનો-સંયમનો, સ્થૂલ અને સૂક્ષ્મ આલંબનના ભેદથી સ્થિત એવી ચિત્તવૃત્તિરૂપ ભૂમિમાં વિનિયોગ કરવો જોઈએ.
વિનિયોગને સ્પષ્ટ કરે છે
નીચે નીચેની ચિત્તભૂમિ જીતી છે, જીતી છે એમ જાણીને ઉત્તરની ભૂમિમાં સંયમ કરવો જોઈએ,
......
Page #38
--------------------------------------------------------------------------
________________
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૬-૦ જે કરણથી નીચેની ભૂમિને સાત્મીકૃત કર્યા વગર ઉત્તરની ભૂમિમાં સંયમ કરતા યોગી ફળને પામતા નથી. ||૩-૬IL.
ભાવાર્થ :
ધારણા, ધ્યાન અને સમાધિરૂપ સંયમનો ઉપયોગ :
સાધક એવા યોગીઓ પ્રત્યાહારને પ્રાપ્ત કર્યા પછી પ્રથમ નીચલી ભૂમિકાના સ્થૂલ આલંબનને ગ્રહણ કરીને ચિત્તને તે ધ્યેયમાં સ્થાપન કરે છે જે ધારણારૂપ બને ત્યારપછી તેમાં એકાગ્ર બને અને ત્યારપછી સમાધિને પામે છે – આ રીતે પ્રથમ ભૂમિકામાં યત્ન કર્યા પછી ફરી ફરી તે ભૂમિકાને સેવીને આત્મસાત્ કરે છે અને જ્યારે પ્રથમ ભૂમિકા યોગીઓને સુઅભ્યસ્ત થાય અને જણાય કે સહજ યત્નથી પોતે તે ભૂમિકામાં સ્થિર રહી શકે છે. ત્યારપછી સૂક્ષ્મ આલંબનવાળી ઉત્તરની ભૂમિકામાં યોગી યત્ન કરે તો ક્રમસર જે ચાર ગુણપર્વસ્થાનો પૂર્વમાં બતાવેલા એમાં યત્ન કરીને સંયમ દ્વારા યોગી પ્રજ્ઞાલોકને પ્રાપ્ત કરી શકે છે, પરંતુ જે યોગી પૂર્વની ભૂમિકાને કાંઈક સેવીને સુઅભ્યસ્ત કર્યા વગર ઉત્તરની ભૂમિકામાં યત્ન કરે છે તે યોગી પૂર્વભૂમિકામાં વિશેષ રીતે સંપન્ન નહિ હોવાથી ઉત્તરની ભૂમિકાને સેવી શકતા નથી, તેથી તેના ફળની પ્રાપ્તિ કરી શકતા નથી. II3-II
અવતરણિકા :
साधनपादे योगाङ्गान्यष्टावुद्दिश्य पञ्चानां लक्षणं विधाय त्रयाणां कथं न कृतमित्याશાડ૬ – અવતરણિતાર્થ :
બીજા સાધનપાદમાં આઠ યોગાંગને ઉદ્દેશ કરીને પાંચનું લક્ષણ કરીને પાછળના ત્રણ યોગાંગનું લક્ષણ કેમ ન કર્યું ? એ પ્રકારની આશંકામાં પતંજલિઋષિ કહે છે – સૂત્ર :
त्रयमन्तरङ्गं पूर्वेभ्यः ॥३-७॥
સૂત્રાર્થ :
પૂર્વથી પૂર્વના પાંચ યોગાંગોથી, ત્રણ યોગાંગો અંતરંગ છે. Il3-9ણા ટીકા :
'त्रयमिति'-पूर्वेभ्यो यमादिभ्यो योगाङ्गेभ्यः, पारम्पर्येण समाधेरूपकारकेभ्यो धारणादियोगाङ्गत्रयमन्तरङ्ग, सम्प्रज्ञातस्य समाधिरूपनिष्पादनात् ॥३-७॥
Page #39
--------------------------------------------------------------------------
________________
૧૦
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૭-૮ ટીકાર્ય :
પૂર્વેગો .... નિપ્પાનાન્ | પરંપરથી સમાધિના ઉપકારક એવા પૂર્વના યોગાંગોથી યમાદિ પાંચ યોગાંગોથી, ધારણાદિ ત્રણ યોગાંગ અંતરંગ છે; કેમ કે સંપ્રજ્ઞાતનું સમાધિરૂપે નિષ્પાદન છે. ll૩-૭ll ભાવાર્થ : ચમાદિ પાંચ ચોગાંગોથી ધારણાદિ ત્રણ યોગાંગ અંતરંગ હોવાનું કારણ :
પાતંજલયોગસૂત્રના બીજા સાધનપાદમાં યોગના આઠ અંગો બતાવ્યા, તેથી સામાન્યથી જણાય કે યોગના આઠ અંગો યોગના સાધન છે. આમ છતાં સાધનપાદમાં યમાદિ પાંચ યોગાંગોનું લક્ષણ બતાવ્યા પછી પાછળના ધારણાદિ ત્રણ યોગાંગોને વિભૂતિપાદમાં કેમ લીધા ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
ધારણા, ધ્યાન અને સમાધિ આત્માની અંતરંગ વિભૂતિ છે, તેથી તે ત્રણ વિભૂતિપાદમાં ગ્રહણ કરેલ છે અને તે સ્પષ્ટ કરવા માટે રાજમાર્તડકાર કહે છે –
યમાદિ પાંચ યોગાંગો પરંપરાએ સમાધિના ઉપકારક છે; કેમ કે યમથી માંડીને પ્રત્યાહાર નામના યોગાંગ સુધી ઇન્દ્રિયોના વિષયોથી આત્માને વિમુખ કરવાનો યત્ન છે, તે રીતે આત્મા વિમુખ થયા પછી આત્મા સુખપૂર્વક સમાધિમાં જઈ શકે છે, તેથી યમાદિ પાંચ યોગાંગો સમાધિમાં પરંપરાએ ઉપકારક છે અને ધારણાદિ ત્રણ યોગાંગો દ્વારા યોગી સમુ=સમ્યગુ, પ્ર=પ્રકર્ષ, જ્ઞાત જ્ઞાન, તે રૂપ સંપ્રજ્ઞાતને સમાધિરૂપે નિષ્પાદન કરી શકે છે જે પોતાને યથાર્થ જ્ઞાન છે તે જ્ઞાનને ધારણાદિ ત્રણ યોગાંગો દ્વારા સમાધિરૂપે નિષ્પન્ન કરે છે તેથી યોગીનું સમ્યગ્રજ્ઞાન સમાધિરૂપે થવામાં કારણ તરીકે ધારણાદિ ત્રણ યોગાંગો છે, માટે તે ત્રણ યોગાંગો જીવના અંતરંગ વ્યાપારરૂપ છે અર્થાત્ સમાધિ પ્રત્યે સાક્ષાત્ કારણરૂપ છે. માટે ધારણાદિ ત્રણ યોગાંગોને વિભૂતિપાદમાં ગ્રહણ કરેલ છે; કેમ કે આત્માની સમાધિરૂપ વિભૂતિ પ્રત્યે તે ત્રણેય સાક્ષાત્ કારણ છે. ll૩-oll અવતરણિકા :
तस्यापि समाध्यन्तरापेक्षया बहिरङ्गत्वमाह - અવતરણિતાર્થ :
તેનું પણ=ધારણા, ધ્યાન અને સમાધિરૂપ સંયમનું પણ, અન્ય સમાધિની અપેક્ષાએ બહિરંગપણું બતાવે છે – સૂત્ર:
तदपि बहिरङ्ग निर्बीजस्य ॥३-८॥
Page #40
--------------------------------------------------------------------------
________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૮-૯ સૂત્રાર્થ :
નિર્બીજનું=નિર્બેજ સમાધિનું, તે પણ ધારણાદિ ત્રણ પણ બહિરંગ છે. Il3-૮ ટીકા :
'तदपीति'-बहिरङ्गं निर्बीजस्य-निर्बीजस्य निरालम्बनस्य शून्यभावनापरपर्यायस्य, समाधेरेतदपि योगाङ्गात्रयं बहिरङ्ग, पारम्पर्येणोपकारकत्वात् ॥३-८॥ ટીકાર્ય :
નિર્વાની ... ૩૫%ારત્ નિર્બીજનું બહિરંગ છે અર્થાત્ નિર્બીજનું=શૂન્યભાવના છે અપરપર્યાય જેમનો એવી નિરાલંબન સમાધિનું, આ પણ યોગાંગત્રય ધારણા, ધ્યાન અને સમાધિરૂપ યોગાંગત્રય, બહિરંગ છે; કેમ કે પરંપરાથી ઉપકારકપણું છે. l૩-૮ ભાવાર્થ : ધારણા, ધ્યાન અને સમાધિરૂપ ત્રણ ચોગાંગો નિબજસમાધિના બહિરંગ :
પાતંજલ યોગસૂત્ર ૧-૫૧માં નિર્બેજસમાધિનું સ્વરૂપ બતાવ્યું એ પ્રમાણે નિર્બેજસમાધિ અસંમજ્ઞાતસમાધિ છે અને સંપ્રજ્ઞાતસમાધિમાં બાહ્યપદાર્થોને આલંબન કરીને સમાધિમાં યત્ન વર્તે છે. જયારે નિર્બીજ સમાધિમાં બાહ્ય પદાર્થોનું આલંબન લઈને યત્ન કરાતો નથી પરંતુ નેતિ નેતિ' એ પ્રકારે ઉલ્લેખથી શૂન્યભાવનાવાળી નિર્બીજ સમાધિ છે, તેથી શૂન્યભાવના એ નિર્બેજસમાધિનું અપર બીજું, નામ છે.
ધારણા, ધ્યાન અને સમાધિરૂપ છેલ્લા ત્રણ યોગાંગો નિર્બેજસમાધિ પ્રત્યે સાક્ષાત્ કારણ નથી, પરંતુ સબીજ એવી સંપ્રજ્ઞાતસમાધિ પ્રત્યે ધારણા, ધ્યાન અને સમાધિરૂપ છેલ્લા ત્રણ યોગાંગો સાક્ષાત્ કારણ છે. જે પરંપરાએ કારણ હોય તે બહિરંગ કારણ કહેવાય એ પ્રકારના નિયમ અનુસાર નિર્બેજસમાધિ પ્રત્યે ધારણાદિ ત્રણ યોગાંગો બહિરંગ કારણ છે, પરંતુ સંપ્રજ્ઞાતસમાધિ પ્રત્યે સાક્ષાત્ કારણ હોવાથી તે ત્રણેને વિભૂતિપાદમાં ગ્રહણ કરેલ છે, માટે સૂત્ર ૩-૭માં ધારણાદિ ત્રણેને અંતરંગ કહેલ છે. II3-૮ અવતરણિકા :
इदानीं योगसिद्धीराख्यातुकामः संयमस्य विषयपरिशुद्धि कर्तुं क्रमेण परिणामत्रयमाहઅવતરણિકાર્ય :
હવે યોગની સિદ્ધિને કહેવાની કામનાવાળા સૂત્રકાર સંયમના વિષયની પરિશુદ્ધિને કરવા માટે અર્થાત્ ધારણા, ધ્યાન અને સમાધિરૂપ સંયમના વિષયભૂત એવા ધ્યેયની પરિશુદ્ધિ કરવા માટે, ક્રમસર ત્રણ પરિણામને કહે છે–પ્રસ્તુત સૂત્રમાં વિરોધ પરિણામને, સૂત્ર ૩-૧૧માં સમાધિપરિણામને અને સૂત્ર ૩-૧૨માં એકાગ્રતાપરિણામને કહે છે –
Page #41
--------------------------------------------------------------------------
________________
૧૨
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૯
ભાવાર્થ :
પાતંજલયોગસૂત્ર ૩-૪માં ધારણા, ધ્યાન અને સમાધિ એ ત્રણ એક વિષયમાં પ્રવર્તતા હોય તો સંયમરૂપ છે તેમ બતાવ્યું. હવે તે સંયમ કરવાથી યોગીને અનેક પ્રકારની સિદ્ધિઓ થાય છે તે બતાવવાની કામનાવાળા સૂત્રકાર યોગની સિદ્ધિની પ્રાપ્તિમાં સંયમના વિષયની પરિશુદ્ધિ કારણ હોવાથી સંયમના વિષયની પરિશુદ્ધિ કરવા માટે ક્રમથી ત્રણ પરિણામોનો બતાવે છે અર્થાત્ યોગી આ ત્રણ પરિણામમાં સમ્યગ યત્ન કરે તો સંયમના વિષયની પરિશુદ્ધિ થાય અને તેનાથી યોગીને યોગની સિદ્ધિ થાય છે તે બતાવવા માટે કહે છે. સૂત્રઃ
व्युत्थाननिरोधसंस्कारयोरभिभवप्रादुर्भावौ निरोधक्षणचित्तान्वयो निरोध
પરિUTH: Il૩-૧ સૂત્રાર્થ:
વ્યુત્થાનના સંસ્કારનો અભિભવ અને નિરોધના સંસ્કારનો પ્રાદુર્ભાવ અને નિરોધક્ષણમાં ચિત્તનો અન્વય નિરોધપરિણામ છે. l/3-ell.
ટીકા?
'व्युत्थानेति'-व्युत्थानं क्षिप्तमूढविक्षिप्ताख्यं भूमित्रयम्, निरोधः प्रकृष्टसत्त्वस्याङ्गितया चेतसः परिणामः, ताभ्यां व्युत्थाननिरोधाभ्यां यौ जनितौ संस्कारौ तयोर्यथाक्रममभिभवप्रादुर्भावौ यदा भवतः, अभिभवो न्यग्भूततया कार्यकरणासामर्थ्येनावस्थानम्, प्रादुर्भावो वर्तमानेऽध्वनि अभिव्यक्तरूपतयाऽऽविर्भावः, तदा निरोधक्षणे चित्तस्योभयवृत्तित्वादन्वयो यः स निरोधपरिणाम उच्यते । अयमर्थः-यदा व्युत्थानसंस्काररूपो धर्मस्तिरोभूतो भवति, निरोधसंस्काररूपश्चाऽऽविर्भवति, धर्मिरूपतया च चित्तमभयान्वयित्वेऽपि निरोधात्मनाऽवस्थितं प्रतीयते, तदा स निरोधपरिणामशब्देन व्यवहियते, चलत्वाद् गुणवृत्तस्य यद्यपि चेतसो निश्चलत्वं नास्ति तथाऽपि एवम्भूतः परिणामः स्थैर्यमुच्यते ॥३-९॥ ટીકાર્ય :
વ્યુત્થાનં ૩વ્યતે II ક્ષિપ્ત, મૂઢ અને વિક્ષિપ્ત નામની ત્રણ ભૂમિ વ્યુત્થાન છે, પ્રકૃષ્ટ સત્ત્વના અંગિપણાથી ચિત્તનો પરિણામ નિરોધ છે. તે બે દ્વારા=વ્યુત્થાન અને નિરોધ દ્વારા, જે જાનિત સંસ્કાર, તે બેનો=વ્યુત્થાનના સંસ્કારનો અને નિરોધના સંસ્કારનો, યથાક્રમ અભિભવ અને પ્રાદુર્ભાવ જ્યારે થાય છે ત્યારે નિરોધક્ષણમાં ચિત્તનો ઉભયવૃત્તિપણાને કારણે જે અન્વય છે તે નિરોધ પરિણામ કહેવાય છે.
Page #42
--------------------------------------------------------------------------
________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ / સૂત્ર-૯
અભિભવ શું છે ? તે સ્પષ્ટ કરે છે
ન્યભૂતપણાના કારણે=ગૌણપણાના કારણે, કાર્યકરણના અસામર્થ્યથી અવસ્થાન તે અભિભવ છે.
પ્રાદુર્ભાવ શું છે ? તે સ્પષ્ટ કરે છે
વર્તમાન માર્ગમાં=વર્તમાન ક્ષણમાં, અભિવ્યક્તરૂપપણાથી આવિર્ભાવ તે પ્રાદુર્ભાવ છે. સૂત્રના કથનથી શું અર્થ પ્રાપ્ત થાય છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે
ઞયમર્થ: આ અર્થ છે-સૂત્રનો આ અર્થ છે
થયા ..... ઉદ્યતે । જ્યારે વ્યુત્થાનના સંસ્કારરૂપ ધર્મ તિરોભૂત થાય છે, અને નિરોધના સંસ્કારરૂપ ધર્મ આવિર્ભાવ પામે છે અને ધર્મારૂપપણાથી ચિત્તનું ઉભયમાં અન્વયિપણું હોવા છતાં પણ નિરોધ સ્વરૂપે અવસ્થિત પ્રતીત થાય છે ત્યારે તે નિરોધપરિણામ શબ્દથી વ્યવહાર કરાય છે. જો કે ગુણવૃત્તનું ચલપણું હોવાથી ચિત્તનું નિશ્ચલપણું નથી તોપણ આવા પ્રકારનો પરિણામ સ્વૈર્ય વ્હેવાય છે અર્થાત્ વ્યુત્થાનના સંસ્કારો તિરોભૂત હોય અને નિરોધના સંસ્કારો આવિર્ભૂત હોય તેવા પ્રકારનો
પરિણામ સ્થિરતા કહેવાય છે. II3-૯||
ભાવાર્થ :
(૧) નિરોધપરિણામનું સ્વરૂપ :
સંસારી જીવોનું ચિત્ત સામાન્યથી ક્ષિપ્ત, મૂઢ અને વિક્ષિપ્ત ત્રણ ભૂમિઓમાં વર્તે છે, તે જીવની વ્યુત્થાનદશા છે. ચિત્તમાં પ્રકૃષ્ટ સત્ત્વ પ્રગટ થાય છે ત્યારે ચિત્ત નિરોધ પામે છે અર્થાત્ જીવમાં વર્તતું પ્રકૃષ્ટ સત્ત્વ આવિર્ભાવ થાય છે ત્યારે ચિત્ત નિરોધ પામે છે અને નિરોધ પૂર્વે આત્મા ઉપર વ્યુત્થાનના સંસ્કારો વર્તતા હતા અને નિરોધ વખતે આત્મામાં નિરોધના સંસ્કારો વર્તે છે.
=
૧૩
જે યોગી પોતાનામાં વર્તતા વ્યુત્થાનના સંસ્કારોનો અભિભવ કરે અને નિરોધના સંસ્કારોનો પ્રાદુર્ભાવ કરે ત્યારે તે યોગીમાં નિરોધનો પરિણામ પ્રવર્તે છે.
વ્યુત્થાનના સંસ્કારોનો અભિભવ યોગી કરે છે એમ કહ્યું તેનો અર્થ સ્પષ્ટ કરે છે
પૂર્વમાં જે વ્યુત્થાનદશાના સંસ્કારો પડેલા તેને તિરોધાન કરવાથી તે સંસ્કારો કાર્ય કરવા માટે અસામર્થ્યવાળા થઈને રહે છે તે વ્યુત્થાનના સંસ્કારનો અભિભવ છે.
નિરોધના સંસ્કારોનો પ્રાદુર્ભાવ યોગી કરે છે એમ કહ્યું તેનો અર્થ સ્પષ્ટ કરે છે નિરોધના સંસ્કારો વર્તમાનક્ષણમાં અભિવ્યક્તરૂપે વર્તતા હોવાથી નિરોધના સંસ્કારોનો પ્રાદુર્ભાવ છે. જ્યારે વ્યુત્થાનના સંસ્કારો અભિભવ પામે અને નિરોધના સંસ્કારો પ્રાદુર્ભાવ પામે ત્યારે યોગીનું ચિત્ત વ્યુત્થાનના સંસ્કારોના અભિભવરૂપ અને નિરોધના સંસ્કારોના પ્રાદુર્ભાવરૂપ ઉભયમાં વર્તે છે તેથી ચિત્તનો અન્વય પ્રાપ્ત થાય છે અર્થાત્ યોગીનું ચિત્ત વ્યુત્થાનના સંસ્કારોના અભિભવરૂપ અને નિરોધના સંસ્કારના પ્રાદુર્ભાવરૂપ ઉભયમાં અનુગત પ્રતીત થાય છે તે નિરોધપરિણામ કહેવાય છે.
―
Page #43
--------------------------------------------------------------------------
________________
૧૪
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૯-૧૦ જો કે ચિત્ત રાજસ, તામસ અને સત્ત્વગુણવૃત્તિઓવાળું છે, તે ગુણવૃત્તિઓ ચલ છે, તેથી ચિત્ત સ્થિર નથી તોપણ યોગી ધારણા, ધ્યાન અને સમાધિરૂપ સંયમમાં યત્ન કરીને વ્યુત્થાનના સંસ્કારોને તિરોધાન કરે અને નિરોધના સંસ્કારોને આવિર્ભાવ કરે ત્યારે તે યોગીના ચિત્તનો પરિણામ સ્થિર છે તેમ કહેવાય છે. વિશેષાર્થ :
જૈનદર્શનની પ્રક્રિયા અનુસાર કેવલજ્ઞાન અવસ્થામાં ચિત્ત સંપૂર્ણ નિરુદ્ધ છે, તેથી કેવલી ચિત્તના વ્યાપારથી કોઈ બોધ કરતાં નથી અને તેની પૂર્વે જે ચિત્ત છે, તે મનોવર્ગણાની દ્રવ્યને ગ્રહણ કરીને મનરૂપે પરિણમન પમાડવાને અનુકૂળ વ્યાપારવાળું છેતેથી તે ચિત્ત ચલ અવસ્થાવાળું છે, આમ છતાં ચલ અવસ્થાવાળા પણ તે ચિત્તને જે યોગી સંયમમાં દઢ યત્ન કરીને વ્યુત્થાનના સંસ્કારોથી પ્રવર્તતા ચિત્તનો અભિભવ કરે છે અને ધારણા, ધ્યાન અને સમાધિ દ્વારા ચિત્તને એક વિષયમાં સ્થાપન કરીને નિરોધના સંસ્કારોનો આવિર્ભાવ કરે છે તે વખતે કેવલીની જેમ તેમનું ચિત્ત સંપૂર્ણ નિરુદ્ધ નથી તોપણ પોતાના ધ્યેય ઉપર સ્થાપન કરીને સ્થિરભાવવાળું ચિત્ત પ્રવર્તે છે તે ચિત્તનો નિરોધનો પરિણામ છે એમ કહેવાય છે. ll૩-૯ અવતરણિકા :
तस्यैव फलमाह - અવતરણિકાર્ય :
તેના નિરોધ પરિણામના જ, ફળને કહે છે –
સૂત્ર :
तस्य प्रशान्तवाहिता संस्कारात् ॥३-१०॥ સૂત્રાર્થ :
તેના ચિત્તના વિરોધના, સંકારથી પ્રશાંતવાહિતા થાય છે. II3-૧૦ll ટીકા :
'तस्येति'-तस्य-चेतस उक्तान्निरोधसंस्कारात् प्रशान्तवाहिता भवति, परिहृतविक्षेपतया सदृशप्रवाहपरिणामि चित्तं भवतीत्यर्थः ॥३-१०॥ ટીકાર્ય :
તસ્ય.....રૂત્યર્થ: તેના ચિત્તના, પાતંજલયોગસૂત્ર ૩-૯માં કહેવાયેલા એવા નિરોધના સંસ્કારથી પ્રશાંતવાહિતા થાય છે અર્થાત પરિહતવિક્ષેપ પણાના કારણે વિક્ષેપનો ત્યાગ કરેલ હોવાથી, સદેશપ્રવાહના પરિણામવાનું ચિત્ત થાય છે. ll૩-૧૦||
Page #44
--------------------------------------------------------------------------
________________
૧૫
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૧૦-૧૧ ભાવાર્થ : નિરોધપરિણામનું ફળ :
જે યોગીઓ વ્યુત્થાનના સંસ્કારોનો અભિભવ કરીને નિરોધને સંસ્કારોનો પ્રાદુર્ભાવ થાય તેવો યત્ન કરે છે તેવા યોગીઓનું ચિત્ત પ્રશાંતવાહિતાવાળું બને છે અર્થાત્ બાહ્ય પદાર્થોના વિક્ષેપો તેમના ચિત્તમાં વર્તતા નહિ હોવાથી લક્ષ્યરૂપે સ્થાપન કરાયેલા ધ્યેયના ભાવોને સ્પર્શે તેવા સદેશપરિણામના પ્રવાહવાળું તેમનું ચિત્ત બને છે. l૩-૧૦ની અવતરણિકા:
निरोधपरिणाममभिधाय समाधिपरिणाममाह - અવતરણિકાર્ય :
નિરોધના પરિણામને કહીને સમાધિના પરિણામને કહે છે – ભાવાર્થ :
પાતંજલયોગસૂત્ર ૩-૯ની અવતરણિકામાં કહેલ કે, સંયમના વિષયની પરિશુદ્ધિ કરવા માટે ક્રમસર ત્રણ પરિણામોને કહે છે. તેમાં પહેલાં નિરોધના પરિણામને કહીને હવે બીજા સમાધિના પરિણામને પતંજલિઋષિ કહે છે. સૂત્ર :
सर्वार्थेकाग्रतयोः क्षयोदयौ चित्तस्य ततः पुनः समाधिपरिणामः ॥३-११॥ સૂત્રાર્થ :
વળી ત્યારપછી=ચિત્તનો નિરોઘપરિણામ પ્રગટ થયા પછી, સર્વાર્થતાનો ક્ષય અને એકાગ્રતાનો ઉદય ચિત્તનો સમાધિપરિણામ છે. Il3-૧૧|| ટીકા :
'सर्वार्थेति'-सर्वार्थता चलत्वान्नानाविधार्थग्रहणं चित्तस्य विक्षेपो धर्मः, एकस्मिन्नेवाऽऽलम्बने सदृशपरिणामितैकाग्रता, साऽपि चित्तस्य धर्मः, तयोर्यथाक्रमं क्षयोदयौ सर्वार्थतालक्षणस्य धर्मस्य क्षयोऽत्यन्ताभिभव एकाग्रतालक्षणस्य धर्मस्य प्रादुर्भावोऽभिव्यक्तिश्चित्तस्योद्रिक्तसत्त्वस्यान्वयितयाऽवस्थानं समाधिपरिणाम इत्युच्यते, पूर्वस्मात् परिणामादस्यायं विशेषः-तत्र संस्कारलक्षणयोर्धर्मयोरभिभवप्रादुर्भावौ पूर्वस्य व्युत्थानसंस्काररूपस्य न्यग्भावः, उत्तरस्य निरोधसंस्काररूपस्योद्भवोऽनभिभूतत्वेनावस्थानम्, इह
Page #45
--------------------------------------------------------------------------
________________
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૧૧ तु क्षयोदयाविति सर्वार्थतारूपस्य विक्षेपस्यात्यन्ततिरस्कारादनुत्पत्तिरतीतेऽध्वनि प्रवेशः क्षय एकाग्रतालक्षणस्य धर्मस्योद्भवो वर्तमानेऽध्वनि प्रकटत्वम् ॥३-११॥ ટીકા: | સર્વાર્થતા ફેન્યુચ્યતે | ચલપણું હોવાના કારણે નાના પ્રકારના=વિવિધ પ્રકારના, અર્થને ગ્રહણ કરનાર ચિત્તનો વિક્ષેપ ધર્મ સર્વાર્થતા છે, એક જ આલંબનમાં સદેશ પરિણામિકા એકાગ્રતા છે તે પણ ચિત્તનો ધર્મ છે, તે બેનો સર્વાર્થતા અને એકાગ્રતારૂપ તે બેનો, યથાક્રમ ક્ષય અને ઉદય-સર્વાર્થતા સ્વરૂપ ધર્મનો ક્ષય અત્યંત અભિભવ, અને એકાગ્રતાસ્વરૂપ ધર્મનો પ્રાદુર્ભાવ અભિવ્યક્તિ, અને ઉદ્રિક્ત સત્ત્વવાળા સત્ત્વગુણવિશિષ્ટ એવા, ચિત્તનું અન્વયિપણાથી અવસ્થાન, તે સમાધિ પરિણામ એ પ્રમાણે કહેવાય છે.
પૂર્વમાન્ ....વિશેષ:- પૂર્વના પરિણામથી નિરોધના પરિણામથી, આમનો સમાધિપરિણામનો, આ વિશેષરભેદ, છે – તત્ર.
પ્રવક્ ત્યાં નિરોધમાં, સંસ્કારસ્વરૂપ બે ધર્મોનો=વ્યુત્થાનના સંસ્કાર અને નિરોધના સંસ્કાર સ્વરૂપ બે ધર્મોનો, અભિભવ અને પ્રાદુર્ભાવ છે વ્યુત્થાન સંસ્કારરૂપે પૂર્વનો ન્યભાવ=તિરોધાન છે અને નિરોધસંસ્કારરૂપ ઉત્તરનો ઉદ્દભવ છે અનભિભૂતપણાથી અવસ્થાન છે. વળી અહીં સમાધિપરિણામમાં ક્ષય અને ઉદય છે સર્વાર્થતારૂપ વિક્ષેપનો અત્યંત તિરસ્કાર હોવાથી અનુત્પત્તિ છે અર્થાત્ અતીત અધ્વમાં-માર્ગમાં, પ્રવેશરૂપ ક્ષય છે અને એકાગ્રતાસ્વરૂપ ધર્મનો ઉદ્દભવ છે અર્થાત્ વર્તમાન અધ્વમાં માર્ગમાં, પ્રકટપણું છે. ll૩-૧૧II ભાવાર્થ : (૨) સમાધિપરિણામનું સ્વરૂપ :
યોગમાર્ગની સાધનામાં પ્રયત્નશીલ યોગી પ્રથમ ભૂમિકામાં સંયમના બળથી ચિત્તનો નિરોધ પરિણામ કરે છે. ત્યારપછી સમાધિનો પરિણામ કરે છે. - સમાધિના પરિણામમાં ચિત્તની સર્વાર્થતાનો ક્ષય થાય છે અને એકાગ્રતાનો પ્રાદુર્ભાવ થાય છે. સમાધિપરિણામ વખતે ચિત્તની સર્વાર્થતાનો ક્ષય થાય છે એમ કહ્યું ત્યાં ચિત્તની સર્વાર્થતા શું છે? તે સ્પષ્ટ કરે છે –
સંસારી જીવોનું ચિત્ત ચલ છે, તેથી જુદા જુદા અર્થોને ગ્રહણ કરે છે માટે તેમના ચિત્તમાં વિક્ષેપ વર્તે છે. ચિત્તનો વિક્ષેપ ધર્મ એ સર્વાર્થતા છે=સર્વ અર્થોને ગ્રહણ કરવામાં પ્રવૃત્ત ચિત્તમાં સર્વાર્થતા ધર્મ છે. સમાધિ પરિણામમાં સર્વાર્થતાનો ક્ષય થાય છે.
સમાધિપરિણામ વખતે ચિત્તની એકાગ્રતાનો પ્રાદુર્ભાવ થાય છે એમ કહ્યું ત્યાં ચિત્તની એકાગ્રતા શું છે? તે સ્પષ્ટ કરે છે –
Page #46
--------------------------------------------------------------------------
________________
૧o
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૧૧-૧૨
ધ્યાનના કોઈ એક આલંબનમાં સદશ પરિણામિતા તે ચિત્તની એકાગ્રતા છે અને આ એકાગ્રતા ચિત્તનો ધર્મ છે. સમાધિપરિણામમાં એકાગ્રતાનો પ્રાદુર્ભાવ થાય છે
સાધના માટે પ્રવૃત્ત યોગી સર્વાર્થતાનો ક્ષય કરીને આલંબનીભૂત કોઈ એક વિષયમાં સંદેશ પરિણામનો પ્રવાહ ચાલે તે પ્રકારે ચિત્તને પ્રવર્તાવે ત્યારે તે યોગીમાં સમાધિનો પરિણામ પ્રગટ થાય છે. નિરોધના પરિણામ કરતાં સમાધિના પરિણામમાં વિશેષતા :
અહીં પ્રશ્ન થાય કે, નિરોધના પરિણામમાં વ્યુત્થાનના સંસ્કારોનો અભિભવ હતો અને નિરોધના સંસ્કારોનો પ્રાદુર્ભાવ હતો અને સમાધિના પરિણામમાં પણ સર્વાર્થતાનો ક્ષય છે, તેથી વ્યુત્થાનના સંસ્કારો પ્રવર્તતા નથી અને એકાગ્રતાનો ઉદય છે, તેથી નિરોધના સંસ્કારોનો પ્રાદુર્ભાવ છે માટે નિરોધના પરિણામ કરતા સમાધિના પરિણામમાં શું ભેદ છે? તેનું સમાધાન કરતાં રાજમાર્તડ ટીકાકાર કહે છે –
નિરોધના પરિણામમાં વ્યુત્થાનના સંસ્કારોનો અભિભવ છે, ક્ષય નથી અને નિરોધના સંસ્કારોનો પ્રાદુર્ભાવ છે, તેથી નિરોધકાળમાં એકાગ્રતાનો પરિણામ વર્તે છે તોપણ વ્યુત્થાનના સંસ્કારોથી તે યોગીને પાત થવાનો ભય રહે છે; કેમ કે વર્તમાનમાં વ્યુત્થાનના સંસ્કારોનો અભિભવ હોવા છતાં ક્ષય થયેલ નથી અને સમાધિના પરિણામમાં વ્યસ્થાનના સંસ્કારોનો સર્વથા નાશ થયેલ હોવાથી સર્વ અર્થને ગ્રહણ કરે તેવી સર્વાર્થતા તે યોગીને ક્યારેય પ્રગટ થતી નથી. ll૩-૧૧| અવતરણિકા:
तृतीयमेकाग्रतापरिणाममाह - અવતરણિકાર્ય :
ત્રીજા એકાગ્રતાના પરિણામને કહે છે – ભાવાર્થ :
પાતંજલ યોગસૂત્ર ૩-૯ની અવતરણિકામાં કહેલ કે ક્રમસર ત્રણ પરિણામોને સૂત્રકાર કહે છે. તેમાંથી સૂત્ર ૩-૯માં નિરોધનો પરિણામ બતાવ્યો, રત્ર ૩-૧૧માં સમાધિનો પરિણામ બતાવ્યો, હવે પ્રસ્તુત સૂત્ર ૩-૧૨માં એકાગ્રતાનો પરિણામ બતાવે છે. સૂત્ર : __शान्तोदितौ तुल्यप्रत्ययौ चित्तस्यैकाग्रतापरिणामः ॥३-१२॥ સૂત્રાર્થ :
શાન્ત અને ઉદિત સમાનપત્યયવાળો ચિત્તનો એકાગ્રતા પરિણામ છે. II3-૧રશા
Page #47
--------------------------------------------------------------------------
________________
૧૮
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૧૨ ટીકાઃ ___ 'शान्तोदिताविति'-समाहितस्यैव चित्तस्यैकप्रत्ययो वृत्तिविशेषः शान्तः अतीतमध्वानं प्रविष्टः, अपरस्तूदितो वर्तमानेऽध्वनि स्फुरितः, द्वावपि समाहितचित्तत्वेन तुल्यावेकरूपालम्बनत्वेन सदृशौ प्रत्ययावुभयत्रापि समाहितस्यैव चित्तस्यान्वयित्वेनावस्थानं, स एकाग्रतापरिणाम इत्युच्यते ॥३-१२॥ ટીકાર્ય :
સમાહિતી .... ૩ખ્યતે | સમાધિને પામેલા જ ચિત્તનો એકપ્રત્યય વૃત્તિવિશેષ શાંત છે અર્થાત્ અતીત અધ્વમાં માર્ગમાં, પ્રવેશેલ છે. વળી બીજો અર્થાત્ સમાધિને પામેલા એવા ચિત્તનો બીજો પ્રત્યય ઉદિત છે અર્થાત્ વર્તમાન અધ્વમાં-માર્ગમાં, ફરિત છે. બંને પણ=શાંત અને ઉદિત બંને પણ, સમાહિતચિત્તપણાથી સમાધિને પામેલ ચિત્ત હોવાથી, તુલ્ય છે એકરૂપઆલંબનપણાથી સદેશ પ્રત્યયવાળા છે; કેમ કે ઉભયમાં પણ અતીત અધ્વમાં પ્રવેશ પામેલ અને વર્તમાન અધ્વમાં રહેલ, એ બંનેમાં પણ, સમાધિ પામેલ ચિત્તનું અન્વયિપણાથી અવસ્થાન છે તે એકાગ્રતાપરિણામ છે, એ પ્રમાણે કહેવાય છે. ||૩-૧ર.
ભાવાર્થ :
(૩) એકાગ્રતાપરિણામનું સ્વરૂપ :
સમાધિના પરિણામવાળા યોગીઓના ચિત્તમાં એક પ્રકારની વૃત્તિ શાંત થયેલી હોય છે અર્થાત્ જે પદાર્થોનો બોધ કરવાને અનુકૂળ જે વૃત્તિ પૂર્વમાં વર્તતી હતી તે વૃત્તિ શાંત થયેલી છે, તેથી તે વૃત્તિ અતીત માર્ગમાં પ્રવેશેલી છે. વળી બીજી વૃત્તિ વર્તમાનમાર્ગમાં સ્કુરાયમાન થઈ રહી છે અર્થાત્ જે વિષયમાં સ્થિર ઉપયોગ પ્રવર્તે છે તે ધ્યેયનો બોધ વર્તમાનના ઉપયોગરૂપે વર્તી રહ્યો છે અને ચિત્ત સમાધિવાળું હોવાથી શાંત થયેલો પરિણામ અને ઉદિત થયેલો પરિણામ એકઆલંબનપણાથી સદેશ પ્રત્યયરૂપે વર્તે છે અર્થાત્ કોઈ એક આલંબનને અવલંબીને વર્તમાનનો ઉપયોગ છે તે ઉપયોગમાં જે પરિણામ શાંત થયેલો છે અને જે પરિણામ વર્તમાનમાં ફુરાયમાન છે તે સતત સમાન ચાલે છે.
સંસારી જીવોમાં જે પરિણામ શાંત થયેલો હોય અને જે પરિણામ વર્તમાનમાં ઉપયોગરૂપે વિદ્યમાન છે તે સતત સમાન ચાલતો નથી પરંતુ ક્ષણ પૂર્વે જે શાંત થયેલો પરિણામ હોય તે બીજી ક્ષણમાં ઉદિત પણ થાય છે. જયારે એકાગ્રતાના પરિણામમાં જે પરિણામ શાંત થયેલો છે અને જે પરિણામ ઉદિત છે તે બંને એક આલંબન દ્વારા પ્રવાહરૂપે સદશ વર્તે છે અને આ પ્રવાહની અંદર સમાધિને પામેલા ચિત્તનો અન્વય છે, તેથી આ એકાગ્રતાનો પરિણામ સંસારી જીવોના પરિણામ તુલ્ય નથી.
Page #48
--------------------------------------------------------------------------
________________
૧૯
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૧૨-૧૩
આશય એ છે કે, સંસારી જીવો પણ જે કાંઈ વિચાર કરે છે તે વિચારરૂપે પૂર્વની વસ્તુવિષયક વિચાર શાંત થાય છે, ઉત્તરની કોઈ વસ્તુવિષયક વિચાર ઉદિત થાય છે પરંતુ તેઓનું ચિત્ત એકાગ્ર નહિ હોવાથી ફરી તે વસ્તુનો વિચાર ઉત્તરક્ષણમાં થઈ શકે છે. જયારે એકાગ્રતાવાળું ચિત્ત વર્તે છે ત્યારે એકાગ્રતાના પ્રારંભકાળમાં જે વિચાર શાંત થયેલો અને જે વસ્તુવિષયક વિચાર પ્રાદુર્ભાવ થયેલો તે એક વસ્તુને આલંબન લઈને તે ચિત્ત ઉત્તરમાં પણ પ્રવર્તે છે, તેથી જે એકાગ્રતાના પ્રારંભમાં શાંત પરિણામ હતો તે ઉત્તરમાં પણ શાંતરૂપે રહે છે અને જે એકાગ્રતાના પ્રારંભમાં ઉદિત પરિણામ હતો તે ઉત્તરમાં પણ ઉદિત રહે છે અને આવો એકાગ્રતાનો પરિણામ સંસારી જીવોને આર્તધ્યાનાદિ કાળમાં પણ હોય છે તેની વ્યાવૃત્તિ કરવા માટે કહે છે કે, યોગમાર્ગને અનુકૂળ એવી એકાગ્રતામાં સમાહિત ચિત્તનું સમાધિને પામેલ ચિત્તનું, અયિપણું છે. જયારે આર્તધ્યાનની એકાગ્રતામાં રાગાદિ આકુળ ચિત્તનું અન્વયિપણું છે, તેથી સમાહિતચિત્તના=સમાધિને પામેલ ચિત્તના અન્વયવાળો એક આલંબનને આશ્રયીને પ્રવર્તતો ઉપયોગ એકાગ્રપરિણામ છે. વિશેષાર્થ :
પાતંજલયોગસૂત્ર ૧-૨માં યોગનું લક્ષણ કરતાં કહ્યું કે, ‘ચિત્તવૃત્તિનો નિરોધ’ યોગ છે. તે યોગના આઠ અંગો બીજા સમાધિપાદમાં બતાવ્યા. તેથી એ પ્રાપ્ત થાય છે કે, યોગ ચિત્તવૃત્તિનો નિરોધ છે અને તેના કારણો યમનિયમાદિ આઠ છે. તે પ્રમાણે ધારણા, ધ્યાન અને સમાધિ એ પણ ચિત્તવૃત્તિનિરોધરૂપ યોગના કારણો છે.
કોઈ યોગી કોઈ એક વિષય ઉપર ધારણા કરે, ત્યારપછી ધ્યાન કરે અને ત્યારપછી સમાધિને પ્રાપ્ત કરે તો તે યોગીને સંયમ પ્રાપ્ત થાય અને તે સંયમના બળથી પ્રથમ નિરોધનો પરિણામ પ્રાપ્ત થાય છે, ત્યારપછી સમાધિનો પરિણામ પ્રાપ્ત થાય છે અને તે સમાધિના પરિણામ અંતર્ગત એકાગ્રતાનો પરિણામ પ્રાપ્ત થાય છે.
આ નિરોધપરિણામ, સમાધિપરિણામ અને એકાગ્રતાના પરિણામનો પ્રકર્ષ પ્રાપ્ત થાય ત્યારે ચિત્ત વૃત્તિનિરોધરૂપ યોગની પ્રાપ્તિ થાય છે માટે નિરોધના પરિણામ અને ચિત્તવૃત્તિનો નિરોધ એ સર્વથા એક નથી પરંતુ નિરોધનો પરિણામ પ્રકર્ષને પામીને નિરોધરૂપ યોગનું કારણ બને છે. આ પ્રકારનો અર્થ પાતંજલ યોગસૂત્રોના વર્ણન ઉપરથી પ્રાપ્ત થાય છે. વિશેષ બહુશ્રુતો વિચારે. [૩-૧૨ અવતરણિકા :
चित्तपरिणामोक्तं रूपमन्यत्राप्यतिदिशन्नाह - અવતરણિકાર્ય :
ચિત્તના પરિણામનું પાતંજલ યોગસૂત્ર ૩-૯/૧૧/૧૨માં કહેવાયેલું સ્વરૂપ અન્યત્ર પણ અતિદેશ કરતાં કહે છે –
Page #49
--------------------------------------------------------------------------
________________
૨૦
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૧૩ ભાવાર્થ :
પાતંજલયોગસૂત્ર ૩-૯/૧૧/૧૨માં નિરોધપરિણામ, સમાધિપરિણામ અને એકાગ્રતાપરિણામનું સ્વરૂપ બતાવ્યું. તે દરેકમાં પૂર્વના પરિણામનો ત્યાગ અને ઉત્તરના પરિણામનો સ્વીકાર અને તે બંને પરિણામમાં અન્વયિ ચિત્ત છે તેમ બતાવ્યું. આ રીતે ચિત્તનું અન્વય-વ્યતિરેકસ્વરૂપ કહેવાયું. એવું સ્વરૂપ અન્યત્ર પણ છે એ બતાવતાં સૂત્રકાર કહે છે – સૂત્ર : __ एतेन भूतेन्द्रियेषु धर्मलक्षणावस्थापरिणामा व्याख्याताः ॥३-१३॥
સૂત્રાર્થ :
આના દ્વારા–ત્રણ પ્રકારના ચિત્તના પરિણામ દ્વારા, ભૂતો અને ઇન્દ્રિયોમાં ધર્મપરિણામ, લક્ષણપરિણામ અને અવસ્થાપરિણામ વ્યાખ્યાત કરાયા. Il3-૧all ટીકા :
‘एतेनेति'-एतेन त्रिविधेनोक्तेन चित्तपरिणामेन, भूतेषु स्थूलसूक्ष्मेषु, इन्द्रियेषु बुद्धिकर्मलक्षणभेदेनावस्थितेषु धर्मलक्षणावस्थाभेदेन त्रिविधः परिणामो व्याख्यातोऽवगन्तव्यः, अवस्थितस्य धर्मिणः पूर्वधर्मनिवृत्तौ धर्मान्तरापत्तिः धर्मपरिणामः, यथा मृल्लक्षणस्य धर्मिणः पिण्डरूपधर्मपरित्यागेन घटरूपधर्मान्तरस्वीकारो धर्मपरिणाम इत्युच्यते, लक्षणपरिणामो यथा-तस्यैव घटस्यानागताध्वपरित्यागेन वर्तमानाध्वस्वीकारः, तत्परित्यागेन चातीताध्वपरिग्रहः, अवस्थापरिणामो यथा-तस्यैव घटस्य प्रथमद्वितीययोः सदृशयोः क्षणयोरन्वयित्वेन, यतश्च गुणवृत्ति परिणममाना क्षणमप्यस्ति ॥३-१३॥ ટીકાર્ય :
તેન વક્તવ્ય:, આના દ્વારા=પાતંજલ યોગસૂત્ર ૩-૯/૧૧/૧૨માં કહેવાયેલા ત્રણ પ્રકારના ચિત્તના પરિણામ દ્વારા અર્થાત્ પૂર્વના પરિણામનો ત્યાગ, ઉત્તરના પરિણામનો પ્રાદુર્ભાવ અને તે બંનેમાં અન્વયિ એવું ચિત્ત છે એ પ્રકારે કહેવાયેલા ત્રણ પ્રકારના ચિત્તના પરિણામ દ્વારા, સ્થૂલ અને સૂક્ષ્મ એવા ભૂતોમાં, બુદ્ધિસ્વરૂપ અને કર્મસ્વરૂપ ભેદથી અવસ્થિત=રહેલી એવી ઇન્દ્રિયોમાં, ધર્મ, લક્ષણ અને અવસ્થાના ભેદથી ત્રણ પ્રકારનો પરિણામ વ્યાખ્યાન કરાયેલો જાણવો. ધર્મ, લક્ષણ અને અવસ્થાના ભેદથી ત્રણ પ્રકારના પરિણામને સ્પષ્ટ કરતાં કહે છે –
વસ્થિતી .... રૂત્યુતે, અવસ્થિત એવા ધર્મીના પૂર્વધર્મની નિવૃત્તિ થયે છતે અન્ય ધર્મની પ્રાપ્તિ થવી તે ધર્મપરિણામ છે.
જે આ પ્રમાણે છે – માટીસ્વરૂપ ધર્મીના પિંડરૂપ ધર્મના પરિત્યાગથી ઘટરૂપ ધર્માતરનો=અન્યધર્મનો
Page #50
--------------------------------------------------------------------------
________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૧૩ સ્વીકાર તે ધર્મપરિણામ, એ પ્રમાણે કહેવાય છે.
નક્ષUTUરિUTINો ..... સતીતાäપરિગ્રહ, લક્ષણપરિણામ - જે પ્રમાણે - તે જ ઘટનો અર્થાત્ પિjરૂપ ધર્મનો ત્યાગ કરીને ઘટરૂપ ધર્મને પામેલ એવા તે જ ઘટનો, અનાગત અધ્વના પરિત્યાગથી વર્તમાન અધ્વનો સ્વીકાર અર્થાત્ ઘટનિષ્પત્તિ પૂર્વે તે ઘટ અનાગત એવી ક્ષણમાં હતો તે અનાગત ક્ષણના પરિત્યાગ દ્વારા ઘટ બન્યો ત્યારે વર્તમાન ક્ષણમાં પ્રાપ્ત થયો તે વર્તમાન ક્ષણનો સ્વીકાર અને તેના પરિત્યાગ દ્વારા અતીત અધ્વનો સ્વીકાર=પ્રથમ ક્ષણવાળા ઘટના વર્તમાન અધ્વના પરિત્યાગ દ્વારા બીજી ક્ષણમાં પૂર્વની ક્ષણ જેવો જ તે ઘટ હોવાથી પૂર્વના ઘટ ક્ષણરૂપ અતીત અધ્વનો સ્વીકાર તે લક્ષણ પરિણામ છે.
૩વસ્થાપરિમો .... ક્ષUTHતિ અવસ્થા પરિણામ - જે પ્રમાણે - તે જ ઘટનોકપિjપરિણામનો ત્યાગ કરીને ઘટરૂપ ધર્મને પામેલ એવા તે જ ઘટનો, સંદેશ એવી પ્રથમ-દ્વિતીય ક્ષણનું અન્વયિપણું હોવાને કારણે અવસ્થા પરિણામ છે અર્થાત્ પ્રથમ ક્ષણમાં અને બીજી ક્ષણમાં તે ઘટ સમાન અવસ્થારૂપે પરિણમન પામે છે. કેમ પ્રથમ અને બીજી ક્ષણમાં તે ઘટ સમાન અવસ્થારૂપે પરિણમન પામે છે તેમાં હેતુ કહે છે –
જે કારણથી ગુણની વૃત્તિ અપરિણમન પામતી ક્ષણ પણ રહેતી નથી અર્થાત્ ઘટરૂપે પરિણમન પામેલ ગુણની વૃત્તિ પરિણતિ, અવશ્ય બીજી ક્ષણમાં સદેશરૂપે અથવા વિદેશરૂપે અવશ્ય પરિણમન પામે છે. l૩-૧3II ભાવાર્થ :
પાતંજલયોગસૂત્ર ૩-૯૧૧/૧૨માં નિરોધનો પરિણામ, સમાધિનો પરિણામ અને એકાગ્રતાનો પરિણામ બતાવ્યો. ત્યાં ચિત્તને અન્વયિરૂપે સ્વીકાર્યું અને પ્રાદુર્ભાવતિરોભાવરૂપે ધર્મોને સ્વીકાર્યા એ રીતે ચિત્ત અન્વય-વ્યતિરેકવાળું પ્રાપ્ત થયું અર્થાત્ ચિત્ત ચિત્તરૂપે અન્વયી અને તે તે ધર્મોનો ચિત્તમાં વ્યતિરેક પરસ્પર ભેદ, પ્રાપ્ત થયો એ પ્રકારે કહેવાયેલા ત્રણ પ્રકારના ચિત્તના પરિણામ દ્વારા ભૂતોમાં અને ઇન્દ્રિયોમાં ધર્મપરિણામ, લક્ષણ પરિણામ અને અવસ્થા પરિણામ વ્યાખ્યાન કરાયો. તે ધર્મપરિણામ, લક્ષણપરિણામ અને અવસ્થા પરિણામનાં સ્વરૂપને સ્પષ્ટ કરતાં રાજમાર્તડકાર કહે
ધર્મપરિણામ, લક્ષણપરિણામ અને અવસ્થા પરિણામનું સ્વરૂપ : (૧) ધર્મપરિણામ :
ધર્મીના પૂર્વધર્મની નિવૃત્તિ થયે છતે ઉત્તરધર્મની પ્રાપ્તિ તે ધર્માનો ધર્મપરિણામ છે.
જેમ - માટીરૂપ ધર્મી પૂર્વમાં પિંડરૂપે હતો, તે પિંડરૂપ ધર્મનો પરિત્યાગ કરીને ઘટરૂપ ધર્માતરને પ્રાપ્ત કરે છે, તેથી પિંડરૂપ અને ઘટરૂપ ધર્મમાં માટી અન્વયી છે, માટે ધર્મપરિણામના બળથી અન્વયવ્યતિરેકવાળી વસ્તુ સિદ્ધ થાય છે.
Page #51
--------------------------------------------------------------------------
________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ / સૂત્ર-૧૩-૧૪
લક્ષણ પરિણામ :
અન્ય પદાર્થોની વ્યાવૃત્તિ કરનાર લક્ષ્યમાં રહેલો ધર્મ તે લક્ષણ, અને લક્ષ્યમાં તે લક્ષણ આવ્યા પછી બીજી, ત્રીજી આદિ ક્ષણોમાં તે લક્ષણ અનુવૃત્તિરૂપે રહે તો તે લક્ષણપરિણામ છે.
૨૨
જેમ - ઘટ ઉત્પન્ન થયો ન હતો ત્યારે તે અનાગત અધ્વમાં હતો, અને જ્યારે ઘટ ઉત્પન્ન થાય છે ત્યારે અનાગત અધ્યના પરિત્યાગથી વર્તમાન અધ્યનો સ્વીકાર કરે છે, તે પ્રથમ ક્ષણનો લક્ષણપરિણામ છે, અને બીજી ક્ષણમાં જો ઘટ નાશ પામે નહીં તો તે લક્ષણપરિણામ બીજી ક્ષણમાં પણ રહે છે ત્યારે, અનાગત અધ્યના પરિત્યાગપૂર્વક પ્રથમક્ષણવાળા વર્તમાન ઘટમાં વર્તતો લક્ષણપરિણામ અતીત અધ્વનો સ્વીકાર કરે છે અર્થાત્ બીજી ક્ષણમાં તે પ્રથમક્ષણવાળો લક્ષણ પરિણામ અતીતક્ષણવાળો બને છે. આ પ્રકારના પ્રથમ અને દ્વિતીય ક્ષણના લક્ષણપરિણામમાં ઘટ અનુવૃત્તિરૂપે છે, તેથી ઘટ અન્વયી છે અને પ્રથમક્ષણના લક્ષણપરિણામનો અને બીજી ક્ષણના લક્ષણપરિણામનો વ્યતિરેક=પરસ્પર ભેદ છે, તે વ્યતિરેક છે.
(૩) અવસ્થાપરિણામ :
અવસ્થાપરિણામ એટલે ઘટ ઉત્પન્ન થયા પછી જે આકારરૂપે અવસ્થિત હોય તે આકારરૂપે જ પછીની ક્ષણોમાં રહે, તો તે ઘટનો અવસ્થાપરિણામ છે.
જેમ – કોઈ ઘટ ઉત્પન્ન થયો હોય અને બીજી ક્ષણમાં તે રૂપે જ અવસ્થિત હોય તો ઘટની પ્રથમ અને દ્વિતીય ક્ષણ સદશ છે; કેમ કે પ્રથમ ક્ષણમાં ઘટરૂપે પરિણમન પામેલી ગુણવૃત્તિ અવશ્ય બીજી ક્ષણમાં સદંશરૂપે અથવા વિસદંશરૂપે પરિણમન પામે છે અને તે બંને અવસ્થાપરિણામમાં સદેશ અન્વયી ઘટ હોય તો અવસ્થાપરિણામ છે.
અવસ્થાપરિણામ અને લક્ષણપરિણામનો તફાવત ઃ
ઘટની અવસ્થામાં કોઈ પરિવર્તન થાય તો પૂર્વની ઘટની અવસ્થાનો પરિણામ ઉત્તરમાં નથી, આમ છતાં ઘટ ઉત્તરમાં પણ ઘટના લક્ષણવાળો છે. જેમ ઘટમાંથી એકાદ કાંકરી ખરી જાય તો ઘટનું લક્ષણ પૂર્વના ઘટમાં પણ હતું અને ઉત્તરના ઘટમાં પણ છે, પરંતુ અવસ્થાપરિણામ નથી; કેમ કે અવસ્થામાં ફેરફાર થયો છે. II૩-૧૩II
અવતરણિકા :
ननु कोऽयं धर्मीत्याशङ्क्य धर्मिणो लक्षणमाह
-
અવતરણિકાર્ય :
નનુ થી શંકા કરે છે કે આ ધર્મી કોણ છે ? એ પ્રકારની આશંકા કરીને ધર્મીનું લક્ષણ કહે છે ભાવાર્થ :
પાતંજલયોગસૂત્ર ૩-૧૩માં ધર્મપરિણામનું લક્ષણ બતાવતાં ટીકામાં કહ્યું કે અવસ્થિત એવા
Page #52
--------------------------------------------------------------------------
________________
૨૩
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૧૪ ધર્માના પૂર્વધર્મની નિવૃત્તિ થયે છતે ધર્માતરની પ્રાપ્તિ થવી તે ધર્મપરિણામ છે એથી શંકા થાય છે, ધર્મી કોણ કહેવાય ? માટે પ્રસ્તુત સૂત્રમાં ધર્માનું લક્ષણ બતાવે છે. સૂત્ર :
शान्तोदिताव्यपदेश्यधर्मानुपाती धर्मी ॥३-१४॥ સૂત્રાર્થ :
શાંત, ઉદિત અને ચાવ્યપદેશ્ય જોવા ધર્મોમાં અનુપાતી અનુસરનાર, ધર્મી છે. ll૩-૧૪ll ટીકા :
'शान्तेति'-शान्ता ये कृतस्वस्वव्यापारा अतीतेऽध्वनि अनुप्रविष्टाः, उदिता येऽनागतमध्वानं परित्यज्य वर्तमानेऽध्वनि स्वव्यापारं कुर्वन्ति, अव्यपदेश्या ये शक्तिरूपेण स्थिता व्यपदेष्टुं न शक्यन्ते तेषां यथास्वं सर्वात्मकत्वमित्येवमादयो नियतकार्यकारणरूपयोग्यतयाऽवच्छिन्ना शक्तिरेवेह धर्मशब्देनाभिधीयते, तं त्रिविधमपि धर्मं योऽनुपतति अनुवर्ततेऽन्वयित्वेन स्वीकरोति स शान्तोदिताव्यपदेश्यधर्मानुपाती धर्मीत्युच्यते, यथा सुवर्णे रुचकरूपधर्मपरित्यागेन स्वस्तिकरूपधर्मान्तरपरिग्रहे सुवर्णरूपतयाऽनुवर्तमानं तेषु धर्मेषु कथञ्चिद्भिन्नेषु धर्मिरूपतया सामान्यात्मना धर्मरूपतया विशेषात्मना स्थितमन्वयित्वेનાવમાસને રૂ-૨૪ ટીકાર્ય :
શાન્તા:.... અવમાને છે જે કરાયેલ સ્વ-સ્વ વ્યાપારવાળા અતીત અધ્વમાં અનુપ્રવિષ્ટ પ્રવેશ પામેલા, ભાવો છે તે શાંત ધર્મો છે અર્થાત્ ઘટાદિ પદાર્થની પૂર્વેક્ષણના પરિણામો ભૂતકાળમાં પ્રવેશેલા હોવાથી શાંત છે, જે અનાગત માર્ગને છોડીને વર્તમાન માર્ગમાં સ્વવ્યાપારને કરે છે તે ઉદિત ધર્મો છે, અર્થાત્ ઘટાદિ પદાર્થનો વર્તમાન પર્યાય પૂર્વમાં અનાગત પર્યાય હતો તેનો ત્યાગ કરીને વર્તમાન પર્યાયને પામે તે ઉદિત ધર્મ છે, જે શક્તિરૂપે રહેલા છે અને વ્યપદેશ કરવા માટે શક્ય નથી તે અવ્યપદેશ્ય ધર્મો છે, તેઓનું યથાયોગ્ય સર્વાત્મકપણું છે. એથી આ વગેરે નિયત કાર્ય-કારણરૂપ યોગ્યપણાથી અવચ્છિન્ન શક્તિ જ અહીં ધર્મશબ્દથી કહેવાય છે, તે ત્રિવિધ પણ ધર્મ જે અનુવર્તન કરે છે અન્વયિપણાથી સ્વીકાર કરે છે તે શાંત, ઉદિત અને અવ્યપદેશ્ય ધર્મને અનુસાર ધર્મીએ પ્રમાણે કહેવાય છે.
જે પ્રમાણે -સુવર્ણમાં રુચકસ્વરૂપ ધર્મના પરિત્યાગથી સ્વસ્તિકરૂપ ધર્માતરના પરિગ્રહમાં= સ્વસ્તિકાકારરૂપ ધર્માતરના પરિણામમાં, સુવર્ણરૂપપણાથી અનુવર્તમાન કથંચિત્ ભિન્ન એવા તે ધર્મોમાં ધર્મી રૂપપણાથી સામાન્યસ્વરૂપે અને ધર્મરૂપપણાથી વિશેષ સ્વરૂપે રહેલો એવો ધર્મી અન્વયિપણારૂપે અવભાસે છે=જણાય છે. ll૩-૧૪
Page #53
--------------------------------------------------------------------------
________________
૨૪
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ / સૂત્ર-૧૪-૧૫
ભાવાર્થ :
ધર્મીનું સ્વરૂપ :
શાંત, ઉદિત અને અવ્યપદેશ્ય એવા ધર્મોમાં અનુસરનાર ધર્મી :
રૂચકઆકારરૂપે=હારઆકારરૂપે, રહેલા ધર્મના પરિત્યાગથી સ્વસ્તિકરૂપ=પેંડલરૂપ આકારને પામે તે બંને આકારમાં સુવર્ણરૂપ અનુવર્તમાન સુવર્ણ છે, તેથી સુવર્ણધર્મી છે અને રુચકઆકાર અને સ્વસ્તિકઆકાર ધર્મ છે. વળી, સુવર્ણમાં જે આકા૨ો સંભવી શકે તે સર્વ આકારો યથાયોગ્ય સર્વાત્મકત્વના વ્યપદેશને પામતા અવ્યપદેશ્ય ધર્મો છે; કેમ કે તે આકારરૂપે સુવર્ણ બન્યું નથી, તેથી જે આકાર પૂર્વમાં હોય તે આકાર શાંત થાય છે અને જે આકાર વર્તમાનમાં ઉત્પન્ન થાય છે તે ઉદિત થાય છે અને જે આકારો તેમાં થઈ શકે તેવા હોય છતાં કરાયા ન હોય તે અવ્યપદેશ્ય ધર્મો છે અને તે સર્વમાં અન્વયિ એવું સુવર્ણ ધર્મી છે.
ચલગુણવૃત્તિધર્મોનું વિશેષ સ્વરૂ૫ ૨૪મી સદૃષ્ટિદ્વાત્રિંશિકાના શ્લોક-૨૪ના ભાવાર્થમાં જોવું (સદ્દષ્ટિદ્વાંત્રિશિકા શબ્દશઃ વિવેચન ‘ગીતાર્થગંગા'થી પ્રકાશિત, પેજ-૮૫.)
અવતરણિકા :
एकस्य धर्मिणः कथमनेके परिणामा इत्याशङ्कामपनेतुमाह -
અવતરણિકા :
એક ધર્મીના અનેક પરિણામો કેવી રીતે હોઈ શકે ? એ પ્રકારની આશંકાને દૂર કરવા માટે ક્લે
છે
સૂત્રઃ
क्रमान्यत्वं परिणामान्यत्वे हेतुः ॥३ - १५ ॥
સૂત્રાર્થ :
ક્રમનું અન્યપણું=ધર્મોના ક્રમનું અન્યપણું, પરિણામના અન્યપણામાં હેતુ છે=અનુમાપક હેતુ છે. II૩-૧૫॥
ટીકા :
'क्रमान्यत्वमिति'-धर्माणामुक्तलक्षणानां यः क्रमस्तस्य यत्प्रतिक्षणमन्यत्वं परिदृश्यमानं तत् परिणामस्योक्तलक्षणस्यान्यत्वे - नानाविधत्वे हेतुर्लिङ्गं ज्ञापकं भवति । अयमर्थः योऽयं नियतः क्रमो मृच्चूर्णान् मृत्पिण्डस्ततः कपालानि तेभ्यश्च घट इत्येवंरूपः परिदृश्यमानः परिणामस्यान्यत्वमावेदयति, तस्मिन्नेव धर्मिणि यो लक्षणपरिणामस्यावस्थापरिणामस्य वा
Page #54
--------------------------------------------------------------------------
________________
૨૫
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૧૫ क्रमः सोऽपि अनेनैव न्यायेन परिणामान्यत्वे गमकोऽवगन्तव्यः, सर्व एव भावा नियतेनैव क्रमेण प्रतिक्षणं परिणममानाः परिदृश्यन्ते, अतः सिद्धं क्रमान्यत्वात्परिणामान्यत्वम्, सर्वेषां चित्तादीनां परिणममानानां केचिद्धर्माः प्रत्यक्षेणैवोपलभ्यन्ते, यथा सुखादयः संस्थानादयश्च, केचिच्चैकान्तेनानुमानगम्याः, यथा धर्मसंस्कारशक्तिप्रभृतयः, धर्मिणश्च भिन्नाभिन्नरूपतया सर्वत्रानुगमः ॥३-१५॥ ટીકાર્થ :
ધર્મામ્ .... મવતિ ! કહેવાયેલા લક્ષણવાળા ધર્મોનો-પાતંજલયોગસૂત્ર ૩-૧૪માં કહેવાયેલા શાંત, ઉદિત અને અવ્યપદેશ્ય લક્ષણવાળા ધર્મોનો, જે ક્રમ તેનું જે પ્રતિક્ષણ અન્યપણું પરિદૃશ્યમાન દેખાઈ રહેલું છે તે ઉક્તલક્ષણવાળા પરિણામના અન્યપણામાં નાનાવિધપણામાં, હેતુ છે=જ્ઞાપક લિંગ છે.
સમર્થ: - આ અર્થ છે પ્રસ્તુત સૂત્રના કથનથી આ અર્થ પ્રાપ્ત થાય છે –
ચોઘં ... સર્વત્રનામ: આ જે આ નિયત કમકમાટીના ચૂર્ણથી માટીનો પિડે ત્યારપછી કપાલો, તે કપાલોથી ઘટ એ પ્રકારનો નિયત ક્રમ, પરિદશ્યમાન દેખાઈ રહેલો છે, તે પરિણામના અન્યપણાને જણાવે છે, તે જ ધર્મીમાં જે લક્ષણપરિણામનો કે અવસ્થા પરિણામનો ક્રમ છે તે પણ આ જ ન્યાયથી પરિણામના અન્યપણામાં ગમકજ્જણાવનાર, જાણવો.
સર્વ જ ભાવો નિયત જ ક્રમથી પ્રતિક્ષણ પરિણામ પામતા દેખાય છે, આથી જ ક્રમઅન્યત્વના કારણે પરિણામનું અન્યપણું સિદ્ધ થયું. પરિણમન પામતા સર્વ ચિત્તાદિના કેટલાક ધર્મો પ્રત્યક્ષથી દેખાય છે. જે પ્રમાણે–સુખાદિ અને સંસ્થાનાદિ અર્થાત્ ચિત્તાદિના સુખાદિ ધર્મો પ્રત્યક્ષથી દેખાય છે. ઘટાદિના સંસ્થાનાદિ ધર્મો પ્રત્યક્ષથી દેખાય છે, કેટલાક ધર્મો એવંતથી અનુમાનથી ગમ્ય છે=જણાય છે. જે પ્રમાણે—ધર્મના સંસ્કારો અને શક્તિ વગેરે ચિત્તમાં ધર્મના સંસ્કારો અને માટી આદિમાં તે તે ભાવરૂપે થવાની શક્તિ વગેરે અને ધર્મીનો ભિનાભિનરૂપપણાથી સર્વત્ર અનુગમ છે. l૩-૧પી. ભાવાર્થ : પરિણામના અન્યપણામાં ક્રમનું અન્યપણું જ્ઞાપક હેતુ :
માટીમાંથી નિયત ક્રમથી ઘટ થાય છે તે પ્રત્યક્ષથી દેખાય છે, જેમ માટી પ્રથમ પિંડ અવસ્થામાં હોય છે, પછી સ્થાસ, કોસ અને કુશુલાદિ અવસ્થા દ્વારા કપાલરૂપે થાય છે, ત્યારપછી ઘટરૂપે પરિણમન પામે છે, તેથી માટીના અન્ય અન્ય પરિણામના દર્શનથી અનુમાન થાય છે કે તે સર્વ પરિણામમાં માટી અનુગત છે અને માટીમાં પિંડાદિ અવસ્થારૂપ ધર્મો ક્રમસર થાય છે, માટે માટીરૂપ એક ધર્મીમાં અનેક પરિણામો સ્વીકારવામાં વિરોધ નથી. એ જ રીતે સર્વ જીવોના ચિત્તમાં પણ સુખાદિ
Page #55
--------------------------------------------------------------------------
________________
૨૬
પાતંજલચોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૧૫-૧૬ પરિણામો પ્રત્યક્ષથી દેખાય છે અને તે ક્રમસર થતા દેખાય છે, તે સર્વમાં ચિત્ત અનુગત છે અને માટી વગેરેમાં સંસ્થાન વગેરે આકારો ક્રમસર થતા દેખાય છે માટે માટી અનુગત છે તેથી ચિત્તરૂપ એકધર્મીમાં ક્રમસર અનેક ધર્મો છે અને માટીરૂપ એક ધર્મીમાં ક્રમસર અનેક ધર્મો થાય છે તે સ્વીકારવામાં કોઈ વિરોધ નથી. વળી પદાર્થોના પરિણામના અન્યપણાને સ્વીકારવામાં ક્રમનું અન્યપણું અનુમાપક હેતુ છે.
આશય એ છે કે માટીમાં ક્રમસર સ્થાસ, કોસ, કુશુલ વગેરે અવસ્થાઓ કોઈક સ્થાને થતી દેખાય છે. તેના ઉપરથી અનુમાન થાય છે કે માટીરૂપ ધર્મીમાં સ્થાઓ વગેરે પરિણામોની શક્તિ છે. |૩-૧પ અવતરણિકા:
इदानीमुक्तस्य संयमस्य विषयप्रदर्शनद्वारेण सिद्धीः प्रतिपादयितुमाह - અવતરણિતાર્થ :
હવે પૂર્વમાં કહેલા સંયમના ધારણા, ધ્યાન અને સમાધિના ઐક્યરૂપ સંયમના, વિષયપ્રદર્શન દ્વારા સિદ્ધિઓને પ્રતિપાદન કરવા માટે કહે છે – સૂત્ર : __परिणामत्रयसंयमादतीतानागतज्ञानम् ॥३-१६॥ સૂત્રાર્થ : | પરિણામ ત્રણમાં સંયમથી ધર્મ, લક્ષણ અને અવસ્થારૂપ પરિણામ ત્રણના સંયમથી, અતીત અને અનાગતનું જ્ઞાન થાય છે. ll૩-૧૬ll ટીકા : ___ 'परिणामेति'-धर्मलक्षणावस्थाभेदेन यत्परिणामत्रयमुक्तं तत्र संयमात् तस्मिन् विषये पूर्वोक्तसंयमस्य करणादतीतानागतज्ञानं योगिनः समाधेराविर्भवति । इदमत्र तात्पर्यम्अस्मिन् धर्मिणि अयं धर्म इदं लक्षणमियमवस्था चानागतादध्वनः समेत्य वर्तमानेऽध्वनि स्वं व्यापारं विधायातीतमध्वानं प्रविशतीत्येवं परिहृतविक्षेपतया यदा संयमं करोति तदा यत्किञ्चिदनुत्पन्नमतिक्रान्तं वा तत्सर्वं योगी जानाति, यतश्चित्तस्य शुद्धसत्त्वप्रकाशरूपत्वात् सर्वार्थग्रहणसामर्थ्यमविद्यादिभिर्विक्षेपैरपक्रियते, यदा तु तैस्तैरूपायैर्विक्षेपा: परिहियन्ते तदा निवृत्तमलस्येवाऽऽदर्शस्य सर्वार्थग्रहणसामर्थ्यमेकाग्रता बलादाविर्भवति ॥३-१६॥
Page #56
--------------------------------------------------------------------------
________________
o
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૧૬ ટીકાર્ય :
થર્પત્નક્ષUT.. આવિર્ભવતિ | ધર્મ, લક્ષણ અને અવસ્થાના ભેદથી જે ત્રણ પરિણામો કહેવાયા=પાતંજલયોગસૂત્ર ૩-૧૩માં કહેવાયા, તેમાં સંયમ કરવાથી અર્થાત્ તે વિષયમાં પૂર્વોક્ત સંયમ કરવાથી ક્રમસર ધારણા, ધ્યાન અને સમાધિમાં યત્ન કરવાથી, સમાધિને કારણે યોગીને અતીત અને અનાગતનું જ્ઞાન આવિર્ભાવ પામે છે.
રૂમ્ ... તાત્પર્યમ્- અહીં આ તાત્પર્ય છે – અર્થાત્ ટીકામાં આગળ કહેવાય છે એ આ સૂત્રના કથનનું તાત્પર્ય છે –
મિન્ ....માવર્મતિ . આ ધર્મીમાં આ ધર્મ, આ લક્ષણ અને આ અવસ્થા અનાગત એવા અધ્વથી માર્ગથી, પાછા ફરીને વર્તમાન અધ્વમાં માર્ગમાં, સ્વવ્યાપાર કરીને અતીત અધ્વમાં-માર્ગમાં પ્રવેશ પામે છે એ પ્રકારે ત્યાગ કરાયેલ વિક્ષેપ પણાથી યોગી જ્યારે સંયમ કરે છે ત્યારે યત્કિંચિત્ અનુત્પન્ન એવા ઉત્પન નહિ થયેલા એવા, અથવા અતિક્રાંત એવા તે સર્વને યોગી જાણે છે. જે કારણથી ચિત્તનું શુદ્ધસત્વસ્વરૂપ પ્રકાશરૂપપણું હોવાથી અવિદ્યા વગેરે વિક્ષેપો વડે સર્વાર્થગ્રહણનું સામર્થ્ય દૂર કરાય છે. વળી જ્યારે તે તે ઉપાયો વડે વિક્ષેપો પરિહરણ કરાય છે દૂર કરાય છે, ત્યારે નિવૃત્તમનવાળા દર્પણની જેમ સર્વ અર્થ ગ્રહણનું સામર્થ્ય એકાગ્રતાના બળથી આવિર્ભાવ પામે છે. |૩-૧૬II.
ભાવાર્થ : ધર્મ, લક્ષણ અને અવસ્થારૂપ પરિણામ ત્રણના સંયમથી અતીત અને અનાગતજ્ઞાનની પ્રાપ્તિ
ધર્મ, લક્ષણ અને અવસ્થાના ભેદથી વસ્તુના ત્રણ પરિણામો છે તેનો સમ્યગુ બોધ કરીને યોગી જ્યારે તેમાં સંયમ કરે છે અર્થાત્ પ્રથમ તે સ્વરૂપ પ્રત્યે ચિત્તને સ્થાપન કરીને ધારણ કરે છે, ત્યારપછી એકાગ્રતા પ્રાપ્ત કરે છે અને ત્યારપછી ધ્યાનવિશેષરૂપ સમાધિને પામે છે, તેના બળથી તે યોગીને સર્વપદાર્થવિષયક અતીતનું અને અનાગતનું જ્ઞાન ઉત્પન્ન થાય છે.
અહીં પ્રશ્ન થાય કે કોઈ પદાર્થવિષયક ધર્મ, લક્ષણ અને અવસ્થા પ્રત્યે સંયમ કરવાથી સર્વપદાર્થ વિષયક અતીતનું અને અનાગતનું જ્ઞાન કેમ થાય ? એથી કહે છે –
ચિત્તનું શુદ્ધસજ્વરૂપ પ્રકાશસ્વરૂપ છે, તેથી ચિત્તનું સર્વાર્થગ્રહણનું સામર્થ્ય છે, અવિદ્યાદિ વિક્ષેપો વડે ચિત્તનું તે સામર્થ્ય દૂર થાય છે. યોગી જયારે કોઈ પદાર્થ ઉપર સંયમ કરે છે ત્યારે તે તે ઉપાયો દ્વારા વિક્ષેપો પરિહાર પામે છે અર્થાત્ અત્યાર સુધી અવિદ્યાદિના વિક્ષેપો યોગીના ચિત્તમાં વર્તતા હતા તે દૂર થાય છે, તેથી જેમ નિવૃત્ત મળવાળા દર્પણમાં સન્મુખ રહેલ સર્વ પદાર્થોના ગ્રહણનું સામર્થ્ય છે, તેમ તે યોગીના ચિત્તમાં એકાગ્રતાના બળથી સર્વ અર્થના ગ્રહણનું સામર્થ્ય આવિર્ભાવ પામે છે. l૩-૧ાા
Page #57
--------------------------------------------------------------------------
________________
૨૮
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૧૦
અવતરણિકા:
सिद्ध्यन्तरमाह - અવતરણિકાર્ય :
યોગીને થતી=ધારણા, ધ્યાન અને સમાધિમાં યત્ન કરવાથી યોગીને થતી, અન્ય સિદ્ધિને પતંજલિઋષિ બતાવે છે -
सूत्र:
शब्दार्थप्रत्ययानामितरेतराध्यासात् सङ्करस्तत्प्रविभागसंयमात् सर्वभूतरुतज्ञानम् ॥३-१७॥ सूत्रार्थ :
श६, गर्थ मने प्रत्ययना=गौः मे प्रारना श६ना, गौः मे प्रारना वाय्य गर्थना અને શબ્દથી અને સાર્થથી થતા : એ પ્રકારના બોધરૂપ પ્રત્યયના, ઇતર ઇતર અધ્યાસથી સંકર થાય છે, તેના પ્રવિભાગમાં સંયમ કરવાથી=શબ્દના, અર્થના અને પ્રત્યયના પ્રવિભાગમાં संयम रवाथी, सर्व प्राणीमोना शविषय ज्ञान थाय छे. ||3-१७|| टीs: ___ 'शब्दार्थेति'-शब्दः श्रोत्रेन्द्रियग्राह्यो नियतक्रमवर्णात्मा नियतैकार्थप्रतिपत्त्यवच्छिन्नः, यदि वा क्रमरहितः स्फोटात्मा शास्त्रसंस्कृतबुद्धिग्राह्यः, उभयथाऽपि पदरूपो वाक्यरूपश्च तयोरेकार्थप्रतिपत्तौ सामर्थ्यात्, अर्थो जातिगुणक्रियादिः, प्रत्ययो ज्ञानं विषयाकारा बुद्धिवृत्तिः, एषां शब्दार्थज्ञानानां व्यवहार इतरेतराध्यासाद्भिन्नानामपि बुद्ध्यैकरूपतासम्पादनात् सङ्कीर्णत्वम् तथाहि-गामानयेत्युक्ते कश्चिद् गोलक्षणमर्थं गोत्वजात्यवच्छिन्नं सास्नादिमत्पिण्डरूपं शब्दं च तद्वाचकं ज्ञानं च तद्ग्राहकमभेदेनैवाध्यवस्यति, न त्वस्य गोशब्दो वाचकोऽयं गोशब्दस्य वाच्यस्तयोरिदं ग्राहकं ज्ञानमिति भेदेन व्यवहरति । तथाहिकोऽयमर्थः ? कोऽयं शब्दः ? किमिदं ज्ञानमिति पृष्टः सर्वत्रैकरूपमेवोत्तरं ददाति गौरिति, स यद्येकरूपतां न प्रतिपद्यते कथमेकरूपमुत्तरं प्रयच्छति, एकस्मिन् स्थिते योऽयं प्रविभागइदं शब्दस्य तत्त्वं यद्वाचकत्वं नाम, इदमर्थस्य यद्वाच्यत्वमिदं ज्ञानस्य यत्प्रकाशकत्वमिति प्रविभागं विधाय तस्मिन् प्रविभागे यः संयमं करोति तस्य सर्वेषां भूतानां मृगपशुपक्षिसरीसृपादीनां यद्रुतं यः शब्दः, तत्र ज्ञानमुत्पद्यतेऽनेनैवाभिप्रायेणैतेन प्राणिनाऽयं शब्दः समुच्चारित इति सर्वं जानाति ॥३-१७॥
Page #58
--------------------------------------------------------------------------
________________
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૧૦ ટીકાર્ય :
શર્વઃ .... સીuત્વમ્, નિયત ક્રમવર્ણસ્વરૂપ અને નિયત એક અર્થની પ્રતિપત્તિથી યુક્ત શ્રોત્રેન્દ્રિયગ્રાહા શબ્દ છે અથવા કમરહિત ફોટસ્વરૂપ શાસ્ત્રથી સંસ્કૃત સંસ્કાર કરાયેલી, બુદ્ધિથી ગ્રાહા શબ્દ છે. બંને પ્રકારે પણ નિયત વર્ણક્રમસ્વરૂપ શબ્દ ગ્રહણ કરીએ કે ક્રમરહિત ફોટરૂપ શબ્દ ગ્રહણ કરીએ એ રૂપ બંને પ્રકારે પણ, પદરૂપ અને વાક્યરૂપ શબ્દો છે.
અહીં પ્રશ્ન થાય કે નિયત ક્રમવર્ણસ્વરૂપ કે કમરહિત ફોટસ્વરૂપ બંનેને પણ શબ્દ કેમ કહેવામાં આવે છે ? તેમાં હતુ કહે છે – - નિયત ક્રમવર્ણસ્વરૂપ શબ્દનું કે કમરહિત મ્હોટસ્વરૂપ શબ્દનું એક અર્થના બોધમાં સામર્થ્ય છે, માટે તેને શબ્દ કહેલ છે.
જાતિ, ગુણ અને ક્રિયાદિ અર્થ છે ઘટાદિ પદાર્થોમાં રહેલી ઘટવાદિ જાતિ, ઘટાદિમાં વર્તતા ગુણો કે ઘટાદિમાં વર્તતી ક્રિયાદિ, ઘટાદિ શબ્દનો અર્થ છે.
જ્ઞાન પ્રત્યય છે વિષયાકારબુદ્ધિની વૃત્તિ છે.
ઇતર ઇતર જુદા જુદા, અધ્યવસાયથી ભિન્ન એવા પણ અર્થાત્ શબ્દથી, અર્થથી અને જ્ઞાનથી જુદો અર્થ ભાસતો હોવાને કારણે ભિન્ન એવા પણ આ શબ્દ, અર્થ અને જ્ઞાનના વ્યવહારમાં બુદ્ધિની એકરૂપતાનું સંપાદન હોવાને કારણે સંકીર્ણપણું છે.
તથાદિ- તે આ પ્રમાણે –
T/HTનય વ્યવહરતિ, “ગાયને લાવ' એ પ્રમાણે કહેવાય છતે કોઈ પુરુષ ગોત્વજાતિથી અવચ્છિન્ન સાસ્નાદિમત્ પિંડરૂપ ગોસ્વરૂપ અર્થને અને તદ્દાચક શબ્દને ગૌરૂપ અર્થના વાચક એવા શબ્દને અને તથ્રાહક એવા જ્ઞાનને ગોરૂપ અર્થના ગ્રાહક એવા બોધને અભેદથી અધ્યવસિત નિશ્ચિત કરે છે, પરંતુ આનો ગોશબ્દ વાચક છે અને આ ગોશબ્દથી વાચ્ય છે અને તે બેનું વાચ્ય અને વાચકરૂપ તે બેનું, આ જ્ઞાન ગ્રાહક છે, એ પ્રકારે ભેદથી વ્યવહાર કરતો નથી. (માટે બુદ્ધિની એકરૂપતાનું સંપાદન હોવાથી શબ્દ, અર્થ અને જ્ઞાનનું સંકીર્ણપણે છે, એમ પૂર્વ સાથે સંબંધ છે.)
કેમ પુરુષ ગોશબ્દ, ગોઅર્થ અને ગોજ્ઞાનને અભેદથી અધ્યવસાય કરે છે તે ‘તથાદિથી સ્પષ્ટ કરે છે –
તથા હિં– તે આ પ્રમાણે –
કોષ્યમ્... નાનાતિ . આ અર્થ શું છે ? આ શબ્દ શું છે ? આ જ્ઞાન શું છે ? એ પ્રમાણે પૂછાયેલો એવો પુરુષ સર્વત્ર ત્રણે પ્રશ્નોના ઉત્તરમાં, એકરૂપ જ સૌ ગાય છે એ પ્રમાણે ઉત્તર આપે છે. જો તે પુરુષ એકરૂપતાને ન સ્વીકારે તો કેવી રીતે ત્રણેયનો એકરૂપ ઉત્તર આપે ?
એકરૂપે રહેલ હોતે છતે શબ્દ, અર્થ અને પ્રત્યયની સંકીર્ણતાને કારણે એકરૂપે રહેલ હોતે છતે, જે આ પ્રવિભાગ છે=જે વાચકપણું છે એ શબ્દનું તત્ત્વ છે, જે વાચ્યપણું છે એ અર્થનું તત્ત્વ છે, જે
Page #59
--------------------------------------------------------------------------
________________
૩૦
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૧૦ પ્રકાશકપણું છે એ જ્ઞાનનું તત્ત્વ છે, એ પ્રમાણે પ્રવિભાગ કરીને, તે પ્રવિભાગમાં જે સંયમ કરે છે અર્થાત્ ધારણા, ધ્યાન અને સમાધિરૂપ સંયમ કરે છે તેને સર્વ મૃગ, પશુ, પક્ષી, સાપ વગેરે ભૂતોના=જીવોના, જે રુત=જે શબ્દ, છે તેમાં જ્ઞાન ઉત્પન્ન થાય છે અર્થાત્ આ જ અભિપ્રાયથી આ પ્રાણી વડે આ શબ્દ ઉચ્ચારણ કરાયો છે એ પ્રમાણે સર્વને જાણે છે. l૩-૧ણી
ભાવાર્થ :
શબ્દ, અર્થ અને બુદ્ધિના વિભાગમાં સંયમ કરવાથી સર્વ પ્રાણીઓના શબ્દનો બોધ :
જેમ પરિણામોમાં સંયમ કરવાથી ભૂત, ભવિષ્યવિષયક જ્ઞાન થાય છે, તેમ શબ્દ, શબ્દથી વાચ્ય અર્થ, અને શબ્દ અને અર્થના કથનથી થતો બોધ, એ ત્રણના વિભાગમાં સંયમ કરવાથી દરેક પ્રાણીઓના શબ્દવિષયક જ્ઞાન થાય છે અર્થાત્ અમુક પ્રાણીએ અમુક શબ્દપ્રયોગ કર્યો, તેનાથી કયા અર્થનો બોધ કરાવવાનો તેનો અભિપ્રાય છે, એ પ્રકારનું જ્ઞાન થાય છે.
આનાથી એ ફલિત થયું કે સંયમરૂપ યોગનું માહાત્ય છે કે આ પ્રકારના વિશિષ્ટ જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. (૧) શબ્દનું સ્વરૂપ :
શબ્દ એટલે શ્રોત્રેન્દ્રિય ગ્રાહ્ય નિયતક્રમવાળા વર્ણરૂપ ઘટ-પટાદિ શબ્દો.
આનાથી એ ફલિત થાય છે કે ઘટને બદલે કોઈ “ટઘ' એમ બોલે તો તે નિયતક્રમવાળો વર્ણ નથી. માટે ‘ટઘ' એ શબ્દ નથી. જ્યારે ઘટ બોલીએ ત્યારે તે નિયતક્રમવાળો વર્ણ છે, આથી જ ઘટ’ શબ્દ બોલવાથી કોઈ અર્થની ઉપસ્થિતિ થાય છે, તેને બદલે ‘ટઘ' એમ બોલવાથી કોઈ અર્થની ઉપસ્થિતિ થતી નથી.
વળી શબ્દને કેટલાક સ્ફોટરૂપ કહે છે. સ્ફોટ એટલે ઉચ્ચારણથી આકાશમાં થતો શબ્દરૂપ ગુણનો ધ્વનિસ્વરૂપ સ્ફોટ. તે ધ્વનિમાં ઘ અને ટ એ પ્રકારનો ક્રમ નથી; આમ છતાં આ ધ્વનિ આ શબ્દનો વાચક છે, એવા પ્રકારની ધ્વનિથી સંસ્કૃત કોઈની બુદ્ધિ હોય, તો તે ધ્વનિથી સંસ્કૃત એવી બુદ્ધિથી ગ્રાહ્ય ઘટરૂપ શબ્દ છે.
આનાથી એ ફલિત થાય કે ઉચ્ચારણ કરનાર પુરુષ અમુક પ્રકારનો ધ્વનિ કરે છે અને તેનાથી આકાશનો ગુણ એવો શબ્દ અભિવ્યક્ત થાય છે અર્થાત્ આકાશમાં રહેલા શબ્દગુણનો સ્ફોટ થાય છે, અર્થાત્ જેમ શરાવમાં રહેલી ગંધ જલથી અભિવ્યક્ત થાય છે શરાવમાં ગંધ સ્પષ્ટ ન હતી, તે તેમાં જલ નાખવાથી સ્પષ્ટ થાય છે, તેમ આકાશનો શબ્દગુણ સ્પષ્ટ ન હતો, તે ઉચ્ચારણની ક્રિયાથી આકાશમાં રહેલો શબ્દગુણ અભિવ્યક્ત થાય છે, તે સ્ફોટરૂપ શબ્દ છે. (૨) અર્થનું સ્વરૂપ
જાતિ, ગુણ અને ક્રિયાદિરૂપ અર્થ છે. જેમ ઘટમાં રહેલી ઘટત્વ જાતિ, ઘટમાં રહેલા રક્તવર્ણાદિ ગુણો અને ઘટમાં રહેલી જલધારણસામથ્યદિરૂપ ક્રિયા, એ ઘટ શબ્દથી વાચ્ય અર્થ છે.
Page #60
--------------------------------------------------------------------------
________________
૩૧
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૧૦ (૩) ધીનું બુદ્ધિનું સ્વરૂપ :
“આ ઘટ છે એ પ્રકારના શબ્દને સાંભળીને, અને અર્થને=પુરોવર્તી રહેલા ઘટરૂપ પદાર્થને, જોઈને, શ્રોતાને ઘટના વિષયના આકારવાળી જે બુદ્ધિની=જ્ઞાનની, પરિણતિ થાય છે, તે ધી=બુદ્ધિ,
શબ્દ, અર્થ અને બુદ્ધિનો અભેદથી અધ્યવસાય :
શબ્દ, અર્થ અને બુદ્ધિનો કઈ રીતે અભેદથી અધ્યવસાય થાય છે? તે ‘:'ના દૃષ્ટાંતથી બતાવે છે –
જેમ કોઈ પુરુષ કહે કે “યં શૌર', તે વખતે ગૌઃ એ પ્રકારનો શબ્દ છે તે વાચક છે; અને : એ પ્રકારના શબ્દથી પુરોવર્તી રહેલ ગૌ રૂપ પશુ તે વાચ્ય અર્થ છે; અને કોઈ પુરુષે ‘યં :” એમ કહ્યું, તે સાંભળીને પુરોવર્સી ગાયમાં જ: એ પ્રકારની બુદ્ધિ=બોધ થાય છે અર્થાત્ ગાય એ પ્રકારના જ્ઞાનની પરિણતિ થાય છે, તે વખતે શબ્દ, અર્થ અને બોધ એ ત્રણનો અભેદથી અધ્યવસાય થાય છે, કેમ કે કોઈ પૂછે કે આ પુરુષે કયો શબ્દ કહ્યો? તો કહેવાય છે કે ‘નૌઃ', આ સામે રહેલો અર્થ શું છે ? તો કહેવાય છે કે “જો:', અને આ શબ્દને સાંભળીને અને આ અર્થને પદાર્થને, જોઈને કોઈને બોધ થાય છે તે બોધ શું છે ? તો કહેવાય છે કે ‘:' ઇત્યાકારક બોધ છે.
આ રીતે ત્રણે પ્રશ્નોનો એક ઉત્તર અપાતો હોવાથી નક્કી થાય છે કે નૌ: ઇત્યાકારક શબ્દ, કૌ: ઇત્યાકારક અર્થ, અને નૌ: ઇત્યાકારક બુદ્ધિ એ ત્રણેનો અભેદથી અધ્યવસાય થાય છે; કેમ કે ત્રણે પ્રશ્નોનો એક જ શબ્દરૂપ ઉત્તર એકરૂપ પ્રતીતિનું નિમિત્ત છે અર્થાત્ નૌ:, :, નૌ: ગાય, ગાય, ગાય એ રૂપ એક જ શબ્દરૂપ ઉત્તર એક પ્રતીતિનું કારણ છે, તેથી : ઇત્યાકારક શબ્દ,
: ઇત્યાકારક અર્થ અને : ઇત્યાકારક બુદ્ધિ એ ત્રણેનો અભેદથી અધ્યવસાય થાય છે. શબ્દ, અર્થ અને બુદ્ધિમાં સંયમ કરવા માટે વિભાગ :
આ રીતે શબ્દ, અર્થ અને બુદ્ધિનો અભેદથી અધ્યવસાય થવા છતાં શબ્દ, અર્થ અને બુદ્ધિમાં સંયમ કરવા અર્થે વિભાગ કરવામાં આવે કે ગાયનો વાચક : ઇત્યાકારક શબ્દ છે, શૌર ઇત્યાકારક અર્થ ગાય શબ્દથી વાચ્ય છે અને ની: ઇત્યાકારક બુદ્ધિ ગાયના સ્વરૂપની ઉપસ્થિતિરૂપ બોધાત્મક જીવની પરિણતિ છે, તેથી પ્રકાશરૂપ છે અર્થાત્ શબ્દની જેમ વાચક નથી અને અર્થની જેમ વાચ્ય નથી, પરંતુ જ્ઞાનસ્વરૂપ છે. શબ્દ, અર્થ અને બુદ્ધિના વિભાગમાં સંયમ કરવાથી સર્વ પ્રાણીઓના શબ્દનું જ્ઞાન :
આ રીતે શબ્દ, અર્થ અને બુદ્ધિનો વિભાગ કર્યા પછી તેમાં ધારણા, ધ્યાન અને સમાધિ માટેનો યત્ન કરવામાં આવે તો સંયમ પ્રગટે છે. તે સંયમથી યોગીને દરેક પ્રાણીઓના શબ્દવિષયક જ્ઞાન થાય છે અર્થાત્ કોઈપણ પ્રાણી પોતાની ભાષામાં શબ્દપ્રયોગ કરે ત્યારે તે યોગી નિર્ણય કરી શકે
Page #61
--------------------------------------------------------------------------
________________
૩૨
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૧૦-૧૮ છે કે આ અભિપ્રાયથી આ પ્રાણીએ આ શબ્દનો ઉચ્ચાર કર્યો છે આ પ્રકારનું વિશિષ્ટ જ્ઞાન થાય છે, તેથી સંયમરૂપ યોગનું આ અદ્ભુત માહાત્મ છે. સ્વદર્શન પ્રમાણે શબ્દ, અર્થ અને બુદ્ધિનું સ્વરૂપ :
સ્વદર્શનની પ્રક્રિયા પ્રમાણે કોઈપણ શબ્દ કોઈક અર્થનો વાચક થાય છે, અને તેનો યથાર્થ બોધ શ્રુતજ્ઞાન કહેવાય છે. વળી સમ્યમ્ શ્રુતજ્ઞાન સર્વજ્ઞકથિત યથાર્થ બોધરૂપ છે, અને સર્વ શ્રુતજ્ઞાન સમ્યક્ પ્રવૃત્તિ કરાવીને જીવને અસંગભાવમાં લઈ જાય છે અને અંતે વીતરાગતાનું કારણ બને છે.
કોઈ પુરુષ તે તે શબ્દો, અને તે તે શબ્દોથી વાચ્ય અર્થ, અને તે શબ્દો અને તે અર્થોથી થતા યથાર્થ બોધનું સમ્યગું જ્ઞાન કરીને, રાગાદિની આકુળતાથી રહિત તે શબ્દ, અર્થ અને બોધના વિભાગમાં ચિત્તને સ્થિર કરે, તો રાગાદિથી અનાકુળ એવું ચિત્તનું સ્વૈર્ય પ્રગટે છે, તે નિષ્પકંપ ચિત્તથી જ્ઞાનાવરણીયાદિ કર્મોનો નાશ થાય છે, જેથી તે તે પ્રકારની બોધ કરવાની શક્તિવિશેષ પ્રગટે છે, તેનાથી સર્વ પ્રાણીઓના અવાજનું જ્ઞાન થાય છે અને કોઈક યોગીને ચૌદ પૂર્વનું જ્ઞાન પણ થાય છે, આ સર્વ યોગનું માહાસ્ય છે.
આ પ્રકારના યોગના માહાસ્યના પ્રકટીકરણમાં અસંગભાવની પરિણતિને અનુકૂળ એવો ચિત્તનો એકાગ્ર ઉપયોગ પ્રબળ કારણ છે, તેનાથી અસંગપરિણતિને અનુકૂળ શુદ્ધ આત્માના ઉપયોગને કારણે જ્ઞાનાવરણીયાદિ કર્મોનો નાશ થાય છે, તેથી અનેક જાતિની અતીન્દ્રિય શક્તિઓ યોગના સેવનથી યોગીને પ્રગટે છે. II3-૧૭ના અવતરણિકા: सिद्ध्यन्तरमाह -
અવતરણિકા :
અન્ય સિદ્ધિને=ધારણા, ધ્યાન અને સમાધિમાં સંયમ કરવાથી યોગીને થતી અન્ય સિદ્ધિને, બતાવે છે –
સૂત્ર :
संस्कारसाक्षात्करणात् पूर्वजातिज्ञानम् ॥३-१८॥ સૂત્રાર્થ :
સંસ્કારના સાક્ષાત્કારથી=બુદ્ધ સંસ્કારથી, પૂર્વજાતિનું જ્ઞાન થાય છે. ll૩-૧૮II ટીકા :
'संस्कारेति'-द्विविधाश्चित्तस्य वासनारूपाः संस्काराः, केचित्स्मृतिमात्रोत्पादनफलाः, केचिज्जात्यायुर्भोगलक्षणविपाकहेतवः, यथा धर्माधर्माख्याः, तेषु संस्कारेषु यदा संयम
Page #62
--------------------------------------------------------------------------
________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / વિભૂતિપાદ | સૂત્ર-૧૮
करोति 'एवं मया सोऽर्थोऽनुभूत' ' एवं मया सा क्रिया निष्पादितेति' पूर्ववृत्तमनुसन्दधानो भावयन्नेव (भावयति तदा) प्रबोधकमन्तरेणोद्बुद्धसंस्कारः सर्वमतीतं स्मरति, क्रमेण साक्षात्कृतेषूद्बुद्धेषु संस्कारेषु पूर्वजन्मानुभूतानपि जात्यादीन् प्रत्यक्षेण पश्यति ॥३-१८॥
ટીકાર્ય :
द्विविधा: પતિ । ચિત્તના વાસનારૂપ સંસ્કારો બે પ્રકારના છે
=
33
(૧) કેટલાક સ્મૃતિમાત્ર ઉત્પન્ન કરવાના ફળવાળા છે (૨) અને કેટલાક જાતિ, આયુષ્ય અને ભોગસ્વરૂપ વિપાક્ના કારણો છે. જે પ્રમાણે - ધર્મ, અધર્મ નામના સંસ્કારો.
તે સંસ્કારોમાં જ્યારે યોગી સંયમ કરે છે કે, આ રીતે ‘મારા વડે તે અર્થ અનુભવાયો', આ રીતે તે ક્રિયા નિષ્પન્ન કરાઈ' એ પ્રકારે પૂર્વ વૃત્તનું=પૂર્વે થયેલાનું, અનુસંધાન કરતો ભાવન કરે છે ત્યારે પ્રબોધક વગર ઉદ્બદ્ધ સંસ્કારવાળો એવો=જાગૃત થયેલા સંસ્કારવાળો એવો, તે યોગી સર્વ અતીતને= ભૂતકાળને સ્મરણ કરે છે=ક્રમથી સાક્ષાત્ કરાયેલ ઉબુદ્ધ સંસ્કારોમાં, પૂર્વજન્મમાં અનુભવાયેલ જાતિ આદિને પ્રત્યક્ષથી જુએ છે. II૩-૧૮
ભાવાર્થ :
સંસ્કારોમાં સંયમ કરવાથી પૂર્વજાતિઓની અનુસ્મૃતિ :
કોઈ યોગી સંસ્કારમાં ધારણા, ધ્યાન અને સમાધિરૂપ સંયમ કરે તો તે સંયમથી, પૂર્વભવમાં અનુભવેલ જાતિઓની અવબોધક સામગ્રી વગર જ સ્મૃતિ થાય છે. તે સંસ્કાર બે પ્રકારના છે : (૧) સ્મૃતિમાત્ર ફળવાળા સંસ્કારો :
કોઈ વસ્તુવિષયક વિચારણા કરવામાં આવે, તેનાથી જે સંસ્કાર પડે છે, તે સંસ્કારથી ઉત્તરમાં તે વસ્તુનું સ્મરણ થાય છે, તેથી એક પ્રકારના સંસ્કારો સ્મૃતિમાત્રફળવાળા છે. (૨) જાતિ, આયુષ્ય અને ભોગસ્વરૂપ ફળના સંસ્કારો :
વળી કોઈક ધર્મની કે અધર્મની ક્રિયાઓ કરવામાં આવે છે ત્યારે, તેનાથી તે ક્રિયાઓના આત્મામાં સંસ્કાર પડે છે, તે ધર્મ-અધર્મરૂપ છે, અને તેનું ફળ જાતિ, આયુષ્ય અને ભોગ છે અર્થાત્ તે ક્રિયાના ફળરૂપે જીવને બીજા ભવમાં તે ધર્મ-અધર્મને અનુરૂપ ભોગસામગ્રી મળે છે, તેથી ધર્મ કે અધર્મરૂપ કરાયેલી ક્રિયાઓ જાતિ, આયુષ્ય અને ભોગસ્વરૂપ વિપાકનું કારણ બને એવા સંસ્કારવાળી છે.
આ બંને પ્રકારના પોતાનામાં પડેલા સંસ્કારોમાં ધારણા, ધ્યાન અને સમાધિરૂપ સંયમ કરવામાં આવે અર્થાત્ ‘તે પદાર્થ મારા વડે આ રીતે અનુભવાયો’ અને ‘તે ક્રિયાઓ મારા વડે આ રીતે કરાઈ’ એ પ્રકારની ભાવનાથી સંસ્કારમાં સંયમ કરવામાં આવે, તો સંયમ કરનાર યોગીને પોતે પૂર્વભવમાં અનુભવેલી જાતિ આદિનું સ્મરણ થાય છે, અને તે સ્મરણ થવામાં બાહ્ય કોઈ અવબોધક સામગ્રીની અપેક્ષા રહેતી નથી, પરંતુ સંસ્કારમાં કરેલા સંયમના ફળરૂપે તે પ્રકારનો બોધ થાય છે. II૩-૧૮॥
Page #63
--------------------------------------------------------------------------
________________
૩૪
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૧૯-૨૦ અવતરણિકા :
सिद्ध्यन्तरमाह - અવતરણિકાર્ય :
અન્ય સિદ્ધિને ધારણા, ધ્યાન અને સમાધિમાં યત્ન કરવાથી યોગીને થતી અન્ય સિદ્ધિને, હે છે –
સૂત્ર :
प्रत्ययस्य परचित्तज्ञानम् ॥३-१९॥
સૂત્રાર્થ :
પ્રત્યયના સંયમમાં પરચિત્તનું જ્ઞાન થાય છે. Il3-૧૯ll ટીકા :
'प्रत्ययस्येति'-प्रत्ययस्य परचित्तस्य केनचिन्मुखरागादिना लिङ्गेन गृहीतस्य यदा संयम करोति तदा परकीयचित्तस्य ज्ञानमुत्पद्यते सरागमस्य चित्तं विरागं वेति, परचित्तगतानपि થHજ્ઞાનાતીર્થ: રૂ-૨? ટીકાર્ય :
પ્રત્યયી .... રૂત્યર્થ: તે પરના ચિત્તના કોઈ મુખરાગાદિ લિંગ દ્વારા ગ્રહણ કરાયેલ એવા પ્રત્યયનો=જ્ઞાનનો, જ્યારે સંયમ કરે છે ત્યારે પરકીય ચિત્તનું જ્ઞાન=બીજાના ચિત્તનું જ્ઞાન, ઉત્પન્ન થાય છે કે આનું સરાગ-રાગવાળું, ચિત્ત છે કે વિરાગ-રાગ વગરનું, ચિત્ત છે અર્થાત્ પરના=બીજાના ચિતગત પણ ચિત્તમાં રહેલા પણ, ધર્મોને જાણે છે એ પ્રમાણે અર્થ છે. l૩-૧૯ll અવતરણિકા :
अस्यैव परचित्तज्ञानस्य विशेषमाह - અવતરણિકાર્ય :
આના સંયમના વિષયભૂત જ એવા પરચિત્તના જ્ઞાનના, વિશેષને કહે છે – સૂત્રઃ
न च तत् सालम्बनं तस्याविषयीभूतत्वात् ॥३-२०॥ સૂત્રાર્થ :
અને તે સંયમના વિષયભૂત એવું પરનું જે ચિત્ત છે તે, સાલંબન નથી અર્થાત તેના
Page #64
--------------------------------------------------------------------------
________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / વિભૂતિપાદ / સૂત્ર-૧૯-૨૦
ચિત્તમાં કયા પ્રકારના ભાવો વર્તે છે તે પ્રકારના આલંબન સહિત પરનું ચિત્ત સંયમનું આલંબન નથી પરંતુ તેના મુખરાગાદિથી યુક્ત એવું બાહ્ય ચિત્ત સંયમનું આલંબન છે; કેમ કે તેનું અવિષયીભૂતપણું છે અર્થાત્ પરના ચિત્તમાં વર્તતા ભાવોનું અવિષયીભૂતપણું છે.
||૩-૨૦||
૩૫
ટીકા :
'नेति' - तस्य = परस्य यच्चित्तं तत्सालम्बनं स्वकीयेनाऽऽलम्बनेन सहितं न शक्यते ज्ञातुमालम्बनस्य केनचिल्लिङ्गेनाविषयीकृतत्वात्, लिङ्गाच्चित्तमात्रं परस्यावगतं न तु नीलविषयमस्य चित्तं पीतविषयमिति वा, यच्च न गृहीतं तत्र संयमस्य कर्तुमशक्यत्वान्न भवति परचित्तस्य यो विषयस्तत्र ज्ञानम् तस्मात् परकीयचित्तं नाऽऽलम्बनसहितं गृह्यते, तस्याऽऽलम्बनस्यागृहीतत्वात्, चित्तधर्माः पुनर्गृह्यन्त एव यदा तु किमनेनाऽऽलम्बितमिति प्रणिधानं करोति तदा तत्संयमात् तद्विषयमपि ज्ञानमुत्पद्यते एव ॥३-२०॥
ટીકાર્ય :
तस्य વ ॥ તેનું=પરનું, જે ચિત્ત તે સાલંબન=સ્વકીય આલંબનથી સહિત, જાણવા માટે શક્ય નથી; કેમ કે કોઈ લિંગ વડે આલંબનનું અવિષયીકૃતપણું છે અર્થાત્ કોઈ લિંગ વડે તેના ચિત્તના વિષયભૂત પદાર્થને ગ્રહણ કરી શકાય તેમ નથી.
કોઈ લિંગ વડે તેના ચિત્તનું આલંબન પોતાના જ્ઞાનનો અવિષય કેમ છે ? તે સ્પષ્ટ કરે છે
લિંગથી પરનું ચિત્તમાત્ર ણાયું, પરંતુ નીલવિષયવાળું આનું ચિત્ત છે કે પીતવિષયવાળું આનું ચિત્ત છે એ ણાયું નથી; અને જે ગ્રહણ કરાયેલ નથી-લિંગ દ્વારા ગ્રહણ કરાયેલું નથી, ત્યાં સંયમનું કરવા માટે અશક્યપણું હોવાથી પરચિત્તનો જે વિષય ત્યાં જ્ઞાન થતું નથી તે કારણથી પરકીય ચિત્ત આલંબન સહિત ગ્રહણ કરાતું નથી; કેમ કે તે આલંબનનું અગૃહીતપણું છે અર્થાત્ ચિત્તના આલંબન ભૂત વિષય યોગીથી ગ્રહણ કરાયેલ નથી. વળી ચિત્તના ધર્મો ગ્રહણ કરાય છે. વળી જ્યારે આના દ્વારા શું આલંબન કરાયું છે ? એ પ્રકારનું પ્રણિધાન કરે છે ત્યારે તેમાં સંયમથી=પરચિત્તના વિષયમાં ધારણા, ધ્યાન અને સમાધિરૂપ સંયમથી, તેના વિષયવાળું પણ=પરચિત્તના વિષયવાળું પણ, જ્ઞાન ઉત્પન્ન થાય છે જ. ||૩-૨૦॥
ભાવાર્થ :
પરચિત્તમાં સંયમ કરવાથી પરચિત્તગત સર્વભાવોનું જ્ઞાન :
કોઈ યોગી પુરુષ કોઈક મુખરાગાદિ લિંગ દ્વારા અન્ય પુરુષના ચિત્તનું ગ્રહણ કરે અર્થાત્ આ પુરુષ કાંઈક આવા પ્રકારનું ચિંતવન કરી રહ્યો છે, તેથી તેના મુખ ઉપર આવા આવા પ્રકારના ભાવો ઉપસેલા દેખાય છે. આ પ્રકારના બાહ્ય મુખરાગાદિથી કોઈના ચિત્તને ગ્રહણ કર્યા પછી તેના ઉપર
Page #65
--------------------------------------------------------------------------
________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૨૦-૨૧ ધારણા, ધ્યાન અને સમાધિરૂપ સંયમ કરે તો તે યોગીને તે અન્ય પુરુષ શું વિચાર કરી રહ્યો છે, તેના ચિત્તના બધા ભાવોનું જ્ઞાન થાય છે અર્થાત્ આ પુરુષે કોઈ પ્રત્યેના રાગથી વિચારણા કરી છે અથવા તો આ પુરુષે અન્ય પ્રત્યેના રાગભાવથી વિચારણા કરી નથી, તે પ્રકારનો નિર્ણય કરી શકે છે. વળી તે પુરુષ જે વસ્તુનો વિચાર કરે છે, તેના વિષયભૂત પદાર્થ નીલ છે કે પીત છે, તે સર્વનું જ્ઞાન તે યોગીને થાય છે, ફક્ત જ્યારે મુખના ઉપરાગ દ્વારા તે પુરુષના ચિત્તને યોગીએ ગ્રહણ કરેલ, ત્યારે તે પુરુષના ચિત્તમાં કયા વિશેષ પ્રકારના અંતરંગ ભાવો વર્તે છે, તેનું જ્ઞાન યોગીને મુખરાગાદિ દ્વારા થયેલું ન હતું; કેમ કે બાહ્ય લિંગમાત્રથી તેના ચિત્તમાં નીલવિષયક કે પીતવિષયક વિચારણા છે તેવો નિર્ણય થઈ શકતો નથી, આમ છતાં તેના ચિત્તનું આલંબન લઈને યોગી સંયમ કરે તે સંયમકાળમાં તેના ચિત્તના વિશેષ ભાવોનો યોગીને બોધ ન હતો, પરંતુ તેના ચિત્તમાં વર્તતા બાહ્ય આકારોને અવલંબીને આ જાતના તેના મુખવિકારોથી તેના ચિત્તમાં કયા ભાવો વર્તે છે, એ પ્રકારના જાણવાના પ્રણિધાનથી યોગી જ્યારે સંયમ કરે છે, ત્યારે તે સંયમના બળથી તે પુરુષના ચિત્તમાં વર્તતા સર્વ ભાવોનો બોધ તે યોગીને થાય છે. II૩-૨૦
39
અવતરણિકા :
सिद्ध्यन्तरमाह
અવતરણિકાર્ય :
અન્ય સિદ્ધિને=ધારણા, ધ્યાન અને સમાધિમાં યત્ન કરવાથી યોગીને થતી અન્ય સિદ્ધિને, વ્હે
છે
સૂત્ર :
कायरूपसंयमात् तद्ग्राह्यशक्तिस्तम्भे चक्षुष्प्रकाशासम्प्रयोगेऽन्तर्धानम्
૫૨-૨૬૫
સૂત્રાર્થ :
કાયાના રૂપમાં સંયમથી તેનાથી ગ્રાહ્ય શક્તિનો સ્તંભ થયે છતે=ચક્ષુથી ગ્રાહ્ય એવી રૂપશક્તિનો સ્તંભ થયે છતે, ચક્ષુના પ્રકાશના અસંપ્રયોગમાં=યોગીના શરીરને જોવા માટે પ્રવૃત્ત એવા પુરુષના ચક્ષુના પ્રકાશનો યોગીના શરીર સાથે અસંયોગમાં, યોગીનું અંતર્ધાન થાય છે=યોગી કોઈનાથી જોવાતા નથી. II3-૨૧]I
ટીકા :
‘कायेति’-कायः शरीरं तस्य रूपं चक्षुर्ग्राह्यो गुणः तस्मिन् नास्त्यस्मिन् काये रूपमिति संयमात् तस्य=रूपस्य, चक्षुर्ग्राह्यत्वरूपा या शक्तिस्तस्याः स्तम्भे = भावनावशात् प्रतिबन्धे,
Page #66
--------------------------------------------------------------------------
________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૨૧
૩૭ चक्षुष्प्रकाशासंयोगे-चक्षुषः प्रकाशः सत्त्वधर्मस्तस्यासंयोगे, तद्ग्रहणव्यापाराभावे योगिनोऽन्तर्धानं भवति, न केनचिदसौ दृश्यत इत्यर्थः, एतेनैव रूपाद्यन्तर्धानोपायप्रदर्शनेन शब्दादीनां श्रोत्रादिग्राह्याणामन्तर्धानमुक्तं वेदितव्यम् ॥३-२१॥ ટીકાર્ય :
hય: .....વૈવિતવ્યમ્ II કાય=શરીર, તેનું રૂપ ચક્ષુગ્રાહા ગુણ, તેમાં કાયાના રૂપમાં, આ કાયામાં રૂપ નથી એ પ્રકારનો સંયમ કરવાથી તેની=રૂપની, ચક્ષુગ્રાહાપણારૂપ જે શક્તિ, તેનું સ્તંભન થયે છતે સંયમકાળમાં વર્તતી ભાવનાના વશથી ચક્ષુગ્રાહા શક્તિનો પ્રતિબંધ થયે છતે, ચક્ષુના પ્રકાશના અસંયોગમાં યોગીના દેહને જોનારા જીવોના ચસુનો જે સર્વધર્મરૂપ પ્રકાશ તેના અસંયોગમાં, તેના ગ્રહણના વ્યાપારના અભાવ હોતે છતે, યોગીનું અંતર્ધાન થાય છે અર્થાત્ કોઈના વડે આ યોગી દેખાતા નથી. આનાથી રૂપાદિ અંતર્ધાનના ઉપાયના પ્રદર્શનથી જ, શ્રોત્રાદિ ગ્રાહા એવા શબ્દાદિનું અંતર્ધાન કહેવાયેલું જાણવું. ll૩-૨૧l ભાવાર્થ : કાયરૂપ શક્તિના સ્તંભનમાં સંચમ કરવાથી તિરોધાન :
યોગીને અદશ્ય થવું હોય ત્યારે કાયાના રૂપની શક્તિના સ્તંભનમાં ધારણા, ધ્યાન અને સમાધિરૂપ સંયમ કરે છે, તેથી યોગીના રૂપનું તિરોધાન થાય છે. પોતાને અદશ્ય થવા માટે યોગી ચક્ષુથી ગ્રાહ્ય એવું જે પોતાનું રૂપ છે, તે રૂપ મારી કાયામાં નથી, એ પ્રકારનો ઉપયોગ કરીને ધારણા, ધ્યાન અને સમાધિરૂપ સંયમ કરે છે, અને તે સંયમથી યોગીના દેહમાં જે રૂપ છે, તેમાં ચક્ષુગાધતારૂપ શક્તિના સ્તંભનમાં સંયમના બળથી ભાવના પેદા થાય છે અને તે ભાવનાના વશથી યોગીનું ચક્ષુગ્રાહ્ય રૂપ પ્રતિબંધ પામે છે અર્થાત્ ચક્ષુગ્રાહ્ય શક્તિ નાશ પામે છે, તેથી યોગીનો દેહ તિરોધાન થાય છે; કેમ કે કોઈના દેહના રૂપને જોનાર એવી જે ચક્ષુ છે, તે પ્રકાશરૂપ સાત્ત્વિકધર્મવાળી છે, અને તે ચક્ષુ યોગીના દેહમાં રહેલા રૂપને ગ્રહણ કરવા માટે વ્યાપાર કરી શકતી નથી, તેથી સંયમવાળા યોગી કોઈનાથી દેખાતા નથી. વિશેષાર્થ :
પાતંજલ મત પ્રમાણે ચહ્યું પ્રકાશરૂપ સાત્ત્વિકધર્મવાળી છે, અને તે ચક્ષુ પદાર્થના રૂપને ગ્રહણ કરવા માટે સમર્થ છે; આમ છતાં પરમાણુ આદિમાં રહેલા રૂપને ચહ્યું ગ્રહણ કરી શકતી નથી. તેમ જે યોગી “મારા દેહમાં રૂપ નથી', એ પ્રકારની ભાવનાથી જયારે સંયમમાં યત્ન કરે ત્યારે તે યોગીમાં પ્રકર્ષવાળી થયેલી તે ભાવનાના વશથી યોગીના દેહમાં વર્તતા રૂપમાં ચક્ષુગ્રાહ્ય શક્તિનું સ્તંભન થાય છે, તેથી યોગીના દેહનું રૂપ ચક્ષુ દ્વારા ગ્રહણ થતું નથી.
પૂર્વમાં જેમ દેહના રૂપના સ્તંભન માટે સંયમ કરવાથી યોગી અદશ્ય થાય છે એમ બતાવ્યું, તેમ કોઈ યોગી પોતાના શબ્દાદિને કોના દ્વારા શ્રોત્રેન્દ્રિયથી ગ્રાહ્ય ન થાય તદર્થે શબ્દાદિમાં સંયમ
Page #67
--------------------------------------------------------------------------
________________
30
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૨૧-૨૨ કરે અર્થાત્ “આ શબ્દ શ્રોત્રેન્દ્રિય ગ્રાહ્ય નથી’ એ પ્રકારની ભાવના કરીને શબ્દમાં સંયમ કરે, તો તે યોગીના શબ્દો પણ અન્ય દ્વારા ગ્રહણ ન થાય. એ જ રીતે રસ, ગંધ અને સ્પર્શના સ્તંભન માટે પણ યોગી સંયમ કરે તો યોગીના રસ, ગંધ અને સ્પર્શ પણ અન્ય દ્વારા ગ્રહણ ન થાય. ll૩-૨૧ अवतरदिशा:
सिद्ध्यन्तरमाह - અવતરણિતાર્થ :
અન્ય સિદ્ધિને ધારણા, ધ્યાન અને સમાધિમાં યત્ન કરવાથી યોગીને થતી અન્ય સિદ્ધિને, કહે छे
सूत्र:
सोपक्रमं निरुपक्रमं च कर्म तत्संयमादपरान्तज्ञानमरिष्टेभ्यो वा ॥३-२२॥ सूत्रार्थ :
સોપક્રમ અને નિરપક્રમ કર્મ છે. તેમાં સોપકમ અને નિરપક્રમ કર્મમાં, સંયમ કરવાથી અપરાંત જ્ઞાન થાય છે=શરીરના વિયોગનું જ્ઞાન થાય છે અથવા અરિષ્ટોથી અપરાંતજ્ઞાન थाय छे. ॥3-२२|| टीडा : ___ 'सोपक्रममिति'-आयुर्विपाकं यत् पूर्वकृतं कर्म तद् द्विप्रकारं सोपक्रमं निरुपक्रमं च, तत्र सोपक्रमं यत्फलजननायोपक्रमेण कार्यकरणाभिमुख्येन सह वर्तते, यथोष्णप्रदेशे प्रसारितमावासः शीघ्रमेव शुष्यति, उक्तरूपविपरीतं निरुपक्रमं यथा तदेवाऽऽर्द्रवासः संवर्तितमनुष्णदेशे चिरेण शुष्यति, तस्मिन् द्विविधे कर्मणि यः संयमं करोति किं कर्म शीघ्रविपाकं चिरविपाकं वा, एवं ध्यानदाढादपरान्तज्ञानमस्योत्पद्यते अर्थात् अपरान्त:शरीरवियोगस्तस्मिज्ञानममुष्मिन् कालेऽमुष्मिन् देशे मम शरीरवियोगो भविष्यतीति निःसंशयं जानाति, अरिष्टेभ्यो वा, अरिष्टानि त्रिविधानि-आध्यात्मिकाधिभौतिकाधिदैविकभेदेन, तत्राऽऽध्यात्मिकानि पिहितकर्णः कोष्ठ्यस्य वायो?षं न शृणोतीत्येवमादीनि, आधिभौतिकानि अकस्माद्विकृतपुरुषदर्शनादीनि, आधिदैविकानि अकाण्ड एव द्रष्टुमशक्यस्वर्गादिपदार्थदर्शनादीनि, तेभ्यः शरीरवियोगकालं जानाति, यद्यपि अयोगिनामप्यरिष्टेभ्यः प्रायेण तज्ज्ञानमुत्पद्यते तथाऽपि तेषां सामान्याकारेण तत्संशयरूपं, योगिनां पुनर्नियतदेशकालतया प्रत्यक्षवदव्यभिचारि ॥३-२२॥
Page #68
--------------------------------------------------------------------------
________________
૩૯
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૨૨ ટીકાર્ય :
ઉના: ૩વ્યમરિ આયુષ્યરૂપ વિપાકવાનું જે પૂર્વમાં કરાયેલું કર્મ તે બે પ્રકારનું છે – (૧) સોપક્રમ અને (૨) નિરુપક્રમ ત્યાં બે પ્રકારના આયુષ્યકર્મમાં, જે ફળ ઉત્પન કરવા માટે ઉપક્રમથી કાર્યકરણના અભિમુખપણા સાથે વર્તે તે સોપક્રમ કર્મ છે.
જે પ્રમાણે-ઉષ્ણપ્રદેશમાં પ્રસારિત સુકવવા માટે પહોળું કરેલું, ભીનું વસ્ત્ર જલ્દી સુકાઈ જાય છે. કહેવાયેલા સ્વરૂપથી વિપરીત સોપક્રમ કર્મથી વિપરીત, નિરુપક્રમ કર્મ છે.
જે પ્રમાણે-તે જ ભીનું વસ્ત્ર સંવર્તિત સુક્વવા માટે પહોળું નહિ કરેલું, અનુષ્ણદેશમાં લાંબાકાળે સુકાય છે.
તે બે પ્રકારના કર્મમાં=સોપક્રમ અને નિરુપક્રમ કર્મમાં, જે સંયમ કરે છે કે શું કર્મ શીઘ્રવિપાક્વાળું છે કે ચિરવિપાવાનું છે ? એ પ્રકારે બોધને અનુકૂળ સંયમ કરે છે.
આ રીતે બે પ્રકારના કર્મમાં સંયમ કરે છે એ રીતે ધ્યાનમાં દઢતાથી આને સંયમ કરનાર યોગીને, અપરાંતનું જ્ઞાન ઉત્પન્ન થાય છે.
અપરનો અંતરઆત્માથી ભિન્ન એવું અપર શરીર, તેનો અંત વિયોગ, તેના વિષયમાં જ્ઞાન ઉત્પન્ન થાય છે કે અમુક કાળમાં અમુક દેશમાં મારા શરીરનો વિયોગ થશે એ પ્રકારે સંદેહરહિત જાણે છે અથવા અરિષ્ટોથી અપરાંતનું જ્ઞાન થાય છે, એમ અન્વય છે.
આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક ભેદથી અરિષ્ટો ત્રણ પ્રકારના છે.
તેમાં ત્રણ પ્રકારના અરિષ્ટોમાં પિહિત કર્ણવાળો=બંધ કરેલા કાનવાળો, ઘોષને ન સાંભળે ઇત્યાદિ આધ્યાત્મિક અરિષ્ટ છે, અકસ્માતુ-એકાએક, વિકૃત પુરુષના દર્શનાદિ આધિદૈવિક અરિષ્ટ છે અને અકાંડે-અકાળે, જોવા માટે અશક્ય એવા સ્વગાદિ પદાર્થના દર્શનાદિ આધિદૈવિક અરિષ્ટ છે. તેનાથી યોગી શરીરના વિયોગના કાળને જાણે છે.
જો કે અયોગીઓને પણ અનિષ્ટોથી પ્રાય: કરીને તેનું જ્ઞાન=શરીરના વિયોગનું જ્ઞાન, ઉત્પન થાય છે. તોપણ તેઓને સામાન્ય આકારથી તે સંશયરૂપ છે. વળી યોગીને નિયત દેશ અને નિયત કાળપણાથી પ્રત્યક્ષની જેમ આવ્યભિચારી છે. ll૩-૨૨ા.
ભાવાર્થ :
ક્રમભેદવિષયક સંયમ કરવાથી અપરાંતબુદ્ધિ અથવા અરિષ્ટોથી અપરાંતબુદ્ધિઃ
આયુષ્ય કર્મના બે ભેદો છે – (૧) સોપક્રમ અને (૨) નિરુપક્રમ.
(૧) સોપક્રમ કર્મ :- ઉપક્રમથી સહિત કાર્ય કરવાને અભિમુખપણાથી ફળ ઉત્પન્ન કરવા માટે પ્રવૃત્ત થાય છે.
Page #69
--------------------------------------------------------------------------
________________
४०
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૨૨ જેમ ઉષ્ણપ્રદેશમાં વિસ્તાર કરાયેલું વસ્ત્ર શીધ્ર સુકાઈ જાય છે, તેમ જેનું સોપક્રમ આયુષ્ય કર્મ હોય તે ઉપક્રમ પામીને શીધ્ર પૂર્ણ થાય છે.
(૨) નિરુપક્રમ કર્મ :- સોપક્રમ કર્મથી વિપરીત છે. જેમ ભીનું વસ્ત્ર પિડીકૃત કરાયેલું અનુષ્ણ દેશમાં મૂકવામાં આવે તો લાંબા કાળ સુકાય છે, તેમ જે આયુષ્ય કર્મ જેટલી સ્થિતિવાળું બંધાયેલું હોય તે કર્મ તેટલું ક્રમસર ઉદયમાં આવીને ભોગવાય, તે નિરુપક્રમ આયુષ્ય કર્મ જાણવું.
એ રીતે અન્ય પણ કર્મના ભેદો જાણવા=નિધત્ત, અનિધત્ત, નિકાચિત, અનિકાચિત આદિ કર્મોના ભેદો જૈન પ્રક્રિયા અનુસાર જાણવા.
આયુષ્ય કર્મોના સોપક્રમ અને નિરુપક્રમનું યથાર્થ જ્ઞાન કરીને તે ભેદોમાં ધારણા, ધ્યાન અને સમાધિરૂપ સંયમ કરવાથી=આ કર્મ સોપકમ હોવાથી શીઘ વિપાકવાળું છે અને આ કર્મ નિરુપક્રમ હોવાથી ક્રમસર વિપાકવાળું છે ઇત્યાદિ ઉપયોગની દઢતાથી જનિત એવો સંયમ કરવાથી, અપરાંતનું જ્ઞાન થાય છે યોગીને પોતાના શરીરનો વિયોગ નિયત દેશમાં અને નિયત કાળમાં થશે, તેવો નિર્ણય થાય છે.
વળી અરિષ્ટોથી પણ યોગીને અપરાંત બુદ્ધિ થાય છે. તે અરિષ્ટો ત્રણ પ્રકારનાં છે : (૧) આધ્યાત્મિક, (૨) આધિભૌતિક અને (૩) આધિદૈવિક.
(૧) આધ્યાત્મિક અરિષ્ટ :- કર્ણનું પિધાન કરવાથી અર્થાત્ કર્ણને ઢાંકવાથી કોફ્ટ વાયુના ઘોષનું જે અશ્રવણ થાય તે આધ્યાત્મિક અરિષ્ટ છે, અને તેનાથી યોગીને અપરાંતબુદ્ધિ થાય છે.
સામાન્યથી કર્ણને હાથથી ઢાંકવામાં આવે ત્યારે કાનમાં કોફ્ટ વાયુના ઘોષનું શ્રવણ થાય છે, પરંતુ જ્યારે મૃત્યુ નજીક હોય ત્યારે તે રીતે કર્ણને હાથથી ઢાંકવામાં આવે ત્યારે કોફ્ટ વાયુના ઘોષનું શ્રવણ થતું નથી, તેથી યોગી નક્કી કરી શકે છે કે મારું મૃત્યુ નજીક છે. . (૨) આધિભૌતિક અરિષ્ટ :- આકસ્મિક વિકૃત પુરુષનું દર્શન થાય તે આધિભૌતિક અરિષ્ટ છે, તેનાથી યોગીને અપરાંતબુદ્ધિ થાય છે.
સામાન્યથી સન્મુખ રહેલ પુરુષ જે આકારવાળા હોય તે આકારવાળા દેખાય, પરંતુ ક્યારેક અકસ્માત સન્મુખ રહેલ પુરુષ જે આકારવાળા હોય તેનાથી વિકૃત આકારવાળા દેખાય, તેનાથી યોગી નક્કી કરી શકે છે કે મારું મૃત્યુ નજીક છે.
(૩) આધિદૈવિક અરિષ્ટ :- અશક્ય એવા સ્વર્ગાદિ પદાર્થનું દર્શન થાય તે આધિદૈવિક અરિષ્ટ છે, અને તેનાથી યોગી નક્કી કરી શકે છે કે મારું મૃત્યુ નજીક છે.
સામાન્યથી સ્વર્ગાદિ પદાર્થનું દર્શન કોઈને થતું નથી, તેથી સ્વર્ગ કે નરક આદિનું દર્શન અશક્ય છે; આમ છતાં અશક્ય એવા સ્વર્ગાદિ પદાર્થોનું દર્શન થાય છે, તેનાથી યોગી નક્કી કરી શકે છે કે મારું મૃત્યુ નજીક છે.
અહીં પ્રશ્ન થાય કે ધારણા, ધ્યાન અને સમાધિરૂપ સંયમ કરનાર યોગીને અરિષ્ટો દ્વારા જે
Page #70
--------------------------------------------------------------------------
________________
૪૧
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૨૨-૨૩ અપરાંતબુદ્ધિ થાય છે મૃત્યુનું જ્ઞાન થાય છે, તેમ જે યોગી નથી, તેઓને પણ ત્રણ પ્રકારના અરિષ્ટોથી મૃત્યુનું જ્ઞાન થાય છે. તે બે વચ્ચેનો ભેદ શું છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
યોગીઓને જે અપરાંતબુદ્ધિ થાય છે, તે નિયત દેશ અને નિયત કાળમાં મારું મૃત્યુ થશે, તેવા નિર્ણયરૂપ હોય છે, અને અયોગીઓને આધ્યાત્મિક આદિ અરિષ્ટોના દર્શનથી સંશયયુક્ત એવા મૃત્યુની સામાન્યથી બુદ્ધિ થાય છે અર્થાત્ નજીકમાં મારું મૃત્યુ છે, તેવી સંભાવના માત્ર જણાય છે, પરંતુ સંયમ કરનાર યોગીની જેમ આ દેશમાં અને આ કાળમાં મારું મૃત્યુ થશે, તેવો નિર્ણય થતો નથી. II3-૨શા અવતરણિકા :
परिकर्मनिष्पादिताः सिद्धीः प्रतिपादयितुमाह - અવતરણિયાર્થ:
પરિકર્મથી નિષ્પાદિત ઉત્પન્ન થયેલી, સિદ્ધિને પ્રતિપાદન કરવા માટે કહે છે – ભાવાર્થ :
યોગીપુરુષ પોતાના આત્માને મૈત્રી આદિ ભાવોથી પરિકર્ષિત કરે અને ત્યારપછી તે ભાવોમાં ધારણા, ધ્યાન અને સમાધિરૂપ સંયમ કરે તો તે પરિકર્મથી ઉત્પન્ન થયેલી સિદ્ધિને બતાવવા માટે પતંજલિઋષિ કહે છે – સૂત્ર :
પૈદ્યાર્ષિ વનાનિ રૂ-૨રૂા સૂત્રાર્થ:
મેગ્યાદિમાં જે સંયમ કરવામાં આવે તેનાથી મેગાદિ ચાર ભાવોના પ્રકર્ષની પ્રાપ્તિરૂપ બળો પ્રાપ્ત થાય છે. Il3-૨૩ll ટીકા : ___ 'मैत्र्यादिष्विति'-मैत्रीकरुणामुदितोपेक्षासु यो विहितसंयमस्तस्य बलानि मैत्र्यादीनां सम्बन्धीनि प्रादुर्भवन्ति, मैत्रीकरुणामुदितोपेक्षास्तथाऽस्य प्रकर्षं गच्छन्ति यथा सर्वस्य મિત્રત્વમિયં પ્રતિપદાજે રૂ-૨રૂા. ટીકાર્ય :
મૈત્રી. પ્રતિપદ્યતે | મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષામાં કરાયેલો જે સંયમ, તેમને મૈત્રાદિ સંબંધી બળો પ્રાદુર્ભાવ પામે છે-મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા તે પ્રકારે આમનેસંયમ કરનાર
Page #71
--------------------------------------------------------------------------
________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૨૩-૨૪ યોગીને, પ્રકર્ષ પામે છે. જે પ્રમાણે-સર્વના=સર્વજીવોના, મિત્રત્વ વગેરેને આયોગી, પ્રાપ્ત કરે છે.
||૩-૨૩||
ભાવાર્થ:
મૈત્ર્યાદિમાં સંયમ કરવાથી મૈત્ર્યાદિનાં બળોની પ્રાપ્તિ=મૈત્રાદિનો પ્રકર્ષ :
કોઈ યોગી મૈત્યાદિ ચાર ભાવનાઓના સ્વરૂપનો યથાર્થ બોધ કરે અને ત્યારપછી તે ભાવનાઓના સ્વરૂપમાં સંયમ કરે તો તે મૈત્ર્યાદિ ચારે ભાવો તે યોગીમાં પ્રકર્ષવાળા થાય છે. તેથી તે યોગી સર્વ જીવો પ્રત્યે મિત્રપણાદિની ભાવનાઓથી ભાવિત બને છે. II૩-૨૩][
૪૨
અવતરણિકા :
सिद्ध्यन्तरमाह -
અવતરણિકા :
અન્ય સિદ્ધિને=ધારણા, ધ્યાન અને સમાધિમાં યત્ન કરવાથી યોગીને થતી અન્ય સિદ્ધિને, વ્હે
છે
–
સૂત્ર :
વત્તેષુ ઇસ્તિવનાવીનિ રૂ-૨૪૫
સૂત્રાર્થ :
બળોમાં=હાથી આદિના બળોમાં, સંયમ કરવાથી હાથી આદિના બળો પ્રાપ્ત થાય છે.
113-2811
ટીકા
'बलेष्विति'- हस्त्यादिसम्बन्धिषु बलेषु कृतसंयमस्य तद्बलानि हस्त्यादिबलानि आविर्भवन्ति, तदयमर्थ:- यस्मिन् हस्तिबले वायुवेगे सिंहवीर्ये वा तन्मयीभावेनायं संयमं करोति तत्तत्सामर्थ्ययुक्तं सत्त्वमस्य प्रादुर्भवतीत्यर्थः ॥३-२४॥
ટીકાર્ય :
હસ્ત્યાદ્રિ ..... નૃત્યર્થ: ।। હાથી આદિ સંબંધી બળોમાં કરાયેલ સંયમવાળા યોગીને તેના બળો-હાથી આદિના બળો, આવિર્ભાવ પામે છે.
તેનો આ અર્થ છે – જે હાથીના બળમાં, વાયુ જેવા વેગવાળા ઘોડાના વેગમાં અથવા સિંહના વીર્યમાં તન્મયીભાવથી આ સંયમ કરે છે તે તે સામર્થ્યયુક્ત એવું સત્ત્વ આને-યોગીને, પ્રાદુર્ભાવ પામે છે. એ પ્રકારે આ સૂત્રનો અર્થ છે. II૩-૨૪॥
Page #72
--------------------------------------------------------------------------
________________
–
3
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૨૪-૨૫ ભાવાર્થ : હસ્તિ આદિનાં બળોમાં સંયમ કરવાથી હસ્તિ આદિનાં બળોની પ્રાપ્તિઃ
હાથી આદિનાં બળોમાં સંયમ કરે તો હાથી આદિ સદેશ બળ તે યોગીમાં પ્રગટ થાય છે; કેમ કે સંયમમાં એવું અદ્ભુત સામર્થ્ય છે કે જેથી નિયત બળવાળા એવા હાથી આદિમાં સંયમ કરવામાં આવે તો હાથી આદિના બળ સમાન બળ પ્રગટ થાય છે. ll૩-૨૪ll અવતરણિકા :
सिद्ध्यन्तरमाह - અવતરણિકાર્ય :
અન્ય સિદ્ધિને ધારણા, ધ્યાન અને સમાધિમાં યત્ન કરવાથી યોગીને થતી અન્ય સિદ્ધિને, કહે
સૂત્ર:
प्रवृत्त्यालोकसंन्यासात् सूक्ष्मव्यवहितविप्रकृष्टार्थज्ञानम् ॥३-२५॥ સૂત્રાર્થ :
પ્રવૃત્તિનો જે આલોક તેના વિષયોના ન્યાસથી સૂક્ષમ અર્થનું, વ્યવહિત અર્થનું અને વિપકૃષ્ટ અર્થનું જ્ઞાન થાય છે. li3-૨૫ll ટીકાઃ ___ 'प्रवृत्त्येति'-प्रवृत्तिविषयवती ज्योतिष्मती च प्रागुक्ता तस्या योऽसावालोकः सात्त्विकप्रकाशप्रसरस्तस्य निखिलेषु विषयेषु न्यासात् तद्वासितानां विषयाणां भावनात् सान्तःकरणेषु इन्द्रियेषु प्रकृष्टशक्तिमापन्नेषु सूक्ष्मस्य परमाण्वादेर्व्यवहितस्य भूम्यन्तर्गतस्य निधानादेविप्रकृष्टस्य मेर्वपरपार्श्ववर्तिनो रसायनादेर्ज्ञानमुत्पद्यते ॥३-२५॥ ટીકાર્ય :
પ્રવૃત્તિ:.... ત્યારે પૂર્વમાં કહેવાયેલી=પાતંલયોગસૂત્ર ૧-૩૫/૩૬માં કહેવાયેલી વિષયવાળી અને જ્યોતિષવાળી જે પ્રવૃત્તિ, તેનો જે આલોક્કસાત્ત્વિક પ્રકાશનો પ્રસર, તેનો નિખિલ વિષયોમાં સર્વ વિષયોમાં, ન્યાસ કરવાથી તેના વાસિત વિષયોની ભાવના થવાના કારણે અંત:કરણસહિત ઇન્દ્રિયો પ્રકૃષ્ટ શક્તિ પામેલી હોતે છતે સૂક્ષ્મ એવા પરમાણુ વગેરેનું, વ્યવહિત એવા ભૂમિની અંતર્ગત=અંદર રહેલા નિધાન વગેરેનું, અને વિપ્રકૃષ્ટ એવા મેરુના અપર ભાગમાં રહેલા=બીજા પાછલા ભાગમાં રહેલા, રસાયન વગેરેનું જ્ઞાન ઉત્પન્ન થાય છે. ll૩-૨પા
Page #73
--------------------------------------------------------------------------
________________
૪૪
ભાવાર્થ:
વિષયવતી અને જ્યોતિષ્મતી પ્રવૃત્તિથી સૂક્ષ્મ, વ્યવહિત વિપ્રકૃષ્ટ અર્થોનું જ્ઞાન :
જેમ કર્માદિમાં સંયમ કરવાથી તે તે પ્રકારની શક્તિઓ પ્રગટે છે, તેમ વિષયવતી અને જ્યોતિષ્મતી અર્થાત્ વિષયવાળી અને પ્રકાશવાળી પ્રવૃત્તિનો જે સાત્ત્વિક પ્રકાશનો પ્રસર છે, તે પ્રસરના વિષયોમાં સંયમ કરવામાં આવે તો સૂક્ષ્મ, વ્યવહિત અને વિપ્રકૃષ્ટ એવા અર્થોનું જ્ઞાન થાય 9.113-2411
અવતરણિકા :
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૨૫-૨૬
एतत्समानवृत्तान्तं सिद्ध्यन्तरमाह -
અવતરણિકાર્ય :
આના સમાન વૃત્તાંતવાળી=પાતંજલયોગસૂત્ર ૩-૨૫માં વ્હેલ પ્રવૃત્તિના આલોક્નો વિષયોમાં ન્યાસ થવાથી જે જ્ઞાન થાય છે, તેના સમાનવૃત્તાંતવાળી અન્ય સિદ્ધિને કહે છે
સૂત્ર :
મુવનજ્ઞાનું સૂર્યે સંયમાત્ ારૂ-ર૬॥
સૂત્રાર્થ :
સૂર્યમાં સંયમ કરવાથી ભુવનનું જ્ઞાન થાય છે. ૩-૨૬॥
ટીકા :
'भुवनेति'- सूर्ये प्रकाशमये यः संयमं करोति तस्य सप्तसु भूर्भुवः स्वःप्रभृतिषु लोकेषु यानि भुवनानि तत्तत्संनिवेशभाजि पुराणि तेषु यथावदस्य ज्ञानमुत्पद्यते, पूर्वस्मिन् सूत्रे सात्त्विकप्रकाश आलम्बनतयोक्त इह तु भौतिक इति विशेषः ॥३ - २६ ॥
ટીકાર્ય
સૂર્યે ... વિશેષ: ॥ પ્રકાશમય એવા સૂર્યમાં જે સંયમને કરે છે તેને ભૂ, ભુવ: અને સ્વર્ગ વગેરે સાત લોકોમાં જે ભુવનો છે-તે તે સંનિવેશોથી યુક્ત જે નગરો છે, તેમના વિષયમાં આમને=સંયમ કરનાર યોગીને, યથાવત્=યથાર્થ જ્ઞાન ઉત્પન્ન થાય છે. પૂર્વસૂત્રમાં સાત્ત્વિકપ્રકાશ આલંબનપણાથી હેવાયો. અહીં ભૌતિકપ્રકાશ-સૂર્યનો બાહ્ય પ્રકાશ, આલંબનના વિષયપણા વડે હેવાયો. એ પ્રકારનો ભેદ છે. II૩-૨૬॥
Page #74
--------------------------------------------------------------------------
________________
૪૫
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૨૬-૨૦ ભાવાર્થ : સૂર્યમાં સંયમ કરવાથી ભુવનનું જ્ઞાન :
સૂર્ય પ્રકાશમય છે અને પ્રકાશમય એવા સૂર્યને અવલંબીને ધારણા, ધ્યાન અને સમાધિરૂપ સંયમ કરવાથી સાત લોકોમાં જે ભવનો છે તેનું જ્ઞાન થાય છે અર્થાત્ પાતંજલમત પ્રમાણે સાત લોક છે, તે સર્વનું જ્ઞાન થાય છે. ll૩-૨કા અવતરણિકા :
भौतिकप्रकाशालम्बनद्वारेणैव सिद्धयन्तरमाह - અવતરણિકાર્ય :
ભૌતિક પ્રકાશના આલંબન દ્વારા જ સિધ્યતરને અન્ય સિદ્ધિને, કહે છે – સૂત્ર :
चन्द्रे ताराव्यूहज्ञानम् ॥३-२७॥
સૂત્રાર્થ :
ચંદ્રમાં સંયમ કરવાથી તારાભૂતનું જ્ઞાન થાય છે. Il3-૨થી ટીકા :
'चन्द्र इति'-ताराणां ज्योतिषां यो व्यूहो विशिष्टः संनिवेशः, तस्य चन्द्रे कृतसंयमस्य ज्ञानमुत्पद्यते, सूर्यप्रकाशेन हततेजस्कत्वात् ताराणां, सूर्यसंयमात् तज्ज्ञानं न शक्नोति भवितुमिति पृथगुपायोऽभिहितः ॥३-२७॥ ટીકાર્યઃ
તારા T ... પ્રિદિત: ચંદ્રમાં કરાયેલ સંયમવાળાને જ્યોતિવાળા તારાનો જે બૃહવિશિષ્ટ સંનિવેશ, તેનું જ્ઞાન થાય છે.
અહીં પ્રશ્ન થાય છે કે સૂર્યમાં સંયમ કરવાથી તારાના સમૂહનું જ્ઞાન કેમ થતું નથી અને ચંદ્રમાં સંયમ કરવાથી તારાના સમૂહનું જ્ઞાન કેમ થાય છે ? તેથી કહે છે –
તારાઓનું સૂર્યના પ્રકાશથી તેજ હણાઈ જવાથી સૂર્યમાં સંયમ કરવાથી તારાનું જ્ઞાન થવા માટે શક્ય નથી, એથી પૃથગૂ ઉપાય કહેવાયો-તારાના સમૂહના જ્ઞાનનો જુદો ઉપાય બતાવ્યો. Il૩-૩૭ll
Page #75
--------------------------------------------------------------------------
________________
૪૬
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / વિભૂતિપાદ | સૂત્ર-૨૦-૨૮
ભાવાર્થ : ચંદ્રમાં સંયમ કરવાથી તારાબૂહનું જ્ઞાન :
ચંદ્રમાં સંયમ કરવાથી તારાના વિશિષ્ટ સંનિવેશનું અર્થાત્ કયા તારાઓ કયા સ્થાને આકાશમાં રહેલા છે, તે પ્રકારના તારાઓના વ્યુહનું જ્ઞાન થાય છે. ll૩-૨ll અવતરણિકા :
सिद्धयन्तरमाह - અવતરણિતાર્થ :
અન્ય સિદ્ધિને કહે છે – સૂત્ર :
ध्रुवे तद्गतिज्ञानम् ॥३-२८॥ સૂત્રાર્થ :
ધ્રુવમાંsધ્રુવતારામાં સંયમ કરવાથી તેની ગતિનું જ્ઞાન=નારાઓની ગતિનું જ્ઞાન, થાય છે. ટીકા : ___ 'ध्रुव इति'-ध्रुवे निश्चले ज्योतिषां प्रधाने कृतसंयमस्य तासां ताराणां या गतिः प्रत्येकं नियतकाला नियतदेशा च तस्या ज्ञानमुत्पद्यते, इयं ताराऽयं ग्रहः इयता कालेनामुं राशिमिदं नक्षत्रं यास्यतीति सर्वं जानाति, इदं कालं ज्ञानमस्य फलमित्युक्तं भवति ॥३-२८॥ ટીકાઈ:
ધ્રુવે...... મતિ જ્યાતિષમાં પ્રધાન એવા ધ્રુવમાં નિશ્ચલ તારામાં કરાયેલ સંયમવાળા યોગીને તે તારાઓની જે ગતિ પ્રત્યેકની નિયતકાળ અને નિયત દેશવાળી જે ગતિ, તેનું જ્ઞાન ઉત્પન
થાય છે.
કેવા પ્રકારનું જ્ઞાન ઉત્પન્ન થાય છે. તે સ્પષ્ટ કરે છે –
આ તારા, આ ગ્રહ આટલા કાળથી આ રાશીને અને આ નક્ષત્રને પ્રાપ્ત કરશે એ સર્વ જાણે છે. આ કાળજ્ઞાન આનું ધ્રુવતારામાં કરાયેલા સંયમનું, ફળ છે એ પ્રમાણે કહેવાયેલું થાય છે. Il3-૨૮
ભાવાર્થ :
ધ્રુવ તારામાં સંયમ કરવાથી તારાઓની ગતિનું જ્ઞાન :
ધ્રુવ તારામાં સંયમ કરવાથી તારાઓની ગતિનું જ્ઞાન થાય છે અર્થાત્ આટલા કાળથી આ તારો આ રાશિમાં રહેશે અને આ ક્ષેત્રમાં રહેશે, એ પ્રકારનું જ્ઞાન થાય છે. ll૩-૨૮ll
Page #76
--------------------------------------------------------------------------
________________
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૨૯ અવતરણિકા :
बाह्याः सिद्धीः प्रतिपाद्याऽऽन्तराः सिद्धीः प्रतिपादयितुमुपक्रमते – અવતરણિતાર્થ :
બાહા સિદ્ધિઓનું પ્રતિપાદન કરીને અંતર સિદ્ધિઓનું પ્રતિપાદન કરવા માટે ઉપક્રમ=પ્રારંભ, કરે
ભાવાર્થ :
પાતંજલયોગસૂત્ર ૩/૧૬થી ૨૮ સુધી સંયમ કરવાથી જે સિદ્ધિઓ થાય છે તે સર્વ દેહથી બાહ્યપદાર્થ વિષયક છે તેનું અત્યાર સુધી પ્રતિપાદન કર્યું. હવે દેહના વિષયમાં થતી એવી અંતરંગ સિદ્ધિને પ્રતિપાદન કરવા માટે કહેવા માટે પ્રારંભ કરે છે.
સૂત્ર :
नाभिचक्रे कायव्यूहज्ञानम् ॥३-२९॥
સૂત્રાર્થ :
નાભિચક્રમાં સંયમ કરવાથી કાયવૂહનું જ્ઞાન થાય છે. ll૩-૨૯ll ટીકા :
'नाभिचक्र इति'-शरीरमध्यवर्ति नाभिसज्ञकं यत् षोडशारं चक्रं तस्मिन् कृतसंयमस्य योगिनः कायगतो योऽसौ व्यूहो विशिष्टरस-मल-धातु-नाड्यादीनामवस्थानं तत्र ज्ञानमुत्पद्यते । इदमुक्तं भवति-नाभिचक्रं शरीरमध्यवर्ति सर्वतः प्रसृतानां नाड्यादीनां मूलभूतमतस्तत्र कृतावधानस्य समग्रसंनिवेशो यथावदाभाति ॥३-२९॥ ટીકાર્ય :
શરીરમધ્યવર્ત.... સત્પદ્યતે, શરીરના મધ્યભાગવર્તી નાભિસંજ્ઞાવાળો જે સોળ આરાવાળો ચક્ર છે તેમાં કરાયેલ સંયમવાળા યોગીને કાયગત એવો જે આ બૅકવિશિષ્ટ રસ, મળ, ધાતુ, નાડી આદિનું અવસ્થાન, તેમાં જ્ઞાન ઉત્પન્ન થાય છે. રૂ૫ મવતિ – આ કહેવાયેલું થાય છે સૂત્રના કથનથી આ કહેવાયેલું થાય છે.
નામä . આમતિ શરીરના મધ્યમાં રહેલ સર્વબાજુથી ફેલાયેલી એવી નાડી વગેરેનું મૂળભૂત નાભિચક્ર છે, આથી તેમાં નાભિચક્રમાં, અવધાનવાળા યોગીને કરાયેલા ઉપયોગવાળા યોગીને, સમગ્ર સંનિવેશદેહનો સર્વ અંતરંગ સંનિવેશ યથાવસારી રીતે, ભાસે છે. ll૩-૨૯ll.
Page #77
--------------------------------------------------------------------------
________________
૪૮
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૨૯-૩૦
ભાવાર્થ : નાભિચક્રમાં સંયમ કરવાથી કાચના બૂહનું જ્ઞાન :
શરીરના મધ્યભાગમાં રહેલ અને સંપૂર્ણ શરીરના સંનિવેશના મૂળભૂત એવા નાભિચક્રમાં સંયમ કરવાથી કાયાના રસ, મળ અને નાડીઓના સ્થાનનું જ્ઞાન થાય છે અર્થાત્ શરીરના કયા ભાગમાં કયા રસો છે, ક્યાં ક્યાં મળે છે અને કઈ કઈ નાડીઓ છે, તે સર્વના સ્થાનનું જ્ઞાન થાય છે. Il૩-૨૯ll અવતરણિકા:
सिद्ध्यन्तरमाह - અવતરણિકાર્ય :
અન્ય સિદ્ધિને કહે છે –
સૂત્ર :
कण्ठकूपे क्षुत्पिपासानिवृत्तिः ॥३-३०॥ સૂત્રાર્થ :
કંઠકૂપમાં સંયમ કરવાથી ક્ષુધા અને પિપાસાની નિવૃત્તિ થાય છે. ll3-3oll ટીકા :
'कण्ठकूप इति'-कण्ठे-गले, कूपः कण्ठकूपः, जिह्वामूले जिह्वातन्तोरधस्तात् कूप इव कूपो गर्ताकारः प्रदेशः, प्राणादेर्यत्संस्पर्शात् क्षुत्पिपासादयः प्रादुर्भवन्ति तस्मिन् कृतसंयमस्य योगिनः क्षुत्पिपासादयो निवर्तन्ते, घण्टिकाधस्तात् स्रोतसा धार्यमाणे तस्मिन् भाविते भवत्येवंविधा सिद्धिः ॥३-३०॥ ટીકાઈ:
....સિદ્ધિઃ II કંઠમાં ગળામાં, જે ફૂપ છે તે કંઠકૂપ છે. જિલ્લાના જીભના, મૂળમાં જિહાતંતુની નીચે કૂપના જેવો કૂપ એવો ગર્તાકાર પ્રદેશ છે તે કંઠકૂપ છે. પ્રાણાદિના જે સંસ્પર્શથી=જે કંઠકૂપને પ્રાણાદિનો સંસ્પર્શ થાય છે તેનાથી, સુધા અને પિપાસા વગેરે પ્રાદુર્ભાવ પામે છે તેવો કંઠકૂપ છે. તેમાં તે કંઠકૂપમાં, કરાયેલા સંયમવાળા યોગીને સુધા અને પિપાસા વગેરે નિવર્તન પામે છે.
કઈ રીતે સુધા અને પિપાસા નિવર્તન પામે છે તે સ્પષ્ટ કરે છે –
ધારણ કરાતું એવું તે હોતે છતે સંયમ હોતે છતે, ઘટિકા નીચેથી શ્રોત દ્વારા=પ્રવાહ દ્વારા, ભાવિત થયે છતે આવા પ્રકારની સિદ્ધિ થાય છે. Il૩-૩૦/l.
Page #78
--------------------------------------------------------------------------
________________
૪૯
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૩૦-૩૧ ભાવાર્થ : કંઠકૂપમાં સંયમ કરવાથી સુધા અને તૃષ્ણાનો વ્યય :
કંઠકૂપમાં=ગળાના કૂપમાં, કૂપના આકાર જેવો જે ખાડો છે તે પ્રદેશમાં, સંયમ કરવાથી યોગીને સુધા અને તૃષા શાંત થાય છે; કેમ કે કંઠકૂપમાં સંયમ કરવાને કારણે ઘંટિકાની નીચે રહેલ જે સોત=પ્રવાહ, તેનું પ્લાન થવાને કારણે કંઠ ભીંજાવાને કારણે, તૃપ્તિની સિદ્ધિ થાય છે અર્થાત્ સુધા અને તૃષા શાંત થાય છે. ll૩-૩૦ના અવતરણિકા :
सिद्धयन्तरमाह - અવતરણિકાર્ય :
અન્ય સિદ્ધિને કહે છે – સૂત્ર :
નાચાં શૈર્યમ્ ભરૂ-રા સૂત્રાર્થ :
કૂર્મનાડીમાં સંયમ કરવાથી ધૈર્ય સ્થિરતા, થાય છે. ll3-૩૧TI ટીકા :
'कूर्मेति'-कण्ठकूपस्याधस्ताद्या कूर्माख्या नाडी तस्यां कृतसंयमस्य चेतसः स्थैर्यमुत्पद्यते, तत्स्थानमनुप्रविष्टस्य चञ्चलता न भवतीत्यर्थः, यदि वा कायस्य स्थैर्यमुत्पद्यते न केनचित् स्पन्दयितुं शक्यत इत्यर्थः ॥३-३१॥ ટીકાર્ય :
પટકૂપ ..... રૂચ: રે કંઠકૂપના નીચે જે કૂર્મ નામની નાડી છે તેમાં કરાયેલ સંયમવાળા યોગીના ચિત્તનું ધૈર્ય ઉત્પન્ન થાય છે તે સ્થાનમાં પ્રવેશ પામેલા ચિત્તની ચંચળતા થતી નથી એ પ્રકારનો અર્થ છે અથવા કાયાનું ધૈર્ય ઉત્પન્ન થાય છે અર્થાત્ કોઈના વડે કાયાનું સ્પંદન કરવા માટે શક્ય ન બને તેવું સ્વૈર્ય-સ્થિરતા, થાય છે. ll૩-૩૧/ ભાવાર્થ : કૂર્મનાડીમાં સંચમ કરવાથી મનઃસ્થર્યની સિદ્ધિઃ
કંઠકૂપની નીચે વર્તતી કૂર્મનાડીમાં સંયમ કરવાથી સાધક યોગીમાં અચપળતા થાય છે; કેમ કે કૂર્મનાડીમાં સંયમ કરવાને કારણએ મનના ધૈર્યની સિદ્ધિ છે. ૩-૩૧
Page #79
--------------------------------------------------------------------------
________________
૫૦
અવતરણિકા : सिद्ध्यन्तरमाह -
અવતરણિકાર્ય :
અન્ય સિદ્ધિને મ્હે છે
સૂત્ર :
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૩૨
મૂર્ધન્યોતિષિ સિદ્ધવર્શનમ્ ॥રૂ-૩૨૫
સૂત્રાર્થ :
:
મસ્તકની જ્યોતિમાં સંયમ કરવાથી સિદ્ધપુરુષોનું દર્શન થાય છે. 13-૩૨॥
ટીકા :
'मूर्धज्योतिषीति' - शिरःकपाले ब्रह्मरन्ध्राख्यं छिद्रं प्रकाशाधारत्वाज्ज्योतिः, यथा गृहाभ्यन्तरस्थस्य मणेः प्रसरन्ती प्रभा कुञ्चिताकारेव सर्वप्रदेशे सङ्घटते तथा हृदयस्थः सात्त्विकः प्रकाशः प्रसृतस्तत्र सम्पिण्डितत्वं भजते, तत्र कृतसंयमस्य ये द्यावापृथिव्योरन्तरालवर्तिनः सिद्धा-दिव्याः पुरुषाः, तेषामितरप्राणिभिरदृश्यानां तस्य दर्शनं भवति, तान् पश्यति तैश्च स सम्भाषत इत्यर्थः ॥ ३ - ३२॥
ટીકાર્થ:
શિર:પા ..... નૃત્યર્થ: ।।મસ્તક્ના કપાલમાં જે બ્રહ્મરંધ્ર નામનું છિદ્ર છે તે પ્રકાશનું ધારક હોવાથી જ્યોતિ છે. જે પ્રમાણે-ઘરના અત્યંતરમાં રહેલ મણિની પ્રસરતી પ્રભા કુંચિતઆકારવાળી જસર્વપ્રદેશમાં સંઘટન પામે છે તે પ્રમાણે હ્રદયમાં રહેલો સાત્ત્વિક પ્રકાશ ફેલાયેલો ત્યાં=બ્રહ્મરંધ્ર નામના છિદ્રમાં, સંપિંડિતપણાને પામે છે. તેમાં=શિરક્પાલના બ્રહ્મરંધ્રરૂપ છિદ્રમાં, કરાયેલ સંયમવાળા યોગીને ઇતરપ્રાણીઓથી અદૃશ્ય એવા જે સ્વર્ગ અને પૃથ્વીના અપાંતરાલવર્તી સિદ્ધો-દિવ્યપુરુષો, છે તેઓનું, તેમને=કરાયેલા સંયમવાળા યોગીને, દર્શન થાય છે અર્થાત્ તેઓને જુએ છે અને તેઓ વડે-તે દિવ્ય છે પુરુષો સાથે, તે=કરાયેલ સંયમવાળા યોગી, સંભાષણ કરે છે, એ પ્રકારનો અર્થ છે. ||૩-૩૨|| ભાવાર્થ:
મૂર્ધજ્યોતિમાં સંયમ કરવાથી સિદ્ધ પુરુષોનું દર્શન ઃ
મસ્તકના મધ્યભાગમાં બ્રહ્મશ્ર છે, તે મૂર્ખ કહેવાય છે, અને તે મૂર્ધમાં=મસ્તકમાં, જ્યોતિ=પ્રકાશ, સંપિડિત થાય તે મૂર્ધજ્યોતિ કહેવાય.
મસ્તકમાં પ્રકાશ કઈ રીતે સંપિડિત થાય છે, તે દૃષ્ટાંતથી બતાવે છે -
Page #80
--------------------------------------------------------------------------
________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૩૨-૩૩
જેમ ઘરની અંદરમાં રહેલી મણિની પ્રભા ઘરમાં પ્રસર પામે છે, અને ઘરની દીવાલોથી અવરુદ્ધ થવાને કારણે દીવાલોથી અવરુદ્ધ પ્રદેશમાં તે પ્રભા રહે છે, પરંતુ ઘરની બહાર તે પ્રભા જતી નથી, તેમ હૃદયમાં રહેલો સાત્ત્વિક પ્રકાશ પ્રસર પામતો બ્રહ્મધમાં સંપિડિતપણાને પામે છે, તે મૂર્ખજ્યોતિ કહેવાય છે; અને તે મૂર્ખજ્યોતિમાં સંયમ કરવાથી સિદ્ધ પુરુષોનું દર્શન થાય છે. સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચે રહેલા તે દિવ્યપુરુષોને સંયમ કરનાર યોગી જુએ છે અને તેમની સાથે સંભાષણ કરે છે.
||૩-૩૨||
અવતરણિકા :
सर्वज्ञत्वे उपायमाह
અવતરણિકાર્ય :
-
સર્વજ્ઞપણામાં ઉપાયને ક્લે છે
ભાવાર્થ :
અત્યાર સુધી સંયમથી કઈ કઈ બાહ્યસિદ્ધિ થાય છે તે બતાવ્યું. ત્યારપછી દેહ અંતર્ગત કઈ કઈ સિદ્ધિ થાય છે તે બતાવ્યું. હવે જગતના સર્વપદાર્થવિષયક જ્ઞાન સંયમથી કઈ રીતે થાય છે તે બતાવવા અર્થે કહે છે.
સૂત્રઃ
પ્રતિમાણ્ વા સર્વમ્ ॥રૂ-રૂફા
૫૧
સૂત્રાર્થ :
અથવા પ્રાતિભથી=પ્રાતિભજ્ઞાનમાં સંયમ કરવાથી, પ્રાતિભજ્ઞાન ઉત્પન્ન થાય છે, તે પ્રાતિભજ્ઞાનથી સર્વનું જ્ઞાન થાય છે. II3-33||
ટીકા :
'प्रातिभादिति’-निमित्तानपेक्षं मनोमात्रजन्यमविसंवादकं द्रागुत्पद्यमानं ज्ञानं प्रतिभा, तस्यां संयमे क्रियमाणे प्रातिभं विवेकख्यातेः पूर्वभावि तारकं ज्ञानमुदेति, यथा- उदेष्यति सवितरि पूर्वे प्रभा प्रादुर्भवति तद्वद्विवेकख्यातेः पूर्वे तारकं सर्वविषयं ज्ञानमुत्पद्यते, तस्मिन् सति संयमान्तरानपेक्षः सर्वं जानातीत्यर्थः ॥ ३ - ३३॥
*****
ટીકાર્ય :
निमित्तानपेक्षं નૃત્યર્થ: ॥ નિમિત્તની અપેક્ષા વગર મનોમાત્રથી જ્ય અવિસંવાદક તત્કાળ ઉત્પન્ન થતું એવું જે જ્ઞાન તે પ્રતિભા છે. તેમાં=પ્રતિભાવાળા તે જ્ઞાનમાં, સંયમ કરાયે છતે પ્રાતિભ
Page #81
--------------------------------------------------------------------------
________________
પ૨
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૩૩-૩૪ વિવેકખ્યાતિના પૂર્વભાવી એવું તારજ્ઞાન, ઉત્પન્ન થાય છે.
જે પ્રમાણે-ઉદય પામનારા સૂર્યની પૂર્વમાં પ્રભા પ્રાદુર્ભાવ પામે છે, તેની જેમ વિવેકખ્યાતિના પૂર્વમાં સર્વવિષયક એવું તારજ્ઞાન=સંસારસાગરથી ઉદ્ધાર કરે એવું સર્વ વિષયક તારજ્ઞાન, ઉત્પન થાય છે, તે પ્રગટ થયે છતે અન્ય સંયમની અપેક્ષા વગર યોગી સર્વને જાણે છે, એ પ્રકારનો અર્થ છે. II3-33ll.
ભાવાર્થ :
પ્રાતિજજ્ઞાનથી સર્વ ઠેકાણે સંવિદ્ ઃ
પ્રાતિજ્ઞાનથી સર્વ ઠેકાણે સંવિદ્ થાય છે=સર્વ પદાર્થોનું યથાર્થ જ્ઞાન થાય છે. તેનો અર્થ સ્પષ્ટ કરવા અર્થે પ્રતિભજ્ઞાન કેવી રીતે પ્રગટ થાય છે, તે બતાવવા માટે પ્રાતિજજ્ઞાનનું સ્વરૂપ બતાવે છે – નિમિત્તની અપેક્ષા વગરનું મનોમાત્રજન્ય વિસંવાદ વગરનું શીધ્ર ઉત્પન્ન થતું જ્ઞાન પ્રતિભા છે.
આશય એ છે કે બાહ્ય ઉપદેશ આદિ નિમિત્તથી કે કોઈ વિષયના આલંબન આદિ નિમિત્તથી મન દ્વારા જે જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે પ્રતિભા નથી, પરંતુ કોઈ બાહ્ય નિમિત્ત વગર મનમાત્રથી અર્થાત્ ઇન્દ્રિય આદિના આલંબન વગર મનમાત્રથી, સ્વાભાવિક શીધ્ર જ્ઞાન ઉત્પન્ન થાય, અને તે જ્ઞાન વિસંવાદ વગરનું હોય તો તે જ્ઞાન આત્માની પ્રતિભા છે.
આ પ્રતિભામાં સંયમ કરવામાં આવે ત્યારે પ્રાભિજ્ઞાન ઉત્પન્ન થાય છે અને તે પ્રાતિજજ્ઞાન વિવેકખ્યાતિના પૂર્વભાવિ એવું તારકજ્ઞાન કહેવાય છે. તે તારકજ્ઞાન કેવું છે? તે દૃષ્ટાંતથી બતાવે છે –
ઉદય પામતા સૂર્યની પૂર્વપ્રભા જેવું છે અર્થાત્ સૂર્યોદય પહેલા રાત્રિની સમાપ્તિ થવાથી જે અરુણોદય થાય છે, તેના જેવું આ પ્રાતિજજ્ઞાન છે.
આનાથી એ પ્રાપ્ત થાય છે કે વિવેકખ્યાતિ એ કેવલજ્ઞાનની અવસ્થા છે, તેની પૂર્વભાવિ સંસારથી આત્માને તારે એવું તારકજ્ઞાન થાય છે, જે પ્રાતિજજ્ઞાનરૂપ છે, અને કેવલજ્ઞાનરૂપ સૂર્યોદય પહેલાં થતા અરુણોદય જેવું આ પ્રાતિજજ્ઞાન છે, અને તે પ્રાતિજજ્ઞાનથી સર્વ ઠેકાણે સંવિદ્ થાય છે સર્વ પદાર્થોનું યથાર્થ જ્ઞાન થાય છે.
પ્રતિભજ્ઞાનથી સર્વતઃ સંવિદ્ કેવા પ્રકારની થાય છે, તે સ્પષ્ટ કરતાં કહે છે –
સંયમાંતરની અપેક્ષા વગર અન્ય સંયમની અપેક્ષા વગર, સર્વને જાણે છે. ll૩-૩૩ll અવતરણિકા: सिद्ध्यन्तरमाह -
અવતરણિકાર્ય :
અન્ય સિદ્ધિને ધે છે –
Page #82
--------------------------------------------------------------------------
________________
૫૩
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૩૪ સૂત્ર :
હૃથે વિત્તસંવિત્ ર-રૂઝા
સૂત્રાર્થ :
હૃદયમાં સંયમ કરવાથી ચિત્તની સંવિત્રસ્વ-પરગત ચિત્તનું સંવેદન જ્ઞાન થાય છે.
II3-3૪ll.
ટીકા : ___ 'हृदय इति'-हृदयं शरीरस्य प्रदेशविशेषस्तस्मिन्नधोमुखस्वल्पपुण्डरीकाभ्यन्तरेऽन्तःकरणसत्त्वस्य स्थानं तत्र, कृतसंयमस्य स्वपरचित्तज्ञानमुत्पद्यते, स्वचित्तगताः सर्वा वासनाः परचित्तगतांश्च रागादीञ्जानातीत्यर्थः ॥३-३४॥ ટીકાઈ:
...રૂત્યર્થ: હૃદય શરીરનો પ્રદેશવિશેષ તેમાં હૃદયમાં અધોમુખ રહેલા સ્વલ્પ પુંડરીક્ના અત્યંતરમાં રહેલ અંત:કરણ સત્ત્વના સ્થાનરૂપ હૃદયમાં, કરાયેલ સંયમવાળા યોગીને સ્વ-પર ચિત્તનું જ્ઞાન ઉત્પન્ન થાય છે સ્વચિત્તગત સર્વ વાસનાઓ અને પરચિત્તગત રાગાદિભાવોને જાણે છે, એ પ્રકારનો અર્થ છે. ||૩-૩૪|| ભાવાર્થ : હૃદય પ્રદેશમાં સંયમ કરવાથી ચિત્તની સંવિત્ઃ
હદયપ્રદેશમાં સંયમ કરવાથી ચિત્તની સંવિતું થાય છે, તે અંશ સ્પષ્ટ કરે છે –
શરીરના પ્રદેશવિષયમાં છાતીના ભાગમાં, રહેલું અધોમુખ સ્વલ્પ એવા પુંડરીક આકારવાળું હૃદય છે, અને તે હૃદયમાં મનને સ્થાપીને યોગી જયારે ધારણા, ધ્યાન અને સમાધિરૂપ સંયમ કરે છે, ત્યારે તે યોગીને ચિત્તની સંવિત્ર થાય છે–પોતાના ચિત્તગત વાસનાનું જ્ઞાન થાય છે અને પરના ચિત્તગત રાગાદિનું જ્ઞાન થાય છે.
આશય એ છે કે સામાન્યથી પોતાના ચિત્તમાં નિમિત્તને પામીને વર્તતા રાગાદિ ભાવોનું જ્ઞાન કોઈપણ જીવ ઉપયોગપૂર્વક જાણવા યત્ન કરે તો પોતે જાણી શકે છે, પરંતુ પોતાના ચિત્તમાં વર્તમાનમાં જે રાગાદિ ભાવો વ્યક્તરૂપે દેખાતા નથી, આમ છતાં વાસનારૂપે પડેલા છે, તેનું જ્ઞાન સામાન્ય જીવોને થઈ શકતું નથી, પરંતુ હૃદયમાં સંયમ કરવાથી યોગીને તેવું જ્ઞાન પ્રગટે છે કે જેથી પોતાના ચિત્તમાં કયા પ્રકારના રાગાદિ ભાવોની વાસના વર્તી રહી છે, તેનો નિર્ણય થઈ શકે છે.
વળી બીજાના ચિત્તમાં વર્તતા રાગાદિ ભાવો બાહ્ય મુખના વિકાર આદિથી સામાન્ય રીતે બુદ્ધિમાન પુરુષ અનુમાનથી જાણી શકે છે, આમ છતાં પરના ચિત્તમાં વર્તતા રાગાદિ ભાવો, મુખના વિકાર
Page #83
--------------------------------------------------------------------------
________________
૫૪
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૩૪-૩૫ આદિ ઉપલબ્ધ ન હોય કે પોતાની તેવી પ્રજ્ઞા ન હોય તો જાણી શકાતા નથી, પરંતુ જે યોગીએ હૃદયમાં સંયમ કરેલા છે, તેના કારણે ચિત્તનું જ્ઞાન થાય છે, તે યોગીને જેમ પોતાના રાગાદિ ભાવો દરેક જીવને સ્વસંવેદનથી જણાય છે, તેમ તે યોગી પરના ચિત્તમાં વર્તતા રાગાદિ ભાવોને પણ યથાર્થ જાણી શકે છે, આથી કોઈ અન્ય પુરુષ કોઈ રાગાદિ ભાવોમાં વર્તતો હોય, અને તેના મુખ ઉપર તે રાગાદિ ભાવોના કોઈ વિકારો ન થાય તે પ્રકારના સંવૃતભાવવાળો તે અન્ય પુરુષ હોય, તોપણ હૃદયમાં સંયમ કરવાને કારણે પ્રગટ થયેલા પરના ચિત્તના જ્ઞાનને કારણે યોગી તે પુરુષના ચિત્તમાં વર્તતા રાગાદિ ભાવોનો યથાર્થ નિર્ણય કરી શકે છે. ૩-૩૪ અવતરણિકા :
सिद्ध्यन्तरमाह - અવતરણિકાર્ય :
અન્ય સિદ્ધિને કહે છે –
સૂત્ર :
सत्त्वपुरुषयोरत्यन्तासङ्कीर्णयोः प्रत्ययाविशेषो(षात्) भोगः परार्थान्यस्वार्थસંયમાન્ પુરુષજ્ઞાનમ્ રૂ-રૂપો
સૂત્રાર્થ :
અત્યંત અસંકીર્ણ એવા સત્ત્વના અને પુરુષના સત્વરૂપ બુદ્ધિના અને આત્મારૂપ પુરુષના, પ્રત્યયના અવિશેષથી=પ્રતીતિના અભેદથી, ભોગ છે. પરાર્થથી અન્ય સ્વાર્થમાંeભોગરૂપ પરાર્થથી અન્ય એવા સ્વાર્થમાં આત્માના સ્વરૂપમાગ આલંબનવાળા ત્યાગ કરાયેલ અહંકારવાળા એવા સત્ત્વમાં ચિછાયાની સંક્રાતિરૂપ સ્વાર્થમાં, સંયમ કરવાથી પુરષવિષયક જ્ઞાન થાય છે. Il3-૩૫ll ટીકા :
'सत्त्वेति'-सत्त्वं प्रकाशसुखात्मकः प्राधानिकः परिणामविशेषः, पुरुषो=भोक्ताऽधिष्ठातृरूपः, तयोरत्यन्तासङ्कीर्णयोर्नोग्यभोक्तृरूपत्वाच्चेतनत्वाच्च भिन्नयोर्यः प्रत्ययस्याविशेषो=भेदेनाप्रतिभासनं तस्मात् सत्त्वस्यैव कर्तृताप्रत्ययेन या सुखदुःखसंवित् स भोगः, सत्त्वस्य स्वार्थनैरपेक्ष्येण परार्थः पुरुषार्थनिमित्तस्तस्मादन्यो यः स्वार्थः पुरुषस्वरूपमात्रालम्बनः परित्यक्ताहङ्कारसत्त्वे या चिच्छायासङ्क्रान्तिस्तत्र कृतसंयमस्य पुरुषविषयं ज्ञानमुत्पद्यते, तत्र तदेवंरूपं स्वालम्बनं ज्ञानं सत्त्वनिष्ठं पुरुषो जानाति न पुनः पुरुषो ज्ञाता ज्ञानस्य विषयभावमापद्यते, ज्ञेयत्वापतेख़तृज्ञेययोश्चात्यन्तविरोधात् ॥३-३५॥
Page #84
--------------------------------------------------------------------------
________________
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૩૫ ટીકાર્ય :
સર્વે... કલ્પદ્યતે, સત્ત્વ=પ્રકાશસુખાત્મક પ્રાધાનિક પરિણામ વિશેષ, પુરુષ અધિષ્ઠાતૃરૂપ ભોક્તા, અત્યન્ત અસંકીર્ણ એવા તે બેનો ભોગ્ય-ભોıપણું હોવાથી અને ચેતનપણું હોવાથી ભિન્ન એવા તે બેના પ્રત્યાયનો જે અવિશેષ=ભેદથી અપ્રતિભાસન, તેના કારણે સત્ત્વના જ કર્તપણાના પ્રત્યયથી જે સુખદુ:ખની સંચિત્ તે ભોગ છે, સત્ત્વના સ્વાર્થનિરપેક્ષપણાથી પરાર્થ પુરુષાર્થનિમિત્ત, તેનાથી અન્ય જે સ્વાર્થ પુરુષના સ્વરૂપમાત્રનું આલંબન, ત્યાગ કરાયેલ અહંકારવાળા સત્ત્વમાં જે ચિછાયાની સંક્રાંતિ તેમાં કરાયેલ સંયમવાળા યોગીને પુરુષવિષયક જ્ઞાન ઉત્પન્ન થાય છે.
કરાયેલ સંયમવાળા યોગીને પુરુષવિષયક કેવા પ્રકારનું જ્ઞાન થાય છે, તે સ્પષ્ટ કરે છે –
તત્ર ... યત્વીપ:, ત્યાં કૃતસંયમવાળા યોગીને પુરુષવિષયક જ્ઞાન થાય છે ત્યાં, પુરુષ એવા રૂપવાનું સ્વઆલંબનવાનું જ્ઞાન સત્ત્વનિષ્ઠ છે તેને “પુરુષ'=આ પુરુષ છે એ પ્રમાણે, જાણે છે, પરંતુ જ્ઞાતા એવો પુરુષ જ્ઞાનના વિષયભાવને પ્રાપ્ત કરતો નથી; કેમ કે શેયપણાની આપત્તિ છે.
અહીં પ્રશ્ન થાય કે પુરુષને શેય સ્વીકારી તો શું વાંધો છે ? તેથી કહે છે –
જ્ઞાતૃયયોઃ ... વિરોધાત્ II જ્ઞાતા અને શેયનો અત્યંત વિરોધ છે અર્થાત્ પુરુષ જ્ઞાતા છે તેથી તેમાં શેયભાવનો અત્યંત વિરોધ છે. l૩-૩૫ll
ભાવાર્થ :
પરાર્થકભોગથી ભિન્ન એવા સ્વાર્થમાં સંયમ કરવાથી પુરુષવિષયક સંવિદ્
પાતંજલયોગદર્શન પ્રમાણે ભોગ પરાર્થક છે અર્થાત્ સત્ત્વથી ભિન્ન એવા પુરુષ અર્થક બુદ્ધિ ભોગ કરે છે, તેથી સત્ત્વરૂપ બુદ્ધિના સ્વઅર્થથી નિરપેક્ષ એવા પુરુષાર્થક ભાગ છે. વળી તે ભોગ પતંજલ યોગદર્શન પ્રમાણે સત્ત્વ અને પુરુષના અભેદ અધ્યવસાયરૂપ છે.
વસ્તુતઃ સત્ત્વ=બુદ્ધિ, અને પુરુષ =આત્મા, તે બંને ભિન્ન છે, આમ છતાં બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ પડતું હોવાથી સત્ત્વ અને પુરુષનો અભેદ અધ્યવસાય બુદ્ધિને થાય છે.
વસ્તુતઃ સત્ત્વને જ સુખ-દુ:ખ અને કર્તુત્વનું અભિમાન થાય છે, આમ છતાં પુરુષની સાથે બુદ્ધિનો અભેદ અધ્યવસાય થવાને કારણે સુખ-દુઃખ અને કર્તુત્વના અભિમાનરૂપ ભોગ પુરુષને થાય છે તેવું જણાય છે, અને તેવા પરાર્થક ભોગથી ભિન્ન એવો સ્વાર્થ છે–પુરુષનો અર્થ છે.
પુરુષનો સ્વ અર્થ શું છે, તે સ્પષ્ટ કરતાં કહે છે –
સાધક યોગી જે વખતે પોતાની ચિત્તવૃત્તિનો નિરોધ કરીને રહેલ છે, તે વખતે યોગીનું ચિત્ત સ્વરૂપમાત્રના આલંબનવાળું હોય છે, અને બુદ્ધિ પરિત્યક્ત અહંકારવાળી હોય છે અર્થાત્ ‘બાહ્ય પ્રવૃત્તિ હું કરું છું', તે પ્રકારના અહંકારના ત્યાગવાળી બુદ્ધિ હોય છે, અને તેવા બુદ્ધિરૂપ સત્ત્વમાં શુદ્ધ આત્માની ચિચ્છાયાની સંક્રાંતિ વર્તે છે, તે પરાર્થક એવા ભોગથી ભિન્ન એવો સ્વ અર્થ પુરુષનો
Page #85
--------------------------------------------------------------------------
________________
પદ
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૩૫, ૩૬-૩૦ અર્થ છે, અને તે પુરુષના અર્થમાં યોગી જયારે સંયમ કરે છે ત્યારે પુરુષવિષયક સંવિત્ર થાય છે.
અહીં પ્રશ્ન થાય છે કે પુરુષની સંવિત થાય છે એમ કહેવાથી પુરુષવિષયક જ્ઞાન થાય છે, તેવો અર્થ જણાય, અને પુરુષ જ્ઞાનનો વિષય બનતો નથી, પરંતુ પુરુષ જ્ઞાતા છે, તેથી પુરુષવિષયક સંવિત્ થાય છે, તેનો અર્થ સ્પષ્ટ કરતાં કહે છે –
આવા પ્રકારનું સ્વઆલંબનવાળું જ્ઞાન સત્ત્વનિષ્ઠ છે, તેને પુરુષ જાણે છે અર્થાત્ સ્વબુદ્ધિનિષ્ઠ પુરુષના સ્વરૂપના આલંબનવાળું જ્ઞાન વર્તે છે, અને તે જ્ઞાન બુદ્ધિનિષ્ઠ પોતાના પ્રતિબિંબ વિષયક છે છતાં તે યોગી “આ પુરુષ’ છે, એમ જાણે છે; વસ્તુતઃ પુરુષ જ્ઞાતા છે, તેથી જ્ઞાનના વિષયભાવને પામતો નથી; કેમ કે પુરુષની સંવિત થાય છે, એમ સ્વીકારીએ તો પુરુષને શેય સ્વીકારવાની આપત્તિ આવે, અને જે જ્ઞાતા હોય તે જોય થઈ શકે નહિ; કેમ કે જ્ઞાતા અને શેયનો અત્યંત વિરોધ છે, તેથી પુરુષ જ્ઞાતા છે અને બુદ્ધિ જોય છે, માટે શેય એવી બુદ્ધિને તે યોગી પુરુષ' એ પ્રમાણે જાણે છે, તેમ પાતંજલમતવાળા સ્વીકારે છે. ll૩-૩૫ અવતરણિકા :
अस्यैव संयमस्य फलमाह - અવતરણિતાર્થ :
આના જ સંયમનું પુરુષવિષયક જ સંયમનું, ફળ કહે છે – સૂત્ર :
ततः प्रातिभश्रावणवेदनादर्शास्वादवार्ता जायन्ते ॥३-३६॥
સૂત્રાર્થ :
તેનાથી=સ્વાર્થ સંયમથી, પ્રાતિજ, શ્રાવણ, વેદના, આદર્શ, આસ્વાદ અને વાર્તા થાય છે. Il3-3૬ll ટીકા? _ 'तत इति'-ततः पुरुषसंयमादभ्यस्यमानाद् व्युत्थितस्यापि ज्ञानानि जायन्ते , तत्र प्रातिभं पूर्वोक्तं ज्ञानं तस्याऽऽविर्भावात् सूक्ष्मादिकमर्थं पश्यति, श्रावणं श्रोत्रेन्द्रियजं ज्ञानं तस्माच्च प्रकृष्टादिव्यं दिवि भवं शब्दं जानाति, वेदना स्पर्शेन्द्रियजं ज्ञानं, वेद्यतेऽनयेति कृत्वा तान्त्रिक्या सज्ञया व्यवहियते, तस्माद्दिव्यस्पर्शविषयं ज्ञानं समुपजायते, आदर्शश्चक्षुरिन्द्रियजं ज्ञानम्, आ समन्ताद्, दृश्यते ऽनुभूयते रूपमनेनेति कृत्वा, तस्य प्रकर्षा दिव्यं रूपज्ञानमुत्पद्यते, आस्वादो रसनेन्द्रियजं ज्ञानम्, आस्वाद्यतेऽनेनेति कृत्वा, तस्मिन् प्रकृष्टे दिव्ये रसे संविदुपजायते, वार्ता गन्धसंविद्, वृत्तिशब्देन तान्त्रिक्या परिभाषया
Page #86
--------------------------------------------------------------------------
________________
પ
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૩૬-૩૦ घ्राणेन्द्रियमुच्यते, वर्त्तते गन्धविषय इति कृत्वा, वृत्तेर्घाणेन्द्रियाज्जाता वार्ता गन्धसंवित्, तस्यां प्रकृष्यमाणायां दिव्यगन्धोऽनुभूयते ॥३-३६॥ ટીકાર્ય :
તત: ..... મનુભૂયતે | અભ્યાસ કરાતા એવા પુરુષના સંયમથી વ્યત્થિત એવા પણ યોગીને વ્યુત્થાનદશાવાળા પણ યોગીને, જ્ઞાનો થાય છે.
ક્યાં જ્ઞાનો થાય છે તે ક્રમસર બતાવે છે – ત્યાં પ્રાતિજ પૂર્વમાં કહેલું જ્ઞાન છે, તેના આવિર્ભાવથી યોગી સૂક્ષ્માદિ અર્થને જુએ છે.
શ્રાવણ શ્રોત્રેન્દ્રિયજન્ય જ્ઞાન છે, અને પ્રકૃષ્ટ એવા તેનાથી દિવ્ય દેવલોકમાં થનાર, શબ્દને યોગી જાણે છે.
વેદના સ્પર્શેન્દ્રિયજન્ય જ્ઞાન છે, આના વડે વેદના થાય છે એથી કરીને તાંત્રિકી સંજ્ઞા વડે વેદના એ પ્રકારે વ્યવહાર કરાય છે, તેનાથી=પ્રકૃષ્ટ એવી વેદનાથી, દિવ્યસ્પર્શ વિષયક જ્ઞાન ઉત્પન થાય છે.
આદર્શ ચક્ષુરિન્દ્રિયજન્ય જ્ઞાન છે, આ ચારે બાજુથી, દેખાય છે અનુભવાય છે, રૂપ આના દ્વારા એથી કરીને ચક્ષુરિન્દ્રિયજન્ય જ્ઞાન આદર્શ છે એમ અન્વય છે, તેના પ્રકર્ષથી-આદર્શના પ્રકર્ષથી દિવ્યરૂપનું જ્ઞાન થાય છે.
આસ્વાદ રસનેન્દ્રિયજન્ય જ્ઞાન છે, આના વડે આસ્વાદન થાય છે એથી કરીને આસ્વાદ રસનેન્દ્રિયજન્ય જ્ઞાન છે એમ અન્વય છે તે પ્રકૃષ્ટ થયે છતે દિવ્ય રસવિષયક સંવિદ્ ઉત્પન્ન થાય છે.
વાર્તા એ ગંધનું સંવેદન છે, વૃત્તિ શબ્દથી તાંત્રિકી પરિભાષાથી ઘાણેન્દ્રિય કહેવાય છે. ગંધના વિષયમાં વર્તે છે એથી કરીને, વૃત્તિથી ધ્રાણેન્દ્રિયથી થયેલ વાર્તા ગંધસંવિત છે, તે પ્રકૃષ્યમાન હોતે છતે અત્યંત પ્રકૃષ્ટ હોતે છતે, દિવ્ય ગંધ અનુભવાય છે. ll૩-૩૬ll. ભાવાર્થ : પરાર્થક ભોગથી ભિન્ન એવા સ્વાર્થમાં સંયમ કરવાથી પ્રાતિજ, શ્રાવણ, વેદના, આદર્શ, આસ્વાદ અને વાર્તારૂપ જ્ઞાનોની પ્રાપ્તિ ઃ (૧) પ્રાતિજ્ઞાન :
સ્વાર્થસંયમમાં અભ્યાસ કરાતા એવા પુરુષના સંયમથી પ્રતિભજ્ઞાન થાય છે, અને તે પ્રતિભજ્ઞાનનું વર્ણન પૂર્વમાં ૩-૩૩ સૂત્રમાં ગ્રંથકારશ્રીએ કરેલ છે. તે પ્રાતિજજ્ઞાનના અનુભાવથી સૂક્ષ્મ એવા પરમાણુ આદિ અર્થો, વ્યવહિત એવા ભૂમિ અંતર્ગત નિધાનાદિ અને વિપ્રકૃષ્ટ એવા મેરુના અપર પાર્શ્વવર્તી રસાયનાદિ પદાર્થોને યોગી જોઈ શકે છે.
વળી અભ્યાસ કરાતા સ્વાર્થસંયમરૂપ પુરુષસંયમથી પ્રતિભજ્ઞાન પ્રગટે છે, તેમ પાંચ ઇન્દ્રિયોના
Page #87
--------------------------------------------------------------------------
________________
૫૮
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૩૬-૩૦ વિશિષ્ટ જ્ઞાન પ્રગટે છે અર્થાત્ મનોજન્ય પ્રાભિજ્ઞાન પ્રગટે છે, તેમ પાંચ ઇન્દ્રિયોના વિશેષ પ્રકારનાં જ્ઞાનો પ્રગટે છે. તે જ્ઞાનોથી તે ઇન્દ્રિયોના દિવ્ય વિષયોનું જ્ઞાન થાય છે તે બતાવે છે – (૨) શ્રાવણજ્ઞાન :
શ્રોત્રેન્દ્રિયજન્ય દિવ્યજ્ઞાન થાય ત્યારે દિવ્ય શબ્દોને યોગી જાણી શકે છે અર્થાત જે દિવ્ય શબ્દો દેવલોકમાં રહેલા દેવતા બોલતા હોય, તે શબ્દો સામાન્ય પુરુષ શ્રોત્રેન્દ્રિય દ્વારા ગ્રહણ ન કરી શકે, તે શબ્દોને સાધક યોગી જાણી શકે છે. (૩) વેદનાજ્ઞાન :
સ્પર્શેન્દ્રિયજન્ય વેદનાજ્ઞાનનો પ્રકર્ષ થાય ત્યારે દિવ્ય સ્પર્શના વિષયને તે યોગી જાણી શકે છે. (૪) આદર્શજ્ઞાન :
ચક્ષુરિન્દ્રિયજન્ય આદર્શજ્ઞાનનો પ્રકર્ષ થાય ત્યારે દિવ્ય રૂપનું જ્ઞાન તે યોગી કરી શકે છે. (૫) આસ્વાદજ્ઞાન :
રસનેન્દ્રિયજન્ય આસ્વાદજ્ઞાનના પ્રકર્ષથી યોગીને દિવ્ય રસના આસ્વાદનું જ્ઞાન થાય છે. (૬) વાર્તાજ્ઞાન :
ધ્રાણેન્દ્રિયજન્ય વાર્તાજ્ઞાનના પ્રકર્ષથી યોગીને દિવ્ય ગંધનો અનુભવ થાય છે. અવતરણિકા:
एतेषां फलविशेषाणां विषयविभागमाह - અવતરણિકાર્ય :
આ ફળ વિશેષોના પાતંલયોગસૂત્ર ૩/૩૬માં કહ્યું કે પુરુષના સંયમથી પ્રતિભાદિ ફળો થાય છે એ ફળવિશેષોના વિષયવિભાગને કહે છે – સૂત્ર :
ते समाधावुपसर्गा व्युत्थाने सिद्धयः ॥३-३७॥ સૂત્રાર્થ:
તેઓ પાતંજલયોગસૂત્ર 3/૩૬માં કહેલા પ્રતિભાદિ ફળો સમાધિમાં ઉપસર્ગો છે અને વ્યુત્થાનમાં સિદ્ધિઓ છે. 13-3 ટીકા :
'त इति'-ते प्राक् प्रतिपादिताः फलविशेषाः समाधेः प्रकर्षं गच्छत उपसर्गा उपद्रवा
Page #88
--------------------------------------------------------------------------
________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૩૬-૩૦
विघ्नकारिणः, तत्र हर्षविस्मयादिकरणेन समाधिः शिथिलीभवति, व्युत्थाने तु पुनर्व्यवहारदशायां विशिष्टफलदायकत्वात् सिद्धयो भवन्ति ॥ ३ - ३७॥
૫૯
ટીકાર્ય
તે . મવૃત્તિ । પૂર્વમાં પ્રતિપાદન કરાયેલા એવા તે ફળવિશેષો=પાતંજલયોગસૂત્ર-૩/૩૬માં હેવાયેલા એવા પુરુષના સંયમથી ઉત્પન્ન થયેલા ફળવિશેષો, પ્રકર્ષને પામતી એવી સમાધિના ઉપસર્ગો છે=વિઘ્નને કરનારા ઉપદ્રવો છે.
કેમ વિઘ્ન કરનારા છે. તે સ્પષ્ટ કરે છે
ત્યાં=ઉત્પન્ન થયેલા ફળોમાં હર્ષ, વિસ્મયાદિ કરવાથી સમાધિ શિથિલ થાય છે. વળી વ્યુત્થાનમાં= વ્યવહારદશામાં, વિશિષ્ટ ફળદાયપણું હોવાથી સિદ્ધિઓ છે અર્થાત્ તે ફળવિશેષો યોગી માટે સિદ્ધિઓ છે. ||૩-૩૭]]
ભાવાર્થ :
હર્ષ-વિસ્મયાદિ થવાને કારણે પ્રાતિભજ્ઞાન સમાધિમાં વિઘ્નભૂત અને વ્યુત્થાનદશામાં સિદ્ધિરૂપ
વિવેકખ્યાતિરૂપ કેવલજ્ઞાન પૂર્વે વિશિષ્ટ કોટિનું પ્રાતિભજ્ઞાન પ્રગટે છે, તેની પૂર્વે કંઈક શિથિલ પ્રાપ્તિથી જ્ઞાન હોય અને તે પ્રાતિભજ્ઞાન પ્રગટ થવાને કારણે યોગી સૂક્ષ્મ, વ્યવધાનવાળા અને વિપ્રકૃષ્ટ પદાર્થોને જોઈ શકે છે, આવું વિશિષ્ટ જ્ઞાન પ્રગટ થવાથી યોગીને હર્ષ, વિસ્મય કે પ્રીતિ વગેરે થાય તો નિર્લેપદશામાં સુદૃઢ યત્નરૂપ સમાધિમાં શિથિલતા આવે છે, તેથી કેવલજ્ઞાન પૂર્વના પ્રાતિભજ્ઞાનમાં તેનો સંભવ નથી, તોપણ તે યોગીને પૂર્વ ભૂમિકાનું પ્રાતિભજ્ઞાન પ્રગટે ત્યારે વ્યુત્થાનદશા હોય તો સમાધિમાં જવા માટેનો ઉત્સાહ પ્રગટે છે; કેમ કે સ્વાર્થમાં સંયમ ક૨વાને કારણે યોગીને જે વિશિષ્ટ કોટિનું જ્ઞાન પ્રગટ્યું તેનો પ્રત્યક્ષ અનુભવ થવાને કારણે તે પ્રકારનો સુદૃઢ વ્યાપાર કરવાનો ઉત્સાહ થાય છે. વળી પ્રાતિભજ્ઞાનથી સૂક્ષ્મ બોધ થયેલો હોવાને કારણે સમાધિમાં વિશેષ પ્રકારના યત્નમાં તે પ્રાતિભજ્ઞાન સહાયક બને છે, તેથી વ્યવહારદશામાં વિશિષ્ટ ફળને આપનારું પ્રાતિભજ્ઞાન છે, માટે તે પ્રાતિભજ્ઞાન યોગી માટે યોગસાધના અર્થે ઉપયોગી એવી સિદ્ધિ છે.
વિશેષાર્થ :
જ્યારે યોગી સમાધિમાં હોય છે, ત્યારે સર્વ વિકલ્પોથી પર એવો નિર્વિકલ્પ ઉપયોગ હોય છે, અને તે વખતે યોગીનું ચિત્ત સર્વત્ર અસંગભાવવાળું હોય છે; અને પ્રાતિભજ્ઞાન પ્રગટ થવાને કારણે યોગીને હર્ષ થાય કે વિસ્મય થાય કે પ્રીતિ વગેરે થાય તો તે પ્રાતિભજ્ઞાન પ્રત્યે સંગનો પરિણામ વર્તે છે, અને સંગ અવસ્થામાં નિર્વિકલ્પસમાધિ રહી શકે નહિ, તેથી નિર્વિકલ્પસમાધિમાંથી યોગી શિથિલભાવવાળા થાય છે, માટે તે પ્રાતિભજ્ઞાન સમાધિમાં વિઘ્નભૂત છે, આમ છતાં સમાધિમાં યત્ન
Page #89
--------------------------------------------------------------------------
________________
૬૦
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૩૬-૩૦, ૩૮ કરવા માટે તે પ્રાતિજજ્ઞાન સહાયક પણ છે, આથી જ વ્યુત્થાનદશામાં રહેલા યોગીઓને તે પ્રાતિજજ્ઞાનની પ્રાપ્તિથી હર્ષાદિ થાય છે તો પણ તે હર્ષાદિ સમાધિમાં સુદઢ યત્ન કરવા માટે ઉત્સાહિત કરે છે, અને પ્રાતિભજ્ઞાનનો વિશેષ બોધ વિશિષ્ટ સમાધિમાં યત્ન કરવા માટે ઉપયોગી થાય છે. હર્ષ-વિસ્મયાદિ થવાને કારણે શ્રાવણ, વેદના, આદર્શ, આસ્વાદ અને વાર્તાજ્ઞાનો સમાધિમાં વિષ્ણારૂપ અને વ્યુત્થાનદશામાં સિદ્ધિરૂપ :
જેમ પ્રતિભજ્ઞાન થવાથી યોગીને હર્ષ-વિસ્મયાદિ થઈ શકે છે, તેમ યોગીને પાંચ ઇન્દ્રિયોમાંથી કોઈપણ ઇન્દ્રિયોનું દિવ્યજ્ઞાન થાય તો હર્ષ-વિસ્મયાદિ થઈ શકે છે, અને તે વખતે યોગી સમાધિમાં હોય તો હર્ષ-વિસ્મયાદિને કારણે તે યોગીની સમાધિ શિથિલ થાય છે, માટે પાંચ ઇન્દ્રિયોનાં દિવ્યજ્ઞાનો પ્રતિભજ્ઞાનની જેમ તે યોગીની સમાધિમાં વિજ્ઞભૂત છે; અને વ્યુત્થાનદશામાં પાંચ ઇન્દ્રિયોના દિવ્યજ્ઞાનોમાંથી કોઈપણ દિવ્યજ્ઞાન થાય તો સમાધિમાં ઉત્સાહ થાય છે, તેથી તે દિવ્યજ્ઞાનો યોગી માટે વ્યુત્થાનદશામાં સિદ્ધિરૂપ છે. [૩-૩૬૩oll અવતરણિકા:
सिद्ध्यन्तरमाह - અવતરણિયાર્થ:
અન્ય સિદ્ધિને કહે છે – સૂત્ર :
बन्धकारणशैथिल्यात् प्रचारसंवेदनाच्च चित्तस्य परशरीरप्रवेशः ॥३-३८॥
સૂત્રાર્થ :
બંધના કારણના શિથિલપણાથી અને ચિત્તના પ્રચારના સંવેદનથી ચિત્તનો પર શરીરમાં પ્રવેશ થાય છે. ll3-3૮II ટીકા : ___ 'बन्धेति'-व्यापकत्वादात्मचित्तयोर्नियतकर्मवशादेव शरीरान्तर्गतयोर्भोक्तृभोग्यभावेन यत्संवेदनमुपजायते स एव शरीरे बन्ध इत्युच्यते, तद्यदा समाधिवशाद् बन्धकारणं धर्माधर्माख्यं शिथिलं भवति-तानवमापद्यते, चित्तस्य च योऽसौ प्रचारो हृदयप्रदेशादिन्द्रियद्वारेण विषयाभिमुख्येन प्रसरस्तस्य संवेदनं ज्ञानमियं चित्तवहा नाडी, अनया चित्तं वहति, इयं च रसप्राणादिवहाभ्यो नाडीभ्यो विलक्षणेति स्वपरशरीरयोर्यदा सञ्चारं जानाति तदा परकीयं शरीरं मृतं जीवच्छरीरं वा चित्तसञ्चारद्वारेण प्रविशति, चित्तं परशरीरे प्रविशदिन्द्रियाण्यपि अनुवर्तन्ते मधुकरराजमिव मधुमक्षिकाः, अथ परशरीरप्रविष्टो योगी
Page #90
--------------------------------------------------------------------------
________________
૬૧
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૩૮
स्वशरीरवत्तेन व्यवहरति, यतो व्यापकयोश्चित्तपुरुषयोर्भोगसङ्कोचे कारणं कर्म तच्चेत् समाधिना क्षिप्तं तदा स्वातन्त्र्यात् सर्वत्रैव भोगनिष्पत्तिः ॥३ - ३८ ॥
ટીકાર્ય
*****
व्यापकत्वात् . ભોગનિષ્પત્તિ: ।। આત્મા અને ચિત્તનું વ્યાપકપણું હોવાથી નિયતકર્મના વશથી જ શરીર અંતર્ગત એવા તે બેનું ભોક્ત-ભોગ્યભાવથી જે સંવેદન થાય છે શરીરમાં તે જ બંધ એ પ્રમાણે કહેવાય છે.
તે જ્યારે સમાધિના વશથી ધર્મ-અધર્મ નામનું બંધનું કારણ શિથિલ થાય છે=તાનવ અર્થાત્ તનુ થાય છે અને ચિત્તનો જે આ પ્રચાર=હૃદયના પ્રદેશથી ઇન્દ્રિય દ્વારા વિષયના અભિમુખપણાથી પ્રસર, તેનું સંવેદન=જ્ઞાન.
કેવા પ્રકારનું જ્ઞાન તે સ્પષ્ટ કરે છે -
-
આ ચિત્તવા નાડી, આના દ્વારા ચિત્તને વહન કરે છે અને આ ચિત્તવહા નાડી રસ પ્રાણાદિને વહન કરનારી નાડીથી વિલક્ષણ છે, એ પ્રકારે જ્ઞાન થાય છે. આ રીતે સ્વ-પર શરીરના સંચારને જ્યારે યોગી જાણે છે ત્યારે પરકીય શરીર મૃત હોય કે જીવિત શરીર હોય, ચિત્તના સંચાર દ્વારા પ્રવેશ કરે છે અર્થાત્ યોગી તે શરીરમાં પ્રવેશ કરે છે. ચિત્ત પર શરીરમાં પ્રવેશતું ઇન્દ્રિયોને પણ અનુસરે છે. જેમ મધુકરરાને મધમાખીઓ અનુસરે છે.
ત્યારપછી પર શરીરમાં પ્રવેશેલાં એવા યોગી સ્વ-શરીરની મ તેનાથી વ્યવહાર કરે છે-પરશરીરથી વ્યવહાર કરે છે. જે કારણથી વ્યાપક એવા ચિત્ત અને પુરુષનો ભોગના સંકોચમાં કારણ કર્મ છે. તે=ભોગના સંકોચનું કારણ એવું કર્મ, જો સમાધિથી ક્ષિપ્ત કરાયું હોય તો સ્વતંત્રપણાથી સર્વત્ર જ ભોગની નિષ્પત્તિ છે. II3-૩૮॥
ભાવાર્થ :
શરીરબંધના કારણોની શિથિલતાથી અને ચિત્તના પ્રચારના જ્ઞાનથી યોગીના ચિત્તનો પર શરીરમાં પ્રવેશ :
પાતંજલદર્શનની પ્રક્રિયા પ્રમાણે દરેકનો આત્મા સર્વવ્યાપી છે અને ચિત્ત પણ સર્વવ્યાપી છે. આમ છતાં નિયત કર્મના વશથી શરીર અંતર્ગત ભોક્તા અને ભોગ્યભાવરૂપે ચિત્ત અને આત્માનું સંવેદન થાય છે અર્થાત્ ચિત્ત ભોગ્ય છે અને આત્મા ભોક્તા છે તે રૂપે સંસારી જીવોને સંવેદન થાય છે, તે શરીરબંધ કહેવાય છે=શરીરમાં આત્મા અને ચિત્ત બંધાયેલાં છે તેમ કહેવાય છે.
તે શરીરબંધનું કારણ ધર્મ-અધર્મ નામનું કર્મ છે. યોગની સાધનાથી યોગી જ્યારે સમાધિને પામે છે, ત્યારે તે કર્મ શિથિલ થાય છે, અને હ્રદયપ્રદેર પી ઇન્દ્રિય દ્વારા વિષયાભિમુખપણાથી ચિત્તનો જે પ્રચાર થાય છે, તેનું જ્ઞાન થવાને કારણે યાગીનું ચિત્ત પરશરીરમાં પ્રવેશ પામે છે, અને પરશરીરમાં
Page #91
--------------------------------------------------------------------------
________________
૬૨
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૩૮-૩૯ પ્રવેશ પામતું એવું ચિત્ત જેમ મધમાખીઓ મધુરાજને અનુસરે છે, તેમ ઇન્દ્રિયો પણ તે યોગીના ચિત્તને અનુસરે છે, તેથી યોગીનું ચિત્ત અને ઇન્દ્રિયો પરશરીરમાં પ્રવેશ પામે છે તેથી તે યોગી પરશરીર સાથે સ્વશરીરની જેમ વ્યવહાર કરે છે.
આશય એ છે કે આત્મા અને ચિત્ત સર્વવ્યાપી છે, પરંતુ કર્મના વશથી તે બંને નિયત શરીરમાં બંધાયેલાં છે. સમાધિના વશથી જ્યારે તે કર્મનો નાશ થાય છે, ત્યારે યોગીનું ચિત્ત અને યોગીનો આત્મા શરીરના નિયંત્રણથી મુક્ત થાય છે, અને સમાધિના વશથી યોગીને ચિત્તના પ્રચારનું જ્ઞાન થાય છે અર્થાત્ પોતાનું ચિત્ત અને પરનું ચિત્ત આ ચિત્તવા નાડીથી વહન થાય છે, અને તે ચિત્તવહા નાડી રસવતા અને પ્રાણવા નાડીઓથી વિલક્ષણ છે, એ પ્રકારનું જ્ઞાન થવાને કારણે યોગીનું ચિત્ત પોતાની ઇચ્છાનુસાર પરના શરીરમાં પ્રવેશ કરી શકે છે; અને પરશરીરમાં પ્રવેશ પામેલા એવા તે યોગીના ચિત્તને યોગીના શરીરની ઇન્દ્રિયો પણ અનુસરે છે, તેથી તે શરીરથી યોગી સ્વશરીરની જેમ વ્યવહાર કરે છે અર્થાત્ જેમ પોતાના શરીરથી ભોગાદિ કરી શકે છે, તેમ જ અન્ય શરીરમાં યોગી પ્રવેશ કરે છે તે શરીરથી થતા ભોગાદિનો અનુભવ કરી શકે છે.
યોગી અન્ય શરીરમાં પ્રવેશ કરીને તે શરીરથી થતા ભોગાદિનો અનુભવ કેમ કરી શકે છે? તેથી કહે છે –
| ચિત્ત અને પુરુષ બંને વ્યાપક છે, અને ભોગના સંકોચનું કારણ કર્યુ હતું, તેથી નિયત શરીરમાં રહીને સંસારી જીવો ભોગ કરી શકે છે, અને તે ભોગના સંકોચનું કારણ એવું કર્મ સમાધિથી દૂર થયું, તેથી ચિત્ત અને પુરુષ બંને શરીરના બંધનથી સ્વતંત્ર થયા, તેથી યોગીનો આત્મા અને યોગીનું ચિત્ત સ્વતંત્ર બને છે તેથી સ્વઇચ્છાનુસાર અન્ય સર્વ શરીરોમાં તે યોગી ભોગની નિષ્પત્તિ કરી શકે છે. ll૩-૩૮ll
અવતરણિકા :
सिद्ध्यन्तरमाह - અવતરણિકાર્ય :
અન્ય સિદ્ધિને કહે છે –
સૂત્ર :
उदानजयाज्जलपङ्ककण्टकादिष्वसङ्ग उत्क्रान्तिश्च ॥३-३९॥
સૂત્રાર્થ :
ઉદાનવાયુના જયથી જળ, કાદવ અને કાંટા આદિમાં અસંગ અને ઉત્ક્રાંતિ છે. 3-3ell
Page #92
--------------------------------------------------------------------------
________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૩૯
ટીકા :
93
વાવ્યા,
'उदानेति'- समस्तानामिन्द्रियाणां तुषज्वालावद् युगपदुत्थिता वृत्तिः सा जीवनशब्दतस्यां क्रियाभेदात् प्राणापानादिसञ्ज्ञाभिर्व्यपदेशः, तत्र हृदयान्मुखनासिकाद्वारेण वायो: प्रणयनात् प्राण इत्युच्यते, नाभिदेशात् पादाङ्गुष्ठपर्यन्तमपनयनादपान:, नाभिदेश परिवेष्ट्य समन्तान्नयनात् समान:, कृकाटिकादेशादाशिरोवृत्तेरुन्नयनादुदानः, व्याप्यनयनात् सर्वशरीरव्यापी व्यानः, तत्रोदानस्य संयमद्वारेण जयादितरेषां वायूनां निरोधादूर्ध्वगतित्वेन जले महानद्यादौ महति वा कर्दमे तीक्ष्णेषु कण्टकेषु वा न सज्जतेऽतिलघुत्वात्, तूलपिण्डवज्जलादौ मज्जितोऽप्युद्गच्छतीत्यर्थः ॥३-३९॥
ટીકાર્ય :
समस्तानाम् નૃત્યર્થ: ॥ સમસ્ત ઇન્દ્રિયોની ફોતરા અને જ્વાલાની જેમ એકી સાથે ઊઠેલી એવી વૃત્તિઓ તે જીવનશબ્દથી વાચ્ય છે. તેની ક્રિયાના ભેદથી=જીવનશબ્દથી વાચ્ય એવી વૃત્તિની ક્રિયાના ભેદથી, પ્રાણ, અપાનાદિ સંજ્ઞા વડે વ્યપદેશ થાય છે.
.....
ત્યાં હૃદયથી મુખ, નાસિકા દ્વારા વાયુના પ્રણયનથી પ્રાણ એ પ્રમાણે વ્હેવાય છે, નાભિદેશથી પગના અંગુઠા પર્યંત અપનયન થવાથી અપાન કહેવાય છે, નાભિદેશને પરિવેષ્ટન કરીને ચારે બાજુથી નયન થવાથી સમાન વાયુ વ્હેવાય છે, કૃકાટિકાદેશથી આશિરોવૃત્તિનું=મસ્તક સુધી ઉન્નયન હોવાને કારણે ઉદાનવાયુ કહેવાય છે, વ્યાપ્યનયનને કારણે સર્વ શરીરવ્યાપી વ્યાન વાયુ કહેવાય છે.
ત્યાં=આ પાંચ વાયુમાં, ઉદાનવાયુના સંયમ દ્વારા ઉદાનવાયુના જ્યથી અને ઇતર વાયુના નિરોધથી ઉર્ધ્વગતિપણાને કારણે મહાનદી આદિ જલમાં, મોટા કાદવમાં અથવા તીક્ષ્ણ કાંટાઓમાં અતિલપણું હોવાથી યોગી સંગ પામતા નથી, તૂલના પિંડની મ=રૂના પિંડની જેમ, જ્વાદિમાં મજ્જન કરાયેલ યોગી ઉપર આવે છે, એ પ્રમાણે અર્થ છે. ||૩-૩૯||
ભાવાર્થ:
ઉદાનવાયુના જયથી જલાદિ સાથે અસંગપણાની સિદ્ધિ :
કૃકાટિકાદેશથી માંડીને=કંઠદેશથી મસ્તક સુધી, ઉદાનવાયુ રહેલો છે, અને તે ઉદાનવાયુ ઉપર ધારણા, ધ્યાન અને સમાધિવિષયક સંયમ કરવાથી ઉદાનવાયુનો જય થાય છે અને ઇતરવાયુનો નિરોધ થાય છે, તેથી યોગનું શરીર હલકું થઈ જવાને કારણે પાણી આદિની સાથે સંગ વગરનું બને છે અર્થાત્ મોટી નદી આદિમાં તે યોગી હલકા શરીરવાળા બનીને ચાલી શકે છે, પરંતુ પાણીમાં ડૂબી જતા નથી તથા કાદવ ઉપર હલકા શરીરવાળા બનીને ચાલી શકે છે, પરંતુ કાદવમાં ખૂંચી જતા નથી અને તીક્ષ્ણ કાંટા ઉપર પણ હલકા શરીરવાળા બનીને ચાલી શકે છે, પરંતુ કાંટા પગમાં લાગતા નથી. II3-૩૯II
Page #93
--------------------------------------------------------------------------
________________
૬૪
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૪૦-૪૧ અવતરણિકા :
सिद्ध्यन्तरमाह - અવતરણિકાર્ય :
અન્ય સિદ્ધિને કહે છે – સૂત્ર :
समानजयाज्ज्व लनम् ॥३-४०॥
સૂત્રાર્થ :
સમાન વાયુના ભયથી જ્વલન અગ્નિ, જેવો યોગી ભાસે છે. ll૩-૪oll ટીકા :
'समानेति'-अग्निमावेष्ट्य व्यवस्थितस्य समानाख्यस्य वायोर्जयात्=संयमेन वशीकारान्निरावरणस्याग्नेरुद्भूतत्वात्तेजसा प्रज्वलन्निव योगी प्रतिभाति ॥३-४०॥ ટીકાર્થ :
મિHવે....પ્રતિમતિ અગ્નિને વીંટળાઈને વ્યવસ્થિત રહેલ જઠરાગ્નિને વીંટળાઈને રહેલ, સમાન નામના વાયુના ભયથી સંયમ દ્વારા વશીકારથી, નિરાવરણ એવા અગ્નિનો ઉદ્દભવ થવાને કારણે જાણે તેજ વડે પ્રજ્વલન પામતા યોગી દેખાય છે. ll૩-૪ll.
ભાવાર્થ :
સમાનવાયુના જયથી તેજની સિદ્ધિઃ
શરીરમાં જઠરાગ્નિને વીંટળાઈને રહેલ સમાન વાયુ છે, અને યોગીઓ સમાન વાયુ ઉપર ધારણા, ધ્યાન અને સમાધિમાં યત્ન કરે છે એ રૂપ સંયમ થવાથી, જઠરાગ્નિને વીંટળાઈને રહેલા સમાન વાયુનો જય થાય છે. તેથી નિરાવરણ થયેલો એવો જઠરાગ્નિ ઊર્ધ્વગમન કરે છે, માટે યોગીના શરીરમાં અગ્નિ જેવું લાલ તેજ પ્રગટે છે અર્થાત્ સમાન વાયુનો જય કરનાર યોગીનું શરીર સૂર્યના તેજ જેવું લાલ દેખાય છે. ll૩-૪oll અવતરણિકા :
सिद्धयन्तरमाह - અવતરણિતાર્થ :
અન્ય સિદ્ધિને કહે છે –
Page #94
--------------------------------------------------------------------------
________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૪૧-૪૨
૫
સૂત્ર :
श्रोत्राकाशयोः सम्बन्धसंयमाद् दिव्यं श्रोत्रम् ॥३-४१॥
સૂત્રાર્થ :
શ્રોત્રના અને આકાશના સંબંધમાં સંયમ કરવાથી દિવ્ય શ્રોત્ર થાય છે=વિશિષ્ટ શબ્દ ગ્રહણમાં શ્રોસેન્દ્રિય સમર્થ થાય છે. ll૩-૪૧II
ટીકા:
'श्रोत्रेति'-श्रोत्रं शब्दग्राहकमाहङ्कारिकमिन्द्रियम्, आकाशं व्योम शब्दतन्मात्रकार्यम्, तयोः सम्बन्धो देशदेशिभावलक्षणस्तस्मिन् कृतसंयमस्य योगिनो दिव्यं श्रोत्रं प्रवर्तते, युगपत् सूक्ष्मव्यवहितविप्रकृष्टशब्दग्रहणसमर्थं भवतीत्यर्थः ॥३-४१॥ ટીકાર્ય :
શ્રોત્ર રૂત્યર્થ: / શબ્દગ્રાહક અહંકારથી જન્ય એવી ઇન્દ્રિય શ્રોત્ર છે.
શબ્દતન્માત્રાનું કાર્ય આકાશ-વ્યોમ છે, તે બેનો જે દેશ-દેશીભાવસ્વરૂપ સંબંધ, તેમાં કરાયેલ સંયમવાળા યોગીને દિવ્ય શ્રોત્ર પ્રવર્તે છે=એકી સાથે સૂક્ષ્મ, વ્યવહિત, વિપ્રકૃષ્ટ એવા શબ્દને ગ્રહણ કરવામાં સમર્થ શ્રોત્રેન્દ્રિય થાય છે, એ પ્રકારનો અર્થ છે. li૩-૪૧||
ભાવાર્થ :
શ્રોત્રેન્દ્રિયના અને આકાશના સંબંધમાં સંચમ કરવાથી દિવ્યશ્રોત્રની સિદ્ધિ :
શ્રોત્રેન્દ્રિય અને આકાશ ઉપર ધારણા, ધ્યાન અને સમાધિવિષયક સંયમ કરવાથી યોગીને એકી સાથે સૂક્ષ્મ, વ્યવહિત અને અત્યંત દૂર રહેલા શબ્દોને ગ્રહણ કરવા સમર્થ બને એવા દિવ્ય શ્રોત્રેન્દ્રિયની પ્રાપ્તિ થાય છે. N૩-૪૧ અવતરણિકા : सिद्ध्यन्तरमाह -
અવતરણિકાર્ય :
અન્ય સિદ્ધિને કહે છે –
સૂત્ર :
कायाकाशयोः सम्बन्धसंयमाल्लघुतूलसमापत्तेश्चाकाशगमनम् ॥३-४२॥
Page #95
--------------------------------------------------------------------------
________________
૬૬
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૪૨
સૂત્રાર્થ :
કાય અને આકાશના સંબંધમાં સંયમ કરવાથી લઘુતલમાં સમાપત્તિ થવાને કારણે અત્યંત હલકા એવા કૂલમાં તન્મયીભાવ થવાને કારણે, યોગીનું શરીર લઘુભાવને પામે છે, તેથી યોગી આકાશમાં ગમન કરી શકે છે. I3-૪રા ટીકા?
'कायेति'-काय:=पाञ्चभौतिकं शरीरं, तस्याऽऽकाशेन अवकाशदायकेन यः सम्बन्धस्तत्र संयमं विधाय लघुनि तूलादौ समापत्तिं तन्मयीभावलक्षणां च विधाय प्राप्तातिलघुभावो योगी प्रथमं यथारुचि जले सञ्चरन् क्रमेणोर्णनाभतन्तुजालेन सञ्चरमाण आदित्यरश्मिभिश्च विहरन् यथेष्टमाकाशेन गच्छति ॥३-४२॥ ટીકાર્ય :
શાય: ... સાચ્છતિ પાંચ ભૂતથી બનેલું શરીર કાય છે, તેનો અવકાશ આપનાર એવા આકાશની સાથે જે સંબંધ તેમાં સંયમ કરીને અને લઘુ તૂલાદિમાં તન્મયીભાવસ્વરૂપ સમાપત્તિ કરીને પ્રાપ્ત થયેલ અતિલઘુભાવવાળો યોગી પ્રથમ પોતાની રુચિ અનુસાર જલમાં સંચરણ કરતો ક્રમથી ઉર્ણનાભતંતુજાલ દ્વારા+કરોળિયાના જાળા દ્વારા, સંચરણ કરતો સૂર્યના કિરણો દ્વારા વિહરતો ઇચ્છાનુસાર આકાશથી ગમન કરે છે. ll૩-૪રા.
ભાવાર્થ :
કાય અને આકાશના સંબંધમાં સંયમથી અને લઘુતૂલમાં સમાપત્તિથી આકાશમાં ગતિની સિદ્ધિઃ
સાધના કરનારા યોગીઓ પાંચ ભૂતથી બનેલા શરીરમાં અને શબ્દતન્માત્રાથી ઉત્પન્ન થયેલા આકાશમાં સંયમ કરે છે અર્થાત્ જે આકાશમાં પોતાનું શરીર રહેલું છે તે આકાશની સાથે પોતાના શરીરનો સંબંધ રહેલો છે તેમાં સંયમ કરે છે; અને ત્યારપછી લઘુ એવા ફૂલની સાથે તન્મયભાવરૂપ સમાપત્તિને પ્રાપ્ત કરે છે અર્થાત્ બુદ્ધિરૂપી ચક્ષુથી લઘુ એવા ફૂલ જેવા પોતાના શરીરને ઉપસ્થિત કરીને તેમાં તન્મયભાવને પ્રાપ્ત કરે છે, જેથી પોતાનો દેહ લઘુભાવને પામે છે, તેથી યોગી આકાશમાં ગતિ કરી શકે છે.
કઈ રીતે આકાશમાં ગતિ કરે છે, તે બતાવે છે –
પ્રથમ પોતાના શરીર અને આકાશનો સંબંધ કર્યા પછી પોતાના શરીરને હલકા રૂ જેવો વિચારીને તેમાં તન્મય થવાથી પોતે હલકા રૂ જેવા બને છે ત્યારે, પ્રથમ પોતાની રુચિ પ્રમાણે જલમાં સંચરણ કરે છે અર્થાત્ તેના દેહનો લઘુભાવ આકાશમાં જવા સમર્થ નથી, પરંતુ જલના આધારના બળથી જલ ઉપર ચાલી શકે તેટલો લઘુભાવ થયેલો છે, અને તે સંયમથી જ્યારે લઘુભાવ વધે ત્યારે
Page #96
--------------------------------------------------------------------------
________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૪૨-૪૩ કરોળિયાના તંતુકાળને અવલંબીને સંચરણ કરવા સમર્થ બને છે, અને ફરી સંયમ કરવાથી તે લઘુભાવ હજુ અધિક થાય ત્યારે સૂર્યનાં કિરણોને ગ્રહણ કરીને ઇચ્છા પ્રમાણે આકાશમાં ગતિ કરી શકે છે. Il૩-૪TI.
અવતરણિકા : सिद्ध्यन्तरमाह -
અવતરણિકાર્ય :
અન્ય સિદ્ધિને કહે છે –
સૂત્ર :
बहिरकल्पितावृत्तिर्महाविदेहा ततः प्रकाशावरणक्षयः ॥३-४३॥ સૂત્રાર્થ :
બહાર એવી અકલ્પિતવૃત્તિ મહાવિદેહા છે, તેનાથી=મહાવિદેહા વૃત્તિમાં સંયમ કરવાથી, પ્રકાશના આવરણનો ક્ષય થાય છે. ll૩-૪all ટીકા : ____ बहिरिति'-शरीराद् बहिर्या मनसः शरीरनैरपेक्ष्येण वृत्तिः सा महाविदेहा नाम विगतशरीराहङ्कारदायद्वारेणोच्यते, ततः स्तस्यां कृतात् संयमात्, प्रकाशावरणक्षयः सात्त्विकस्य चित्तस्य यः प्रकाशस्तस्य यदावरणं क्लेशकर्मादि तस्य क्षयः-प्रविलयो, भवति । अयमर्थःशरीराहङ्कारे सति या मनसो बहिर्वृत्तिः सा कल्पितेत्युच्यते, यदा पुनः शरीराहङ्कारभावं परित्यज्य स्वातन्त्र्येण मनसो वृत्तिः साऽकल्पिता, तस्यां संयमाद्योगिनः सर्वे चित्तमलाः ક્ષયને રૂ-૪રૂા. ટીકાર્ય :
શરીરત્ .... મવતિ શરીરથી બહાર જે શરીરના નિરપેક્ષપણાથી મનની વૃત્તિ તે વિગતશરીરના અહંકારની દઢતા દ્વારા મહાવિદેહા કહેવાય છે, તેનાથી-તેમાં કરાયેલા સંયમથી=મહાવિદેહામાં કરાયેલા સંયમથી, પ્રકાશના આવરણનો ક્ષય-સાત્ત્વિક એવા ચિત્તનો જે પ્રકાશ, તેના જે ક્લેશ કર્મ આદિ આવરણ તેનો ક્ષય-પ્રવિલય, થાય છે.
મયમર્થ: - આ અર્થ છે –
શરીર હરે.... ક્ષયને તે શરીરમાં અહંકાર હોતે છતે જે મનની બહાર વૃત્તિ તે કલ્પિતા કહેવાય છે. જ્યારે વળી શરીરમાં અહંકારભાવનો ત્યાગ કરીને સ્વતંત્રપણાથી મનની જ વૃત્તિ છે તે અકલ્પિતા છે તેમાં સંયમ કરવાથી યોગીઓના સર્વ ચિત્તમનો ક્ષય પામે છે. ll૩-૪all
Page #97
--------------------------------------------------------------------------
________________
૬૮
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૪૩-૪૪ ભાવાર્થ : મહાવિદેહામાં સંયમ કરવાથી પ્રકાશના આવરણના ક્ષયની સિદ્ધિ :
મહાવિદેહા એવી મનોવૃત્તિમાં સંયમ કરવાથી પ્રકાશના આવરણનો ક્ષય થાય છે. મહાવિદેહા મનોવૃત્તિ શું છે? તે સ્પષ્ટ કરે છે –
જ્યારે યોગી પોતાના શરીર પ્રત્યે નિરપેક્ષ થાય છે ત્યારે શરીરથી બહાર એવા પોતાના આત્મભાવમાં મનોવૃત્તિવાળા થાય છે તે અકલ્પિત મનોવૃત્તિ છે; કેમ કે આત્માના ભાવો મહાન છે.
જેમને શરીરમાં અહંકાર છે તેમને બાહ્ય પદાર્થોમાં જે મનોવૃત્તિ થાય છે, તે કલ્પિત મનોવૃત્તિ છે; કેમ કે બાહ્ય ઇન્દ્રિયોના વિષયોમાં સ્વકલ્પનાથી તે પદાર્થો પ્રત્યે સંશ્લેષ પામે છે, અને શરીરના અહંકારવાળા જીવોને વર્તતી બહિર્મનોવૃત્તિ કલ્પિત હોવાથી મહાવિદેહા કહેવાતી નથી, પરંતુ દેહથી બહાર મનોવૃત્તિ જેઓને છે, તેઓની તે મનોવૃત્તિ વિદેહા કહેવાય છે; અને શરીર પ્રત્યેના અહંકાર વગરના યોગીને દેહથી બહાર એવી આત્મભાવમાં જે મનોવૃત્તિ છે, તે પારમાર્થિક હોવાથી મહાવિદેહા કહેવાય છે, અને તેમાં સંયમ કરવાથી=શરીરથી બહાર એવા શુદ્ધ આત્મભાવમાં વર્તતી મનોવૃત્તિરૂપ મહાવિદેહામાં સંયમ કરવાથી, શુદ્ધ સત્ત્વસ્વરૂપ પ્રકાશનું શુદ્ધ આત્માના જ્ઞાનસ્વરૂપ પ્રકાશનું, જે ક્લેશકર્મ આદિ આવરણ=પાતંજલમત પ્રમાણે પાતંજલયોગસૂત્ર ૨-૩માં કહેલ અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ, અભિનિવેશસ્વરૂપ પાંચ ક્લેશ અને શુભ-અશુભ કર્મ તથા સ્વદર્શન પ્રમાણે જ્ઞાનને આવરણ કરે એવાં જે કર્મો, તે વગેરેનો ક્ષય થવાથી ચિત્તના સર્વ મલો ક્ષય પામે છે ચિત્તમાં વર્તતા મોહના ભાવો અને મોહનાં આપાદક કર્મો ક્ષય પામે છે, તેથી નિરાવરણ થયેલ એવો આત્માનો જ્ઞાનસ્વરૂપ પ્રકાશ આવિર્ભાવ પામે છે.
નોંધ :- દેહથી બહાર જે મનોવૃત્તિ મનનો જે લગાવ છે, તે વિદેહા કહેવાય છે. સંસારી જીવોને દેહમાં મનોવૃત્તિ હોય છે અને દેહથી બહાર વિષયોમાં પણ મનોવૃત્તિ હોય છે. દેહથી બહાર વિષયોમાં જે મનોવૃત્તિ છે તે વિદેહા કહેવાય છે. દેહથી બહાર આત્માના શુદ્ધ સ્વરૂપમાં જે મનોવૃત્તિ-મનનો લગાવ તે મહાવિદેહા કહેવાય છે.
સાધક યોગીઓ શરીર પ્રત્યે નિરપેક્ષ હોય છે, તેમને શરીરના ઉપષ્ટભક એવા બાહ્ય વિષયોમાં મનોવૃત્તિ હોતી નથી, પરંતુ આત્માના પારમાર્થિક સ્વરૂપમાં મનોવૃત્તિ હોય છે, તેથી તેમની મનોવૃત્તિને મહાવિદેહા કહેવાય છે અર્થાતુ દેહથી બહાર એવી આત્માના શુદ્ધ ભાવમાં આ મનોવૃત્તિ છે તેથી અકલ્પિત છે. ll૩-૪all અવતરણિકા :
तदेवं पूर्वान्तविषयाः परान्तविषया मध्यभवाश्च सिद्धीः प्रतिपाद्यानन्तरं भुवनज्ञानादिरूपा बाह्याः कायव्यूहादिरूपा आभ्यन्तराः परिकर्मनिष्पन्नभूताश्च मैत्र्यादिषु बलानीत्येवमाद्याः
Page #98
--------------------------------------------------------------------------
________________
पातयोगसूत्र भाग-२ / विभूतिपाE | सूत्र-४४
૬૯ समाध्युपयोगिनीश्चान्तःकरणबहिःकरणलक्षणेन्द्रियभवाः प्राणादिवायुभवाश्च सिद्धीश्चित्तदाढात्समाधौ समाश्वासोत्पत्तये प्रतिपाद्येदानीं स्वदर्शनोपयोगिसबीजनिर्बीजसमाधिसिद्धये विविधोपायप्रदर्शनायाऽह - અવતરણિકાર્ય :
આ રીતે પ્રસ્તુત વિભૂતિપાદમાં અત્યાર સુધી વર્ણન કર્યું એ રીતે, પૂર્વાતવિષયવાળી, પરાંત વિષયવાળી અને મધ્યમાં થનારી સિદ્ધિઓને પ્રતિપાદન કરીને ત્યારપછી ભુવનજ્ઞાનાદિરૂપ બાહા, કાયવ્હારિરૂપ અત્યંતર અને મૈત્રાદિમાં પરિકર્મથી નિષ્પન્ન થયેલા બલો એ વગેરે અને સમાધિમાં ઉપયોગી અંત:કરણ-બહિ:કરણરૂપ ઇન્દ્રિયોથી થનારી, પ્રાણવાયુથી થનારી સિદ્ધિઓને ચિત્તની દઢતાથી સમાધિમાં સમાશ્વાસની ઉત્પત્તિ માટે પ્રતિપાદન કરીને હવે સ્વદર્શનમાં પુરુષના દર્શનમાં, ઉપયોગી સબીજ કે નિર્ભુજ સમાધિની સિદ્ધિ માટે વિવિધ પ્રકારના ઉપાયને બતાવવા માટે કહે છે –
सूत्र:
स्थूलस्वरूपसूक्ष्मान्वयार्थवत्त्वसंयमाद् भूतजयः ॥३-४४॥
सूत्रार्थ :
પૂલ, સ્વરૂપ, સૂક્ષ્મ, અન્વય અને સાર્થવવમાં સંયમ કરવાથી ભૂતજય થાય છે. ||3-४४॥ टी : ___ स्थूलेति-पञ्चानां पृथिव्यादीनां भूतानां ये पञ्चावस्थाविशेषरूपा धर्माः स्थूलत्वादयस्तत्र कृतसंयमस्य भूतजयो भवति, भूतानि अस्य वश्यानि भवन्तीत्यर्थः । तथाहि-भूतानां परिदृश्यमानं विशिष्टाकारवत्स्थूलरूपं, स्वरूपं चैषां यथाक्रमं कार्यं गन्धस्नेहोष्णताप्रेरणावकाशदानलक्षणं, सूक्ष्मं च यथाक्रमं भूतानां कारणत्वेन व्यवस्थितानि गन्धादितन्मात्राणि, अन्वयिनो गुणाः प्रकाशप्रवृत्तिस्थितिरूपतया सर्वत्रैवान्वयित्वेन समुपलभ्यन्ते, अर्थवत्त्वं तेष्वेव गुणेषु भोगापवर्गसम्पादनाख्या शक्तिः, तदेवम्भूतेषु पञ्चसूक्तलक्षणावस्थाभिन्नेषु प्रत्यवस्थं संयमं कुर्वन् योगी भूतजयी भवति । तद्यथा-प्रथमं स्थूलरूपे संयमं विधाय तदनु स्वरूपे इत्येवं क्रमेण तस्य कृतसंयमस्य सङ्कल्पानुविधायिन्यो वत्सानुसारिण्य इव गावो भूतप्रकृतयो भवन्ति ॥३-४४॥ टोडार्थ :
पञ्चानां ..... भवन्ति । पृथ्वी माहि पाय (भूतोना 8 ५iय भवस्थाविशेष३५ स्थूलत्वा धर्मो તેમાં કરાયેલ સંયમવાળા યોગીને ભૂતયે થાય છે અર્થાત્ આ યોગીને ભૂતો વશ્ય થાય છે.
Page #99
--------------------------------------------------------------------------
________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૪૪
તે આ પ્રમાણે – ભૂતોનું પરિદૃશ્યમાન=દેખાતું, વિશિષ્ટ આકારવાળું સ્થૂલરૂપ છે અને એમનું= ભૂતોનું, યથામ સ્વરૂપ ગંધ, સ્નેહ, ઉષ્ણતા, પ્રેરણા, અવકાશદાનલક્ષણ કાર્ય છે અને ભૂતોના યથાક્ક્સ કારણપણા વડે વ્યવસ્થિત ગંધાદિ તન્માત્રાઓ સૂક્ષ્મ છે. પ્રકાશ, પ્રવૃત્તિ અને સ્થિતિરૂપપણાથી અન્વયિગુણો=પ્રકૃતિના અન્વયિગુણો, સર્વત્ર પૃથ્યાદિ સર્વમાં જ, અન્વયિપણા વડે પ્રાપ્ત થાય છે. અર્થવત્ત્વ તે જ ગુણોમાં=પ્રકૃતિના અન્વયિગુણોમાં, ભોગ અને અપવર્ગસંપાદન નામની શક્તિ અર્થાત્ પુરુષના ભોગસંપાદનરૂપ શક્તિ અને પુરુષના મોક્ષસંપાદનરૂપ શક્તિ, અર્થવત્ત્વ છે, તે કારણથી=પાંચ ભૂતોની સ્યૂલાદિ પાંચ અવસ્થા છે તે કારણથી, આવા પ્રકારના હેવાયેલા લક્ષણ, અવસ્થાથી ભિન્ન એવા પાંચમાં પ્રતિ અવસ્થાને આશ્રયીને સંયમ કરતા એવા યોગી ભૂતજ્યી=ભૂતને જિતનારા, થાય છે.
७०
તે આ પ્રમાણે
પ્રથમ સ્થૂલરૂપમાં સંયમને કરીને ત્યારપછી સ્વરૂપમાં એ પ્રકારના ક્રમથી વાછરડો છે અનુસારનાર જેને, એવી ગાયની જેમ તે કૃતસંયમવાળા યોગીના સંક્લ્પને અનુસરનારી ભૂતપ્રકૃતિઓ થાય છે. ||૩-૪૪||
ભાવાર્થ :
સ્થૂલાદિમાં સંયમ કરવાથી ભૂતજય :
દેખાતું જગત પાંચ ભૂતાત્મક છે, અને તે પાંચે ભૂતોની પાંચ અવસ્થાવિશેષ છે – (૧) સ્થૂલ, (૨) સ્વરૂપ, (૩) સૂક્ષ્મ, (૪) અન્વય અને (૫) અર્થવત્ત્વ.
-
(૧) સ્થૂલઅવસ્થાવિશેષ :- પાંચે ભૂતોનો જે દેખાતો આકારવિશેષ છે તે સ્થૂલ અવસ્થાવિશેષરૂપ છે. (૨) સ્વરૂપઅવસ્થાવિશેષ :- પૃથિવી આદિ પાંચે ભૂતોનું વિશેષ પ્રકારનું સ્વરૂપ છે. જે કાર્ય છે જેમ -
(૧) પૃથિવીમાં કર્કશપણું દેખાય છે, તે પૃથિવીનું સ્વરૂપ છે.
(૨) જલમાં સ્નેહ દેખાય છે=ભીંજવવાની શક્તિ દેખાય છે, તે જલનું સ્વરૂપ છે.
(૩) અગ્નિમાં ઉષ્ણપણું દેખાય છે, તે અગ્નિનું સ્વરૂપ છે.
(૪) વાયુમાં પ્રેરણા દેખાય છે=બીજા પદાર્થોને અન્યત્ર ગમનમાં પ્રેરણાશક્તિ દેખાય છે, વાયનું સ્વરૂપ છે.
(૫) આકાશમાં અવકાશદાન દેખાય છે=આકાશ બીજા પદાર્થોને અવકાશ આપે છે, તે આકાશનું સ્વરૂપ છે.
(૩) સૂક્ષ્મઅવસ્થાવિશેષ :- દરેક ભૂત તેના કારણમાંથી ઉત્પન્ન થાય છે, તેથી ભૂતની કારણ અવસ્થા સૂક્ષ્મ છે અને કાર્ય અવસ્થા સ્થૂલ છે, એ પ્રકારની પાતંજલદર્શનની માન્યતા છે, તે પ્રમાણે પાંચે ભૂતોનાં કારણો સૂક્ષ્મ છે.
Page #100
--------------------------------------------------------------------------
________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૪૪
જેમ – (૧) ગંધતન્માત્રામાંથી પૃથિવી થાય છે, તેથી પૃથિવીનું કારણ ગંધતન્માત્રા સૂક્ષ્મ છે. (૨) રસતન્માત્રામાંથી જ થાય છે, તેથી જલનું કારણ રસતન્માત્રા સૂક્ષ્મ છે. (૩) રૂપતન્માત્રામાંથી અગ્નિ થાય છે, તેથી અગ્નિનું કારણ રૂપતન્માત્રી સૂક્ષ્મ છે. (૪) સ્પર્શતન્માત્રામાંથી વાયુ થાય છે, તેથી વાયનું કારણ સ્પર્શતક્નાત્રા સૂક્ષ્મ છે. (૫) શબ્દતન્માત્રામાંથી આકાશ થાય છે, તેથી આકાશનું કારણ શબ્દતન્માત્રા સૂક્ષ્મ છે.
(૪) અન્વયઅવસ્થાવિશેષ:- પાતંજલયોગસૂત્ર-૨૧૮માં કહ્યું છે કે ભૂત અને ઇન્દ્રિયાત્મક દૃશ્ય છે, અને તે દશ્ય પ્રકાશ, ક્રિયા અને સ્થિતિસ્વભાવવાળું છે, અને તે ભોગ અને અપવર્ગ માટે છે–પુરુષના ભોગ અને પુરુષના અપવર્ગ માટે છે. તે સ્ત્ર પ્રમાણે પ્રકાશ, ક્રિયા અને સ્થિતિસ્વભાવને કારણે ભૂતમાં વર્તતા પ્રકાશ, પ્રવૃત્તિ અને સ્થિતિરૂપપણાથી સર્વ ભૂતોમાં દેખાતા જે ગુણો છે, તે અન્વયાર્થ છે અર્થાત્ સર્વ ભૂતોમાં પ્રકાશ, પ્રવૃત્તિ અને સ્થિતિ આ ત્રણ ગુણો અન્વયરૂપે છે.
(૫) અર્થવત્ત્વઅવસ્થાવિશેષ:- પાતંજલયોગસૂત્ર-૨/૧૮માં કહ્યું એ પ્રમાણે ભોગ અને અપવર્ગ માટે ભૂત અને ઇન્દ્રિયાત્મક દશ્ય છે, એ વચનથી પાંચ ભૂતોના ગુણોમાં જે ભોગ અને અપવર્ગસંપાદનશક્તિ છે, તે ભૂતોનું અર્થવત્ત્વ=ભૂતોનું પ્રયોજન છે. કમથી પાંચ ભૂતોની અવસ્થાવિશેષમાં સંયમ કરવાથી ભૂતજય ઃ યોગી પાંચે ભૂતોની પાંચ અવસ્થાવિશેષનો બોધ કરીને :
(૧) પ્રથમ પાંચ ભૂતોની સ્થૂલ અવસ્થા પ્રત્યે સંયમ કરે અર્થાત્ પાંચ ભૂતોની સ્થૂલ અવસ્થાને ઉપસ્થિત કરીને ધારણા, ધ્યાન અને સમાધિવિષયક યત્ન કરે તો સ્થૂલ અવસ્થામાં સંયમ કરવાથી ભૂતોનો જય થાય છે.
(૨) તે જય કર્યા પછી પૃથિવી આદિનું કર્મશતાદિ જે સ્વરૂપ છે, તે સ્વરૂપને ઉપસ્થિત કરીને તેમાં ધારણા, ધ્યાન અને સમાધિવિષયક યત્ન કરે, તો સ્વરૂપઅવસ્થામાં સંયમ કરવાથી ભૂતોનો જય થાય છે.
(૩) તે જય કર્યા પછી તે પાંચે ભૂતોનાં કારણોનું જ્ઞાન કરીને તેમાં ધારણા ધ્યાન અને સમાધિવિષયક યત્ન કરે તો સૂક્ષ્મ અવસ્થામાં સંયમ કરવાથી ભૂતોનો જય થાય છે.
(૪) તે જય કર્યા પછી સર્વ ભૂતોમાં અન્વયરૂપે વર્તતા પ્રકાશ, પ્રવૃત્તિ અને સ્થિતિરૂપ જે ગુણો છે, તેને ઉપસ્થિત કરીને તેમાં ધારણા, ધ્યાન અને સમાધિવિષયક યત્ન કરે તો અન્વયઅવસ્થામાં સંયમ કરવાથી ભૂતોના જય થાય છે.
(૫) તે જય કર્યા પછી પાંચે ભૂતો પુરુષને કઈ રીતે ભોગસંપાદન કરે છે અને પુરુષને કઈ રીતે અપવર્ગસંપાદન કરે છે, તેનો નિર્ણય કરીને તે પાંચે ભૂતોમાં વર્તતા ગુણોમાં જે ભોગસંપાદનશક્તિ
Page #101
--------------------------------------------------------------------------
________________
૦૨
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૪૪, ૪૫-૪૬ છે અને જે અપવર્ગસંપાદનશક્તિ છે, તેમાં ધારણા, ધ્યાન અને સમાધિવિષયક યત્ન કરે તો અર્થવત્ત્વઅવસ્થામાં સંયમ કરવાથી ભૂતોનો જય થાય છે.
આ રીતે ક્રમથી પાંચે ભૂતોની અવસ્થાવિશેષમાં સંયમ કરે ત્યારે યોગીને પાંચે ભૂતોના જયની પ્રાપ્તિ થાય છે. તેથી જેમ વાછરડો ગાયને અનુસરે છે તેમ ભૂતપ્રકૃતિઓ યોગીના સંકલ્પને मनुस२नारी भने छ. ||3-४४|| अवतरशिक्षा:
तस्यैव भूतजयस्य फलमाह - અવતરણિતાર્થ :
તે જ ભૂતાના ફળને કહે છે – सूत्र:
ततोऽणिमादिप्रादुर्भाव: कायसम्पत् तद्धर्मानभिघातश्च ॥३-४५॥ सूत्रार्थ :
તેનાથી ભૂતના ભયથી, અણિમાદિનો પ્રાદુર્ભાવ, કાયસંપત અને તેના ઘર્મનો मनभिधातायाना धोनो मनभिघात, थाय छे. ॥3-४५|| टी : ___ 'तत इति'-अणिमा परमाणुरूपतापत्तिः, महिमा महत्त्वम्, लघिमा तूलपिण्डवल्लघुत्वप्राप्तिः, गरिमा गुरुत्वम्, प्राप्तिरङ्गुल्यग्रेण चन्द्रादिस्पर्शनशक्तिः, प्राकाम्यमिच्छानभिघातः, शरीरान्तःकरणेश्वरत्वमीशित्वम्, सर्वत्र प्रभविष्णुता वशित्वं, सर्वाण्येव भूतानि अनुगामित्वात्तदुक्तं नातिक्रामन्ति, यत्रकामावसायो यस्मिन्विषयेऽस्य काम इच्छा भवति तस्मिन्विषये योगिनो व्यवसायो भवति, तं विषयं स्वीकारद्वारेणाभिलाषसमाप्तिपर्यन्तं नयन्तीत्यर्थः त एतेऽणिमाद्याः समाध्युपयोगिनो भूतजयाद्योगिनः प्रादुर्भवन्ति, यथा परमाणुत्वं प्राप्तो वज्रादीनामप्यन्तः प्रविशति, एवं सर्वत्र योज्यम्, त एतेऽणिमादयोऽष्टौ गुणा महासिद्धय उच्यन्ते, कायसंपद्वक्ष्यमाणा तां प्राप्नोति, तद्धर्मानभिघातश्च तस्य कायस्य ये धर्मा रूपादयस्तेषामनभिघातो नाशो न कुतश्चिद्भवति, नास्य रूपमग्निर्दहति न वायुः शोषयतीत्यादि योज्यम् ॥३-४५।।
टीवार्थ:
अणिमा .... योज्यम् ॥ ५२माए ३५तानी प्राप्ति महिमा, महत्व महिमा, तूचना-३ना, पिनी
Page #102
--------------------------------------------------------------------------
________________
છ3
પાતંજલચોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૪૫-૪૬ જેમ લઘુપણાની પ્રાપ્તિ લધિમા, ગુરુત્વ ગરિમા, અંગુલિના અગ્રભાગથી ચંદ્રાદિના સ્પર્શનની શક્તિ પ્રાપ્તિ, ઇચ્છાનો અનભિઘાત પ્રાકામ્ય, શરીર અને અંત:કરણનું ઈશ્વરપણું ઈશિત્વ, સર્વ ઠેકાણે પ્રભવિષ્ણુતા વશિત્વ છે અર્થાત્ સર્વે જ ભૂતો તે યોગીને અનુસરનારા હોવાથી તેનું કહેવાયેલું અતિક્રમણ કરતા નથી, જે વિષયમાં આ યોગીને કામ ઇચ્છા થાય છે તે વિષયમાં યોગીનો વ્યવસાય થાય છે-તે વિષયના સ્વીકાર દ્વારા અભિલાષ સમાપ્તિપર્યત લઈ જાય છે તે યત્રકામાવસાય છે=જેમાં કામનો અવસાય થાય તે છે.
સમાધિમાં ઉપયોગી તે આ અણિમાદિ ભૂતાથી યોગીને પ્રાદુર્ભાવ થાય છે. જે પ્રમાણેપરમાણુપણાને પામેલા એવા યોગી વજાદિના અંદર પ્રદેશ કરે છે એ પ્રમાણે સર્વત્ર યોજન કરવું.
તે આ અણિમાદિ આઠ ગુણો મહાસિદ્ધિઓ કહેવાય છે. આગળમાં કહેવાશે તે કાયસંપત્ છે તેને પ્રાપ્ત કરે છે અર્થાત્ ભૂતયથી યોગી કાયાની સંપત્તિઓ પ્રાપ્ત કરે છે. તેના ધર્મનો અનભિઘાતeતે કાયાના જે રૂપાદિ ધર્મો તેનો અનભિઘાત=કોઈનાથી નાશ થતો નથી. આનું રૂપ અગ્નિ બાળતું નથી, વાયુ શોષણ કરતું નથી. ઇત્યાદિ યોજન કરવું. ll૩-૪૫ll અવતરણિકા :
कायसम्पदमाह -
અવતરણિકાર્ય :
કાયાની સંપત્તિઓ કહે છે – સૂત્ર :
रूपलावण्यबलवज्रसंहननत्वानि कायसम्पत् ॥३-४६॥ સૂત્રાર્થ :
રૂ૫, લાવણ્ય, બળ અને વજ સંહનાનપણું કાયાની સંપત્તિઓ છે. Il3-૪૬ll ટીકા :
'रूपेति'-रूपलावण्यबलानि प्रसिद्धानि, वज्रसंहननत्वं वज्रवत् कठिना संहतिरस्य शरीरे भवतीत्यर्थः, इति कायस्याऽऽविर्भूतगुणसम्पत् ॥३-४६॥ ટીકાર્ય :
રૂપ » પુસમ્પન્ ! રૂપ, લાવણ્ય અને બળ પ્રસિદ્ધ છે. વજની જેમ કઠિન સંહતિ આના શરીરને યોગીના શરીરને, થાય છે તે વસંહનાનપણું છે. આ પ્રમાણે કાયાની આવિર્ભત ગુણસંપત્તિ છે. Il૩-૪૬II.
Page #103
--------------------------------------------------------------------------
________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૪૫-૪૬
૪
ભાવાર્થ:
ભૂતજયનું ફળ - અણિમાદિની પ્રાપ્તિ
(૧) ભૂતજયને કારણે યોગી પોતાના શરીરને ધારે ત્યારે અણુસ્વરૂપ કરી શકે છે, તેથી પરમાણુ જેવા પોતાના દેહને કરીને પોતે ફરી શકે છે, તે અણિમાશક્તિ છે.
(૨) ભૂતજયને કારણે યોગી પોતાના શરીરને ધારે ત્યારે વજની જેમ ગુરુ કરી શકે છે, તે મહિમા શક્તિ છે.
(૩) ભૂતજયને કારણે યોગીના સંકલ્પને અનુસરનારી ભૂતપ્રકૃતિઓ થયેલી હોવાને કારણે યોગી પોતાના શરીરને ધારે ત્યારે રૂના પિંડની જેમ લઘુ કરી શકે છે, તેથી જલમાં પણ ચાલી શકે અને આકાશમાં પણ ચાલી શકે તે લઘિમા શક્તિ છે.
(૪) ભૂતજયને કારણે યોગી પોતાના શરીરને મોટું કરી શકે છે, તેથી અંગુલિના અગ્રભાગથી ચંદ્રાદિનો સ્પર્શ કરી શકે તેવી યોગ્યતા પ્રગટે છે, તે ગરિમા શક્તિ છે.
(૫) ભૂતજયને કારણે યોગીની ઇચ્છાનો અભિધાત થતો નથી અર્થાત્ યોગીની ઇચ્છા પ્રમાણે સર્વ ભૂતો વર્તે છે, તે પ્રાકમ્યશક્તિ છે.
(૬) ભૂતજયને કારણે પોતાના શરીર અને પોતાના અંતઃકરણ ઉપર યોગીનો પ્રભાવ વર્તે છે, તેથી યોગી ધારે તે પ્રમાણે પોતાના શરીરથી અને પોતાના અંતઃકરણથી પ્રવૃત્તિ કરી શકે છે, તે ઈશિત્વ શક્તિ છે.
(૭) ભૂતજયને કારણે યોગીમાં સર્વત્ર સમર્થપણું પ્રગટ થાય છે, તેથી સર્વે ભૂતો યોગીના વચનને અનુસરનારા બને છે, તે વશિત્વ શક્તિ છે.
(૮) ભૂતજયને કારણે યોગીને જે કૃત્ય અભિલષિત હોય તે કૃત્ય સમાપ્તિ સુધી કરવા યોગી સમર્થ બને છે, તે યત્રકામાવસાયિત્વ શક્તિ છે.
આ રીતે ભૂતજયને કારણે અણિમાદિ આઠ શક્તિઓ યોગીમાં પ્રાપ્ત થાય છે.
(૨) ભૂતજયનું ફળ :- કાયાની સંપત્તિ :
પાંચ ભૂતોના જયને કારણે યોગીને ઉત્તમ રૂપાદિસ્વરૂપ કાયસંપત્તિ પ્રાપ્ત થાય છે, તેથી યોગીનું રૂપ, લાવણ્ય, બળ અતિશયવાળું થાય છે અને વજ્ર જેવું સંઘયણ બળ થાય છે. આ સર્વ કાર્યો ભૂતજયનાં છે.
(૩) ભૂતજયનું ફળ :- કાયાના ધર્મોનો અનભિઘાત :
પાંચ ભૂતોના જયને કારણે કાયાના ધર્મો રૂપાદિ છે, તેનો નાશ થતો નથી, તેથી યોગીનું શરીર અગ્નિથી બળીને ભસ્મ થતું નથી, પાણીથી ભીંજાતું નથી અને વાયુથી શોષણ પામતું નથી. આ સર્વ કાર્યો ભૂતજયનાં છે. II૩-૪૫/૪૬
Page #104
--------------------------------------------------------------------------
________________
૦૫
પાતંજલચોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૪૦ અવતરણિકા :
एवं भूतजयमभिधाय प्राप्तभूमिकाविशेषस्येन्द्रियजयमाह - અવતરણિકાર્ય :
આ રીતે ભૂત"ને જ્હીને પ્રાપ્ત થયેલ ભૂમિકાવિશેષવાળા યોગીના ઇન્દ્રિયજ્યને કહે છે – સૂત્ર :
ग्रहणस्वरूपास्मितान्वयार्थवत्त्वसंयमाद् इन्द्रियजयः ॥३-४७॥
સૂત્રાર્થ :
ગ્રહણમાં, સ્વરૂપમાં, અમિતામાં, અન્વયમાં અને અર્થવન્દ્રમાં સંયમ કરવાથી ઇન્દ્રિયજય થાય છે. ll૩-૪૭થી ટીકા :
'ग्रहणेति'-ग्रहणम् इन्द्रियाणां विषयाभिमुखी वृत्तिः, स्वरूपं सामान्येन प्रकाशकत्वम्, अस्मिता-अहङ्कारानुगमः, अन्वयार्थवत्त्वे पूर्ववत्, एतेषामिन्द्रियाणामवस्थापञ्चके पूर्ववत् संयमं कृत्वेन्द्रियजयी भवति ॥३-४७॥ ટીકાર્ય :
BUT .... મવતિ | ઇન્દ્રિયોની વિષયાભિમુખ વૃત્તિ ગ્રહણ, સામાન્યથી પ્રકાશકપણું સ્વરૂપ, અહંકારનો અનુગમ અસ્મિતા, અન્વય અને અર્થવત્ત્વ પૂર્વની જેમ=પાતંજલયોગસૂત્ર ૩-૪૪ની ટીકામાં કહ્યા મુજબ જાણવા. આ ઇન્દ્રિયોની અવસ્થાપંચકમાં પૂર્વની જેમ સંયમ કરીને ઇન્દ્રિયજ્યવાળા યોગી થાય છે. ll૩-૪૭ll.
ભાવાર્થ :
ગ્રહણાદિમાં સંચમ કરવાથી ઇન્દ્રિયજય :
(૧) ગ્રહણ :- ઇન્દ્રિયોની વિષયને અભિમુખ પ્રવૃત્તિ છે, તે ઇન્દ્રિયોનું ગ્રહણ છે.
(૨) સ્વરૂપ :- ઇન્દ્રિયો સામાન્યથી તે તે વિષયોનો બોધ કરાવે છે, તે બોધ કરાવવા સ્વરૂપ પ્રકાશકપણું તે ઇન્દ્રિયોનું સ્વરૂપ છે.
(૩) અસ્મિતા :- ઇન્દ્રિયોથી વિષયોનો ભોગ કર્યા પછી ભોગ કરનારને અહંકાર થાય છે અર્થાત્ મેં આ ભોગ કર્યો એવી બુદ્ધિ થાય છે, તે અસ્મિતા છે.
(૪) અન્વય :- ભૂત અને ઇન્દ્રિયાત્મક દશ્ય છે, અને ઇન્દ્રિયોરૂપ દશ્ય પ્રકાશ, ક્રિયા અને સ્થિતિસ્વભાવવાળું છે, તેથી પ્રકાશ, ક્રિયા અને સ્થિતિ એ ઇન્દ્રિયોના અન્વયોગગુણો, છે.
Page #105
--------------------------------------------------------------------------
________________
૬
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૪૦-૪૮ (૫) અર્થવત્ત્વ :- ભૂત અને ઇન્દ્રિયાત્મક દશ્ય પુરુષના ભોગ અને અપવર્ગ સંપાદનના પ્રયોજનવાળું છે, તેથી ઇન્દ્રિયો પણ પુરુષના ભોગ અને અપવર્ગ સંપાદનના પ્રયોજનવાળી છે, તે ઇન્દ્રિયોનું અર્થવત્ત્વ=પ્રયોજનપણું, છે. ક્રમથી ગ્રહણાદિમાં સંયમ કરવાથી ઇન્દ્રિયજય :
ઇન્દ્રિયોના ગ્રહણ આદિ સ્વરૂપને જાણીને યથાક્રમ તેમાં સંયમ કરવાથી ઇન્દ્રિયોનો જય થાય છે. જેમ –
(૧) યોગી પ્રથમ ઇન્દ્રિયોની વિષયાભિમુખ વૃત્તિઓ શું છે ? એ રૂપ ગ્રહણનો બોધ કરીને ઇન્દ્રિયોના ગ્રહણ સ્વરૂપમાં ધારણા, ધ્યાન અને સમાધિવિષયક યત્ન કરે તો ગ્રહણને આશ્રયીને ઇન્દ્રિયોમાં સંયમ થવાથી ઇન્દ્રિયો ઉપર પોતાનું પ્રભુત્વ આવે છે અર્થાત્ ઇન્દ્રિયોને પરાધીન ગ્રહણની પ્રવૃત્તિ યોગી ન કરે તેવું પ્રભુત્વ આવે છે તે ગ્રહણને આશ્રયીને ઇન્દ્રિયોનો જય છે.
(૨) ત્યારપછી ઇન્દ્રિયોનું પ્રકાશકત્વ સ્વરૂપ છે, તેમાં યોગી ધારણા, ધ્યાન અને સમાધિવિયક યત્ન કરે તો સ્વરૂપને આશ્રયીને ઇન્દ્રિયોમાં સંયમ કરવાથી ઇન્દ્રિયોનો જય થાય છે.
(૩) ત્યારપછી ઇન્દ્રિયોથી થતા અહંકારમાં યોગી ધારણા, ધ્યાન અને સમાધિવિષયક યત્ન કરે તો અહંકારને આશ્રયીને સંયમ કરવાથી ઇન્દ્રિયોનો જય થાય છે.
(૪) ત્યારપછી ઇન્દ્રિયોના અન્વયમાં=ગુણોમાં, યોગી ધારણા, ધ્યાન અને સમાધિવિષયક યત્ન કરે તો અન્વયને આશ્રયીને સંયમ કરવાથી ઇન્દ્રિયોનો જય થાય છે.
(૫) ત્યારપછી ઇન્દ્રિયોના અર્થવન્દ્રમાં યોગી ધારણા, ધ્યાન અને સમાધિવિષયક યત્ન કરે તો અર્થવત્ત્વને આશ્રયીને સંયમ કરવાથી તે ઇન્દ્રિયોનો જય થાય છે.
આ રીતે ગ્રહણાદિ પાંચમાં યથાક્રમ સંયમ કરવાથી ઇન્દ્રિયોનો સર્વ પ્રકારે જય થાય છે, અને ઇન્દ્રિયોનો જય થવાથી યોગીને મનોજવ, વિકરણભાવ અને પ્રકૃતિનો જય થાય છે. ll૩-૪oll અવતરણિકા :
तस्य फलमाह - અવતર્ણિકાર્ય :
તેના=ઇન્દ્રિયજ્યના, ફળને કહે છે – સૂત્ર:
ततो मनोजवित्वं विकरणभावः प्रधानजयश्च ॥३-४८॥
સૂત્રાર્થ :
તેનાથીeઇન્દ્રિયજયથી મનોજવિત્વ=મનના વિચારમાત્રથી દેહથી તે સ્થાનમાં ગમન,
Page #106
--------------------------------------------------------------------------
________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૪૮ વિકરણભાવ કાયાથી નિરપેક્ષ ઇન્દ્રિયોના વિષયોની પ્રાપ્તિ, અને પ્રધાનજય સર્વવશિપણું (થાય છે.) Il3-૪૮ ટીકા : _ 'तत इति'-शरीरस्य मनोवदनुत्तमगतिलाभो मनोजवित्वम्, कायनिरपेक्षाणामिन्द्रियाणां वृत्तिलाभो विकरणभावः, सर्ववशित्वं प्रधानजयः, एताः सिद्धयो जितेन्द्रियस्य प्रादुर्भवन्ति, ताश्चास्मिन् शास्त्रे मधुप्रतीका इत्युच्यन्ते , यथा मधुन एकदेशोऽपि स्वदत एवं प्रत्येकमेताः सिद्धयः स्वदन्त इति मधुप्रतीकाः ॥३-४८॥ ટીકાર્ય :
શરીર....મધુપ્રતીક્ષા: મનની જેમ શરીરની અનુત્તમગતિનો લાભ મનોજવિપણું છે, કાયાથી નિરપેક્ષ ઇન્દ્રિયોની વૃત્તિનો લાભ વિકરણભાવ છે, સર્વવશિપણું પ્રધાનજય છે.
આ સિદ્ધિઓ જિતેન્દ્રિયને પ્રાદુર્ભાવ થાય છે, આ શાસ્ત્રમાં તે સિદ્ધિઓ મધુપ્રતીકા એ પ્રમાણે કહેવાય છે, જે પ્રમાણે મધના એક દેશને સ્વાદ કરતો પુરુષ મધુપ્રતીક કહેવાય છે મધ ખાનારો કહેવાય છે. એ રીતે સૂત્રમાં બતાવેલી ત્રણ સિદ્ધિઓમાંથી પ્રત્યેક એવી આ સિદ્ધિઓનો સ્વાદ કરતો પુરુષ મધુપ્રતીક કહેવાય છે. ll૩-૪૮ ભાવાર્થ : (૧) ઇન્દ્રિયજયનું ફળ-મનોજવ:
મનથી જેમ ક્ષણમાં મેરુ ઉપર જઈ શકાય છે, તેમ ઇન્દ્રિયજયવાળા યોગી શરીરથી પણ અનુત્તમ ગતિના લાભને કારણે મેરુ ઉપર જઈ શકે છે. (૨) ઇન્દ્રિયજયનું ફળ-વિકરણભાવ : કાયાથી નિરપેક્ષ ઇન્દ્રિયોની વૃત્તિનો લાભ તે વિકરણભાવ છે.
ન્યાય પરિભાષામાં દંડને કરણ કહેવામાં આવે છે; કેમ કે દંડ ભ્રમિ દ્વારા-ચકભ્રમણ દ્વારા, ઘટને ઉત્પન્ન કરે છે, અને જે વસ્તુ વ્યાપાર દ્વારા કાર્ય કરે તેને કરણ કહેવાય છે. તેમ - કાયા ઇન્દ્રિયો દ્વારા વિષયોનો લાભ કરે છે અર્થાત્ સ્પર્શેન્દ્રિય દ્વારા સ્પર્શ પદાર્થનો ઉપભોગ કરે છે, તેથી કાયા ઇન્દ્રિયોના વ્યાપારથી વિષયોને પ્રાપ્ત કરતી હોવાથી કાયાને કરણ કહેવામાં આવે છે.
જે યોગીએ ઇન્દ્રિયોમાં સંયમ કરીને ઇન્દ્રિયોનો જય કર્યો છે, તે યોગીને કાયારૂપ કરણ વગર ઇન્દ્રિયોની વૃત્તિનો લાભ થાય છે, તેથી અહીં બેઠા બેઠા દૂર રહેલા સ્પર્શના પદાર્થોનો સ્પર્શેન્દ્રિય દ્વારા ભોગ કરી શકે છે, તેમ અહીં બેઠા બેઠા દૂર રહેલા ચક્ષુના વિષયભૂત રૂપાદિને જોઈ શકે છે, એ પ્રકારના વિકરણભાવની કાયારૂપ કરણ વગર ઇન્દ્રિયોના વિષયરૂપ ભાવની, પ્રાપ્તિ થાય છે. આ પ્રકારનો અર્થ વિકરણભાવ શબ્દથી જણાય છે. વિશેષ બહુશ્રુતો વિચારે.
Page #107
--------------------------------------------------------------------------
________________
o૮
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૪૮-૪૯ (૩) ઇન્દ્રિયજયનું ફળ-પ્રકૃતિનો જય :
ઇન્દ્રિયોનો જય થવાથી પ્રકૃતિનો કર્મપ્રકૃતિનો, જય થાય છે, તેથી યોગી કર્મને પરતંત્ર થઈને પ્રવૃત્તિ કરતા નથી, પરંતુ પ્રકૃતિ તેમને વશ હોય છે. ll૩-૪૮ અવતરણિકા:
इन्द्रियजयमभिधायान्तःकरणजयमाह - અવતરણિકાર્ય :
ઇન્દ્રિયજયને ક્વીને અંત:કરણજયને મનના જયને, કહે છે – સૂત્રઃ
सत्त्वपुरुषान्यताख्यातिमात्रस्य सर्वभावाधिष्ठातृत्वं सर्वज्ञातृत्वं च ॥३-४९॥ સૂત્રાર્થ :
સત્ત્વની અને પુરુષની અન્યતાખ્યાતિમાબવાળા પુરુષને સર્વભાવોનું અધિષ્ઠાતૃપણું અને સર્વજ્ઞાતૃપણું પ્રાપ્ત થાય છે. ૩-૪૯II ટીકા :
'सत्त्वेति'-तस्मिन् शुद्ध सात्त्विके परिणामे कृतसंयमस्य या सत्त्वपुरुषयोरुत्पद्यते विवेकख्यातिर्गुणानां कर्तृत्वाभिमानशिथिलीभावरूपा तन्माहत्म्यात्तत्रैव स्थितस्य योगिनः सर्वभावाधिष्ठातृत्वं सर्वज्ञातृत्वं च समाधेर्भवति । सर्वेषां गुणपरिणामानां भावानां स्वामिवदाक्रमणं सर्वभावाधिष्ठातृत्वं, तेषामेव च शान्तोदिताव्यपदेश्यर्मित्वेनावस्थितानां यथावद्विवेकज्ञानं सर्वज्ञातृत्वम्, एषां चास्मिन् शास्त्रे परस्यां वशीकारसज्ञायां प्राप्तायां विशोका नाम सिद्धिरित्युच्यते ॥३-४९॥ ટીકાર્ય :
તસ્મિન્ .... મવતિ ા તે શુદ્ધ સાત્ત્વિક પરિણામમાં કરાયેલ સંયમવાળા યોગીને જે સત્ત્વ અને પુરુષની વિવેકખ્યાતિ=ગુણોના કર્તુત્વના અભિમાનના શિથિલભાવરૂપ વિવેકખ્યાતિ, ઉત્પન્ન થાય છે. તેના માહાભ્યથી વિવેકખ્યાતિના માહાભ્યથી, ત્યાં જ રહેલા યોગીને સ્થાનાંતર ગમન કર્યા વગર ત્યાં જ રહેલા યોગીને, સર્વભાવોનું અધિષ્ઠાતૃપણું અને સર્વજ્ઞાતૃપણું સમાધિથી થાય છે. સર્વભાવોનું અધિષ્ઠાતૃપણું અને સર્વજ્ઞાતૃપણું શું છે ? તે સ્પષ્ટ કરે છે –
સર્વેષાંતે સર્વ ગુણપરિણામરૂપ ભાવોનું સ્વામીની જેમ આક્રમણ સર્વભાવ અધિષ્ઠાતૃપણું છે અને શાંત, ઉદિત અને અવ્યપદેશ્ય ધર્મિપણાથી અવસ્થિત રહેલા એવા, તેઓનું સર્વગુણ
Page #108
--------------------------------------------------------------------------
________________
૦૯
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૪૯ પરિણામરૂપ ભાવોનું જ, યથાવત્ વિવેકજ્ઞાન સર્વજ્ઞાતૃપણું છે, અને આમને-સર્વભાવ અધિષ્ઠાતૃત્વનું અને સર્વજ્ઞાતૃત્વનું આ શાસ્ત્રમાં પર એવી વશીકારસંજ્ઞા પ્રાપ્ત થયે છતે યોગીને વિશોકા નામની સિદ્ધિ પ્રાપ્ત થઈ છે એમ કહેવાય છે. ll૩-૪૯ll ભાવાર્થ : અંતઃકરણજયનું ફળ-સત્ત્વપુરુષની અન્યતાખ્યાતિ માત્રમાં રહેલા યોગીને સર્વજ્ઞપણાની અને સર્વભાવોના અધિષ્ઠાતૃપણાની પ્રાપ્તિ :
ઇન્દ્રિયજયના કારણે અંતઃકરણ ઉપર જય પ્રાપ્ત થાય ત્યારપછી સત્ત્વની અને પુરુષની અન્યતાખ્યાતિમાં યોગી સ્થિત થાય છે ત્યારે યોગીને સર્વજ્ઞપણું અને સર્વ ભાવોનું અધિષ્ઠાતૃપણું પ્રાપ્ત થાય છે, તેથી જયાં સુધી અભ્યસ્યમાન અન્યતાખ્યાતિ હોય ત્યાં સુધી સર્વજ્ઞપણું અને સર્વ ભાવોનું અધિષ્ઠાતૃપણું પ્રાપ્ત થતું નથી, પરંતુ કર્તુત્વના અભિમાનના શિથિલીભાવરૂપ સત્ત્વની અને પુરુષની અન્યતાખ્યાતિમાં જયારે યોગી સ્થિત થાય છે, ત્યારે સર્વજ્ઞપણું અને સર્વ ભાવોનું અધિષ્ઠાતૃપણું પ્રાપ્ત થાય છે
અન્યતાખ્યાતિ શું છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે – અન્યતાખ્યાતિનું સ્વરૂપ :
સત્ત્વ અને પુરુષ એ બંને જુદા છે, એ પ્રકારનો જે બોધ તે અન્યતાખ્યાતિ છે અર્થાત્ સત્ત્વ બુદ્ધિ, અને પુરુષ એ બેની અન્યતાનો બોધ તે અન્યતાખ્યાતિ છે. યોગીને આ અન્યતાખ્યાતિ થવાને કારણે ગુણમાં કર્તુત્વનું અભિમાન હતું તે શિથિલ થાય છે અર્થાત્ બુદ્ધિમાંથી ઉત્પન્ન થતા જે ભાવો છે, તેમાં પુરુષને કર્તુત્વનું અભિમાન થાય છે; કેમ કે બુદ્ધિથી પોતે અભિન્ન છે તેવો પુરુષને બોધ હોય છે, તેથી બુદ્ધિ જે કરે છે તે હું કરું છું, તેવું પુરુષને અભિમાન થાય છે; અને જયારે બુદ્ધિથી પુરુષ એવો હું જુદો છું, તેવું જ્ઞાન થાય છે, ત્યારે અન્યતાખ્યાતિ પ્રગટે છે, તેથી ગુણોના કર્તુત્વનું અભિમાન શિથિલ થાય છે અને શુદ્ધ સાત્ત્વિકપરિણામરૂપ અન્યતાખ્યાતિમાં યોગી સ્થિત થાય છે, જેથી યોગીને યથાવત્ વિવેકવાળું જ્ઞાનસ્વરૂપ સર્વજ્ઞપણું પ્રગટ થાય છે.
સર્વજ્ઞપણું શું છે ? તે બતાવતાં કહે છે – સર્વજ્ઞપણાનું સ્વરૂપ :
સર્વ પદાર્થોમાં ત્રણ ભાવો છે : (૧) શાંત, (૨) ઉદિત અને (૩) અવ્યપદેશ્ય. જે ભૂતકાળના ભાવો છે તે વર્તમાનમાં શાંત છે, વર્તમાનના ભાવો વર્તમાનમાં ઉદિત છે, અને ભવિષ્યમાં થનારા ભાવો વર્તમાનમાં અવ્યપદેશ્ય છે, તેથી ભૂતકાળના વર્તમાનમાં શાંત ભાવોથી, વર્તમાનના ઉદિત ભાવોથી, અને ભવિષ્યના વર્તમાનમાં અવ્યપદેશ્યભાવોથી સ્થિત એવા ભૂત-ભાવિ-વર્તમાનના સર્વ પદાર્થોનું યથાર્થજ્ઞાન થાય છે, તે સર્વજ્ઞપણું છે.
Page #109
--------------------------------------------------------------------------
________________
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૪૯-૫૦ વળી અન્યતાખ્યાતિને કારણે સર્વ ભાવોનું અધિષ્ઠાતૃપણું થાય છે, તે સ્પષ્ટ કરે છે -- ગુણપરિણામવાળા એવા સર્વ ભાવોને તે યોગી સ્વામીની જેમ આક્રમણ કરી શકે તેવું અધિષ્ઠાતૃપણું થાય છે. ll૩-૪૯ અવતરણિકા :
क्रमेण भूमिकान्तरमाह - અવતરણિતાર્થ :
ક્રમ વડે અન્ય ભૂમિકાને કહે છે –
સૂત્ર :
तद्वैराग्यादपि दोषबीजक्षये कैवल्यम् ॥३-५०॥ સૂત્રાર્થ :
તેમાં પણ વૈરાગ્યથી વિશોકાસિદ્ધિમાં પણ વૈરાગ્યથી, દોષબીજનો ક્ષય થયે છતે સમસ્ત દોષોનું બીજ=કારણ, અવિધા આદિનો ક્ષય થવાથી કૈવલ્ય આત્યંતિક દુઃખનિવૃત્તિ, થાય છે. Il3-૫oll ટીકા:
'तदिति'-तस्यामपि विशोकायां सिद्धौ यदा वैराग्यमुत्पद्यते योगिनस्तदा तस्माद्दोषाणां रागादीनां, यद् बीजमविद्यादयः, तस्य क्षये-निर्मूलने, कैवल्यमात्यन्तिकी दुःखनिवृत्तिः पुरुषस्य गुणानामधिकारपरिसमाप्तौ स्वरूपप्रतिष्ठत्वम् ॥३-५०॥ ટીકાર્ય :
તથાપિ .... સ્વરૂપપ્રતિષ્ઠિત્વમ્ II તે વિશોક નામની સિદ્ધિમાં પણ જ્યારે યોગીને વૈરાગ્ય ઉત્પન્ન થાય છે ત્યારે તે વૈરાગ્યની ભાવનાથી રાગાદિ દોષોના અવિદ્યા આદિ બીજ છે=કારણ છે તે બીજનો ક્ષય થયે છતે મૂલરહિત થયે છતે, કેવલ્ય આત્યંતિક દુ:ખનિવૃત્તિ, થાય છે ગુણોના અધિકારની પરિસમાપ્તિ થયે છતે પુરુષનું સ્વરૂપમાં પ્રતિષ્ઠાણું થાય છે અર્થાત્ પુરુષની સ્વરૂપમાં પ્રતિષ્ઠા કૈવલ્ય છે. ll૩-૫oll.
ભાવાર્થ :
વિશોકાસિદ્ધિમાં વૈરાગ્ય થવાથી સ્વરૂપપ્રતિષ્ઠિતપણારૂપ ફળની પ્રાપ્તિ ઃ
સંસારી જીવોને જે જ્ઞાનસ્વરૂપ અનુભવ દેખાય છે તે બુદ્ધિ છે, અને પુરુષ એ આત્મા છે. તે બંને ભિન્ન હોવા છતાં સંસારી જીવોને સત્ત્વરૂપ બુદ્ધિ જ હું પુરુષ છું તેવો બોધ હોય છે, અને યોગીને
Page #110
--------------------------------------------------------------------------
________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૫૦-૫૧ વિવેક પ્રગટેલ હોવાથી સજ્વરૂપ બુદ્ધિ અને પુરુષમાં અન્યતા છે તેવો સ્પષ્ટ બોધ થાય છે. તેવા પ્રકર્ષવાળા બોધથી યોગી સર્વજ્ઞ અને સર્વભાવોના અધિષ્ઠાતા બને છે, આવા પ્રકારની યોગીને સિદ્ધિ થાય છે, તે વિશોકસિદ્ધિ કહેવાય છે.
આ વિશોકાસિદ્ધિવાળા યોગીઓને બાહ્ય વિષયોમાં વૈરાગ્ય હોય છે, અને જ્યારે તેઓને વિશોકસિદ્ધિમાં પણ વૈરાગ્ય પ્રગટે છે, ત્યારે તેઓને પાતંજલ મત પ્રમાણે ગુણોમાં પણ વૈરાગ્ય થાય છે. તેથી બે પ્રકારના વૈરાગ્યની પ્રાપ્તિ તેઓને થાય છે – (૧) વિષયોમાં વૈરાગ્ય અને (૨) વિશોકાસિદ્ધિરૂપ ગુણોમાં વૈરાગ્ય.
આ બંને પ્રકારના વૈરાગ્યના પ્રર્ષને કારણે રાગાદિ દોષોના બીજ એવી અવિદ્યા આદિનો નિક્ળ નાશ થાય છે, અને તેના કારણે પુરુષને કેવલપણું પ્રાપ્ત છે–પુરુષ પ્રકૃતિથી ભિન્ન બને છે અર્થાત્ પુરુષ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠાન પામે છે; કેમ કે પુરુષાર્થશૂન્ય એવા ગુણો પ્રતિલોમપરિણામથી પ્રકૃતિમાં વિશ્રાંત થાય છે, તેથી હવે તે ગુણોનો પુરુષને ભોગસંપાદન કરવાનો કે અપવર્ગસંપાદન કરવાનો જે અધિકાર હતો, તે સમાપ્ત થાય છે. ૩-૫oll અવતરણિકા :
अस्मिन्नेव समाधौ स्थित्युपायमाह -
અવતરણિકાર્ય :
આ જ સમાધિમાં=વિવેકખ્યાતિરૂપ સમાધિમાં, સ્થિતિના ઉપાયને કહે છે –
સૂત્ર :
स्वाम्युपनिमन्त्रणे सङ्गस्मयाकरणं पुनरनिष्टप्रसङ्गात् ॥३-५१॥
સૂત્રાર્થ :
સ્વામીને ઉપનિમંત્રણ કરાયું છd=સમાધિના સ્વામીને દેવતાઓ દ્વારા ઉપનિમંત્રણ કરાયે છત, સંગ યાને મયનું ચકરણ વિવેકખ્યાતિમાં સ્થિતિનો ઉપાય છે; કેમ કે ફરી અનિષ્ટનો પ્રસંગ છે અર્થાત્ સંગ અને મય કરવાથી યોગીને ફરી અનિષ્ટની પ્રાપ્તિ છે. Il3-૫૧| ટીકા : ___स्वाम्युपनिमन्त्रण इति'-चत्वारो योगिनो भवन्ति, तत्राभ्यासवान्प्रवृत्तमात्रज्योतिः प्रथमः, ऋतम्भरप्रज्ञो द्वितीयः, भूतेन्द्रियजयी तृतीयः, अतिक्रान्तभावनीयश्चतुर्थः, तत्र चतुर्थस्य समाधेः प्राप्तसप्तविधप्रान्तभूमिप्रज्ञो भवति, ऋतम्भरप्रज्ञस्य द्वितीयां मधुमतीसञ्ज्ञां भूमिका साक्षात्कुर्वतः स्वामिनो देवा उपनिमन्त्रयितारो भवन्ति, दिव्यस्त्रीरसायनादिकं ढोकयन्ति, तस्मिन्नुपनिमन्त्रणे नानेन सङ्गः कर्तव्यः, नापि स्मयः, सङ्गकरणे पुनर्विषयभोगे
Page #111
--------------------------------------------------------------------------
________________
૮૨
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૫૧ पतति, स्मयकरणे कृतकृत्यमात्मानं मन्यमानो न समाधावुत्सहते, अतः सङ्गस्मययोस्तेन વર્ગનં શર્તવ્યમ્ રૂપા ટીકાર્ય : - વત્વારો વર્તવ્યમ્ | ચાર પ્રકારના યોગીઓ હોય છે. ત્યાં અભ્યાસવાળા પ્રવૃત્તમાત્રજ્યોતિ પ્રથમ છે, ઋતંભરપ્રજ્ઞાવાળા બીજા છે, ભૂત અને ઇન્દ્રિયોનો જય કરનારા ત્રીજા છે અને અતિક્રાંત છે ભાવનીય જેને એવા ચોથા છે, ત્યાં ચોથી સમાધિથી પ્રાપ્ત સાત પ્રકારની પ્રાંતભૂમિની પ્રજ્ઞાવાળા યોગી થાય છે, બીજી મધુમતી સંજ્ઞાવાળી ભૂમિકાને સાક્ષાત્ કરતા એવા ઋતંભરપ્રજ્ઞાવાના સ્વામીને દેવો ઉપનિમંત્રણ કરનારા થાય છે દિવ્યસ્ત્રી અને રસાયનાદિ આપે છે, તેમના ઉપનિયંત્રણમાં દેવના ઉપનિયંત્રણમાં, આના વડે યોગી વડે, સંગ કરવો જોઈએ નહીં અને સ્મય પણ કરવો જોઈએ નહિ, સંગ કરવાથી વિષયભોગ થયે છતે યોગી પતન પામે છે, સ્મય કરવામાં આત્માને કૃતકૃત્ય માનતો સમાધિમાં ઉત્સાહિત થતો નથી આથી સંગ અને સ્મયનું તેના વડે યોગી વડે, વર્જન કરવા યોગ્ય છે. ||૩-૫૧II
ભાવાર્થ :
વિશોકાસિદ્ધિમાં પ્રાપ્ત થયેલ સમાધિમાં સ્થિતિનું બીજ સંગ અને સ્મયનું અકરણ :
યોગી ઇન્દ્રિયોનો જય કરે, ત્યારપછી અંતઃકરણનો જય કરે, ત્યારે યોગીને સત્ત્વની અને પુરુષની અન્યતાખ્યાતિ પ્રાપ્ત થાય છે અને યોગી સર્વજ્ઞ અને સર્વભાવોનો અધિષ્ઠાતા બને છે. સત્ત્વની અને પુરુષની અન્યતાખ્યાતિવાળા યોગીને આ પ્રાપ્ત થયેલી યોગની સિદ્ધિને પાતંજલદર્શનકાર વિશોકાસિદ્ધિ કહે છે.
વિશોકાસિદ્ધિ પ્રાપ્ત થયા પછી જો તે યોગી વિશોકાસિદ્ધિમાં પણ વૈરાગ્ય પ્રાપ્ત કરે તો દોષનું બીજ ક્ષય થાય, અને દોષબીજનો ક્ષય થાય તો યોગી સર્વકર્મથી મુક્ત બને છે.
હવે કોઈ યોગીને વિશોકાસિદ્ધિ પ્રાપ્ત થઈ, અને તે સિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી તેમને દેવતાઓ ભોગાદિ માટે નિમંત્રણ કરે તો પણ તે યોગી ભોગાદિમાં સંગ ન કરે, અને કદાચ કોઈ યોગીને દેવતાઓ ભોગાદિ માટે ઉપનિમંત્રણ કરે કે ન કરે તોપણ સંગ ન કરે; આમ છતાં પોતાને પ્રાપ્ત થયેલી સિદ્ધિનો ય કરે, તોપણ તે યોગી સમાધિમાં અવસ્થિત રહી શકતા નથી, તેથી જે યોગી વિશોકાસિદ્ધિ પ્રાપ્ત કર્યા પછી ભોગાદિમાં સંગ કરતા નથી અને પ્રાપ્ત થયેલી સિદ્ધિમાં સ્મય કરતા નથી પરંતુ વૈરાગ્યને ધારણ કરે છે, તેઓ ક્રમસર દોષબીજનો ક્ષય કરીને કેવલ્યને પ્રાપ્ત કરી શકે છે. સંગ અને સ્મયકરણમાં અનિષ્ટનો પ્રસંગ :
જે યોગી વિશોકાસિદ્ધિને પ્રાપ્ત કર્યા પછી, દેવતાઓ તેમને ભોગાદિ માટે નિમંત્રણ કરે અને તે વિષયોમાં સંગ કરે તો તેઓ વિષયોમાં પ્રવૃત્ત થવાથી સમાધિરહિત બને છે.
Page #112
--------------------------------------------------------------------------
________________
૮૩
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૫૧, ૫૨-૫૩
વળી કોઈ યોગી પોતાને પ્રાપ્ત થયેલી સિદ્ધિને કારણે સ્મય કરે તો, પોતે કૃતકૃત્ય થઈ ગયા છે, એ પ્રકારે પોતાને માનતા સમાધિ માટે અધિક પ્રયત્ન કરવાના ઉત્સાહના ભંગવાળા થાય છે, તેથી જે યોગી અસંગ અને અસ્મય કરે છે તે યોગી તે સમાધિ દ્વારા ઉત્તરોત્તર અતિશયવાળા થઈને કૈવલ્યને પામે છે અર્થાત મુક્ત થાય છે. Il3-પII અવતરણિકા :
अस्यामेव फलभूतायां विवेकख्यातौ पूर्वोक्तसंयमव्यतिरिक्तमुपायान्तरमाह - અવતરણિકાર્ય :
આ જ ફળભૂત એવી વિવેકખ્યાતિમાં પૂર્વમાં બતાવેલ સંયમના ફળભૂત એવી વિવેકખ્યાતિમાં, પૂર્વમાં કહેલ સંયમથી વ્યતિરિક્ત અન્ય ઉપાયને કહે છે –
સૂત્ર :
क्षणतत्कमयोः संयमाद् विवेकजं ज्ञानम् ॥३-५२॥
સૂત્રાર્થ :
ક્ષણમાં અને તેના ક્રમમાં-ક્ષણના ક્રમમાં, સંયમ કરવાથી વિવેકથી ઉત્પન્ન થનારું જ્ઞાન થાય છે. Il3-પશ ટીકા :
'क्षणेति'-क्षणः सर्वान्त्यः कालावयवो यस्य कलाः प्रभवितुं न शक्यन्ते, तथाविधानां कालक्षणानां यः क्रमः पौर्वापर्येण परिणामस्तत्र संयमात् प्रागुक्तं विवेकजं ज्ञानमुत्पद्यते, अयमर्थः-अयं कालक्षणोऽमुष्मात्कालक्षणादुत्तरोऽयमस्मात् पूर्व इत्येवंविधे क्रमे कृतसंयमस्यात्यन्तसूक्ष्मेऽपि क्षणक्रमे यदा भवति साक्षात्कारस्तदाऽन्यदपि सूक्ष्म महदादि साक्षात्करोतीति विवेकज्ञानोत्पत्तिः ॥३-५२॥ ટીકાર્થ :
ક્ષUT:... ઉત્પત્તિ: | સર્વ અંત્ય કાળનો અવયવ ક્ષણ છે, જેની કલા=વિભાગો કરવા માટે શક્ય નથી તેવા પ્રકારના કાળક્ષણોનો જે ક્રમ પૂર્વ-અપરપણારૂપે પરિણામ, તેમાં ક્ષણમાં અને તેના કમમાં, સંયમ કરવાથી પૂર્વમાં કહેવાયેલું વિવેકથી ઉત્પન્ન થયેલું જ્ઞાન થાય છે.
આ અર્થ છે – આ કાળક્ષણ આ કાળક્ષણથી ઉત્તર છે, આ કાળક્ષણ આ કાળક્ષણથી પૂર્વ છે. એ પ્રકારના ક્રમમાં કરાયેલા સંયમવાળા યોગીને અત્યંત સૂક્ષ્મ પણ ક્ષણક્રમમાં જ્યારે સાક્ષાત્કાર થાય છે ત્યારે અન્ય પણ સૂક્ષ્મ મહદ્ વગેરેનો સાક્ષાત્કાર થાય છે, એથી વિવેજ્ઞાનની ઉત્પત્તિ થાય છે. ll૩-પરા
Page #113
--------------------------------------------------------------------------
________________
૮૪
અવતરણિકા :
अस्यैव संयमस्य विषयविवेकोपक्षेपणायाऽऽह
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૫૨-૫૩
અવતરણિકાર્ય :
આજ સંયમના વિષયવિવેક્ના ઉપક્ષેપ માટે કહે છે
સૂત્ર :
जातिलक्षणदेशैरन्यतानवच्छेदात् तुल्ययोस्ततः प्रतिपत्तिः ॥३-५३॥
સૂત્રાર્થ :
જાતિ, લક્ષણ અને દેશ વડે અન્યપણાના અનવચ્છેદથી તુલ્ય એવા બે પદાર્થોમાં તેનાથી=સંયમથી, પ્રતિપત્તિ થાય છે અર્થાત્ ભેદનો નિર્ણય થાય છે. II3-૫૩II
–
ટીકા ઃ
'जातीति' - पदार्थानां भेदहेतवो जातिलक्षणदेशा भवन्ति, क्वचिद्भेदहेतुर्जातिः यथा गौरियं महिषीयमिति, जात्या तुल्ययोर्लक्षणं भेदहेतुः इयं कर्बुरेयमरुणेति, जात्या लक्षणेन चाभिन्नयोर्भेदहेतुर्देशो दृष्टः, यथा तुल्यपरिमाणयोरामलकयोभिन्नदेशस्थितयोः, यत्र पुनर्भेदोऽवधारयितुं न शक्यते यथैकदेशस्थितयोः शुक्लयोः पार्थिवयोः परमाण्वोस्तथाविधे विषये भेदाय कृतसंयमस्य भेदेन ज्ञानमुत्पद्यते तदा तदभ्यासात् सूक्ष्माण्यपि तत्त्वानि भेदेन प्रतिपद्यते । एतदुक्तं भवति-यत्र केनचिदुपायेन भेदो नावधारयितुं शक्यस्तत्र संयमाद्भवत्येव મેપ્રતિપત્તિ: ।ારૂ-બા
આ કહેવાયેલું થાય છે
પ્રતિપત્તિ=ભેદનો બોધ, થાય છે જ. II૩-૫૩||
ટીકાર્ય :
પવાર્થીનાં છે.....' . મેવપ્રતિપત્તિ: પદાર્થોના ભેદના હેતુઓ-કારણો, જાતિ, લક્ષણ અને દેશ છે. કોઈક ઠેકાણે ભેદનો હેતુ જાતિ છે, જેમ-આ ગાય, આ ભેંસ એ પ્રમાણે જાતિથી ભેદ પ્રાપ્ત થાય છે, જાતિથી તુલ્ય એવા બેમાં લક્ષણ ભેદનો હેતુ છે, જેમ-આ ક્બર છે, આ લાલ છે એ પ્રમાણે તેમનો વર્ણ ભેદનો હેતુ છે, જાતિ અને લક્ષણથી અભિન્ન એવા બેમાં ભેદનો હેતુ દેશ જોવાયેલો છે, જેમતુલ્ય પરિણામવાળા આમળાના ભેદનો હેતુ ભિન્ન દેશ છે, જ્યાં વળી ભેદ અવધારણ કરવા માટે શક્ય નથી, જે પ્રમાણે એક દેશમાં રહેલા શુક્લ એવા બે પાર્થિવ પરમાણુઓમાં ભેદ કરવો શક્ય નથી, તેવા પ્રકારના વિષયમાં ભેદ માટે કરાયેલ સંયમવાળા યોગીને ભેદથી અર્થાત્ તે બે પરમાણુઓના ભેદથી જ્ઞાન ઉત્પન્ન થાય છે-બે પરમાણુ ભિન્ન છે તેવું જ્ઞાન ઉત્પન્ન થાય છે, ત્યારે તેના અભ્યાસથી સૂક્ષ્મ પણ તત્ત્વો ભેદથી પ્રાપ્ત થાય છે.
-
જ્યાં કોઈ ઉપાય વડે ભેદ કરવા માટે શક્ય નથી ત્યાં સંયમથી ભેદની
Page #114
--------------------------------------------------------------------------
________________
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૫૨-૫૩ ભાવાર્થ : ક્ષણ અને ક્રમના સંબંધમાં સંયમ કરવાથી વિવેકથી ઉત્પન્ન થયેલું જ્ઞાન જાત્યાદિથી તુલ્ય એવા બે પદાર્થોનું વિવેચક :
કાળની ક્ષણો ઘણી સૂક્ષ્મ છે, એમાં સૌથી નાની કાળની અંત્ય ક્ષણરૂપ જે સૂક્ષ્મ ક્ષણ છે, તે ક્ષણ, અને તે ક્ષણનો જે પૂર્વાપર ક્રમ, તે બંનેમાં સંયમ કરવાથી યોગીને ક્ષણોનું પરસ્પર ભેદને કરનારું જ્ઞાન થાય છે, તે જ્ઞાન સૂક્ષ્મ એવા અન્ય પદાર્થોનો સાક્ષાત્કાર કરવામાં સમર્થ બને છે.
આશય એ છે કે કાળની એક ક્ષણ જે અતિ સૂક્ષ્મ છે, તે ક્ષણ, અને તે ક્ષણ સાથે પૂર્વની ક્ષણ અને ઉત્તરની ક્ષણ તે બેમાં સંયમ કરવાથી પૂર્વ-અપર ક્ષણ કરતાં કાળની વર્તમાનની ક્ષણ જે જુદી છે તેનું જ્ઞાન થાય છે. આ રીતે પૂર્વ-અપર ક્ષણ કરતાં વચલી ક્ષણ ઉપર ભિન્નરૂપે બોધ કરવા અર્થે કરેલા સંયમથી સૂક્ષ્મ ક્ષણને ગ્રહણ કરનારું વિવેકવાળું જ્ઞાન થાય છે, અને તે વિવેકવાળું જ્ઞાન અન્ય સૂક્ષ્મ પદાર્થોને સાક્ષાત્ કરવામાં સમર્થ બને છે. સારાંશ :
પૂર્વેક્ષણ અને ઉત્તરક્ષણ તે બે ક્ષણોનો પૃથભાવ ઉપસ્થિત થાય તે પ્રકારે સંયમ કરીને ઊહ કરવાથી પૂર્વ-અપર ક્ષણનો પૃથરૂપે જે બોધ થાય છે, તે વિવેકથી પેદા થયેલું જ્ઞાન છે, તેનાથી અન્ય સૂક્ષ્મ પદાર્થોનું પણ જ્ઞાન થાય છે. ક્ષણના સંયમને કારણે થયેલું ક્ષણવિષયક સૂક્ષ્મ જ્ઞાન :
કેવા પ્રકારના વિશેષ બોધનું કારણ બને છે, તે બતાવતાં કહે છે –
પદાર્થો પરસ્પર જુદા જણાવવાનું કારણ જાતિ, લક્ષણ અને દેશ છે. જેમ - ગોત્વજાતિવાળી ગાય છે અને મહિષત્વજાતિવાળી ભેંસ છે, તે બંને પરસ્પર ભિન્ન છે તેનો બોધ ગોત્વજાતિથી અને મહિષત્વજાતિથી થાય છે.
વળી ગોત્વજાતિવાળી બે ગાયો હોય ત્યારે જાતિથી તે ગાયના ભેદનું જ્ઞાન થતું નથી, પરંતુ લક્ષણથી તેના ભેદનું જ્ઞાન થાય છે. જેમ – એક ગાય કાબરચિતરા વર્ણવાળી છે અને બીજી ગાય લાલવર્ણવાળી છે, તેથી તે બંને ગાયોમાં ગોત્વજાતિ સમાન હોવાથી જાતિથી ભેદ નહિ થતો હોવા છતાં વર્ણરૂપ લક્ષણથી ભેદ થઈ શકે છે.
વળી કોઈ વસ્તુ સમાન જાતિવાળી હોય, સમાન વર્ણવાળી હોય તો તે બેનો ભેદ જાતિથી અને વર્ણથી થતો નથી, પરંતુ તે બે વસ્તુ ભિન્ન દેશમાં રહેલી છે, તેથી આ બે વસ્તુ જુદી છે તેવો બોધ થાય છે. જેમ સમાન વર્ણવાળા અને સમાન પ્રમાણવાળા બે આમળાઓ ભિન્ન દેશમાં રહેલા હોય ત્યારે તે ભિન્ન દેશમાં રહેલા હોવાને કારણે તે બે આમળાઓ જુદાં છે, તેવો બોધ થાય છે.
વળી જયાં જાતિ, લક્ષણ અને દેશ ભેદક નથી, તેવી ભિન્ન એવી બે વસ્તુનો ભેદ અન્ય કોઈ
Page #115
--------------------------------------------------------------------------
________________
૮૬
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૫૨-૫૩, ૫૪ પુરુષ કરી શકે નહિ. જેમ એક દેશમાં રહેલા શુક્લવર્ણવાળા બે પાર્થિવ પરમાણુઓમાં ‘આ પરમાણુ કરતાં આ પરમાણુ ભિન્ન છે' એવો બોધ અન્ય કોઈ કરી શકે નહિ તેવા સ્થાનમાં પણ ક્ષણ અને ક્રમમાં સંયમ કરવાથી, જેમને સૂક્ષ્મ જ્ઞાન પ્રગટ્યું છે, એવા યોગીને એક ક્ષેત્રમાં રહેલા સમાન વર્ણવાળા બે પાર્થિવ પરમાણુમાં ભેદનું જ્ઞાન થાય છે અર્થાત્ જેમ સૂક્ષ્મ એવી પૂર્વ ક્ષણ અને અપર ક્ષણ જુદી છે, તેવું ભેદનું જ્ઞાન થાય છે, તેમ એક ક્ષેત્રમાં રહેલા બે પાર્થિવ પરમાણુઓમાં આ પાર્થિવ પરમાણુ કરતા આ પાર્થિવ પરમાણુ જુદો છે, તેવું સૂક્ષ્મ જ્ઞાન તે યોગીને થાય છે. ll૩-૫૨/૫૩ અવતરણિકા :
सूक्ष्माणां तत्त्वानामुक्तस्य विवेकजन्यज्ञानस्य सज्ञाविषयस्वाभाव्यं व्याख्यातुमाह - અવતરણિતાર્થ :
સૂક્ષ્મતત્વસંબંધી કહેવાયેલા વિવેકથી ઉત્પન્ન થયેલા જ્ઞાનના સંજ્ઞાનું, વિષયનું અને સ્વભાવપણાનું વ્યાખ્યાન કરવા માટે કહે છે – સૂત્ર :
तारकं सर्वविषयं सर्वथाविषयमक्रमं चेति विवेकजं ज्ञानम् ॥३-५४॥
સૂત્રાર્થ :
સર્વવિષયવાળું, સર્વથાવિષયવાળું અને અક્રમવાળું એવું વિવેકથી ઉત્પન્ન થયેલું તારક જ્ઞાન છે. Il3-૫૪ll ટીકા :
'तारकमिति'-उक्तसंयमबलादन्त्यायां भूमिकायामुत्पन्नं ज्ञानं तारयत्यगाधात् संसारसागराद्योगिनमित्यान्वर्थिक्या सज्ञया तारकमित्युच्यते । अस्य विषयमाह-सर्वविषयमितिसर्वाणि तत्त्वानि महदादीनि विषयो यस्येति सर्वविषयम्, स्वभावश्चास्य सर्वथाविषयत्वम्, सर्वाभिरवस्थाभिः स्थूलसूक्ष्मादिभेदेन तैस्तैः परिणामैः सर्वेण प्रकारेणावस्थितानि तत्त्वानि विषयो यस्येति सर्वथाविषयम्, स्वभावान्तरमाह-अक्रमं चेति-निःशेषनानावस्थापरिणतत्र्यात्मकभावग्रहणे नास्य क्रमो विद्यत इति अक्रमम्, सर्वं करतलामलकवद्युगपत् પશ્યતીત્યર્થ: રૂ-૧૪ ટીકાર્ય :
સંયમવત્સત્ કૃત્યર્થ: તે પૂર્વમાં કહેવાયેલા સંયમના બળથી અત્યંભૂમિકામાં ઉત્પન્ન થયેલું જ્ઞાન અગાધ સંસારસાગરથી યોગીને તારે છે, એ પ્રકારની અન્વર્થસંજ્ઞાથી તારક એ પ્રમાણે કહેવાય છે, અથાત્ વિવેકથી ઉત્પન્ન થયેલું જ્ઞાન તારક એ પ્રમાણે કહેવાય છે.
Page #116
--------------------------------------------------------------------------
________________
૮૦
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૫૪
આનો વિવેકથી ઉત્પન્ન થયેલા જ્ઞાનનો વિષય કહે છે – સર્વવિષયવાળું છે સર્વ મહદાદિ તત્ત્વો વિષય છે જેને તે તેવું છે એથી સર્વવિષયવાળું છે અને આનોરતારજ્ઞાનનો સ્વભાવ સર્વથાવિષયપણું છે – સ્કૂલ-સૂક્ષ્માદિ ભેદથી સર્વ અવસ્થાઓ વડે તે તે પરિણામોથી સર્વ પ્રકારે અવસ્થિત તત્ત્વો વિષય છે જેને તે તેવું છે એથી સર્વથા વિષયવાળું છે.
અન્ય સ્વભાવને કહે છે – અક્રમવાળું છે – દરેક જુદી જુદી અવસ્થામાં પરિણત વ્યાત્મકભાવના ગ્રહણમાંeભૂત, વર્તમાન અને ભાવિના ભાવના ગ્રહણમાં, આનો વિવેથી ઉત્પન્ન થયેલા જ્ઞાનનો, ક્રમ વિદ્યમાન નથી એથી અક્રમવાનું છે અર્થાત્ હાથમાં રહેલા આમળાની જેમ સર્વને એકી સાથે જુએ છે સર્વભાવોને એકી સાથે જુએ છે. I૩-૫૪TI ભાવાર્થ : (૧) વિવેકથી ઉત્પન્ન થયેલા જ્ઞાનની સંજ્ઞા :
પાંતજલયોગસૂત્ર ૩-પરમાં કહ્યું કે, ક્ષણ અને પૂર્વ-અપરરૂપ ક્ષણના ક્રમમાં સંયમ કરવાથી યોગીને ક્ષણોના પરસ્પર ભેદને કરનારું એવું વિવેકથી ઉત્પન્ન થયેલું જ્ઞાન થાય છે, અને તે જ્ઞાનને તારકજ્ઞાન કહેવાય છે.
કેમ તેને તારકજ્ઞાન કહેવાય ? તેથી કહે છે –
અગાધ એવા સંસારરૂપી સમુદ્રથી આ જ્ઞાન યોગીને તારે છે, એવી વ્યુત્પત્તિ અર્થવાળી સંજ્ઞાથી તે જ્ઞાનને તારકજ્ઞાન કહેવાય છે. (૨) વિવેકથી ઉત્પન્ન થયેલ જ્ઞાનનો વિષય : વિવેકથી ઉત્પન્ન થયેલું જ્ઞાન સર્વવિષયવાળું છે અર્થાત્ મહદાદિ સર્વવિષયવાળું છે.
આશય એ છે કે પાતંજલમત પ્રમાણે પુરુષ અને પ્રકૃતિ એ બે મુખ્ય તત્ત્વો છે, અને પ્રકૃતિમાંથી મહત્તત્ત્વ ઉત્પન્ન થાય છે, તેને બુદ્ધિતત્ત્વ કહેવાય છે, તે મહત્ તત્ત્વમાંથી અન્ય અન્ય તત્ત્વો ઉત્પન્ન થાય છે, તે સર્વ મહદાદિ તત્ત્વોનો યથાર્થ બોધ તારકજ્ઞાનમાં થાય છે. (૩) વિવેકથી ઉત્પન્ન થયેલ જ્ઞાનનો સ્વભાવ :
વિવેકથી ઉત્પન્ન થયેલું જ્ઞાન સર્વ પ્રકારે સૂક્ષ્માદિ ભેદવિષયવાળું છે.
આનાથી એ પ્રાપ્ત થાય છે કે જે મહદાદિ તત્ત્વોને આ તારકજ્ઞાન જાણે છે, તે મહદાદિ તત્ત્વોના માત્ર સ્થૂલભેદને જાણતું નથી, પરંતુ તે મહદાદિ તત્ત્વોના સૂક્ષ્મ, સ્થૂલ આદિ સર્વ ભેદોને જાણે છે. (૪) વિવેકથી ઉત્પન્ન થયેલ જ્ઞાનનો અક્રમઃ
વળી તે મહદાદિ તત્ત્વોના સૂક્ષ્માદિ સર્વ ભેદોને ક્રમરહિત જાણે છે અર્થાત્ તે મહદાદિ તત્ત્વોના સૂક્ષ્માદિ સર્વ ભેદોની ભૂત અવસ્થા, વર્તમાન અવસ્થા અને ભાવિ અવસ્થારૂપ ઋર્થિક જે ભાવો છે, તે ભાવોને ક્રમસર ગ્રહણ કરતું નથી, પરંતુ ક્રમરહિત એક સાથે ગ્રહણ કરે છે.
Page #117
--------------------------------------------------------------------------
________________
૮૮
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૫૪-૫૫ આનાથી એ ફલિત થાય છે કે વિવેકથી ઉત્પન્ન થયેલું જ્ઞાન – (૧) યોગીને સંસારસાગરથી તારનાર છે, (૨) સંસારમાં વર્તતા મહદાદિ સર્વવિષયોવાળું છે અને
(૩-૪) તે મહદાદિ સર્વ વિષયોના સૂક્ષ્મ, સ્થૂલ આદિ સર્વ ભેદોને ભૂત, વર્તમાન અને ભવિષ્ય ત્રણે કાળને આશ્રયીને એક સાથે ગ્રહણ કરનાર છે. 3-૫૪ll અવતરણિકા:
अस्माच्च विवेकजात् तारकाख्याज्ज्ञानात् किं भवतीत्याह - અવતરણિકાઈ:
આ વિવેકથી ઉત્પન્ન થયેલા તારક નામના જ્ઞાનથી શું થાય છે અને કહે છે – સૂત્ર :
सत्त्वपुरुषयोः शुद्धिसाम्ये कैवल्यम् ॥३-५५॥ સૂત્રાર્થ :
સત્ત્વની અને પુરુષની શુદ્ધિના સામ્યમાં અર્થાત્ સત્વની અને પુરુષની સમાન શુદ્ધિમાં કૈવલ્ય-પુરુષનો મોક્ષ, થાય છે. 13-પપી ટીકા : ___ 'सत्त्वेति'-सत्त्वपुरुषावुक्तलक्षणौ तयोः शुद्धसाम्ये कैवल्यं, सत्त्वस्य सर्वकर्तृत्वाभिमाननिवृत्त्या स्वकारणेऽनुप्रवेशः शुद्धिः, पुरुषस्य शुद्धिरुपचरितभोगाभाव इति द्वयोः समानायां शुद्धौ पुरुषस्य कैवल्यमुत्पद्यते मोक्षो भवतीत्यर्थः ॥३-५५॥ ટીકાર્ય :
સત્ત્વપુરુષ .... રૂત્યર્થ કહેવાયેલા લક્ષણવાળા સત્ત્વ અને પુરુષ એ બેની શુદ્ધિના સામ્યમાં કૈવલ્ય પુરુષનું કેવલપણું, થાય છે.
સત્ત્વ અને પુરુષની શુદ્ધિ શું છે? તે સ્પષ્ટ કરે છે –
સત્ત્વની સર્વકર્તુત્વના અભિમાનની નિવૃત્તિ થવાથી સ્વકારણમાં અનુપ્રવેશ શુદ્ધિ છે બુદ્ધિરૂપ સત્ત્વમાં જે કર્તુત્વનું અભિમાન હતું તે સર્વકતૃત્વના અભિમાનની નિવૃતિ થવાથી બુદ્ધિના સ્વકારણરૂપ પ્રકૃતિમાં સત્ત્વરૂપ બુદ્ધિનો અનુપ્રવેશ એ સત્ત્વની શુદ્ધિ છે.
ઉપચરિત ભોગનો અભાવ પુરુષની શુદ્ધિ છે=બુદ્ધિમાં પ્રતિબિંબિત પુરુષ હોવાના કારણે બુદ્ધિના ભોગનો પુરુષમાં જે ઉપચાર થતો હતો તે બુદ્ધિ પ્રકૃતિમાં લય થવાથી પુરુષનો ઉપચરિત ભોગાભાવ પ્રાપ્ત થાય છે તે પુરુષની શુદ્ધિ છે.
Page #118
--------------------------------------------------------------------------
________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૫૫ / સૂત્ર-૫૫ની ઉપા. મ.સા.ની ટિપ્પણી ૮૯
આ પ્રકારે બંનેની સમાન શુદ્ધિ થયે છતે પુરુષનું કૈવલ્ય ઉત્પન્ન થાય છે અર્થાત્ પુરુષનો મોક્ષ થાય છે. |3-પપી
ભાવાર્થ :
વિવેકથી ઉત્પન્ન થયેલ જ્ઞાનથી ફળપ્રાપ્તિ :
વિવેકથી ઉત્પન્ન થયેલા તે જ્ઞાનથી પુરુષ અને સત્ત્વની શુદ્ધિના સામ્યથી કૈવલ્ય કેવલપણું, થાય છે.
આશય એ છે કે જયારે યોગીને તે તારકજ્ઞાન પ્રગટે છે, તે પ્રગટ્યા પછી ઉપચરિત ભોગના અભાવરૂપ પુરુષની શુદ્ધિ થાય છે, અને સર્વથા કર્તુત્વના અભિમાનની નિવૃત્તિથી સત્ત્વના સ્વકારણરૂપ જે પ્રકૃતિ છે, તેમાં સત્ત્વનો અનુપ્રવેશ થવાથી સત્ત્વની શુદ્ધિ થાય છે, તેથી પુરુષ પ્રકૃતિથી મુકાય છે, માટે પ્રકૃતિ રહિત એવો કેવલ પુરુષ બને છે અર્થાત્ પુરુષ મુક્ત બને છે. વિશેષાર્થ :
સંસારવર્તી જીવો દેહ સાથે પોતાનો અભેદ માને છે, તેથી દેહથી પોતે ભોગ કરે છે, તેવી ઉપચરિત બુદ્ધિ વર્તે છે; અને તે બુદ્ધિને પોતે આ કૃત્યો કરે છે અને પોતે આ ભોગ કરે છે, એ પ્રકારનું કર્તુત્વનું અભિમાન થાય છે; અને પુરુષના અને પ્રકૃતિના ભેદથી થયેલું જે વિવેકવાળું જ્ઞાન છે, તે જ્ઞાન જયારે પ્રકર્ષવાળું થાય છે, ત્યારે દેહાદિથી થતા ભાવો સાથે પુરુષ સંશ્લેષ વગરનો બને છે, તેથી ઉપચરિત ભોગનો અભાવ પ્રાપ્ત થાય છે ત્યારે, દેહથી થતાં કૃત્યોમાં બુદ્ધિને કર્તુત્વનું અભિમાન દૂર થાય છે, તેથી ચરિતાર્થ થયેલી બુદ્ધિ પ્રકૃતિમાં વિશ્રાંત પામે છે, અને પ્રકૃતિ સાથે પુરુષના સંબંધનો વિયોગ થાય છે, તેથી પુરુષ મુક્ત બને છે. ll૩-પપII પાતંજલયોગસૂત્રના ત્રીજા પાદ ઉપર ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબની ટિપ્પણરૂપ વ્યાખ્યા :
[य.] व्याख्या-अत्रेदं चिन्त्यम्-ऐश्वर्यं लब्धिरूपं न समाधिरूपसंयमजन्यं, वैचित्र्यप्रतियोगिनस्तस्य विचित्रक्षयोपशमादिजन्यत्वात्, एकत्र त्रयरूपस्य च संयमस्य चित्तस्थैर्य एवोपयोगो बाहुल्येन, आत्मद्रव्यगुणपर्यायगुणस्य च तस्य शुक्लध्यानशरीरघटकतया कैवल्यहेतुत्वमपि, ईश्वरस्यानीश्वरस्य वा विवेकजज्ञानवतस्तदभाववतो (वा) “सत्त्वपुरुषयोः शुद्धिसाम्ये कैवल्यम्" इत्यप्ययुक्तम्, विवेकजं केवलज्ञानमन्तरेणोक्तशुद्धिसाम्यस्यैवानुपपत्तैः, "दग्धक्लेशबीजस्य ज्ञाने पुनरपेक्षा नास्ति' इत्युक्तेर्नियुक्तिकत्वादात्मदर्शनप्रतिबन्धकस्यैव कर्मणः केवलज्ञानप्रतिबन्धकत्वेन तदपगमे तदुत्पत्तेरवर्जनीयत्वान्निष्प्रयोजनस्यापि फलरूपस्य तस्य स( स्व )स्वसामग्रीसिद्धत्वात्, न हि प्रयोजनक्षतिभिया सामग्री कार्यं नार्जयतीति । तदिदमुक्तम्
Page #119
--------------------------------------------------------------------------
________________
पातं योगसूत्र भाग - २ / विभूतिपाह / सूत्र - पपनी उपा. म. सा.नी टिप्पणी “क्लेशपक्तिर्मतिज्ञानान्न किञ्चिदपि केवलात् । तमःप्रचयनि:शेषविशुद्धिप्रभवं हि तत्" ॥१॥
इति गुणविशेषजन्यत्वेऽप्यात्मदर्शनवन्मुक्तौ तस्याव्यभिचारित्वं तुल्यम्, वस्तुतो ज्ञानस्य सर्वविषयकत्वं स्वभाव:, छद्मस्थस्य च विचित्रज्ञानावरणेन स प्रतिबध्यत इति, निःशेषप्रतिबन्धकापगमे ज्ञाने सर्वविषयकत्वमावश्यकम् । तदुक्तं
८०
"ज्ञो ज्ञेये कथमज्ञः स्यात् असति प्रतिबद्धरि ।
दाह्येऽग्निर्दाहको न स्यात् कथमप्रतिबन्धकः " ॥ [ योगबिन्दु - ४३१ ] इति ।
एतेन विवेकजं सर्वविषयकं ज्ञानमुत्पन्नमपि सत्त्वगुणत्वेन निवृत्ताधिकारायां प्रकृतौ प्रविलीयमानं नात्मानमभिस्पृशतीत्यात्मार्थशून्यनिर्विकल्पचिद्रूप एव मुक्तौ व्यवतिष्ठत इत्यप्यपास्तम्, चित्त्वावच्छेदेनैकसर्वविषयकत्वस्वभावकल्पनाद्, अर्थशून्यायां चिति मानाभावाद्, बिम्बरूपस्य चित्सामान्यस्याविवर्तस्य कल्पनेऽचित्सामान्यस्यापि तादृशस्य कल्पनापत्तेः व्यवहारस्य बुद्धिविशेषधर्मैरेवोपपत्तेः, यदि चाचित्सामान्यनिष्ठ एवाचिद्विवर्तः कल्प्यते तदा तुल्यन्यायाच्चिद्विवर्तोऽपि चित्सामान्यनिष्ठ एवाभ्युपगन्तुं युक्तो न तु चिदचिद्विवर्ताधिष्ठानमेव कल्पयितुं युक्तं, नयादेशस्य सर्वत्र द्रव्ये तुल्यप्रसरत्वात्, कौटस्थ्यं त्वात्मनो यच्छ्रुतिसिद्धं तदितरावृत्तिस्वाभाविकज्ञानदर्शनोपयोगवत्त्वेन समर्थनीयम्, निर्धर्मकत्वं चितः कौटस्थ्यमित्युक्तौ तत्र प्रमेयत्वादेरप्यभावप्रसङ्गात्, तथा च "सच्चिदानन्दरूपं ब्रह्म" इत्यादेरनुपपत्तिः, असदादिव्यावृत्तिमात्रेण सदादिवचनोपपादने च चित्त्वमप्यचिद्वयावृत्तिरेव स्यादिति गतं चित्सामान्येनापि, यदि च " उत्पादव्ययध्रौव्ययुक्तं सद्" इति गुणस्थलोपदर्शितरीत्या स ( द्) लक्षणं सर्वत्रोपपद्यते तदा संसारिमुक्तयोरसाङ्कर्येण स्वविभावस्वभावपर्यायैस्तदबाधमानं बन्धमोक्षादिव्यवस्थामविरोधेनोपपादयतीति, एतज्जैनेश्वरप्रवचनामृतमापीय "उपचरितभोगाभावो मोक्षः" इत्यादि मिथ्यादृग्वचनवासनाविषमनादिकालनिपीतमुद्वमन्तु सहृदयाः ! अधिकं लतादौ ॥
अर्थ :
अत्र . चिन्त्यम् - अहीं = त्रीभ पाहना सूत्रोमा या चिंत्य छे-खागजमां जताव्यं ते चिंत्य-वियारवा યોગ્ય છે
-
लब्धिरुपं .... कैवल्यहेतुत्वमपि । सन्धि३५ जेवुं भैश्वर्य समाधि३प संयमयी भन्य नयी अर्थात् આત્મામાં પ્રગટ થતું ક્ષયોપશમભાવસ્વરૂપ લબ્ધિરૂપ ઐશ્વર્ય સમાધિરૂપ સંયમથી જન્ય નથી; કેમ કે વૈચિત્ર્ય પ્રતિયોગી એવા તેનું=અનેક પ્રકારના જુદાજુદા ઐશ્વર્યરૂપ વિચિત્ર પ્રતિયોગી છે જેને એવા લબ્ધિરૂપ ઐશ્વર્યનું વિચિત્ર ક્ષયોપશમાદિન્યપણું અને એક ઠેકાણે ત્રયરૂપ સંયમનો=ધારણા,
Page #120
--------------------------------------------------------------------------
________________
૯૧
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ / સૂત્ર-૫૫ની ઉપા. મ.સા.ની ટિપ્પણી
ધ્યાન અને સમાધિરૂપ સંયમનો, બહુલતાએ ચિત્તથૈર્યમાં જ ઉપયોગ છે અને આત્માના દ્રવ્ય, ગુણ અને પર્યાયનો ગુણ છે અર્થાત્ લાભ છે જેને એવા તેનું-ચિત્તસ્મૈર્યનું, શુક્લધ્યાનરૂપ શરીરના ઘટપણાથી કૈવલ્યમાં હેતુપણું પણ છે અર્થાત્ વિચિત્ર પ્રકારની લબ્ધિરૂપ ઐશ્વર્યમાં હેતુપણું તો છે પરંતુ કૈવલ્યમાં પણ હેતુપણું છે.
ભાવાર્થ :
પાતંજલદર્શનકારે વિભૂતિપાદમાં પ્રથમ ધારણા, ધ્યાન અને સમાધિનું સ્વરૂપ બતાવ્યું અને આ ત્રણ રૂપ સંયમ જુદા જુદા વિષયમાં કરવાથી જુદા જુદા પ્રકારનું ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે તેમ પાતંજલયોગસૂત્ર ૩-૫૪ સુધી બતાવ્યું તે વિષયમાં પૂજ્ય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબ કહે છે –
પાતંજલદર્શનકારે બતાવેલ વિચિત્રપ્રતિયોગી એવા લબ્ધિરૂપ ઐશ્વર્યો વિચિત્રક્ષયોપશમાદિ જન્ય :
પાતંજલદર્શનકારે બતાવેલું ઐશ્વર્ય એ ક્ષયોપશમભક્તાદિની લબ્ધિરૂપ છે અને આ ક્ષયોપશમભાવાદિની લબ્ધિ સમાધિરૂપ સંયમથી જન્ય નથી અર્થાત્ કોઈક વિષય ઉપર ચિત્તને ધારણ કરવામાં આવે ત્યારપછી ધ્યાન વગેરે આવે અને તેના ફળરૂપે સમાધિ પ્રગટે તે સમાધિરૂપ સંયમથી જન્ય નથી. તેમાં યુક્તિ બતાવે છે
પાતંજલદર્શનકારે બતાવેલા ઐશ્વર્યો વિચિત્ર પ્રકારના છે અને તે સર્વ વિચિત્ર પ્રકારના ઐશ્વર્યો પ્રત્યે વિચિત્ર પ્રકારના ક્ષયોપશમ, ઉપશમ કે ઉદય કારણ છે.
આશય એ છે કે જે જીવોને જે પ્રકારના જ્ઞાનાવરણીય આદિ કર્મોનો ક્ષયોપશમ થાય છે તે પ્રકારની જ્ઞાનાદિની લબ્ધિ થાય છે. જેમ-કેટલાક જીવોને પક્ષીની ભાષાનું સહજ જ્ઞાન હોય છે, તેમણે સમાધિરૂપ સંયમમાં કોઈ પ્રકારે યત્ન કર્યો નથી છતાં તે લબ્ધિ થઈ છે, તેથી નક્કી થાય છે કે સમાધિરૂપ સંયમથી જન્ય ઐશ્ચર્ય નથી પરંતુ જે જે પ્રકારની જે જે લબ્ધિઓ છે તેને અનુરૂપ તે તે પ્રકારના કર્મોનો ક્ષયોપશમાદિ તે તે લબ્ધિઓ પ્રત્યે કારણ છે.
–
અહીં ‘વૈશ્વિઋપ્રતિયોગિનઃ' કહ્યું છે તેથી એ પ્રાપ્ત થાય છે કે જેમ-વીરભગવાનની મૂર્તિ હોય તો તે વીરપ્રતિયો।િ પ્રતિમા કહેવાય અને ચોવીસ તીર્થંકરની પ્રતિમાઓ હોય તો વૈશ્વિઋપ્રતિયોગિજ આ પ્રતિમાઓ છે એમ કહેવાય છે અર્થાત્ કોઈ પ્રતિમાના પ્રતિયોગી વીર છે તો અન્યના પ્રતિયોગી ઋષભ વગે૨ે છે માટે તે પ્રતિમાઓ વૈશ્વિઋપ્રતિયોગિ કહેવાય છે, તેમ પાતંજલદર્શનકારે વર્ણન કરેલું ઐશ્વર્ય એક પ્રકા૨નું નથી પણ અનેક પ્રકારનું છે, તેથી વૈશ્વિઋપ્રતિયોગિ કહેવાય છે અને જે પ્રકારનું વૈવિધ્યપ્રતિયોગિક ઐશ્વર્ય છે તે પ્રકારના વિચિત્ર ક્ષયોપશમાદિથી જન્ય તે ઐશ્વર્યો છે.
અહીં પ્રશ્ન થાય છે કે તો પછી સંયમ શામાં ઉપયોગી છે ? તેથી કહે છે
-
Page #121
--------------------------------------------------------------------------
________________
૯૨
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૫૫ની ઉપા. મ.સા.ની ટિપ્પણી ધારણા, ધ્યાન અને સમાધિરૂપ સંયમ બહુલતાએ ચિત્તસ્થિરતામાં ઉપયોગી અને આત્માના દ્રવ્ય, ગુણ અને પર્યાચના લાભરૂપ ચિત્તસ્થર્ચનું શુક્લધ્યાનના શરીરના અંગપણારૂપે કેવલ્યમાં પણ હેતુપણું :
એક વસ્તુ ઉપર ત્રયરૂપ સંયમનું બહુલતાએ ચિત્તધૈર્યમાં જ ઉપયોગ છે.
આશય એ છે કે સંસારી જીવોનું ચિત્ત અત્યંત ચલવૃત્તિવાળું છે અને તે ચલવૃત્તિવાળા ચિત્તને સ્થિર કરવા માટે કોઈ એક વિષય ઉપર ધારણાથી સ્થિર કરવામાં આવે ત્યારપછી એકાગ્રતા પ્રગટે અને ત્યારપછી સમાધિ પ્રગટે ત્યારે ચંચળ ચિત્ત સ્થિરભાવને પામે છે, તેથી ચિત્તધૈર્યમાં જ સંયમનો ઉપયોગ છે.
અહીં બહુલતાએ કહેવાથી એ પ્રાપ્ત થાય છે કે ક્વચિત્ તે સંયમ તે પ્રકારના જ્ઞાનાવરણાદિના ક્ષયોપશમ પ્રત્યે હેતુ બને છે તોપણ મુખ્યતાએ ચિત્તધૈર્યમાં જ ઉપયોગી છે અને કોઈ એક વિષયમાં ત્રણનો સંયમ જો આત્માના દ્રવ્ય, ગુણ અને પર્યાયના આવિર્ભાવનું કારણ બને તે રીતે કરવામાં આવ્યું હોય તો તે સંયમથી થયેલું ચિત્તનું ધૈર્ય શુક્લધ્યાનના શરીરના અંગપણારૂપે ઉપયોગી બને છે અને તેના પ્રકર્ષથી કેવલજ્ઞાન પ્રગટે છે. અર્થાત્ લબ્ધિરૂપ અનેક પ્રકારનું ઐશ્વર્ય તો પ્રગટે છે પરંતુ કેવલજ્ઞાનની પ્રાપ્તિ પણ થાય છે.
આશય એ છે કે શુદ્ધ આત્મદ્રવ્ય, શુદ્ધ આત્માના ગુણો અને શુદ્ધ આત્માના પર્યાયોના પારમાર્થિક સ્વરૂપને જોવા માટે પ્રવર્તતો ઉપયોગ મોહનો નાશ કરીને કેવલજ્ઞાનની પ્રાપ્તિનું કારણ બને છે. જે યોગીઓ એક વિષયમાં સંયમ કરીને ચિત્તના ધૈર્યને પ્રાપ્ત કરે અને તે ચિત્તનું ધૈર્ય શુદ્ધ આત્માના સ્વરૂપને જોવાને અભિમુખ પરિણામવાળું હોય અને તે સ્વૈર્યના બળથી શુદ્ધ આત્માને જોવા માટે પ્રવર્તતું ચિત્ત શુક્લધ્યાનને પ્રાપ્ત કરે તો તે શુક્લધ્યાનના બળથી શુદ્ધ આત્માના પારમાર્થિક સ્વરૂપને જોવામાં પ્રતિબંધક એવા જ્ઞાનાવરણાદિ કર્મોનો, તત્સહવર્તી મોહનીયકર્મનો અને અન્ય બે ઘાતી કર્મોનો નાશ થાય છે, જેના બળથી તે મહાત્મા કેવલજ્ઞાનને પ્રાપ્ત કરે છે.
શુદ્ધ આત્માને જોવા માટે પ્રવર્તતું ચિત્તસ્થર્ય કદાચ કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરાવે તેવું પ્રકર્ષવાળું ન થયું હોય તો તે ચિત્તધૈર્યથી અનેક લબ્ધિઓરૂપ ઐશ્વર્ય પણ પ્રગટે છે. જેમ-ભરત-બાહુબલી આદિ જીવોને પૂર્વભવમાં સંયમપાલન કાળમાં થયેલા ચિત્તધૈર્યથી અનેક પ્રકારની લબ્ધિઓ પ્રગટેલી તેથી એ ફલિત થાય છે કે ધારણા, ધ્યાન અને સમાધિ એ ત્રણરૂપ સંયમ ચિત્તધૈર્યમાં ઉપયોગી છે અને તે ચિત્તસ્થર્ય શુદ્ધ આત્માના પારમાર્થિકસ્વરૂપને જોવાના વ્યાપારવાનું હોય તો કેવલજ્ઞાન પ્રગટે છે અને કેવલજ્ઞાન પ્રગટે તેવું ઉત્કટ ચિત્તધૈર્ય પ્રગટ થયું ન હોય તો અનુષંગથી અનેક લબ્ધિઓરૂપ એશ્વર્ય પણ પ્રગટ થઈ શકે છે. અર્થ :
ફૅશરસ્થાનીશ્વરસ્ય...અનુપા, ઈશ્વરને ઐશ્વર્યયુક્તને કે અનીશ્વરને=ઐશ્વર્યરહિતને, વિવેકથી
Page #122
--------------------------------------------------------------------------
________________
૯૩
થ થાય છે
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૫૫ની ઉપા. મ. સા.ની ટિપ્પણી ઉત્પન થયેલ જ્ઞાનવાળાને કે તેના અભાવવાળાને “સત્ત્વની અને પુરુષની શુદ્ધિના સામ્યમાં કૈવલ્ય છે પ્રકૃતિથી પૃથ એવા કેવલ પુરુષની પ્રાપ્તિ છે” એ પ્રમાણે પાતંજલ યોગસૂત્ર ૩-૫૫ ઉપર ભાષ્યકારનું વચન છે એ પણ અયુક્ત છે; કેમ કે વિવેકથી ઉત્પન થનારા કેવલજ્ઞાન વગર ઉક્ત શુદ્ધિના સામ્યની જ અનુપપત્તિ છે. ભાવાર્થ : વિવેકથી ઉત્પન્ન થનારા કેવલજ્ઞાન વગર સત્ત્વ અને પુરુષની શુદ્ધિના સામ્યની અનુપપત્તિ:
પાતંજલ યોગસૂત્ર ૩-૫૫માં કહેલ છે કે સત્ત્વની અને પુરુષની શુદ્ધિનું સામ્ય થાય ત્યારે પુરુષ મુક્ત બને છે અર્થાત્ કેવલ બને છે અને સત્ત્વની શુદ્ધિનો અર્થ કર્યો છે કે બુદ્ધિમાં રહેલો સત્ત્વભાવ જયારે પ્રકર્ષવાળો થાય છે ત્યારે બુદ્ધિને સર્વપ્રકારના કર્તુત્વના અભિમાનની નિવૃત્તિ થાય છે, તેથી તે બુદ્ધિરૂપ સત્ત્વ સ્વકારણમાં પ્રકૃતિરૂપ કારણમાં, અનુપ્રવેશ પામે છે તે સત્ત્વની શુદ્ધિ છે અને પુરુષનો જે ઉપચરિત ભોગ છે તેનો અભાવ થાય ત્યારે પુરુષની શુદ્ધિ થાય છે, આ બંને શુદ્ધિ સમાન પ્રાપ્ત થાય ત્યારે પુરુષનો મોક્ષ થાય છે.
આ પાતંજલયોગસૂત્ર ૩-૫૫નો અર્થ કરતાં ભાષ્યકાર વ્યાસમુનિ કહે છે કે કોઈ યોગી ઐશ્વર્યવાળા હોય અર્થાત્ પૂર્વમાં વર્ણન કર્યું એવી લબ્ધિરૂપ ઐશ્વર્યવાળા હોય, કોઈ યોગી અનેશ્વર્યવાળા હોય અર્થાત્ લબ્ધિરૂપ ઐશ્વર્ય વગરના હોય, કોઈ યોગીને વિવેકથી ઉત્પન્ન થયેલું જ્ઞાન હોય અર્થાત્ પ્રકૃતિથી પોતે ભિન્ન છે એ પ્રકારના મર્મને સ્પર્શનારું વિવેકવાળું જ્ઞાન હોય કે કોઈ યોગીને તેવા પ્રકારના જ્ઞાનનો અભાવ હોય, આમ છતાં તેઓમાં બુદ્ધિરૂપ સત્ત્વની અને પુરુષની સમાન શુદ્ધિ પ્રાપ્ત થાય તો તે પુરુષનો મોક્ષ થાય છે અર્થાત્ તે પુરુષને કૈવલ્ય થાય છે આ પ્રકારનું પાતંજલ યોગસૂત્ર ૩-૫૫ ઉપરનું ભાષ્યકાર વ્યાસમુનિનું વચન અયુક્ત છે, એમ પૂજય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબ કહે છે.
કેમ અયુક્ત છે ? તેમાં યુક્તિ આપતાં કહે છે –
પુરુષ અને પ્રકૃતિના ભેદને બતાવે તેવું વિવેકવાળું જ્ઞાન જેમને પ્રગટ થયું છે અને તે જ્ઞાન પ્રકર્ષવાળું થયેલું છે, તે વિવેકથી થનારું કેવલજ્ઞાન છે, કેવલજ્ઞાન વગર પાતંજલયોગસૂત્રમાં કહ્યું તેવી શુદ્ધિના સામ્યની અનુપત્તિ છે; કેમ કે કેવલજ્ઞાન થયા વગર કોઈ યોગીઓ યોગનિરોધ કરી શકતા નથી. કેવલજ્ઞાન થયા પછી યોગીઓ યોગનિરોધ કરે ત્યારે સત્ત્વની અને પુરુષની શુદ્ધિનું સામ્ય પ્રાપ્ત થાય છે અને તેનાથી સર્વકર્મથી મુક્ત થવારૂપ પુરુષનું કૈવલ્ય પ્રાપ્ત થાય છે માટે ભાષ્યકાર કહે છે કે વિવેકજ્ઞાનના અભાવવાળા પુરુષને પણ સત્ત્વની અને પુરુષની શુદ્ધિના સામ્યમાં કૈવલ્ય થાય છે તે વચન મૃષા છે. ફક્ત કોઈ યોગી ઐશ્વર્યવાળા કે અનૈશ્વર્યવાળા હોય આમ છતાં વિવેકથી ઉત્પન્ન થનાર કેવલજ્ઞાન પ્રગટે તો જ તે યોગી યોગનિરોધ કરીને કૈવલ્ય પ્રાપ્ત કરી શકે છે અર્થાત્ કેવલ આત્માની પ્રાપ્તિ કરી શકે છે.
Page #123
--------------------------------------------------------------------------
________________
૯૪
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૫૫ની ઉપા. મ.સા.ની ટિપ્પણી
વિશેષાર્થ :
જૈનદર્શનની પ્રક્રિયા પ્રમાણે વિવેકથી ઉત્પન્ન થનારું કેવલજ્ઞાન થાય ત્યારે સત્ત્વની=જીવની પરિણતિની, ઘણી શુદ્ધિ થયેલી છે તોપણ પૂર્ણશુદ્ધિ થયેલી નથી; કેમ કે યોગકૃત કર્મબંધ કેવલીને પણ ચાલુ હોય છે, માટે સત્ત્વ પ્રકૃતિમાં લીન નથી. જીવ પૂર્ણસ્વરૂપે આત્મભાવમાં નથી પરંતુ ઉપયોગ સ્વરૂપે આત્મભાવમાં છે અને ક્રિયાસ્વરૂપે પુદ્ગલભાવમાં વર્તે છે અને યોગનિરોધકાળમાં લેશ પણ કર્મબંધ નથી તેથી સત્ત્વ પ્રકૃતિમાં લીન છે માટે યોગનિરોધકાળમાં સત્ત્વરૂપ પુરુષની પૂર્ણ શુદ્ધિ છે; કેમ કે કર્મબંધને અનુકૂળ એવો લેશ પણ વ્યાપાર નથી અને યોગનિરોધ પૂર્વે પુરુષની ઘણી શુદ્ધિ હોવા છતાં કર્મબંધને અનુકૂળ યોગનો વ્યાપાર હોવાથી પુરુષની પૂર્ણ શુદ્ધિ નથી પરંતુ જ્યારે પુરુષની પૂર્ણશુદ્ધિ થાય છે ત્યારે પુરુષ સર્વકર્મથી રહિત બને છે.
અહીં ‘સત્ત્વ’ શબ્દથી પુરુષમાં વર્તતો સાત્ત્વિક પરિણામ ગ્રહણ કરવો, તેથી જીવનો સાત્ત્વિક પરિણામ યોગનિરોધકાળમાં પૂર્ણ શુદ્ધ છે અને પુરુષ પણ ત્યારે કર્મબંધને અનુકૂળ વ્યાપારવાળો નહિ હોવાથી પૂર્ણશુદ્ધ છે માટે તેના ફળસ્વરૂપ પુરુષનો મોક્ષ થાય છે.
ઉત્થાન :
પૂર્વમાં પાતંજલયોગસૂત્ર ૩-૫૫ ઉપર ભાષ્યમાં બતાવેલ કે વિવેકજ્ઞાનના અભાવવાળાને પણ સત્ત્વની અને પુરુષની શુદ્ધિના સામ્યમાં કૈવલ્ય થાય છે, અને તે વચન અનુચિત છે તેમ પૂછ્ય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબે સ્થાપન કર્યું. તે વિષયમાં ભાષ્યકાર શું કહે છે તે બતાવીને તે કથન પણ નિર્યુક્તિક છે એ બતાવતાં કહે છે -
=
અર્થ :
ર્ધવજ્ઞેશવીનસ્ય .... સર્વનનીયત્વાત્, દગ્ધક્લેશબીજ્વાળા=ક્લેશનું બીજ જેમનું બળી ગયું છે એવા, યોગીને વળી જ્ઞાનમાં અપેક્ષા નથી (એથી વિવેક્થી ઉત્પન્ન થયેલ જ્ઞાનના અભાવવાળાને પણ મુક્તિ થઈ શકે છે એ પ્રમાણે ભાષ્યકાર વ્યાસમુનિ કહે છે.) એ પ્રકારની ઉક્તિનું-એ પ્રકારના ભાષ્યકારના વચનનું, નિર્યુક્તિપણું છે; કેમ કે આત્મદર્શનના પ્રતિબંધક કર્મનું જ કેવલજ્ઞાનનું પ્રતિબંધકપણું હોવાને કારણે તેના અપગમમાં=આત્મદર્શનના પ્રતિબંધક કર્મના અપગમમાં, તેની ઉત્પત્તિનું=કેવલજ્ઞાનની ઉત્પત્તિનું, અવર્જનીયપણું છે.
અહીં પ્રશ્ન થાય કે આત્મદર્શન માટે કરાતા યત્નથી આત્મદર્શનના પ્રતિબંધ કર્મનું વિગમન થઈ શકે, પરંતુ તે કર્મના વિગમનથી સર્વજ્ઞેયના જ્ઞાનસ્વરૂપ કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે તેમ સ્વીકારવું નિષ્પ્રયોજન છે. તેના નિવારણ માટે હેતુ કહે છે –
निष्प्रयोजनस्य સિદ્ધાત્, નિષ્પ્રયોજન એવા પણ ફળરૂપ તેનું=સર્વજ્ઞેયનું જ્ઞાન આત્માને માટે નિષ્પ્રયોજન છે આમ છતાં આત્મદર્શન માટે કરાયેલા પ્રયત્નના ફળરૂપ એવા સર્વજ્ઞેયના જ્ઞાનનું સ્વસામગ્રીસિદ્ધપણું છે અર્થાત્ કેવલજ્ઞાનની પ્રાપ્તિના જે કારણસમુદાયરૂપ સામગ્રી છે તેનાથી સર્વજ્ઞેયના જ્ઞાનનું સિદ્ધપણું છે.
Page #124
--------------------------------------------------------------------------
________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-પપની ઉપા. મ.સા.ની ટિપ્પણી
૯૫ નિપ્રયોજન હોવા છતાં પણ સ્વસામગ્રીથી સર્વજ્ઞયનું જ્ઞાન આત્મદર્શન માટે કરાયેલા પ્રયત્નથી થાય છે તે સ્વીકારવા માટે યુક્તિ આપે છે –
નહિ.... નાર્નયતીતિ, પ્રયોજનની ક્ષતિના ભયથી સર્વજ્ઞયનું જ્ઞાન આત્મા માટે કોઈ પ્રયોજનવાળું નથી એ પ્રકારના પ્રયોજનની ક્ષતિના ભયથી, સામગ્રી અર્થાત્ કેવલજ્ઞાનની નિષ્પત્તિની સામગ્રી, કાર્યને કેવલજ્ઞાનરૂપ કાર્યને, અર્જન કરતી નથી એમ નહિ અર્થાત્ સામગ્રી અવશ્ય કાર્યને અર્જન કરે છે.
તવિમુમ્ – તે આ કહેવાયું છે-આત્મા માટે શેયમાત્રનું જ્ઞાન કોઈ પ્રયોજનવાળું નથી તોપણ કેવલજ્ઞાનની સામગ્રી કેવલજ્ઞાનરૂપ કાર્ય કરે છે એમ જ પૂર્વમાં કહાં તે આ કહેવાયું છે –
સ્નેશપત્તિ.... તત્' “મતિજ્ઞાનથી ક્લેશની પક્તિ છે મોહનીયકર્મરૂપ ક્લેશનો નાશ છે. કેવલજ્ઞાનથી કંઈ પણ નથી=મોહનીયકર્મરૂપ ક્લેશનો નાશ કાંઈ પણ નથી. અંધકારના પ્રચયની સંપૂર્ણ વિશદ્ધિથી પ્રભાવ ઉત્પન્ન થયેલું જ, તે છે અર્થાત્ કેવલજ્ઞાન છે.”
તિ.... તુન્યમ્, એ પ્રમાણે-સાક્ષીપાઠમાં આપ્યું એ પ્રમાણે, ગુણવિશેષથી ન્યપણું હોવા છતાં પણ=મતિજ્ઞાનરૂપ ગુણ વિશેષથી કેવલજ્ઞાનનું ન્યપણું હોવા છતાં પણ, આત્મદર્શનની જેમ મુક્તિર્મા તેનું અવ્યભિચારીપણું તુલ્ય છે અર્થાત્ ચૈતન્યરૂપ આત્માનું દર્શન પાતંજ્યદર્શનકાર મુક્તિમાં સ્વીકારે છે તેમ કેવલજ્ઞાનનું મોક્ષમાં અવસ્થિતપણું તુલ્ય છે.
કેમ મોક્ષમાં સર્વજ્ઞયના જ્ઞાનરૂપ કેવલજ્ઞાનનું અવસ્થિતપણું છે. તેની સ્પષ્ટતા કરતાં કહે છે –
વસ્તુતઃ આવશ્ય, વસ્તુત: જ્ઞાનનો સર્વવિષયકત્વ સ્વભાવ છે અને છઘસ્થનું તે=જ્ઞાન, વિચિત્ર જ્ઞાનાવરણથી પ્રતિબંધને પામે છે, એથી સંપૂર્ણ પ્રતિબંધના અપગમરૂપ કેવલજ્ઞાનમાં સર્વવિષયકત્વ આવશ્યક છે.
ત૬ – તે કેવલજ્ઞાનમાં સર્વવિષયકત્વ છે તે, યોગબિંદુ લોક-૪૩૧માં કહેવાયું છે –
“જ્ઞો...૩પ્રતિવન્ય:' પ્રતિબંધક એવા જ્ઞાનાવરણનો ઉદય નહીં હોતે છતે જ્ઞાતા એવો પુરુષ શેયમાં કેવી રીતે અજ્ઞ થાય ? અર્થાત અજ્ઞ થાય નહીં. અપ્રતિબંધક એવો અગ્નિ દાહામાં દાહા એવી વસ્તુને બાળવામાં, ક્વી રીતે અંદાહક થાય અર્થાત અવશ્ય દાહાનો દાહક થાય.” ભાવાર્થ : આત્મદર્શનના પ્રતિબંધક કર્મનું જ કેવલજ્ઞાનનું પ્રતિબંધપણું હોવાને કારણે આત્મદર્શનનો પ્રતિબંધક કર્મના અપગમમાં કેવલજ્ઞાનની ઉત્પત્તિનું અવર્જનીયપણું હોવાથી દગ્ધફ્લેશબીજવાળા યોગીને જ્ઞાનમાં વળી અપેક્ષા નથી' એ પ્રકારનું ભાષ્યકારનું વચન યુક્તિરહિત :
પાતંજલયોગસૂત્ર ૩-૫૫ ઉપર ભાષ્ય છે તેમાં કહેલ કે વિવેકથી ઉત્પન્ન થયેલ જ્ઞાનના અભાવવાળા પુરુષને પણ સત્ત્વની અને પુરુષની શુદ્ધિના સામ્યમાં કૈવલ્ય પ્રગટ થાય છે તેની પુષ્ટિ માટે ભાષ્યકાર કહે છે –
Page #125
--------------------------------------------------------------------------
________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-પપની ઉપા. મ.સા.ની ટિપ્પણી દગ્ધકલેશબીજવાળા જીવને વિવેકથી ઉત્પન્ન થયેલા જ્ઞાનમાં અપેક્ષા નથી જ્ઞાન વગર પણ મુક્ત થઈ શકે છે. માટે જ્ઞાનના અભાવવાળા પુરુષને પણ સત્ત્વની અને પુરુષની શુદ્ધિના સામ્યમાં કૈવલ્ય=મુક્ત, થઈ શકે છે, આ પ્રકારનું ભાષ્યકારનું વચન યુક્તિ વગરનું છે એ પ્રમાણે પૂજય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબ કહે છે –
કેમ યુક્તિ વગરનું? તેમાં હેતુ કહે છે –
આત્મદર્શનના પ્રતિબંધક જ કર્મનું કેવલજ્ઞાનનું પ્રતિબંધકપણું છે, તેથી જે યોગી સત્ત્વની અને પુરુષની શુદ્ધિનું સામ્ય પ્રાપ્ત કરે છે તે યોગી જયારે આત્મદર્શન માટે યત્ન કરે છે, તેના બળથી આત્મદર્શનના પ્રતિબંધક કર્મોનો અપગમ થાય છે તે વખતે તે યોગીને કેવલજ્ઞાનની ઉત્પત્તિ અવશ્ય થાય છે માટે વિવેકથી ઉત્પન્ન થનારા કેવલજ્ઞાનની પ્રાપ્તિ વગર સત્ત્વની અને પુરુષની શુદ્ધિનું સામ્ય સંભવે નહિ તેથી ભાગ્યકાર કહે છે કે વિવેકથી ઉત્પન્ન થનારા જ્ઞાનના અભાવવાળા પુરુષને મુક્તપણું પ્રાપ્ત થઈ શકે છે એ કથન અસંગત છે. મુક્તિની પ્રાપ્તિમાં આત્માની અતિરિક્ત શેયનું જ્ઞાન નિપ્રયોજન છે એ પ્રકારના ભાષ્યકારના કથનનું યુક્તિ દ્વારા નિવારણ અને સ્વસામગ્રીથી નિપ્રયોજન પણ સર્વજ્ઞયનું જ્ઞાન કેવલીને થાય છે તે સ્વીકારવા માટેની ઉદ્ધરણસહિત યુક્તિ :
અહીં ભાષ્યકાર કહે કે સત્ત્વ અને પુરુષની શુદ્ધિના સામ્યની પ્રાપ્તિ માટે આત્મદર્શનનો પ્રયત્ન આવશ્યક છે અને તેનાથી આત્માના સ્વરૂપનું દર્શન થાય છે તેમ સ્વીકારી શકાય, પરંતુ સર્વજ્ઞયના જ્ઞાનરૂપ કેવલજ્ઞાન થાય છે તેમ સ્વીકારવાની આવશ્યક્તા નથી; કેમ કે મુક્તિની પ્રાપ્તિમાં આત્માથી અતિરિક્ત અન્ય શેયનું જ્ઞાન નિપ્રયોજન છે. તેના નિવારણ માટે પૂજ્ય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબ અન્ય હેતુ કહે છે –
નિપ્રયોજન એવા પણ ફળરૂપ તેનું સ્વસામગ્રીસિદ્ધપણું છે. આશય એ છે કે સર્વકર્મથી મુક્ત થવા માટે આત્માનું દર્શન જ આવશ્યક છે, પરંતુ અન્યયનું જ્ઞાન આવશ્યક નથી, તેથી અન્ય જ્ઞેયનું જ્ઞાન આત્મા માટે નિપ્રયોજનવાળું છે, તોપણ યોગી જયારે આત્મસ્વરૂપના દર્શન માટે ઉદ્યમ કરે છે ત્યારે અરૂપી એવા આત્માનું દર્શન થાય છે તે વખતે સર્વ જ્ઞાનાવરણીયકર્મનો વિગમન થવાને કારણે આત્માની મુક્તિની પ્રાપ્તિ માટે નિપ્રયોજન એવું પણ સર્વ જ્ઞયનું જ્ઞાન આત્મસ્વરૂપના દર્શનના વ્યાપારથી ફળરૂપે પ્રાપ્ત થાય છે, કેમ કે તેવા જ્ઞાનની સામગ્રી પ્રાપ્ત થાય તો સામગ્રીથી તે જ્ઞાન પ્રગટ થાય છે અર્થાત્ કેવલજ્ઞાનની પ્રાપ્તિ માટે કેવલજ્ઞાનના પ્રતિબંધક કર્મોનો નાશ આવશ્યક છે અને કેવલજ્ઞાનના પ્રતિબંધક કર્મોના નાશની સામગ્રી શુદ્ધ આત્માના પારમાર્થિકસ્વરૂપને જોવાના વ્યાપારથી થાય છે અને શુદ્ધ આત્માના પારમાર્થિકસ્વરૂપને જોવા માટે સમ્ય યત્ન કરવામાં પ્રતિબંધક એવા કર્મોના અપગમથી શુદ્ધ આત્માને જોવાનો વ્યાપાર થાય છે અને જે યોગીને શુદ્ધ આત્માને જોવાને અનુકૂળ એવા પ્રતિભજ્ઞાનના પ્રતિબંધક કર્મોનો અપગમ થયો છે તે યોગી તે પ્રતિભજ્ઞાનરૂપ સામગ્રીના બળથી અને શુદ્ધ આત્માને જોવાના પ્રયત્નરૂપ સામર્થ્યયોગના બળથી જ્ઞાનને આવનારા
Page #126
--------------------------------------------------------------------------
________________
૯o
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-પપની ઉપા. મ.સા.ની ટિપ્પણી કર્મોનો અપગમ કરે છે અને તે રૂપ સામગ્રીના બળથી કેવલજ્ઞાન પ્રાપ્ત થાય છે અને નિસ્પ્રયોજન એવું પણ સર્વજ્ઞયનું જ્ઞાન=મુક્તઅવસ્થાની પ્રાપ્તિમાં તે જ્ઞાનનું કોઈ પ્રયોજન નથી, એ પ્રકારના ભયથી સર્વજ્ઞયના જ્ઞાનનું કારણ એવું કેવલજ્ઞાન જો તેની પ્રાપ્તિની કારણ સામગ્રીને પ્રાપ્ત કરે તો કેવલજ્ઞાનરૂપ કાર્ય ન થાય તેમ કહી શકાય નહીં, કેમ કે જે કાર્યને અનુકૂળ સામગ્રી પ્રાપ્ત થાય તે સામગ્રીથી તે કાર્ય અવશ્ય પ્રાપ્ત થાય છે. સામગ્રીથી અવશ્ય કાર્ય થાય છે તેની પુષ્ટિ કરવા અર્થે સાક્ષીપાઠ આપે છે –
સંસારી જીવોમાં વર્તતા નિર્મળ કોટિના મતિજ્ઞાનથી ક્લેશની પક્તિ ક્લેશનો નાશ, થાય છે. પરંતુ કેવલજ્ઞાનથી કોઈ ક્લેશનો નાશ થતો નથી. તેથી ફલિત થાય છે કે ક્લેશના નાશમાં મતિજ્ઞાન ઉપયોગી છે, કેવલજ્ઞાન ઉપયોગી નથી આમ છતાં કેવલજ્ઞાન કેમ થાય ? એથી કહે છે –
અંધકારના પ્રચયની નિશેષ સંપૂર્ણ, વિશુદ્ધિથી પ્રભવ ઉત્પન્ન થયેલું એવું, કેવલજ્ઞાન છે. અર્થાત્ આત્મામાં જ્ઞયનો બોધ કરવામાં અંધકાર આપાદક જ્ઞાનાવરણીય કર્યો છે અને તે અંધકારના પ્રચયરૂપ છે, તે અંધકારના પ્રચયરૂપ સંપૂર્ણ કર્મના નાશથી આત્મામાં વિશુદ્ધિ થાય છે અને તે વિશુદ્ધિને કારણે સર્વજ્ઞયના બોધસ્વરૂપ કેવલજ્ઞાન પ્રગટે છે માટે કેવલજ્ઞાનની પ્રાપ્તિની સામગ્રીથી કેવલજ્ઞાન પ્રગટે છે અને કેવલજ્ઞાન ક્લેશનાશ પ્રત્યે નિસ્પ્રયોજન છે; કેમ કે ક્લેશનાશ મતિજ્ઞાનથી થાય છે.
સાક્ષીપાઠમાં કહ્યું એ રીતે ગુણ વિશેષથી કેવલજ્ઞાનનું જન્યપણું હોવા છતાં પણ આત્મદર્શનની જેમ મુક્તિમાં તેનું અવ્યભિચારિપણું.
આ રીતે=ઉદ્ધરણમાં બતાવ્યું એ રીતે, મતિજ્ઞાનથી ક્લેશનાશ થાય છે અને તેના કારણે અંધકાર આપાદક જ્ઞાનાવરણીય કર્મનો નાશ થાય છે અને તેનાથી કેવલજ્ઞાન થાય છે એ રીતે ગુણવિશેષરૂપ મતિજ્ઞાનથી કેવલજ્ઞાન જન્ય હોવા છતાં પણ જેમ ગુણવિશેષથી ઉત્પન્ન થયેલું આત્મદર્શન મુક્ત અવસ્થામાં રહે છે, તેમ ગુણવિશેષથી જન્ય એવું કેવલજ્ઞાન પણ મુક્ત અવસ્થામાં સમાન રીતે રહે છે.
ક્લેશનાશ પ્રત્યે કેવલજ્ઞાન કારણ નહીં હોવા છતાં ક્લેશનાશ માટે યત્ન કરતા યોગીને સર્વવિષયક એવું કેવલજ્ઞાન કેમ પ્રગટે છે તે સ્પષ્ટ કરતાં કહે છે – વસ્તુતઃ જ્ઞાનનો સર્વવિષયકત્વ સ્વભાવ છે અને છાસ્થનું જ્ઞાન વિચિત્ર જ્ઞાનાવરણથી પ્રતિબંધ પામે છે એથી સંપૂર્ણ પ્રતિબંધકનો અપગમ હોવાથી કેવલજ્ઞાનમાં સર્વવિષયકત્વ આવશ્યક :
વાસ્તવિક રીતે જ્ઞાનનો સર્વવિષયકત્વ સ્વભાવ છે અર્થાત્ જગતવર્તી સર્વ વિષયોનું બોધ કરાવે તેવો સ્વભાવ છે અને છબસ્થ જીવોને તેવા સ્વભાવવાળું જ્ઞાન વિચિત્ર જ્ઞાનાવરણીય કર્મને કારણે પ્રતિબંધને પામેલું છે, તેથી જે યોગીઓ મોતના ત્યાગપૂર્વક શુદ્ધ આત્માને જોવા માટે યત્ન કરે છે તે યોગીઓને મોહરહિત એવા આત્માના સ્વરૂપનું સ્વસંવેદન પ્રત્યક્ષ થાય છે, ત્યારપછી અરૂપી આત્માનું દર્શન થાય છે તે વખતે તે છબસ્થના જ્ઞાનના આવારક સર્વ કર્મોનો અપગમ થાય છે, તેથી જ્ઞાનના આવારક એવા સર્વકર્મથી રહિત યોગીનું જ્ઞાન સર્વવિષયને ગ્રહણ કરે છે એમ સ્વીકારવું
Page #127
--------------------------------------------------------------------------
________________
૯૮
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૫૫ની ઉપા. મ.સા.ની ટિપ્પણી આવશ્યક છે. તેમાં યોગબિંદુના ઉદ્ધરણની જે સાક્ષી આપી તેનો ભાવ આ પ્રમાણે છે –
જે શેય પદાર્થ છે તે જ્ઞાનનો વિષય છે અને જ્ઞાતા એવા પુરુષમાં વર્તતા જ્ઞાનનું પ્રતિબંધક એવું કર્મ ન હોય તો તે જ્ઞાતા જોયમાં અજ્ઞ કઈ રીતે હોઈ શકે ? અર્થાત્ અન્ન હોઈ શકે નહીં. તેમાં દૃષ્ટાંત બતાવે છે –
અગ્નિમાં દાહક સ્વભાવ છે, તેથી તે દાહ્યને બાળે છે અને દાહ્યને બાળવામાં કોઈ પ્રતિબંધક વિદ્યમાન ન હોય તો અગ્નિ અવશ્ય દાહ્યને બાળે છે તેમ જ્ઞાનનું કોઈ પ્રતિબંધક ન હોય તો જ્ઞાતાનું જ્ઞાન શેયનું જ્ઞાન અવશ્ય કરાવે છે. અર્થ :
તેને ...... મપાત, આના દ્વારા પૂર્વમાં કહ્યું કે સ્વસામગ્રીથી કેવલજ્ઞાન પ્રગટ થાય છે અને તે મુક્તિમાં પણ રહે છે એના દ્વારા, કોઈકનું આ કથન પણ અપાસ છે એમ અન્વય છે. તે કથન આ પ્રમાણે છે –
વિવેકથી થયેલું સર્વવિષયક એવું જ્ઞાન ઉત્પન થયેલું પણ સત્ત્વનો ગુણ હોવાથી અર્થાત્ આત્માનો ગુણ નહીં પરંતુ સત્ત્વનો ગુણ હોવાથી નિવૃત્ત અધિકારવાની પ્રકૃતિ હોતે છતે પ્રવિલય પામતું એવું આત્માને સ્પર્શતું નથી, એથી આત્મા અર્થશૂન્ય પદાર્થના બોધ રહિત, નિર્વિકલ્પ ચિદ્રુપ જ મુક્તિમાં રહે છે.
કોઈકનો આ મત કેમ અપાસ્ત છે ? તેમાં હેતુ કહે છે –
રિક્વીઝેન .... ત્પના, ચિન્તાવચ્છેદથી-ચિત્ત્વધર્મથી એકસર્વવિષયકત્વસ્વભાવની કલ્પના છે.
અહીં સાંખ્યદર્શનકાર કહે કે ચિત્ત્વધર્માવચ્છેદથી એકસર્વવિષયકત્વ સ્વભાવ ન માનીએ અને અર્થના બોધથી શૂન્ય ચિત્શક્તિને માનીએ તો શું વાંધો છે ? એથી કહે છે –
અર્થશૂન્યાયાં ....માનામાવત, અર્થશૂન્ય એવી ચિતિમાં કોઈક પદાર્થવિષયક બોધ ન હોય તેવા ચૈતન્યમાં, માનનો અભાવ છે અર્થાત્ પ્રમાણનો અભાવ છે.
અહીં પૂર્વપક્ષી કહે કે ચિતિનું બુદ્ધિમાં બિંબ પડે છે તેથી ચિત્ બિંબરૂપ છે અને ચિત્ સામાન્યથી કોઈ વિવર્તવાળું નથી=નવા નવા પરિણામરૂપે પામનારું નથી પરંતુ સદા સ્થિર એકસ્વરૂપવાળું છે માટે ચિમાં અર્થનો બોધ સ્વીકારી શકાય નહીં. તેના નિરાકરણ માટે ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબ કહે છે –
વિશ્વરૂપસ્ય....ત્પનાપ્રૉ: બિબરૂપ ચિસામાન્યના અવિવર્તની કલ્પનામાં અચિસામાન્યની પણ=માટી આદિ ચૈતન્યના અભાવવાળા સર્વપદાર્થોની પણ, તેવા પ્રકારની કલ્પનાની આપત્તિ છેઃ અવિવર્ત સ્વીકારવાની આપત્તિ છે અર્થાત્ નવા નવા આકારરૂપે માટી આદિ પરિણામ પામતા નથી તેમ સ્વીકારવાની આપત્તિ છે.
Page #128
--------------------------------------------------------------------------
________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૫૫ની ઉપા. મ.સા.ની ટિપ્પણી
૯૯
આ આપત્તિના નિવારણ માટે સાંખ્યદર્શનકાર કહે કે માટી આદિ પદાર્થોમાંથી ઘટાદિ વિવર્તો થતાં દેખાય છે તે વ્યવહારની સંગતિ કઈ રીતે થઈ શકે ? તેના નિવારણ માટે ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબ કહે છે
व्यवहारस्य ૩૫પત્તે:, વ્યવહારની બુદ્ધિવિશેષ ધર્મો વડે જ ઉ૫પત્તિ=સંગતિ છે અર્થાત્ જેમ પાતંજલદર્શનકાર ચિત્તા વિવર્તો સ્વીકારતા નથી પરંતુ ચિત્ એવા આત્માને ફૂટસ્થ નિત્ય સ્વીકારે છે અને સંસારી જીવોને જુદા જુદા પ્રકારનો જ્ઞાનના ઉપયોગનો જે અનુભવ છે તે બુદ્ધિવિશેષના ધર્મો છે તેમ કહે છે, તે રીતે માટીમાંથી ધડા આદિના વિવર્તો થાય છે ત્યાં પણ કહી શકાય કે માટી આદિમાં કોઈ વિવર્તો નથી પરંતુ જોનાર પુરુષના બુદ્ધિવિશેષરૂપ ધર્મો વડે તે વિવર્તોની પ્રતીતિ થાય છે. (તેથી જેમ અચિત્સામાન્યના વિવર્તો પાતંજ્લદર્શનકાર સ્વીકારે છે તેમ ચિત્સામાન્યના વિવર્તો તેમણે સ્વીકારવા જોઈએ એ પ્રમાણે ઉપાધ્યાય યશોવિજ્યજી મહારાજ સાહેબનો આશય છે.) यदि તુત્યપ્રસરાત્, અને જો અચિત્સામાન્ય નિષ્ઠ જ અચિમાં વિવર્ત કલ્પાય છે તો તુલ્યન્યાયથી ચિત્તા વિવર્ત પણ ચિત્સામાન્ય નિષ્ઠ જ સ્વીકારવા માટે યુક્ત પરંતુ ચિત્ એવા આત્માને અચિત્તા વિવર્તોના અધિષ્ઠાનરૂપે જ ક્લ્પના કરવો યુક્ત નથી; કેમ કે નયના આદેશનું સર્વ દ્રવ્યમાં તુલ્યપ્રસરપણું છે.
ભાવાર્થ:
સ્વસામગ્રીથી કેવલજ્ઞાન પ્રગટ થાય છે અને મુક્તિમાં રહે છે એ કથન દ્વારા વિવેકથી થયેલું સર્વવિષયક એવું જ્ઞાન સત્ત્વનો ગુણ હોવાથી નિવૃત્તઅધિકારવાળી પ્રકૃતિ હોતે છતે પ્રવિલય પામતું એવું આત્માને સ્પર્શતું નથી, એથી આત્મા અર્થશૂન્ય નિર્વિકલ્પ ચિદ્રૂપ મુક્તિમાં રહે છે આ કથન અપાસ્ત થાય તેનું સહેતુક વિધાન :
પૂર્વમાં કહ્યું કે સ્વસામગ્રીથી નિષ્પ્રયોજન પણ સર્વજ્ઞેયનું જ્ઞાન આત્મદર્શનથી થાય છે અને તે કેવલજ્ઞાન મુક્તિમાં પણ રહે છે, એ કથન દ્વારા પાતંજલદર્શનકારની અન્ય માન્યતાનું નિરાકરણ થાય છે. પાતંજલદર્શનકાર માને છે કે યોગીને વિવેકથી ઉત્પન્ન થયેલું સર્વવિષયક જ્ઞાન હોય છે અને તે જ્ઞાન સત્ત્વનો ગુણ છે અર્થાત્ પ્રકૃતિ સત્ત્વ, રજસ્ અને તમોગુણવાળી છે અને પ્રકૃતિમાંથી બુદ્ધિ ઉત્પન્ન થયેલી છે, તે બુદ્ધિનો સત્ત્વગુણ પ્રકર્ષવાળો વર્તતો હોય છે ત્યારે યોગીને સર્વવિષયક જ્ઞાન ઉત્પન્ન થાય છે માટે તે જ્ઞાન સત્ત્વનો ગુણ છે પરંતુ આત્માનો ગુણ નથી અને જ્યારે પુરુષને આશ્રયીને પ્રકૃતિ નિવૃત્તઅધિકારવાળી બને છે ત્યારે તે સત્ત્વગુણવાળું જ્ઞાન વિલય પામે છે, પરંતુ આત્માને સ્પર્શતું નથી, એથી આત્મા અર્થના ઉપયોગથી શૂન્ય એવો નિર્વિકલ્પ ચિત્તૂપ જ મુક્તિમાં રહે છે અર્થાત્ કોઈ વાચ્ય પદાર્થોનો આત્માને બોધ નથી, તેથી કોઈ જ્ઞાનના વિકલ્પો નથી પરંતુ અર્થોના વિકલ્પોથી શૂન્ય નિર્વિકલ્પ એવો ચિત્તૂપ જ આત્મા મુક્તિમાં રહે છે, આ પ્રકારનું પાતંજલદર્શનકારનું કથન નિરાકરણ થાય છે; કેમ કે સ્વસામગ્રીથી સર્વજ્ઞેયનું જ્ઞાન આત્માને પ્રગટ
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૦૦
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૫૫ની ઉપા. મ.સા.ની ટિપ્પણી થાય છે તે જ્ઞાનનું આત્માને કોઈ પ્રયોજન ન હોય તોપણ સર્વ જ્ઞયના જ્ઞાનરૂપ કેવલજ્ઞાન આત્માને થાય છે, તેમ પૂર્વમાં સ્થાપન કરેલ છે. તેનાથી પાતંજલદર્શનકારનો મત નિરાકૃત થાય છે.
આ પાતંજલદર્શનકારનો મત યુક્ત નથી તેમાં હેતુ કહે છે – - ચિન્તાવચ્છેદથી એક એવા ચિદૂરૂપ આત્માનું સર્વવિષયકત્વસ્વભાવની કલ્પના છે.આશય એ છે કે આત્મા ચિતધર્મવાળો છે અને તે ધર્મથી આત્માનો સર્વવિષયક જ્ઞાન કરવાનો સ્વભાવ છે, એ પ્રમાણે વિચારકો સ્વીકારે છે માટે પાતંજલદર્શનકારનો મત યુક્ત નથી. ચિત્ત્વધર્માવવચ્છેદથી એક આત્માનું સર્વવિષયકત્વ સ્વભાવ ન માનીએ અને અર્થના બોધથી શૂન્ય ચિક્તિને માનીએ તો તે માનવામાં પ્રમાણનો અભાવ :
અહીં પાતંજલદર્શનકાર કહે કે આત્મામાં રહેલ ચિતધર્મ અર્થનું જ્ઞાન કરતું નથી એમ સ્વીકારીએ તો શું વાંધો છે? તેના નિરાકરણ માટે કહે છે –
અર્થના બોધથી શૂન્ય એવા ચિધર્મને સ્વીકારવામાં કોઈ પ્રમાણ નથી, કેમ કે ચૈતન્ય જ્ઞાનસ્વરૂપ છે, તેથી તે જ્ઞાન શેયનો અવશ્ય બોધ કરે છે તેમ સ્વીકારવું જોઈએ. બિંબરૂપ ચિત્સામાન્યના અવિવર્તની કલ્પનામાં અચિત્સામાન્યના પણ અવિવર્ત સ્વીકારવાની આપત્તિ :
અહીં પાતંજલદર્શનકાર કહે કે જેમ સરોવરમાં ચંદ્રનું બિબ પડે છે અને સરોવરનું પાણી ચાલે છે ત્યારે ચંદ્ર ચાલે છે તેવી પ્રતીતિ થાય છે, વાસ્તવિક રીતે બિંબરૂપ ચંદ્ર સ્થિર છે તેમ બુદ્ધિમાં બિંબરૂપ ચિત્સામાન્યનું પ્રતિબિંબ પડે છે અને બુદ્ધિ જુદા જુદા શેયનું જ્ઞાન કરે છે, તેથી ચિત્સામાન્યમાં=ચિદ્રુપ આત્મામાં જ્ઞાનના વિવર્તી છે તેવી પ્રતીતિ થાય છે. પરમાર્થથી બુદ્ધિમાં બિંબરૂપ ચિત્સામાન્યમાં કોઈ જ્ઞાનના વિવર્તી નથી. પરંતુ અચિતૂપ એવી બુદ્ધિમાં જ ચિના વિવર્તી છે. તેનું નિરાકરણ કરવા માટે પૂજય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબ કહે છે –
બુદ્ધિમાં બિંબરૂપે રહેલા ચિત્સામાન્યના=આત્માના, અવિવર્તની કલ્પનામાં અચિત્સામાન્યની પણ તેવા પ્રકારના કલ્પનાની આપત્તિ છે; કેમ કે અચિત્સામાન્યના વિવર્તાના વ્યવહારની બુદ્ધિવિશેષના ધર્મો વડે જ ઉપપત્તિ છે. આશય એ છે કે ચંદ્રના દષ્ટાંતથી બિંબરૂપ એવા આત્માને જ્ઞાનના વિવર્ત વગરનો સ્વીકારવામાં આવે તો અચિતૂપ અર્થાત્ ચૈતન્યના અભાવરૂપ એવા માટી આદિ દ્રવ્યો પણ તેવા જ છે તેમ માનવું જોઈએ; કેમ કે આત્મા દ્રવ્ય છે અને તેના કોઈ પણ વિવર્ત નથી તેમ સ્વીકારીએ તો માટી આદિ દ્રવ્યો છે તેમાં પણ કોઈ પરિવર્તન નથી તેમ સ્વીકારવું જોઈએ અને આત્મા કૂટસ્થ નિત્ય છે તેમ સર્વ દ્રવ્યો કૂટસ્થ નિત્ય છે તેમ સ્વીકારવું જોઈએ. વ્યવહારની બુદ્ધિવિશેષ ધર્મો વડે જ ઉપપત્તિ :
અહીં પાતંજલદર્શનકાર કહે કે માટી આદિ દ્રવ્યોમાં અન્ય અન્ય ભાવરૂપે પરાવર્તન થવા રૂપ વિવર્તી પ્રત્યક્ષથી દેખાય છે, તેથી અચિત એવા માટી આદિ દ્રવ્યોને વિવર્ત વગરના સ્વીકારી શકાય નહિ. તેને પૂજય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબ કહે છે –
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૦૧
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-પપની ઉપા. મ.સા.ની ટિપ્પણી
માટી આદિમાં વિવર્તી જોનાર પુરુષને દેખાય છે અને તેની સંગતિ જોનારના જ્ઞાનના વિવર્તનથી કરી શકાય જેમ-સંસારી જીવોને જ્ઞાનના વિવર્તી દેખાય છે છતાં ચિતૂપ આત્મામાં વિવર્તી નથી તેમ પાતંજલઈનકાર સ્વીકારે છે, તેમ માટી આદિ દ્રવ્યોને જોનારા પુરુષના જ્ઞાનના જ ધર્મો આ વિવર્તી છે, પરમાર્થથી સર્વ વિવર્ત વગરના માટી આદિ દ્રવ્યો કૂટસ્થ નિત્ય છે તેમ સ્વીકારી શકાય. જો અચિત્સામાન્યનિષ્ઠ અચિતુમાં વિવોં કલ્પાય છે તો તુલ્યન્યાયથી ચિના વિવર્ત પણ ચિત્સામાન્યનિષ્ઠ જ કલ્પવા યુક્ત છે પરંતુ ચિત્ એવા આત્માને અચિના વિવર્તાના અધિષ્ઠાનરૂપે કલ્પવો યુક્ત નથી; કેમ કે નયના આદેશનું સર્વત્ર તુલ્ય પ્રસરપણું :
જો પાતંજલદર્શનકાર અચિત્સામાન્યનિષ્ઠ જ વિવર્તને સ્વીકારે અર્થાત્ માટી આદિ દ્રવ્યોમાં જ અચિના વિવર્તી સ્વીકારે તો તે ન્યાયથી જ ચિના વિવર્તી પણ ચિત્સામાન્યમાં જ સ્વીકારવા જોઈએ પરંતુ ચિત્ વિવર્તવાળું નથી પણ વિવર્તનું અધિષ્ઠાન છે તેમ કલ્પના કરવી ઉચિત નથી અર્થાત્ જેમ ચંદ્ર ચલ નથી પરંતુ ચલ એવા જલમાં પ્રતિબિંબિત હોવાથી જલમાં અધિષ્ઠાનવાળું છે, તેમ ચિત્ એવો આત્મા કોઈ વિવર્તવાળો નથી પરંતુ વિવર્તવાળી એવી બુદ્ધિમાં પ્રતિબિંબિત હોવાથી બુદ્ધિમાં અધિષ્ઠાનવાળો છે, તેમ માનવું ઉચિત નથી, કેમ કે નયદષ્ટિનો આદેશ સર્વ દ્રવ્યોમાં તુલ્ય પ્રવર્તે છે.
આશય એ છે કે શુદ્ધ દ્રવાસ્તિકનયની દૃષ્ટિથી જોવામાં આવે તો શુદ્ધ દ્રવ્ય કોઈ વિવર્તવાળું નથી, પરંતુ સદા એક સ્વભાવે રહેલું છે અને તે નયની દૃષ્ટિથી વિચારીએ તો આત્મામાં પણ જ્ઞાનના વિવર્તી નથી પરંતુ સ્થિર એકસ્વભાવવાળો આત્મા છે અને તે નયની દૃષ્ટિથી જેમ આત્મામાં જ્ઞાનના વિવર્તી નથી તેમ માટી આદિ દ્રવ્યોમાં પણ કોઈ વિવર્તી નથી પરંતુ માટી આદિ સર્વ દ્રવ્યો શુદ્ધ દ્રવાસ્તિકનયની દષ્ટિથી સ્થિર અવિચલિત એકસ્વભાવવાળા છે એમ માનવું જોઈએ.
જો માટી આદિ દ્રવ્યોને તે તે ભાવરૂપે પરિણમન પામે છે તેમ માનીએ તો તે તે નયની દષ્ટિથી આત્મા પણ મુક્તઅવસ્થામાં જ્ઞાન સ્વભાવવાળો હોવાથી જ્ઞયના તે તે પરિણામ અનુસાર કેવલજ્ઞાન પણ તે તે પરિણામરૂપે પરિણમન પામે છે અર્થાત્ કેવલજ્ઞાનના વિવર્તી પ્રતિક્ષણ રહે છે. આ કેવલજ્ઞાનના વિવર્તાને સામે રાખીને સિદ્ધના આત્માઓ કોઈ ક્રિયા વગરના હોવા છતાં અને શાશ્વત સિદ્ધઅવસ્થામાં રહેનારા હોવા છતાં જ્ઞાનના વિવર્તાની અપેક્ષાએ ઉત્પાદ અને વ્યયવાળા છે અને આત્મદ્રવ્યની અપેક્ષાએ ધ્રુવ છે તેમ સ્વીકારીને ‘ઉત્પાદ્દિવ્યદ્મવ્યયુ$ સ’ એ પ્રકારનું સત્ત્વનું લક્ષણ સિદ્ધના જીવોમાં સંગત કરાય છે. વળી સંસારીજીવોમાં પણ પ્રત્યક્ષથી જે જ્ઞાનના વિવર્તા, સુખદુ:ખનાં વિવર્તી દેખાય છે તે આત્માના જ છે. બુદ્ધિ એ આત્માનું જ સ્વરૂપ છે તેમ સ્વીકારવું ઉચિત છે. ઉત્થાન :
પૂર્વમાં ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે સ્થાપન કર્યું કે સિદ્ધઅવસ્થામાં પણ ચિત્સામાન્યના વિવ વર્તે છે માટે મુક્ત અવસ્થામાં અર્થના બોધશૂન્ય નિર્વિકલ્પ ચિતૂપ જ આત્મા છે તેમ માનવું ઉચિત નથી ત્યાં પાતંજલદર્શનકાર કહે કે આત્માને કૂટસ્થ માનનારી શ્રુતિ છે તેની સંગતિ આત્માના જ્ઞાનનો વિવત સ્વીકારવાથી થઈ શકે નહીં. તેના સમાધાનરૂપે કહે છે –
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૦૨
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૫૫ની ઉપા. મ.સા.ની ટિપ્પણી અર્થ :
ટä .... અનુપાત્તિ , વળી આત્માનું ફૂટસ્થપણું જે શ્રુતિથી સિદ્ધ છે તે ઇતરમાં અવૃત્તિ એવા સ્વાભાવિજ્ઞાન-દર્શનના ઉપયોગવસ્વરૂપે સમર્થન કરવું જોઈએ; કેમ કે નિધર્મકપણે ચિરૂપ આત્માનું ફૂટસ્થપણું છે એ પ્રમાણે કહેવાય છતે ત્યાં આત્મામાં, પ્રમેયવાદિના પણ અભાવનો પ્રસંગ છે. અને તે રીતે આત્મામાં પ્રમેયત્વાદિનો અભાવ સ્વીકારીએ તે રીતે, “સચ્ચિદાનંદરૂપ બ્રહ્મ છે' ઇત્યાદિ શ્રુતિની અનુ૫પત્તિ છે.
નિધર્મક બ્રહ્મ સ્વીકારીને ‘સચ્ચિદાનંદરૂપ બ્રહ્મ' છે એ શ્રુતિની સંગતિ કરવા માટે પાતંજલદર્શનકાર કહે તે બતાવીને તેનું નિરાકરણ કરે છે.
વ્યાવૃત્તિ .... નતા અસત્ આદિની વ્યાવૃત્તિમાત્રથી સત્ આદિવચનના ઉપપાદનમાં “સચ્ચિદાનંદરૂપ બ્રહ્મ છે' એ પ્રકારની કૃતિના ઉપપાદનમાં, ચિત્ત્વ પણ અચિત્ વ્યાવૃત્તિ જ થાય એથી ચિત્સામાન્ય વડે પણ સર્યું અર્થાત્ સિદ્ધના આત્મામાં ચિત્સામાન્યનો પણ અપલાપ થાય. અને જો “ઉત્પાદ-વ્યય અને ધ્રૌવ્યયુક્ત સત્ છે' એ પ્રમાણે ગુણસ્થળમાં બતાવાયેલ રીતિથી= તત્ત્વાર્થસૂત્ર અધ્યાય-૫માં મુગલોના ગુણોને બતાવ્યા તે ગુણસ્થળમાં બતાવાયેલ રીતિથી, સતુનું લક્ષણ સર્વત્ર પુગલમાં જ નહીં પરંતુ જીવાદિ સર્વ પદાર્થોમાં, ઘટે છે તો સ્વવિભાવ અને સ્વસ્વભાવ પર્યાયો વડે સંસારી અને મુક્તનું અસાંકર્ય થવાથી અખાધને પામતું એવું તેરસનું લક્ષણ, બંધમોક્ષાદિ વ્યવસ્થાને અવિરોધથી ઉપપાદન કરે છે, એથી આ જૈનેન્દ્રપ્રવચનના અમૃતનું પાન કરીને “ઉપચરિત ભોગાભાવ મોક્ષ છે” ઇત્યાદિ અનાદિકાળથી પાન કરેલું મિથ્યાષ્ટિના વચનની વાસનારૂપ વિષને સહૃદયવાળા જીવો વમન કરો. અધિક લતાદિમાં સ્યાદ્વાદકલ્પલતામાં વિવેચન છે. ભાવાર્થ : આત્માનું ફૂટસ્થપણું જે શ્રુતિથી સિદ્ધ છે તે ઇતરમાં અવૃત્તિ એવા સ્વાભાવિક જ્ઞાન-દર્શનના ઉપયોગવસ્વરૂપે સમર્થનીય :
પૂર્વમાં પૂજય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે સ્થાપન કર્યું એ પ્રમાણે મુક્ત આત્મામાં પણ ચિના વિવર્તી છે અર્થાત્ ચિતૂપ જે જ્ઞાન છે તે જગવર્તી શંય પદાર્થોના પરિવર્તનને અનુરૂપ અન્ય અન્યરૂપે પરિવર્તન પામે છે એ રૂપ ચિના વિવર્તી છે અને તેમ સ્વીકારીએ તો આત્માને ફૂટસ્થ માનનાર જે શ્રુતિ છે, તેની સંગતિ થાય નહીં તેનું સમાધાન કરતાં કહે છે –
આત્માને કૂટસ્થ માનનાર જે શ્રુતિઓ છે તે શ્રુતિનો અર્થ એ કરવો કે આત્માથી ઇતરમાં અવૃત્તિ એવા આત્માના સ્વાભાવિક જ્ઞાન-દર્શનનો ઉપયોગ આત્મામાં છે તે સ્વરૂપ આત્મા કૂટસ્થ નિત્ય છે અને તેમ સ્વીકારવાથી સિદ્ધમાં જ્ઞાનના વિવર્તી સ્વીકારવામાં કોઈ વિરોધ આવશે નહીં.
આશય એ છે કે આત્માથી ઇતર સર્વ અચેતન પદાર્થો છે, તેમાં જ્ઞાન-દર્શનનો ઉપયોગ ક્યારેય હોતો નથી પરંતુ ઇતરમાં ન રહે તેવો અને જીવના સ્વભાવભૂત જ્ઞાન-દર્શનના ઉપયોગવાળાપણું
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૦૩
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૫૫ની ઉપા. મ.સા.ની ટિપ્પણી જીવોની સંસારઅવસ્થામાં પણ છે; કેમ કે કર્મોથી કેવલજ્ઞાનાદિ આવૃત્ત થયેલા હોવા છતાં પણ જ્ઞાનદર્શનના ઉપયોગ વગરનો કોઈ જીવ નથી, તેથી જ્ઞાન-દર્શનના ઉપયોગ સ્વરૂપે આત્મા સદા અવસ્થિત છે અને તે તે જ્ઞાનના ઉપયોગરૂપે જ્ઞાનના વિવર્તી પણ આત્મામાં છે તેમ સ્વીકારવાથી મુક્ત આત્મામાં જ્ઞાનના વિવાર્તા સ્વીકારવા છતાં સંસારઅવસ્થામાં અને મુક્તઅવસ્થામાં સાધારણ એવા જ્ઞાન-દર્શન ઉપયોગવસ્વરૂપે આત્માનું ફૂટસ્થપણું સંગત થશે. નિધર્મકપણું ચિતનું ટસ્થપણું છે એ પ્રમાણે કહેવાયે છતે આત્મામાં પ્રમેયવાદિના પણ અભાવનો પ્રસંગ આવે અને આત્મામાં પ્રમેયવાદિનો અભાવ સ્વીકારીએ તો “સચ્ચિદાનંદરૂપ બ્રહ્મ છે' ઇત્યાદિ શ્રુતિની અનુપપત્તિ :
અને જો પાતંજલદર્શનકાર કહે છે કે નિર્ધર્મકપણે જ આત્માનું કૂટસ્થપણું છે માટે મુક્તાત્મામાં કોઈ ધર્મ નથી, તેથી ત્યાં જ્ઞાનના વિવર્તી સ્વીકારી શકાશે નહીં. તો પૂજય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ કહે છે –
નિર્ધર્મકપણારૂપ કૂટસ્થપણું સ્વીકારવામાં પ્રયત્નાદિના પણ અભાવનો પ્રસંગ પ્રાપ્ત થાય અર્થાત્ આત્મા પ્રમેય છે એમ પણ સ્વીકાર શકાય નહીં અને મુક્ત આત્મા કેવા છે ? તો શાસ્ત્રથી મુક્ત આત્માનું સ્વરૂપ બતાવાય છે, યોગીઓ મુક્ત આત્માનું સ્વરૂપ બતાવે છે, તેથી મુક્ત આત્મા પ્રમેય નથી તેમ કહી શકાય નહીં.
વળી આત્માને નિર્ધર્મક સ્વીકારીએ તો સચ્ચિદાનંદરૂપ બ્રહ્મ છે' એ શ્રુતિની પણ અનુપપત્તિ થશે; કેમ કે આત્મા નિર્ધર્મક હોવાથી તે પ્રમેય નથી તેમ માનવું પડે અને જે પ્રમેય ન હોય તેનું સ્વરૂપ ‘સચ્ચિદાનંદરૂપ બ્રહ્મ છે' એ વચનથી શ્રુતિ કહી શકે નહીં માટે બ્રહ્મને નિર્ધક સ્વીકારવો ઉચિત નથી. અસત્ આદિની વ્યાવૃત્તિમાત્રથી સત્ આદિવચનના ઉપપાદનમાં ચિત્ત્વ પણ અચિવ્યાવૃત્તિ જ થાય એથી સિદ્ધના આત્મામાં ચિસામાન્યનો અપલાપ :
અહીં પાતંજલદર્શનકાર બ્રહ્મને નિર્ધર્મક સ્વીકારીને “સચ્ચિદાનંદરૂપ બ્રહ્મ'ને કહેનારી શ્રુતિની સંગતિ કરવા અર્થે કહે કે સચ્ચિદાનંદરૂપ શબ્દોમાં રહેલ સત આદિ શબ્દો અસતુ આદિની વ્યાવૃત્તિમાત્ર કરે છે પરંતુ બ્રહ્મનું સ્વરૂપ બતાવતા નથી એથી બ્રહ્મ પ્રમેય નથી એમ સ્વીકારવામાં કોઈ વિરોધ નથી. તેનું નિરાકરણ કરવા માટે પૂજય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ કહે છે –
અસત્ આદિની વ્યાવૃત્તિમાત્રથી સચ્ચિદાનંદરૂપ બ્રહ્મમાં રહેલા સત્ આદિ વચનોનું ઉપપાદન કરવામાં આવે તો ચિત્ત્વ પણ અચિવ્યાવૃત્તિરૂપ જ પ્રાપ્ત થાય અને તે રીતે મોક્ષમાં જેમ પ્રયત્ન ધર્મ નથી તેમ ચિત્સામાન્ય પણ નથી તેમ માનવાની આપત્તિ આવે માટે “સચ્ચિદાનંદરૂપ બ્રહ્મ છે' ઇત્યાદિ શ્રુતિની સંગતિ કરવી હોય તો નિધર્મક આત્માનું કૂટસ્થપણું માનવું યુક્ત નથી પરંતુ આત્માથી ઇતરમાં અવૃત્તિ એવા સ્વાભાવિક જ્ઞાન-દર્શનના ઉપયોગવત્ત્વપણાથી કૂટસ્થપણું માનવું યુક્ત છે.
Page #133
--------------------------------------------------------------------------
________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૫૫ની ઉપા. મ.સા.ની ટિપ્પણી
વળી તત્ત્વાર્થસૂત્રમાં પુદ્ગલોના ગુણોનું વર્ણન કરેલ છે તે સ્થળમાં ‘સત્'નું લક્ષણ કરતાં કહ્યું છે કે ‘ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય યુક્ત જે હોય તે સત્ છે' અને આ સત્નું લક્ષણ માત્ર પુદ્ગલમાં કે અચેતન દ્રવ્યોમાં નહીં પરંતુ સર્વ દ્રવ્યોમાં ગ્રહણ કરવામાં આવે તો મુક્ત આત્મા પણ સત્ છે. માટે મુક્ત આત્માને માત્ર ધ્રુવ સ્વીકારી શકાય નહીં પરંતુ મુક્ત આત્માને જેમ ધ્રુવ સ્વીકારીએ તેમ મુક્ત આત્મામાં ઉત્પાદ અને વ્યય પણ સ્વીકારવો પડે તો તે સત્ દ્રવ્ય છે તેમ કહી શકાય અને તેમ સ્વીકારીએ તો સંસારી જીવો સ્વવિભાવપર્યાયથી ઉત્પાદ અને વ્યયવાળા છે અને મુક્તજીવો સ્વસ્વભાવપર્યાયથી ઉત્પાદ અને વ્યયવાળા છે અને આત્મારૂપે ધ્રુવ છે તેમ સંગત થાય અને તેમ સ્વીકરીએ તો બંધ-મોક્ષ આદિની વ્યવસ્થાનું પણ અવિરોધથી ઉપપાદન થાય છે=સંગત થાય છે; કેમ કે ધ્રુવ એવો આત્મા સંસારઅવસ્થામાં પોતાના વિભાવપર્યાયથી ઉત્પાદ-વ્યયવાળો હતો અને સાધના દ્વારા તે પોતાનો વિભાવપર્યાય દૂર કરે છે, તેથી હવે મુક્ત અવસ્થામાં તે આત્મા પોતાના સ્વભાવપર્યાયથી ઉત્પાદ-વ્યયવાળો છે તેમ સંગત થાય અને તેમ સ્વીકારીએ તો આત્મા મુક્તઅવસ્થામાં પૂર્ણ જ્ઞાન અને સુખવાળો છે અને જ્ઞેયના બોધના પરાવર્તનથી મુક્તઅવસ્થામાં ચિત્સામાન્યના વિવર્તો વર્તે છે, તેમ સ્વીકારવામાં કોઈ વિરોધ થાય નહિ. આ પ્રકારનું જિનેશ્વરદેવના પ્રવચનના અમૃતનું પાન કરીને સુંદર હૃદયવાળા જીવો અર્થાત્ સુંદર બોધવાળા જીવો “ઉપરિત ભોગાભાવ મોક્ષ છે’’
ઇત્યાદિ મિથ્યાદષ્ટિના વચનથી વાસનાના વિષને વમન કરો.
૧૦૪
આશય એ છે કે પાતંજલમતાનુસાર આત્મા કૂટસ્થ નિત્ય છે, તોપણ પ્રકૃતિમાંથી બુદ્ધિ ઉત્પન્ન થઈ છે અને તે બુદ્ધિમાં આત્માનું પ્રતિબિંબ પડે છે, આત્માના પ્રતિબિંબવાળી પ્રકૃતિ જે ભોગો કરે છે તે પુરુષ ભોગ કરે છે તેમ ઉપચારથી કહેવાય છે. જેમ યોદ્ધાઓ યુદ્ધ કરે છે અને તેમાં જય પ્રાપ્ત કરે ત્યારે રાજા જીત્યો એમ ઉપચારથી કહેવાય છે. વસ્તુતઃ રાજા યુદ્ધ કરવા ગયો ન હોવાથી તે જીત્યો તેમ કહી શકાય નહીં એ રીતે પુરુષ કૂટસ્થ નિત્ય હોવાથી ભોગ કરતો નથી, પરંતુ પુરુષના પ્રતિબિંબવાળી પ્રકૃતિ ભોગ કરે છે તેનો ઉપચાર પુરુષમાં કરવામાં આવે છે અને જયારે યોગી સાધના કરે છે ત્યારે પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલી બુદ્ધિ અને તે બુદ્ધિમાંથી ઉત્પન્ન થયેલો ભવપ્રપંચ તે સર્વ પ્રતિલોમથી પ્રકૃતિમાં વિલય પામે છે ત્યારે તે બુદ્ધિ પ્રકૃતિમાં વિલય પામેલી હોવાથી તે બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ પડતું નથી માટે પૂર્વમાં તે પુરુષનો ઉપરત ભોગ હતો તેનો અભાવ પ્રાપ્ત થાય છે તે મોક્ષ છે, એ પ્રમાણે જે પાતંજલદર્શનકાર કહે છે તે મિથ્યાદષ્ટિનું વચન છે અને તે મિથ્યાદષ્ટિના વચનથી ભાવિત થઈને એ પ્રકારની વાસના જેઓમાં વિદ્યમાન છે તે વાસનારૂપી વિષને વિચારક બુદ્ધિમાન પુરુષો પ્રસ્તુતમાં પૂજ્ય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે જે ‘સ્પષ્ટતા કરી તેના દ્વારા વમન કરો.
વળી આ વિષ અનાદિકાળથી જીવે પીધું છે તેમ કહ્યું, તેનાથી એ પ્રાપ્ત થાય છે કે અનાદિકાળથી જીવ તત્ત્વના વિષયમાં વિપરીત બોધવાળો છે અને તત્ત્વના વિષયમાં વિપરીત બોધ વિષતુલ્ય છે
Page #134
--------------------------------------------------------------------------
________________
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૫૫ની ઉપા. મ.સા.ની ટિપ્પણી | ઉપસંહાર ૧૦૫ અને તત્ત્વના વિષયમાં વિપરીત બોધરૂપ જેમ સંસારની અન્ય માન્યતાઓ છે તેમ આત્માને કૂટસ્થ નિત્ય માનવાની માન્યતા પણ છે, આથી અનાદિકાળથી પાન કરેલા વિષતુલ્ય તે માન્યતા છે, પૂજય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજના યુક્તિયુક્ત વચન દ્વારા યોગ્ય જીવો તે વિષનો ત્યાગ કરીને જિનવચનની વાસનાના પરમાર્થને પ્રાપ્ત કરે એ પ્રમાણે તેઓ અભિલાષ કરે છે આ વિષયમાં અધિક સ્યાદ્વાદકલ્પલતા આદિ ગ્રંથોમાં વિવેચન છે. | વિભૂતિપાદના ઉપસંહારને કરતાં રાજમાર્તડવૃત્તિકાર કહે છે – ટીકા :
तदेवमन्तरङ्गं योगाङ्गत्रयमभिधाय तस्य च संयमसञ्ज्ञां कृत्वा संयमस्य च विषयप्रदर्शनार्थं परिणामत्रयमुपपाद्य संयमबलोत्पद्यमानाः पूर्वान्तपरान्तमध्यभवाः सिद्धीरुपदर्श्य समाध्याश्वासोत्पत्तये बाह्या भुवनज्ञानादिरूपा आभ्यन्तराश्च कायव्यूहज्ञानादिरूपाः प्रदर्श्य समाध्युपयोगायेन्द्रियप्राणजयादिपूर्विकाः परमपुरुषार्थसिद्धये यथाक्रममवस्थासहितभूतजयेन्द्रियजयसत्त्वजयोद्भवाश्च व्याख्याय विवेकज्ञानोत्पत्तये तांस्तानुपायानुपन्यस्य तारकस्य सर्वसमाध्यवस्थापर्यन्तभवस्य स्वरूपमभिधाय तत्समापत्तेः कृताधिकारस्य चित्तसत्त्वस्य स्वकारणेऽनुप्रवेशात्कैवल्यमुत्पद्यत इत्यभिहितमिति निर्णीतो विभूतिपादस्तृतीयः ॥ ટીકાર્ય :
તદેવમ્ ..... તૃતીય: I આ રીતે અંતરંગ યોગાંગ ત્રણને કહીનેઅંતરંગ રીતે પ્રવર્તતા ધારણા, ધ્યાન અને સમાધિરૂપ યોગના ત્રણ અંગને કહીને, અને તેનીeત્રણ યોગના અંગની, સંયમસંજ્ઞા કરીને. અને સંયમના વિષયને બતાવવા માટે ત્રણ પરિણામને ક્વીને નિરોધ, સમાધિ અને એકાગ્રતારૂપ ત્રણ પરિણામોનું ઉપપાદન કરીને, સંયમના બળથી ઉત્પન્ન થતી પૂર્વાન્તભવ, અપરાન્તભવ અને મધ્યભવ એવી સિદ્ધિઓની બતાવીને, સમાધિના આશ્વાસનની ઉત્પત્તિ માટે સમાધિ અર્થે ઉત્સાહિત કરવા માટે, ભુવનજ્ઞાનાદિરૂપ બાહ્ય અને કયલૂંજ્ઞાનાદિરૂપ અત્યંતર સિદ્ધિઓને બતાવીને, સમાધિમાં ઉપયોગ માટે ઇન્દ્રિય અને પ્રાણાયાદિપૂર્વની અને પરમ પુરુષાર્થની સિદ્ધિ માટે મોક્ષરૂપ પરમ પુરુષાર્થની સિદ્ધિ માટે, યથાક્રમ અવસ્થા સહિત ભૂતય, ઇન્દ્રિયજય અને સત્ત્વયથી ઉદ્ભવ થયેલી એવી સિદ્ધિઓનું વ્યાખ્યાન કરીને વિવેજ્ઞાનની ઉત્પત્તિ માટે તે તે ઉપાયોનો ઉપન્યાસ કરીને સર્વસમાધિની અવસ્થાના પર્યતમાં થનારા એવા તારશ્ના સ્વરૂપને કહીને તેની સમાપત્તિથીeતારકજ્ઞાનની પ્રાપ્તિથી કૃત અધિકારવાળા ચિત્તસત્ત્વનો સ્વકારણમાં અનુપ્રવેશ થવાને કારણે=સર્વ અધિકારો પૂર્ણ થયા છે એવા ચિત્સત્ત્વનું સ્વકારણરૂપ પ્રકૃતિમાં અનુપ્રવેશ થવાને કારણે, કેવલ્ય કેવલપણું ઉત્પન્ન થાય છે અર્થાત્ પુરુષને કૈવલ્યની પ્રાપ્તિ થાય છે એ પ્રમાણે કહેવાયું. એ રીતે ત્રીજો વિભૂતિપાદ નિર્ણય કરાયો.
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૦૬ પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-પપની ઉપા. મ.સા.ની ટિપ્પણી | ઉપસંહાર ભાવાર્થ: તૃતીય વિભૂતિપાદનો ઉપસંહાર : આ ધારણા, ધ્યાન અને સમાધિરૂપ અંતરંગ ત્રણ યોગના અંગો.
ધારણા, ધ્યાન અને સમાધિરૂપ અંતરંગ ત્રણ યોગાંગોની સંયમ સંજ્ઞા. સંયમના વિષયને પ્રતિપાદન કરવા માટે નિરોધપરિણામ, સમાધિપરિણામ અને એકાગ્રતા
પરિણામરૂપ ત્રણ પરિણામોનું ઉપપાદન. આ સંયમના બળથી ઉત્પન્ન થતી પૂર્વાન્તભવ, અપરાન્તભવ અને મધ્યભવ સિદ્ધિઓનું પ્રતિપાદન. આ સમાધિના આશ્વાસની ઉત્પત્તિ માટે ભુવનજ્ઞાનાદિરૂપ બાહ્યસિદ્ધિઓ અને કાયવ્હાદિરૂપ
અત્યંતરસિદ્ધિઓનું કથન. આ સમાધિમાં ઉપયોગ માટે ઇન્દ્રિયજય અને પ્રાણજયાદિપૂર્વક અને પરમપુરુષાર્થની સિદ્ધિ માટે
યથાક્રમ અવસ્થાસહિત ભૂતજય, ઇન્દ્રિયજય અને સત્ત્વજયથી ઉદ્ભવ થયેલી એવી સિદ્ધિઓનું વ્યાખ્યાન. વિવેકજ્ઞાનની ઉત્પત્તિ માટે તે તે ઉપાયોનો ઉપવાસ કરીને સર્વસમાધિની અવસ્થાના પર્યતે થનારા તારકજ્ઞાનના સ્વરૂપનું કથન. તારકજ્ઞાનની પ્રાપ્તિથી કૃતઅધિકારવાળો ચિત્તસર્વસ્વકારણમાં અનુપ્રવેશ થવાને કારણે=પ્રકૃતિમાં | વિલય થવાને કારણે, પુરુષને કૈવલ્યની પ્રાપ્તિ.
इति श्रीभोजदेवविरचितायां राजमार्तण्डभिधायां पातञ्जलवृत्तौ
विभूतिपादस्तृतीयः ॥
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૦૦
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કેવલ્યપાદ | સૂત્ર-૧
चतुर्थः कैवल्यपादः ॥
તૃતીય વિભૂતિપાદ સાથે ચતુર્થ કૈવલ્યપાદન યોજન: ટીકા :
यदाज्ञयैव कैवल्यं विनोपायैः प्रजायते ।
तमेकमजमीशानं चिदानन्दमयं स्तुमः ॥१॥ ટીકાર્થ:
યાજ્ઞવ.... તુમ ! જેમની આજ્ઞાથી જ ઉપાય વગર કેવલ્ય ઉત્પન્ન થાય છે. તે એક, અજન્મા, ચિદાનંદમય ઈશ્વરની અમે સ્તુતિ કરીએ છીએ. ll૧|| ટીકા :
इदानीं विप्रतिपत्तिसमुत्थभ्रान्तिनिराकरणेन युक्त्या कैवल्यस्वरूपज्ञानाय कैवल्यपादोऽयमारभ्यते । ટીકાર્થ :
રૂહાની.... કારખ્યાત હવે વિપ્રત્તિપત્તિથી ઉત્પન્ન થયેલ ભ્રાંતિના નિરાકરણ દ્વારા પુરુષ પ્રકૃતિથી પૃથગૂ થાય છે કે નથી થતો ? એ રૂપ વિપરીત સ્વીકારથી ઉત્પન્ન થયેલ ભ્રાંતિના નિરાકરણ દ્વારા, યુક્તિથી કૈવલ્યના સ્વરૂપના જ્ઞાન માટે આ કૈવલ્યપાદ આરંભ કરાય છે. અવતરણિકા: ___ तत्र याः पूर्वमुक्ताः सिद्धयस्तासां नानाविधजन्मादिकारणप्रतिपादनद्वारेणैव बोधयति, यदि वा या एताः सिद्धयस्ताः सर्वाः पूर्वजन्माभ्यस्तसमाधिबलाज्जन्मादिनिमित्तमात्रत्वेनाऽऽश्रित्य प्रवर्तन्ते, ततश्चानेकभवसाध्यस्य समाधेर्न क्षतिरस्तीत्याश्वासोत्पादनाय समाधिसिद्धेश्च प्राधान्यख्यापनार्थं कैवल्यप्रयोगार्थे चाऽऽह - અવતરણિતાર્થ :
ત્યાં કૈવલ્યપાદમાં, જે પૂર્વમાં કહેવાયેલી સિદ્ધિઓ તેઓના નાનાવિધજન્માદિકારણના પ્રતિપાદન દ્વારા સિદ્ધિઓના જુદા જુદા ન્માદિ કરણના પ્રતિપાદન દ્વારા જ, બોધ કરાવે છે, અથવા જે આ સિદ્ધિઓ છે તે સર્વ પૂર્વજન્મમાં અભ્યાસ કરેલ સમાધિના બળથી ન્માદિના નિમિત્તમાત્રપણાથી આશ્રય કરીને પ્રવર્તે છે, તેથી અનેક ભવસાધ્ય એવી સમાધિની ક્ષતિ નથી, એ પ્રકારના આશ્વાસનના ઉત્પાદન માટે અર્થાત્ એ પ્રકારે આશ્વાસન ઉત્પન્ન કરાવવા માટે, સમાધિની સિદ્ધિની પ્રધાનતા પાપન કરવા માટે જણાવવા માટે, અને કેવલ્યના પ્રયોગ માટે કહે છે –
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૦૮
સૂત્રઃ
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૧
નૌષધિમન્ત્રતપ:સમાધિના: સિદ્ધય: શા૪-શા
સૂત્રાર્થ :
જન્મ, ઔષધિ, મંત્ર, તપ અને સમાધિથી થનારી સિદ્ધિઓ છે. II૪-૧||
ટીકા ઃ
‘जन्मैविति’-काश्चन जन्मनिमित्ता एव सिद्धयः, यथा पक्ष्यादीनामाकाशगमनादय, यथा वा कपिलमहर्षिप्रभृतीनां जन्मसमनन्तरमेवोपजायमाना ज्ञानादयः सांसिद्धिका गुणाः, औषधिसिद्धयो यथा पारदादिरसायनाद्युपयोगात्, मन्त्रसिद्धिर्यथा मन्त्रजपात् केषां - चिदाकाशगमनादि, तपः सिद्धिर्यथाविश्वामित्रादीनाम्, समाधिसिद्धिः प्राक् प्रतिपादिता, एताः सिद्धयः पूर्वजन्मक्षपितक्लेशानामेवोपजायन्ते तस्मात् समाधिसिद्धाविवान्यासां सिद्धीनां समाधिरेव जन्मान्तराभ्यस्तः कारणं, मन्त्रादीनि निमित्तमात्राणि ॥४- १॥
ટીકાર્ય :
काश्चन નિમિત્તમાત્રા ।। કેટલીક જન્મનિમિત્ત જ સિદ્ધિઓ છે. જે પ્રમાણે - પક્ષી વગેરેમાં આકાશગમનાદિ, અથવા કપિલમહર્ષિ વગેરેને જન્મતાની સાથે જ ઉત્પન્ન થયેલા જ્ઞાનાદિ સાંસિદ્ધિ સ્વાભાવિક ગુણો, જ્મનિમિત્ત જ સિદ્ધિઓ છે એ પ્રમાણે અન્વય છે.
ઔષધિસિદ્ધિઓ-જે પ્રમાણે - પારદ વગેરે રસાયનાદિ ઉપયોગથી થાય છે તે ઔષધિસિદ્ધિ છે. મંત્રસિદ્ધિ-જે પ્રમાણે - મંત્રના જપથી કેટલાક્ને આકાશગમનાદિ થાય છે તે મંત્રસિદ્ધિ છે. તપસિદ્ધિ-જે પ્રમાણે - વિશ્વામિત્ર વગેરેને થયેલ તે તપસિદ્ધિ છે.
સમાધિસિદ્ધિ - પૂર્વમાં પ્રતિપાદન કરાયેલ સમાધિસિદ્ધિ છે.
આ સિદ્ધિઓજન્મ, ઔષધિ આદિથી થનારી આ સિદ્ધિઓ, પૂર્વ જન્મમાં ક્ષપિત=ક્ષય કરેલા, ક્લેશવાળા જ જીવોને થાય છે. તે કારણથી સમાધિની સિદ્ધિમાં જેમ જ્ન્માંતરમાં અભ્યસ્ત=અભ્યાસ કરેલ, સમાધિ જ કારણ છે તેમ અન્ય સિદ્ધિઓનું=જન્મ, ઔષધિ આદિથી થનારી સિદ્ધિઓનું, કારણ જન્માંતરમાં અભ્યસ્ત સમાધિ જ છે.
અહીં પ્રશ્ન થાય કે જો સર્વ સિદ્ધિ પ્રત્યે જન્માંતરમાં અભ્યસ્ત સમાધિ જ કારણ છે તો મંત્રાદિથી સિદ્ધિ થાય છે તેમ કેમ કહ્યું ? તેથી કહે છે -
મંત્રાદિ નિમિત્તમાત્ર છે. II૪-૧II
ભાવાર્થ :
ત્રીજા સમાધિપાદમાં યોગના સેવનથી યોગીઓને અનેક પ્રકારની સિદ્ધિઓ થાય છે તેમ બતાવ્યું.
Page #138
--------------------------------------------------------------------------
________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૧
૧૦૯
હવે આ સર્વ સિદ્ધિઓ પૂર્વજન્મમાં અભ્યસ્ત સમાધિના બળથી કેટલાક જીવોને જન્માદિ નિમિત્ત માત્રથી થાય છે તેમ બતાવે છે. તેથી એ ફલિત થાય છે કે, જેમને જન્માદિ નિમિત્ત સિદ્ધિઓ થાય છે તે પણ પૂર્વભવના સમાધિના અભ્યાસથી થાય છે માટે સમાધિનો અભ્યાસ જ બળવાન છે, અને સમાધિથી થનારી સિદ્ધિઓ જ પ્રધાન છે. સમાધિથી થનારી સિદ્ધિઓના બળથી યોગીઓ સર્વકર્મરહિત કૈવલ્યને પ્રાપ્ત કરે છે તે બતાવવા માટે પ્રસ્તુત સૂત્રમાં સમાધિથી અતિરિક્ત અન્ય પણ નિમિત્તથી સિદ્ધિઓ થાય છે તે બતાવે છે.
જન્મ, ઔષધિ, મંત્ર, તપ અને સમાધિથી ઉત્પન્ન થયેલી સિદ્ધિઓ :
જન્મસિદ્ધિ : કેટલીક સિદ્ધિઓ જન્મનિમિત્તક છે જેમ પક્ષીઓને આકાશગમનાદિ સિદ્ધિઓ છે. આ પ્રકારની સિદ્ધિમાં જન્માંતર સમાધિ કારણ નથી તોપણ સિદ્ધિશબ્દથી ઉલ્લેખ કરેલ છે, તેથી બતાવે છે
મુખ્ય તો જન્મનિમિત્તે જે સિદ્ધિ થાય છે તેમાં પૂર્વજન્મનો સમાધિનો અભ્યાસ જ કારણ છે. જેમ-કપિલમહર્ષિ વગેરેને જન્મતાની સાથે જ જ્ઞાનાદિ સાંસિદ્ધિક ગુણો પ્રગટેલા જે પૂર્વભવના સમાધિના અભ્યાસથી અને જન્મના નિમિત્તમાત્રથી પ્રાપ્ત થયેલ સિદ્ધિઓ છે.
ઔષધિસિદ્ધિ : કેટલીક સિદ્ધિઓ ઔષધિના સેવનથી થાય છે. જેમ પારદ=પારો વગેરે રસાયણના ઉપયોગથી અનેક સિદ્ધિઓ થાય છે. પારદાદિ રસાયણના ઉપયોગથી અનેક સિદ્ધિઓ થાય છે ત્યાં પણ તે ઔષધિ નિમિત્તમાત્ર છે, પરંતુ જન્માંતરમાં સેવન કરેલ સમાધિ જ તે સિદ્ધિમાં પ્રધાન કારણ છે. આથી જ બ્રાહ્મી આદિ ઔષધિના સેવનથી વિશિષ્ટ જ્ઞાનાદિ થાય છે ત્યાં પણ યોગમાર્ગને અનુકૂળ એવા વિશિષ્ટ જ્ઞાનાદિ જન્માંત૨માં સમાધિના અભ્યાસથી થાય છે.
મંત્રસિદ્ધિ : કેટલાક જીવોને મંત્ર જપથી આકાશગમનાદિ સિદ્ધિ થાય છે, ત્યાં પણ મંત્રનો જપ નિમિત્ત કારણ છે. મુખ્યપણે જન્માંત૨માં સેવેલ સમાધિ જ તેમાં કારણ છે.
તપસિદ્ધિ : કેટલાક જીવોને તપથી સિદ્ધિ થાય છે. જેમ વિશ્વામિત્ર વગેરેને તપ કરવાથી અનેક સિદ્ધિઓ પ્રગટ થયેલી આ તપસિદ્ધિમાં પણ તપ નિમિત્ત કારણ છે. મુખ્યપણે જન્માંતરમાં સેવેલ સમાધિ જ કારણ છે.
સમાધિસિદ્ધિ : સમાધિથી થનારી સિદ્ધિઓ ત્રીજા સમાધિ પાદમાં બતાવેલી છે.
સર્વ સિદ્ધિ પ્રત્યે જન્માંતરમાં અભ્યસ્ત સમાધિ મુખ્ય કારણ :
આ સર્વ પ્રસ્તુત સૂત્રમાં બતાવેલી જન્માદિથી થનારી સિદ્ધિઓ પૂર્વભવમાં યોગમાર્ગના સેવનથી ક્ષય થયેલા ક્લેશવાળા જ જીવોને થાય છે, તેથી જેમ સમાધિથી થનારી સિદ્ધિ જન્માંત૨માં અભ્યાસ કરેલ સમાધિથી થાય છે તેમ જન્મ, ઔષધિ, મંત્ર અને તપથી થનારી સિદ્ધિઓ પણ જન્માંતરમાં અભ્યાસ કરેલ સમાધિથી થાય છે. મંત્રાદિ કે જન્માદિ તે સિદ્ધિ પ્રાપ્ત થવામાં નિમિત્તમાત્ર બને છે. ||૪-૧||
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૧૦
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૨ અવતરણિકા :
ननु नन्दीश्वरादिकानां जात्यादिपरिणामोऽस्मिन्नेव जन्मनि दृश्यते तत् कथं जन्मान्तराभ्यस्तस्य समाधेः कारणत्वमुच्यत इत्याशङ्कयाऽऽह - અવતરણિતાર્થ :
નંદીશ્વરાદિને જાત્યાદિ પરિણામ આ જ જન્મમાં દેખાય છે, તેથી જન્માંતરમાં અભ્યસ્ત સમાધિનું કારણપણે અર્થાત્ જન્માંતરમાં અભ્યાસ કરેલ સમાધિ સિદ્ધિઓમાં કારણ છે, એ પ્રમાણે કેવી રીતે કહેવાય ? એ પ્રકારની આશંકા કરીને કહે છે – સૂત્ર :
जात्यन्तरपरिणामः प्रकृत्यापूरात् ॥४-२॥ સૂત્રાર્થ :
જાત્યંતરનો પરિણામ=નંદીશ્વરાદિને એક ભવમાં અન્ય ભવની જાતિનો પરિણામ, પ્રકૃતિના આપૂરણથી થાય છે. ll૪-ચા ટીકા :
'जात्येति'-योऽयमिहैव जन्मनि नन्दीश्वरादीनां जात्यादिपरिणामः स प्रकृत्यापूरात्, पाश्चात्त्या एव हि प्रकृतयोऽमुष्मिञ्जन्मनि विकारानापूरयन्ति जात्यन्तराकारेण परिणामयन्ति I8-રા. ટીકાર્ય :
યોગ્યમ્ .પરિપત્તિ છે જે આ આજ જન્મમાં નંદીશ્વરાદિને જાતિ આદિનો પરિણામ થાય છે તે પ્રકૃતિના આપૂરણથી થયેલ પૂર્વમાં બંધાયેલી પ્રકૃતિના પ્રતિબંધક એવા અન્ય પ્રકૃતિના દૂર થવાથી પૂર્વની બંધાયેલી પ્રકૃતિના આપૂરણથી થયેલ છે.
પ્રકૃતિના આપૂરણનો અર્થ સ્પષ્ટ કરે છે –
પાશ્ચાત્ય જ પ્રકૃતિઓ આ જન્મમાં વિકારોને આપૂરણ કરે છે=જાત્યાંતર આકારથી પરિણમન પમાડે છે. I૪-રા. ભાવાર્થ : પ્રકૃતિના આપૂરણથી નંદીશ્વરાદિને જાત્યંતર પરિણામની પ્રાપ્તિ :
પાતંજલયોગસૂત્ર ૪-૧માં કહ્યું કે જન્મ, ઔષધિ આદિથી જે સિદ્ધિઓ થાય છે તે પણ જન્માંતરમાં અભ્યાસ કરેલ સમાધિને કારણે થાય છે, પરંતુ પૂર્વ જન્મમાં જેમણે સમાધિનો અભ્યાસ કર્યો નથી તેમને સિદ્ધિઓ પ્રાપ્ત થતી નથી.
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૧૧
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૨-૩
અહીં શંકા થાય કે નંદીશ્વરાદિએ ઈશ્વરની આરાધના કરી તેનાથી આ ભવમાં જ જાત્યાદિ પરિણામ પ્રાપ્ત થયો અર્થાત્ જે પોતાની મનુષ્યજાતિ વગેરે પ્રાપ્ત થયેલા તેના સ્થાને દેવભવ જેવા રૂપાદિની પ્રાપ્તિ થાય તેવી જાતિની પ્રાપ્તિ થઈ. તેમ કોઈએ પૂર્વભવમાં સમાધિનો અભ્યાસ કર્યો ન હોય છતાં આ ભવના સમાધિના યત્નથી સિદ્ધિઓ થઈ શકે તેમ માનવું જોઈએ. તેના નિરાકરણ માટે કહે છે –
નંદીશ્વરાદિને ઈશ્વરની આરાધનાથી આ ભવમાં જાતિ આદિના પરિણામ થયો તે પ્રકૃતિના આપૂરણથી થયો છે અર્થાત્ નંદીશ્વરને પૂર્વભવમાં દેવભવના ભોગો પ્રાપ્ત કરાવે તેવી પ્રકૃતિ બંધાયેલી પરંતુ વચ્ચમાં મનુષ્યભવને ઉચિત એવી સામાન્યજાતિ આદિ પ્રાપ્ત કરાવે તેવું કર્મ વિપાકમાં આવ્યું, તેથી દેવભવના ભોગોને આપે તેવી પ્રકૃતિ નંદીશ્વરને વર્તમાનમાં પ્રાપ્ત થઈ નહીં પરંતુ ઈશ્વરની ભક્તિથી તે દેવભવને યોગ્ય જાતિ આદિ વિપાકને પામે તેમાં પ્રતિબંધક એવી મનુષ્યભવને અનુરૂપ જાતિ વગેરે છે તે ઈશ્વરની ભક્તિથી દૂર થાય છે, તેથી પૂર્વની બંધાયેલી દેવભવને અનુરૂપ જાતિ આદિ આ જન્મમાં વિકારને આપૂરણ કરે છે અર્થાત્ પોતાના ફળને આપે છે=જાત્યંતર આકારરૂપે પરિણમન પામે છે અર્થાત્ મનુષ્યભવને અનુરૂપ જાતિ આદિ ખસી જવાથી દેવભવને અનુરૂપ જાતિ આદિ ફળ આપવાને અનુરૂપ પરિણમન પામે છે.
આનાથી એ ફલિત થાય છે કે, પૂર્વભવમાં જો દેવભવને અનુરૂપ જાતિ નંદીશ્વરાદિએ ન બાંધેલી હોય તો ઈશ્વરની ભક્તિથી પણ તે વિપાકમાં આવી શકે નહિ. તેમ જેઓએ પૂર્વભવમાં સમાધિ અભ્યસ્ત કરી ન હોય તેઓને જન્માદિથી પણ સિદ્ધિઓની પ્રાપ્તિ થઈ શકે નહિ, પરંતુ પૂર્વભવમાં અભ્યસ્ત સમાધિવાળા યોગીઓ આ ભવમાં જન્મથી, ઔષધિથી, મંત્રથી, તપથી કે સમાધિથી સિદ્ધિઓ પ્રાપ્ત કરી શકે છે. II૪-રો અવતરણિકા: __ननु धर्माधर्मादयस्तत्र क्रियमाणा उपलभ्यन्ते तत्कथं प्रकृतीनामापूरकत्वमित्याह - અવતરણિકાર્ય :
ત્યાં આ એક જ જન્મમાં જાત્યાદિનો પરિણામાંતર થાય છે ત્યાં, કરાતાં એવા ધર્મ-અધર્મ વગેરે દેખાય છે, તેથી પ્રકૃતિનું આપૂરકપણે કેવી રીતે થાય? એથી કહે છે – ભાવાર્થ :
પાતંજલયોગસૂત્ર ૪-૨માં સ્થાપન કર્યું કે, નંદીશ્વરાદિને ઈશ્વરની ભક્તિથી પાશ્ચાત્ય પછીની પ્રકૃતિનું પૂરણ થવાથી વિપાક પ્રાપ્ત થાય છે, તેથી નંદીશ્વરાદિને ઈશ્વરની ભક્તિથી જે દેવભવ જેવી જાતિ આદિ આ ભવમાં પ્રાપ્ત થઈ તે પ્રકૃતિના આપૂરણથી થયેલી છે. ત્યાં શંકા કરતાં કહે છે કે, તેવા સ્થાનમાં જીવો ઈશ્વરની ભક્તિરૂપ ધર્મ કરનારા દેખાય છે, કોઈક જીવો પાપકૃત્યો કરનારા દેખાય છે. તે ધર્મકૃત્ય અને પાપકૃત્યના ફળરૂપે તેઓને તે ભવમાં સારી જાતિ કે ખરાબ જાતિ આદિનો
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૧૨
પાતંજલયોગસૂત્ર ભાગ-૨
કૈવલ્યપાદ | સૂત્ર-૩
પરિણામ પ્રાપ્ત થયો તેમ કહી શકાય, પરંતુ પૂર્વમાં બંધાયેલી સારી જાતિનું પ્રતિબંધક એવી આ ભવની ખરાબ જાતિ આદિ દૂર થવાથી સારી જાતિની પ્રકૃતિઓનું કે પૂર્વમાં બંધાયેલી ખરાબ જાતિનું પ્રતિબંધક એવી સારી જાતિ આદિ દૂર થવાથી ખરાબ જાતિની પ્રકૃતિઓનું આપૂરણ થાય છે તેમ કઈ રીતે કહી શકાય ? તેથી કહે છે .
=
સૂત્ર :
निमित्तमप्रयोजकं प्रकृतीनां वरणभेदस्तु ततः क्षेत्रिकवत् ॥४-३॥
સૂત્રાર્થ :
નિમિત્ત=ધર્માદિ, તે પ્રકૃતિના તે તે પ્રકૃતિના અર્થાતર પરિણામમાં, અપ્રયોજક છે. વળી તેનાથી=ધર્માદિ નિમિત્તથી, ક્ષેત્રિકથી જેમ વરણભેદ છે. II૪-૩||
ટીકા :
'निमित्तमिति' - निमित्तं=धर्मादि तत्प्रकृतीनामर्थान्तरपरिणामे न प्रयोजकम्, न हि कार्येण कारणं प्रवर्तते, कुत्र तर्हि तस्य धर्मादेर्व्यापार इत्याह- वरणभेदस्तु ततः क्षेत्रिकवत् । ततस्तस्मादनुष्ठीयमानाद्धर्माद्वरणमावारकमधर्मादि तस्यैव विरोधित्वाद्भेदः क्षयः क्रियते, तस्मिन् प्रतिबन्धके क्षीणे प्रकृतयः स्वयमभिमतकार्याय प्रभवन्ति । दृष्टान्तमाह- क्षेत्रिकवत्, यथा क्षेत्रिक: कृषीवलः केदारात् केदारान्तरं जलं निनीषुर्जलप्रतिबन्धकवरणभेदमात्रं करोति, तस्मिन् भिन्ने जलं स्वयमेव प्रसरद्रूपं परिणामं गृह्णाति न तु जलप्रसरणे तस्य कश्चित् प्रयत्न एवं धर्मादेर्बोद्धव्यम् ॥४-३ ॥
ટીકાર્ય :
निमित्तं પ્રયોજ્ઞમ્ । નિમિત્ત-ધર્માદિ, તે પ્રકૃતિના અર્થાતરના પરિણામમાં અર્થાત્ પૂર્વમાં બંધાયેલ મનુષ્યાદિભવની પ્રકૃતિના દેવભવયોગ્ય ફળ આપવા રૂપ અર્થાતર પરિણામમાં પ્રયોજક નથી.
*****
નિમિત્ત એવા ધર્માદિ મનુષ્યાદિ ભવની પ્રકૃતિનાં દેવાદિભવરૂપ અર્થાતરના પરિણામમાં કેમ પ્રયોજક નથી. તે સ્પષ્ટ કરતાં કહે છે
―
न हि પ્રવર્તતે, કાર્યથી=પૂર્વભવમાં બંધાયેલા કર્મના કાર્યરૂપ ધર્માદિથી, કારણ પ્રવર્તતું નથી=મનુષ્યાદિ ભવને અનુરૂપ પ્રકૃતિ અર્થાંતર પરિણામ પામે એ રીતે કારણ પ્રવર્તતું નથી, માટે ધર્માદિ તે પ્રકૃતિનાં અર્થાતર પરિણામમાં પ્રયોજક નથી એમ અન્વય છે.
*****
*****
कुत्र • કૃત્યારૢ -- તો તે ધર્માદિનો શેમાં વ્યાપાર છે ? અર્થાત્ નંદીશ્વરાદિએ કરેલા ધર્માદિનો વ્યાપાર તે પ્રકૃતિના અર્થાતરપરિણામમાં નથી તો તે ધર્માદિનો વ્યાપાર શેમાં છે ? તેથી હે છે –
Page #142
--------------------------------------------------------------------------
________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૩
વરમેવસ્તુ ... ક્ષેત્રિવત્, તેનાથી=નંદીશ્વરાદિ વડે, સેવાયેલા ધર્માદિથી ક્ષેત્રિની જેમ-ખેડૂતની જેમ, વરણભેદ છે.
કઈ રીતે તે ધર્માદિથી વરણભેદ છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે
૧૧૩
*****
તત: . પ્રમત્તિ, તેનાથી=સેવાતાં એવા તે ધર્માદિથી, વરણનો-આવારક એવા અધર્માદિનો= જાત્યંતરના આવારક એવા અધર્માદિનો ભેદ-ક્ષય, કરાય છે; કેમ કે તેનું જ વિરોધીપણું છે અર્થાત્ અધર્માદિનું જ ધર્માદિની સાથે વિરોધીપણું છે. તે પ્રતિબંધક ક્ષીણ થયે છતે પ્રકૃતિઓ સ્વયં=પોતે, અભિમત કાર્ય કરવા માટે સમર્થ થાય છે.
દૃષ્ટાન્તમારૢ- દૃષ્ટાંતને ક્યે છે
ક્ષત્રિવ્યવસ્- ખેડૂતની જેમ.
દૃષ્ટાંત દાÊતિક ભાવ સ્પષ્ટ કરે છે
यथा વોદ્રવ્યમ્ । જે પ્રમાણે ક્ષેત્રિખેડૂત, કેદારથી અન્ય કેદારમાં લને લઈ જ્વાની ઇચ્છાવાળો લના પ્રતિબંધક એવા વરણભેદમાત્રને કરે છે-સિંચન કરાતું લ અન્ય કેદારમાં જ્વા માટે પ્રતિબંધક એવી માટીને દૂર કરે છે. તે ભેદાયે છતે-વરણનો ભેદ થયે છતે, જલ પોતે જ પ્રસરણરૂપવાળા=ફેલાવાના સ્વભાવવાળા, પરિણામને ગ્રહણ કરે છે, પરંતુ લના પ્રસરણમાં તેનો=ખેડૂતનો, કોઈ પ્રયત્ન નથી. એ પ્રમાણે ધર્માદિનું જાણવું અર્થાત્ એ પ્રમાણે ધર્માદિ જાત્યંતર પ્રકૃતિનું કાર્ય કરવા માટે સમર્થ નથી પરંતુ તદર્થે જે પ્રતિબંધક એવી જાતિનો વિપાક વર્તે છે તેનો ધર્માદિ ભેદ કરે છે, તેથી દેવાદિભવને યોગ્ય એવી જાતિનો વિપાક સ્વત: પ્રાદુર્ભાવ પામે છે. ||૪-૩||
ભાવાર્થ :
ધર્માદિનિમિત્ત પ્રકૃતિના અર્થાતરપરિણામમાં અપ્રયોજક, ધર્માદિનિમિત્તથી ક્ષેત્રિકની જેમ વરણભેદ : પાતંજલયોગસૂત્ર ૪-૨માં સ્થાપન કર્યું કે, નંદીશ્વરાદિ ઈશ્વરની આરાધનાથી જાત્યાદિપરિણામને પ્રાપ્ત કરે છે તે પ્રકૃતિના આપૂરણથી થાય છે, તેથી હવે પ્રકૃતિના આપૂરણથી જાત્યાદિપરિણામ કઈ રીતે થાય છે તે સ્પષ્ટ કરે છે.
નંદીશ્વરાદિએ ઈશ્વરની ભક્તિ આદિ કરીને ધર્માદિનું સેવન કર્યું તે પૂર્વભવમાં બંધાયેલ પ્રકૃતિના અર્થાતરપરિણામમાં પ્રયોજક નથી.
નંદીશ્વરાદિએ કરેલ ધર્માદિનું સેવન પ્રકૃતિના અર્થાત૨પરિણામમાં કેમ પ્રયોજક નથી ? તેમાં યુક્તિ આપે છે
કાર્યથી કારણ પ્રવર્તતું નથી, પરંતુ કારણથી કાર્ય થાય છે તેથી ધર્માદિનું સેવન તે પ્રકૃતિઓના અર્થાતરપરિણામમાં પ્રયોજક નથી.
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૧૪
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૩ આશય એ છે કે, પાતંજલમતાનુસાર પૂર્વમાં બંધાયેલું કર્મ ઉત્તરના ભાવમાં વિપાકમાં આવે છે અને તે પ્રમાણે તે જીવનો ઉત્તરનો ભવ થાય છે, તેથી પૂર્વભવમાં બંધાયેલા કર્મના કાર્યરૂપ ઉત્તરભવનું જીવન છે અને તે પ્રમાણે વિચારીએ તો નંદીશ્વરાદિએ ઈશ્વરની ભક્તિરૂપ ધર્માદિનું જે સેવન કર્યું, તે પણ પૂર્વભવની બંધાયેલી પ્રકૃતિનું કાર્ય છે, અને તેનાથી વર્તમાનની મનુષ્યભવની પ્રકૃતિ દેવભવરૂપે અર્થાતરપરિણામ પામે છે, તેમ સ્વીકારીએ તો પૂર્વભવના પ્રકૃતિના કાર્યરૂપ ધર્માદિથી પૂર્વભવમાં બંધાયેલી પ્રકૃતિરૂપ કારણ અન્ય પરિણામરૂપે પ્રવર્તે છે તેમ માનવું પડે.
વસ્તુતઃ કાર્યથી કારણ પ્રવર્તતનું નથી પરંતુ કારણથી કાર્ય થાય છે માટે પૂર્વભવના કર્મોના કૃત્યરૂપ વર્તમાનભવના નંદીશ્વરાદિના ધર્માદિકૃત્યો રૂપ કાર્યો મનુષ્યાદિ જાતિરૂપ પ્રકૃતિને દેવાદિજાતિરૂપ પ્રકૃતિરૂપે પરિણામ પમાડી શકે નહીં.
અહીં પ્રશ્ન થાય કે, તો પછી નંદીશ્વરાદિએ કરેલ ઈશ્વરની ભક્તિ આદિથી જે ધર્માદિ થયા તેનો વ્યાપાર ક્યાં છે? એથી કહે છે –
નંદીશ્વરાદિએ ઈશ્વરની ભક્તિરૂપ જે ધર્માનુષ્ઠાન કર્યું તે અનુષ્ઠાનથી વિશિષ્ટ જાતિ આદિની પ્રાપ્તિમાં આવારક એવા અધર્માદિરૂપ જે વરણ છે, તેનો ક્ષય થાય છે, એથી દેવભવની પ્રાપ્તિમાં આવરણરૂપ જે મનુષ્યભવની જાતિનું કારણ એવી પ્રકૃતિ, તેના ઈશ્વરની ભક્તિરૂપ અનુષ્ઠાનથી ક્ષય થવાને કારણે દેવાદિભવને અનુકૂળ એવી વિશિષ્ટ જાતિ આદિનો પરિણામ જે પૂર્વના જ ભવમાં બંધાયેલ છતાં મનુષ્યજાતિના કર્મને કારણે કાર્ય કરવા અપ્રવૃત્ત હતું તે પ્રગટ થાય છે.
આ કથનને દષ્ટાંતથી ભાવન કરે છે –
જેમ - ખેડૂત ખેતરમાં જુદા જુદા ક્યારામાં જલનું સિંચન કરવા અર્થે તેના આવાગમનના સ્થાને જલ નાંખે છે અને એક ક્યારામાં પ્રમાણોપેત જલ સિંચન કર્યા પછી બીજા ક્યારામાં જલ લઈ જવા માટે પૂર્વમાં બીજા ક્યારામાં જલ ન જાય તે માટે પ્રતિબંધક એવું માટીનું વરણ કરેલ તેનો ભેદ માત્ર કરે છે, તેથી તે પ્રતિબંધક વરણનો ભેદ થવા માત્રથી જલ સ્વયં પ્રસરણ પામતું અન્ય ક્યારામાં જાય છે, પરંતુ જલને અન્ય ક્યારામાં લઈ જવા માટે ખેડૂતને કોઈ પ્રયત્ન કરવો પડતો નથી. તેમ - નંદીશ્વરાદિએ ભગવદ્ભક્તિ આદિ દ્વારા વર્તમાનભવમાં જે હીન જાતિ આદિનો પરિણામ હતો, તેનો ઈશ્વરની ભક્તિ આદિરૂપ ધર્મથી ભેદ કર્યો, તેના કારણે દેવભવ જેવા સુખોને આપે તેવી જાતિ જે પૂર્વમાં બંધાયેલી તે સ્વતઃ વિપાકમાં આવે છે, પરંતુ ઈશ્વરભક્તિરૂપ ધર્મના સેવનથી તે દેવભવની જાતિયોગ્ય કર્મ બંધાતું નથી; કેમ કે પાતંજલમતાનુસાર પૂર્વભવમાં બંધાયેલું જાતિ, આયુષ્ય અને ભોગરૂપ કર્મ ઉત્તરના ભવમાં ભવના પ્રારંભથી માંડીને ભવના અંત સુધી વિપાકમાં આવે છે, એ પ્રકારનો નિયમ છે અને પૂર્વભવમાં જેમ મનુષ્યભવની જાતિ આદિરૂપ ભોગકર્મ બંધાયેલું તેમ દેવભવને અનુરૂપ જાતિ આદિરૂપ કર્મ પણ નંદીશ્વરાદિ દ્વારા બંધાયેલું, આમ છતાં મનુષ્યભવની જાતિ આદિરૂપ કર્મ ફળને અભિમુખ હોવાથી દેવભવના ભોગો આપે તેવા જાતિ આદિ કર્મો ફળને અભિમુખ થતાં નથી અને ઈશ્વરની ભક્તિથી દેવભવને અભિમુખ ફળ આપવામાં પ્રતિબંધક એવા મનુષ્યજાતિ આદિના કર્મોનો ભેદ થવાથી દેવભવને યોગ્ય જાતિ આદિ કર્મો સ્વતઃ ફળ આપે છે. ll૪-૩
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૧૫
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૪ અવતરણિકા :
यदा साक्षात्कृततत्त्वस्य योगिनो युगपत् कर्मफलभोगायाऽऽत्मीयनिरतिशयविभूत्यनुभावाद्युगपदनेकशरीरनिर्मित्सा जायते तदा कुतस्तानि चित्तानि प्रभवन्तीत्याह - અવતરણિકાર્ય :
જ્યારે સાક્ષાત્કાર કરેલ તત્ત્વવાળા યોગીને એક સાથે કર્મફળના ભોગ માટે પોતાનામાં નિરતિશય વિભૂતિનો અનુભાવ હોવાથી એકી સાથે અનેક શરીરના નિર્માણની ઇચ્છા થાય છે ત્યારે શેનાથી તે ચિત્તો અર્થાત્ તે તે શરીરમાં વર્તતા જુદા જુદા ચિત્તો, પ્રભવ પામે છેઃઉત્પન્ન થાય છે, એને કહે છે – ભાવાર્થ :
પ્રસ્તુત કૈવલ્યપાદ છે, જે યોગીને શાસ્ત્રના અધ્યયનથી સ્પષ્ટ બોધ થયો છે કે, આત્માનું કેવલપણું એ આત્માની સુંદર અવસ્થા છે એવા સાક્ષાત્કૃતતત્ત્વવાળા યોગીને આત્માના કેવલ્યરૂપ મુક્તિની ઇચ્છા થાય છે.
પાતંજલમતાનુસાર કર્મો ભોગવ્યા વગર નાશ પામતા નથી, તેથી તે યોગીને અનેક ભવોથી અર્જિત–ઉપાર્જિત કરેલ, અને અનેકભવોની પ્રાપ્તિના કારણ એવા કર્મના ફળને એક સાથે ભોગવવાની ઇચ્છા થાય છે અને તે યોગીને જણાય છે કે, મારામાં તેવી અતિશય વિભૂતિરૂપ અનુભાવ છે કાર્ય છે અર્થાત્ યોગસાધનાથી મારામાં તેવી અતિશય વિભૂતિ પ્રગટેલી છે કે જેથી એકી સાથે અનેક શરીર કરીને સર્વ કર્મોનો નાશ કરી શકું, તેથી તે યોગીને એકી સાથે અનેક શરીરના નિર્માણની ઇચ્છા થાય છે અને તે યોગી એકી સાથે અનેક શરીર બનાવે તો તે દરેક શરીરમાં જુદા જુદા ચિત્તોની આવશ્યકતા રહે, કેમ કે તે ચિત્તના બળથી તે શરીરનો સંચાર તે યોગી કરી શકે, તેથી પ્રશ્ન થાય છે કે જયારે યોગી એકી સાથે અનેક શરીરનું નિર્માણ કરે ત્યારે તે સર્વ શરીરમાં જુદા જુદા ચિત્તો શેનાથી પ્રગટ થાય છે ? તે બતાવવા માટે પતંજલિ ઋષિ કહે છે. સૂત્રઃ
निर्माणचित्तान्यस्मितामात्रात् ॥४-४॥ સૂત્રાર્થ
અમિતામાત્રથી નિર્માણ ચિત્તો થાય છે. l૪-૪ll ટીકા :
‘निर्माणेति'-योगिनः स्वयं निर्मितेषु कायेषु यानि चित्तानि तानि मूलकारणादस्मितामात्रादेव तदिच्छया प्रसरन्ति अग्नेविस्फुलिङ्गा इव युगपत् परिणमन्ति ॥४-४॥
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૧૬
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૪ ટીકાર્ય :
યોનિઃ .... પરિપત્તિ | યોગીની સ્વયં નિર્માણ કરાયેલી કાયાઓમાં જે ચિત્તો છે તે મૂલકારણ એવા અસ્મિતામાત્રથી જ તેમની ઇચ્છા વડે યોગીની ઇચ્છા વડે, પ્રસરણ પામે છે અર્થાત્ તે તે કાયાઓમાં જુદા જુદા ચિત્તો પ્રસરણ પામે છે.
કેવી રીતે યોગીના એક ચિત્તમાંથી અસ્મિતાના કારણે જુદા જુદા ચિત્તો જુદી જુદી કાયામાં પ્રસરણ પામે છે તે સ્પષ્ટ કરે છે –
અગ્નિમાંથી જેમ અગ્નિના અનેક તણખાઓ એક સાથે પ્રસરે છે, તેમ યોગીના એક ચિત્તમાંથી એકી સાથે અનેક ચિત્તો પ્રસરણ પામે છે.
ભાવાર્થ :
અસ્મિતામાત્રથી નિમણિચિત્તોનું પ્રસરણ :
પાતંજલદર્શનકાર માને છે કે, બંધાયેલા કર્મો ભોગવ્યા વગર ક્યારેય નાશ પામતા નથી. જે યોગીને તત્ત્વનો પારમાર્થિક બોધ થયો છે તે યોગી આત્માની મુક્ત અવસ્થાની પ્રાપ્તિના અત્યંત અર્થી બને છે, તેથી ઘણા ભવોમાં ઉપાર્જિત કરાયેલા અને ઘણા ભવોની પ્રાપ્તિના કારણ એવા પોતાના કર્મોના ફળને એકી સાથે ભોગવવાની ઇચ્છાવાળા થાય છે.
વળી જે યોગીમાં એવી અતિશય વિભૂતિ પ્રગટેલી છે કે જેથી એકી સાથે અનેક શરીરનું નિર્માણ કરીને તે યોગી તે સર્વ કર્મોને ભોગવી શકે તેમ છે, તેથી તે યોગી સર્વ કર્મોના નાશ અર્થે એક ભવમાં અનેક શરીરનું નિર્માણ કરીને સર્વ કર્મોને ભોગવવા પ્રયત્ન કરે છે તે વખતે તે યોગી દ્વારા નિર્માણ કરાયેલા સર્વ શરીરોમાં તે શરીરની પ્રવૃત્તિનો નિયતા એવું જુદું ચિત્ત આવશ્યક બને છે, તેથી તે યોગીને જે અનેક શરીરનું નિર્માણ કરે છે તે જુદા જુદા શરીરોમાં જુદા જુદા ચિત્તો અસ્મિતામાત્રથી નિર્માણ થાય છે, એ પ્રકારે પાતંજલદર્શનકાર સ્વીકારે છે અને અસ્મિતામાત્રથી એક ચિત્તમાંથી અનેક ચિત્તો કઈ રીતે નિર્માણ થાય છે ? એમાં દષ્ટાંત બતાવે છે – અગ્નિના તણખાના પ્રસરની જેમ એક ચિત્તમાંથી અનેક ચિત્તનું પ્રસરણ :
અગ્નિની એક જવાલમાંથી અનેક સ્ફલિંગો પ્રગટે છે. અર્થાત્ અનેક અગ્નિના કણીયાઓ પ્રગટે છે તેમ યોગીના એક ચિત્તમાંથી અસ્મિતાના કારણે એક સાથે અનેક ચિત્તોનું નિર્માણ થાય છે, તેથી તે ચિત્તો દ્વારા તે યોગી શુકરાદિના શરીરો કરીને તે સર્વ કર્મોને એક સાથે ભોગવીને કર્મથી મુક્ત બને છે, આ પ્રકારની મુક્ત થવા વિષયક પાતંજલદર્શનકારની પ્રક્રિયા છે.
આ કથન અત્યંત અસમંજસ છે. આનું નિરાકરણ પૂજય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે ૨૫મી કલેશતાનોપાયબત્રીશીના ૩૧મા શ્લોકની ટીકામાં કરેલ છે. ll૪-૪ll
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૧૦
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૫ અવતરણિકા :
ननु बहूनां चित्तानां भिन्नाभिप्रायत्वान्नैककार्यकर्तृत्वं स्यादित्यत आह - અવતરણિકાર્ય :
ઘણા ચિત્તોનું ભિન્ન અભિપ્રાયપણું હોવાથી એક કાર્યકર્તુત્વ થશે નહીં એથી કહે છે – ભાવાર્થ :
સંસારવર્તી જીવોમાં દરેકના જુદા જુદા ચિત્તો છે, તેથી સંસારી જીવોને પરસ્પર ભિન્ન ભિન્ન અભિપ્રાય થાય છે, તેથી બધા એક કાર્ય કરતા નથી, પરંતુ પોતાના અભિપ્રાય અનુસાર જુદા જુદા કાર્યો કરે છે. જયારે યોગીને તો પોતાના કર્મના ફળને ભોગવીને કર્મનાશ કરવો છે, તેથી કર્મનાશરૂપ એક કાર્યને અનુકૂળ વ્યાપાર કરવા માટે જુદા જુદા ચિત્તો જુદા જુદા શરીરમાં જુદા જુદા અભિપ્રાયવાળા થાય તો કરી શકે નહીં, તેથી અનેક શરીરો બનાવીને તે અનેક ચિત્તથી યોગી પોતાને અભિમત એક કાર્ય કઈ રીતે કરી શકે ? તેના સ્પષ્ટીકરણ માટે પતંજલિમુનિ કહે છે – સૂત્ર :
प्रवृत्तिभेदे प्रयोजकं चित्तमेकमनेकेषाम् ॥४-५॥ સૂત્રાર્થ :
અનેક ચિત્તોની પ્રવૃત્તિના ભેદમાં એક ચિત્ત પ્રયોજક છે. II૪-પી. ટીકા?
'प्रवृत्तीति'-तेषामनेकेषां चेतसां प्रवृत्तिभेदे व्यापारनानात्वे, एकं योगिनश्चित्तं प्रयोजक= प्रेरकमधिष्ठातृत्वेन, तेन न भिन्नमतत्वम् । अयमर्थः-यथाऽऽत्मीयशरीरे मनश्चक्षुःपाण्यादीनि यथेच्छं प्रेरयति अधिष्ठातृत्वेन तथा कायान्तरेष्वपीति ॥४-५॥ ટીકાર્ય :
તેષા .... નમન્નમતત્વમ્ II તેઓની અનેક ચિત્તોની પ્રવૃત્તિના ભેદમાં વ્યાપારના અનેકપણામાં, યોગીનું એક ચિત્ત પ્રયોજક અધિષ્ઠાતૃપણાથી પ્રેરક છે, તેથી ભિન્નમતપણું નથી.
મયમર્થ: - આ અર્થ છે સૂત્રનો આ અર્થ છે –
યથા .... પતિ છે જે પ્રમાણે - પોતાના શરીરમાં મન-ચક્ષુ, હાથ વગેરેને અધિષ્ઠાતૃપણાથી યથેચ્છ પ્રેરણા કરે છે તે પ્રમાણે યોગીનું મન અધિષ્ઠાતૃપણાથી અન્ય કાયાઓમાં પણયોગી દ્વારા નિર્માણ કરાયેલી અન્ય કાયાઓમાં પણ, પ્રેરણા કરે છે. II૪-પી.
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૧૮
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૪-૫
ભાવાર્થ : અનેક ચિત્તોની પ્રવૃત્તિના ભેદમાં એક ચિત્ત પ્રયોજકઃ
સંસારી જીવોમાં દરેક જીવોના પોતપોતાના જુદા ચિત્તો છે, તેથી એક પ્રવૃત્તિમાં પણ પ્રવૃત્ત એવા તે પુરુષોના જુદા જુદા ચિત્તોને કારણે ભિન્ન ભિન્ન અભિપ્રાય થાય છે, તે પ્રત્યક્ષથી દેખાય છે. તે રીતે યોગી અસ્મિતામાત્રથી એક ચિત્તમાંથી અનેક ચિત્તોનું નિર્માણ કરે ત્યારે તે સર્વ ચિત્તો જુદા જુદા શરીરમાં કઈ રીતે યોગીના અભિપ્રાયને અનુસરે છે તે બતાવવા માટે કહે છે –
યોગીના એક ચિત્તમાંથી અસ્મિતાથી નિર્માણ કરાયેલા જુદા જુદા ચિત્તો જુદી જુદી કાયામાં જુદી જુદી પ્રવૃત્તિ કરે છે, તે સર્વમાં યોગીનું એક ચિત્ત પ્રયોજક છે=અધિષ્ઠાતૃપણાથી પ્રેરક છે, તેથી તે જુદા જુદા શરીરોથી જે જુદી જુદી પ્રવૃત્તિઓ થાય છે તે સર્વ યોગીના કર્મનાશરૂપ એક પ્રયોજનની નિષ્પત્તિનું કારણ બને છે, પરંતુ તે જુદા જુદા શરીરમાં રહેલા છે તે જુદા જુદા ચિત્તનો ભિન્ન ભિન્ન અભિપ્રાય થતો નથી.
આ કથનને દષ્ટાંતથી સ્પષ્ટ કરે છે –
જેમ સંસારી કોઈ એક જીવને પોતાના શરીરમાં વર્તતું પોતાનું મન ચક્ષુ, હાથ વગેરેને પોતાની ઇચ્છા પ્રમાણે પ્રેરણા કરે છે, કેમ કે તે શરીરની ચક્ષુ આદિ સર્વ પ્રવૃત્તિનો અધિષ્ઠાતા એક મન છે. તેમ યોગીની અનેક કાયામાં જે અનેક મન ચાલે છે તે સર્વના પ્રેરક યોગીનું એક મન છે, તેથી યોગીના ચિત્તથી પ્રેરિત થઈને સર્વ શરીરમાં વર્તતા જુદા જુદા ચિત્તો જુદી જુદી પ્રવૃત્તિ કરીને પણ તે તે ભવયોગ્ય કર્મનાશરૂપ એક ફળ નિષ્પન્ન કરે છે.
આશય એ છે કે, સંસારી જીવોના હાથ, પગ, ચક્ષુ વગેરે સર્વ અવયવો જુદા જુદા છે અને તે દરેક અવયવો જુદી જુદી પ્રવૃત્તિ કરે છે, પરંતુ તે સર્વ પ્રવૃત્તિમાં પ્રવર્તક એક મનઃચિત્ત, છે તેથી ચક્ષુ, હાથ આદિના પરસ્પર મતભેદો થતાં નથી, પરંતુ એક મનથી ચિત્તથી, નિયંત્રિત થઈને તે સર્વ પોત-પોતાની પ્રવૃત્તિ કરે છે તેમ યોગીના એક ચિત્તથી પ્રેરાઈને સર્વ શરીરોમાં ઉત્પન્ન થયેલા જુદા જુદા ચિત્તો યોગીના પ્રયોજનની સિદ્ધિ કરે છે. I૪-પી. અવતરણિકા :
जन्मादिप्रभवत्वात् सिद्धीनां चित्तमपि तत्प्रभवं पञ्चविधमेव, ततो जन्मादिप्रभवाच्चित्तात् समाधिप्रभवस्य चित्तस्य वैलक्षण्यमाह - અવતરણિતાર્થ :
સિદ્ધિઓનું જન્માદિપ્રભાવપણું હોવાથી તેનાથી પ્રભવ પામેલ એવા સિદ્ધિઓથી ઉત્પન્ન થયેલ એવું, ચિત્ત પણ પંચવિધ જ છે, તેથી જન્માદિથી થયેલ એવા ચિત્તથી સમાધિપ્રભવ ચિત્તનું વિલક્ષણપણું કહે છે –
Page #148
--------------------------------------------------------------------------
________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ / સૂત્ર-૫-૬
ભાવાર્થ :
પાતંજલયોગસૂત્ર ૪-૧માં કહેલ કે જન્મ, ઔષધિમંત્ર, તપ અને સમાધિ એ પાંચથી સિદ્ધિઓ થાય છે, અને આ સિદ્ધિઓ જન્માદિથી થયેલી છે તેથી નક્કી થાય છે કે આ સિદ્ધિઓથી થયેલ ચિત્ત પણ પાંચ પ્રકારનું છે, તેથી જન્માદિપ્રભવ ચિત્તથી સમાધિપ્રભવ ચિત્તના વૈલક્ષ્યને કહે છે.
૧૧૯
અહીં વિશેષ એ છે કે, કેટલીક સિદ્ધિઓ જન્મથી થાય છે, કેટલીક સિદ્ધિઓ ઔષધિ અને મંત્રજપાદિથી થાય છે. જે જીવોને જે પ્રકારની સિદ્ધિ થાય છે તે સિદ્ધિને અનુરૂપ તેનું ચિત્ત નિર્મળ થાય છે. જેમ કોઈ યોગીએ તપ કરીને તપથી ભાવિત થવાના કારણે તેવી કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય તો તે સિદ્ધિને અનુરૂપ તેમનું ચિત્ત નિર્મળ થાય છે, તેથી જન્માદિ પાંચને આધીન સિદ્ધિઓ છે, અને તે સિદ્ધિને આધીન ચિત્ત પણ પાંચ પ્રકારનું થાય છે અને કૈવલ્યની પ્રાપ્તિ માટે સમાધિથી થનારું ચિત્ત આવશ્યક છે, એથી જન્માદિપ્રભવ ચિત્ત કરતાં સમાધિથી થનારું ચિત્ત કેવા પ્રકારનું છે તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે.
સૂત્ર :
તંત્ર ધ્યાનનમનાશય: ।।૪-૬૫
સૂત્રાર્થ
ત્યાં=પાંચ પ્રકારના ચિત્તમાં, ધ્યાનથી થનારું ચિત અનાશય છે=કર્મવાસના રહિત છે.
||૪-૬||
ટીકા :
‘तत्रेति’-ध्यानजं=समाधिजं, यच्चित्तं तत्पञ्चसु मध्येऽनाशयं = कर्मवासनारहितमित्यर्थः
।।૪-૬ા
ટીકાર્ય :
.....
ध्यानजं · કૃત્યર્થ: ॥ ધ્યાનથી ઉત્પન્ન થનારું-સમાધિથી ઉત્પન્ન થનારું, જે ચિત્ત, પાંચેયમાં= પાંચેય પ્રકારના ચિત્તમાં, સમાધિથી થનારું તે ચિત્ત અનાશય છે=કર્મવાસના રહિત છે અર્થાત્ કૃત્ય કરવાની વાસનાથી રહિત છે એ પ્રકારનો અર્થ છે. Il૪-૬॥
ભાવાર્થ :
પાંચ પ્રકારના ચિત્તમાં ધ્યાનથી થનારું ચિત્ત અનાશય=કર્મવાસના રહિત
પાતંજલયોગસૂત્ર ૪-૧માં જન્માદિ પાંચથી સિદ્ધિઓ થાય છે તેમ બતાવ્યું. જે યોગીને જે જે સિદ્ધિઓ થાય છે, તેનાથી પ્રભવ–થનારું એવું ચિત્ત પણ તે તે પ્રકારનું હોય છે, તેથી સિદ્ધિથી થનારું ચિત્ત પણ પાંચ પ્રકારનું પ્રાપ્ત થાય છે.
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૨૦
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૬-૭ આ પાંચેય પ્રકારના ચિત્તો આત્માને મુક્તાવસ્થાની પ્રાપ્તિમાં ઉપયોગી છે, તેથી પ્રસ્તુત કૈવલ્યપાદમાં તેનું નિરૂપણ કરેલ છે, આમ છતાં સમાધિથી થનારું ચિત્ત વિશેષ પ્રકારે આત્માને મુક્તાવસ્થા પ્રત્યે ઉપયોગી છે તેથી તે ચિત્તનું સ્વરૂપ અન્ય ચિત્તો કરતાં કેવું વિલક્ષણ છે તે સ્પષ્ટ કરે છે –
ધ્યાનથી થનારું ચિત્ત=સમાધિથી થનારું ચિત્ત, કર્મવાસના રહિત હોય છે, તેથી સમાધિથી ઉત્પન્ન થયેલા ચિત્તમાં વર્તતા યોગી હંમેશા નિર્લેપ હોય છે.
આનાથી એ ફલિત થાય છે કે, મંત્રથી, તપથી જે ચિત્ત ઉત્પન્ન થાય છે તે ચિત્ત યોગીઓ મોક્ષાર્થે નિષ્પન્ન કરે છે, છતાં હું મંત્રનો જપ કરું, તપ કરું, ભગવદ્ભક્તિ કરું ઇત્યાદિ કર્મવાસનાવાળું તે ચિત્ત છે. જયારે સમાધિથી થનારું ચિત્ત જીવની અસંગઅવસ્થા તરફ જનારું હોવાથી કર્મવાસનાથી રહિત છે માટે કૈવલ્ય પ્રાપ્તિ પ્રત્યે સમાધિવાળું ચિત્ત પ્રબળ કારણ છે. ll૪-દા. અવતરણિકા :
यथेतरचित्तेभ्यो योगिनश्चित्तं विलक्षणं क्लेशादिरहितं तथा कर्मापि विलक्षणमित्याहઅવતરણિતાર્થ :
જે પ્રમાણે ઇતર ચિત્તોથી યોગીનું ચિત્ત વિલક્ષણ છે અને ક્લેશાદિ રહિત છે એ પ્રમાણે કર્મ પણ યોગીઓનું કર્મ પણ, વિલક્ષણ છે, એને કહે છે – સૂત્ર :
कर्माशुक्लाकृष्णं योगिनस्त्रिविधमितरेषाम् ॥४-७॥ સૂત્રાર્થ :
અશુકલ-અકૃષ્ણ કર્મ યોગીઓને છે. ઇતરને અયોગીઓને, ત્રણ પ્રકારનું કર્મ છે. I૪-ગી ટીકા :
'कर्मेति'-शुभफलदं कर्म यागादि शुक्लम्, अशुभफलदं ब्रह्महत्यादि कृष्णम्, उभयसङ्कीर्णं शुक्लकृष्णम्, तत्र शुक्लं कर्म विचक्षणानां दानतप:स्वाध्यायादिमतां पुरुषाणाम्, कृष्णं कर्म नारकिणाम्, शुक्लकृष्णं मनुष्याणाम्, योगिनां तु संन्यासवतां त्रिविधकर्मविपरीतं यत्फलत्यागानुसन्धानेनैवानुष्ठानान्न किञ्चित् फलमारभते ॥४-७॥ ટીકાર્ય :
અમર્તવું ... મા તે . શુભફળને આપનારું યાગાદિ કર્મ શુક્લ છે, અશુભફળને આપનારું બ્રહ્મહત્યાદિ કૃષ્ણ છે, ઉભયસંકીર્ણ શુક્લ કૃષ્ણ છે. ત્યાં ત્રણ પ્રકારના કર્મમાં, શુક્લ કર્મ દાન, તપ અને
Page #150
--------------------------------------------------------------------------
________________
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૭-૮
૧૨૧ સ્વાધ્યાયાદિવાળા વિચક્ષણ પુરુષોને હોય છે. કૃષ્ણ કર્મ નારકીઓને હોય છે, શુક્લ કૃષ્ણ કર્મ મનુષ્યોને હોય છે, વળી સંન્યાસવાના યોગીઓને ત્રણ પ્રકારના કર્મથી વિપરીત કર્મ હોય છે, ફળત્યાગના અનુસંધાનથી જ અનુષ્ઠાન હોવાના કારણે જે જે કર્મ કાંઈ ફળનો આરંભ કરતું નથી. II૪-૭ll ભાવાર્થ : પાતંજલમતાનુસાર અયોગીઓ અને યોગીના કર્મનું સ્વરૂપ :
પાતંજલમતાનુસાર અયોગીઓને ત્રણ પ્રકારનું કર્મ હોય છે. જે જીવો યાગ, ધ્યાન, તપ, સ્વાધ્યાય આદિ કરે છે તે જીવોને શુભફળને આપનારું શુક્લ કર્મ હોય છે. તેથી એ પ્રાપ્ત થાય છે કે, ધર્મના ઉચિત અનુષ્ઠાનો કરનારા જીવો જે કૃત્યો કરે છે તે સર્વ શુભ ફળને આપનારા હોવાથી શુક્લ કર્મ છે.
વળી જેઓ બ્રહ્મહત્યાદિ અશુભકૃત્યો કરે છે, તે સર્વ અશુભફળને આપનારા કૃષ્ણ કર્મ છે અને આવું કૃષ્ણ કર્મ નારકીઓને પ્રચુર પ્રમાણમાં હોય છે.
વળી ઉભયસંકીર્ણ ત્રીજું શુક્લકૃષ્ણ કર્મ છે. જેમ – કેટલાક જીવો દાન, તપ વગેરે શુભ કૃત્યો પણ કરે છે અને સંસારના આરંભ - સમારંભાદિ પણ કરે છે, તેવા જીવોને ઉભયસંકીર્ણ એવું શુક્લકૃષ્ણ કર્મ હોય છે.
વળી સંન્યાસવાળા એવા યોગીઓને આ ત્રણે પ્રકારના કર્મોથી વિપરીત કર્મો હોય છે. કેમ વિપરીત કર્મો હોય છે તે રાજમાર્તડકાર સ્પષ્ટ કરે છે –
ફળ ત્યાગના અનુસંધાનથી તેઓ અનુષ્ઠાન કરે છે, તેથી તેઓનું અનુષ્ઠાન કોઈ ફળનો આરંભ કરતું નથી. આનાથી એ ફલિત થાય છે કે, સંન્યાસવાળા યોગીઓ અનાશય કર્મવાળા હોય છે અર્થાત્ કોઈ કૃત્યો કરતા હોય તે કૃત્યના ફળની આશંસા વગર તે ઉચિતકૃત્યો કરે છે. II૪-oll અવતરણિકા :
अस्यैव कर्मणः फलमाह - અવતરણિયાર્થ:
આ જ કર્મોનું પાતંજલ યોગસૂત્ર ૪-૬માં કહયું કે, યોગીથી ઇતરને ત્રણ પ્રકારનું કર્મ હોય છે એ જ કર્મોનું, ફળ કહે છે – સૂત્ર :
ततस्तद्विपाकानुगुणानामेवाभिव्यक्तिर्वासनानाम् ॥४-८॥ સૂત્રાર્થ :
તેનાથી પૂર્વસૂત્રમાં અયોગીજીવોના ત્રણ પ્રકારના કર્મો કહ્યા તેને કારણે જે ઉત્તરનો ભવ
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૨૨
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ / સૂત્ર-૮ પ્રાપ્ત થાય છે તે ભવને અનુરૂપ એવા કર્મથી, તેના વિપાકને અનુગુણ જ એવી વાસનાની=જે કૃત્યથી જે કર્મ બંધાયેલું તે કર્મ વડે જેવું દેવ-મનુષ્ય આદિનું શરીર પ્રાપ્ત થયું તેના વિપાકને અનુગુણ જ વાસનાની, અભિવ્યક્તિ છે. II૪-૮॥
ટીકા :
‘तत इति’-इह हि द्विविधाः कर्मवासनाः स्मृतिमात्रफला जात्यायुर्भोगफलाश्च । तत्र जात्यायुर्भोगफला एकानेकजन्मभवा इत्यनेन पूर्वमेव कृतनिर्णयाः, यास्तु स्मृतिमात्रफलास्तासु ततः कर्मणो येन कर्मणा यादृक् शरीरमारब्धं देवमनुष्यतिर्यगादिभेदेन तस्य विपाकस्य या अनुगुणा - अनुरूपा वासनास्तासामेवाभिव्यक्तिर्वासनानां भवति । अयमर्थ:येन कर्मणा पूर्वे देवतादिशरीरमारब्धं जात्यन्तरशतव्यवधानेन पुनस्तथाविधस्यैव शरीरस्याssरम्भे तदनुरूपा एव स्मृतिफला वासना: प्रकटीभवन्ति, लोकोत्तरेष्वेवार्थेषु तस्य स्मृत्यादयो जायन्ते, इतरास्तु सत्योऽपि अव्यक्तसञ्ज्ञास्तिष्ठन्ति न तस्यां दशायां नारकादिशरीरोद्भवा वासना व्यक्तिमायान्ति ॥४-८॥
ટીકાર્ય :
इह મતિ । અહીં=આત્મામાં, (૧) સ્મૃતિમાત્રફળવાળી અને (૨) જાતિ, આયુષ્ય અને ભોગફળવાળી બે પ્રકારની કર્મવાસના છે.
ત્યાં જાતિ, આયુષ્ય અને ભોગફળવાળી વાસના એક-અનેક જ્મોમાં થનારી છે, એ ક્થન દ્વારા પૂર્વમાં જ કરાયેલા નિર્ણયવાળી છે. જે વળી સ્મૃતિમાત્રફળવાળી કર્મવાસના છે, તેઓમાં=સ્મૃતિમાત્રફળવાળી કર્મવાસનામાં, તે કર્મથી=પૂર્વ સૂત્રમાં વ્હેલા ત્રણ પ્રકારના કર્મોમાંથી કોઈ કર્મથી, જે કર્મ વડે દેવ, મનુષ્ય અને તિર્યક્ આદિના ભેદથી જેવું શરીર આરંભ કરાયું, તેના વિપાક્ને જે અનુગુણ= વાસના, અનુરૂપ વાસના, હોય તે જ વાસનાઓની અભિવ્યક્તિ થાય છે.
अयमर्थः : - આ અર્થ છે-સૂત્રનો આ અર્થ છે –
ચેન ..... માયાન્તિ । જે કર્મો વડે પૂર્વે દેવતાદિ શરીર આરંભ કરાયું વળી સેંકડો અન્ય જાતિના વ્યવધાનથી તેવા પ્રકારના જ શરીરના આરંભમાં તેને અનુરૂપ જ સ્મૃતિફળવાળી વાસના પ્રગટ થાય છે=લોકોત્તર એવા અર્થમાં તેને સ્મૃતિ આદિ થાય છે અર્થાત્ આ ભવના અનુભવોનું સ્મરણ તે લૌકિક અર્થ છે અને ઘણા વ્યવધાન પૂર્વના દેવાદિભવના અનુભવોનું જે સ્મરણ તે લોકોત્તર અર્થ છે તેમાં તેને સ્મૃતિ આદિ થાય છે, વળી ઇતરજે કર્મથી જે ભવ પ્રાપ્ત ર્યો છે એનાથી ઇતર સ્મૃતિમાત્રફળવાળી વાસના વિદ્યમાન હોવા છતાં પણ અવ્યક્તસંજ્ઞાવાળી રહે છે-તે દશામાં નારદિશરીરથી ઉદ્ભવેલી વાસના વ્યક્ત થતી નથી. II૪-૮||
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૨૩
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કેવલ્યપાદ | સૂત્ર-૮-૯ ભાવાર્થ : અયોગી જીવોના ત્રણ પ્રકારના કર્મોનું ફળ :
પાતંજલયોગસૂત્ર ૪-૭માં કહ્યું કે, યોગીનું કર્મ અશુકલઅકૃષ્ણ છે, તેથી યોગીનું કર્મ અનાશયવાળું છે અર્થાત્ કર્મની વાસનાથી રહિત છે અને યોગી સિવાય અન્ય જીવોનું ચિત્ત ત્રણ પ્રકારનું કર્મ કરે છે જે કર્મથી આત્મામાં વાસના પડે છે અને તે કર્મની વાસના બે પ્રકારની છે – (૧) સ્મૃતિમાત્રફળવાળી અને (૨) જાતિ, આયુષ્ય અને ભોગફળવાળી.
આ બે પ્રકારની કર્મવાસનામાંથી જાતિ, આયુષ્ય અને ભોગફળવાળી કર્મવાસના એક-અનેક જન્મથી થનારી છે, એ પ્રકારે પૂર્વમાં નિર્ણય કરાયો છે.
સ્મૃતિમાત્રફળવાળી વાસના છે, તે વાસના દરેક ભવોમાં જુદી જુદી હોય છે છતાં જે જીવને ઉત્તરના ભવની પ્રાપ્તિરૂપ જે કર્મથી ઉત્તરના દેવાદિ શરીરનો આરંભ કરાયો તે દેવાદિ શરીરને અનુરૂપ સ્મૃતિમાત્રફળવાળી એવી તે વાસના તે દેવભવમાં અભિવ્યક્ત થાય છે, અન્ય વાસનાની અભિવ્યક્તિ દેવભવમાં થતી નથી.
આ જ અર્થને સ્પષ્ટ કરતાં કહે છે – કોઈ જીવે પૂર્વમાં દેવશરીરને પ્રાપ્ત કરેલું હોય ત્યાર પછી અન્ય અન્ય અનેક ભવો કરીને ઘણા ભવના વ્યવધાનથી ફરી દેવભવ પ્રાપ્ત કરે ત્યારે તે દેવભવમાં સ્મૃતિમાત્રફળવાળી વાસનામાંથી તે દેવભવને અનુરૂપ જ વાસના પ્રગટ થાય છે અને દેવભવથી ભિન્ન નરકાદિભવને અનુરૂપ વાસના અવ્યક્ત સંજ્ઞામાં રહે છે.
વળી દેવભવમાં તેને પૂર્વમાં દેવભવની વાસના અભિવ્યક્ત થાય છે તે લોકોત્તર અર્થમાં મૃતિઆદિ રૂપ છે; કેમ કે આ ભવમાં કરાયેલું આ ભવમાં સ્મરણમાં આવે તેને લોક પણ સમજી શકે છે. તે લૌકિક અર્થની સ્મૃતિ કહેવાય અને ઘણા ભવ પૂર્વના દેવભવના સંસ્કારો અત્યારે જાગૃત થાય છે તે લોક ન સમજી શકે તેવા અર્થો છે, તેથી તે લોકોત્તર અર્થો છે અને દેવભવમાં તે જીવને ઘણા ભવ પૂર્વે મેં આ કરેલું છે તે પ્રકારે સ્મરણ થતું નથી પરંતુ ઘણા ભાવ પૂર્વે દેવભવમાં કરેલા સંસ્કારોથી તે પ્રેરાઈને તે દેવભવને અનુરૂપ જ ચેષ્ટાઓ કરે છે, તે સર્વ ચેષ્ટા પ્રત્યે ઘણા વ્યવધાનવાળા દેવભવના સંસ્કારો કારણ બને છે. આ પ્રકારે પાતંજલદર્શનકારની માન્યતા છે. I૪-૮. અવતરણિકા:
आसामेव वासनानां कार्यकारणभावानुपपत्तिमाशङ्क्य समर्थयितुमाह - અવતરણિકા :
આ જ વાસનાઓની ઘણા ભવના વ્યવધાન પૂર્વે અનુભવેલા ઉત્તરના દેવભવમાં અભિવ્યક્ત થાય છે એ જ વાસનાઓની, કર્ય-કારણભાવની અનુ૫પત્તિની આશંકા કરીને સમર્થન કરવા માટે=
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૨૪
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કેવલ્યપાદ | સૂત્ર-૯ ઘણા વ્યવધાનથી પણ દેવભવની વાસનાઓનું ઉત્તરના દેવભવમાં સ્મરણ થાય છે ઇત્યાદિ સમર્થન ६२वा माटे, 5 छ -
भावार्थ :
પાતંજલયોગસૂત્ર ૪-૭માં કહ્યું કે, દેવાદિભવમાં અનુભવેલ સ્મૃતિમાત્રફળવાળી વાસના ઘણા ભવના વ્યવધાન પછી મળેલા દેવભવમાં જાગૃત થાય છે અને અન્ય ભવોની વાસના અવ્યક્ત સંજ્ઞામાં રહે છે ત્યાં કોઈને શંકા થાય કે, આ રીતે ઘણા ભવના વ્યવધાનવાળી વાસના વચ્ચે કાર્યકારણભાવની અનુપપત્તિ છે અર્થાત્ નજીકના ભવની વાસના ઉત્તરના ભાવમાં આવી શકે, પરંતુ ઘણા ભવ પૂર્વની વાસના ઉત્તરના દેવભવમાં કઈ રીતે સ્મરણ થઈ શકે ? તેનું નિરાકરણ કરીને દેવાદિભવની વાસના વ્યવધાનવાળા પણ ઉત્તરના દેવાદિભવમાં સ્મરણ થાય છે. એ પ્રકારના સમર્થન માટે કહે છે – सूत्र:
जातिदेशकालव्यवहितानामप्यानन्तर्यं स्मृतिसंस्कारयोरेकरूपत्वात् ॥४-९॥ सूत्रार्थ :
જાતિ, દેશ અને કાળથી વ્યવહિત એવી પણ વાસનાઓનું આમંતર્ય છેઃસ્વ અનુરૂપ મૃતિ આદિ પ્રત્યે અનંતરભાવ છે; કેમ કે સ્મૃતિ અને સંસ્કારનું એકરૂપપણું છે. lia-el टी: ___ 'जातीति -इह नानायोनिषु भ्रमतः संसारिणः काञ्चिद्योनिमनुभूय यदा योन्यतरसहस्रव्यवधानेन पुनस्तामेव योनि प्रतिपद्यते तदा तस्यां पूर्वानुभूतायां योनौ तथाविधशरीरादिव्यञ्जकापेक्षया वासना याः प्रकटीभूता आसंस्तास्तथाविधव्यञ्जकाभावात् तिरोहिताः पुनस्तथाविधव्यञ्जकशरीरादिलाभे प्रकटीभवन्ति, जातिदेशकालव्यवधानेऽपि तासां स्वानुरुपस्मृत्यादिफलसाधन आनन्तर्य-नैरन्तर्यम्, कुतः ? स्मृतिसंस्कारयोरेकरूपत्वात्, तथाहिअनुष्ठीयमानात्कर्मणश्चित्तसत्त्वे वासनारूप: संस्कारः समुत्पद्यते, स च स्वर्गनरकादीनां फलानामकुरीभावः कर्मणां वा यागादीनां शक्तिरूपतयाऽवस्थानम्, कर्तुर्वा तथाविधभोग्यभोक्तृत्वरूपं सामर्थ्यम्, संस्कारात् स्मृतिः स्मृतेश्च सुखदुःखोपभोगस्तदनुभवाच्च पुनरपि संस्कारस्मृत्यादयः एवं च यया स्मृतिसंस्कारादयो भिन्नास्तस्याऽऽनन्तर्याभावे दुर्लभः कार्यकारणभावः, अस्माकं तु यदाऽनुभव एव संस्कारो भवति संस्कारश्च स्मृतिरूपतया परिणमते तदैकस्यैव चित्तस्यानुसन्धातृत्वेन स्थितत्वात् कार्यकारणभावो न दुर्घटः ॥४-९॥
Page #154
--------------------------------------------------------------------------
________________
૧૨૫
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | કેવલ્યપાદ | સૂત્ર-૯ ટીકાર્ય :
રૂદ .... પ્ર મવત્તિ છે અહીં=સંસારમાં, નાના જન્મોમાં જુદા જુદા અનેક ભવોમાં, ભમતા સંસારી જીવો કોઈક યોનિનો અનુભવ કરીને જ્યારે હજારો અન્વયોનિના વ્યવધાનથી ફરી તે જ યોનિને તે જ જન્મને, પ્રાપ્ત કરે છે ત્યારે તે પૂર્વ અનુભૂત-અનુભવાયેલ, યોનિમાં તેવા પ્રકારના શરીરાદિ વ્યંજકની અપેક્ષાએ જે વાસના પ્રગટ થઈ હતી તે તે વાસના, તેવા પ્રકારના વ્યંજના અભાવને કારણે=વચલા જન્મોમાં તે ભવના જેવા શરીરાદિરૂપ વ્યંજકના અભાવના કારણે, તિરોહિત થયેલ ફરી તેવા પ્રકારના વ્યંજક શરીરાદિના લાભમાં પ્રગટ થાય છે.
નાશિનૈત્તિર્ય, જાતિ, દેશ અને કાળનો વ્યવધાનમાં પણ તેઓનું હજારો અન્ય યોનિના વ્યવધાનથી અનુભવ કરેલી વાસનાઓનું, સ્વઅનુરૂપ સ્મૃતિ આદિ ફળસાધનમાં આનંતર્ય છેનૈત્તિર્ય છે. કેમ આનંતર્ય છે ? તેથી કહે છે –
સ્કૃતિ .... પત્નીત્ I સ્મૃતિ અને સંસ્કારનું એકરૂપપણું છે તે ભવમાં થતી સ્મૃતિ અને હજારો ભવો પૂર્વેના પૂર્વભવમાં પડેલા સંસ્કારોનું સમાનપણું છે.
સ્કૃતિ અને સંસ્કારોનું એકરૂપપણું કઈ રીતે છે ? તે તથાદિથી સ્પષ્ટ કરે છે – તથાદિ - તે આ પ્રમાણે –
૩નુષ્ટીયમનાત્ ... સામર્થ્યમ્ II સેવાતા અનુષ્ઠાનથી ચિત્તત્ત્વમાં વાસનારૂપ સંસ્કાર ઉત્પન્ન થાય છે અને તે વાસનારૂપ સંસ્કાર સ્વર્ગ-નરકાદિ ફળોનો અંકુરભાવ છે અર્થાત્ કારણભાવ છે અને યાગાદિ કૃત્યોનું શક્તિરૂપપણાથી=સંસ્કારરૂપપણાથી, અવસ્થાન છે અર્થાત્ ચિત્સત્ત્વમાં અવસ્થાન છે અને કર્તાનું તેવા પ્રકારના ભોગ્યના ભોખ્તત્વરૂપ સામર્થ્ય છે- અનુષ્ઠાન કરનાર પુરુષનું તે અનુષ્ઠાનથી જવા ભોગની પ્રાપ્તિ થાય છે તે ભોગ્યના ભોફ્તત્વરૂપ સામર્થ્ય છે.
ઉપરમાં સંસારમાં સેવાતા અનુષ્ઠાનના ત્રણ કાર્યો બતાવ્યા પછી તે સર્વ વચ્ચે કઈ રીતે કાર્યકારણભાવ છે તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
સંસ્કાર .... ન દુર્ધટ: / સંસ્કારથી સ્મૃતિ થાય છે અને સ્મૃતિથી સુખ-દુ:ખનો ભોગ થાય છે અને તેના અનુભવથી સુખ-દુ:ખના અનુભવથી, ફરી સંસ્કાર, સ્મૃતિ આદિ થાય છે.
અને આ રીતે સંસ્કારથી સ્મૃતિ અને સ્મૃતિથી સુખદુ:ખનો ઉપભોગ અને તેના-ઉપભોગના અનુભવથી સંસ્કાર સ્મૃતિ આદિ થાય છે એ રીતે, જેના=જે પ્રવૃત્તિના, સ્મૃતિ, સંસ્કાર આદિ ભિન્ન છે તે પ્રવૃત્તિના આનંતર્યનો અભાવ હોવાને કારણે કાર્યકારણભાવ દુર્લભ છે માટે જાતિ આદિના વ્યવધાન વગરના ઉત્તરના ભવ કરતાં પૂર્વના જુદા પ્રકારના ભવ વચ્ચે સ્મૃતિ અને સંસ્કારનું એકરૂપપણું નથી એમ અધ્યાહાર છે.
વળી અમોને જાતિ, દેશ અને કાળથી વ્યવહિત પણ સ્મૃતિ, સંસ્કારનું આમંતર્મ સ્વીકારનાર એવા અમોને, જ્યારે અનુભવ જ સંસ્કાર થાય છે અને સંસ્કાર સ્મૃતિરૂપપણાથી પરિણમન પામે છે
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૨૬
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | કેવલ્યપાદ | સૂત્ર-૯ ત્યારે એક જ ચિત્તના અનુસંધાતૃપણાથી એક જ ચિત્તના અનુસંધાનથી, સ્થિતપણું હોવાથી કાર્યકારણભાવ દુર્ઘટ નથી. II૪-૯ll ભાવાર્થ : સ્મૃતિ અને સંસ્કારનું એકરૂપપણું હોવાથી જાતિ, દેશ અને કાળથી વ્યવહિત એવી પણ વાસનાઓનો સ્મૃતિ આદિ પ્રત્યે અનંતર ભાવ:
પાતંજલદર્શનકારે પાતંજલયોગસૂત્ર ૪-૮માં સ્થાપન કર્યું કે, કોઈ સંસારીજીવ દેવભવમાં હોય અને તે દેવભવમાં જે સંસ્કારો પડે ત્યાર પછી અન્ય બીજા બીજા ભવો કરે અને ફરી દેવભવને પામે ત્યારે પૂર્વના અનુભવેલા દેવભવના સંસ્કારોની સ્મૃતિ થાય છે, તેથી તે દેવભવમાં પૂર્વના દેવભવ જેવા જ કૃત્યો કરે છે.
અહીં કોઈને શંકા થાય કે, ઘણા ભવરૂપ જાતિનું વ્યવધાન હોય, દેશનું વ્યવધાન હોય કે કાળનું વ્યવધાન હોય ત્યાં કાર્ય-કારણ ભાવની ઉપપત્તિ થઈ શકે નહીં. આશય એ છે કે, એક જન્મ પછીના બીજા ભવમાં સ્મૃતિ થવી સુલભ છે, વળી પોતે પૂર્વમાં જે દેશમાં હોય તે જ દેશમાં ફરી જન્મે તો તે દેશના સંસ્કારોથી બીજા ભવમાં સ્મૃતિ થવી સંભવે. વળી પૂર્વના ભવના અનુભવ અને ઉત્તરના ભવના અનુભવ વચ્ચે કાળનું વ્યવધાન નહિ હોવાથી પૂર્વના ભવના અનુભવથી થયેલા સંસ્કારોથી ઉત્તરના ભવમાં સ્મૃતિ થઈ શકે છે, પરંતુ જાતિ આદિના વ્યવધાનમાં પૂર્વના અનુભવના સંસ્કારોથી સ્મૃતિ કઈ રીતે થઈ શકે ? તેના સમાધાનમાં કહે છે –
સંસારવર્તી જીવો અનેક જન્મમાં ભમતા હોય છે, તેમાંથી કોઈક દેવાદિ જન્મનો અનુભવ કરીને ફરી હજારો ભવોના વ્યવધાનથી દેવાદિભવને પામે છે ત્યારે પૂર્વમાં જે દેવભવમાં અનુભવ કરેલ તેવા પ્રકારના શરીરાદિ ઉત્તરના દેવભવમાં વ્યંજક બને છે, તેથી તે વ્યંજકની અપેક્ષાએ ઘણા ભવોના વ્યવધાનવાળા પણ દેવભવની વાસના પ્રગટ થાય છે અને વચલા દેવભવ સિવાયના અન્ય ભવોના જે અનુભવો છે તેને અનુરૂપ શરીર નહિ હોવાથી તે ભવોના સંસ્કારોને અભિવ્યક્ત કરનાર વ્યંજક એવા શરીરાદિનો અભાવ હોવાને કારણે તે સંસ્કારો તિરોહિત રહે છે.
વળી, જ્યારે તે સંસ્કારોને જાગૃત કરે તેવો ભવ પ્રાપ્ત થાય ત્યારે તેવા પ્રકારના શરીરરૂપ વ્યંજકને કારણે તે સંસ્કારો પ્રગટ થાય છે, તેથી દેવાદિ ભવની પ્રાપ્તિ પછી જાતિ, દેશ અને કાળનું વ્યવધાન હોવા છતાં દેવભવમાં નાંખેલા સંસ્કારોને અનુરૂપ સ્મૃતિ આદિ થવામાં આનંતર્ય છે; કેમ કે સ્મૃતિ અને સંસ્કારણનું એકરૂપપણું છે અર્થાત્ વર્તમાનના દેવભવમાં જે પ્રકારની સ્મૃતિ છે તે સ્મૃતિને અનુરૂપ ઘણા ભવ પૂર્વેના દેવભવના સંસ્કારો છે, તેથી તે બે વચ્ચે સમાનતારૂપ એકરૂપપણું છે.
સ્કૃતિ અને સંસ્કાર વચ્ચે એકરૂપપણું કઈ રીતે છે તે સ્પષ્ટ કરવા માટે ટીકાકાર તથાદિથી કહે છે –
સંસારીજીવો જે કોઈ અનુષ્ઠાન કરે છે, તેનાથી ચિત્તમાં વાસનારૂપ સંસ્કારો ઉત્પન્ન થાય છે અને
Page #156
--------------------------------------------------------------------------
________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૯
૧૨૦
તે સંસ્કારો સ્વર્ગ-નરકાદિના ફળના અંકુરભાવરૂપ છે. તેથી એ પ્રાપ્ત થાય છે કે, આ સંસ્કારો જાતિ, આયુષ્ય અને ભોગફળવાળા છે, તેથી તે સંસ્કારો સ્વર્ગ-નરકાદિના કારણ બને તેવા સ્વરૂપવાળા છે તેના કારણે તે અનુષ્ઠાન કરનારને તે નૃત્યને અનુરૂપ સ્વર્ગ-નરકાદિ ફળની પ્રાપ્તિ થાય છે.
વળી, અનુષ્ઠાનથી બીજા પ્રકારના પણ સંસ્કારો પડે છે. જે જીવો યોગનું સેવન કે હિંસાદિ ધૃત્યો કરે છે, તે કૃત્યોની શક્તિરૂપે સંસ્કારો પડતા હોય છે, જેથી ફરી સામગ્રીને પામીને તે કૃત્યો તેઓ બીજા ભવમાં કરે છે, આથી જ યોગીઓ યોગસાધનાના સંસ્કારોથી બીજા ભવમાં ફરી યોગમાર્ગની પ્રવૃત્તિ કરે છે.
વળી, સંસારીજીવ જે અનુષ્ઠાન કરે છે, તેનાથી તેવા પ્રકારના ભોગ્યના ભોક્તૃત્વરૂપ સામર્થ્ય તેમનામાં પ્રગટે છે. જેમ વર્તમાનમાં પૂર્વ ધર્માનુષ્ઠાન કર્યું, તેનાથી દેવભવની પ્રાપ્તિ થઈ ત્યારે તે અનુષ્ઠાન કરનારને તે દેવભવના ભોગોને ભોગવવાને અનુરૂપ સામર્થ્ય પ્રગટે છે, તે સામર્થ્ય પૂર્વના ભવમાં કરાયેલા અનુષ્ઠાનથી પડેલ સંસ્કારરૂપ છે.
આ રીતે પાતંજલદર્શનકાર અનુષ્ઠાનથી આત્મામાં ત્રણ પ્રકારના સંસ્કારો પડે છે તે બતાવીને સંસ્કાર અને સ્મૃતિ વચ્ચે એકરૂપતા કઈ રીતે છે તે સ્પષ્ટ કરતાં કહે છે
—
સંસ્કારથી સ્મૃતિ થાય છે અર્થાત્ પૂર્વભવમાં કરાયેલા અનુષ્ઠાનથી પડેલા સંસ્કારોથી તે પ્રકારના કૃત્યોની સ્મૃતિ થાય છે અને સ્મૃતિથી સુખ-દુઃખનો ભોગ થાય છે. જેમ નારકભવમાં પડેલા દુઃખના આક્રંદના સંસ્કારોથી જ્યારે ફરી નારકપણું મળે છે ત્યારે તે સ્મૃતિથી આક્રંદના સંસ્કારોને કારણે દુઃખનો ઉપભોગ થાય છે અને જેમ દેવભવમાં સુખના હર્ષ આદિને અભિવ્યક્ત કરે તેવા સંસ્કારોથી ફરી દેવભવમાં તે પ્રકારની સ્મૃતિ થવાથી હર્યાદિને અભિવ્યક્ત કરે તેવા સુખનો ઉપભોગ થાય છે આ રીતે સંસ્કાર અને સ્મૃતિ વચ્ચે સમાનતારૂપ એકરૂપપણું છે એમ બતાવ્યા પછી જાતિ, દેશ અને કાળથી વ્યવહિત એવા સંસ્કારોમાં કઈ રીતે એકરૂપપણું છે અને કઈ રીતે એકરૂપપણું નથી. તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
આ રીતે સ્મૃતિ અને સંસ્કારનું જે પ્રવૃત્તિથી ભિન્નપણું છે તે પ્રવૃત્તિથી આનંતર્યનો અભાવ છે, માટે કાર્ય-કારણભાવ દુર્લભ છે. આશય એ છે કે કોઈને મનુષ્યભવમાં જે સ્મૃતિ છે તે સ્મૃતિથી પડેલા સંસ્કારો અને દેવભવમાં જે સ્મૃતિ થાય છે તેના કારણ બને એવા સંસ્કારરૂપે ભિન્નપણું છે તેથી તે મનુષ્યભવની પ્રવૃત્તિથી પાડેલા સંસ્કારો અને દેવભવમાં થતી સ્મૃતિ એ બે વચ્ચે આનંતર્યનો અભાવ છે અર્થાત્ કાલમૃત આનંતર્ય હોવા છતાં સમાનતારૂપ આનંતર્યનો અભાવ છે, તેથી મનુષ્યભવમાં કરાયેલી પ્રવૃત્તિથી પડેલા સંસ્કારો અને દેવભવમાં થતી સ્મૃતિ તે બે વચ્ચે કાર્ય-કારણભાવ સ્વીકારવો દુર્લભ છે અર્થાત્ અશક્ય છે.
વળી અમોએ જાતિ આદિના વ્યવધાનથી જે કાર્ય-કારણભાવ સ્વીકાર્યો એ પ્રમાણે એ ફલિત થાય છે કે, અનુભવ જ સંસ્કાર થાય છે અર્થાત્ ઘણા ભવ પૂર્વે જે દેવભવનો અનુભવ થયેલો તે જ સંસ્કાર બને છે, અને તે સંસ્કાર જ તથાવિધ વ્યંજક શરીરાદિની પ્રાપ્તિમાં સ્મૃતિરૂપે પરિણમન
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૨૮
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૯-૧૦ પામે છે, તે વખતે એક જ ચિત્તનું અનુસંધાતૃપણાથી સ્થિતપણું હોવાને કારણે કાર્ય-કારણભાવ દુર્ઘટ નથી અર્થાત્ જે દેવભવમાં અનુભવથી સંસ્કારો પડેલા તે સંસ્કારવાળું ચિત્ત ફરી દેવભવ વખતે તે ભાવોનું અનુસંધાન કરીને રહે છે, તેથી પૂર્વના દેવભવના અનુભવથી જન્ય સંસ્કારો અને વર્તમાનમાં દેવભવના જન્મમાં થતી સ્મૃતિ વચ્ચે કાર્ય-કારણભાવ દુર્ઘટ નથી. II૪-૯ll અવતરણિકા :
भवत्वानन्तर्ये कार्यकारणभावश्च वासनानां यदा तु प्रथममेवानुभवः प्रवर्तते तदा किं वासनानिमित्त उत निनिमित्त इति शङ्कां व्यपनेतुमाह - અવતરણિકાર્ય :
વાસનાઓના આનંતર્યમાં કાર્ય-કરણભાવ થાઓ, જ્યારે વળી પ્રથમ જ અનુભવ પ્રવર્તે છે પૂર્વના અનુભવ નિરપેક્ષ પ્રથમ જ અનુભવ પ્રવર્તે છે, ત્યારે તે અનુભવ વાસના નિમિત્ત છે કે નિર્નિમિત્ત છે અર્થાત્ વાસનાના નિમિત્ત વગર છે ? એ પ્રકારની શંકાને દૂર કરવા માટે કહે છે – સૂત્ર :
तासामनादित्वं चाशिषो नित्यत्वात् ॥४-१०॥ સૂત્રાર્થ :
તેઓનું વાસનાઓનું, અનાદિપણું છે; કેમ કે આશિષનું અર્થાત વાસનાના કારણીભૂત એવા મહામોહરૂપ આશિપનું નિત્યપણું છે. ટીકા :
'तासामिति'-तासां-वासनानामनादित्वं न विद्यत आदिर्यस्य तस्य भावस्तत्त्वं, तासामादिर्नास्तीत्यर्थः । कुत इत्यत आह-आशिषो नित्यत्वात्, येयमाशीर्महामोहरूपा सदैव सुखसाधनानि मे भूयासुर्मा कदाचन तैर्मे वियोगो भूदिति यः सकल्पविशेषो वासनानां कारणं तस्य नित्यत्वादनादित्वादित्यर्थः । एतदुक्तं भवति-कारणस्य सन्निहितत्वादनुभवसंस्कारादीनां कार्याणां प्रवृत्तिः केन वार्यते, अनुभवसंस्काराद्यनुविद्धं सङ्कोचविकासमिचित्तं तत्तदभिव्यञ्जकविपाकलाभात् तत्तत्फलरूपतया परिणमत इत्यर्थः
ટીકાર્થ :
તાસા ... નાસ્તીત્યર્થ ! તેઓનું વાસનાઓનું, અનાદિપણું છે જેને આદિ વિદ્યમાન નથી તે અનાદિ તેનો ભાવ તે અનાદિત્વ અર્થાત્ વાસનાઓનું આદિપણું નથી એ પ્રકારનો ભાવ છે.
Page #158
--------------------------------------------------------------------------
________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | કેવલ્યપાદ | સૂત્ર-૧૦
૧૨૯ ત .... ૩૮ - કેમ વાસનાઓનું અનાદિપણું છે ? એથી કહે છે –
આશિષો ....... રૂત્યર્થ: / આશિષનું નિત્યપણું છે જે આ મહામોહરૂપ આશિષનું અર્થાત્ સદા જ સુખસાધનો મને પ્રાપ્ત થાય, તે સુખસાધનોનો મને વિયોગ ન થાય, એ પ્રકારનો જે સંકલ્પવિશેષ વાસનાનું કારણ છે તે આશિષનું, નિત્યપણું હોવાથી અનાદિપણું હોવાથી, વાસનાઓનું અનાદિપણું છે, એમ અન્વય છે. તિરૂં મવતિ – આ કહેવાયેલું થાય છે સૂત્રના કથનથી આ કહેવાયેલું થાય છે –
IRUIી....રૂાર્થ: / કરણનું સંનિહિતપણું હોવાથી અર્થાત્ અનુભવાદિની નિષ્પત્તિના કરણીભૂત એવા મહામોહરૂપ આશિષનું સંનિધાન હોવાથી, અનુભવ, સંસ્કાર આદિ કાર્યોની પ્રવૃત્તિ કોના વડે વારણ કરી શકાય ? અર્થાત્ કોઈ વડે વારણ કરી શકાય નહિ.
આ જ અર્થને સ્પષ્ટ કરે છે –
અનુભવ, સંસ્કાર આદિથી અનુવિદ્ધ સંકોચ અને વિકાસધર્મવાળું એવું ચિત્ત તે તે અભિવ્યંજના વિપાકના લાભથીeતે તે સંસ્કારોનું અભિવ્યંજક બને તેવા દેવ શરીર આદિના વિપાકના લાભથી, તે તે ફળરૂપપણાથી અર્થાત્ આશિષને અનુરૂપ તે તે અનુભવ, સ્મૃતિરૂપફળપણાથી પરિણમન પામ છે. ll૪-૧૦|| ભાવાર્થ : મહામોહરૂપ અને વાસનાના કારણીભૂત એવા આશિષનું નિત્યપણું હોવાથી વાસનાઓનું અનાદિપણું :
આત્મામાં અનાદિકાળથી મહામોહના પરિણામરૂપ આશિષ વર્તે છે, તેથી આત્માને સદા બાહ્ય એવા સુખના સાધનો મને પ્રાપ્ત થાવ, એવો સંકલ્પવિશેપ વર્તે છે અને આ સંકલ્પવિશેષને કારણે તે તે પદાર્થોને જોઈને તે તે પ્રકારનો માનસવ્યાપારરૂપ અનુભવ પ્રગટે છે અને તેનાથી તે અનુભવને અનુરૂપ વાસના પડે છે, તેથી વાસનાના કારણરૂપ આશિષ અનાદિથી છે તેમ નક્કી થાય છે.
વાસનાના કારણભૂત આશિષ અનાદિથી છે તેથી વાસનાનું અનાદિપણું છે માટે અવતરણિકામાં શંકા કરેલ કે, પ્રથમ જે અનુભવ પ્રગટે છે તે વાસના નિમિત્ત છે કે નિર્નિમિત્ત છે ? તેનું સમાધાન આ રીતે થાય છે કે જે કોઈ અનુભવ છે તે વાસના નિમિત્તે જ છે નિર્નિમિત્ત નથી; કેમ કે વાસના અનાદિની છે અને વાસના અનાદિ છે તેનું કારણ આશિષ અનાદિથી છે એ પ્રકારે ફલિત થાય છે.
આ સર્વકથનથી શું ફલિત થાય છે ? તે સ્પષ્ટ કરતાં રાજમાર્તડકાર કહે છે –
અનુભવ, સંસ્કાર અને સ્મૃતિરૂપ કાર્યોનું કારણ આશિષ છે અને આત્મામાં આશિષનું નિત્યપણું હોવાથી તે આશિષના કાર્યરૂપ અનુભવ, સંસ્કાર અને સ્મૃતિઓ કોના દ્વારા વારણ કરી શકાય ? અર્થાત્ વારણ કરી શકાય નહિ, પરંતુ અનાદિના આશિપથી અનાદિકાળથી જીવ તે તે નિમિત્તોને
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૩૦
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૧૦-૧૧ પામીને તે તે પ્રકારના અનુભવો કરે છે, તે તે અનુભવોથી તે તે પ્રકારના સંસ્કારો જીવમાં પડે છે. અને તે સંસ્કારોને અનુરૂપ સ્મૃતિ થાય છે અને તે સ્મૃતિથી સંસ્કારો પડે છે આ પ્રકારે અનાદિથી ક્રમ ચાલે છે.
આ પદાર્થને સ્પષ્ટ કરતાં રાજમાર્તડકાર કહે છે કે, અનુભવ, સંસ્કાર આદિથી અનુવિદ્ધ એવું સંકોચ, વિકાસ ધર્મવાળું ચિત્ત છે અર્થાત અનાદિકાળથી આશિષને કારણે થતા અનુભવો અને તેના સંસ્કારો તેનાથી થતી સ્મૃતિઓ, તેનાથી યુક્ત ચિત્ત છે. તે ચિત્ત મનુષ્ય, દેવાદિ ભાવોમાં જીવ આવે ત્યારે તે તે પ્રકારના વિકાસ ધર્મવાળું બને છે અને કીડી, મકોડા આદિ પશુ ભવોમાં જીવ જાય છે ત્યારે તે તે પ્રકારના સંકોચધર્મવાળું બને છે, અને તે તે ભવમાં પ્રાપ્ત થયેલા દેહારિરૂપ અભિવ્યંજકના વિપાકના લાભથી તે ચિત્ત તે તે ફળરૂપે પરિણમન પામે છે અર્થાત્ તે તે પ્રકારના અનુભવ અને તે તે પ્રકારની સ્મૃતિરૂપ પરિણમન પામે છે. ll૪-૧૦ના અવતરણિકા :
तासामानन्त्याद्धानं कथं सम्भवतीत्याशङ्कय हानोपायमाह - અવતરણિકાર્ય :
તેઓનું વાસનાઓનું, અનંતપણું હોવાથી અનંતકાળથી પ્રવાહરૂપે વાસના પ્રવર્તતી હોવાથી, હાન કેવી રીતે સંભવે ? તે પ્રકારની આશંકા કરીને હાનના ઉપાયને વાસનાના ત્યાગના ઉપાયને, કહે છે –
સૂત્ર :
हेतुफलाश्रयालम्बनैः सङ्गृहीतत्वादेषामभावे तदभावः ॥४-११॥ સૂત્રાર્થ :
હેતુ, ફળ, આશ્રય અને આલંબનથી સંગૃહીતપણું હોવાથી અર્થાત્ વાસનાઓનું સંગૃહીતપણું હોવાથી, એમના અભાવમાં હેત, ફળ, આશ્રય અને આલંબનના અભાવમાં, તેનો અભાવ છે=વાસનાઓનો અભાવ છે. II૪-૧૧|| ટીકાઃ ___ 'हेत्विति'-वासनानामनन्तरानुभवो हेतुस्तस्याप्यनुभवस्य रागादयस्तेषामविद्येति साक्षात् पारम्पर्येण हेतुः, फलं शरीरादि स्मृत्यादि च, आश्रयो बुद्धिसत्त्वम्, आलम्बनं यदेवानुभवस्य तदेव वासनानाम्, अतस्तैर्हेतुफलाश्रयालम्बनैरनन्तानामपि वासनानां सङ्ग्रहीतत्वात् तेषां हेत्वादीनामभावे ज्ञानयोगाभ्यां दग्धबीजत्वे विहिते निर्मूलत्वान्न वासनाः प्ररोहन्ति न #ાર્યપારમન્ત તિ તારા૫માવ: I૪-૨
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૩૧
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૧૧ ટીકાર્ય :
વીસનાનામ્ ..... ૩૧મીવ: વાસનાઓનો અનંતર અનુભવ અર્થાત્ જે વાસના પડેલી છે તેની પૂર્વનો અનુભવ હેતુ છે તે પણ અનુભવનો હેતુ રાગાદિ છે. તેઓનો=રાગાદિનો, હેતુ અવિદ્યા છે. એ પ્રમાણે સાક્ષાત્ પરંપરાથી હેતુ છે અર્થાત્ વાસનાઓનો હેતુ છે.
ફળ અર્થાત્ વાસનાઓનું ફળ શરીરાદિ અને મૃત્યાદિ છે અર્થાત્ વાસનાઓથી જાતિ, આયુષ્ય અને ભોગરૂપ ફળ પ્રાપ્ત થાય છે, તેથી શરીર આદિ ફળ છે અને વાસનાથી પૂર્વના અનુભવની સ્મૃતિ થાય છે અને વાસનાનુસાર પ્રવૃત્તિ થાય છે તે વાસનાઓનું ફળ છે.
આશ્રય અર્થાત્ વાસનાઓનો આશ્રય બુદ્ધિસત્ત્વ છે. આલંબન અર્થાત્ વાસનાઓનું આલંબન જે અનુભવનું આલંબન છે તે જ વાસનાઓનું આલંબન છે, આથી તેઓ વડે હેતુ, ફળ, આશ્રય અને આલંબન વડે, અનંત પણ વાસનાઓનું સંગૃહીતપણું હોવાથી આ ચાર ભેદોથી અનંત પણ વાસનાઓનું નિયંત્રિતપણું હોવાથી, તે હેતુ આદિના અભાવમાં અર્થાત્ વાસનાઓના હેતુ, ફળ, આશ્રય અને આલંબનના અભાવમાં, જ્ઞાન અને યોગ દ્વારા દગ્ધબીજાપણું કરાયે છતે નિર્માપણું હોવાથી વાસના પ્રરોહ પામતી નથી-વાસના કાર્યનો આરંભ કરતી નથી, એથી તેઓનો અભાવ છે અર્થાત્ દગ્ધબીવાળી વાસના કરાયે છતે વાસનાના ફળ, સ્મૃતિ અને તેના ફળરૂપ અન્ય વાસનાઓરૂપ કાર્યનો અભાવ થાય છે, તેથી વાસનાનો અભાવ છે. ૪-૧૧ ભાવાર્થ : હેતુ, ફળ, આશ્રય અને આલંબનથી વાસનાઓનું સંગૃહીતપણું હોવાથી, હેતુ, ફળ, આશ્રય અને આલંબનના અભાવમાં વાસનાઓનો અભાવ:
આત્મામાં અનંતકાળથી વાસનાનો પ્રવાહ ચાલે છે અને તે વાસનાના ફળરૂપે સ્મૃતિ થાય છે, તે સ્મૃતિથી ફરી વાસના પડે છે. આ રીતે વાસનાનો પ્રરોહ હોવાથી તે વાસનાનો નાશ કઈ રીતે થઈ શકે ? તેથી તે વાસનાના નાશના ઉપાયોને બતાવે છે – વાસનાઓનો હેતુ :
આત્મામાં જે કોઈ વાસના પડે છે, તેનો અનંતર અનુભવ તે વાસનાનો હેતુ છે અને તે અનુભવ થવાનું કારણ આત્મામાં રાગાદિ પડેલા છે; કેમ કે રાગાદિ પરિણામવાળો જીવ તે તે વિષયોમાંથી તે તે પ્રકારના સ્વાદ આદિનો અનુભવ કરે છે અને તેનાથી આત્મામાં વાસના પડે છે.
વળી તે અનુભવનું કારણ એવા રાગાદિ આત્મામાં કેમ થાય છે ? તેથી કહે છે –
આત્મામાં અવિદ્યા છે અર્થાત અજ્ઞાન છે=આત્માને પોતાના મૂળ સ્વરૂપનું અજ્ઞાન છે, અને અશુચિમાં શુચિ વગેરે વિપરીત બુદ્ધિઓ વર્તે છે અને તેનાથી આત્મામાં રાગ-દ્વેષાદિના પરિણામો થાય છે અને તેના કારણે બાહ્ય પદાર્થોનો તે તે સ્વરૂપે અનુભવ થાય છે અને તેથી વાસના નિષ્પન્ન
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૩૨
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૧૧-૧૨ થાય છે. આ પ્રમાણે વાસનાનો સાક્ષાત્ હેતુ અનંતર અનુભવ છે અને પરંપરાએ હેતુ રાગાદિ અને અવિદ્યા છે. વાસનાનું ફળ :
પાતંજલમતાનુસાર વાસના બે પ્રકારની છે – (૧) જાતિ, આયુષ્ય અને ભોગફળવાળી અને (૨) સ્મૃતિફળવાળી છે. એથી પાતંજલમતાનુસાર વાસનાનું ફળ શરીરાદિની પ્રાપ્તિ અને સ્મૃતિ આદિની પ્રાપ્તિ છે. વાસનાનો આશ્રય :
પાતંજલમતાનુસાર વાસના બુદ્ધિમાં પડે છે, તેથી વાસનાનો આશ્રય બુદ્ધિસત્ત્વ છે. વાસનાનું આલંબન :
પાતંજલમતાનુસાર જે અનુભવનું આલંબન છે તે જ વાસનાનું આલંબન છે અર્થાત્ જે વસ્તુને અવલંબીને અનુભવ થયો હોય તે જ આલંબનવાળી વાસના પડે છે.
આ રીતે આત્મામાં જે કાંઈ વાસના પડે છે તે સર્વનો સંગ્રહ હેતુ, ફળ, આશ્રય અને આલંબન છે. આત્મામાં પૂર્વની વાસનાઓ પડેલી હોવા છતાં વાસનાના હેતુ, ફળાદિનો અભાવ પ્રાપ્ત થાય તો તે વાસના અનુભવાબ્દિરૂપે પ્રરોહ પામતી નથી.
પૂર્વની વાસના ફરી અનુભવારિરૂપે પ્રગટ ન થાય તેનો ઉપાય શું છે? એથી કહે છે –
કોઈ યોગી જ્ઞાન અને યોગ દ્વારા અર્થાત્ સમ્યજ્ઞાન અને સમ્યવ્યાપાર દ્વારા વાસનાને દગ્ધબીજ-વાળી કરે તો તે યોગીમાં વર્તતી વાસના મૂળ વગરની થવાથી પોતાનું કાર્ય આરંભ કરતી નથી.
આશય એ છે કે, બુદ્ધિમાં અનાદિની વાસનાઓ પડેલી છે, આમ છતાં યોગીને સમ્યગુ બોધ થાય કે અવિદ્યાને કારણે મને રાગાદિ થાય છે અને તેનાથી વાસના ઉત્પન્ન થાય છે, તેના ફળરૂપે સંસારની આ સર્વ કદર્થના છે અને આવું જ્ઞાન થવાથી તે યોગી યોગમાર્ગની ઉચિત પ્રવૃત્તિ કરીને ચિત્તનો નિરોધ કરે તો ચિત્તમાં વર્તતી વાસનાઓ દગ્ધબીજવાળી બને છે અને દગ્ધબીજવાળી વાસનાઓ ફરી તે પ્રકારના સ્મૃતિ આદિ દ્વારા અનુભવોને ઉત્પન્ન કરતી નથી. એથી પૂર્વમાં જે વાસનાના અનંતકાળનો પ્રવાહ અત્યાર સુધી ચાલતો હતો તે બંધ થાય છે, કેમ કે પૂર્વની વાસનાઓ તે પ્રકારની સ્મૃતિ કરાવીને ભોગાદિમાં પ્રવૃત્તિ કરાવવા માટે અસમર્થ બને છે, માટે તે વાસનાનો અભાવ પ્રાપ્ત થાય છે. ll૪-૧૧TI અવતરણિકા :
ननु प्रतिक्षणं चित्तस्य नश्वरत्वात् तरतमत्वोपलब्धेर्वासनानां तत्फलानां च कार्यकारणभावेन युगपदभावित्वाद्भेदे कथमेकत्वमित्याशङ्कयैकत्वसमर्थनायाऽऽह --
Page #162
--------------------------------------------------------------------------
________________
૧૩૩
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૧૨ અવતરણિકાર્ય :
પ્રતિક્ષણ ચિત્તનું નશ્વરપણું હોવાથી; કેમ કે તરતમાતાની ઉપલબ્ધિ છે અર્થાત્ ચિત્તમાં તરતમપણાની પ્રાપ્તિ છે અને વાસનાઓ અને તેના ફળોનો કર્ય-કારણભાવ હોવાને કારણે યુગપએકીસાથે, અભાવિપણું હોવાથી ભેદ હોતે છતે પ્રતિક્ષણ ચિત્તનો ભેદ હોતે છતે, કેવી રીતે એકત્વ છેઃ પાતંજલયોગસૂત્ર ૪-ભાં કહાં એ પ્રમાણે સ્મૃતિ અને સંસ્કારમાં અનુસંધાતૃરૂપે ચિત્તનું એકપણે કેવી રીતે છે? એ પ્રકારની આશંકથી એકત્વના સમર્થન માટે ચિત્તના એકત્વના સમર્થન માટે, પતંજલિઝષિ કહે છે – ભાવાર્થ :
પાતંજલ યોગસૂત્ર ૪-૯માં કહેલું કે, સ્મૃતિ અને સંસ્કારનું એકરૂપપણું છે અને તે પદાર્થને સ્પષ્ટ કરતાં રાજમાર્તડવૃત્તિકારે કહેલું કે, સંસ્કાર સ્મૃતિરૂપે પરિણામ પામે છે ત્યારે તે સંસ્કાર અને સ્મૃતિ વચ્ચે એક ચિત્તનું અનુસંધાતૃપણું છે, તેથી સ્મૃતિ અને સંસ્કાર વચ્ચે કાર્ય-કારણભાવ દુર્ઘટ નથી. આનાથી એ ફલિત થાય છે કે, અનુભવ સંસ્કારરૂપે થાય છે અને સંસ્કાર સ્મૃતિરૂપે પરિણમન પામે છે તે વખતે તે સર્વમાં અનુગત એક ચિત્ત છે ભિન્ન ભિન્ન ચિત્ત નથી. ત્યાં નનુથી શંકા કરતાં કોઈ કહે છે –
પ્રતિક્ષણ ચિત્તનું નશ્વરપણું છે, કેમ કે ચિત્તમાં તરતમપણાની પ્રાપ્તિ છે અર્થાત્ કોઈપણ પદાર્થવિષયક ચિત્ત ઉપયોગવાળું હોય છે ત્યારે કોઈક વખત તીવ્ર ઉપયોગ દેખાય છે તો ક્યારેક મંદ ઉપયોગ દેખાય છે, તેથી નક્કી થાય છે કે ચિત્ત પ્રથમ ક્ષણમાં જે હતું તેનાથી બીજી ક્ષણમાં અન્ય ચિત્ત પ્રાપ્ત થાય છે. વળી ચિત્તમાં જે વાસના છે તેનું ફળ જે સ્મૃતિ આદિ થાય છે તે બંને વચ્ચે કાર્ય-કારણભાવ છે, તેથી કારણ અને કાર્ય એક સાથે હોઈ શકે નહિ માટે નક્કી થાય છે કે, વાસનાવાળું ચિત્ત જુદું છે અને ફળવાળું ચિત્ત જુદું છે. આ રીતે ચિત્તનો ભેદ પ્રાપ્ત થતો હોય તો સંસ્કાર અને સ્મૃતિના અનુસંધાતૃરૂપે=અનુસંધાન કરનાર રૂપે એક ચિત્ત છે, એમ કઈ રીતે કહી શકાય? આવી આશંકાના નિરાકરણ અર્થે અનુભવ અને વાસના વચ્ચે અનુસંધાન કરનાર ચિત્ત એક છે, તેના સમર્થન માટે કહે છે – સૂત્ર :
अतीतानागतं स्वरूपतोऽस्त्यध्वभेदाद् धर्माणाम् ॥४-१२॥ સૂત્રાર્થ :
ધર્મોનો અધ્યભેદ હોવાને કારણે ચિત્તમાં વર્તતા ધર્મોમાંથી કેટલાક ઘમ અતીતમાં છે, કેટલાક ઘમ વર્તમાનમાં છે, કેટલાક ધર્મો ભવિષ્યમાં છે, તેથી ધર્મોનો અધ્વભેદ હોવાને કારણે, અતીત, અનાગત સ્વરૂપથી છે અર્થાત અતીત વસ્તુ અને અનાગત વસ્તુ ચિત્તમાં વર્તમાનમાં સ્વરૂપથી છે. ll૪-૧ચા
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૩૪
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૧૨ ટીકા :
'अतीतेति'-इहात्यन्तमसतां भावानामुत्पत्तिर्न युक्तिमती तेषां सत्त्वसम्बन्धायोगात्, न हि शशविषाणादीनां क्वचिदपि सत्त्वसम्बन्धो दृष्टः, निरुपाख्ये च कार्ये किमुद्दिश्य कारणानि प्रवर्तेरन्, न हि विषयमनालोच्य कश्चित् प्रवर्तते, सतामपि विरोधान्नाभावसम्बन्धोऽस्ति, यत्स्वरूपेण लब्धसत्ताकं तत्कथं निरुपाख्यतामभावरूपतां वा भजते न विरुद्धं रूपं स्वीकरोतीत्यर्थः, तस्मात् सतामभावासम्भवादसतां चोत्पत्त्यसम्भवात्तैर्धमॆर्विपरिणममानो धर्मी सदैवैकरूपतयाऽवतिष्ठते, धर्मास्तु त्र्यध्वकत्वेन त्रैकालिकत्वेन व्यवस्थिताः स्वस्मिन् स्वस्मिन्नध्वनि व्यवस्थिता न स्वरूपं त्यजन्ति, वर्तमानेऽध्वनि व्यवस्थिताः केवलं भोग्यतां भजन्ते, तस्माद्धर्माणामेवातीतानागताद्यध्वभेदस्तेनैव रूपेण कार्यकारणभावोऽस्मिन् दर्शने प्रतिपाद्यते, तस्मादपवर्गपर्यन्तमेकमेव चित्तं धर्मितयाऽनुवर्तमानं न निह्नोतुं પાર્વતે ૪-૨૨ા ટીકાર્ય :
રૂદ..... પ્રવર્તેરન્ અહીં જગતમાં, અત્યંત અવિદ્યમાન ભાવોની ઉત્પત્તિ યુક્તિવાળી નથી; કેમ કે તેઓના=અત્યંત અસત્ ભાવોના, સર્વસંબંધનો અયોગ છે. જે કરણથી શશવિષાણ આદિનો= શશશ્ચંગ વગેરેનો, ક્યારેય પણ સત્ત્વસંબંધ જોવાયો નથી. અને નિરુપાખ્યાર્યમાં કોને ઉદ્દેશીને કારણો પ્રવર્તે અર્થાત્ સર્વથા અસત્ એવા નિરુપાખ્ય કાર્યમાં કારણો પ્રવર્તે નહીં. કેમ નિરુપાખ્ય કાર્યમાં કારણો પ્રવર્તે નહીં ? તેથી કહે છે –
દિ... પ્રવર્તત, વિષયનું અનાલોચન કરીને આલોચન કર્યા વગર, અર્થાત્ મારી પ્રવૃત્તિનું ફળ આ વિષય છે, તેવો નિર્ણય કર્યા વગર કોઈ પણ પ્રવર્તતું નથી.
પૂર્વમાં સર્વથા અસત્ ઉત્પન્ન થતું નથી તે યુક્તિથી સ્થાપન કર્યું. હવે વિદ્યમાનનો સર્વથા અભાવ થતો નથી. તે યુક્તિથી બતાવવા અર્થે કહે છે –
સતામપિ પાર્વત | સત્નો પણ વિરોધ હોવાથી અર્થાત્ સત્નો પણ અભાવ સાથે વિરોધ હોવાથી અભાવનો સંબંધ નથી, અર્થાત્ સને અભાવની સાથે સંબંધ નથી, જે કારણથી સ્વરૂપથી લબ્ધ પ્રાપ્ત સત્તાવાળું, એવું સત્ નિરુપાખ્યતાને અથવા અભાવરૂપતાને કેવી રીતે પ્રાપ્ત કરે ? અર્થાત્ વિરુદ્ધરૂપનો સ્વીકાર કરતું નથી, તે કારણથી અસત્ ઉત્પન્ન થતું નથી અને સનો અભાવ સાથે સંબંધ થતો નથી તે કારણથી, સના અભાવનો અસંભવ હોવાના કારણે અને અસત્ની ઉત્પત્તિનો અસંભવ હોવાના કારણે તે ધર્મો વડે વિપરિણમકાન વિપરિણામ પામતો, એવો ધર્મી સદા જ એકરૂ૫૫ણા વડે અવસ્થિત રહે છે.
Page #164
--------------------------------------------------------------------------
________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૧૨ | સૂત્ર-૧૨ની ઉપા. મ.સા.ની ટિપ્પણી ૧૩૫
વળી ધર્મો ત્રણ અધ્યકત્વરૂપે ત્રાલિક છે, તે વૈકાલિકરૂપે અવસ્થિત એવા ધર્મો સ્વ-સ્વ અધ્વમાં રહેલા સ્વરૂપનો ત્યાગ કરતાં નથી. કેવલ વર્તમાન અધ્વમાં રહેલા ભોગ્યતાને પ્રાપ્ત કરે છે. તે કારણથી=ધર્મી સદા એકરૂપ રહે છે અને ધર્મો ત્રણ અધ્વકત્વરૂપે વૈકાલિક છે તે કારણથી, ધર્મોનો જ અતીત-અનાગતું આદિ અધ્વભેદ છે તે જ રૂપે=ધનો અતીત-અનાગતાદિ અધ્વભેદ છે તે જ રૂપે, કાર્ય-કારણભાવ આ દર્શનમાં પાતંજલદર્શનમાં, પ્રતિપાદન કરાય છે. તે કારણથી પૂર્વમાં સ્થાપન કર્યું તે રીતે અસત્ ઉત્પન્ન થતું નથી અને સત્ એવા ધર્મો અધ્વભેદથી રહેલા છે તે કારણથી, અપવર્ગ સુધી એક જ ચિત્ત ધર્મીપણાથી અનુવર્તમાન અપલાપ કરી શકાતું નથી. I૪-૧૨ા. ભાવાર્થ : ધર્મોનો અધ્વભેદ હોવાને કારણે ચિત્તમાં અતીત, અનાગત વસ્તુ સ્વરૂપથી વિધમાન :
પાતંજલદર્શનકાર સત્કાર્યવાદી છે, તેથી તેઓના મતે સત્ વસ્તુ જ કોઈક અવસ્થાનો ત્યાગ કરીને અન્ય અવસ્થારૂપે પરિણમન પામે છે અને સત્ એવી વસ્તુમાં જે ધર્મો છે તે સૈકાલિકવિષયવાળા છે. ફક્ત તે ધર્મો જે વર્તમાનમાં છે તે ભૂત બને છે અને ભવિષ્યના જે ધર્મો છે તે વર્તમાનરૂપે થાય છે. આ રીતે અતીત અને અનાગત એવા ધમ સ્વરૂપથી વસ્તુમાં વિદ્યમાન છે. ફક્ત તે ધર્મોનો અધ્વભેદ છે અર્થાત્ અતીતધર્મો અતીત અધ્વમાં વિદ્યમાન છે, વર્તમાન ધ વર્તમાન અધ્વમાં વિદ્યમાન છે અને અનાગત ધર્મો અનાગત અધ્વમાં વિદ્યમાન છે, તેથી ધર્મો પણ સદા રહેનારા છે. ફક્ત વર્તમાન અધ્વમાં રહેનારા ધર્મો ભોગ્યપણાને પામે છે, તેથી પાતંજલમતાનુસાર સંસારી જીવોનું ચિત્ત અનાદિનું છે, પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલું છે અને મોક્ષ પ્રાપ્તિ સુધી તે એક જ ચિત્ત ધરૂપે અનુવર્તમાન છે. ફક્ત તે ચિત્તનો તે તે ક્ષણમાં તે તે અનુભવરૂપ ધર્મ આવિર્ભાવ પામે છે અને તે અનુભવ જ સંસ્કારરૂપે પરિણમન પામે છે ત્યારે તે વર્તમાનનો અનુભવ અતીત અધ્વમાં પ્રવેશ પામે છે અને તે સંસ્કાર જ્યારે સ્મૃતિરૂપે થાય છે ત્યારે તે સ્મૃતિ વર્તમાન અધ્વમાં આવે છે. વળી તે સ્મૃતિથી સંસ્કાર પડે છે ત્યારે તે સ્મૃતિ અતીત અધ્વમાં પ્રવેશ પામે છે. આ પ્રકારે સ્વીકારવાથી ધર્મો પણ અતીત, અનાગત અધ્વરૂપ સ્વરૂપથી વિદ્યમાન જ છે તે ફલિત થાય છે. તે ધર્મોનો આધાર એવું ધર્મ ચિત્ત મોક્ષપ્રાપ્તિ સુધી વિદ્યમાન રહે છે. જયારે સાધના કરીને યોગી મોક્ષને પ્રાપ્ત કરે છે ત્યારે પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલું ચિત્ત પ્રકૃતિમાં લીન થાય છે. ll૪-૧૨ા. પાતંજલયોગસૂત્ર ૪-૧૨ ઉપર પૂજય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબની ટિપ્પણરૂપ વ્યાખ્યા : ___[य.] व्याख्या-द्रव्यपर्यायात्मनैवाध्वत्रयसमावेशो युज्यते नान्यथा, निमित्तस्वरूपभेदस्य परेणाप्यवश्याश्रयणीयत्वात्, तथा नाभूत्वाऽभावोऽभावस्यापि, अतः पर्यायद्रव्यस्वरूपाभ्यां स्याद्वाद एव युक्तोऽन्यथा प्रतिनियतवचनव्यवहाराद्यनुपपत्तेरिति तु श्रद्धेयं सचेतसा ॥
Page #165
--------------------------------------------------------------------------
________________
૧૩૬
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૧૨ની ઉપા. મ.સા.ની ટિપ્પણી અર્થ :
દ્રવ્યપર્યાય....સતસT I દ્રવ્ય-પર્યાયરૂપે જ અધ્વત્રયનો-ત્રણ માર્ગનો, સમાવેશ ઘટે છે, અન્યથા નહીં ચિત્તરૂપી ધર્મીમાં જે અધ્વત્રિયનો=અતીત, અનાગત અને વર્તમાનરૂપ ત્રણ માર્ગનો, સમાવેશ પતંજલિઋષિ સ્વીકારે છે તે ચિત્તને દ્રવ્યરૂપ અને ધર્મોને પર્યાયરૂપ સ્વીકારવાથી જ ધર્મોના અતીત, અનાગત અને વર્તમાનરૂપ ત્રણ અધ્વ=ત્રણ માર્ગ, ઘટે છે અન્યથા ઘટે નહીં, કેમ કે નિમિત્તવડે સ્વરૂપભેદનો અનાગત અધ્વમાં રહેલા ભાવોનું અનુષ્ઠાનરૂપ નિમિત્ત વડે વર્તમાનીકરણરૂપ સ્વરૂપભેદનો, પર વડે પણ અવશ્ય આશ્રણીયપણું છે અને તે રીતે દ્રવ્ય, પર્યાયરૂપ અધ્વત્રય સ્વીકાર્યો તે રીતે, અભાવનું પણ વર્તમાનમાં અતીત અનાગત ધર્મોના અભાવનું પણ, અભૂત્વરૂપે અભાવ નથી=સર્વથા અસત્ થવારૂપે અભાવ નથી, આથી પર્યાય-દ્રવ્યસ્વરૂપ દ્વારા સ્યાદ્વાદ જયુક્ત છે; કેમ કે અન્યથા પર્યાયદ્રવ્યરૂપ સ્યાદ્વાદ ન સ્વીકારવામાં આવે અને દ્રવ્યરૂપે ચિત્ત અન્વયી છે માટે ત્રિકાળવિષયવાનું છે તેમ ધર્મો પણ ત્રિકાળવિષયવાળા છે તેમ સ્વીકારવામાં આવે તો, પ્રતિનિયત વચનવ્યવહાર આદિની અનુપપત્તિ છે અર્થાત્ આ અનુભવ છે, આ વાસના છે, આ સ્મૃતિ છે એ પ્રકારનાં પ્રતિનિયત વ્યવહારઆદિની અનુપપત્તિ છે, એ પ્રકારે વળી બુદ્ધિમાન પુરુષે શ્રદ્ધા કરવી જોઈએ. ભાવાર્થ:
પાતંજલદર્શનકાર સત્કાર્યવાદને સ્વીકારે છે, અસત્કાર્યવાદને સ્વીકારતા નથી, તેથી ચિત્તરૂપ ધર્મીમાં રહેલા ધર્મો તે તે નિમિત્તથી અનુભવરૂપે આવિર્ભાવ પામે છે, ત્યાર પછી તે અનુભવ વાસનારૂપે પરિણમન પામે છે ત્યારે તે અનુભવ અતીત અધ્વમાં પ્રવેશ પામે છે અને વાસના વર્તમાન અધ્વમાં આવે છે. વાસના સ્મૃતિરૂપે પરિણમન પામે છે ત્યારે સ્મૃતિ વર્તમાન અધ્વમાં આવે છે અને અનુભવ વાસના, સ્મૃતિ આદિ ધર્મોને પણ સૈકાલિક સ્વીકારે છે તે કથન સર્વથા યુક્ત નથી તે બતાવવા માટે પૂજય ઉપાધ્યાયજી યશોવિજયજી મહારાજ કહે છે – નિમિત્ત વડે સ્વરૂપભેદનું પાતંજલદર્શનકાર વડે આશ્રયણીયપણું હોવાથી દ્રવ્ય-પર્યાયસ્વરૂપે અધ્વત્રિયનો સમાવેશ યુક્ત ઃ
દ્રવ્ય-પર્યાયસ્વરૂપે જ અધ્વત્રયનો ત્રણ માર્ગનો સમાવેશ ઘટે છે અર્થાત્ પર્યાયસ્વરૂપે રહેલા ચિત્તના ધર્મો દ્રવ્યસ્વરૂપે ત્રણેય કાળમાં છે અને પર્યાયસ્વરૂપે જે કાળમાં જે ધર્મ વિદ્યમાન છે તે જ ધર્મ છે તેમ સ્વીકારવાથી ઘટે છે, અન્યથા ઘટે નહીં=જેમ પાતંજલદર્શનકાર સ્વીકારે છે તે રીતે ઘટે નહીં; કેમ કે વર્તમાન અધ્વમાં રહેલ પર્યાય અતીત અધ્વમાં પર્યાયરૂપે નથી, દ્રવ્યરૂપે જ છે અને અનાગત અધ્વમાં રહેલ પર્યાય પણ વર્તમાન અધ્વમાં પર્યાયરૂપે નથી પરંતુ ચિત્તદ્રવ્યરૂપે જ છે, તેમ માનવાથી સંગત થાય છે.
કેમ દ્રવ્ય-પર્યાયરૂપે અધ્વત્રયનો સમાવેશ થઈ શકે ? તેમાં હેતુ કહે છે – નિમિત્ત વડે સ્વરૂપભેદનું પરવડે આશ્રયણીયપણું છે. આશય એ છે કે, અનુષ્ઠાન કરનાર પુરુષ અનુષ્ઠાનના નિમિત્તે જે અનાગત અધ્વમાં રહેલ ધર્મને વર્તમાનરૂપે કરે છે તે વર્તમાની કરણરૂપ
Page #166
--------------------------------------------------------------------------
________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ / સૂત્ર-૧૨ની ઉપા. મ.સા.ની ટિપ્પણી
સ્વરૂપભેદ પરવડે પણ અવશ્ય સ્વીકારવો જોઈએ અને તેમ સ્વીકારે તો તે અનાગત અધ્ય વર્તમાનરૂપે થયો ત્યારે તે વર્તમાનનો પર્યાય ત્રિકાળવિષયવાળો દ્રવ્યસ્વરૂપે કહી શકાય, પરંતુ પર્યાયસ્વરૂપે કહી શકાય નહીં. માટે પાતંજલદર્શનકારે ધર્મોને ત્રિકાળવિષયવાળા કહેવા હોય તો દ્રવ્યરૂપે કહી શકે અને તે અનાગત ધર્મો તે તે નિમિત્તથી વર્તમાન અધ્વને પામે છે તે કથન પર્યાયને સ્વીકારવાથી સંગત થાય અર્થાત્ પૂર્વનો પર્યાય નાશ પામ્યો ત્યારે વર્તમાનમાં નવો પર્યાય આવે છે તેથી જે અનાગત ધર્મ હતો તે વર્તમાનને પામે છે માટે પૂર્વ પર્યાયનો નાશ અને વર્તમાન પર્યાયનો ઉત્પાદ, પર્યાયને સ્વીકારવાથી સંગત થાય છે.
આનાથી શું ફલિત થાય છે કે કહે છે
-
૧૩૦
દ્રવ્ય-પર્યાયરૂપે અધ્યત્રયનો સમાવેશ હોવાથી અતીત અને અનાગત અધ્વમાં રહેલ એવા અભાવનો પણ સર્વથા અભાવ ન હોવાથી પર્યાય અને દ્રવ્યસ્વરૂપથી સ્યાદ્વાદ સંગત :
દ્રવ્ય-પર્યાયરૂપે અધ્વત્રયનો સમાવેશ સ્વીકારવાથી અતીત અધ્વમાં રહેલ અને અનાગત અધ્યમાં રહેલ એવા અભાવનું પણ અભૂત્વરૂપે અભાવ નથી=સર્વથા અભાવ નથી, પરંતુ કોઈક સ્વરૂપે અભાવ છે અર્થાત્ જેમ ક્ષણિકવાદી બૌદ્ધ ઘટનો અભાવ થાય છે તે અભૂત્વરૂપે અભાવ સ્વીકારે છે અર્થાત્ ઘટ સર્વથા અસત્ થાય છે તેમ સ્વીકારે છે તેવો અભાવ અતીત, અનાગત ધર્મોનો નથી પરંતુ વર્તમાનપર્યાયરૂપે અતીત, અનાગત ધર્મોનો અભાવ છે અને દ્રવ્યરૂપે તે અતીત, અનાગત ધર્મોનો ભાવ છે. આ રીતે સ્વીકારવાથી પર્યાય અને દ્રવ્યસ્વરૂપ સ્યાદ્વાદ જ યુક્ત છે અર્થાત્ અતીત, અનાગત ધર્મોનો વર્તમાન પર્યાયરૂપે અભાવ છે અને દ્રવ્યસ્વરૂપે ભાવ છે. એ પ્રકારનો સ્યાદ્વાદ જ યુક્ત છે.
અન્યથા=એમ ન સ્વીકારીએ તો=અતીત અને અનાગત ધર્મો દ્રવ્યરૂપે વિદ્યમાન છે, પર્યાયરૂપે નથી એમ ન સ્વીકારીએ તો, અને ચિત્તમાં રહેલા ધર્મો અધ્વભેદથી ત્રિકાળવર્તી છે એમ સ્વીકારીએ તો પ્રતિનિયત વચન વ્યવહાર વગેરેની અનુપપત્તિ છે અર્થાત્ અત્યારે ચિત્તમાં અનુભવ વર્તે છે, ત્યારપછી તે અનુભવ વાસનારૂપે પરિણમન પામે છે અને તે વાસના સ્મૃતિરૂપે પરિણમન પામે છે તે પ્રકારનો પ્રતિનિયત વચનવ્યવહાર થાય છે તેની સંગતિ થાય નહિ.
આશય એ છે કે, વર્તમાનમાં જે વસ્તુનો અનુભવ થાય છે, તે અનુભવ વાસના નથી, પરંતુ વર્તમાનના અનુભવથી વાસના થાય છે અને બીજી ક્ષણમાં જે વાસના છે તે અનુભવ નથી, તેવો વ્યવહાર પ્રવર્તે છે તેને સંગત કરવો હોય તો પર્યાયરૂપે ભાવોનું પરિવર્તન છે અને દ્રવ્યરૂપે તે સર્વભાવો ત્રિકાલવર્તી છે તેમ સ્વીકારવામાં આવે તો પ્રતિનિયત વચનવ્યવહા૨ થઈ શકે એ પ્રમાણે પદાર્થને જોવાની નિર્મળ દૃષ્ટિવાળા પુરુષે શ્રદ્ધા કરવી જોઈએ.
નોંધ : પાતંજલયોગસૂત્ર ૪-૧૨ ઉપરનું આ પૂજય ઉપાધ્યાય યશોવિજયજી મ.નું કથન પ્રસ્તુત પાતંજલયોગસૂત્ર ૪-૧૨ના ભાષ્યને સામે રાખીને કહેલ છે. તે પ્રમાણે કોઈક સ્થાને પાઠમાં અશુદ્ધિ જણાય છે તે અશુદ્ધિ સ્વમતિ અનુસાર સુધારીને સંગત જણાય તે મુજબ અહીં લખેલ છે અને તે પ્રમાણે અર્થ કરેલ છે, તેથી બહુશ્રુતોએ ઉચિત નિર્ણય કરીને આ વ્યાખ્યાનો અર્થ કરવો.
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૩૮
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૧૩ અવતરણિકા :
त एते धर्मधर्मिणः किंरूपा इत्यत आह - અવતરણિકાઈ:
તે આ ધર્મ-ધર્મી પૂર્વમાં કહ્યું કે ચિત્તરૂપ ધર્મી અન્વયી છે, તેમાં અધ્વભેદથી જુદા જુદા ધર્મો રહેલા છે તે આ ધર્મ-ધર્મી, કેવા સ્વરૂપવાના છે ? એથી કહે છે –
સૂત્ર :
તે વ્યસૂક્ષ્મ ગુણાત્માન: I૪-૨રૂા.
સૂત્રાર્થ :
તે જે ધર્મ-ધર્મી પૂર્વમાં કહેવાયા તે, વ્યક્ત સૂક્ષ્મભેદવાળા ગુણસ્વરૂપ છે. I૪-૧૩ ટીકાઃ
'त इति'-य एते धर्मधर्मिणः प्रोक्तास्ते व्यक्तसूक्ष्मभेदेन व्यवस्थिता गुणाः सत्त्वरजस्तमोरूपास्तदात्मानस्तत्स्वभावास्तत्परिणामरूपा इत्यर्थः, यतः सत्त्वरजस्तमोभिः सुखदुःखमोहरूपैः सर्वासां बाह्याभ्यन्तरभेदभिन्नानां भावव्यक्तीनामन्वयानुगमो दृश्यते, यद्यदन्वयि तत्तत्परिणामरूपं दृष्टं यथा घटादयो मृदन्विता मृत्परिणामरूपाः ॥४-१३॥ ટીકાઈ:
ય મૃત્વરિVITમરૂપ છે જે આ ધર્મ, ધર્મી કહેવાયા તે ધર્મ-ધર્મી, વ્યક્ત અને સૂક્ષ્મભેદથી વ્યવસ્થિત છે. સત્ત્વ, રજસ્ અને તમોરૂપ જે ગુણો તદાત્મરૂપ છે તસ્વભાવરૂપ છે તત્પરિણામરૂપ છે એ પ્રકારનો અર્થ છે.
જે કારણથી સત્વ, રક્સ અને તમસ્વરૂપ સુખ, દુ:ખ અને મોહરૂપ વડે સર્વ બાહા અને અત્યંતરભેદથી ભિન્ન ભાવવ્યક્તિઓનો=ભાવાત્મક વસ્તુઓનો, અન્વય-અનુગમ, દેખાય છે. જે જે અન્વયી છે, તે તે પરિણામરૂપ દેખાય છે. જે પ્રમાણે-ઘટાદિ મૃદુથી માટીથી, અન્વિત છે માટે ઘટાદિ મૃદ્ધામાટીના, પરિણામરૂપ છે. ll૪-૧all ભાવાર્થ : ચિત્તરૂપ ધર્મી અને અધ્વભેદથી તેમાં રહેલા ધર્મોનું સ્વરૂપ :
સંસારમાં ચક્ષુથી ઘટાદિ દ્રવ્યો દેખાય છે અને ઘટાદિમાં માટી અન્વયી દેખાય છે અર્થાત્ ઘટ, ઘટનો નાશ થાય ત્યારે ઠીકરા આદિરૂપ જે જે અવસ્થાઓ પ્રાપ્ત થાય તે સર્વમાં માટી અન્વયી દેખાય છે તેથી ઘટ ઠીકરા આદિ માટીના પરિણામરૂપ છે તેમ કહેવાય છે. તે રીતે જે ચિત્તરૂપ ધર્મી છે અને તે ચિત્તમાં વર્તતા અનુભવ, સંસ્કાર અને સ્મૃતિ વગેરે રૂપ ધર્મો છે તે બંને સત્ત્વ, રજસ્ અને
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૩૯
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૧૩-૧૪ તમોરૂપ ગુણસ્વરૂપ છે. અને સત્ત્વાદિ ત્રણ ગુણોમાં ક્યારેક સત્ત્વગુણ વ્યક્તરૂપે હોય છે તો તે વખતે રજોગુણ અને તમોગુણ અવ્યક્તરૂપે હોય છે અર્થાત્ સૂક્ષ્મરૂપે હોય છે, આથી જ વ્યક્તગુણને આશ્રયીને યોગીનું ચિત્ત સત્ત્વગુણવાળું છે તેમ કહેવાય છે, ક્યારેક રજોગુણ વ્યક્તરૂપે હોય છે તો સત્ત્વ અને તમોગુણ અવ્યક્તરૂપે હોય છે, આથી જ રાગી જીવોનું ચિત્ત રાગથી યુક્ત જ પ્રધાનરૂપે જણાય છે તો વળી ક્યારેક તમોગુણ વ્યક્તરૂપે હોય છે તો સત્ત્વ અને રજોગુણ અવ્યક્તરૂપે હોય છે, આથી જ ક્રોધી જીવોનું ચિત્ત દ્વેષથી યુક્ત જ પ્રધાનરૂપે જણાય છે તેથી ધર્મી એવું ચિત્ત અને ચિત્તમાં વર્તતા ધર્મો અનુભવ સંસ્કાર વગેરે ધર્મો, તે ઉભય સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણના પરિણામસ્વરૂપ છે અને તે ત્રણે ગુણોમાંથી કોઈ એક ગુણ વ્યક્ત વર્તે છે અને અન્ય ગુણો સૂક્ષ્મ વર્તે છે, એમ પાતંજલદર્શનકાર સ્વીકારે છે. ll૪-૧all અવતરણિકા:
यद्येते त्रयो गुणाः सर्वत्र मूलकारणं कथमेको धर्मीति व्यपदेश इत्याशङ्कयाऽऽह - અવતરણિયાર્થ:
જો આ ત્રણ ગુણો સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણ આ ત્રણ ગુણો, સર્વત્ર મૂળારણ છે તો એક ધર્મી એક ગુણવાળો ધર્મ કેવી રીતે વ્યપદેશ કરાય છે ? એ પ્રકારની આશંકામાં કહે છે – સૂત્ર :
परिणामैकत्वाद् वस्तुतत्त्वम् ॥४-१४॥
સૂત્રાર્થ :
પરિણામનું રોકાણું હોવાથી સત્વ, રજસ અને તમસ ગુણથી બનેલા ચિત્તમાં વર્તતા પરિણામનું એકપણું હોવાથી, વસ્તુનું તત્ત્વ છે અર્થાત ચિત્ત આદિ વસ્તુઓનું એકત્વ છે સત્ત્વગુણવાળું ચિત્ત છે, તમોગુણવાળું ચિત્ત છે, રજોગુણવાળું ચિત્ત છે, એ પ્રમાણે એકત્વ છે. I૪-૧૪ ટીકા : ___ 'परिणामेति'-यद्यपि त्रयो गुणास्तथाऽपि तेषामङ्गाङ्गिभावगमनलक्षणो यः परिणामः क्वचित् सत्त्वमङ्गि क्वचिच्च तम इत्येवंरूपस्तस्यैकत्वाद्वस्तुनस्तत्त्वमेकत्वमुच्यते, यथेयं પૃથિવી, મયં વારિત્યાદ્રિ I૪-૨૪ ટીકાર્ય :
યદ્યપિ ....... રૂચા છે જો કે ત્રણ ગુણો છે ચિત્તના સત્ત્વ, રજ અને તમસ્ ત્રણ ગુણો છે, તોપણ તેઓનો+ત્રણેય ગુણોનો જે અંગાંગિભાવલક્ષણ જે પરિણામ ક્યારેક સત્ત્વ અંગી છે, ક્યારેક
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૪૦
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ / સૂત્ર-૧૪ / સૂત્ર-૧૪ની ઉપા. મ.સા.ની ટિપ્પણી
રર્ અંગી છે અને ક્યારેક તમસ્ અંગી છે એ પ્રકારનો પરિણામ, તેનું એકપણું હોવાથી વસ્તુનું ચિત્રૂપ વસ્તુનું, તત્ત્વ=એકત્વ વ્હેવાય છે, જે પ્રમાણે આ પૃથિવી, આ વાયુ ઇત્યાદિ કહેવાય છે. II૪-૧૪|| ભાવાર્થ :
પરિણામનું એકપણું હોવાથી ચિત્ત આદિ વસ્તુઓનું તત્ત્વ=એકત્વ :
પાતંજલમતાનુસાર દરેક વસ્તુ સત્વગુણ રજોગુણ અને તમોગુણવાળી છે, તેથી તે વસ્તુને ત્રણ ગુણસ્વરૂપ કહેવી જોઈએ. આમ છતાં વ્યવહારમાં આ સત્ત્વગુણવાળી વસ્તુ છે, આ તમોગુણવાળી વસ્તુ છે, આ રજોગુણવાળી વસ્તુ છે એ પ્રમાણે વ્યવહાર થાય છે. તેની સંગતિ બતાવતાં કહે છે –
જો કે દરેક વસ્તુમાં ત્રણ ગુણો છે તોપણ તેઓનો અંગાગભાવસ્વરૂપ જે પરિણામ છે તે કોઈક વસ્તુમાં સત્ત્વરૂપ અંગી છે, કોઈક વસ્તુમાં રજરૂપ અંગી છે અને કોઈક વસ્તુમાં તમરૂપ અંગી છે, અને તે સત્ત્વાદિ પરિણામનું એકપણું હોવાથી વસ્તુનું એકત્વ કહેવાય છે, આથી જ સત્ત્વગુણ પ્રધાન જેમનું ચિત્ત છે તે ચિત્તને ત્રિગુણાત્મક કહેવાતું નથી પરંતુ સત્ત્વગુણવાળું કહેવાય છે, રજોગુણપ્રધાન જેમનું ચિત્ત છે તે ચિત્તને રજોગુણવાળું કહેવાય છે અને તમોગુણપ્રધાન જેમનું ચિત્ત છે તે ચિત્તને તમોગુણવાળું કહેવાય છે.
તેમાં દૃષ્ટાંત આપે છે - જે પ્રમાણે આ પૃથિવી છે, આ વાયુ છે એ પ્રમાણે કહેવાય છે. વસ્તુતઃ પૃથિવી અનેક ગુણવાળી છે તોપણ પૃથ્વીત્વગુણને આશ્રયીને પૃથિવી કહેવાય છે. તેમ સત્ત્વગુણવાળા ચિત્તને સાત્ત્વિક કહેવાય છે. રજોગુણવાળા ચિત્તને રાજસી કહેવાય છે અને તમોગુણવાળા ચિત્તને તામસી કહેવાય છે. II૪-૧૪॥
પાતંજલયોગસૂત્ર ૪-૧૪ ઉપર પૂજય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબની ટિપ્પણરૂપ
વ્યાખ્યા:
[य.] व्याख्या-एकानेकपरिणामस्याद्वादाभ्युपगमं विना दुःश्रद्धानमेतत् ॥
અર્થ :
વસ્તુના એક, અનેક પરિણામરૂપ સ્યાદ્વાદના સ્વીકાર વગર આ=પ્રસ્તુત પાતંજલયોગસૂત્ર ૪-૧૪માં પાતંજ્લદર્શનકારે કહ્યું કે પરિણામના એકત્વથી વસ્તુનું એકત્વ છે એ, દુ:શ્રદ્ધાન છે=શ્રદ્ધા કરી શકાય તેવું નથી.
ભાવાર્થ:
પાતંજલદર્શનકારને એક, અનેકપરિણામરૂપ સ્યાદ્વાદના સ્વીકારવગર વસ્તુનું એકત્વ દુઃ શ્રદ્ધાન :
જૈનદર્શનની પ્રક્રિયાનુસાર નિત્યાનિત્ય, ભેદાભેદ, એક, અનેકાદિરૂપ અનેક પ્રકારના સ્યાદ્વાદનો સ્વીકાર છે. તેમાંથી એક, અનેક પરિણામરૂપ સ્યાદ્વાદને પાતંજલદર્શનકાર સ્વીકારે તો પરિણામના
Page #170
--------------------------------------------------------------------------
________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ / સૂત્ર-૧૪ની ઉપા. મ.સા.ની ટિપ્પણી | સૂત્ર-૧૫
૧૪૧
એકત્વથી વસ્તુનું એકત્વ છે, એ સૂત્ર સંગત થાય, પરંતુ એકાંતવાદી કહે છે કે જે નિત્ય હોય તે અનિત્ય ન હોઈ શકે, જેનો ભેદ હોય તેનો અભેદ ન હોઈ શકે, તેમ જે વસ્તુ એક હોય તે અનેક ન હોઈ શકે તેથી એક વસ્તુને કોઈક અપેક્ષાએ એકરૂપ અને કોઈક અપેક્ષાએ અનેકરૂપ સ્વીકારે તો જ પાતંજલદર્શનકાર કહી શકે કે, વસ્તુ સત્ત્વ, રજસ્ અને તમસ્ ગુણરૂપ ત્રયાત્મક છે. કોઈક અપેક્ષાએ સત્ત્વગુણવાળી છે માટે સાત્ત્વિક ચિત્ત છે એ પ્રકારે વ્યવહાર થાય છે પરંતુ જો પાતંજલદર્શનકાર એક, અનેકરૂપ સ્યાદ્વાદ ન સ્વીકારે તો તેમનું પ્રસ્તુત સૂત્રનું કથન સંગત થાય નહિ.
અવતરણિકા :
ननु च ज्ञानव्यतिरिक्ते सत्यर्थे वस्त्वेकमनेकं वा वक्तुं युज्यते, यदा विज्ञानमेव वासनावशात् कार्यकारणभावेनावस्थितं तथा तथा प्रतिभाति तदा कथमेतच्छक्यते वक्तुमित्याशङ्कयाऽऽह -
અવતરણિકાર્ય :
જ્ઞાનથી વ્યતિરિક્ત-ભિન્ન, અર્થ હોતે છતે, વસ્તુ એક કે અનેક હેવા માટે શક્ય છે. જ્યારે વિજ્ઞાન જ વાસનાના વશથી કાર્ય-કારણભાવરૂપે અવસ્થિત તે તે પ્રકારે પ્રતિભાસે છે ત્યારે કેવી રીતે આ=એક વસ્તુ, સત્ત્વ, રજો અને તજોરૂપ ત્રણ ગુણવાળી હોવા છતાં પરિણામના એકત્વપણાથી એક છે એ, વ્હેવા માટે શક્ય છે ? એ પ્રકારની આશંકામાં કહે છે –
ભાવાર્થ :
પાતંજલયોગસૂત્ર ૪-૧૪માં પતંજલિઋષિએ સ્થાપન કર્યું કે, વસ્તુ સત્ત્વ, રજો અને તમોગુણવાળી છે, તોપણ પરિણામના એકત્વના કારણે વસ્તુનું એકત્વ છે. ત્યાં વિજ્ઞાનવાદી બૌદ્ધ શંકા કરે છે કે, જ્ઞાનથી વ્યતિરિક્ત અર્થ હોય તો બાહ્ય વસ્તુને એક કે અનેક કહી શકાય પરંતુ જ્ઞાનથી વ્યતિરિક્ત વસ્તુ નથી પણ તે તે પ્રકારના વાસનાના વશથી વિજ્ઞાન જ કાર્ય-કારણભાવરૂપે અવસ્થિત તે તે પ્રકારે અવભાસ થાય છે અર્થાત્ જે જે પ્રકારની વાસના પડેલી હોય તે વાસનાને અનુરૂપ જ્ઞાનમાં ઘટપટાદિ બાહ્ય પદાર્થો કાર્યરૂપે પ્રતિભાસ થાય છે.
વસ્તુતઃ જ્ઞાનથી અતિરિક્ત ઘટ-પટાદિ નથી અને જ્યારે જ્ઞાનથી અતિરિક્ત બાહ્ય પદાર્થો ન હોય તો પાતંજલયોગસૂત્ર ૪-૧૪માં કહ્યું કે પરિણામના એકપણાના કારણે વસ્તુ એકરૂપે કહેવાય છે. તે કેવી રીતે કહી શકાય ? અર્થાત્ કહી ન શકાય. એ પ્રકારની શંકાના નિવારણ માટે જ્ઞાનથી અતિરિક્ત બાહ્ય વસ્તુ છે તે સ્પષ્ટ કરવા અર્થે પતંજલિઋષિ કહે છે –
સૂત્ર :
वस्तुसाम्ये चित्तभेदात् तयोर्विभक्तः पन्थाः ॥४-१५॥
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૪૨
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૧૫ સૂત્રાર્થ :
વસ્તુના સાગમાં=બાહ્ય સ્ત્રી આદિ દેખાતા વસ્તુના સમાનપણામાં ચિત્તનો ભેદ હોવાથી ભિન્ન ભિન્ન પુરુષના જ્ઞાનનો ભેદ હોવાથી, તે બેનો-જ્ઞાન અને અર્થ તે બેનો, વિભક્ત માર્ગ છે. ll૪-૧૫ ટીકાઃ
'वस्तुसाम्य इति'-तयोर्ज्ञानार्थयोर्विविक्तः पन्था विविक्तो मार्ग इति यावत्, कथं ? वस्तुसाम्ये चित्तभेदात्, समाने वस्तुनि स्त्र्यादावुपलभ्यमाने नानाप्रमातृणां चित्तस्य भेदः सुखदुःखमोहरूपतया समुपलभ्यते । तथाहि-एकस्यां रूपलावण्यवत्यां योषिति उपलभ्यमानायां सरागस्य सुखमुत्पद्यते सपन्यास्तु द्वेषः परिव्राजकादेघृणेत्येकस्मिन् वस्तुनि नानाविधचित्तोदयात् कथं चित्तकार्यत्वं वस्तुनः, एकचित्तकार्यत्वे वस्त्वेकरूपतयैवावभासेत, ટીકાર્ય :
તો: ~ રૂતિ યાવત્ છે તે બેનો=જ્ઞાન અને અર્થનો, વિવિક્ત પંથ છે-ભિન્ન માર્ગ છે, માટે જ્ઞાનથી અતિરિક્ત પદાર્થ છે, પરંતુ જ્ઞાનસ્વરૂપ જ વસ્તુ નથી એમ અન્વય છે.
કર્થ ? - જ્ઞાન અને અર્થનો ભિન્ન માર્ગ કેમ છે ? તેમાં કહે છે – વસ્તુસાયે મેરાતું, વસ્તુના સામ્યમાં ચિત્તનો ભેદ છે. તે ચિત્તનો ભેદ સ્પષ્ટ કરે છે –
સમાને... સમુપત્નમ્યતે સ્ત્રીઆદિ ઉપલભ્યાન પ્રત્યક્ષ દેખાતી સમાન બાહ્યાવસ્તુમાં, જુદા જુદા પ્રમાતાના ચિત્તનો ભેદ જ્ઞાનનો ભેદ, સુખ-દુ:ખ અને મોહરૂપપણાથી પ્રાપ્ત થાય છે.
એક જ વસ્તુમાં જુદા જુદા પ્રમાતૃના જ્ઞાનનો ભેદ કઈ રીતે પ્રાપ્ત થાય છે તે ‘તથાદિથી સ્પષ્ટ કરે છે – તથાદિ – તે આ પ્રમાણે –
જ્યાં ...... વાત, એક રૂપલાવણ્યવાળી સ્ત્રી પ્રાપ્ત થયે છતે=જ્ઞાનના વિષયરૂપે ઉપલબ્ધ થયે છત, સરાગવાળા પુરુષને સુખ ઉત્પન્ન થાય છે સપત્નીને શોક્ય પત્નીને, કેષ ઉત્પન્ન થાય છે અને પરિવ્રાજકદિને સંન્યાસી-સાધુ વગેરેને, ઘૃણા ઉપેક્ષા, ઉત્પન્ન થાય છે. એથી એક વસ્તુમાં જુદા જુદા ચિત્તનો ઉદય હોવાથી વસ્તુનું ચિત્તકાર્યપણે કેવી રીતે હોઈ શકે? અર્થાત્ વિજ્ઞાનવાદી બૌદ્ધ વસ્તુને સ્વીકારતો નથી પરંતુ દેખાતી વસ્તુને ચિત્તના કાર્યરૂપ કહે છે તે કેવી રીતે હોઈ શકે અર્થાત્ હોઈ શકે નહીં, કેમ કે એક ચિત્તનું કાર્યપણું હોતે છતે વસ્તુ એકરૂપપણાથી જ અવભાસ થાય=બાહ્ય સ્ત્રી આદિરૂપ વસ્તુ નાના પ્રમાતૃને જુદા જુદા પ્રમાતાને, એકરૂપે જ અવભાસ થાય, પરંતુ એકરૂપે અવાભાસ થતો નથી તેથી વસ્તુ ચિત્તનું કાર્ય નથી.
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૪૩
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કેવલ્યપાદ | સૂત્ર-૧૫ ભાવાર્થ : વસ્તુના સાગમાં ચિત્તનો ભેદ હોવાથી જ્ઞાન અને અર્થનો વિવિક્ત ભિન્ન, માર્ગ:
પાતંજલદર્શનકારે સ્વપ્રક્રિયા અનુસાર પરિણામના એકત્વના=એકપણાના કારણે વસ્તુનું એકપણું છે તેમ પાતંજલયોગસૂત્ર ૪-૧૪માં સ્થાપન કર્યું. ત્યાં જ્ઞાનથી અતિરિક્ત બાહ્ય વસ્તુ નથી એ પ્રમાણે માનનાર વિજ્ઞાનવાદી બૌદ્ધના મતનું સ્મરણ થયું, તેથી તે મત યુક્ત નથી પરંતુ જ્ઞાનથી અતિરિક્ત બાહ્ય વસ્તુ છે તે બતાવવા માટે પતંજલિઋષિ કહે છે –
બાહ્ય વસ્તુ એક હોય છતાં તે એક વસ્તુને જોઈને જુદા જુદા પ્રમાતાને તે વસ્તુ ચક્ષુથી બધાને સમાન દેખાવા છતાં તે વસ્તુને આશ્રયીને જુદું જુદું જ્ઞાન થાય છે. જેમ-કોઈ એક રૂપવાળી સ્ત્રીને જોઈને રાગીપુરુષને સુખનું વેદન કરાવે તેવું જ્ઞાન થાય છે. તે સ્ત્રીની શોક્ય પત્ની સ્ત્રી હોય તેને તે સુંદર સ્ત્રીનું રૂપ જોઈને દ્વેષ ઉત્પન્ન કરાવે તેવો જ્ઞાનનો પરિણામ થાય છે અને યોગીઓને તે સ્ત્રીના રૂપને જોઈને માત્ર તે રૂપ જેવું છે તેવું જ રૂપ દેખાય છે છતાં ધૃણાનો પરિણામ=ઉપેક્ષાના પરિણામ ઉત્પન્ન થાય છે. તેથી નક્કી થાય છે કે, જ્ઞાનનો પંથકમાર્ગ, જુદો છે, અને અર્થનો પદાર્થનો પંથક માર્ગ, જુદો છે; કેમ કે બોધ કરનાર ત્રણેય વ્યક્તિઓને જ્ઞાનનો પંથ જુદો જુદો પ્રવર્તે છે અને તે જ્ઞાનના વિષયરૂપ સ્ત્રીરૂપ અર્થ ત્રણે વ્યક્તિ માટે લાવણ્યરૂપ સમાન પ્રતિભાસ થાય છે. જો ચિત્તનું જ કાર્ય વસ્તુ પદાર્થ, હોત તો તે વસ્તુ પ્રત્યે ત્રણે પ્રમાતાને=જોનારને, એકરૂપે તે વસ્તુનો અવભાસ થવો જોઈએ અર્થાત્ ત્રણને એક સ્વરૂપ સ્ત્રીરૂપ તે પદાર્થ ભાસવો જોઈએ પરંતુ ત્રણેને ભિન્ન ભિન્ન ભાસે છે, તેથી ફલિત થાય છે કે, બાહ્ય વસ્તુ ચિત્તરૂપ જ્ઞાનનું કાર્ય નથી પરંતુ સ્વતંત્ર વસ્તુ છે. ટીકા : __ किञ्च, चित्तकार्यत्वे वस्तुनो यदीयस्य चित्तस्य तद्वस्तु कार्य, तस्मिन्नर्थान्तरव्यासक्ते तद्वस्तु न स्यात् । भवत्विति चेन्न, तदेव कथमन्यैर्बहुभिरुपलभ्येत, उपलभ्यते च, तस्मान्न चित्तकार्यम् । अथ युगपद् बहुभिः सोऽर्थः क्रियते, तदा बहुभिर्निमितस्यार्थस्यैकनिर्मिताद्वैलक्षण्यं स्यात्, यदा तु वैलक्षण्यं नेष्यते तदा कारणभेदे सति कार्यभेदस्याभावे निर्हेतुकमेकरूपं वा जगत् स्यात् । एतदुक्तं भवति-सत्यपि भिन्ने कारणे यदि कार्यस्याभेदस्तदा समग्रं जगन्नानाविधकारणजन्यमेकरूपं स्यात्, कारणभेदाननुगमात्स्वातन्त्र्येण निर्हेतुकं वा स्यात् । यद्येवं कथं तेन त्रिगुणात्मनाऽर्थेनैकस्यैव प्रमातुः सुखदुःखमोहमयानि ज्ञानानि न जन्यन्ते, मैवम्, यथाऽर्थस्त्रिगुणस्तथा चित्तमपि त्रिगुणं तस्य चार्थप्रतिभासोत्पत्तौ धर्मादयः सहकारिकारणं तदुद्भवाभिभववशात्कदाचिच्चित्तस्य तेन तेन रूपेणाभिव्यक्तिः, तथा च कामुकस्य सन्निहितायां योषिति धर्मसहकृतं चित्तं सत्त्वस्याङ्गितया परिणममानं सुखमयं भवति, तदेवाधर्मसहकारि रजसोऽङ्गितया दुःखरूपं सपत्नीमात्रस्य भवति, तीव्राधर्मसहकारितया परिणममानं तमसोऽङ्गित्वेन कोपनायाः सपत्न्या मोहमयं भवति, तस्माद्विज्ञान
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૪૪
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | કેવલ્યપાદ | સૂત્ર-૧૫ व्यतिरिक्तोऽस्ति बाह्योऽर्थः, तदेवं न विज्ञानार्थयोस्तादात्म्यं विरोधान्न कार्यकारणभावः, कारणभेदे सति कार्यभेदप्रसङ्गादिति ज्ञानाद् व्यतिरिक्तत्वमर्थस्य व्यवस्थापितम् ॥४-१५॥ ટીકાર્ય :
વિશ્ચન વિત્તર્યમ્ વળી વસ્તુનું ચિત્તકાર્યપણું હોતે છતે જેમના ચિત્તની તે વસ્તુ કાર્ય છે તે ચિત્ત અર્થાતરમાં વ્યાસક્ત હોતે છતે તે વસ્તુ ન થાય.
અહીં એ પ્રમાણે હો તે વસ્તુ કાંઈપણ ન થાવ એ પ્રમાણે હો ! એ પ્રમાણે પૂર્વપક્ષી=બૌદ્ધ, ધે તો પાતંજલદર્શનકાર કહે છે કે એ પ્રમાણે ન કહેવું; કેમ કે તે જ વસ્તુ કેવી રીતે અન્ય એવા ઘણા લોકો વડે પ્રાપ્ત કરાય છે અર્થાત્ તે વસ્તુ અન્ય લોકોને પ્રાપ્ત થવી જોઈએ નહીં અને તે વસ્તુ અન્ય લોકોને ઉપલબ્ધ પ્રાપ્ત થાય છે, તે કારણથી ચિત્ત કાર્ય નથી અર્થાત્ બાહ્ય વસ્તુ જ્ઞાનનું કાર્ય નથી.
૩થ .... ચાત્, અથથી બૌદ્ધદર્શનકાર કહે કે, એકી સાથે ઘણા વડે તે અર્થ કરાય છે ત્યારે ઘણાથી નિમિત એવા અર્થનું ઘણા લોકોના ચિત્તથી નિર્મિત એવા તે અર્થનું, એક વ્યક્તિના ચિત્તથી નિમિત એવા અર્થથી વિલક્ષણપણું થાય અને જો વૈશક્ષણ્ય ન ઇચ્છાય તોઘણા લોકોના ચિત્તથી નિમિત એવા અર્થનું અને એક વ્યક્તિના ચિત્તથી નિમિત એવા અર્થનું વિલક્ષણપણું ન સ્વીકારાય તો, કારણભેદ હોતે છતે કાર્યભેદના અભાવમાં નિર્દેતુક અથવા એકરૂપ જગત-સંસાર, થાય.
Uત મવતિ - આ હેવાયેલું થાય છે કારણભેદ હોવા છતાં કાર્યભેદ ન સ્વીકારીએ તો નિહેતુક અથવા એકરૂપ ગત થાય એ કથનથી આગળમાં કહેવાય છે તે કહેવાયેલું થાય છે.
સત્યપિ... ચીત્, ભિન્ન કરણ વિદ્યમાન હોતે છતે પણ જો કાર્યનો અભેદ છે તો સમગ્ર જગત નાનાવિધ અનેક પ્રકારના કારણથી જન્ય એકરૂપ થાય, અથવા કારણભેદનો અનનગમ હોવાના કારણે સ્વતંત્રપણું હોવાથી કાર્યને કારણની અપેક્ષા વગર નિષ્પત્તિરૂપ સ્વતંત્રપણું હોવાથી, નિર્દેતુક થાય.
પાતંજલદર્શનકારે આ પ્રમાણે જ્ઞાનથી અતિરિક્ત અર્થ છે તેમ સ્થાપન કર્યું. ત્યાં બૌદ્ધદર્શનકાર કહે છે –
યવં.....મૈવમ્, જો આ પ્રમાણે છે પૂર્વમાં કહ્યું એ રીતે કારણનો ભેદ હોતે છતે કાર્યનો ભેદ છે, તો તે ત્રિગુણાત્મક અર્થ વડે સત્ત્વ, રજસ્ અને તમન્નુરૂપ ત્રિગુણાત્મક બાહ્ય અર્થ વડે, એક જ પ્રમાતાને સુખ, દુ:ખ અને મોહમય ત્રણેય જ્ઞાનો કેમ થતાં નથી ? અર્થાત્ ત્રણેય જ્ઞાનો થવા જોઈએ. આ પ્રમાણે બૌદ્ધદર્શનકાર કહે તો તેને પાતંજલદર્શનકાર કહે છે કે એ પ્રમાણે ન કહેવું. કેમ એ પ્રમાણે ન કહેવું તે સ્પષ્ટ કરે છે –
યથા .... વીર્થ, જે પ્રમાણે અર્થ ત્રિગુણ છે=બાહા અર્થ સત્ત્વ, રજસ્ અને તમન્નુરૂપ ત્રિગુણ છે, તે પ્રમાણે ચિત્ત પણ ત્રિગુણ છે અને તેના ચિત્તના, અર્થપ્રતિભાસની ઉત્પત્તિમાં ધર્માદિ સહકારી કરણ છે. તેના ઉદ્ભવ અને અભિભવના વશથી ધર્મના ઉદ્ભવ અને અધર્મના અભિભાવના વશથી,
Page #174
--------------------------------------------------------------------------
________________
૧૪૫
પાતંજલચોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૧૫ અથવા અધર્મના ઉદ્દભવ અને ધર્મના અભિભવના વશથી, ક્યારેક ચિત્તની તે તે રૂપે અભિવ્યક્તિ થાય છે અર્થાત્ ક્યારેક સુખરૂપે, ક્યારેક દુ:ખરૂપે અને ક્યારેક મોહરૂપે અભિવ્યક્તિ થાય છે અને તે રીતે કામુકપુરુષને સ્ત્રી સંનિહિત હોતે છતે ધર્મથી સહકૃત એવું ચિત્ત સત્ત્વના અંગીપણાવડે પરિણમન પામતું સુખમય થાય છે. અધર્મનું સહકારી એવું તે કચિત્ત, રજોગુણના અંગીપણાથી સપત્નીમાત્રને શોક્યને, દુ:ખ રૂપ થાય છે. તીવ્ર અધર્મના સહકારીપણાથી પરિણમન પામતું ચિત્ત તમોગુણના અંગીપણાથી કોપવાળી એવી સપત્નીનું મોહમય થાય છે. તે કારણથી=પૂર્વમાં યુક્તિથી સ્થાપના ક્યું કે, કરણના ભેદમાં કાર્યનો ભેદ છે તે કારણથી, વિજ્ઞાનથી અતિરિક્ત બાહ્ય અર્થકવસ્તુ, છે. રાજમાર્તડકાર પ્રસ્તુત સૂત્રની ટીકાનું નિગમન કરતાં ‘તવં'થી કહે છે –
તવં.... વ્યવસ્થાપિતર્ . આ રીતે પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, વિજ્ઞાન અને અર્થનું તાદામ્ય નથી; કેમ કે વિરોધ છે, કાર્ય-કારણભાવ નથી-વિજ્ઞાન અને અર્થ વચ્ચે કાર્ય-કારણભાવ નથી; કેમ કે કારણભેદ હોતે છતે કાર્યભેદનો પ્રસંગ છે. એ રીતે જ્ઞાનથી અર્થનું વ્યતિરિક્તપણું-ભિન્નપણું, વ્યવસ્થાપન કર્યું. II૪-૧પી. ભાવાર્થ : પાતંજલમતાનુસાર ચિત્તરૂપ જ્ઞાનથી અતિરિક્ત બાહ્યપદાર્થને સ્થાપન કરવાની યુક્તિ
વળી પાતંજલદર્શનકાર ચિત્તરૂપ જ્ઞાનથી અતિરિક્ત બાહ્ય પદાર્થને સ્થાપન કરવા અર્થે ‘વિગ્ન'થી યુક્તિ આપે છે –
જો બાહ્ય વસ્તુ ચિત્તનું કાર્ય હોય અર્થાત્ ચિત્તથી અતિરિક્ત બાહ્ય વસ્તુ ન હોય અને ચિત્ત જ સ્ત્રી આદિ આકારરૂપે થાય છે તેમ સ્વીકારવામાં આવે તો જેના ચિત્તનું તે વસ્તુ કાર્ય છે તેનું ચિત્ત અન્ય અર્થમાં પ્રવૃત્ત હોય ત્યારે તે વસ્તુ જગતમાં પ્રાપ્ત થવી જોઈએ નહીં.
આશય એ છે કે, કોઈનું ચિત્ત ઘટાકાર રૂપે થયું અને તે ચિત્તરૂપ જ ઘટ હોય તો જે પુરુષના ચિત્તરૂપ તે ઘટ છે તે પુરુષ અન્ય અર્થમાં ઉપયોગવાળો હોય ત્યારે તે ઘટરૂપ વસ્તુ વિદ્યમાન ન થાય એ પ્રકારે ચિત્તરૂપ વસ્તુને સ્વીકારવાથી માનવું પડશે એમ પાતંજલદર્શનકાર કહે છે. ત્યાં પૂર્વપક્ષી બૌદ્ધ દર્શનકાર કહે છે કે, તેમ થાવ અર્થાત્ જયારે તે પુરુષ અન્ય ઉપયોગવાળો છે ત્યારે તે બાહ્ય વસ્તુ નથી તેમ થાવ. આ પ્રમાણે પૂર્વપક્ષી બૌદ્ધ કહે તો તેને પાતંજલદર્શનકાર કહે છે કે તે ઉચિત નથી.
કેમ ઉચિત નથી ? તેથી પાતંજલદર્શનકાર કહે છે –
કોઈક પુરુષના ચિત્તરૂપ ઘટ તે પુરુષનો અન્યમાં ઉપયોગ હોય ત્યારે જો જગતમાં ન હોય તો તે જ ઘટ જયારે તે પુરુષ અન્યમાં ઉપયોગવાળો છે ત્યારે અન્ય ઘણા પુરુષો વડે કેમ ઉપલબ્ધ થાય છે અર્થાત્ જો ચિત્તરૂપ ઘટ હોય તો તે ઉપલબ્ધ થવો જોઈએ નહીં અને જ્યારે તે પુરુષ અન્ય અર્થમાં
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૪૬
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૧૫ ઉપયોગવાળો છે ત્યારે પણ તે ઘટાદિ પદાર્થ ઉપલબ્ધ થાય છે, એથી ચિત્તના કાર્યરૂપ બાહ્ય વસ્તુ નથી એમ પાતંજલદર્શનકાર કહે છે.
ઉપરોક્ત પાતંજલદર્શનકારે કહેલા કથનમાં ‘અથ'થી બૌદ્ધદર્શનવાદી કહે છે –
ઘટાદરૂપ અર્થ એક સાથે ઘણા વડે કરાય છે અર્થાત્ જેટલા પુરુષો ઘટના જ્ઞાનવાળા છે તે સર્વના ચિત્ત વડે તે ઘટરૂપ અર્થ કરાયો છે માટે કોઈ એક પુરુષ અન્ય ઉપયોગવાળો હોય તોપણ તે અન્ય પુરુષોના ચિત્તથી નિર્માણ કરાયેલો ઘટ અન્ય પુરુષોને દેખાય છે, પરંતુ તે પુરુષોના જ્ઞાનથી અતિરિક્ત ઘટ વસ્તુ નથી. આ પ્રમાણે બૌદ્ધદર્શનવાદી કહે છે.
બૌદ્ધદર્શનવાદી એ જે ઉપરમાં કહ્યું તેને પાતંજલદર્શનકાર કહે છે કે, જો ઘણાના ચિત્તથી તે ઘટ નિર્માણ કરાયેલો હોય તો એકના ચિત્તથી નિર્માણ કરાયેલા ઘટાદિથી ઘણાના ચિત્તથી નિર્માણ કરાયેલા ઘટાદિનું વિલક્ષણપણું થવું જોઈએ તો જ ચિત્તરૂપ ઘટ છે તેની સંગતિ બૌદ્ધદર્શનકાર કરી શકે.
આશય એ છે કે, કોઈ એક વ્યક્તિએ એક ઘટને જોયો તે વ્યક્તિના ચિત્તરૂપ તે ઘટ હોય તો તે એક વ્યક્તિથી જોવાયેલો ઘટ ત્યારપછી તે જોનાર વ્યક્તિ અને અન્ય વ્યક્તિ તે બંનેથી તે ઘટ દેખાય ત્યારે તે ઘટ પૂર્વ કરતાં વિલક્ષણ દેખાવો જોઈએ; કેમ કે પહેલાં એક ચિત્તથી નિર્માણ થયેલો તે ઘટ હતો પછી એકથી અધિક વ્યક્તિના ચિત્તથી નિર્માણ થયેલો તે ઘટ છે માટે તે ઘટમાં વિલક્ષણતા પ્રાપ્ત થવી જોઈએ અને તેવું વિલક્ષણપણું અનુભવથી દેખાતું નથી માટે ચિત્તના ઉપયોગથી અતિરિક્ત ઘટની સામગ્રીથી ઉત્પન્ન થયેલો ઘટ છે તેમ બૌદ્ધદર્શનકારે સ્વીકારવું જોઈએ. એ પ્રકારનો પાતંજલદર્શનકારનો આશય છે. કારણભેદ હોવા છતાં કાર્યભેદ ન સ્વીકારીએ તો નિર્દેતુક અથવા એકરૂપ જગત થવા સ્વરૂપ બૌદ્ધદર્શનકારને આપત્તિ :
હવે જો એક ચિત્તરૂપ વ્યક્તિથી દેખાયેલો તે ઘટ હોય અને ત્યારપછી અનેકથી જોવાયેલો ઘટ હોય અને તે વિલક્ષણ નથી, એ પ્રકારના અનુભવને બળથી બૌદ્ધદર્શનકાર કહે કે ચિત્તથી અતિરિક્ત ઘટાદિ નહિ હોવા છતાં એક ચિત્તથી નિર્માણ થયેલા ઘટમાં અને અનેક ચિત્તથી નિર્માણ થયેલાં ઘટમાં વિલક્ષણતા નથી. તો એ પ્રાપ્ત થાય છે, કારણભેદ હોવા છતાં પણ કાર્યના ભેદનો અભાવ છે અર્થાત્ એક ચિત્તરૂપ કારણથી ઉત્પન્ન થયેલો ઘટ અને અનેક ચિત્તરૂપ કારણથી ઉત્પન્ન થયેલો ઘટ એ બંને વચ્ચે કાર્યભેદનો અભાવ છે, અને તેમ સ્વીકારીએ તો કારણના ભેદથી કાર્યભેદ થતો નથી તેમ માનવું પડે, તેથી નિર્દેતુક કાર્ય થાય છે તેમ માનવાની આપત્તિ આવે, અથવા કારણનો ભેદ હોવા છતાં જો કાર્યનો ભેદ પ્રાપ્ત થતો ન હોય તો જગતમાં ભિન્ન ભિન્ન કારણોથી પણ સર્વત્ર એકરૂપ કાર્ય થવાની આપત્તિ આવે.
આ કથનને સ્પષ્ટ કરતાં રાજમાર્તડ ટીકાકાર કહે છે –
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૪૭
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૧૫
જો ભિન્ન કારણ હોય અને કાર્યનો અભેદ થતો હોય તો જુદા જુદા કારણથી જન્ય એવું જગત એકરૂપ થવું જોઈએ અથવા કારણભેદનો અનનગમ હોવાથી કાર્યભદમાં કારણભેદનું અનનુસરણ હોવાથી, કાર્યની પ્રાપ્તિ સ્વતંત્રથી થાય છે, પરંતુ કારણને આધીન નથી તેમ માનવું પડે તેથી નિહેતુક કાર્ય થાય છે તેમ સ્વીકારવું પડે.
આ રીતે પાતંજલદર્શનકારે ચિત્તરૂપ જ્ઞાનથી અતિરિક્ત બાહ્ય પદાર્થ નહિ સ્વીકારવામાં બૌદ્ધદર્શનકારને દોષ આપીને સ્થાપન કર્યું કે ચિત્તથી અતિરિક્ત બાહ્ય અર્થો-પદાર્થો છે. ત્યાં બૌદ્ધદર્શનકાર પાતંજલદર્શનકારને કહે છે –
તમારા મતાનુસાર=પાતંજલમતાનુસાર, પ્રકૃતિ સત્ત્વ, રજસ્ અને તમસ ત્રિગુણાત્મક છે અને તેમાંથી નિષ્પન્ન થયેલાં સર્વ બાહ્ય પદાર્થો પણ ત્રિગુણાત્મક છે. હવે જો બાહ્ય પદાર્થો ત્રિગુણાત્મક હોય તો તે અર્થને જોનારા એવા પ્રમાતાને સુખ, દુઃખ અને મોહમય ત્રણ પ્રકારના જ્ઞાન કેમ ઉત્પન્ન કરતા નથી ? અર્થાત્ પદાર્થ જો ત્રિગુણાત્મક હોય તો તેને અનુરૂપ પ્રમાતાને બોધકાળમાં સુખ, દુ:ખ અને મોહ ત્રણેય પરિણામો અવશ્ય થવા જોઈએ; કેમ કે કારણને અનુરૂપ કાર્ય થાય છે તેમ તમે પાતંજલદર્શનકાર, સ્વીકારો છો અને બાહ્ય પદાર્થ ત્રિગુણાત્મક હોવાથી પદાર્થને જોનારા પ્રમાતાને પદાર્થના સત્ત્વગુણને આશ્રયીને સુખરૂપ જ્ઞાન થવું જોઈએ, પદાર્થના રજોગુણને આશ્રયીને દુ:ખરૂપ જ્ઞાન થવું જોઈએ અને પદાર્થના તમોગુણને આશ્રયીને મોહમય જ્ઞાન થવું જોઈએ,
આ પ્રકારની બૌદ્ધદર્શનકાર દ્વારા કરાયેલી શંકાનું નિરાકરણ કરતાં રાજમાર્તડટીદાર કહે છે – આ પ્રમાણે ન કહેવું અર્થ ત્રિગુણાત્મક હોવાના કારણે પ્રમાતાને સુખ, દુઃખ અને મોહમય ત્રણ જ્ઞાનો ઉત્પન્ન થવા જોઈએ, એ પ્રમાણે ન કહેવું. કેમ ન કહેવું તેમાં યુક્તિ બતાવે છે – અર્થ ત્રિગુણાત્મક હોવા છતાં ધર્મ-અધર્મના સહકારના બળથી ત્રિગુણાત્મક અર્થની કોઈ એક ગુણરૂપે અભિવ્યક્તિ :
જે પ્રમાણે પાતંજલમતમાં અર્થ ત્રિગુણ છે તે પ્રમાણે પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલું ચિત્ત પણ ત્રિગુણ છે, અને તેના=ચિત્તના, અર્થપ્રતિભાસની ઉત્પત્તિમાં ચિત્તના અર્થના બોધમાં, ધર્માદિ સહકારી કારણ છે, તેથી ધર્મના ઉદ્ભવને કારણે અધર્મના અભિભાવના વશથી અથવા અધર્મના ઉદ્ભવને કારણે ધર્મના અભિભાવના વશથી ક્યારેક ચિત્તની તે તે રૂપે અભિવ્યક્તિ થાય છે અર્થાત્ ક્યારેક ચિત્ત સુખરૂપે અભિવ્યક્ત થાય છે, ક્યારેક ચિત્ત દુઃખરૂપે અભિવ્યક્ત થાય છે તો ક્યારેક ચિત્ત મોહરૂપે અભિવ્યક્ત થાય છે.
આ કથનને રાજમાર્તડકાર દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે – કોઈક કામુક પુરુષને સંનિહિત સ્ત્રી હોય ત્યારે ધર્મના સહકારવાળું ચિત્ત સત્ત્વના અંગીપણારૂપે પરિણમન પામતું સુખમય થાય છે; કેમ કે તે વખતે ધર્મના સહકારને કારણે અધર્મનો અભિભવ થવાથી દુઃખ અને મોહમય ચિત્ત થતું નથી. વળી તે ચિત્ત અધર્મના સહકારવાળું હોય ત્યારે રજના અંગીપણારૂપ સપત્નીમાત્રને દુઃખરૂપ થાય છે અર્થાત્ તે સુંદર સ્ત્રીને જોઈને તેની અન્ય પત્ની દુઃખી
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૪૮
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ / સૂત્ર-૧૫-૧૬ થાય છે; કેમ કે તે પુરુષની અન્ય પત્નીને ઇર્ષ્યા થવારૂપ અધર્મનો સહકાર હોવાના કારણે ધર્મનો પરિણામ અભિભવ પામે છે, તેથી તે પુરુષની અન્ય પત્નીને તે સુંદર સ્ત્રીના રૂપને જોઈને દુઃખ ઉત્પન્ન થાય છે. વળી તે પુરુષની કોઈક અન્ય સ્ત્રીને તે સુંદર સ્ત્રીના રૂપને જોઈને તીવ્ર અધર્મનો સહકાર હોય તો તે સુંદરરૂપવાળી સ્ત્રી પ્રત્યે કોપ થાય છે; કેમ કે તીવ્ર અધર્મના સહકારને કારણે ધર્મનો અભિભવ થાય છે, માટે તે સ્ત્રીનું ચિત્ત તે અન્ય સ્ત્રીના સુંદરરૂપને જોઈને મોહમય બને છે.
આનાથી એ ફલિત થાય છે કે, કારણને અનુરૂપ જ કાર્ય થાય છે, અને અર્થ ત્રિગુણાત્મક હોવાથી તેના કાર્યરૂપ ચિત્ત પણ ત્રિગુણરૂપે પરિણમન પામે તો એક સાથે સુખ, દુ:ખ અને મોહમય જ્ઞાન ઉત્પન્ન થાય, પરંતુ સંસારીજીવોનું ચિત્ત ત્રિગુણાત્મક હોવા છતાં ધર્મ, અધર્મના સહકારના બળથી ત્રિગુણાત્મક અર્થને જોતી વખતે પણ તે ત્રિગુણાત્મક ચિત્ત કોઈક એક ગુણરૂપે અભિવ્યક્ત થાય છે; કેમ કે ધર્મનો સહકાર હોય તો તે ચિત્ત સત્ત્વગુણરૂપે અભિવ્યક્ત થાય છે ત્યારે અન્ય ગુણરૂપે ચિત્તને અભિવ્યક્ત કરવામાં અધર્મ સમર્થ બનતું નથી; કેમ કે ધર્મથી અધર્મનો અભિભવ થાય છે.
આ સર્વ કથનથી શું ફલિત થાય છે તે સ્પષ્ટ કરતાં રાજમાર્તંડવૃત્તિકાર કહે છે
વિરોધ હોવાથી વિજ્ઞાન અને અર્થ વચ્ચે તાદાત્મ્ય નથી કારણભેદ હોતે છતે કાર્યભેદનો પ્રસંગ હોવાથી વિજ્ઞાન અને અર્થ વચ્ચે કાર્યકારણભાવ નથી માટે જ્ઞાનથી અતિરિકત અર્થ છે એ પ્રમાણે
વ્યવસ્થાપન ;
જ્ઞાનથી અતિરિક્ત બાહ્ય પદાર્થ છે, માટે જ્ઞાનથી અતિરિક્ત બાહ્ય પદાર્થ નથી એમ જે બૌદ્ધદર્શનકાર કહે છે તે અસંગત છે.
પ્રસ્તુત પાતંજલયોગસૂત્ર ૪-૧૫ની સંપૂર્ણ ટીકાથી શું ફલિત થાય છે તે સ્પષ્ટ કરતાં કહે છે –
વિજ્ઞાન અને અર્થનું તાદાત્મ્ય સ્વીકારીને જ્ઞાનથી અતિરિક્ત બાહ્ય પદાર્થ નથી એમ જે વિજ્ઞાનવાદી બૌદ્ધ કહે છે તે યુક્ત નથી; કેમ કે તેમ સ્વીકારવામાં વિરોધ છે. જે વિરોધ સ્વયં રાજમાર્તંડકારે પૂર્વમાં ભાવન કરેલ છે. વળી વિજ્ઞાનવાદી બૌદ્ધ જ્ઞાન અને અર્થ વચ્ચે કાર્યકારણભાવ સ્વીકારીને કહે છે કે, પુરુષને વાસનાને વશ જ્ઞાન ઉત્પન્ન થાય છે, તેથી જ અર્થ દેખાય છે માટે બાહ્ય દેખાતાં અર્થ પ્રત્યે જ્ઞાન જ કારણ છે. તે કથન પણ વિજ્ઞાનવાદી બૌદ્ધનું યુક્ત નથી; કેમ કે જ્ઞાન અને અર્થ વચ્ચે કાર્યકારણભાવ નથી; કેમ કે જો જ્ઞાન અને અર્થ વચ્ચે કાર્યકારણભાવ સ્વીકારીએ તો કારણના ભેદમાં કાર્યના ભેદનો પ્રસંગ આવે અર્થાત્ એક પ્રમાતાના જ્ઞાનરૂપ કારણથી ઉત્પન્ન થયેલો ઘટ અનેક પ્રમાતાના જ્ઞાનથી ઉત્પન્ન થયેલા ઘટ કરતાં ભિન્ન માનવાનો પ્રસંગ આવે, એથી જ્ઞાનથી વ્યતિરિક્ત ઘટ-પટાદિ બાહ્ય અર્થો છે એ પ્રમાણે વ્યવસ્થાપિત થાય છે. II૪-૧૫||
અવતરણિકા :
यद्येवं ज्ञानं चेत् प्रकाशकत्वाद् ग्रहणस्वभावमर्थश्च प्रकाश्यत्वाद् ग्राह्यस्वभावस्तत् कथं युगपत् सर्वानर्थान्न गृह्णाति न स्मरति चेत्याशङ्क्य परिहारं वक्तुमाह
-
Page #178
--------------------------------------------------------------------------
________________
૧૪૯
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૧૬ અવતરણિતાર્થ :
જો આ રીતે પાતંલદર્શનકાર ચિત્તને ત્રિગુણાત્મક સ્વીકારે છે એ રીતે, જ્ઞાન જો પ્રકાશકપણું હોવાના કારણે ગ્રહણસ્વભાવવાળું છે અને અર્થ જો પ્રકાશ્યપણું હોવાના કારણે ગ્રાહાસ્વભાવવાનું છે તો કેમ એકીસાથે સર્વ અર્થોને ગ્રહણ કરતું નથી અને સ્મરણ કરતું નથી અર્થાત્ જ્ઞાન એક સાથે સર્વ પ્રકાશ્ય એવા અર્થોને કેમ ગ્રહણ કરતું નથી અને કેમ સ્મરણ કરતું નથી ? એ પ્રકારની આશંકા કરીને પરિહાર કરવા માટે ધે છે – સૂત્ર :
तदुपरागापेक्षित्वाच्चित्तस्य वस्तु ज्ञाताज्ञातम् ॥४-१६॥ સૂત્રાર્થ :
ચિત્તનું તેના ઉપરાગનું અપેક્ષીપણું હોવાથી=બાહ્ય વસ્તુના ઉપરાગનું અપેક્ષીપણું હોવાથી, વસ્તુ જ્ઞાતાજ્ઞાત છે. II૪-૧૬ll ટીકા : ___ 'तदिति'-तस्यार्थस्योपरागादाकारसमर्पणाच्चिते बाह्यं वस्तु ज्ञातमज्ञातं च भवति । अयमर्थः-सर्वः पदार्थ आत्मलाभे सामग्रीमपेक्षते, नीलादिज्ञानं चोपजायमानमिन्द्रियप्रणालिकया समागतमर्थोपरागं सहकारिकारणत्वेनापेक्षते, व्यतिरिक्तस्यार्थस्य सम्बन्धाभावाद् ग्रहीतुमशक्यत्वात्, ततश्च येनैवार्थेनास्य ज्ञानस्य स्वरूपोपरागः कृतस्तमेवार्थे ज्ञानं व्यवहारयोग्यतां नयति, ततश्च सोऽर्थो ज्ञात इत्युच्यते, येन चाऽऽकारो न समर्पितः स न ज्ञातत्वेन व्यवहियते, यस्मिंश्चानुभूतेऽर्थे सदृशादिरर्थः संस्कारमुबोधयन् सहकारिकारणतां प्रतिपद्यते तस्मिन्नेवार्थे स्मृतिरुपजायत इति न सर्वत्र ज्ञानं नापि सर्वत्र स्मृतिरिति (अत्र) न વેદિરોધ: I૪-દ્દા ટીકાર્ય :
તી ....... મવતિ ા તે અર્થના ઉપરાગથી=પ્રમાતા જે અર્થનો બોધ કરવા અભિમુખ થયો છે તે અર્થના આકારના સમર્પણથી, ચિત્તમાં બાહા વસ્તુ જ્ઞાત થાય છે અને અજ્ઞાત થાય છે=જે વસ્તુથી આકારનું સમર્પણ થયું નથી તે વસ્તુ અજ્ઞાત થાય છે. ૩મર્થ: આ અર્થ છે સૂત્રના કથનથી આ અર્થ પ્રાપ્ત થાય છે –
સર્વ: .... અપેક્ષા સર્વ પદાર્થ પોતાના લાભમાં અસ્તિત્વમાં, સામગ્રીની અપેક્ષા રાખે છે અને ઉત્પન્ન થતું એવું નીલાદિ જ્ઞાન ઇન્દ્રિયોની પ્રણાલિકાથી પ્રાપ્ત થયેલા અર્થના ઉપરાગને પ્રાપ્ત થયેલા અર્થના આકારનાં સમર્પણને, સહકારી કારણપણાથી અપેક્ષા રાખે છે, તેથી તે સહકારીકરણની
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૫૦
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૧૬ પ્રાપ્તિ દ્વારા પ્રમાતાને નીલાદિ જ્ઞાન થાય છે તેમ અધ્યાહાર છે.
જે અર્થનો ઉપરાગ ચિત્તમાં થતો નથી તે અર્થનું જ્ઞાન કેમ થતું નથી ? તેથી કહે છે –
વ્યતિરિ ..... ૩શક્યત્વીત્, વ્યતિરિક્ત અર્થના સંબંધનો અભાવ હોવાથી ઇન્દ્રિયની પ્રણાલિકાથી પ્રાપ્ત થયેલા અર્થ કરતાં અન્ય અર્થનો ઇન્દ્રિયોની સાથે સંબંધનો અભાવ હોવાથી, ગ્રહણ કરવા માટે અશક્યપણું હોવાના કારણે તે અર્થનું જ્ઞાન થતું નથી એમ અન્વય છે.
તતશ .... વ્યવદિત છે અને તેથી ઇન્દ્રિય દ્વારા પ્રાપ્ત થયેલો અર્થનો ઉપરાગ નીલાદિ જ્ઞાન કરવામાં સહકારી છે તેથી, જે અર્થ વડે આના જ્ઞાનનું સ્વરૂપ ઉપરાગ કરાયું જે અર્થ વડે ચિત્તના જ્ઞાનને પોતાના સ્વરૂપનું સમર્પણ કરાયું, અર્થમાં પદાર્થમાં, તે જ જ્ઞાન વ્યવહારયોગ્યતાને પ્રાપ્ત કરે છે અને તેથી તે અર્થ જ્ઞાત છે એ પ્રમાણે કહેવાય છે, અને જેના વડે જે અર્થ વડે, આકાર સમર્પિત ન કરાયો=જ્ઞાનને પોતાનો આકાર સમપિર્ત ન કરાયો, તે તે અર્થ, જ્ઞાતપણાથી વ્યવહાર કરાતો નથી.
મિન્ ... વિરોધ: . જે અનુભૂત અર્થમાં સંસ્કારને ઉબોધન કરતો એવો સદેશાદિ અર્થ સહકારીકારણતાને પ્રાપ્ત કરે છે સ્મૃતિ ઉત્પન્ન કરવામાં તે સદેશાદિ અર્થ સહકારી કારણતાને પ્રાપ્ત કરે છે, તે જ અર્થમાં સ્મૃતિ થાય છે, એથી કોઈ વિરોધ નથી એમ અન્વય છે અર્થાત્ જ્ઞાન પ્રકાશક છે અને વસ્તુ પ્રકાશ્ય છે છતાં એક સાથે સર્વ વસ્તુનું જ્ઞાન થતું નથી અને સર્વ અર્થોનું સ્મરણ થતું નથી એમાં કોઈ વિરોધ નથી. II૪-૧૬ll. ભાવાર્થ :
પાતંજલમતાનુસાર જ્ઞાન ચિત્તરૂપ છે અને તે પ્રકાશક છે, તેથી જ્ઞાન પ્રકાશ્ય એવી વસ્તુને ગ્રહણ કરે છે અને અર્થો પ્રકાશ્ય હોવાથી જ્ઞાનથી ગ્રાહ્ય થાય છે, માટે જ્ઞાનમાં ગ્રહણસ્વભાવ છે અને અર્થોમાં ગ્રાહ્યસ્વભાવ છે.
જ્ઞાનમાં ગ્રહણસ્વભાવ વિદ્યમાન હોય અને અર્થોમાં ગ્રાહ્યસ્વભાવ વિદ્યમાન હોય તો જ્ઞાનથી સર્વવસ્તુનું એક સાથે ગ્રહણ થવું જોઈએ અને સર્વ ગ્રાહ્ય વસ્તુનું સ્મરણ થવું જોઈએ પરંતુ જ્ઞાનથી સર્વ વસ્તુનું ગ્રહણ અને સ્મરણ થતું નથી. તો કેમ થતું નથી ? તે સ્પષ્ટ કરવા રાજમાર્તડવૃત્તિકાર કહે છે – જ્ઞાન પ્રકાશક હોવા છતાં ઇન્દ્રિયો દ્વારા જે અર્થપોતાનો આકાર ચિત્તમાં સમર્પણ કરે છે તે વિષયના જ્ઞાનની પ્રાપ્તિ :
પ્રકાશ્ય એવા અર્થો ચિત્તમાં પોતાના આકારના સમર્પણ દ્વારા જ્ઞાત બને છે, પરંતુ પોતાના આકારનું સમર્પણ કર્યા વગર જ્ઞાત બનતા નથી અને પ્રકાશ્ય અર્થો પોતાના આકારનું સમર્પણ ઇન્દ્રિયોની પ્રણાલિકાથી કરે છે, તેથી તે તે ઇન્દ્રિયો દ્વારા તે તે અથ ચિત્તમાં પોતાના આકારનું સમર્પણ કરીને તે ચિત્તના જ્ઞાનનો વિષય બને છે, અને જે અર્થે ઇન્દ્રિયોની પ્રણાલિકાથી ચિત્તમાં
Page #180
--------------------------------------------------------------------------
________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૧૬-૧૭
૧૫૧ પોતાનો આકાર સમર્પણ કરતાં નથી તે અર્થોનું જ્ઞાન થતું નથી, તેથી જ્ઞાન પ્રકાશક હોવા છતાં સર્વ અર્થોને ગ્રહણ કરતું નથી પરંતુ ઇન્દ્રિયો દ્વારા જે અર્થ પોતાનો આકાર ચિત્તમાં સમર્પણ કરે છે તે વિષયનું જ જ્ઞાન થાય છે. માટે સર્વ પ્રકાશ્ય અર્થનું જ્ઞાન થતું નથી, એમ સ્વીકારવામાં કોઈ વિરોધ નથી. પૂર્વમાં અનુભૂત અર્થવિષયક સદેશાદિ અર્થ ઇન્દ્રિય સન્મુખ પ્રાપ્ત થાય તો પૂર્વના અનુભૂત સંસ્કારોનો ઉદ્ધોધ થવાથી તે અર્થમાં સ્મૃતિ :
વળી સ્મૃતિમાં પણ પૂર્વમાં અનુભૂત સદેશાદિ અર્થ ક્યારેક સદેશ અર્થ તો ક્યારેક અત્યંત વિદેશ અર્થ, ઇન્દ્રિય સન્મુખ પ્રાપ્ત થાય તો પૂર્વના અનુભૂત સંસ્કારોનો ઉદ્ધોધ થાય છે, તેથી તે અર્થની સ્મૃતિ થાય છે, અન્ય અર્થની સ્મૃતિ થતી નથી, માટે સર્વ પ્રકાશ્ય અર્થની સ્મૃતિ થતી નથી તેમ સ્વીકારવામાં કોઈ વિરોધ નથી. II૪-૧છા અવતરણિકા :
यद्येवं प्रमाताऽपि पुरुषो यस्मिन् काले नीलं वेदयते न तस्मिन् काले पीतं, अतः चित्तसत्त्वस्यापि कदाचित्(कथञ्चित्), ग्रहीतृरूपत्वादाकारग्रहणे परिणामित्वं प्राप्तमित्याशङ्कां परिहर्तुमाह - અવતરણિકાર્ય :
પ્રમાતા એવો પણ પુરુષ જો આ રીતે પાતંજલયોગસૂત્ર ૪-૧૬માં કહ્યું એ રીતે જે કાળમાં નીલનું વેદન કરે છે તે કાળમાં પીતનું વેદન કરતો નથી, આથી ચિત્તસત્ત્વનું પણ, કોઈ રીતે ગ્રહીતૃરૂપપણું હોવાથી આકારગ્રહણમાં ચિત્તમાં પડેલા આકારના ગ્રહણમાં, પરિણામીપણું પ્રાપ્ત થયું પ્રમાતા એવા પુરુષનું પરિણામીપણું પ્રાપ્ત થયું, એ પ્રકારની આશંકાના પરિહાર માટે કહે છે – સૂત્ર :
सदा ज्ञाताश्चित्तवृत्तयस्तत्प्रभोः पुरुषस्यापरिणामित्वात् ॥४-१७॥ સૂત્રાર્થ :
પુરુષનું અપરિણામીપણું હોવાથી તેના પ્રભુ એવા પુરુષની ચિત્તના પ્રભુ એવા પુરુષની અર્થાત ચિત્તના ગ્રહીતા એવા પુરુષની ચિત્તનું ગ્રહણ કરનાર એવા પુરુષની, ચિત્તવૃત્તિઓ સદા સર્વકાળ જ, જ્ઞાત છે અર્થાત જ્ઞાનનો વિષય છે. ll૪-૧૭ll ટીકા : ___ 'सदेति'-या एताश्चित्तस्य प्रमाणविपर्ययादिरूपा वृत्तयस्तास्तत्प्रभोः चित्तस्य ग्रहीतुः पुरुषस्य, सदा-सर्वकालमेव, ज्ञाताः, तस्य चिद्रूपतयाऽपरिणामित्वात् परिणामित्वा
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૫૨
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | કેવલ્યપાદ | સૂત્ર-૧૦ भावादित्यर्थः । यद्यसौ परिणामी स्यात् तदा परिणामस्य कदाचित्कत्वात् तासां चित्तवृत्तीनां सदा ज्ञातत्वं नोपपद्येत । अयमर्थः-पुरुषस्य चिद्रूपस्य सदैवाधिष्ठातृत्वेन व्यवस्थितस्य यदन्तरङ्गं निर्मलं सत्त्वं तस्यापि सदैवावस्थितत्वात् तद् येनार्थेनोपरक्तं भवति तथाविधस्यार्थस्य सदैव चिच्छायासङ्क्रान्तिसद्भावस्तस्यां सत्यां सिद्धं सदा ज्ञातत्वमिति न कदाचित् परिणामित्वाशङ्का ॥४-१७॥ ટીકાર્થ:
તા:....રૂત્યર્થ છે જે આ ચિત્તની પ્રમાણ, વિપર્યય આદિરૂપ વૃત્તિઓ છે તે તેના પ્રભુને ચિત્તના ગીતા-ગ્રહણ કરનાર એવા પુરુષને, સદા-સર્વકાળ જ, જ્ઞાત છે; કેમ કે તેનું ચિતૂપપણું હોવાના કારણે અપરિણામીપણું છે પુરુષનું ચિહ્નપપણું હોવાના કારણે અપરિણામીપણું છે પરિણામીપણાનો અભાવ છે.
પુરુષ અપરિણામી હોવાના કારણે ચિત્તવૃત્તિઓ સદા=સર્વકાળ જ, પુરુષને જ્ઞાત કેમ છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે –
... નોuપદ્યતે | જો આ પુરુષ, પરિણામી હોય તો પરિણામનું કદાચિત્પણું હોવાથી તે ચિત્તવૃત્તિઓનું સદા જ્ઞાતપણું ઘટે નહીં.
યમર્થ: - આ અર્થ છે – પુરુષી...... માઈક્T / સદા સર્વકાળ જ, અધિષ્ઠાતૃપણાથી વ્યવસ્થિત એવા ચિતૂપ પુરુષનું જે અંતરંગ નિર્મળ સત્ત્વ છે, તેનું પણ નિર્મળ એવા ચિત્તનું પણ, સદા જ અવસ્થિતપણું હોવાથી તે નિર્મળ ચિત્ત, જે અર્થથી ઉપરક્ત થાય છે તેવા પ્રકારના અર્થની સદા જ ચિછાયાની સંક્રાંતિનો સદ્ભાવ છે અને તે હોતે છતે સદા જ ચિછાયાની સંક્રાંતિનો સદ્ભાવ હોતે છતે, સદા જ્ઞાતપણું સિદ્ધ છે ચિત્તની વૃત્તિઓનું સદા જ્ઞાતપણું સિદ્ધ છે, એથી ક્યારે પણ પરિણામીપણાની આશંકા નથી. II૪-૧૭lી. ભાવાર્થ :
પ્રસ્તુત પાતંજલયોગસૂત્ર ૪-૧૭ની અવતરણિકામાં શંકા કરેલ કે પુરુષ જયારે નીલનું વેદન કરે છે ત્યારે પીતનું વેદન કરતો નથી, તેથી ચિત્ત ક્યારેક શેયવસ્તુનો ગ્રહીતુ=પ્રહણ કરનાર છે, એથી આકાર ગ્રહણ કરવામાં ચિત્ત પરિણામી છે. તેમ તે ચિત્તનો પ્રભુ એવો પુરુષ પણ પરિણામી થશે તેનું નિરાકરણ કરવા માટે કહે છે – પાતંજલમતાનુસાર પુરુષનું અપરિણામીપણું હોવાથી ચિત્તના ગ્રહીતા એવા પુરુષની ચિત્તવૃત્તિઓ સદા જ્ઞાત :
જે ચિત્તની વૃત્તિઓ પ્રમાણ, વિપર્યય આદિરૂપે રહેલી છે. તે ચિત્તની વૃત્તિઓ પુરુષને ક્યારેક
Page #182
--------------------------------------------------------------------------
________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ / સૂત્ર-૧૭ / સૂત્ર-૧૭ની ઉપા. મ.સા.ની ટિપ્પણી
૧૫૩
જ્ઞાત નથી પરંતુ સદાકાળ જ્ઞાત છે; કેમ કે પુરુષ ચિદ્રુપપણારૂપે અપરિણામી છે. આનાથી એ પ્રાપ્ત થાય કે પુરુષ ચિદ્રુપપણાથી અપરિણામી છે માટે ચિત્તની વૃત્તિઓ પુરુષને સદા જ્ઞાત છે. જો પુરુષને પરિણામી સ્વીકારવામાં આવે તો ચિત્તની વૃત્તિઓ સદા જ્ઞાત સંભવે નહીં. આ પ્રકારનું પતંજલિઋષિનું કહેવાનું તાત્પર્ય છે.
પાતંજલમતાનુસાર પુરુષ ચિત્તૂપ છે અને સદા ચિછાયારૂપે પ્રકૃતિમાં અધિષ્ઠાતારૂપે વ્યવસ્થિત છે અને તે વખતે જે અંતરંગ નિર્મળ એવું સત્ત્વ=ચિત્ત, છે તે પણ સદા વ્યવસ્થિત છે. તે ચિત્ત જે અર્થથી=પદાર્થથી, ઉપરક્ત થાય છે અર્થાત્ ચિત્ત જે જે અર્થોને ગ્રહણ કરે છે, તે તે અર્થોનો આકારરૂપે પરિણમન પામે છે, અને તે વખતે તેવા પ્રકારના ઘટ-પટાદિ દશ્યની છાયા ચિત્તમાં સંક્રમ પામે છે, તેથી તે ચિત્તમાં સદા જ્ઞાતત્વ સિદ્ધ થાય છે અર્થાત્ ચિત્ત કોઈ ક્ષણમાં જ્ઞાન વગરનું નથી, પરંતુ સદા જ્ઞાનવાળું છે તેમ સિદ્ધ થાય છે.
હવે જો આત્મા પરિણામી હોય તો ક્યારેક આત્માની ચિછાયાનો સંક્રમ થાય અને ક્યારેક આત્માની ચિછાયાનો સંક્રમ ન થાય, તેથી ચિત્તમાં સદા જ્ઞાતત્વ પ્રાપ્ત થાય નહિ.
પતંજલિઋષિનો આશય એ છે કે, ચિત્તની જે (૧) પ્રમાણ=યથાર્થજ્ઞાન, (૨) ભ્રમ, (૩) વિકલ્પ, (૪) નિદ્રા અને (૫) સ્મૃતિ એ ચિત્તની પાચે વૃત્તિઓ જ્ઞાનસ્વરૂપ છે, અને સંસારી જીવોને અનુભવ છે કે, આપણું ચિત્ત આ પાંચ વૃત્તિઓમાંથી કોઈને કોઈ વૃત્તિવાળું સદા હોય છે, તેથી ચિત્તનું સદા જ્ઞાતપણું છે, અને ચિત્ત પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલું છે અને તે જડ છે, તેથી ચિત્તનો જ્ઞાન સ્વભાવ નથી, છતાં તે નિર્મળ ચિત્તમાં બાહ્ય પદાર્થો સદા જ્ઞાત હોય છે, તેનું કારણ ચૈતન્યસ્વરૂપ પુરુષની છાયા સદા ચિત્તમાં પડે છે. જો પુરુષ પરિણામી હોય તો ચિત્તમાં ક્યારેક પુરુષની છાયા પડે અને ક્યારેક પુરુષની છાયા ન પડે, અને જ્યારે ચિત્તમાં પુરુષની છાયા ન પડે ત્યારે જડ એવું ચિત્ત જ્ઞેયનું જ્ઞાન કરી શકે નહિ, તેથી ચિત્તમાં શેય પદાર્થનું જ્ઞાતપણું સદા સંગત થાય નહિ, અને સંસારી જીવોના ચિત્તમાં શેયનું જ્ઞાતપણું સદા દેખાય છે, તેથી અનુમાન થાય છે કે જે પુરુષની ચિચ્છાયાથી ચિત્તમાં સદા જ્ઞાતપણું છે, તે પુરુષ અપરિણામી છે. II૪-૧૭||
(જુઓ પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિંશિકા-૧૧, શ્લોક-૧૩, પૃ. ૪૮ થી ૫૨, ગીતાર્થગંગાથી પ્રકાશિત શબ્દશઃ વિવેચન) પાતંજલયોગસૂત્ર ૪-૧૦ ઉપર પૂજ્ય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબની ટિપ્પણરૂપ
વ્યાખ્યા:
[य.] व्याख्या- ज्ञानरूपस्य चित्तस्यात्मनि धर्मिताऽपरिणामः सदा सन्निहितत्वेन तस्य सदाज्ञातत्वेऽप्यनुपपन्नः शब्दादीनां कादाचित्कसन्निधानेनैव व्यञ्जनावग्रहादिलक्षणेन ज्ञाताज्ञातत्वसम्भवात्, अत एव केवलज्ञाने शक्तिविशेषेण विषयाणां सदा सन्निधानाद् ज्ञानावच्छेदकत्वेन तेषां सदाज्ञातृत्वमबाधितमिति तु पारमेश्वरप्रवचनप्रसिद्धः पन्थाः ॥
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૫૪
અર્થ :
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૧૭ની ઉપા. મ.સા.ની ટિપ્પણી
આત્મામાં જ્ઞાનરૂપ ચિત્તનો ધર્મિતાનો અપરિણામ=ધર્મીપણારૂપે અન્ય અન્ય અવસ્થારૂપે અપરિણમન, સદા સંનિહિતપણાને કારણે-પાતંજલમતની પ્રક્રિયાઅનુસાર બુદ્ધિમાં આત્માના સદા સંનિહિતપણાને કારણે, તેના સદા જ્ઞાતપણામાં પણ-ચિત્તના સદા જ્ઞાતપણામાં પણ, અનુપપત્ર છે= જ્ઞાનરૂપ ચિત્તનો ધર્મિતાનો અપરિણામ આત્મામાં અઘટમાન છે; કેમ કે શબ્દાદિનું ક્યારેક વ્યંજનાવગ્રહાદિરૂપ સંનિધાન હોવાના કારણે જ જ્ઞાતાજ્ઞાતત્વનો સંભવ છે, આથી શબ્દાદિનું ક્યારેક સંનિધાન હોવાના કારણે જ્ઞાતાજ્ઞાતત્વ છે આથી જ, કેવલજ્ઞાનમાં શક્તિવિશેષ હોવાના કારણે વિષયોનું સદા સંનિધાન હોવાથી જ્ઞાનાવચ્છેદપણાથી તેઓનું=જ્ઞેયરૂપ વિષયોનું, સદા જ્ઞાતૃપણું અબાધિત છે. એ પ્રમાણે પારમેશ્વર પ્રવચન પ્રસિદ્ધ માર્ગ છે-સર્વજ્ઞકથિત માર્ગ છે.
ભાવાર્થ :
સાંખ્યદર્શનકાર પાણીમાં ચંદ્રના પ્રતિબિંબની જેમ બુદ્ધિમાં આત્માનું પ્રતિબિંબ સ્વીકારે છે, તેથી બુદ્ધિમાં આત્મા સદા સંનિહિત છે તેમ માને છે અને તેના કારણે આત્મામાં ચિત્ત સદા જ્ઞાત છે તેમ સ્વીકારે છે અને આત્માને પરિણામી સ્વીકારીએ તો ચિત્ સદા જ્ઞાત થઈ શકે નહીં તેમ કહે છે. તેનો પૂજ્ય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબ ઉત્તર કહે છે
-
આત્મા સદા સંનિહિત હોવાને કારણે ચિત્ત સદા જ્ઞાત હોવા છતાં પણ આત્મામાં જ્ઞાનરૂપ ચિત્તનો ધર્મિતાનો અપરિણામ અનુપપન્ન છે. આશય એ છે કે, પાતંજલમતની પ્રક્રિયા અનુસાર આત્માનું બુદ્ધિમાં પ્રતિબિંબ સ્વીકારીને આત્મા ચિત્તનો સદા જ્ઞાતા છે - તેમ સ્વીકારીએ તોપણ આત્મામાં રહેલો જ્ઞાનરૂપ ચિત્તનો અન્ય અન્ય પરિણામ પાતંજલદર્શનકારે સ્વીકારવો જ જોઈએ.
કેમ આત્મા સદા ચિત્તનો જ્ઞાતા હોવા છતાં આત્માને પરિણામી સ્વીકારવો આવશ્યક છે ? તેમાં હેતુ કહે છે
સંસારીજીવ વ્યંજનાવગ્રહ, અર્થાવગ્રહ આદિરૂપ વિષયોના સંનિધાનથી વિષયોનો બોધ કરે છે અને સંસારીજીવોને ક્યારેક કોઈક ઇન્દ્રિયોના વિષયનો વ્યંજનાવગ્રહાદિરૂપ સંનિધાન હોય છે, તેથી આત્માને શબ્દાદિ વિષયોમાંથી કોઈક વિષય જ્ઞાત હોય છે અને કોઈક વિષય અજ્ઞાત હોય છે. વળી અન્ય કાળે કોઈ અન્ય વિષય જ્ઞાત થાય છે ત્યારે પૂર્વનો વિષય અજ્ઞાત થાય છે, તેથી જ્ઞાત-અજ્ઞાતપણું સદા પરિવર્તન પામતું દેખાય છે, તેથી આત્માને પરિણામી અવશ્ય સ્વીકારવો પડે. માટે પાતંજલદર્શનકાર કહે છે કે આત્માને અપરિણામી સ્વીકારવો જોઈએ; કેમ કે આત્માને ચિત્તવૃત્તિઓ સદા જ્ઞાત છે, તે કથન તેમનું અસંગત છે.
વળી સંસારીજીવોને શબ્દાદિવિષયો વ્યંજનાવગ્રહાદિરૂપે જ્ઞાતાજ્ઞાત થાય છે, તેની પુષ્ટિ કરવા અર્થે કહે છે –
Page #184
--------------------------------------------------------------------------
________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૧૦ની ઉપા. મ.સા.ની ટિપ્પણી | સૂત્ર-૧૮ ૧૫૫ કેવલજ્ઞાનમાં શક્તિવિશેષ હોવાને કારણે વિષયોનું સદા સંનિહિતપણું હોવાથી જ્ઞાનાવચ્છેદકપણાથી શેયરૂપ વિષયોનું સદા જ્ઞાતપણું અબાધિત :
આથી જ શબ્દાદિનું ક્યારેક સંનિધાન હોવાના કારણે જ્ઞાતાજ્ઞાતત્વ છે આથી જ, કેવલજ્ઞાનમાં સંપૂર્ણ આવરણનું વિગમન થયેલ હોવાથી એવી શક્તિવિશેષ છે કે, જેથી જોય વિષયોનું સદા કેવલજ્ઞાનમાં સંનિધાન રહે છે, તેના કારણે કેવળીને જ્ઞાનાવચ્છેદકપણાથી વિષયોનું સદા જ્ઞાતપણે અબાધિત છે.
આશય એ છે કે, કેવલીના આત્મામાં કેવલજ્ઞાન છે અને કેવલજ્ઞાન નિરાવરણ હોવાથી જગવર્તી સર્વ જ્ઞેય પદાર્થો કેવલજ્ઞાનમાં સદા ભાસે છે, તેથી વિષયોનું કેવલજ્ઞાનમાં સંનિધાન છે અને કેવલજ્ઞાનમાં સદા જે વિષયો જ્ઞાત છે, તેમાં રહેલું જ્ઞાતત્વ જ્ઞાનાવચ્છેદત્વથી છે અર્થાત્ કેવલીનું જ્ઞાન તે જ્ઞાતત્વનું અવચ્છેદક છે.
આનાથી એ પ્રાપ્ત થાય છે કે, કેવલીના આત્મામાં કેવલજ્ઞાન છે અને કેવલજ્ઞાનમાં વિષયો સદા પ્રતિભા સમાન છે, તેથી સ્વપ્રતિભાસક–સંબંધથી વિષયો કેવલજ્ઞાનમાં રહેલા છે અને કેવલજ્ઞાન તે વિષયોનો અવચ્છેદક છે, તેથી કેવલજ્ઞાનમાં જ્ઞાનાવચ્છેદકત્વ છે અને જ્ઞાનાવચ્છેદકત્વથી તે સર્વ વિષયો કેવલીને સદા જ્ઞાત છે, તેથી તે વિષયોમાં જ્ઞાનાવચ્છેદકત્વથી સદા જ્ઞાતપણે અબાધિત છે. એ પ્રકારનો પરમેશ્વરના પ્રવચનનો પ્રસિદ્ધ માર્ગ છે. પરંતુ સંસારીજીવોમાં વર્તતું જ્ઞાન તો વ્યંજનાવગ્રહાદિરૂપ હોવાના કારણે જ્ઞાત-અજ્ઞાત છે માટે આત્મા બુદ્ધિરૂપ ચિત્તમાં સદા પ્રતિબિંબિત છે તેમ પાતંજલદર્શન કહે છે તે સ્વીકારીએ તેથી ચિત્તનું સદા જ્ઞાતપણું સિદ્ધ થાય તો પણ આત્મા અવશ્ય પરિણામી સિદ્ધ થાય છે, કેમ કે વ્યંજનાવગ્રહાદિથી કંઈક જ્ઞાન થાય છે તે વખતે કંઈક અજ્ઞાન વર્તે છે તેથી ક્રમસર અન્ય અન્ય જ્ઞાનની પ્રતીતિ છે માટે જ્ઞાનના અન્ય અન્ય પરિણામને કારણે આત્મા પરિણામી છે. અવતરણિકા:
ननु चित्तमेव यदि सत्त्वोत्कर्षात्प्रकाशकं तदा स्वपरप्रकाशकत्वादात्मानमर्थं च प्रकाशयतीति तावतैव व्यवहारसमाप्तेः किं ग्रहीत्रन्तरेणेत्याशङ्कामपनेतुमाह - અવતરણિકાર્ય :
જો સત્ત્વના ઉત્કર્ષને કારણે સત્ત્વ, રજસ્ અને તમગુણમાંથી સત્ત્વના ઉત્કર્ષને કારણે, ચિત્ત જ પ્રકાશક છે તો સ્વ-પર પ્રકાશકપણું હોવાથી–ચિત્તનું સ્વ-પર પ્રકાશકપણું હોવાથી, પોતાને અને અર્થને અર્થાત્ ચિત્ત પોતાને અને બાહ્ય વિષયોને પ્રકાશન કરે છે એથી તેટલાથી રૂચિત્તને સ્વીકારવા માત્રથી, વ્યવહારની સમાપ્તિ હોવાને કારણે=દેખાતા અનુભવની સંગતિ હોવાના કારણે, અન્ય ગ્રહીતા ગ્રહણ કરનાર વડે શું ? ચિત્તના ગ્રહીતા ચિત્તથી અન્ય એવા પુરુષના સ્વીકાર વડે શું ? એ પ્રકારની શંકાને દૂર કરવા માટે કહે છે –
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૫૬
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૧૮
સૂત્રઃ
न तत् स्वाभासं दृश्यत्वात् ॥४-१८॥
સૂત્રાર્થ :
તે ચિત્ત, સ્વાભાસરસ્વ પ્રકાશક નથી; કેમ કે દશ્યપણું છે. ll-૧૮II ટીકા :
‘નેતિ'-શ્ચત્ત સ્વમાનં-સ્વછાશવ, રમવતિ, પુરુષવેદ્ય મવતીતિ થાવત્ કુત: ? दृश्यत्वात्, यत्किल दृश्यं तद् द्रष्टुवेद्यं दृष्टं यथा घटादि, दृश्यं च चित्तं तस्मान्न स्वाभासम् NI૪-૨૮ાા ટીકાર્ય :
તત્વ માસમ્ | તેરચિત્ત સ્વાભાસ-સ્વપ્રકાશક નથી અર્થાત્ પુરુષથી વેદ્ય છે, એ પ્રમાણે જાણવું.
કેમ પુરુષવેદ્ય છે ? તેમાં હતુ કહે છે – દેશ્યપણું છે. દેશ્યપણું હોવાથી પુરુષવેદ્ય છે, તે યુક્તિથી સ્પષ્ટ કરે છે –
જે ખરેખર દેશ્ય છે તે દેખાથી વેદ્ય જોવાયું છે. જે પ્રમાણે-ઘટાદિ અને ચિત્ત દશ્ય છે તે કારણથી સ્વાભાસ સ્વપ્રકાશક, નથી. //૪-૧૮
ભાવાર્થ :
પાતંજલમતાનુસાર દેશ્યપણું હોવાથી ચિત્ત પરપ્રકાશક :
પાતંજલદર્શનકાર ચિત્તરૂપ જ્ઞાનને પરપ્રકાશક સ્વીકારે છે, સ્વપ્રકાશક સ્વીકારતા નથી, એથી પ્રસ્તુત અવતરણિકામાં શંકા કરેલ છે કે, જો ચિત્ત પ્રકાશક હોય તો જેમ તે ચિત્ત પરનું પ્રકાશન કરે છે તેમ પોતાનું પણ પ્રકાશન કરે અને તેમ સ્વીકારવામાં આવે તો દેખાતો સર્વ અનુભવ આત્માને સ્વીકાર્યા વગર સંગત થાય છે, કેમ કે ચિત્ત ઘટ-પટાદિનું પ્રકાશન કરે છે અને પોતાના સ્વરૂપનું પણ પ્રકાશન કરે છે માટે આત્માને માનવાની આવશ્યકતા રહે નહીં. તેના નિરાકરણરૂપે સ્વમાન્યતાનુસાર ચિત્તને પરપ્રકાશક સ્વીકારીને ચિત્તથી અતિરિક્ત ચિત્તનો પ્રકાશક પુરુષ છે. તે બતાવવા અર્થે કહે છે –
ચિત્ત સ્વપ્રકાશક નથી, પરંતુ પુરુષથી વેદ્ય છે. જેમ ઘટ-પટાદિ પદાર્થો ચિત્તથી વેદ્ય છે, સ્વવેદ=સ્વપ્રકાશક નથી, તેમ ઘટ-પટાદિ જેવું દશ્ય ચિત્ત પુરુષથી વેદ્ય છે, સ્વવેદ્ય સ્વપ્રકાશક, નથી માટે ચિત્તનો પ્રકાશક પુરુષ છે તેમ સિદ્ધ થાય છે, આ પ્રકારે પાતંજલદર્શનકાર કહે છે. |૪-૧૮
Page #186
--------------------------------------------------------------------------
________________
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કેવલ્યપાદ | સુત્ર-૧૯
૧૫o
અવતરણિકા :
ननु साध्याविशिष्टोऽयं हेतुः, दृश्यत्वमेव चित्तस्यासिद्धम्, किञ्च स्वबुद्धिसंवेदनद्वारेण पुरुषाणां हिताहितप्राप्तिपरिहाररूपा वृत्तयो दृश्यन्ते, तथाहि-क्रुद्धोऽहं भीतोऽहमत्र मे राग इत्येवमाद्या संविबुद्धेरसंवेदने नोपपद्यतेत्याशङ्कामपनेतुमाह - અવતરણિકાર્ય : - સાધ્ય અવિશિષ્ટ આ હેતુ છેઃપાતંજલ યોગસૂત્ર ૪-૧૮માં કહયું કે, ચિત્ત સ્વાભાસ સ્વપ્રકાશક, નથી તેમાં દશ્યપણું હોવાથી” એ હેતુ સિદ્ધ નથી. તેથી ત્વત્' હેતુ સાધ્ય અવિશિષ્ટ સાધ્યસમાન છે –
કેમ દેશ્યત્વ સાધ્યસમાન છે તેથી કહે છે –
ચિત્તનું દશ્યપણું જ અસિદ્ધ છે. વળી સ્વબુદ્ધિસંવેદન દ્વારા હિતાહિતની પ્રાપ્તિ અને પરિણારરૂપ વૃત્તિઓ દેખાય છે અર્થાત્ દરેક જીવોને પોતાની બુદ્ધિના સંવેદનથી દેખાય છે કે, હિતની પ્રાપ્તિ અને અહિતના પરિવારની પ્રવૃત્તિ પોતે કરે છે. હિતની પ્રાપ્તિ અને અહિતના પરિહારની પ્રવૃત્તિ પોતે કરે છે તે તથાદિથી સ્પષ્ટ કરે છે –
તે આ પ્રમાણે - હું કુદ્ધ છું, હું ભીત=ભય પામેલો છું, અહીં મને રાગ છે, એ વગેરે બુદ્ધિની સંવિનું અસંવેદન હોય તો ઘટે નહીં એ પ્રકારની આશંકાને દૂર કરવા માટે કહે છે – ભાવાર્થ :
પાતંજલયોગસૂત્ર ૪-૧૮માં ચિત્ત સ્વપ્રકાશક નથી એ બતાવવા માટે દૃશ્યત્વા' હેતુ કહ્યો. ત્યાં કોઈ શંકા કરે છે કે, ચિત્ત દશ્ય છે એ જ સિદ્ધ નથી, તેથી જેમ સાધ્યને સિદ્ધ કરવાનું હોય તેમ આ હેતુને પણ સિદ્ધ કરવો પડે તેમ છે. માટે સાધ્યસમાન આ હેતુ છે. સાધ્યસમાન હેતુથી સાધ્યની સિદ્ધિ થાય નહીં માટે ‘દૃશ્યત્વી' હેતુથી ચિત્ત સ્વપ્રકાશક નથી તેમ સિદ્ધ થઈ શકે નહીં.
વળી ચિત્ત સ્વપ્રકાશક છે તે અનુભવથી બતાવવા માટે ‘ગ્નિ'થી કહે છે –
સંસારવર્તી જીવો હિતની પ્રાપ્તિ અને અહિતના પરિહાર માટે યત્ન કરે છે, તે સ્વબુદ્ધિના સંવેદનથી કરે છે, તેથી નક્કી થાય છે કે પોતાની બુદ્ધિનું સંવેદન પોતાને છે માટે બુદ્ધિ સ્વપ્રકાશક નથી તેમ કહી શકાય નહીં.
સ્વબુદ્ધિથી પોતાને શું સંવેદન થાય છે તે બતાવે છે –
હું ક્રોધી છું, હું ભય પામેલો છું, મને આમાં રાગ છે, આ સર્વ અનુભવ સ્વબુદ્ધિથી દરેકને થાય છે, તેથી બુદ્ધિ પોતાના ક્રોધના સ્વરૂપનું, ભયના સ્વરૂપનું કે રાગના સ્વરૂપનું સંવેદન કરે છે અને તે પ્રમાણે હિતની પ્રાપ્તિ અને અહિતના પરિહાર માટે યત્ન કરે છે માટે બુદ્ધિને સ્વસંવેદન નથી તેમ કહેવું ઉચિત નથી. આ પ્રકારની શંકાને દૂર કરવા માટે કહે છે.
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૫૮
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૧૯
સૂત્ર :
સમયે રોમાનવધા૨Uામ્ I૪-૨?
સૂત્રાર્થ :
અને એક સમયમાં ઉભયનું અનવઘારણ છે=ાર્થના સંવેદનનું અને બુદ્ધિના સંવેદનનું, અનવઘારણ છે, તેથી ચિત્ત સ્વપ્રકાશક નથી એમ અન્વય છે. ૪-૧૯ll ટીકા :
'एकसमय इति'-अर्थस्य संवित्तिरिदन्तया व्यवहारयोग्यतापादनमयमर्थः सुखहेतुः दुःखहेतुर्वेति, बुद्धेश्च संविदहमित्येवमाकारेण सुखदुःखरूपतया व्यवहारक्षमतापादनम्, एवंविधं च व्यापारद्वयमर्थप्रत्यक्षताकाले न युगपत्कर्तुं शक्यं विरोधात्, न हि विरुद्धयो
ापारयोर्युगपत्सम्भवोऽस्ति, अत एकस्मिन् काल उभयस्य स्वरूपस्यार्थस्य चावधारयितुमशक्यत्वान्न चित्तं स्वप्रकाशमित्युक्तं भवति, किञ्चैवंविधव्यापारद्वयनिष्पाद्यस्य फलद्वयस्यासंवेदनाद् बहिर्मुखतयैवार्थनिष्ठत्वेन चित्तस्य संवेदनादर्थनिष्ठमेव फलं न
નિમિત્કર્થ: II૪-૨ ટીકાર્ય :
અર્થી .... વિરોધાત્ આ અર્થ-આ પદાર્થ, સુખનો હેતુ છે અથવા દુ:ખનો હેતુ છે, એ પ્રકારે ઇદંપણાથી વ્યવહારયોગ્યતાનું આપાદન અર્થની સંવિત્તિ સંવેદન છે અને હું એ પ્રકારના આકારથી સુખ-દુ:ખપણારૂપે વ્યવહારની ક્ષમતાને આપાદન બુદ્ધિની સંવત્ છે, અને આવા પ્રકારનો વ્યાપારલય= અર્થની સંવિત્તિ અને બુદ્ધિની સંવિત્તિરૂપ બે વ્યાપાર, અર્થના પ્રત્યક્ષપણાના કાળમાં પદાર્થના બોધના કાળમાં, એક સાથે કરવા માટે શક્ય નથી; કેમ કે વિરોધ છે.
કેમ એક સાથે વ્યાપારદ્વયનો વિરોધ છે એથી કહે છે –
ન હિમવતિ, વિરુદ્ધ એવા બે વ્યાપારોનો એક સાથે સંભવ નથી જ, અને આથી જ એક કાળમાં ઉભયસ્વરૂપવાળા અર્થનું બુદ્ધિની સંવિત્ર અને અર્થની સવિતું રૂપ ઉભયસ્વરૂપવાળા પદાર્થનું, અવધારણ કરવા માટે અશક્યપણું હોવાથી ચિત્ત સ્વપ્રકાશક નથી, એ પ્રમાણે હેવાયેલું થાય છે.
વિક....ત્યર્થ: અને વળી આવા પ્રકારના વ્યાપારકયથી નિષ્પાદ્ય-પૂર્વમાં વર્ણન ક્યું એવા એવા પ્રકારના બુદ્ધિસંવિદ્ અને અર્થ સંવિદુરૂપ વ્યાપારદ્વયથી નિષ્પાદ્ય, એવા ફળયનું અસંવેદન હોવાને કારણે બહિર્મુખપણાથી જ અર્થનિષ્ઠપણારૂપે ચિત્તનું સંવેદન હોવાથી અર્થનિષ્ઠ જ ફળ છે-ચિત્તને અર્થનિષ્ઠ બોધરૂપ ફળ છે, સ્વનિષ્ઠ બોધરૂપ ફળ નથી. એ પ્રકારનો અર્થ છે. II૪-૧૯TI
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૫૯
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૧૯-૨૦ ભાવાર્થ : એક સમયમાં અર્થના સંવેદનનું અને બુદ્ધિના સંવેદનનું અનવધારણ હોવાથી ચિત્ત પરપ્રકાશક:
પાતંજલ યોગસૂત્ર ૪-૧૮માં કહ્યું કે, ચિત્ત સ્વપ્રકાશક નથી, તેથી હવે ચિત્ત સ્વપ્રકાશક કેમ નથી ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
બહારના ઘટ-પટાદિ પદાર્થો જોઈને “આ સુખનો હેતુ છે, આ દુઃખના હેતુ છે' એ પ્રકારે જે બોધ થાય છે તે અર્થનો બોધ છે અને હું સુખી છું, હું દુઃખી છું’ એ પ્રકારે જે બોધ થાય છે તે બુદ્ધિનો બોધ છે. બુદ્ધિ બાહ્ય એવા અર્થોને પ્રત્યક્ષ કરે છે તે વખતે અર્થનો બોધ અને બુદ્ધિનો બોધ બેય સાથે થઈ શકે નહીં, કેમ કે વિરુદ્ધ એવા બે વ્યાપારો એક કાળમાં થઈ શકે નહીં. આ પ્રમાણે પાતંજલદર્શનકાર માને છે, તેથી ચિત્તને સ્વપ્રકાશક નથી તેમ કહે છે.
અહીં પ્રશ્ન થાય છે કે ચિત્ત એક સાથે બે વિરુદ્ધ વ્યાપાર કરી શકે નહિ, તોપણ તે ચિત્ત પરપ્રકાશક છે, સ્વપ્રકાશક નથી તેમ કેવી રીતે નક્કી થાય ? તેથી કહે છે –
અર્થને જાણવાનો વ્યાપાર અને બુદ્ધિને જાણવાનો વ્યાપાર, તે બે વ્યાપારથી નિષ્પાદ્ય એવા બે બોધરૂપ ફળો એક સાથે સંવેદન થતા નથી અને ચિત્ત બાહ્ય પદાર્થોનો બોધ કરે છે તે અનુભવથી દેખાય છે, તેથી ચિત્તનો અર્થવિષયક જ બોધ છે. પોતાના સ્વરૂપવિષયક બોધ નથી એ પ્રમાણે પાતંજલદર્શનકાર કહે છે. ll૪-૧૯ll અવતરણિકા:
ननु मा भूद् बुद्धेः स्वयं ग्रहणं, बुद्ध्यन्तरेण भविष्यतीत्याशङ्कयाऽऽह - અવતરણિતાર્થ :
બુદ્ધિ સ્વયં ગ્રહણ ન થાય, પરંતુ બુäતરથી=અન્ય બુદ્ધિથી ગ્રહણ થશે એ પ્રકારની આશંકા કરીને કહે છે – ભાવાર્થ :
પાતંજલયોગસૂત્ર ૪-૧૯થી સ્થાપન કર્યું કે, બુદ્ધિ અર્થને ગ્રહણ કરે છે અને બુદ્ધિને પુરુષ ગ્રહણ કરે છે. ત્યાં કોઈને શંકા થાય કે બુદ્ધિ અર્થને ગ્રહણ કરે છે તે બુદ્ધિને ગ્રહણ કરવા માટે અન્ય પુરુષની કલ્પના કરવાના બદલે અર્થને ગ્રહણ કરનાર બુદ્ધિ બુધ્ધતરથી ગ્રહણ થાય છે, તેમ સ્વીકારી શકાશે, તેથી બુદ્ધિથી અતિરિક્ત નવા પુરુષની કલ્પનાનો દોષ પ્રાપ્ત થાય નહીં તેના નિવારણ માટે કહે છે –
સૂત્ર :
चित्तान्तरदृश्ये बुद्धिबुद्धेरतिप्रसङ्गः स्मृतिसङ्करश्च ॥४-२०॥
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૬૦
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૨૦
સૂત્રાર્થ :
ચિત્તાંતરથી દશ્ય હોતે છd=ાર્થને ગ્રહણ કરનારું ચિત્ત અન્ય ચિત્તથી દશ્ય હોતે છd, બુદ્ધિની બુદ્ધિનો અતિપ્રસંગ છે ચિત્તરૂપ બુદ્ધિને જાણનારી બુદ્ધિની બુદ્ધિનો ત્રીજી બુદ્ધિનો અતિપ્રસંગ છે અને સ્મૃતિશંકર છે. ll૪-૨૦|| ટીકા : ___ 'चित्तान्तरेति'-यदि हि बुद्धिर्बुद्ध्यन्तरेण वेद्यते तदा साऽपि बुद्धिः स्वयमबुद्धा बुद्ध्यन्तरं प्रकाशयितुमसमर्थेति तस्या ग्राहकं बुद्ध्यन्तरं कल्पनीयं तस्याप्यन्यदित्यनवस्थानात्पुरुषायुषेणाप्यर्थप्रतीतिर्न स्यात्, न हि प्रतीतावप्रतीतायामर्थः प्रतीतो भवति, स्मृतिसङ्करश्च प्राप्नोति, रूपे रसे वा समुत्पन्नायां बुद्धौ तद्ग्राहिकाणामनन्तानां बुद्धीनां समुत्पत्तेर्बुद्धिजनितैः संस्कारैर्यदा युगपद् बढ्यः स्मृतयः क्रियन्ते तदा बुद्धेरपर्यवसानाद् बुद्धिस्मृतीनां च बह्वीनां युगपदुत्पत्तेः कस्मिन्नर्थे स्मृतिरियमुत्पन्नेति ज्ञातुमशक्यत्वात् स्मृतीनां सङ्करः स्यात्, इयं रूपस्मृतिरियं रसस्मृतिरिति न ज्ञायेत ॥४-२०॥ ટીકાર્ય :
યદ્ધિ હિં.... ન થાત્ | જો બુદ્ધિ બુધ્યતરથી અન્ય બુદ્ધિથી વેદના થાય તો તે પણ બુદ્ધિ બીજી પણ બુદ્ધિ, સ્વયં પોતે અબુદ્ધ એવી બુäતરને અન્ય બુદ્ધિને અર્થાત્ પ્રથમ બુદ્ધિને પ્રકાશન કરવા માટે અસમર્થ છે. તેથી તેની રાહબીજી બુદ્ધિની ગ્રાહક, બુધ્યતરરૂપ ત્રીજી બુદ્ધિ લ્પનીય છે-કલ્પના યોગ્ય છે. તેની પણ અન્ય ત્રીજી બુદ્ધિની ગ્રાહક અન્ય ચોથી બુદ્ધિ છે એ પ્રમાણે અનવસ્થા હોવાના કારણે પુરુષના આયુષ્યથી પણ અર્થની પ્રતીતિ થાય નહિ.
અહીં પ્રશ્ન થાય કે પ્રથમ બુદ્ધિથી અર્થની પ્રતીતિ થાય છે. તેમ સ્વીકારીએ તો શું વાંધો છે ? એથી કહે છે –
7 દિ... પ્રણોતિના અપ્રતીત એવી પ્રતીતિ હોતે છતે પુરુષને અપ્રતીત એવી બુદ્ધિ હોતે છતે, અર્થ પ્રતીત થાય નહીં અને સ્મૃતિસંકર પ્રાપ્ત થાય. કઈ રીતે સ્મૃતિસંકર થાય ? તે સ્પષ્ટ કરે છે –
રૂપે.... જ્ઞાયતે II રૂપ અને રસવિષયક સમુત્પન્ન બુદ્ધિ હોતે છતે તેની પ્રાહિકા ગ્રહણ કરનારી, અનંત બુદ્ધિની ઉત્પત્તિ હોવાથી જ્યારે બુદ્વિજનિત સંસ્કારો વડે ઘણી સ્મૃતિઓ કરાય છે ત્યારે બુદ્ધિના અપર્યવસાનને કારણે અને ઘણી બુદ્ધિની સ્મૃતિની એક સાથે ઉત્પત્તિ હોવાથી ક્યા અર્થમાં આ સ્મૃતિ ઉત્પન્ન થઈ છે એ પ્રમાણે જાણવું અશક્ય હોવાને કારણે સ્મૃતિનો સંકર થાય અર્થાત્ આ રૂપની સ્મૃતિ છે, આ રસની સ્મૃતિ છે એ જાણી શકાય નહીં. ll૪-૨૦||
Page #190
--------------------------------------------------------------------------
________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૨૦
ભાવાર્થ :
ચિત્ત સ્વઆભાસ=સ્વપ્રકાશક, નથી એ પ્રમાણે પાતંજલયોગસૂત્ર ૪-૧૮માં યુક્તિથી સ્થાપન કર્યું અને તેનાથી સિદ્ધ કર્યું કે, ચિત્ત દૃષ્ટાથી વેદ્ય છે, તેથી ચિત્તનો ગ્રહીતા પુરુષ છે, તેમ સિદ્ધ થાય છે. ત્યાં કોઈ કહે છે કે, ચિત્ત સ્વપ્રકાશક ભલે ન હોય; કેમ કે દશ્ય છે, તોપણ અર્થને ગ્રહણ કરનારું ચિત્ત ચિત્તાંતરથી દશ્ય સ્વીકારી શકાશે, માટે દશ્ય એવા ચિત્તનું વેદન કરનાર દષ્ટાને માનવાની જરૂર નથી. તેનું નિરાકરણ કરવા અર્થે કહે છે
૧૬૧
બુદ્ધિનું વેદન અન્ય બુદ્ધિથી માનવામાં અનવસ્થા દોષની પ્રાપ્તિ :
જો ઘટ-પટાદિને ગ્રહણ કરનાર બુદ્ધિ બુદ્ધંતરથી=અન્ય બુદ્ધિથી વેદન થાય છે, તેમ સ્વીકારીને દષ્ટા એવો પુરુષ નથી, તેમ સ્વીકારીએ, તો ઘંટ-પટાદિને ગ્રહણ કરનારી બુદ્ધિ જેમ સ્વયં બોધવાળી નથી, તેમ બુદ્ધિને ગ્રહણ કરનારી બુધ્વંતર પણ=બીજી બુદ્ધિ પણ, સ્વયં બોધવાળી નથી, તેથી તેને પ્રકાશન કરવા માટે ત્રીજી બુદ્ધિની કલ્પના કરવી પડશે, અને તે ત્રીજી બુદ્ધિને ગ્રહણ કરનારી ચોથી બુદ્ધિની કલ્પના કરવી પડશે. આ રીતે અનવસ્થાની પ્રાપ્તિ છે, તેથી પુરુષના આયુષ્યથી પણ અર્થની પ્રતીતિ થશે નહિ.
અહીં પ્રશ્ન થાય કે, ઘટ-પટાદિને ગ્રહણ કરનારી બુદ્ધિને ગ્રહણ કરવા માટે બીજી બુદ્ધિની આવશ્યકતા છે, અને બીજી બુદ્ધિને ગ્રહણ કરવા માટે ત્રીજી બુદ્ધિની આવશ્યકતા છે, એ રીતે અનવસ્થાની પ્રાપ્તિ થાય, તોપણ પ્રથમબુદ્ધિથી અર્થની પ્રતીતિ થવાથી પૂર્ણ આયુષ્યથી પણ પુરુષને અર્થની પ્રતીતિ થશે નહિ તેમ કેમ કહી શકાય ? તેથી કહે છે -
અપ્રતીત એવી બુદ્ધિ હોતે છતે અર્થ પ્રતીત થતો નથી.
આશય એ છે કે, જ્યાં સુધી બુદ્ધિનું સંવેદન થાય નહિ ત્યાં સુધી તે બુદ્ધિ અર્થની પ્રતીતિ કરી શકે નહિ અને બુદ્ધિનું સંવેદન કરવા માટે અન્ય બુદ્ધિની કલ્પના કરવાથી અનંતી બુદ્ધિઓની કલ્પના કરવી પડે છે, અને જ્યાં સુધી તે સર્વ બુદ્ધિઓ દ્વારા પૂર્વ પૂર્વની બુદ્ધિનું સંવેદન થાય નહિ, ત્યાં સુધી પ્રથમની બુદ્ધિ અર્થની પ્રતીતિ કરી શકે નહિ અને અર્થની પ્રતીતિ તો થાય છે, તેથી નક્કી થાય છે કે, અર્થની પ્રતીતિ કરનાર બુદ્ધિ છે, અને તે બુદ્ધિની પ્રતીતિ કરનાર પુરુષ છે, પરંતુ અન્ય બુદ્ધિ નથી. એ પ્રકારનો પતંજલિઋષિનો આશય છે.
વળી અર્થનું સંવેદન કરનારી બુદ્ધિને અન્ય બુદ્ધિ દ્વારા દશ્ય સ્વીકારીએ તો અનવસ્થા દોષની પ્રાપ્તિ બતાવી અને તેનાથી ઘટ-પટાદિ અર્થની પ્રતીતિ થઈ શકે નહિ તેમ બતાવ્યું. હવે ઘટ-પટાદિ અર્થને જાણનારી બુદ્ધિ અન્ય બુદ્ધિથી સંવેદન થાય છે, તેમ સ્વીકારીએ તો સ્મૃતિસંકર દોષ પણ પ્રાપ્ત થાય છે, તે બતાવે છે
બુદ્ધિનું વેદન અન્ય બુદ્ધિથી માનવામાં સ્મૃતિશંકરદોષની પ્રાપ્તિ ઃ
જેમ કોઈ પુરુષને રૂપવિષયક પદાર્થનો બોધ થયો, ત્યારે તે બુદ્ધિ રૂપસ્વરૂપ અર્થનું પ્રકાશન
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૬૨
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૨૦-૨૧ કરે છે, અને રૂપસ્વરૂપ અર્થનું પ્રકાશન કરનારી બુદ્ધિ અન્ય બુદ્ધિથી સંવેદ્ય છે, વળી તે અન્ય બુદ્ધિ ત્રીજી બુદ્ધિથી સંવેદ્ય છે, એમ અનંત બુદ્ધિઓની પ્રાપ્તિ થશે.
વળી તે જ પુરુષને રસવિષયક અર્થનો બોધ થયો, ત્યારે તે બુદ્ધિ રસરૂપ અર્થનું પ્રકાશન કરે છે, અને રસરૂપ અર્થનું પ્રકાશન કરનારી બુદ્ધિ અન્ય બુદ્ધિથી સંવેદ્ય છે, વળી તે અન્ય બુદ્ધિ ત્રીજી બુદ્ધિથી સંવેદ્ય છે, એમ અનંત બુદ્ધિઓની પ્રાપ્તિ થાય.
આ રીતે એક પુરુષને રૂપને જ્ઞાન થયું અને પછી રસનું જ્ઞાન થયું, ત્યારે રૂપની સાથે સંબંધવાળી અનંતી બુદ્ધિઓ અને રસની સાથે સંબંધવાળી અનંતી બુદ્ધિઓના સંસ્કારો પડશે, પછી જયારે તે પુરુષ તે રૂપ અને તે રસનું સ્મરણ કરવા પ્રયત્ન કરશે, ત્યારે એક સાથે ઘણી બધી સ્મૃતિઓ ઉત્પન્ન થશે, તેથી કઈ સ્મૃતિ રૂપવિષયક છે અને કઈ સ્મૃતિ રસવિષયક છે, તેનું ગ્રહણ થશે નહિ; કેમ કે અનંતી બુદ્ધિઓમાંથી કઈ બુદ્ધિ રૂપવિષયક છે અને કઈ બુદ્ધિ રસવિષયક છે તેનો ભેદ કરવો અશક્ય છે.
આનાથી એ પ્રાપ્ત થાય છે કે, બુદ્ધિ પરપ્રકાશક છે, સ્વપ્રકાશક નથી, અને બુદ્ધિને બુધ્ધતરથી વેદ્ય સ્વીકારીએ તો સ્મૃતિ સંકર થાય. આ પ્રકારના દોષોની પ્રાપ્તિ હોવાથી બુદ્ધિ પુરુષથી વેદ્ય છે અને અર્થ બુદ્ધિથી વેદ્ય છે એમ માનવું ઉચિત છે, એ પ્રકારનો પતંજલિ ઋષિનો આશય છે. II૪-૨૦ અવતરણિકા :
ननु बुद्धेः स्वप्रकाशत्वाभावे बुद्ध्यन्तरेण चासंवेदने कथमयं विषयसंवेदनरूपो व्यवहार इत्याशङ्कय स्वसिद्धान्तमाह - અવતરણિકાર્ય :
બુદ્ધિના સ્વપ્રકાશકપણાનો અભાવ હોતે છતે અને બુäતરથી અન્યબુદ્ધિથી અસંવેદન હોતે છતે કેવી રીતે વિષયસંવેદનરૂપ આ વ્યવહાર છે ? એ પ્રકારની શંકા કરીને સ્વસિદ્ધાંતને કહે છે – ભાવાર્થ :
પાતંજલયોગસૂત્ર ૪-૧૮-૧૯માં સ્થાપન કર્યું કે, બુદ્ધિ સ્વપ્રકાશક નથી અને ૪-૨૦માં સ્થાપન કર્યું કે બુદ્ધિનું બુäતરથી=અન્યબુદ્ધિથી સંવેદન થતું નથી, તેથી પ્રશ્ન થાય કે તો પછી કઈ રીતે સંસારીજીવોને આ વિષયના સંવેદનરૂપ બોધ થાય છે તે સંગત થાય? એ પ્રકારની શંકા કરીને બુદ્ધિનું સંવેદન કઈ રીતે પુરુષને થાય છે અને તેના દ્વારા બુદ્ધિને વિષયોનું સંવેદન થાય છે એ રૂપ પોતાના સિદ્ધાંતને પાતંજલદર્શનકાર કહે છે. સૂત્ર :
चितेरप्रतिसङ्क्रमायास्तदाकारापत्तौ स्वबुद्धिसंवेदनम् ॥४-२१॥
Page #192
--------------------------------------------------------------------------
________________
૧૬૩
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૨૧ સૂત્રાર્થ :
અપ્રતિસંક્રમવાળી ચિતિથી તદાકારની પ્રાપ્તિ થયે છતે બુદ્ધિને ચેતનાના આકારની પ્રાપ્તિ થયે છતે અર્થાત બુદ્ધિ ચેતના જેવી થયે છતે, સ્વને પુરુષને, બુદ્ધિનું સંવેદન થાય છે. II૪-૨૧II ટીકા :
'चितेरिति'-पुरुषश्चिद्रूपत्वाच्चितिः साऽप्रतिसङ्क्रमा न विद्यते प्रतिसङ्क्रमोऽन्यत्र गमनं यस्याः सा तथोक्ता, अन्येनासङ्कीर्णेति यावत् । यथा गुणा अङ्गाङ्गिभावलक्षणे परिणामेऽङ्गिनं गुणं(गुणिनं?) सङ्क्रामन्ति तद्रूपतामिवाऽऽपद्यन्ते, यथा वाऽलोकेपरमाणवः प्रसरन्तो विषयमारूपयन्ति नैवं चितिशक्तिस्तस्याः सर्वदैकरूपतया स्वप्रतिष्ठितत्वेन व्यवस्थितत्वात्, अतस्तत्सन्निधाने यदा बुद्धिस्तदाकारतामापद्यते चेतनेवोपजायते, बुद्धिवृत्तिप्रतिसङ्क्रान्ता च यदा चिच्छक्तिर्बुद्धिवृत्तिविशिष्टतया संवेद्यते तदा बुद्धेः स्वस्याऽऽत्मनो वेदनं भवतीत्यर्थः ॥४-२१॥ ટીકાર્થ:
પુરુષ: યાવત્ ા પુરષ ચિદ્રપ હોવાથી ચિતિ છે અને પુરુષરૂપ ચિતિ અપ્રતિસંદ છે અન્યત્ર ગમનરૂપ પ્રતિસંક્રમ જેને વિદ્યમાન નથી તે તેવી કહેવાય છે અર્થાત્ અપ્રતિસંક્રમા કહેવાય છે-અન્ય દ્વારા અસંકીર્ણ કહેવાય છે.
કેવા પ્રકારની ચિતિ અપ્રતિસંક્રમ કહેવાય છે તે સ્પષ્ટ કરે છે –
યથી .... નાવતીર્થ: // જે પ્રમાણે ગુણો અંગ-અંગીભાવસ્વરૂપ પરિણામમાં અંગી એવા ગુણિને સંક્રમણ કરે છે તદ્રુપતાની જેમ અર્થાત્ અંગીના સ્વરૂપની જેમ પ્રાપ્ત થાય છે, અથવા જે પ્રમાણે આલોક્ના પરમાણુઓ પ્રસરણ પામતાં વિષયને વ્યાપ્ત થાય છે એ પ્રમાણે અર્થાત્ ગુણો જેમ અંગીભાવરૂપે થાય છે અને પ્રકાશના પરમાણુ જે રીતે વિષયોને વ્યાપ્ત થાય છે એ પ્રમાણે, ચિતિશક્તિ વિષયોને વ્યાપ્ત થતી નથી; કેમ કે તેનું ચિતિશક્તિનું, સર્વદા એકરૂપપણાથી સ્વપ્રતિષ્ઠિતપણારૂપે વ્યવસ્થિતપણું છે. આથી તેના સંનિધાનમાં ચિતિશક્તિના સંનિધાનમાં, જ્યારે બુદ્ધિ તદાકારપણાને પ્રાપ્ત કરે છે=બુદ્ધિ ચેતના જેવી થાય છે, અને જ્યારે બુદ્ધિની વૃત્તિમાં પ્રતિસંક્રાંત થયેલ ચિતિશક્તિ બુદ્ધિની વૃત્તિના વિશિષ્ટપણાથી સંવેદન પામે છે ત્યારે સ્વને પુરુષને, બુદ્ધિનું વેદના થાય છે. l/૪-૨૧TI. ભાવાર્થ : પાતંજલમતાનુસાર પરપ્રકાશક એવી બુદ્ધિ દષ્ટા એવા પુરુષથી પ્રકાશ્ય હોવાથી બાહ્ય વિષયોના બોધની પ્રાપ્તિ :
પાતંજલમત પ્રમાણે પુરુષરૂપ ચિતિશક્તિ છે, અને આ ચિતિશક્તિ પરિણામ-પરિણામીભાવ દ્વારા
Page #193
--------------------------------------------------------------------------
________________
૧૬૪
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૨૧ અને ગમન દ્વારા બુદ્ધિથી અસંકીર્ણ છે, તેથી અર્થથી બુદ્ધિમાં પ્રતિબિંબરૂપે ચિતિશક્તિ હોવાથી બુદ્ધિથી ચિતિશક્તિ સંકીર્ણ છે, એમ ફલિત થાય છે. | ચિતિશક્તિ પરિણામ-પરિણામી ભાવરૂપે બુદ્ધિથી અસંકીર્ણ કેમ છે? તે દૃષ્ટાંતથી બતાવે છે–
જેમ ઘટમાં રહેલા ઘટના રૂપાદિ ગુણો પરિણામ-પરિણામભાવરૂપે વર્તે છે, ત્યારે ઘટરૂપતાની જેમ પામે છે અર્થાત્ ઘટમાં રહેલ શ્યામરૂપ ઘટ પક્વ બને છે ત્યારે રક્તસ્વરૂપ બને છે, તેથી ઘટના રક્તગુણ પરિણામ-પરિણામીભાવરૂપ છે અર્થાત્ ઘટ પરિણામી છે અને પરિણામી એવો ઘટ શ્યામરૂપમાંથી રક્તરૂપે પરિણમન પામે છે, તે વખતે અંગી એવા ઘટરૂપતાની જેમ તે રક્તરૂપ પ્રાપ્ત થાય છે અર્થાત્ પૂર્વમાં અંગી એવા ઘટરૂપપણાસ્વરૂપ જે શ્યામરૂપ હતું તે હવે ઘટરૂપપણાની જેમ રક્તસ્વરૂપે પ્રાપ્ત થાય છે.
અંગાગિભાવથી તેની જેમ ચિતિશક્તિ બુદ્ધિરૂપે પરિણમન પામતી નથી અર્થાત્ જેમ ઘટમાં રક્તરૂપ અંગાંગિભાવરૂપે પરિણમન પામે છે તેમ બુદ્ધિમાં ચિતિશક્તિ પુરુષ, અંગાગિભાવરૂપે પરિણમન પામતો નથી.
આનાથી એ ફલિત થાય છે કે, જે વસ્તુના જે ગુણો હોય તે સર્વ ગુણો રૂપાંતર પામે છે, ત્યારે અંગીમાં ઉપસક્રમ પામે છે, તેમ ચિતિશક્તિ બુદ્ધિમાં ઉપસંક્રમ પામતી નથી. ગમન દ્વારા આલોકના પરમાણુઓ જેમ વિષયને વ્યાપીને રહે છે, તેમ ચિતિશક્તિથી બુદ્ધિ અવ્યાત :
પ્રકાશના પરમાણુઓ પ્રકાશક વસ્તુમાંથી પ્રસરતા ઘટ-પટાદિ વિષયને વ્યાપીને રહે છે, પરંતુ ઘટ-પટાદિરૂપે પરિણમન પામતા નથી, તેમ ચિતિશક્તિ પણ પોતાના સ્થાનથી ગમન કરીને બુદ્ધિને વ્યાપીને રહેતી નથી.
આ રીતે ચિતિશક્તિ-પુરુષ, બુદ્ધિ સાથે અંગાંગિભાવરૂપે પરિણમન પામતો નથી, અને બુદ્ધિના ક્ષેત્રમાં આવીને બુદ્ધિને વ્યાપીને રહેતો નથી, તેથી આ બે અપેક્ષાએ ચિતિશક્તિ પુરુષ, અન્યથી= બુદ્ધિથી, અસંકીર્ણ છે.
આ બે પ્રકારે અપ્રતિસંક્રમ કહેવાથી અર્થથી એ પ્રાપ્ત થાય છે કે, કોઈ અન્ય પ્રકારે ચિતિશક્તિનો પ્રતિસંક્રમ છે તેથી જેમ જલમાં ચંદ્ર પ્રતિબિંબરૂપે પ્રતિસંક્રમ પામે છે, પરંતુ અંગાંગિભાવરૂપે કે ગમન દ્વારા જલમાં ચંદ્ર પ્રતિસંક્રમ પામતો નથી, તેમ ચિતિશક્તિ પણ પુરુષ પણ, નિર્મળ એવી બુદ્ધિમાં પ્રતિબિંબરૂપે પ્રતિસકમ પામે છે, પરંતુ અંગાંગિભાવરૂપે કે ગમન દ્વારા પ્રતિસંક્રમ પામતો નથી. પાતંજલમતાનુસાર ચિતિશક્તિ અંગાંગિભાવ કે ગમન દ્વારા પરિણમન પામતી નથી, તેમાં યુક્તિઃ
ચિતિશક્તિ સદા એકરૂપે વ્યવસ્થિત છે, તેથી અંગાંગિભાવરૂપે પરિણમન પામતી નથી અર્થાત જેમ ઘટમાં રહેલ શ્યામરૂપ રક્તરૂપે પરિણમન પામે છે, તેમ જો ચિતિશક્તિ બુદ્ધિરૂપે પરિણમન
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૫
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૨૧-૨૨ પામતી હોય તો સદા એકરૂપ રહી શકે નહિ, અને ચિતિશક્તિ સદા એકરૂપ છે, માટે અંગાંગિભાવરૂપે પરિણમન પામતી નથી.
વળી ચિતિશક્તિ સ્વપ્રતિષ્ઠિતપણાથી રહેલી છે, તેથી ગમન દ્વારા પણ બુદ્ધિરૂપે પરિણમન પામતી નથી અર્થાત્ જેમ પ્રકાશના પરમાણુઓ વિષયદેશમાં ગમન કરીને ઘટ-પટાદિ વિષયને વ્યાપીને રહે છે, તેમ ચિતિશક્તિ બુદ્ધિના સ્થાને જઈને બુદ્ધિને વ્યાપીને રહેતી નથી; કેમ કે ચિતિશક્તિ સ્વમાં પ્રતિષ્ઠિત છે. જો ચિતિશક્તિ બુદ્ધિના સ્થાને જઈને બુદ્ધિને વ્યાપીને રહેતી હોય તો સ્વમાં પ્રતિષ્ઠિત રહી શકે નહિ.
આ રીતે ચિતિશક્તિ-પુરુષ, બુદ્ધિમાં કઈ રીતે પ્રતિસંક્રમ પામે છે અને કઈ રીતે પ્રતિસંક્રમ પામતો નથી એ બતાવ્યા પછી બુદ્ધિ કઈ રીતે અર્થને ગ્રહણ કરવા સમર્થ બને છે ? તે બતાવવા અર્થે કહે છે –
જ્યારે ચિત્ત=બુદ્ધિ, દેખાથી ઉપરક્ત બને છે–દેષ્ટા એવા પુરુષરૂપ ચિતિશક્તિનો બુદ્ધિમાં પ્રતિબિંબ પડવાને કારણે બુદ્ધિ દેખાથી ઉપરક્ત બને છે, ત્યારે તે ચિત્ત સર્વ અર્થને-સર્વ બાહ્ય પદાર્થોને, ગ્રહણ કરવા સમર્થ બને છે; કેમ કે ચિત્ત દેખાથી ઉપરક્ત બને છે ત્યારે દષ્ટા એવા પુરુષથી ચિત્તનું બુદ્ધિનું, ગ્રહણ થાય છે, અને દષ્ટા એવા પુરુષથી ચિત્તનો બોધ થયેલો હોવાને કારણે પરપ્રકાશક એવું બુદ્ધિરૂપ ચિત્ત પોતાના વિષયભૂત અર્થનો-પદાર્થનો, બોધ કરવા સમર્થ બને છે.
આનાથી એ પ્રાપ્ત થાય છે કે, બુદ્ધિ પરપ્રકાશક છે અને બુદ્ધિનો પ્રકાશક દષ્ટા એવો પુરુષ છે, અને દષ્ટા એવા પુરુષથી પ્રકાશિત થયેલી બુદ્ધિ પોતાના વિષયભૂત પદાર્થને ગ્રહણ કરે છે. I૪-૨૧II અવતરણિકા :
इत्थं स्वसंविदितं चित्तं सर्वार्थग्रहणसामर्थ्येन सकलव्यवहारनिर्वाहक्षमं भवतीत्याह - અવતરણિતાર્થ :
આ રીતે પાતંજલયોગસૂત્ર ૪-૨૧માં કહ્યું એ રીતે, સ્વસંવિદિત એવું ચિત્ત અર્થાત્ આત્મા દ્વારા સંવેદન કરાયેલું એવું ચિત્ત, સર્વ અર્થના ગ્રહણના સામર્થ્યને કારણે અર્થાત્ બાહ્ય એવા ઘટપટાદિ સર્વ અર્થોને ગ્રહણ કરવાના સામર્થ્યના કારણે, સક્લવ્યવહારના નિર્વાહમાં સમર્થકલોકમાં આના ચિત્તે આ વસ્તુનો બોધ કર્યો ઇત્યાદિ જે વ્યવહાર થાય છે તે વ્યવહારનાં નિર્વાહ કરવા માટે સમર્થ થાય છે, એને કહે છે – સૂત્ર :
द्रष्टदृश्योपरक्तं चित्तं सर्वार्थम् ॥४-२२॥
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૬૬
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૨૨ सूत्रार्थ :
દેખા અને દશ્યથી ઉપરક્ત એવું ચિત્ત અર્થાત દષ્ટા એવા પુરુષ અને દશ્ય એવા ઘટપટાદિ વિષયોથી ઉપરક્ત એવું ચિત્ત સર્વાર્થ, છે=સર્વ અર્થને ગ્રહણ કરનાર છે. I૪-૨શી. टी : ___ 'द्रष्टिति'-द्रष्टा पुरुषस्तेनोपरक्तं तत्सन्निधानेन तद्रूपतामिव प्राप्तं, दृश्योपरक्तं = विषयोपरक्तं गृहीतविषयाकारपरिणामं, यदा भवति तदा तदेव चित्तं सर्वार्थग्रहणसमर्थं भवति, यथा निर्मलं स्फटिकदर्पणाद्येव प्रतिबिम्बग्रहणसमर्थमेवं रजस्तमोभ्यामनभिभूतं सत्त्वं शुद्धत्वाच्चिच्छायाग्रहणसमर्थं भवति, न पुनरशुद्धत्वाद्रजस्तमसी, तन्न्यग्भूतरजस्तमोरूपमङ्गितया सत्त्वं निश्चलप्रदीपशिखाकारं सदैवैकरूपतया परिणममानं चिच्छायाग्रहणसामर्थ्या-दामोक्षप्राप्तेरवतिष्ठते, यथाऽयस्कान्तसन्निधाने लोहस्य चलनमाविर्भवति एवं चिद्रूपपुरुषसन्निधाने सत्त्वस्याभिव्यङ्ग्यमभिव्यज्यते चैतन्यम्, अत एवास्मिन् दर्शने द्वे चिच्छक्ती नित्योदिताऽभिव्यङ्ग्या च, नित्योदिता चिच्छक्तिः पुरुषस्तत्सन्निधानादभिव्यक्तमभिव्यङ्ग्यचैतन्यं सत्त्वमभिव्यङ्ग्या चिच्छक्तिः, तदत्यन्तसन्निहितत्वादन्तरङ्गं पुरुषस्य भोग्यतां प्रतिपद्यते, तदेव शान्तब्रह्मवादिभिः साङ्ख्यैः पुरुषस्य परमात्मनोऽधिष्ठेयं कर्मानुरूपं सुखदुःखभोक्तृतया व्यपदिश्यते, यत्त्वनुद्रिक्तत्वादेकस्यापि गुणस्य कदाचित् कस्याचिदङ्गित्वात् त्रिगुणं प्रतिक्षणं परिणममानं सुखदुःखमोहात्मकमनिर्मलं तत्तस्मिन् कर्मानुरूपे शुद्धे सत्त्वे स्वाकारसमर्पणद्वारेण संवेद्यतामापादयति, तच्छुद्धमाद्यं चित्तसत्त्वमेकतः प्रतिसङ्क्रान्तचिच्छायमन्यतो गृहीतविषयाकारेण चित्तेनोपढौकितस्वाकारं चित्सङ्क्रान्तिबलाच्चेतनायमानं वास्तवचैतन्याभावेऽपि सुखदुःखस्वरूपभोगमनुभवति स एव भोगोऽत्यन्तसन्निधानेन विवेकाग्रहणादभोक्तुरपि पुरुषस्य भोग इति व्यपदिश्यते, अनेनैवाभिप्रायेण विन्ध्यवासिनोक्तं-'सत्त्वतप्यत्वमेव पुरुषतप्यत्वम्' इति । अन्यत्रापि प्रतिबिम्बे प्रतिबिम्बमानछायासदृशच्छायोद्भवः प्रतिबिम्बशब्देनोच्यते, एवं सत्त्वेऽपि पौरुषेयचिच्छायासदृशस्वकीयचित्छायान्तराभिव्यक्तिः प्रतिबिम्बशब्दार्थः । टोडार्थ : ___द्रष्टा ..... अवतिष्ठते ॥ दृष्टा पुरुष छ, तनाथी 6५२sत मे ना संनिधानने १२५ो तद्रूपताना જેમ પ્રાપ્ત એવું, ચિત્ત દેશ્યથી ઉપરક્ત વિષયોથી ઉપરક્ત અર્થાત્ ગ્રહણ કરાયેલા વિષયકારના પરિણામવાળું જ્યારે થાય છે અર્થાત્ દેખાથી અને વિષયોથી ઉપરક્ત ચિત્ત જ્યારે થાય છે, ત્યારે તે જ ચિત્ત સર્વ અર્થને ગ્રહણ કરવા સમર્થ બને છે.
જે પ્રમાણે નિર્મળ એવા સ્ફટિક, દર્પણ વગેરે જ પ્રતિબિંબ ગ્રહણ કરવામાં સમર્થ બને છે, એ
Page #196
--------------------------------------------------------------------------
________________
૧૬૦
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૨૨ પ્રમાણે રજસ્ અને તમસથી અનિભિભૂત એવું સત્ત્વ શુદ્ધ હોવાથી ચિછાયાને ગ્રહણ કરવા સમર્થ બને છે, પરંતુ અશુદ્ધપણું હોવાથી રજસ્ અને તમન્ નહિ અર્થાત્ રર્ અને તમન્ ચિછાયાને ગ્રહણ કરવા સમર્થ બનતા નથી. તે કારણથી ચભૂત ગૌણ થયેલ, રક્સ અને તમસુરૂપવાનું અંગિપણાથી=પ્રધાનપણાથી, સત્ત્વ નિશ્ચલ પ્રદીપની શિખાના આકરવાનું સદા એકરૂપપણાથી પરિણમન પામતું ચિછાયાના ગ્રહણના સામર્થ્યથી મોક્ષપ્રાપ્તિ સુધી રહે છે.
યથા .... વ્યક્તિ જે પ્રમાણે લોહચુંબકના સંનિધાનમાં લોખંડનું ચલન આવિર્ભાવ પામે છે એ રીતે ચિદ્રુપ પુરુષના સંનિધાનમાં સત્ત્વનું=બુદ્ધિનું, અભિવ્યંગ્ય ચૈતન્ય અભિવ્યક્ત થાય છે, આથી જ આ દર્શનમાં સાંખ્યદર્શનમાં, બે ચિત્શક્તિ છે. (૧) નિત્યોદિત અને (૨) અભિવ્યંગ્ય.
નિત્યોદિત ચિત્શક્તિ પુરુષ છે, તેના સંનિધાનથી=પુરુષના સંનિધાનથી, અભિવ્યક્ત થનારું અભિવ્યંગ્ય ચૈતન્યરૂપ સત્ત્વ અભિવ્યંગ્યા ચિત્શક્તિ છે.
અત્યંત સંનિહિતપણું હોવાથીઅભિવ્યંગ્ય એવા ચૈતન્યમાં પુરુષનું અત્યંત સંનિહિતપણું હોવાથી, અંતરંગ એવું તે ચિત્ત, પુરુષની ભોગ્યતાને પ્રાપ્ત કરે છે. તે અંતરંગ એવુ અભિવ્યક્ત ચૈતન્ય જ, શાંતબ્રહ્મવાદી એવા સાંખ્યો વડે પુરુષ એવા પરમાત્માનું સુખ-દુ:ખનું ભોઝૂંપણું હોવાના કારણે કર્માનુરૂપ અધિષ્ઠય પુરુષ વડે કરાયેલા કર્મને અનુરૂપ અધિષ્ઠય, વ્યપદેશ કરાય છે.
યા...શબ્દાર્થ: વળી અનુદ્રિક્તપણું હોવાને કારણે ત્રણ ગુણોમાંથી બે ગુણોનું અનુદ્રિક્તપણે હોવાને કારણે અર્થાત્ ગૌણપણું હોવાને કારણે, ક્યારેક કોઈક એક પણ ગુણનું અંગીપણાથી ત્રિગુણ પ્રતિક્ષણ પરિણમન પામતું સુખ, દુ:ખ અને મોહાત્મક અનિર્મળ એવું જે ચિત્ત છે તે અભિવ્યંગ્ય ચૈતન્યવાળુ ચિત્ત, તે કર્મને અનુરૂપ એવા શુદ્ધ સત્ત્વમાં અર્થાત્ પોતાના કર્મને અનુરૂપ એવા બુદ્ધિરૂપ શુદ્ધ સત્ત્વમાં, સ્વ આકારના સમર્પણ દ્વારા=સુખ, દુ:ખ અને મોહમાંથી જે વખતે તે અનિર્મળ ચિત્તનો જે આકર વર્તતો હોય તે આકારના સમર્પણ દ્વારા, સંવેદ્યતાને આપાદન કરે છે.
તે શુદ્ધ એવું આદ્યપહેલું ચિત્તસત્ત્વ, એક બાજુથી પ્રતિસંક્રાંત ચિત્છાયાવાળું છે, અન્યથી=બીજી બાજુથી, ગ્રહણ કરાયેલ વિષયાકાર ચિત્તથી ઉપઢૌક્તિ સ્વ આકારવાળું ચિસંક્રાંતિના બળથી ચેતનાયમાનઃચેતન જેવું જણાતું, વાસ્તવિક ચૈતન્યના અભાવમાં પણ સુખ, દુ:ખસ્વરૂપ ભોગનો અનુભવ કરે છે. તે જ ભોગ અત્યંત સંનિધાનને કારણે અર્થાત્ બુદ્ધિમાં પુરુષનું અત્યંત સંનિધાન હોવાના કારણે, વિવેકના અગ્રહણથી=બુદ્ધિ અને પુરુષના ભેદના અગ્રહણથી, અભોક્તા પણ પુરુષનો ભોગ છે એ પ્રમાણે વ્યપદેશ કરાય છે.
આ જ અભિપ્રાયથી વિંધ્યવાસી વડે ધેવાયું છે – ‘સત્ત્વનું બુદ્ધિનું, તપ્યપણું જ પુરુષનું તપ્યપણું છે.' રૂતિ શબ્દ વિંધ્યવાસીના કથનની સમાપ્તિસૂચક છે.
અન્યત્ર પણ પ્રતિબિંબમાં પ્રતિબિંબમાન છાયા દેશ છાયાનો ઉદ્દભવ પ્રતિબિબ શબ્દથી કહેવાય છે, એ રીતે સત્ત્વમાં પણ બુદ્ધિરૂપ ચિત્તમાં પણ પુરુષ સંબંધી ચિછાયા સદેશ સ્વકીય ચિછાયાંતરની અભિવ્યક્તિ પ્રતિબિબ શબ્દનો અર્થ છે.
Page #197
--------------------------------------------------------------------------
________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૨૨
૧૬૮
ભાવાર્થ :
દૃષ્ટા પુરુષ અને દૃશ્ય ઘટ-પટાદિ વિષયોથી ઉપરક્ત એવું ચિત્ત સર્વ અર્થ ગ્રાહક :
પ્રસ્તુત પાતંજલયોગસૂત્ર ૪-૨૨નો અર્થ બતાવતાં પ્રથમ દૃષ્ટા કોણ છે તે બતાવે છે
દષ્ટા પુરુષ છે અને તેનાથી ઉપરક્ત=તેના સંનિધાનથી તદ્રુપતાને પામેલું ચિત્ત છે. વળી તે ચિત્ત જેમ દષ્ટાથી ઉપરક્ત છે, તેમ દશ્ય એવા વિષયથી ઉપરક્ત છે અર્થાત્ ગ્રહણ કરાયેલા વિષયના આકારના પરિણામવાળું છે. જ્યારે ચિત્ત દષ્ટા એવા પુરુષથી અને દશ્ય એવા વિષયોથી ઉપરક્ત થાય છે ત્યારે તે જ ચિત્ત બાહ્ય એવા સર્વ અર્થને ગ્રહણ કરવા સમર્થ બને છે.
આ ઉપરોક્ત કથનને દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે
―
જે પ્રમાણે નિર્મળ એવો સ્ફટિક કે નિર્મળ એવા દર્પણ વગેરે પ્રતિબિંબને ગ્રહણ કરવા સમર્થ બને છે, તે પ્રમાણે રજસ્થી અને તમથી અનિભભૂત એવું બુદ્ધિરૂપી સત્ત્વ શુદ્ધ હોવાથી પુરુષની છાયા ગ્રહણ કરવા સમર્થ બને છે, અને રજસ્ અને તમસ્ અશુદ્ધ હોવાથી પુરુષની છાયા ગ્રહણ કરવા સમર્થ બનતા નથી.
આનાથી શું પ્રાપ્ત થાય છે ? તે સ્પષ્ટ કરે છે
રજત્નો અને તમનો પરિણામ જેમાં ગૌણ થયો છે એવું સત્ત્વ અંગીપણારૂપે છે અને તેવું ચિત્ત નિશ્ચલ પ્રદીપની શિખાના આકારવાળું સદા એકરૂપપણાથી પરિણમન પામતું પુરુષની ચિત્કાયાના ગ્રહણના સામર્થ્યવાળું બને છે, આવું ચિત્ત સાધના કરીને યોગી મોક્ષ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી સંસારીજીવોમાં સદા રહે છે.
બુદ્ધિમાં પુરુષની ચિછાયાના ગ્રહણથી શું થાય છે ? તે દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે
જે પ્રમાણે લોહચુંબકના સંનિધાનમાં લોહનો ચલનભાવ આવિર્ભાવ પામે છે, એ રીતે ચૈતન્યરૂપે પુરુષના સંનિધાનમાં બુદ્ધિનું અભિવ્યંગ્ય ચૈતન્ય અભિવ્યક્ત થાય છે અર્થાત્ બુદ્ધિ અચેતન છે તોપણ ચૈતન્યના પ્રતિબિંબને કારણે બુદ્ધિમાં અભિવ્યંગ્ય ચૈતન્ય અભિવ્યક્ત થાય છે=આવિર્ભાવ પામે છે. સાંખ્યદર્શનકારના મતે બે પ્રકારની ચિત્રશક્તિ ઃ
આથી જ સાંખ્યદર્શનમાં બે પ્રકારની ચિક્તિ કહેવાય છે
(૧) નિત્યોદિતા ચિત્રશક્તિ અને (૨) અભિવ્યંગ્યા ચિત્રશક્તિ
નિત્યોદિત ચિત્ત્શક્તિ પુરુષ છે અને પુરુષના સંનિધાનથી બુદ્ધિમાં અભિવ્યક્ત થનારું ચૈતન્ય છે તે અભિવ્યંગ્ય ચિત્રશક્તિ છે.
બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ પડે છે, તેથી પુરુષ બુદ્ધિમાં અત્યંત સંનિહિત છે, માટે આ અંતરંગ ચિત્ત પુરુષની ભોગ્યતાને પ્રાપ્ત કરે છે અર્થાત્ ચિત્ત પુરુષનું ભોગ્ય છે, તેમ કહેવાય છે. આ પ્રકારે પતંજલિઋષિના મતાનુસાર સાંખ્યદર્શનની માન્યતા બતાવી.
Page #198
--------------------------------------------------------------------------
________________
૧૬૯
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૨૨
હવે સાંખ્યદર્શનમાં જે અન્ય શાંતબ્રહ્મવાદી સાંખ્ય છે તેઓ શું કહે છે તે બતાવે છે – શાંતાબ્રહ્મવાદી સાંખ્યદર્શનની માન્યતા :
શાંતબ્રહ્મવાદી સાંખ્ય કહે છે કે પુરુષ પરમાત્માસ્વરૂપ છે અને તે પુરુષના સુખ અને દુઃખના ભોજ઼પણાથી કર્મ અનુરૂપ પોતાના કૃત્યને અનુરૂપ છે અને પુરુષથી અધિષ્ઠય છે તે ચિત્ત કહેવાય છે.
પાતંજલમતાનુસાર ચિત્ત સત્ત્વગુણવાળું છે તો પણ ક્યારેક તે ચિત્ત સત્ત્વગુણને કારણે સુખરૂપ તો ક્યારેક રજોગુણને કારણે દુઃખરૂપ તો ક્યારેક તમોગુણને કારણે મોહરૂપ સંવેદ્ય બને છે.
તે કઈ રીતે બને છે? તે બતાવવા અર્થે કહે છે –
જે વળી બે ગુણોના અનુદ્રિક્તપણાથી=ગૌણપણાથી, એક પણ ગુણ ક્યારેક કોઈકનું અંગી બને છે ત્યારે ત્રણ ગુણવાળું પ્રતિક્ષણ પરિણમન પામતું એવું અનિર્મળ ચિત્ત જે ગુણ ઉદ્ભિક્ત હોય તે ગુણરૂપે પ્રતીત થાય છે તેથી સત્ત્વગુણ ઉદ્ભિક્ત હોય ત્યારે સુખરૂપ દેખાય છે, રજો ગુણ ઉદ્રિત હોય ત્યારે દુઃખરૂપ દેખાય છે અને તમોગુણ ઉદ્રિક્ત હોય ત્યારે મોહરૂપ દેખાય છે અને આવું અનિર્મળ ચિત્ત તેના કૃત્યને અનુરૂપ શુદ્ધસત્ત્વરૂપ બુદ્ધિમાં સ્વ આકારનું સમર્પણ કરે છે, તેથી તે શુદ્ધ સત્ત્વ ક્યારેક સુખરૂપે તો ક્યારેક દુઃખરૂપ તો ક્યારેક મોહરૂપે સંવેદ્યતાને પામે છે.
વળી પાતંજલમતાનુસાર ભોગ શું છે? તે સ્પષ્ટ કરતાં કહે છે – પાતંજલમતાનુસાર ભોગનું સ્વરૂપ :
પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલું આદ્ય એવું શુદ્ધ ચિત્ત સજ્વરૂપ છે, તેમાં એક બાજુથી પુરુષની ચિછાયા પ્રતિસંક્રાંત થાય છે અને બીજી બાજુથી તે ચિત્તસત્ત્વ વિષયોના આકારને ગ્રહણ કરે છે અને તે વિષયના
કારને પામેલું ચિત્ત પુરુષની છાયાના સંક્રાંતિના બળથી વાસ્તવિક રીતે ચૈતન્ય નહિ હોવા છતાં ચૈતન્ય જેવું અનુભવાતું સુખ, દુ:ખસ્વરૂપ ભોગનો અનુભવ કરે છે, તેથી તે ભોગ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલ બુદ્ધિને થાય છે તોપણ બુદ્ધિમાં પુરુષનું અત્યંત સંનિધાન હોવાના કારણે પુરુષ અને બુદ્ધિ વચ્ચેના ભેદના અગ્રહણને કારણે પુરુષ ભોક્તા નહીં હોવા છતાં પણ પુરુષનો ભોગ છે એ પ્રમાણે વ્યપદેશ કરાય છે અને આ રીતે પુરુષનો ઉપચારથી ભોગ છે તે બતાવવા અર્થે વિંધ્યવાસી વડે કહેવાયું છે કે “સત્ત્વનું તપ્યપણું જ પુરુષનું તપ્યત્વ છે.” અર્થાત્ સત્ત્વરૂપ બુદ્ધિનું ભોગોથી જે તપ્યપણું છે તે જ પુરુષનું ભોગોથી તપ્યપણું છે અર્થાત્ ભોગના તાપને અનુભવે છે. પ્રતિબિંબ શબ્દનો અર્થ :
વળી પુરુષથી અને બુદ્ધિથી અન્યત્ર એવા દર્પણ વગેરેમાં પ્રતિબિબળ્યમાન વસ્તુની=પ્રતિબિંબ પડતી એવી વસ્તુની, છાયાસદેશ દર્પણમાં જે છાયાનો ઉદ્ભવ છે તે પ્રતિબિંબ શબ્દથી કહેવાય છે. એ રીતે સત્ત્વમાં પણ=બુદ્ધિમાં પણ, પુરુષની ચિછાયા સદેશ બુદ્ધિની ચિછાયાન્તરની=અન્ય ચિતૃછાયાની, અભિવ્યક્તિ પ્રતિબિંબ શબ્દનો અર્થ છે.
Page #199
--------------------------------------------------------------------------
________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૨૨
૧૦૦
ટીકા ઃ
ननु प्रतिबिम्बनं नाम निर्मलस्य नियतपरिमाणस्य निर्मले दृष्टं यथा मुखस्य दर्पणे, अत्यन्तनिर्मलस्य व्यापकस्यापरिणामिनः पुरुषस्य तस्मादत्यन्तनिर्मलात् पुरुषादनिर्मले सत्त्वे कथं प्रतिबिम्बनमुपपद्यते ? उच्यते, प्रतिबिम्बनस्य स्वरूपमनवगच्छता भवतेदमभ्यधायि, यैव सत्त्वगताया अभिव्यङ्ग्यायाश्चिच्छक्तेः पुरुषस्य सान्निध्यादभिव्यक्तिः सैव प्रतिबिम्बनमुच्यते, यादृशी पुरुषगता चिच्छत्तिस्तच्छाया तथाऽऽविर्भवति, यदप्युक्तमत्यन्तनिर्मलः पुरुषः कथमनिर्मले सत्त्वे प्रतिसङ्क्रामतीति तदप्यनैकान्तिकं, नैर्मल्यादपकृष्टेऽपि जलादावादित्यादयः प्रतिसङ्क्रान्ताः समुपलभ्यन्ते, यदप्युक्तमनवच्छिन्नस्य नास्ति प्रतिसङ्क्रान्तिरिति तदप्ययुक्तं, व्यापकस्याप्याकाशस्य दर्पणादौ प्रतिसङ्क्रान्तिदर्शनात्, एवं सति न काचिदनुपपत्तिः प्रतिबिम्बदर्शनस्य ।
ટીકાર્ય :
નવુ ..... ૩પપદ્યતે ? નનુથી પૂર્વવંતી શંકા કરે છે – નિયતપરિમાણવાળી નિર્મળ વસ્તુનું નિર્મળ એવા દર્પણ વગેરેમાં પ્રતિબિંબન જોવાયું છે. જે પ્રમાણે મુખનું દર્પણમાં પ્રતિબિંબન દેખાય છે તે કારણથી અત્યંત નિર્મળ વ્યાપક અપરિણામી એવા પુરુષનું અત્યંત નિર્મળ એવા પુરુષથી અનિર્મળ એવા સત્ત્વમાં=પુરુષથી અનિર્મળ એવી બુદ્ધિમાં, કેવી રીતે પ્રતિબિંબન ઉત્પન્ન થાય ? અર્થાત્ થઈ શકે નહીં.
૩ન્યતે – કહેવાય છે=રાજ્માર્તંડકાર વડે કહેવાય છે=તેનો ઉત્તર અપાય છે
प्रतिबिम्बनस्य વડે, આ વ્હેવાયું છે.
પ્રતિબિંબ શું છે તે સ્પષ્ટ કરતાં રાજમાર્તંડ ટીકાકાર કહે છે
ગમ્યધાયિ, પ્રતિબિંબનના સ્વરૂપને નહિ જાણતાં એવા તમારા વડે-પૂર્વપક્ષી
–
-
*****
यैव • વૈજ્યતે । સત્ત્વગત અભિવ્યંગ્ય ચિત્ત્શક્તિની પુરુષના સાંનિધ્યથી જે જ અભિવ્યક્તિ (થાય છે) તે જ પ્રતિબિંબ વ્હેવાય છે.
પ્રતિબિંબનો અર્થ સ્પષ્ટ કરે છે
યાદૃશી.... આવિર્ભવતિ, જેવા પ્રકારની પુરુષગત ચિત્ક્તિ છે, તેની છાયા તે પ્રકારે આવિર્ભાવ પામે છે અર્થાત્ પુરુષની ચિત્રછાયા સદેશ આવિર્ભાવ પામે છે.
યદ્યુત્તમ્ – જે પણ કહેવાયું છે-શંકાકાર વડે જે પણ કહેવાયું છે
અત્યનિર્મત ... અનૈન્તિમ્ । અત્યંત નિર્મળ પુરુષ કેવી રીતે અનિર્મળ સત્ત્વમાં=પુરુષથી અનિર્મળ એવી બુદ્ધિમાં, પ્રતિસંક્રમ પામે છે, તે પણ અનૈકાંતિક છે.
કેમ અનૈકાંતિક છે તે સ્પષ્ટ કરે છે –
Page #200
--------------------------------------------------------------------------
________________
૧૦૧
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કેવલ્યપાદ | સૂત્ર-૨૨
મૈત્ય સમ્પષ્યને, નિર્મળપણાથી અપકૃષ્ટ એવા જલાદિમાં સૂર્ય વગેરે પ્રતિસંક્રાંત દેખાય છે.
વધુમ્ - જે વળી કહેવાયું છે પૂર્વપક્ષી વડે કહેવાયું છે –
૩નવચ્છિન્ની ... મધુમ્, અનવચ્છિન્નની પ્રતિસંક્રાંતિ નથી=વ્યાપની પ્રતિસંક્રાંતિ નથી, તે પણ અયુક્ત છે.
વ્યાપ...પ્રતિવિધ્વની કેમ કે વ્યાપક એવા પણ આકાશની દર્પણ વગેરેમાં પ્રતિસંક્રાંતિ દેખાય છે. આ પ્રમાણે હોતે છતે પ્રતિબિંબ દર્શનની=બુદ્ધિમાં પુરુષના પ્રતિબિંબ કહેનારા દર્શનની, કોઈ અનુપપત્તિઅસંગતિ, નથી. ભાવાર્થ :
પૂર્વમાં રાજમાર્તડવૃત્તિકારે દર્પણના દૃષ્ટાંતથી પ્રતિબિંબ શું છે ? તે બતાવીને બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ પડે છે તેમ સ્થાપન કર્યું. ત્યાં નથી કોઈ શંકા કરતાં કહે છે – નિયતપરિમાણવાળી નિર્મળ વસ્તુનું નિર્મળ એવા દર્પણમાં પ્રતિબિંબ પડે છે એ પ્રમાણે પુરષથી અનિર્મળ એવી બુદ્ધિમાં અત્યંત નિર્મળ વ્યાપક એવા પુરુષનું પ્રતિબિંબ કેવી રીતે પડે? આ પ્રમાણે પૂર્વપક્ષીની શંકાનો રાજમાર્તડવૃત્તિકાર વડે ઉત્તર : - નિર્મળ એવા દર્પણ વગેરેમાં નિયતપરિમાણવાળી નિર્મળ વસ્તુનું પ્રતિબિંબ પડે છે. જેમ નિર્મળ દર્પણમાં સ્વચ્છ મુખનું પ્રતિબિંબ પડે છે.
આમ કહીને શંકાકારને એ કહેવું છે કે જેમ દર્પણ નિર્મળ ન હોય તો મુખનું પ્રતિબિંબ પડી શકે નહીં અને દર્પણ નિર્મળ હોય આમ છતાં મુખ જો મષિ વગેરેથી મલિત હોય તો મુખનું દર્પણમાં પ્રતિબિંબ પડી શકે નહીં, પરંતુ તે મુખ ઉપર લાગેલા પદાર્થનું પ્રતિબિંબ પડી શકે.
વળી નિર્મળ દર્પણમાં નિયતપરિમાણવાળી વસ્તુનું પ્રતિબિંબ પડી શકે, પરંતુ અનિયતપરિમાણવાળા આખા નગરનું કે કોઈ અન્ય વસ્તુનું દર્પણમાં પ્રતિબિંબ પડી શકે નહીં, તેથી જેમ દર્પણમાં નિયતપરિમાણવાળી વસ્તુનું પ્રતિબિંબ પડે છે, તે દૃષ્ટાંત અનુસાર આત્માનું બુદ્ધિમાં પ્રતિબિંબ પડી શકે નહીં; કેમ કે આત્મા અત્યંત નિર્મળ છે, તેની અપેક્ષાએ બુદ્ધિ અનિર્મળ છે, તેથી અનિર્મળ એવી બુદ્ધિમાં અત્યંત નિર્મળ એવા આત્માનું પ્રતિબિંબ પડી શકે નહીં.
વળી પાતંજલમતાનુસાર આત્મા સર્વ વ્યાપક છે અને અપરિણામી છે, તેથી જેમ દર્પણમાં તેની સન્મુખ નિયતપરિમાણવાળી વસ્તુનું પ્રતિબિંબ પડી શકે છે, પરંતુ ઘણા મોટા પ્રમાણવાળા નગર વગેરેનું પ્રતિબિંબ પડી શકતું નથી તેમ વ્યાપક એવો આત્મા બુદ્ધિમાં કઈ રીતે પ્રતિબિંબ પામી શકે ? અર્થાત્ પામી શકે નહીં આ પ્રકારની કોઈક પૂર્વપક્ષીની શંકાનો ઉત્તર આપતાં રાજમાર્તડ ટીકાકાર કહે છે –
Page #201
--------------------------------------------------------------------------
________________
૧૦૨
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૨૨ શંકાકાર પ્રતિબિંબના સ્વરૂપને જાણતો નથી તેથી આ પ્રમાણે કહે છે. કેમ શંકાકાર પ્રતિબિંબના સ્વરૂપને જાણતો નથી ? તેથી પ્રતિબિંબનો અર્થ સ્પષ્ટ કરે છે – પ્રતિબિંબનો અર્થ :
જે બુદ્ધિમાં અભિવ્યંગ્ય ચિશક્તિ છે તે પુરુષના સાંનિધ્યથી અભિવ્યક્ત થાય છે અને તે અભિવ્યંગ્ય ચિતશક્તિની અભિવ્યક્તિ જ પ્રતિબિંબ શબ્દથી કહેવાય છે અર્થાત્ પુરુષગત ચિશક્તિ છે, તેવી જ છાયા આવિર્ભાવ પામે છે, તેથી જેમ મલિન એવું મુખ નિર્મળ એવા દર્પણમાં મલિનરૂપે આવિર્ભાવ પામી શકે છે, તેમ જેવી પુરુષની નિર્મળતર ચિછાયા છે તેવી જ નિર્મળતર ચિછાયા બુદ્ધિમાં આવિર્ભાવ પામી શકે છે. નિર્મળપણાથી અપકૃષ્ટ એવા જલાદિમાં સૂર્ય આદિ પ્રતિબિંબ પામે છે તેની જેમ પુરુષથી અનિર્મળ એવી બુદ્ધિમાં પુરુષનો પ્રતિસંક્રમ :
વળી શંકાકારે કહેવું કે પુરુષ અત્યંત નિર્મળ છે, તેનાથી બુદ્ધિ અપકૃષ્ટ નિર્મળ છે, તેથી અપકૃષ્ટ નિર્મળ એવી બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ કઈ રીતે પડી શકે ? તે કથન પણ સંગત નથી; કેમ કે સૂર્ય વગેરે અતિનિર્મળ છે અને જલાદિ અપકૃષ્ટ નિર્મળ છે, છતાં જલાદિમાં અતિનિર્મળ એવા સૂર્યાદિનો પ્રતિસંક્રમ થાય છે, તેમ બુદ્ધિમાં પણ પુરુષનો પ્રતિસંક્રમ સ્વીકારી શકાય છે. વ્યાપક એવા આકાશની દર્પણ આદિમાં પ્રતિસંક્રાંતિની જેમ બુદ્ધિમાં પુરુષના પ્રતિબિંબદર્શનની સંગતિ :
વળી પૂર્વપક્ષીએ કહેલ કે દર્પણમાં નિયતપરિણામવાળી વસ્તુનું પ્રતિબિંબ થઈ શકે પરંતુ વિશાળ એવું નગરાદિનું પ્રતિબિંબ થઈ શકે નહીં તે કથન અસંગત છે; કેમ કે ઉપરમાં દેખાતું આકાશ ઘણું વિશાળ છે, છતાં દર્પણમાં તેનું પ્રતિબિંબ પડે છે તેમ વ્યાપક પણ આત્માનું બુદ્ધિમાં પ્રતિબિંબ પડે છે માટે બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ સ્વીકારવામાં કોઈ અસંગતિ નથી. આ પ્રકારનો ટીકાકારનો આશય છે. ટીકાઃ
ननु सात्त्विकपरिणामरूपे बुद्धिसत्त्वे पुरुषसन्निधानादभिव्यङ्ग्यायाश्चिच्छक्तेर्बाह्याकारसङ्क्रान्तौ पुरुषस्य सुखदुःखरूपो भोग इत्युक्तं तदनुपपन्नम्, तदेव चित्तसत्त्वं प्रकृतावपरिणतायां कथं सम्भवति किमर्थश्च तस्याः परिणामः । अथोच्येत-पुरुषस्यार्थोपभोगसम्पादनं तया कर्तव्यम्, अतः पुरुषार्थकर्तव्यतया तस्या युक्त एव परिणामः, तच्चानुपपन्नं, पुरुषार्थकर्तव्यताया एवानुपपत्तेः, पुरुषार्थो मया कर्तव्य इत्येवंविधोऽध्यवसायः, पुरुषार्थकर्तव्यतोच्यते जडायाश्च प्रकृतेः कथं प्रथममेवैवंविधोऽध्यवसायः, अस्ति चेदध्यवसायः कथं जडत्वम्, अत्रोच्यते, अनुलोमप्रतिलोमलक्षणपरिणामद्वये सहजं
Page #202
--------------------------------------------------------------------------
________________
૧૦૩
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૨૨ शक्तिद्वयमस्ति तदेव पुरुषार्थकर्तव्यतोच्यते, सा च शक्तिरचेतनाया अपि प्रकृतेः सहजैव, तत्र महदादिमहाभूतपर्यन्तोऽस्या बहिर्मुखतयाऽनुलोमः परिणामः, पुनः स्वकारणानुप्रवेशद्वारेणास्मितान्तःपरिणामः प्रतिलोमः, इत्थं पुरुषस्य प्रयोजनपरिसमाप्तेः सहजशक्तिद्वयक्षयात् कृतार्था प्रकृतिर्न पुनः परिणाममारभते, एवंविधायां च पुरुषार्थकर्तव्यतायां जडाया अपि प्रकृतेर्न काचिदनुपपत्तिः । ટીકાર્ય :
નનુ તનુપપત્રમ્, નવુથી પૂર્વપક્ષી શંકા કરે છે – સાત્ત્વિકપરિણામરૂપ બુદ્ધિ સત્ત્વમાં પુરુષના સંનિધાનને કારણે અભિવ્યંગ્ય ચિશક્તિથી બાહાઅર્થાકારની સંક્રાંતિ થયે છતે અર્થાત્ બાહા એવા પદાર્થોના આકારની બુદ્ધિમાં સંક્રાંતિ થયે છતે, પુરુષને સુખ, દુ:ખરૂપ ભોગ છે એ પ્રમાણે રાજમાર્તડ ટીકાકાર વડે કહેવાયું તે અનુપપત્ર-અસંગત, છે.
કેમ અસંગત છે? તે સ્પષ્ટ કરતાં કહે છે –
તદેવ ..... પરિપITE:, પ્રકૃતિ અપરિણત હોતે છતે તે જ ચિત્તસત્ત્વ કેવી રીતે સંભવે ? અને પ્રકૃતિને તે પ્રકારે પરિણત સ્વીકારીએ તો ક્યા પ્રયોજન માટે પ્રકૃતિનો પરિણામ છે અર્થાત્ પ્રકૃતિથી અભિવ્યંગ્ય ચિશક્તિરૂપ પરિણામ છે ? ૩થોચ્ચેત - શંકાકાર કહે છે કે હવે કદાચ રાજમાર્તડવૃત્તિકાર વડે આ પ્રમાણે કહેવાય –
પુરુષસ્થ.... મનપપન્નમ્ | પુરષના અર્થના ઉપભોગનું સંપાદન તેના વડે કર્તવ્ય છે પ્રકૃતિ વડે કર્તવ્ય છે, આથી પુરુષના અર્થના કર્તવ્યપણાથી-પુરુષના પ્રયોજનના કર્તવ્યપણાથી, તેનો પ્રકૃતિનો, પરિણામ યુક્ત જ છે તે અનુપાત્ર છે અર્થાત્ આ પ્રકારનો ઉત્તર અનુપપત્ર-અસંગત, છે.
આ પ્રકારનો ઉત્તર કેમ અસંગત છે? તેથી કહે છે – પુરુષાર્થ .... અનુપપઃ, પુરુષના અર્થના કર્તવ્યનાની પુરુષના પ્રયોજનના કર્તવ્યપણાની, અનુ૫પત્તિ અસંગતિ, છે.
કેમ પુરુષના પ્રયોજનની કર્તવ્યતાની પ્રકૃતિમાં અસંગતિ છે ? તેથી કહે છે –
પુરુષાર્થો.... નડત્વમ્, પુરુષનો અર્થ પુરુષનું પ્રયોજન, મારા વડે કર્તવ્ય છે એ પ્રકારનો અધ્યવસાય પુરુષના અર્થની-પુરુષના પ્રયોજનની, કર્તવ્યતા કહેવાય છે, અને જs એવી પ્રકૃતિને પ્રથમ જ અર્થાત્ ચિછાયાની સંક્રાંતિ પૂર્વે જ, આવો અધ્યવસાય કેવી રીતે થાય ? અને જો પ્રકૃતિને આવો અધ્યવસાય થાય છે તો પ્રકૃતિનું જડપણું કેવી રીતે કહેવાય ? અર્થાત્ કહેવાય નહીં.
ત્રીજો – અહીંનનુથી કરાયેલી પૂર્વપક્ષીની શંકામાં ટીકાકાર વડે ઉત્તર અપાય છે – ૩નુત્તો .... અનુરૂપત્તિ: અનુલોમ અને પ્રતિલોમસ્વરૂપ પરિણામયમાં=બે પરિણામમાં, સહજ શક્તિદ્વય=બે શક્તિઓ, છે. તે જ પુરુષના અર્થની પુરુષના પ્રયોજનની, કર્તવ્યતા કહેવાય છે, અને તે શક્તિ અચેતન પણજ પણ, પ્રકૃતિને સહજ છે. ત્યાં=પ્રકૃતિની બે શક્તિમાં, આનો પ્રકૃતિનો,
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૦૪
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૨૨ બર્હિમુખપણાથી મહત્ છે આદિમાં અને મહાભૂત છે પર્યતમાં જેને એવો અનુલોમ પરિણામ છે. વળી સ્વકારણમાં અનુપ્રવેશ દ્વારા અસ્મિતારૂપ અંતપરિણામવાળો પ્રતિલોમ પરિણામ છે. આ રીતે પ્રકૃતિમાં અનુલોમ અને પ્રતિલોમ પરિણામ છે એ રીતે, પુરુષના પ્રયોજનની પરિસમાપ્તિ થવાથી સહજશક્તિદ્વયનો સહજ બે શક્તિનો, ક્ષય થવાના કારણે કૃતાર્થ એવી પોતાનું પ્રયોક્ત જેણે પૂર્ણ કર્યું છે એવી, પ્રકૃતિ ફરી પરિણામનો આરંભ કરતી નથી. અને જડ એવી પણ પ્રકૃતિના આવા પ્રકારની પુરુષાર્થની-પુરુષના પ્રયોજનની, કર્તવ્યતામાં કોઈ અનુપપત્તિ-અસંગતિ, નથી. ભાવાર્થ :
નનુથી પૂર્વપક્ષી શંકા કરે છે – સાત્ત્વિક પરિણામરૂપ બુદ્ધિસત્ત્વમાં પુરુષના સંનિધાનને કારણે અભિવ્યંગ્ય ચિશક્તિથી બાહ્યઅકારની સંક્રાંતિ થયે છતે પુરુષને સુખ, દુઃખરૂપ ભોગ છે એ કથન અસંગત છે એ પ્રકારની યુક્તિપૂર્વકની પૂર્વપક્ષીની શંકા
પાતંજલમતાનુસાર સાત્ત્વિકપરિણામરૂપ બુદ્ધિ છે, તે બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબરૂપે સંનિધાન થવાથી ચિત્શક્તિ અભિવ્યંગ્ય થાય છે અને બાહ્ય પદાર્થોનો આકાર ચિત્તમાં સંક્રાંત થાય છે ત્યારે પુરુષના સુખ, દુઃખરૂપ ભોગ થાય છે એમ પૂર્વમાં રાજમાર્તડવૃત્તિકારે કહ્યું તે યુક્ત નથી.
કેમ યુક્ત નથી તેમાં યુક્તિ બતાવે છે –
જો પ્રકૃતિ તે પ્રકારે અપરિણત હોતે છતે=પ્રકૃતિમાંથી બુદ્ધિ ઉત્પન્ન થાય તે પ્રકારે અપરિણત પ્રકૃતિ હોતે છત, બુદ્ધિ ચિત્ત પરિણામવાળી કેવી રીતે થઈ શકે ? અર્થાત્ થઈ શકે નહીં અને પ્રકૃતિને તે પ્રકારની પરિણતિવાળી સ્વીકારીએ તો ક્યા પ્રયોજનથી તે પ્રકૃતિનો પરિણામ છે=બુદ્ધિરૂપે પરિણમન પામવાનો પરિણામ છે, એ પ્રશ્ન થાય ?
આ પ્રશ્નના સમાધાનરૂપે કદાચ કોઈ કહે કે પુરુષને બાહ્ય પદાર્થોના ઉપભોગના સંપાદન માટે પ્રકૃતિનો તેવા પ્રકારના પરિણામ છે અર્થાત્ પુરુષના સંનિધાનથી અભિવ્યંગ્ય ચિતશક્તિવાળી બુદ્ધિ થાય તેના માટે પ્રકૃતિનો બુદ્ધિરૂપે પરિણામ છે. તેને શંકાકાર પૂર્વપક્ષી કહે છે – બાહ્ય પદાર્થોના ઉપભોગના સંપાદન માટે પ્રકૃતિના તેવા પ્રકારના પરિણામની અસંગતિ:
પ્રકૃતિનો આવા પ્રકારનો પરિણામ ઘટે નહીં. કેમ ઘટે નહીં ? તેથી કહે છે – પ્રકૃતિમાં પુરુષના પ્રયોજનની કર્તવ્યતાની અનુપપત્તિ=અસંગતિ, છે. પ્રકૃતિમાં પુરુષના પ્રયોજનની કર્તવ્યતાની અનુપપત્તિ=અસંગતિ, કેમ છે? તેમાં યુક્તિ બતાવે
‘પુરુષનું પ્રયોજન મારે કરવું જોઈએ એવા પ્રકારનો અધ્યવસાય પુરુષાર્થકર્તવ્યતા કહેવાય છે અને પુરુષના પ્રતિબિંબ પૂર્વે પ્રકૃતિ જડ છે, તેથી જડ એવી પ્રકૃતિને પ્રથમ જ પુરુષનું પ્રયોજન મારે કરવું જોઈએ એવો અધ્યવસાય કેવી રીતે થઈ શકે ? કે જેથી તે અધ્યવસાયને કારણે પુરુષનું પ્રતિબિંબ
Page #204
--------------------------------------------------------------------------
________________
૧૦૫
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કેવલ્યપાદ | સૂત્ર-૨૨ પડે તેવી બુદ્ધિરૂપે પ્રકૃતિ પરિણામને પામે. જો પ્રકૃતિનો તેવો અધ્યવસાય છે કે પુરુષનું પ્રયોજન મારે કર્તવ્ય છે, તેથી પુરુષના સંનિધાનથી પ્રકૃતિ તે પ્રકારે પરિણમન પામે છે, તેમ સ્વીકારવામાં આવે તો પ્રકૃતિ જડ છે તેમ કેમ કહી શકાય અર્થાત્ કહી શકાય નહીં માટે પ્રકૃતિનો તેવા પ્રકારનો પરિણામ થાય છે તેમ સ્વીકારી શકાય નહીં, એ પ્રકારનો શંકાકારનો આશય છે. તેનું સમાધાન કરતાં રાજમાર્તડવૃત્તિકાર કહે છે – પ્રકૃતિમાં અનુલોમપરિણામ અને પ્રતિલોમ પરિણામ સ્વરૂપ સહજ શક્તિ હોવાથી પુરુષના પ્રયોજનના કર્તવ્યતાની સંગતિ :
પ્રકૃતિમાં અનુલોમ પરિણામ અને પ્રતિલોમ પરિણામ એ બે પ્રકારના પરિણામની સહજ શક્તિ છે અને આ સહજ શક્તિ જ પુરુષના પ્રયોજનની કર્તવ્યતા છે, વળી અચેતન, એવી પણ પ્રકૃતિમાં આવી શક્તિ સહજ છે. એથી પૂર્વપક્ષીએ પુરુષાર્થકર્તવ્યતાને અધ્યવસાયરૂપે સ્વીકારીને જડ એવી પ્રકૃતિને તેવો અધ્યવસાય થાય નહીં તેમ કહેલ તેનું નિરાકરણ થાય છે. અનુલોમપરિણામ અને પ્રતિલોમપરિણામનું સ્વરૂપ :
વળી પ્રકૃતિમાં અનુલોમ પરિણામ અને પ્રતિલોમપરિણામની જે શક્તિ છે તે અચેતન પ્રકૃતિને સહજ છે અને પ્રકૃતિનો અનુલોમપરિણામ મહથી માંડીને મહાભૂતપર્યત બહિંમુખપણાથી છે અને આ અનુલોમપરિણામને કારણે આ સઘળો ભવપ્રપંચ છે. યોગી જયારે સાધના કરે છે ત્યારે જે અનુલોમપરિણામથી મહાભૂત સુધી પ્રકૃતિના પરિણામો થયેલા તે પોતપોતાના કારણના પ્રવેશ દ્વારા અસ્મિતા સુધીના પરિણામને પામે છે તે પ્રતિલોમ પરિણામ છે, જ્યારે સ્વકારણના અનુપ્રવેશથી પ્રતિલોમપરિણામ અસ્મિતામાં પરિણમન પામે છે ત્યારે પુરુષના પ્રયોજનની પરિસમાપ્તિ થવાથી પ્રકૃતિની અનુલોમની અને પ્રતિલોમની સહજ બે શક્તિઓ ક્ષય પામે છે, તેથી પ્રકૃતિ ફરી પરિણામનો આરંભ કરતી નથી માટે જડ એવી પ્રકૃતિને પણ અનુલોમ અને પ્રતિલોમપરિણામરૂપ પુરુષાર્થ કર્તવ્યતા સ્વીકારવામાં કોઈ અનુપપત્તિ-અસંગતિ, નથી, એમ ટીકાકાર કહે છે. ટીકા?
ननु यदीदृशी शक्तिः सहजैव प्रधानस्यास्ति तत्किमर्थं मोक्षार्थिभिर्मोक्षाय यत्नः क्रियते, मोक्षस्य चानर्थनीयत्वे तदुपदेशकशास्त्रस्याऽऽनर्थक्यं स्यात्, उच्यते-योऽयं प्रकृतिपुरुषयोरनादि ग्यभोक्तृत्वलक्षणः सम्बन्धस्तस्मिन्सति व्यक्तचेतनायाः प्रकृतेः कर्तृत्वाभिमानाद् दुःखानुभवे सति कथमियं दुःखनिवृत्तिरात्यन्तिकी मम स्यादिति भवत्येवाध्यवसायः, अतो दुःखनिवृत्त्युपायोपदेशकशास्त्रोपदेशापेक्षाऽस्त्येव प्रधानस्य, तथाभूतमेव च कर्मानुरूपं बुद्धिसत्त्वं शास्त्रोपदेशस्य विषयः दर्शनान्तरोपि, एवंविध एवाविद्यास्वभावः शास्त्रेऽधिक्रियते, स च मोक्षाय प्रयतमान एवंविधमेव शास्त्रोपदेशं सहकारिणमपेक्ष्य मोक्षाख्यं फलमासादयति, सर्वाण्येव कार्याणि प्राप्तायां सामग्र्यामात्मानं लभन्ते, अस्य च
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૦૬
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કેવલ્યપાદ | સૂત્ર-૨૨ प्रतिलोमपरिणामद्वारेणैवोत्पाद्यस्य मोक्षाख्यस्य कार्यस्येदृश्येव सामग्री प्रमाणेन निश्चिता प्रकारान्तरेणानुपपत्तेः, अतस्तां विना कथं भवितुमर्हति, अतः स्थितमेतत्, सङ्क्रान्तविषयोपरागमभिव्यक्तचिच्छायं बुद्धिसत्त्वं विषयनिश्चयद्वारेण समग्रां लोकयात्रां निर्वाहयतीति, एवंविधमेव चित्तं पश्यन्तो भ्रान्ताः स्वसंवेदनचित्तमात्रं जगदित्येवं ब्रुवाणाः प्रतिबोधिता અવન્તિ N૪-૨રા ટીકાર્ય :
નનું થાત્ નમુથી પૂર્વપક્ષી શંકા કરે છે - જો આવા પ્રકારની શક્તિ અર્થાત્ અનુલોમપરિણામ અને પ્રતિલોમપરિણામરૂપ શક્તિ સહજ સ્વાભાવિક જ, પ્રધાનની છે પ્રકૃતિની છે, તો મોક્ષર્થી જીવો વડે મોક્ષ માટે યત્ન કેમ કરાય છે અર્થાત્ મોક્ષાર્થી જીવોએ મોક્ષ માટે યત્ન કરવો આવશ્યક નથી અને મોક્ષનું અનર્થનીયપણું હોતે છતે મોક્ષ માટે ઇચ્છા કરવા યોગ્ય નહિ હોતે છતે, તેના ઉપદેશક શાસ્ત્રનું મોક્ષના ઉપાયના ઉપદેશક શાસ્ત્રનું, અનર્થપણું થાય-નિપ્રયોજન થાય. 37 - પૂર્વપક્ષીની શંકાનો ઉત્તર આપતાં રાજમાર્તડ ટીકાકાર વડે કહેવાય છે –
યોડ્યું.....પ્રથાની જે આ પ્રકૃતિ અને પુરુષનો અનાદિકાળથી ભોગ્ય-ભોક્નત્વસ્વરૂપ સંબંધ છે, તે સંબંધ હોતે છતે પુરુષના પ્રતિબિંબથી વ્યક્ત થયેલી ચેતનાવાળી પ્રકૃતિને કર્તુત્વનું અભિમાન થવાથી અર્થાત્ આ બાહા પદાર્થો સર્વ હું કરું છું, હું ભોગવું છું એ પ્રકારનું અભિમાન થવાથી, દુ:ખનો અનુભવ હોતે છતે સંસારમાં દુ:ખનો જે અનુભવ થાય છે તે દુ:ખનો અનુભવ હોતે છતે, મને આત્યંતિકા આ દુ:ખની નિવૃત્તિ કેવી રીતે થાય ? એવો અધ્યવસાય થાય છે અર્થાત્ અભિવ્યક્ત ચેતનાવાળી પ્રકૃતિને એવો અધ્યવસાય થાય છે, આથી દુ:ખની નિવૃત્તિના ઉપાયના ઉપદેશક શાસ્ત્રના ઉપદેશની અપેક્ષા પ્રધાનને પ્રકૃતિને, છે જ.
તથા મૂતમેવ ...... થિયિતે, અને તેવા પ્રકારના કર્મને અનુરૂપ બુદ્ધિસત્વ શાસ્ત્રના ઉપદેશનો વિષય અન્ય દર્શનોમાં પણ છે, આવા પ્રકારનો જ અવિદ્યાનો સ્વભાવ અર્થાત્ અવિદ્યા નિવર્તન પામવાના અનુકૂળ સ્વભાવવાળી હોય એવા પ્રકારનો અવિદ્યાનો સ્વભાવ, શાસ્ત્રમાં કહેવાયો છે અર્થાત્ ઉપદેશ દ્વારા નિવર્તન પામે તેવા પ્રકારનો અવિદ્યાનો સ્વભાવ છે એમ શાસ્ત્રમાં કહેવાયું છે.
સત્ર...મતિ, અને તે અધ્યવસાય, મોક્ષ માટે પ્રયત્ન કરતો આવા પ્રકારના જ સહકારી શાસ્ત્રના ઉપદેશની અપેક્ષા કરીને મોક્ષ નામના ફળને પ્રાપ્ત કરે છે. વળી સામગ્રી પ્રાપ્ત થયે છતે સર્વ જ કાર્યો પોતાને પ્રાપ્ત કરે છે અર્થાત્ પોતાનું કાર્યરૂપે પ્રાપ્ત કરે છે અને પ્રતિલોમ પરિણામ દ્વારા જ ઉત્પાદ્ય એવા આ મોક્ષરૂપ કાર્યની આવા પ્રકારની જ સામગ્રી અર્થાત્ પ્રસ્તુત યોગશાસ્ત્રમાં મોક્ષના ઉપાયનું વર્ણન કર્યું એવા પ્રકારની જ સામગ્રી, પ્રમાણ દ્વારા નિશ્ચિત કરાઈ છે; કેમ કે પ્રકારાંતથી અનુપપત્તિ છે અન્ય પ્રકારે મોક્ષરૂપ ફળની અસંગતિ છે, આથી તેના વગર=મોક્ષની સામગ્રી વગર, કેવી રીતે (મોક્ષરૂપ કર્ય) થવા માટે યોગ્ય હોય ? અર્થાત્ કેવી રીતે મોક્ષરૂપ કાર્ય થવા માટે સમર્થ બને.
Page #206
--------------------------------------------------------------------------
________________
૧eo
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૨૨
આ સર્વ કથનથી શું ફલિત થાય છે તે બતાવતાં રાજમાર્તડ ટીકાકાર કહે છે –
અત: .... મતિ . આથી=અત્યાર સુધી વર્ણન કર્યું એનાથી આ સ્થિત છે આગળમાં કહેવાય છે તે પ્રાપ્ત છે –
સંક્રાંત થયેલા વિષયના ઉપરાગવાળું અને અભિવ્યક્ત ચિછાયાવાળું બુદ્ધિસત્ત્વ વિષયના નિશ્ચય દ્વારા સમગ્ર લોયાત્રાનો નિર્વાહ કરે છે.
રૂતિ શબ્દ કથનની સમાપ્તિ માટે છે.
આવા પ્રકારના જ ચિત્તને જોતાં ભ્રાંત એવા બૌદ્ધો સ્વસંવેદનચિત્તમાત્રજગત છે સંસારી જીવોને સ્વસંવેદન થતું ચિત્તમાત્ર જગત્ છે, બાહ્ય ઘટ-પટાદિ પદાર્થો નથી, એ પ્રમાણે બોલતા પ્રતિબોધિત થાય છે એ પ્રમાણે ક્વેતા બૌદ્ધો પ્રસ્તુત સૂત્રની ટીકાના વર્ણનથી પ્રતિબોધિત થાય છે. I૪-૨૨IL ભાવાર્થ : પ્રકૃતિમાં સ્વાભાવિક અનુલોમ અને પ્રતિલોમ શક્તિ હોય તો મોક્ષાર્થી જીવોની મોક્ષ માટે પ્રવૃત્તિ થાય નહિ એ પ્રકારની શંકાનો વૃત્તિકાર વડે પ્રત્યુત્તર :
પૂર્વમાં રાજમાર્તડવૃત્તિકારે સ્થાપન કર્યું કે પ્રકૃતિમાં અનુલોમ અને પ્રતિલોમ એવી બે શક્તિઓ સહજ=સ્વાભાવિક છે. ત્યાં કોઈ નનુ થી શંકા કરે છે કે જો પ્રકૃતિમાં આવી બે શક્તિ જ હોય તો પ્રકૃતિમાં પ્રતિલોમપરિણામવાળી સહજ શક્તિના બળથી મોક્ષની પ્રાપ્તિ થશે, તેથી મોક્ષાર્થી જીવો મોક્ષ માટે યત્ન કેમ કરે છે ? અર્થાત્ મોક્ષાર્થી જીવોએ મોક્ષ માટે યત્ન કરવો જોઈએ નહિ, અને જો પ્રકૃતિના સહજ પ્રતિલોમપરિણામથી મોક્ષ થતો હોય તો મોક્ષ પ્રયત્નનો વિષય નથી તે પ્રમાણે સિદ્ધ થાય, અને તેમ સ્વીકારીએ તો મોક્ષમાર્ગનો ઉપદેશ આપનારા શાસ્ત્રો નિરર્થક છે, તેમ માનવું પડે આ પ્રકારની શંકાનો ઉત્તર આપતાં રાજમાર્તડવૃત્તિકાર કહે છે – પ્રકૃતિના અને પુરુષના અનાદિકાળથી ભોગ્ય-ભોક્નત્વરૂપ સંબંધથી બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ પડવાને કારણે બુદ્ધિરૂપ પ્રકૃતિને કતૃત્વનું અભિમાન થવાથી દુઃખની આત્યંતિકી નિવૃત્તિ મને થાવા એ પ્રકારનો અધ્યવસાય થવાથી દુઃખની આત્યંતિકી નિવૃત્તિ બતાવનાર ઉપદેશક શાસ્ત્રના ઉપદેશની બુદ્ધિસત્ત્વને અપેક્ષા :
અનાદિકાળથી પ્રકૃતિનો અને પુરુષનો ભોગ્ય-ભોક્નરૂપ સંબંધ છે; કેમ કે પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલી બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ પડે છે અને તે જ બુદ્ધિમાં અન્ય બાજુથી વિષયોનું પ્રતિબિંબ પડે છે, તેથી તે બુદ્ધિમાં પ્રતિબિંબિત થયેલ પુરુષને હું આ ભોગ કરું છું, તેવી પ્રતિતી થાય છે, તેથી પ્રકૃતિની અને પુરુષની વચ્ચે અનાદિનો ભોગ્ય-ભોક્નત્વરૂપ સંબંધ છે. આ સંબંધ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલી બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ પડવાના કારણે છે અને પુરુષના પ્રતિબિંબના કારણે વ્યક્ત ચેતનાવાળી બુદ્ધિરૂપ પ્રકૃતિને કર્તૃત્વનું અભિમાન થાય છે અર્થાત્ જગતમાં તે કાર્યો હું કરું છું એ પ્રકારે પ્રકૃતિ રૂપ બુદ્ધિને કતૃત્વનું અભિમાન થાય છે અને આ પ્રકારના કર્તુત્વના અભિમાનને કારણે
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૦૮
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૨૨ સંસારમાં જે દુ:ખનો અનુભવ દેખાય છે, તે દુઃખનો અનુભવ થવાથી કોઈક વિવેકી પુરુષની બુદ્ધિને ‘આ દુ:ખની નિવૃત્તિ અને આત્યંતિકી થાય' એવો અધ્યવસાય થાય છે, અને આ અધ્યવસાયને કારણે દુઃખની અત્યંત નિવૃત્તિના ઉપાયને બતાવનાર એવા ઉપદેશક શાસ્ત્રના ઉપદેશની અપેક્ષા પ્રધાનને છે જ=પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલી બુદ્ધિને છે જ, અને જે જીવોને દુઃખની અત્યંત નિવૃત્તિ મને થાવ એવા પ્રકારના કર્મને અનુરૂપ બુદ્ધિસત્ત્વ છે, તે બુદ્ધિસજ્વરૂપ ચિત્ત શાસ્ત્રના ઉપદેશનો વિષય છે.
વળી પોતાની વાતની પુષ્ટિ અર્થે રાજમાર્તડ ટીકાકાર કહે છે કે અન્ય દર્શનવાળા સંસારનું કારણ પ્રકૃતિને બદલે અવિદ્યા સ્વીકારે છે તેઓ પણ માને છે કે કોઈક જીવની અવિદ્યા આવા પ્રકારના સ્વભાવવાળી બને અર્થાત્ ભવપ્રપંચના નિવર્તનના અધ્યવસાયવાળી બને ત્યારે તે જીવને શાસ્ત્રનો ઉપદેશ ઉપયોગી બને છે.
વળી પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલ બુદ્ધિસત્ત્વરૂપ પ્રધાન જયારે મોક્ષ માટે યત્ન કરે છે ત્યારે મોક્ષમાર્ગને બતાવનાર એવો શાસ્ત્રનો ઉપદેશ સહકારી બને છે અને તે શાસ્ત્રના ઉપદેશના સહકારથી બુદ્ધિસત્ત્વરૂપ પ્રધાન મોક્ષમાર્ગમાં યત્ન કરીને મોક્ષ નામના ફળને પામે છે, તે વખતે પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલ અનુલોમપરિણામ ક્રમસર પ્રતિલોમપરિણામરૂપે પ્રકૃતિમાં વિલય પામે છે, તેથી પ્રકૃતિને ભવપ્રપંચની પ્રાપ્તિ પૂર્વમાં હતી તેના અભાવરૂપ મોક્ષની પ્રાપ્તિ થાય છે.
વળી સંસારમાં જે કોઈ કાર્યો થાય છે તે સ્વસામગ્રી પ્રાપ્ત થાય ત્યારે થાય છે, તેમ પ્રધાનનું મોક્ષરૂપ કાર્ય પણ શાસ્ત્રમાં બતાવેલી સામગ્રીને પ્રાપ્ત કરીને પ્રકૃતિના પ્રતિલોમ પરિણામ દ્વારા મોક્ષને ઉત્પન્ન કરે છે, તેથી મોક્ષરૂપ કાર્યની જે સામગ્રી પ્રસ્તુત યોગશાસ્ત્રમાં બતાવી છે તે જ સામગ્રી મોક્ષરૂપ કાર્ય કરે છે એ પ્રમાણે પ્રમાણથી નિશ્ચિત કરાયેલું થાય છે; કેમ કે અન્ય પ્રકારે મોક્ષરૂપ કાર્ય ક્યારેય થતું નથી, આથી પ્રકૃતિની સહજ પ્રતિલોમ શક્તિ હોવા છતાં તેની સામગ્રીને પામ્યા વગર પ્રકૃતિ પ્રતિલોમ પરિણામ દ્વારા મોક્ષને નિષ્પન્ન કરી શકે નહીં, માટે મોક્ષમાર્ગનો ઉપદેશ કરનારા શાસ્ત્રો વ્યર્થ નથી.
આ સર્વ કથનથી શું ફલિત થાય છે તે બતાવે છે –
સંસારી જીવોનું બુદ્ધિસત્ત્વરૂપ જે ચિત્ત છે તે પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલું છે અને સંક્રાંતિવિષયના ઉપરાગવાળું છે અને પુરુષના પ્રતિબિંબને કારણે અભિવ્યક્ત ચિછાયાવાળું છે. આવું ચિત્ત બાહ્ય દેખાતાં ઘટ-પટાદિ પદાર્થોનો નિશ્ચય કરીને ગ્રહણ મોચનરૂપ સમગ્ર લોકયાત્રાનો નિર્વાહ કરે છે. આવા ચિત્તને જોનારા હોવાથી બ્રાંત એવા બૌદ્ધોને ભ્રમ થયો કે ચિત્તને જે સ્વસંવેદન થઈ રહ્યું છે તે સ્વસંવેદન ચિત્તમાત્રરૂપ આ જગત્ છે, બાહ્ય કોઈ ઘટ-પટાદિ પદાર્થો જગતમાં નથી આ પ્રકારનો જ્ઞાનાતવાદીને જે ભ્રમ હતો તેવા ભ્રમવાળા જ્ઞાનાદ્વૈતવાદીઓ પ્રસ્તુત ટીકાકારના કથન દ્વારા પ્રતિબોધિત થાય છે અર્થાત તેઓ પ્રામાણિક રીતે ટીકાકારના વચનોના મર્મને જાણવા યત્ન કરે તો ચિત્તથી અતિરિક્ત બાહ્ય પદાર્થો છે તેવો નિર્ણય તેમને થાય છે. l૪-રચા
Page #208
--------------------------------------------------------------------------
________________
૧૦૯
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૨૨ની ઉપા. મ.સા.ની ટિપ્પણી પાતંજલયોગસૂત્ર ૪-૨૨ ઉપર પૂજ્ય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબની ટિપ્પણરૂપ વ્યાખ્યા :
[] પ્રd – અર્થ :
પ્રકૃત છે હવે પ્રકૃત સૂત્ર ૪-૨૨ (વ્યાખ્યા કહે) છે –
[य.] व्याख्या-वयं तु ब्रूमः-अग्निरूपात्मके प्रकाशे संयोगं विनाऽपि यथा स्वत:प्रकाशकत्वं तथा चैतन्येऽपि प्रतिप्राणि परानपेक्षतयानुभूयमाने, अन्यथाऽनवस्थाव्यासङ्गानुपपत्त्यादिदोषप्रसङ्गात्, क्षायिक्यां च दशायां सदा तन्निरावरणस्वभावाधीनम्, तच्चैतन्यं रूपादिवत्सामान्यवदस्पन्दात्मकानुपादानकारणत्वेन गुण इति गुण्याश्रित एव स्यात्, यश्च तस्य गुणी स एवात्मा, निर्गुणत्वं च तस्य सांसारिकगुणाभावपेक्षयैव अन्यथा, (तस्य) स्वाभावाविकानन्तगुणाधारत्वाद्, बिम्बभूतचितो निर्लेपत्वाभ्युपगमे च तत्प्रतिबिम्बग्राहकत्वेन बुद्धौ प्रकाशस्याप्यनुपपत्तिः, बिम्बप्रतिबिम्बभावसम्बन्धस्य द्विष्ठत्वे द्वयोरपि लेपकत्वतौल्यात्, उपचरितबिम्बत्वोपपादने चोपचरितसर्वविषयत्वाद्युपपादनमपि तुल्यमिति नयादेशविशेषपक्षपातमात्रमेतत् ॥ અર્થ : વયં તુ વૂમ: – વળી અમે (પૂજ્ય ઉપાધ્યાય મહારાજ સાહેબ) કહે છે –
નિરૂપાત્મ ... પ્રસાત્, અગ્નિરૂપાત્મક પ્રકાશમાં સંયોગ વગર પણ અન્ય પ્રકાશક્તા સંયોગ વગર પણ, જે પ્રમાણે સ્વત: પ્રકાશકપણું છે તે પ્રમાણે દરેક પ્રાણીને પરઅનપેક્ષપણાથી અનુભૂયમાન એવા ચૈતન્યમાં પણ સ્વત: પ્રકાશકપણું છે. અન્યથા=પ્રતિપ્રાણીને દરેક પ્રાણીને, અનુભવાતા ચૈતન્યને સ્વત: પ્રકાશક ન માનો અને દરેક પ્રાણીને અનુભવાતા ચૈતન્યને બુદ્ધિરૂપ સ્વીકારીને પરપ્રકાશક માનો તો, અનવસ્થા અને વ્યાસંગની અનુપપત્તિ-અસંગતિ, આદિ દોષનો પ્રસંગ છે.
ક્ષાવિજ્યાં ... પક્ષપતિમત્રતત્ છે અને ક્ષાયિકદશામાં ક્ષાયિક એવી કેવલજ્ઞાન અવસ્થામાં, સદા તે પરપ્રકાશકપણું, નિરાવરણસ્વભાવને આધીન છે અર્થાત્ પ્રતિનિયત વિષયના સંબંધને આધીન નથી, પરંતુ આત્માના નિરાવરણસ્વભાવને આધીન છે અને તે ચૈતન્ય સ્વપરપ્રકાશક એવું ચૈતન્ય, રૂપાદિની જેમ સામાન્યવાળું અસ્પંદનાત્મક અનુપાદનકારણપણું હોવાથી=પરના પ્રકાશનનું અનુપાદન કારણપણું હોવાથી, ગુણ છે જેથી કરીને ગુણીને આશ્રિત જ થાય, અને જે તેનો ગુણી છે તે જ આત્મા છે, અને તેનું નિર્ગુણપણે આત્માનું નિર્ગુણપણું, સાંસારિક ગુણના અભાવની અપેક્ષાએ જ છે; કેમ કે અન્યથા સાંસારિક ગુણના અભાવની અપેક્ષાથી અન્ય એવા, આત્માના ગુણની
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૮૦
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૨૨ની ઉપા. મ.સા.ની ટિપ્પણી અપેક્ષાએ, તેનું આત્માનું, સ્વાભાવિક અનંતગુણનું આધારપણું છે, અને બિંબભૂત ચિત્ન-બુદ્ધિમાં પ્રતિબિંબિત થનારા એવા બિંબભૂત ચૈતન્યનું, નિર્લેપપણું સ્વીકાર કરાયે છતે બુદ્ધિમાં તપ્રતિબિંબિતના ગ્રાહકપણારૂપે પ્રકાશની પણ અનુ૫પત્તિ છે; કેમ કે બિબ-પ્રતિબિંબભાવરૂપ સંબંધનું દ્વિષ્ઠાણું હોવાના કારણે બંનેના પણ લેપકપણાનું તુલ્યપણું છે. અને ઉપચરિતબિંધત્વનું ઉ૫પાદન કરાયે છતે આત્મા બુદ્ધિમાં પ્રતિબિંબિત થતો નથી પરંતુ આત્મામાં ઉપચરિત બિંબત છે, એ પ્રકારે ઉપપાદન કરાયે છતે ઉપચરિત સર્વ વિષયત્વ આદિનું ઉપપાદન પણ તુલ્ય છે અર્થાત્ બુદ્ધિમાં પ્રતિભાસમાન થતા સર્વ વિષયો ઉપચરિત છે વાસ્તવિક નથી તે પ્રકારનું જ્ઞાનાદ્વૈતવાદી બૌદ્ધને સંમત એવા કથનનું ઉપપાદન પણ તુલ્ય છે, એથી આ આત્માનિર્ગુણ છે એ, નયાદેશના વિશેષનો પક્ષપાત માત્ર છે સાંસારિક ગુણની અપેક્ષાએ આત્મા નિર્ગુણ છે, એ પ્રકારના નયાદેશના વચનને સર્વથા નિર્ગુણ સ્વીકારવારૂપ પક્ષપાતવચનમાત્ર છે.
ભાવાર્થ :
જેમ અગ્નિ અન્ય પ્રકાશના સંયોગ વગર સ્વતઃ પ્રકાશક છે તેમ આત્મામાં અનુભવાતું ચેતન્ય પરની અપેક્ષા વગર સ્વતઃ પ્રકાશક :
પાતંજલદર્શનકાર પ્રકૃતિમાંથી બુદ્ધિ ઉત્પન્ન થાય છે તેમ સ્વીકારે છે અને તે બુદ્ધિ પરપ્રકાશક છે તેમ સ્વીકારે છે, તે બુદ્ધિનો પ્રકાશક આત્મા છે તેમ માને છે. તે કથન તેઓનું સંગત નથી તે બતાવવા માટે પૂજય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબ કહે છે –
જેમ અગ્નિનું સ્વરૂપ અન્ય પ્રકાશકના સંયોગ વગર પણ સ્વતઃ પ્રકાશક છે તેમ દરેક આત્મામાં પરની અપેક્ષા વગર અનુભવાતું એવું ચૈતન્ય સ્વતઃ પ્રકાશક છે.
આનાથી એ ફલિત થયું કે આત્મા ચૈતન્યધર્મવાળો છે અને તે ચૈતન્યધર્મ બુદ્ધિ છે, તે બુદ્ધિ પોતે પોતાના સ્વરૂપને સ્વતઃ પ્રકાશે છે. જેમ-અગ્નિ પોતાના સ્વરૂપનો પ્રકાશ કરવા માટે અન્ય પ્રકાશક વસ્તુની અપેક્ષા રાખતો નથી, તેમ આત્માનો જ્ઞાનગુણ પોતાનું પ્રકાશન કરવા માટે અન્યની અપેક્ષા રાખતો નથી, તેથી પાતંજલદર્શનકાર જે કહે છે કે પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલી બુદ્ધિ પરનું પ્રકાશન કરનાર હોવા છતાં પોતાનું પ્રકાશન કરવા માટે પુરુષની અપેક્ષા રાખે છે તે તેમનું કથન અસંગત છે. ચેતન્ય સ્વપ્રકાશક છે તેમાં યુક્તિ ઃ
કેમ ચૈતન્ય સ્વપ્રકાશક છે તેમાં પૂજ્ય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબ યુક્તિ બતાવે છે – પાતંજલદર્શનકારના મતમાં ચેતન્યને સ્વપ્રકાશક માનવામાં ન આવે તો અનવસ્થા અને વ્યાસંગની અનુપપત્તિ દોષની પ્રાપ્તિ ઃ
જો ચૈતન્યને સ્વપ્રકાશક માનવામાં ન આવે તો અનવસ્થા અને વ્યાસંગની અનુપપત્તિનો દોષ
Page #210
--------------------------------------------------------------------------
________________
૧૮૧
પાતંજલયોગસૂત્ર ભાગ-૨/ કૈવલ્યપાદ | સૂત્ર-૨૨ની ઉપા. મ.સા.ની ટિપ્પણી છે અર્થાત્ તે તે બુદ્ધિને પ્રકાશન કરવા માટે અન્ય અન્ય બુદ્ધિની આવશ્યકતા છે એ રીતે અનવસ્થાનો પ્રસંગ છે; કેમ કે ચૈતન્યરૂપ બુદ્ધિ આત્માનો ધર્મ છે, અને તે સ્વતઃ પ્રકાશક ન હોય તો તે બુદ્ધિ જે ઘટનું પ્રકાશન કરે છે તે ઘટના પ્રકાશનવાળી બુદ્ધિનું પ્રકાશન કરવા માટે અન્ય બુદ્ધિની આવશ્યકતા ઊભી થાય અને તે રીતે અનવસ્થા દોષની પ્રાપ્તિ થાય.
વળી પાતંજલમતાનુસાર પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલી બુદ્ધિમાં ઘટાદિ વિષયોનું પ્રતિબિંબ પડે છે તેથી તે ઘટાદિ વિષયોને બુદ્ધિ પ્રકાશિત કરે છે અને તેમ સ્વીકારીને બુદ્ધિ સ્વપ્રકાશક નથી તેમ માનીએ તો જયારે ઇન્દ્રિયસન્મુખ ઘટાદિ વિષયો વિદ્યમાન હોય ત્યારે ઇન્દ્રિય દ્વારા ઘટાદિ વિષયોનું પ્રતિબિંબ બુદ્ધિમાં પડે છે અને કોઈ પુરુષ વ્યાસંગદશામાં હોય અર્થાતુ અન્યમનસ્કદશામાં હોય ત્યારે તેને ઘટાદિ અર્થનો બોધ થતો નથી, તે પાતંજલમતાનુસાર સંગત થાય નહીં, કેમ કે બુદ્ધિમાં ઘટનું પ્રતિબિંબ પડતું હોવાથી અન્યમનસ્કદશાના કાળમાં પણ ઘટનો બોધ થવો જોઈએ જેનમતાનુસાર ચૈતન્યને સ્વ-પરપ્રકાશક માનવામાં અનવસ્થાદોષ અને વ્યાસંગની અનુપપત્તિ દોષની અપ્રાપ્તિઃ
વળી ચૈતન્યને જૈનદર્શનાનુસાર સ્વ-પરપ્રકાશક સ્વીકારીએ તો અનુવાદોષ અને વ્યાસંગની અનુપપત્તિરૂપ દોષ પ્રાપ્ત થતાં નથી તે આ રીતે –
આત્માનું ચૈતન્ય જેમ ઘટને જાણે છે તેમ ઘટવિષયક જ્ઞાનનું પણ વેદન કરે છે, તેથી ઘટના જ્ઞાન માટે અન્ય બુદ્ધિની કલ્પના કરવાની રહેતી નથી, પરંતુ વિદ્યમાન જ્ઞાનના ઉપયોગથી જ પર એવા ઘટનું જ્ઞાન થાય છે અને ઘટનું જ્ઞાન પુરુષને સ્વસંવેદિત થાય છે માટે અનવસ્થા દોષ નથી.
વળી ચૈતન્યને સ્વ-પરપ્રકાશક સ્વીકારવાથી વ્યાસંગની અનુપત્તિ દોષ પણ નથી; કેમ કે જ્યારે પુરુષ અન્યમનસ્ક છે ત્યારે સન્મુખ ઘટ વિદ્યમાન હોવા છતાં પુરુષના જ્ઞાનનો ઉપયોગ પર એવા પટાદિને જાણે છે અને પટાદિના જ્ઞાનનું વેદન કરે છે તે વખતે સન્મુખ રહેલા ઘટ સાથે પુરુષના ચિત્તનું યોજન નથી, તેથી સન્મુખ રહેલો ઘટ પુરુષને જણાતો નથી અને ઘટનું જ્ઞાન પણ વેદન થતું નથી અને જે અન્ય પટાદિ વસ્તુનું વદન થાય છે તે પટાદિ જ્ઞાનનું પણ વેદના થાય છે, તેથી ચૈતન્યને સ્વ-પરપ્રકાશક સ્વીકારવાથી વ્યાસંગદશાની સંગતિ થાય છે.
આ રીતે આત્માના પરિણામરૂપ ચૈતન્યને સ્વીકારીને તેને સ્વ-પરપ્રકાશક સ્થાપન કર્યું. હવે ચૈતન્યનું જૈનદર્શનકાર પરપ્રકાશકપણું સ્વીકારે છે તે કઈ અપેક્ષાએ છે તે બતાવે છે – ચેતન્યનું જૈનદર્શનાનુસાર પરપ્રકાશકપણું :
આત્માના ચૈતન્યરૂપ બુદ્ધિનું ક્ષયોપશમદશામાં પ્રતિનિયત વિષયના સંબંધને આધીન પરપ્રકાશકપણું છે, આથી જ છબસ્થઅવસ્થામાં મતિજ્ઞાનમાં ઘટાદિ વિષયોનો ઇન્દ્રિય સાથે સંબંધ થાય છે ત્યારે તે ઘટાદિ પદાર્થનું પ્રકાશન થાય છે અને ક્ષાયિકદશામાં અર્થાત જ્ઞાનાવરણીયાદિની ક્ષયવાળી કેવલજ્ઞાનદશામાં પરપ્રકાશકપણું નિરાવરણ સ્વભાવને આધીન છે, આથી જ કેવલીને વિષયોનો
Page #211
--------------------------------------------------------------------------
________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૨૨ની ઉપા. મ.સા.ની ટિપ્પણી ઇન્દ્રિયની સાથે સંબંધ નહીં હોવા છતાં જ્ઞાનનું આવરણ દૂર થયેલું હોવાથી સર્વ શેય પદાર્થોનો એકકાળમાં પ્રતિભાસ થાય છે.
૧૮૨
આ રીતે પ્રત્યેક પ્રાણીમાં અનુભવાતા ચૈતન્યને સ્વ-પરપ્રકાશક સ્થાપન કર્યા પછી ચૈતન્યનો આશ્રય આત્મા છે, પરંતુ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલી બુદ્ધિ એ ચૈતન્યરૂપ નથી તે બતાવવા અર્થે કહે છે
પ્રતિપાણી અનુભવ કરાતું એવું ચૈતન્ય રૂપાદિની જેમ સામાન્યવાળું અસ્પંદાત્મક અનુપાદનકારણપણા વડે ગુણ છે એથી ગુણ ગુણીને આશ્રિત :
પ્રતિપાણીને અનુભવ કરાતું એવું ચૈતન્ય રૂપાદિની જેમ સામાન્યવાળું અસ્પંદાત્મક અનુપાદનકારણપણાવડે ગુણ છે, એથી તે ગુણ ગુણીને આશ્રિત જ રહે છે.
આશય એ છે કે નૈયાયિક દ્રવ્ય, ગુણ અને કર્મમાં સામાન્ય સ્વીકારે છે, તેથી તેના મતે દ્રવ્ય, ગુણ અને કર્મ સામાન્યવાળા છે, જેમ - દ્રવ્યમાં દ્રવ્યત્વ સામાન્ય રહે છે, ગુણમાં ગુણત્વ સામાન્ય રહે છે અને ક્રિયામાં ક્રિયાત્વ સામાન્ય રહે છે. વળી તૈયાયિક મત પ્રમાણે સામાન્યવાળી ક્રિયા સ્પંદાત્મક છે, પરંતુ સામાન્યવાળો ગુણ સ્પંદાત્મક નથી. તેમ જૈન મત પ્રમાણે ચૈતન્ય પણ ચૈતન્યત્વરૂપ સામાન્યધર્મવાળું છે અને ક્રિયાની જેમ સ્પંદાત્મક નથી. વળી જેમ નૈયાયિકના મતે કપાલમાં રહેલ રૂપ ઘટના રૂપ પ્રત્યે અનુપાદાન કારણ છે તેમ જૈન મતે આત્મામાં ચૈતન્યગુણ પ્રકાશનરૂપ કાર્ય પ્રત્યે અનુપાદાન કારણ છે; કેમ કે આત્માને ઘટ-પટાદિનું પ્રકાશન થાય છે તેથી ઘટ-પટાદિના પ્રકાશન પ્રત્યે આત્મા ઉપાદાન કારણ છે અને આત્માનો ચૈતન્યગુણ અનુપાદાન કારણ છે, તેથી રૂપાદિની જેમ ચૈતન્ય ગુણ છે, પરંતુ દ્રવ્ય નથી અને ક્રિયા નથી. અને જે ગુણ હોય તે ગુણીને આશ્રિત જ હોય છે, ચૈતન્યગુણનો આશ્રય આત્મા છે, તેથી પ્રકૃતિમાંથી બુદ્ધિ ઉત્પન્ન થયેલી છે એ પ્રમાણે પાતંજલદર્શનકાર કહે છે તે અસંગત છે.
અહીં પ્રશ્ન થાય કે શ્રુતિમાં તો બ્રહ્મને નિર્ગુણ કહેલ છે તેથી ચૈતન્યગુણનો આશ્રય આત્માને સ્વીકારીએ તો બ્રહ્મને નિર્ગુણ કહેનારી શ્રુતિનો વિરોધ થશે. તેના સમાધાન માટે કહે છે આત્માને નિર્ગુણ કહેનારી શ્રુતિ સાંસારિક ગુણાભાવની અપેક્ષાએ છે, અન્યથા આત્માના ગુણોની અપેક્ષાએ સ્વાભાવિક અનંતગુણોનો આધાર આત્મા :
આત્માને નિર્ગુણ કહેનારી શ્રુતિ સાંસારિકગુણાભાવની અપેક્ષાએ જ છે. આશય એ છે કે સાંસારિકજીવોમાં રાગ-દ્વેષ, રિત-અતિ વગેરે ભાવો અને મતિ આદિ જ્ઞાનોના ક્ષયોપશમભાવોરૂપ ગુણો દેખાય છે તે સર્વ ગુણોના અભાવરૂપ આત્મા છે તે બતાવવા માટે શ્રુતિ આત્માને નિર્ગુણ કહે છે; કેમ કે સાંસારિકગુણોના અભાવથી અન્ય પ્રકારના સ્વાભાવિક અનંત ગુણોનો આધાર આત્મા છે, માટે આત્મા પોતાના સ્વાભાવિક અનંત ગુણોવાળો હોવાથી નિર્ગુણ કહી શકાય નહીં. પરંતુ કર્મના સંયોગવાળી અવસ્થામાં જે ગુણો દેખાય છે તેની અપેક્ષાએ શુદ્ધ આત્માને નિર્ગુણ કહી શકાય.
Page #212
--------------------------------------------------------------------------
________________
૧૮૩
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કેવલ્યપાદ | સૂત્ર-૨૨ની ઉપા. મ.સા.ની ટિપ્પણી
વળી પાતંજલદર્શનકાર કહે છે કે પ્રકૃતિમાંથી બુદ્ધિ ઉત્પન્ન થઈ છે અને તેમાં આત્માનું પ્રતિબિંબ પડે છે, તેથી સંસારી જીવોની બુદ્ધિમાં આત્માનું પ્રતિબિંબ પડેલું હોવાથી સંસારી જીવોનો આત્મા બિંબ છે અને તેનું પ્રતિબિંબ બુદ્ધિમાં છે અને પાતંજલમતાનુસાર તે બિંબરૂપ આત્મા નિર્લેપ છે; કેમ કે જો આત્માને નિર્લેપ ન સ્વીકારીએ તો આત્માના કૂટસ્થપણાની હાનિ થાય તેમ પતંજલિઋષિ કહે છે. તેનું સમાધાન આપતાં પૂજય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબ કહે છે – બિંબભૂત એવા ચિતરૂપ આત્માનું નિર્લેપપણું સ્વીકાર કરાયે છતે બુદ્ધિમાં આત્માના પ્રતિબિંબના ગ્રાહકપણારૂપે પ્રકાશની પણ અનુપપત્તિ :
બિંબભૂત એવા ચિતરૂપ આત્માનું નિર્લેપપણું સ્વીકાર કરાયે છતે બુદ્ધિમાં આત્માના પ્રતિબિંબના ગ્રાહકપણારૂપે પ્રકાશની પણ ઉપપત્તિ થઈ શકે નહીં.
કેમ પ્રતિબિબના પ્રકાશની ઉપપત્તિ બુદ્ધિમાં થઈ શકે નહિ ? તેમાં હેતુ કહે છે – બિંબ-પ્રતિબિંબભાવરૂપ સંબંધનું દ્વિષ્ઠપણું હોવાને કારણે બંનેના પણ લેપકત્વનું તુલ્યપણું :
બિંબ-પ્રતિબિંબભાવનો સંબંધ બંનેમાં હોવાથી બંનેનું લેપકપણું સમાન છે. આશય એ છે કે, દર્પણમાં સન્મુખ રહેલી વસ્તુનું પ્રતિબિંબ પડે છે, તેથી સન્મુખ રહેલી વસ્તુરૂપ બિંબ અને દર્પણમાં પડેલું પ્રતિબિંબ તે બંનેમાં બિંબ-પ્રતિબિંબભાવ સંબંધ છે, આ બિંબ-પ્રતિબિંબભાવરૂપ સંબંધ માત્ર દર્પણ સન્મુખ રહેલી વસ્તુમાં નથી, પરંતુ દર્પણને સન્મુખ રહેલી વસ્તુ અને દર્પણમાં પડતા પ્રતિબિંબ બંને વચ્ચે બિંબ-પ્રતિબિંબભાવ સંબંધ છે, તેથી બિંબભૂત વસ્તુથી દર્પણ લેપાય છે અને દર્પણમાં પ્રતિબિંબભાવથી બિબ પણ લેવાય છે, તેથી દર્પણમાં અને દર્પણ સન્મુખ રહેલી વસ્તુમાં પરસ્પર એકબીજાના ભાવોને ગ્રહણ કરવારૂપ લેપ સમાન છે. તેમ આત્માનું બુદ્ધિમાં પ્રતિબિંબ સ્વીકારીએ તો પુરુષને પણ લેપવાળો સ્વીકારવો જોઈએ અને જો પુરુષ લપાતો ન હોય તો તેનું પ્રતિબિંબગ્રાહકપણું બુદ્ધિમાં પ્રાપ્ત થાય નહીં, તેથી બુદ્ધિમાં પુરુષના પ્રતિબિંબરૂપ જે પ્રકાશ ઉત્પન્ન થાય છે, એમ જે પાતંજલદર્શનકાર કહે છે તેની ઉપપત્તિ થઈ શકે નહીં.
વળી જો પાતંજલદર્શનકારને બુદ્ધિ પુરુષના પ્રતિબિંબને ગ્રહણ કરે છે, તેમ સ્વીકારવું હોય તો પુરુષને નિર્લેપ સ્વીકારી શકે નહીં પરંતુ પુરુષને સલેપ જ સ્વીકારવો જોઈએ, તો જ સંસારી જીવો બુદ્ધિમાં પ્રતિબિંબિત થઈને સલેપવાળા છે એમ પ્રાપ્ત થાય અને મુક્ત આત્માઓ બુદ્ધિમાં પ્રતિબિંબિત નહિ હોવાના કારણે નિર્લેપવાળા છે તેમ સંગત થાય.
અહીં પાતંજલદર્શનકાર કહે કે બિંબભૂત એવો આત્મા નિર્લેપ છે, તેથી ‘ઘટાદિ પદાર્થોનું દર્પણમાં પ્રતિબિંબ પડે છે' તેવું પ્રતિબિંબ આત્માનુ બુદ્ધિમાં પડતું નથી પરંતુ આત્માનું ઉપચરિત બિંબ– છે, તેથી આત્માને નિર્લેપ સ્વીકારવા છતાં આત્માનું ઉપચરિત બિબત્વ સ્વીકારીને તેના પ્રતિબિંબગ્રાહકપણારૂપે બુદ્ધિમાં આત્માનો પ્રકાશ છે તેમ કહી શકાશે. તેનો ઉત્તર આપતાં પૂજ્ય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબ કહે છે –
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૮૪ પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કેવલ્યપાદ | સૂત્ર-૨૨ની ઉપા. મ.સા.ની ટિપ્પણી | સૂત્ર-૨૩ ઉપચરિત બિંબત્વનું ઉપપાદન કરાચે છતે ઉપચરિત સર્વવિષયવાદિનું ઉપપાદન પણ તુલ્ય છે એથી આત્મા નિર્ગુણ છે એ પ્રકારનો પાતંજલદર્શનકારનો નયાદેશવિશેષનો પક્ષપાત માત્ર :
જો પાતંજલદર્શનકાર આત્મામાં ઉપચરિત બિંબત્વ સ્વીકારે તો બુદ્ધિમાં પ્રતિભાશમાન થતાં ઘટપટાદિ સર્વ પદાર્થોને ઉપચરિત સ્વીકારીને બુદ્ધિથી અતિરિક્ત ઘટાદિ પદાર્થો નથી તેમ કહેનાર જ્ઞાનાતવાદી બૌદ્ધમતના સ્વીકારની આપત્તિ આવે માટે આત્માને નિણ કહેનાર શ્રુતિનું વચન નયાદેશરૂપ છે અર્થાત્ સાંસારિક ગુણના અભાવને કહેનારા નયના આદેશની અપેક્ષાએ છે અને તે નયાદેશવિશેષનો પક્ષપાત માત્ર પાતંજલદર્શનકાર કરે છે અર્થાત્ તે નયાદેશને સર્વથા સ્વીકારીને શુદ્ધ આત્માને સર્વથા નિર્ગુણ સ્વીકારે છે, તે સર્વ પાતંજલદર્શનકારનું વચન ઉચિત નથી, અવતરણિકા :
ननु यद्येवंविधादेव चित्तात् सकलव्यवहारनिष्पत्तिः कथं प्रमाणशून्यो द्रष्टाऽभ्युपगम्यत इत्याशक्य द्रष्टुः प्रमाणमाह - અવતરણિતાર્થ :
નનુથી શંકા કરે છે કે પાતંજલયોગસૂત્ર ૪-૨૨માં સ્થાપન કર્યું એવા પ્રકારના ચિત્તથી સકલ વ્યવહારની નિષ્પત્તિ છે સંસારી જીવોને જે કાંઈ અનુભવો છે તેની સંગતિ થાય છે, એથી પ્રમાણશૂન્ય એવો દેખાપુરુષ, કેમ સ્વીકારાય છે ? એ પ્રકારની આશંકા કરીને દેખાના પ્રમાણને ધે છે – ભાવાર્થ :
પાતંજલદર્શનકાર પ્રકૃતિ અને પુરુષ બે મૂળતત્ત્વો માને છે અને પ્રકૃતિમાંથી બુદ્ધિ ઉત્પન્ન થાય છે અને બુદ્ધિમાંથી અહંકારાદિ અન્ય તત્ત્વો ઉત્પન્ન થાય છે તેમ માને છે. વળી સંસારી જીવોને જે પ્રકારના અનુભવો થાય છે તે સર્વની સંગતિ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલ બુદ્ધિરૂપ ચિત્તથી થાય છે, તેથી પ્રકૃતિથી અતિરિક્ત પુરુષ છે, તેમ સ્વીકારવાની આવશ્યકતા રહેતી નથી, તેથી પુરુષને સ્વીકારવા માટે કોઈ પ્રમાણ ન હોય તો પુરુષને સ્વીકારી શકાય નહીં, માટે પુરુષને સ્વીકારવા અર્થે પતંજલિઋષિ પ્રમાણ બતાવે છે – સૂત્રઃ
तदसङ्ख्येयवासनाभिश्चित्रमपि परार्थं संहत्यकारित्वात् ॥४-२३॥
સૂત્રાર્થ :
તે ચિત્ત અસંખ્યવાસનાથી ચિત્ર પણ પરાર્થ છે; કેમ કે સંહત્યકારી છે=એકઠા થઈને અર્થક્રિયાકારિપણું છે. II૪-૨all
Page #214
--------------------------------------------------------------------------
________________
पातं योगसूत्र भाग - २ / दैवल्यचाह / सूत्र- 23
टीडा :
'तदिति'-तदेव=चित्तं सङ्ख्यातुमशक्याभिर्वासनाभिश्चित्रमपि=नानारूपमपि परार्थं परस्य स्वामिनो भोक्तुर्भोगापवर्गलक्षणमर्थं साधयतीति । कुतः ? संहत्यकारित्वात्, संहत्य=संभूय मिलित्वाऽर्थक्रियाकारित्वात् यच्च संहत्यार्थक्रियाकारि तत्परार्थ दृष्टं, यथा शयनासनादि, सत्त्वरजस्तमांसि च चित्तलक्षणपरिणामभाञ्जि संहत्यकारीणि चातः परार्थानि, यः परः स पुरुषः । ननु यादृशेन शयनादीनां परेण शरीरवता पारार्थ्यमुपलब्धं तद्दृष्टान्तबलेन तादृश एव परः सिध्यति, यादृशश्च भवता परोऽसंहतरूपोऽभिप्रेतस्तद्विपरीतस्य सिद्धेरयमिष्टविघातकृद्धेतुः, उच्यते-यद्यपि सामान्येन परार्थमात्रे व्याप्तिर्गृहीता तथाऽपि सत्त्वादिविलक्षणधर्मपर्यालोचनया तद्विलक्षण एव भोक्ता परः सिध्यति, यथा चन्दनवनावृते शिखरिणि विलक्षणाद्धूमाद्वह्निरनुमीयमान इतरवह्निविलक्षणश्चन्दनप्रभव एव प्रतीयते, एवमिहापि विलक्षणस्य सत्त्वाख्यस्य भोग्यस्य परार्थत्वेऽनुमीयमाने तथाविध एव भोक्ताऽधिष्ठाता परश्चिन्मात्ररूपोऽसंहतः सिध्यति, यदि च तस्य परत्वं सर्वोत्कृष्टत्वमेवं प्रतीयते तथाऽपि तामसेभ्यो विषयेभ्यः प्रकृष्यते शरीरं, प्रकाशरूपेन्द्रियाश्रयत्वात्, तस्मादपि प्रकृष्यन्त इन्द्रियाणि ततोऽपि प्रकृष्टं सत्त्वं प्रकाशरूपं, तस्यापि यः प्रकाशकः प्रकाश्यविलक्षणः सचिद्रूप एव भवतीति कुतस्तस्य संहतत्वम् ॥४-२३॥
टीडार्थ :
૧૮૫
तदेव.
..... साधयतीति । ते ४-चित्त, संख्या डरवा माटे अशज्य जेवी वासना वडे चित्र पएा=अनेऽ પ્રકારનું પણ, પરાર્થ છે=પર એવા ભોક્તારૂપ સ્વામીના ભોગ અને અપવર્ગસ્વરૂપ અર્થને સાધે છે. इति शब्द थननी समाप्तिसूय छे.
कुतः ? = म चित्त परार्थ छे ? जेथी उहे छे
संहत्यकारित्वात् =संहत्य झरीपणुं होवाथी यित्तनुं संहत्यझरीयसुं होवाथी परार्थ छे खेम अन्वय छे. સંહત્યકારીનો અર્થ સ્પષ્ટ કરે છે
--
*****
संहत्य = . अर्थक्रियाकारित्वात् ॥ संहत्य =561 थर्धने=भजीने अर्थडियाझरीयसुं छे अर्थात् ચિત્ત સત્ત્વ, રજ્સ અને તમસ્ ત્રણે ગુણોથી મિલિત થઈને અર્થક્રિયાને કરે છે.
સંહત્ય અર્થક્રિયાકારીપણું પરાર્થ હોય છે, તેની વ્યાપ્તિ બતાવે છે
-
यच्च .......
पुरुषः । के संहत्य अर्थडियाझरी छे ते परार्थ दृष्ट छे के प्रभा શયન, આસન વગેરે અને ચિત્તલક્ષણપરિણામને ભજનારા=ચિત્તલક્ષણ પરિણામવાળા, સત્ત્વ, રજ્સ અને તમસ્ સંત્યકારી છે આથી પરાર્થ છે. જે પર છે તે પુરુષ છે.
ननु ..... हेतु:, ननुथी अर्ध शं
हरे छे ठेवा प्रझरना पर सेवा शरीरवाजा पुरुष वडे शयन,
-
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૮૬
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કેવલ્યપાદ | સૂત્ર-૨૩ આસન વગેરેનું પારાર્થ્ય પ્રગટ કરાયું તે દષ્ટાંતના બળથી તેવા પ્રકારનો જ પર સિદ્ધ થાય છે અને જેવા પ્રકારનો અસંહતરૂપ પર આત્મા તમારા વડે પાતંજલદર્શનકાર વડે, અભિપ્રેત છે, તેનાથી વિપરીતની સિદ્ધિ હોવાથી ઇષ્ટના વિઘાતને કરનારો આ હેતુ છે સંહત્યકારિત્વરૂપ હેતુ છે.
ફતે – શંકાકારને રાજમાર્તડવૃત્તિકર વડે ઉત્તર અપાય છે –
યપ....સિધ્ધતિ, જો કે સામાન્યથી પરાર્થમાત્રમાં વ્યાપ્તિ ગૃહીત છે, તોપણ સત્ત્વાદિવિલક્ષણ ધર્મીના પર્યાલોચનથી તેનાથી વિલક્ષણ જ પર એવો ભોક્તા સિદ્ધ થાય છે. જે પ્રમાણે ચંદનવનથી આવૃત એવા પર્વતમાં વિલક્ષણ એવા ધૂમથી સુગંધમય એવા વિલક્ષણ ધૂમથી, અનુમાન કરાતો વતિ ઇતરવતિથી વિલક્ષણ અને ચંદનથી ઉદ્ભવેલ પ્રતીત થાય છે. એ રીતે અહીં પણ=પ્રસ્તુતમાં પણ, વિલક્ષણ સત્ત્વ નામના ભોગ્યના પરાર્થપણાના અનુમાનમાં આસન, શયન વગેરેથી વિલક્ષણ બુદ્ધિરૂપ ભોગ્યના પરાર્થપણાના અનુમાનમાં, તેવા પ્રકારનો જ ભોક્તા અધિષ્ઠાતા પર ચિન્માત્રરૂપ અસંમત સિદ્ધ થાય છે.
વળી પુરુષ અસંહતરૂપ કેમ છે? તે યુક્તિથી સ્થાપન કરવા અર્થે કહે છે – ત્રિસંતત્વમ્ II અને જો તેનું પુરુષનું, આ રીતે પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે, સર્વોત્કૃષ્ટત્વરૂપ પરત્વ પ્રતીત થાય છે, તોપણ તામસુ એવા શયન, આસન વગેરે વિષયોથી શરીર પ્રકૃષ્ટ છે; કેમ કે પ્રકાશરૂપ ઇન્દ્રિયનું આશ્રયપણું છે અર્થાત્ શરીરનું પ્રકાશરૂપ ઇન્દ્રિયોનું આશ્રયપણું છે. તેનાથી પણ=શરીરથી પણ, ઇન્દ્રિયો પ્રકર્ષવાની છે, તેનાથી પણsઇન્દ્રિયોથી પણ, પ્રકાશરૂપ સર્વ પ્રકૃષ્ટ છે અર્થાત્ પ્રકાશરૂપ ચિત્ત એવું સત્વ પ્રકૃષ્ટ છે, તેનો પણ ચિત્તનો પણ, પ્રકાશ્યથી વિલક્ષણ એવો જે પ્રકાશક તે ચિકૂપ જ છે, એથી તેનું ચિતૂપ પુરુષનું, સંહતપણું ક્યાંથી હોય ? અર્થાત્ સંહતપણું હોઈ શકે નહીં. ll૪-૨all ભાવાર્થ :
પાતંજલદર્શનકાર પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલા ચિત્તથી સકલ વ્યવહારની સંગતિ કરે છે, તેથી પ્રકૃતિથી અતિરિક્ત પુરુષને માનવાની આવશ્યકતા રહે નહિ, તેવી કોઈને શંકા થાય છે, તેના નિવારણ અર્થે કહે છે – અસંખ્યવાસનાઓથી ચિત્ર એવું ચિત્ત સંહત્યકારી હોવાથી પરાર્થ :
પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલું ચિત્ત અસંખ્યાત વાસનાઓ વડે ચિત્ર પ્રકારનું છે, અને તેવું ચિત્ત પરના પ્રયોજન અર્થે છે અને પર છે તે પુરુષ છે.
અહીં પ્રશ્ન થાય કે ચિત્ત પરના પ્રયોજન અર્થે કેમ છે ? તેમાં યુક્તિ બતાવે છે – | ચિત્ત સંહત્યકારી છે માટે પરના પ્રયોજન અર્થે છે.
અહીં પ્રશ્ન થાય કે ચિત્ત સંહત્યકારી છે માટે પરના પ્રયોજન અર્થે છે તે કેમ નક્કી થાય? તેથી કહે છે –
Page #216
--------------------------------------------------------------------------
________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૨૩
૧૮૦
લોકમાં શયન, આસન વગેરે અનેક પરમાણુઓના મળવાથી થયેલા પદાર્થો છે તેથી સંહત્ય છે અને તે તે આસન, શયન વગેરેના ભોગવનારા પુરુષને ઉપયોગી અર્થક્રિયાને તે આસન, શયન વગેરે કરનારા છે, તેમ ચિત્ત પણ સત્ત્વ, રજસ્ અને તમસ્ એ ત્રણથી સંહત્ય થઈને બનેલું છે અને કોઈક અર્થક્રિયા કરે છે અને જે અર્થક્રિયા કરે છે તે પુરુષ માટે કરે છે તેથી એ ફલિત થાય છે કે, સંસારી જીવોનું ચિત્ત સત્ત્વ, રજસ્ અને તમથી બનેલું છે અને પુરુષના ભોગ અને અપવર્ગ સંપાદન માટે પ્રવૃત્તિ કરે છે, તેથી ચિત્તથી અતિરિક્ત પુરુષ છે, તેમ સિદ્ધ થાય છે.
અહીં શંકા થાય કે, શયન, આસન વગેરેને ભોગવનાર પુરુષ શરીરધારી છે અને તે દૃષ્ટાંતના બળથી ચિત્તને પરપ્રયોજન અર્થે અર્થક્રિયા કરનાર સ્વીકારવામાં આવે તો શરીરધારી પુરુષ જેવો જ આત્મા સિદ્ધ થાય અને શરીર પણ અનેક પરમાણુના સંચયરૂપ હોવાથી સંહતરૂપ છે, જ્યારે પાતંજલદર્શનકાર તો આત્માને અસંહતરૂપ માને છે, તેથી દૃષ્ટાંતના બળથી અસંહતરૂપ આત્મા કઈ રીતે સિદ્ધ થાય ? તે સ્પષ્ટ કરતાં રાજમાર્તંડ ટીકાકાર કહે છે
-
દૃષ્ટાંતના બળથી અસંહતરૂપ આત્માની સિદ્ધિ
જો કે સામાન્યથી ‘જે જે સંહત હોય તે પરાર્થ હોય' તે પ્રકારે વ્યાપ્તિ ગ્રહણ થાય છે, તોપણ સત્ત્વ, રજસ્ અને તમથી વિલક્ષણ એવા ધર્મીના પર્યાલોચનને કારણે દેહધારી પુરુષ કરતા વિલક્ષણ એવો ભોક્તા પુરુષ પરશબ્દથી સિદ્ધ થાય છે. તેમાં દષ્ટાંત બતાવે છે
જેમ - ચંદનવનથી આવૃત્ત કોઈ પર્વત હોય અને તેમાં અગ્નિ લાગે ત્યારે તે અગ્નિથી જે ધૂમ ઉત્પન્ન થાય છે તે ધૂમ અન્ય કાષ્ઠના અગ્નિ કરતાં વિલક્ષણ હોય છે; કેમ કે તે ધૂમમાં ચંદનની સુગંધ વર્તે છે અને તેવા વિલક્ષણ ધૂમથી પર્વતમાં વહ્નિ છે તેમ અનુમાન થાય છે, તે વહ્નિ પણ ઇતર વહ્નિથી વિલક્ષણ એવો ચંદનથી પ્રભવ–ઉત્પન્ન થયેલો છે, તેમ પ્રતીત થાય છે; કેમ કે ઇતર એવા વહ્નિથી સુગંધી ધૂમ થતો નથી અને ચંદનથી ઉત્પન્ન થયેલા વતિથી સુગંધી ધૂમ થાય છે, તેથી નક્કી થાય છે કે અન્ય કાષ્ઠાદિથી ઉત્પન્ન થયેલ વહ્નિથી વિલક્ષણ એવો આ ચંદનથી ઉત્પન્ન થયેલો વહ્નિ છે. એ રીતે પ્રસ્તુતમાં પણ અનુમાન કરાય છે કે શયન, આસન વગેરેથી વિલક્ષણ એવા સત્ત્વપરિણામવાળા ચિત્તરૂપ ભોગ્યનો ભોક્તા વિલક્ષણ છે, તેથી શયન, આસન વગેરેના ભોક્તા શરીરધારી પુરુષ અસંહત નહિ હોવા છતાં શયન, આસન વગેરેથી વિલક્ષણ એવા સત્ત્વગુણવાળા ચિત્તનો ભોક્તા અસંહત એવો પુરુષસિદ્ધ થાય છે.
પૂર્વમાં દૃષ્ટાંતથી સિદ્ધ કર્યું કે શયન, આસન વગેરે ઘણા પરમાણુઓના બનેલા છે અને તે પરાર્થ છે; કેમ કે શરીરધારી પુરુષને ભોગવવા માટે શયન, આસન વગેરે છે, તેમ સત્ત્વ, રજસ્ અને તમસ્ સ્વરૂપ ચિત્ત પણ પરાર્થ છે અને તે ૫૨પુરુષ છે. એ રીતે જો કે પુરુષનું સર્વથી ઉત્કૃષ્ટપણારૂપ પરત્વ પ્રતીત થાય છે અર્થાત્ અન્ય સર્વ પદાર્થો કરતાં પુરુષ સર્વોત્કૃષ્ટ છે અને તેમાં રહેલું સર્વોત્કૃષ્ટત્વ પરત્વ છે, તેમ પ્રતીત થાય છે, તેવા પરત્વવાળા પુરુષના પ્રયોજન અર્થે ચિત્ત છે, તેમ સ્વીકારવાથી
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૮૮
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૨૩-૨૪ પુરુષ અસંહત છે, તેમ સિદ્ધ થાય નહીં તોપણ પુરુષ કઈ રીતે અસંહત છે, તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – પુરુષ અસંહતસ્વરૂપ છે તેમાં યુક્તિઃ
જગતમાં દેખાતા ઘટ-પટાદિ બાહ્ય વિષયો તામસપરિણામવાળા છે અને તેનાથી શરીર પ્રકૃષ્ટ છે; કેમ કે પ્રકાશરૂપ ઇન્દ્રિયોનો આશ્રય છે અને તેનાથી પણ શરીરથી પણ, ઇન્દ્રિયો પ્રકર્ષવાળી છે; કેમ કે સ્વયં પ્રકાશરૂપ છે અને ઇન્દ્રિયોથી પણ પ્રકાશરૂપ એવું સત્ત્વ=ચિત્ત, પ્રકૃષ્ટ છે અને તે ચિત્તનો જે પ્રકાશક એવો ચિરૂપ આત્મા છે તે પ્રકાશ્ય એવા સર્વ પદાર્થોથી વિલક્ષણ છે, તેથી પ્રકાશ્ય એવા સર્વ પદાર્થોથી વિલક્ષણ ચિરૂપ પ્રકાશક સંહત કેવી રીતે હોઈ શકે ? અર્થાતુ ન હોઈ શકે માટે પુરુષને શયન, આસન વગેરેની જેમ કે શરીરધારી પુરુષની જેમ અનેક પરમાણુ વગેરેથી સંત સ્વીકારેલ નથી પરંતુ અસંહત એકરૂપ સ્વીકારેલ છે. આ પ્રકારે પાતંજલદર્શનકાર કહે છે. I૪-૨૩ અવતરણિકા:
इदानीं शास्त्रफलं कैवल्यं निर्णेतुं दशभिः सूत्रैरुपक्रमते - અવતરણિકાW:
હવે શાસ્ત્રનું ફળ કેવળપણું પુરુષનું પ્રકૃતિથી પૃથપણારૂપ કેવળપણું, નિર્ણય કરવા માટે દશ સૂત્રો વડે પતંજલિઋષિ ઉપક્રમ આરંભ, કરે છે – સૂત્રઃ
विशेषदर्शिन आत्मभावभावनानिवृत्तिः ॥४-२४॥ સૂત્રાર્થ :
વિશેષદર્શીને સત્વરૂપબુદ્ધિ અને પુરુષ એબેના ભેદને જોનારાને, આત્મભાવની ભાવનાની નિવૃત્તિ છે= “પ્રકૃતિની જે પ્રવૃત્તિ છે તે પોતાનો ભાવ છે”, એ પ્રકારની ભાવનાની નિવૃત્તિ છે. I૪-૨૪ll ટીકાઃ
'विशेषेति'-एवं सत्त्वपुरुषयोरन्यत्वे साधिते यस्तयोविशेषं पश्यति अहमस्मादन्य इत्येवं रूपं, तस्य विज्ञातचित्तस्वरूपस्य चित्ते याऽऽत्मभावभावना सा निवर्तते चित्तमेव कर्तृ ज्ञातृ भोक्तृ इत्यभिमानो निवर्तते ॥४-२४॥ ટીકાઈ:
વં....નિવર્તિતે . આ રીતે પૂર્વમાં વર્ણન કર્યું એ રીતે સત્ત્વ અને પુરુષનું અન્યપણું સાધિત
Page #218
--------------------------------------------------------------------------
________________
૧૮૯
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨/ કૈવલ્યપાદ | સૂત્ર-૨૪-૨૫ કરાયે છતે જે યોગી તે બેના=સત્ત્વ અને પુરુષના, વિશેષને જુવે છે અર્થાત્ ભેદને જુવે છે હું આનાથી અન્ય છું એ સ્વરૂપ વિશેષને જુવે છે. તેની વિજ્ઞાત ચિત્તસ્વરૂપ સત્ત્વની, ચિત્તમાં જે આત્મભાવની ભાવના હતી તે નિવર્તન પામે છે અર્થાત્ “ચિત્તસ્વરૂપ જ હું છું અને બાહા કૃત્યોનો કર્તા, જ્ઞાતા છું અને તેનાથી થતા ફલનો ભોક્તા છું' એ પ્રકારનું અભિમાન તે યોગીના ચિત્તમાં નિવર્તન પામે છે. I૪-૨૪ll.
ભાવાર્થ :
સત્ત્વરૂપ બુદ્ધિના અને પુરુષના ભેદ જોનારને આત્મભાવની ભાવનાની નિવૃત્તિ :
પાતંજલદર્શનકારે અત્યાર સુધી યોગસૂત્રના ચાર પાદોનું વર્ણન કર્યું અને તેના દ્વારા બુદ્ધિરૂપ સત્ત્વ અને પુરુષનો ભેદ સિદ્ધ કર્યો. જે યોગી તેના બળથી બુદ્ધિરૂપી સત્ત્વ અને પુરુષના વિશેષને જુવે છે અર્થાત્ બુદ્ધિરૂપી સત્ત્વ જુદો પદાર્થ છે અને પુરુષ એવો હું જુદો છું માટે પુરુષ એવો હું બુદ્ધિરૂપી સત્ત્વથી જુદો છું એમ જાણે છે. વિજ્ઞાતચિત્તસ્વરૂપવાળા તે યોગીના ચિત્તમાં આત્મભાવની જે ભાવના હતી=આ ચિત્ત જે ભોગાદિ કરે છે તે મારા ભાવો છે એ પ્રકારની જે ભાવના હતી, તે નિવર્તન પામે છે અર્થાત્ તે યોગીના ચિત્તમાં ચિતૂપ પોતાનો આત્મા બાહ્ય કૃત્યો કરે છે એ પ્રકારનું કતૃત્વ અભિમાન, બાહ્ય એવા પદાર્થોને ચિતૂપ મારો આત્મા જાણે છે એ પ્રકારનું જ્ઞાતૃત્વનું અભિમાન અને બાહ્ય વિષયોને ચિતૂપ મારો આત્મા ભોગવે છે એ પ્રકારનું ભોıત્વનું અભિમાન નિવર્તન પામે છે. તેથી એ ફલિત થાય છે કે સત્ત્વ અને પુરુષના વિશેષને જોવાથી તે યોગીના ચિત્તમાં જે બાહ્ય પદાર્થોમાં જે કર્તુત્વાદિની બુદ્ધિ હતી તે સર્વ નિવર્તન પામે છે. I૪-૨૪ અવતરણિકા:
तस्मिन् सति किं भवतीत्याह - અવતરણિકાર્ય :
તે હોતે છતે આત્મભાવની ભાવનાની નિવૃત્તિ હોતે છતે, શું થાય છે ? એને કહે છે – સૂત્ર:
तदा विवेकनिम्नं कैवल्यप्राग्भारं चित्तम् ॥४-२५॥ સૂત્રાર્થ :
ત્યારે જ્યારે વિશેષદર્શીનું ચિત્ત આત્મભાવની ભાવનાની નિવૃત્તિવાળું બને છે ત્યારે, વિવેકનિમ્ન વિવેક તરફ વળેલું, કૈવલ્યના પ્રાભારવાળું કેવલ્યના પ્રારંભવાળું, ચિત્ત છે. Il૪-૨૫ll
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૯o
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | કેવલ્યપાદ | સૂત્ર-૨૫-૨૬ ટીકા :
'तदेति'-यदस्याज्ञाननिम्नपथं बहिर्मुखं विषयोपभोगफलं चित्तमासीत् तदिदानी विवेकनिम्नमार्गमन्तर्मुखं कैवल्यप्राग्भारं कैवल्यप्रारम्भं सम्पद्यत इति ॥४-२५॥ ટીકાર્ય : - યદ્દચ..... તો આનું વિવેકદર્શી પુરુષનું, અજ્ઞાનનિપથવાનું અજ્ઞાન તરફ વળેલું, બહિર્મુખ વિષયના ઉપભોગના ફળવાળું જે ચિત્ત હતું તે હવે વિવેકનિખમાર્ગવાળું વિવેક તરફ વળેલા માર્ગવાળું, અંતર્મુખ કૈવલ્ય પ્રાગભારવાનું કેવલ્યના પ્રારંભવાળું થાય છે.
રૂતિ શબ્દ ટીકાના કથનની સમાપ્તિસૂચક છે. ll૪-૨પા. ભાવાર્થ : વિશેષદર્શીનું ચિત્ત આત્મભાવની ભાવનાની નિવૃત્તિવાળું બને છે ત્યારે વિવેક તરફ વળેલા માર્ગવાળું અંતર્મુખ કૈવલ્યના પ્રારંભવાળું ચિત્ત :
જે યોગીઓને યોગશાસ્ત્રના અધ્યયનથી બુદ્ધિરૂપી સત્ત્વ અને પુરુષનો ભેદ સ્પષ્ટ દેખાય છે તે યોગીઓનું ચિત્ત પૂર્વમાં અજ્ઞાનથી નિમ્ન પથમાં જનારું અજ્ઞાન તરફ વળેલા માર્ગવાળું, બહિર્મુખ અને વિષયના ઉપભોગના ફળવાળું હતું તે ચિત્ત આત્મભાવની ભાવનાની નિવૃત્તિના કારણે ભોગોથી પરાક્ષુખ થઈને પુરુષના અને બુદ્ધિના ભેદરૂપ વિવેકમાં નિમગ્ન થયેલું અંતર્મુખ બને છે અને તેવું ચિત્ત પુરુષને કૈવલ્યની પ્રાપ્તિને અનુકૂળ એવા યત્નના પ્રારંભરૂપ થાય છે. I૪-૨૫ અવતરણિકા : ___ अस्मिश्च विवेकवाहिनि चित्ते येऽन्तरायाः प्रादुर्भवन्ति तेषां हेतुप्रतिपादनद्वारेण त्यागोपायमाह - અવતરણિકાર્ય :
પાતંજલયોગસૂત્ર ૪-૨૫માં કહ્યું એ પ્રમાણે વિવેક્વાહી ચિત્ત હોતે છતે જે અંતરાયો પ્રાદુભાવ પામે છે તે અંતરાયોના હેતુના પ્રતિપાદન દ્વારા ત્યાગના ઉપાયને કહે છે અંતરાયના નિવારણના ઉપાયને કહે છે – સૂત્ર:
तच्छिद्रेषु प्रत्ययान्तराणि संस्कारेभ्यः ॥४-२६॥ સૂત્રાર્થ :
તેના છિદ્રોમાંeતે સમાધિમાં રહેલા યોગીના અંતરાલોમાં, સંસ્કારથી પ્રત્યયાંતર થાય છે=ભુત્થાનરૂપ જ્ઞાનો થાય છે. I-૨૬ll
Page #220
--------------------------------------------------------------------------
________________
૧૯૧
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૨૬-૨૦ ટીકા :
'तदिति'-तस्मिन् समाधौ स्थितस्य छिद्रेषु अन्तरालेषु यानि प्रत्ययान्तराणि-व्युत्थानरूपाणि ज्ञानानि, तानि प्राग्भूतेभ्यो व्युत्थानानुभवजेभ्यः संस्कारेभ्योऽहं ममेत्येवंरूपाणि क्षीयमाणेभ्योऽपि प्रभवन्ति, अन्तःकरणोच्छित्तिद्वारेण तेषां हानं कर्तव्यमित्युक्तं भवति I૪-૨દ્દા ટીકાર્ય :
તસ્મિન્ .... પ્રમવનિ, તે સમાધિમાં રહેલા એવા યોગીના જે પ્રત્યયાંતરો=વ્યુત્થાનરૂપ જે જ્ઞાનો પૂર્વમાં થયેલા વ્યુત્થાનના અનુભવોથી થયેલા સંસ્કારોથી મર્દ અને મમ હું અને મારું, એ પ્રકારના સ્વરૂપવાળા તે જ્ઞાનો, ક્ષીયમાણથી પણ યોગસાધનાથી મંદ શક્તિવાળા થયેલાં સંસ્કારોથી પણ, છિદ્રોમાં અંતરાલોમાં, પ્રભવ પામે છે.
આ સૂત્રથી શું ફલિત થાય છે તે બતાવે છે –
સન્ત:જર .... મવતિ | અંતકરણની ઉચ્છિતિ દ્વારા તે સંસ્કારોથી ઉલ્લસિત થતાં વ્યુત્થાનરૂપ પરિણામ સ્વરૂપ અંત:કરણના ઉચ્છેદ દ્વારા, તેઓનું દાન કરવું જોઈએ તે સંસ્કારોનો નાશ કરવો જોઈએ, એ પ્રમાણે કહેવાયેલું થાય છે. ll૪-૨૬II ભાવાર્થ : તે સમાધિમાં રહેલા યોગીના અંતરાલોમાં સંસ્કારથી વ્યુત્થાનરૂપ જ્ઞાનોની પ્રાપ્તિઃ
પાતંજલયોગસૂત્ર ૪-૨૪માં કહ્યું એ પ્રમાણે જે યોગી બુદ્ધિ અને પુરુષને ભિન્નરૂપે જોનારા છે, તેથી બુદ્ધિના કૃત્યોમાં આત્મભાવની ભાવનાની નિવૃત્તિ થયેલી છે તેવા યોગીઓનું ચિત્ત પાતંજલયોગસૂત્ર ૪-૨૫માં કહ્યું તે પ્રમાણે વિવેકથી નમ્ર અને કૈવલ્યના પ્રારંભસ્વરૂપ હોય છે, આમ છતાં તે યોગીના આત્મામાં પૂર્વની જે વ્યુત્થાનદશાના અનુભવના સંસ્કારો પડેલા છે તે સંસ્કારોને કારણે વિવેકવાળા યોગીના ચિત્તમાં પણ અહંકાર મમકારરૂપ વ્યુત્થાનના સંસ્કારો વચ્ચે-વચ્ચમાં પ્રાદુર્ભાવ થાય છે, તેથી તે યોગીની સાધના મુક્તઅવસ્થાને અભિમુખ સતત થઈ શકતી નથી, તેવા યોગીએ અંતઃકરણમાં પડેલા સંસ્કારોના ઉચ્છેદ દ્વારા વ્યુત્થાનદશારૂપ જ્ઞાનનો નાશ કરવો જોઈએ કે જેથી મોક્ષની પ્રાપ્તિને અનુકૂળ દઢ વ્યાપાર યોગી કરી શકે. I૪-૨વા અવતરણિકા:
हानोपायश्च पूर्वमेवोक्त इत्याह - અવતરણિકાર્ય :
અને હાનનો ઉ
જ ફ્લેવાયો છે એને કહે છે –
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૯૨
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૨૦
સૂત્ર :
हानमेषां क्लेशवदुक्तम् ॥४-२७॥
સૂત્રાર્થ:
આમનો=વ્યત્યાનના સંસ્કારોનો, ક્લેશની જેમ અવિધા આદિ ક્લેશોની જેમ, હાન=નાશ, કહેવાયો છે. ૪-૨થા ટીકા :
'हानमिति'-यथा क्लेशानामविद्यादीनां हानं पूर्वमुक्तं तथा संस्काराणामपि कर्तव्यम्, यथा ते ज्ञानाग्निना प्लुष्टा दग्धबीजकल्पा न पुनश्चित्तभूमौ प्ररोहं लभन्ते तथा संस्कारा अपि
ટીકાર્ય :
યથા ..... ગપિ જે પ્રમાણે અવિદ્યા વગેરે ક્લેશોનો હાન પૂર્વમાં પાતંજલયોગસૂત્ર ૨, ૧૦-૧૧માં કહેવાયો છે, તે પ્રમાણે સંસ્કારોનો પણ વ્યુત્થાનના સંસ્કારોનો પણ (ાન) કરવો જોઈએ. જે પ્રમાણે તે અવિદ્યાદિ ક્લેશો, જ્ઞાનરૂપ અગ્નિથી નાશ પામેલા દગ્ધબીજ જેવા ફરી ચિત્તભૂમિમાં પ્રરોહ પામતાં નથી, તે પ્રમાણે સંસ્કારો પણ અર્થાત્ વ્યુત્થાનના સંસ્કારો પણ, જ્ઞાનરૂપ અગ્નિથી નાશ પામેલા ફરી ચિત્ત ભૂમિમાં પ્રરોહ પામતાં નથી અર્થાત્ ઉત્પન્ન થતાં નથી. ll૪-૨૭ll
ભાવાર્થ :
જેમ જ્ઞાનરૂપી અગ્નિથી અવિધા આદિ ક્લેશો દગ્ધબીજ બને છે તેની જેમ વ્યુત્થાનના સંસ્કારોનો નાશ :
યોગમાર્ગમાં રહેલા યોગીઓ વિવેકથી નમ્રમાર્ગવાળું ચિત્ત કરીને મોક્ષમાર્ગને અનુકૂળ યત્ન કરે છે ત્યારે વ્યુત્થાનના સંસ્કારો વચ્ચે-વચ્ચમાં પ્રગટ થાય છે, તેનો નાશ યોગીએ કરવો જોઈએ, જેથી યોગમાર્ગની પ્રવૃત્તિ નિરાકુલ બને. કઈ રીતે વ્યુત્થાનના સંસ્કારોનો નાશ યોગીએ કરવો જોઈએ તેથી કહે છે –
જેમ પૂર્વમાં અવિદ્યા આદિ ક્લેશોના નાશનો ઉપાય બતાવ્યો, તે પ્રમાણે વ્યુત્થાનના સંસ્કારોનો પણ યોગીએ નાશ કરવો જોઈએ. તે સ્પષ્ટ કરતાં કહે છે –
જે પ્રમાણે અવિદ્યા આદિ ક્લેશો જ્ઞાનરૂપી અગ્નિથી બળી જાય છે ત્યારે બળેલા બીજ જેવા થવાથી તે ક્લેશો ચિત્તભૂમિમાં ઉત્પન્ન થતાં નથી તે પ્રમાણે યોગીએ પોતાના પારમાર્થિક જ્ઞાનના સંસ્કારો છે તે અત્યંત જાગૃત કરવા જોઈએ અર્થાત્ આત્માના ચિસ્વરૂપનું તે રીતે વારંવાર ભાવન કરવું જોઈએ જેનાથી ચિકૂપ આત્મસ્વરૂપમાં મગ્નતા આવે તેવા તીવજ્ઞાનના ઉપયોગના બળથી
Page #222
--------------------------------------------------------------------------
________________
૧૯૩
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૨૦-૨૮ વ્યુત્થાનના સંસ્કારો નષ્ટ થાય છે અને નષ્ટ થયેલા એવા તે વ્યુત્થાનના સંસ્કારો દબૂબીજ જેવા થવાથી અહંકાર અને મમકાર જ્ઞાનના પરિણામસ્વરૂપે જાગૃત થતાં નથી, તેથી યોગી અસ્મલિત વિવેકના સંસ્કારોના બળથી=પ્રકૃતિથી ભિન્ન આત્મનિરીક્ષણના સંસ્કારોના બળથી, મોક્ષમાર્ગમાં ગમન કરી શકે છે. ૪-૨ol. અવતરણિકા :
एवं प्रत्ययान्तरानुदयेन स्थिरीभूते समाधौ यादृशस्य योगिनः समाधिप्रकर्षप्राप्तिर्भवति तथाविधमुपायमाह - અવતરણિકા :
આ રીતે પાતંજલયોગસૂત્ર ૪-૨૪થી ૪-૨૭ સુધી બતાવ્યું એ રીતે, પ્રત્યયાંતરનો અનુદય થવાથી=સાધક્યોગીના ચિત્તમાં વચ્ચે વચ્ચમાં વ્યુત્થાનના સંસ્કારોનો અનુદય થવાથી, સ્થિરીભૂત સમાધિ થયે છતે જેવા પ્રકારના ઉપાયથી યોગીને સમાધિના પ્રકર્ષની પ્રાપ્તિ થાય છે, તેવા પ્રકારના ઉપાયને બતાવે છે –
સૂત્ર :
प्रसङ्ख्यानेप्यकुसीदस्य सर्वथा विवेकख्यातेर्धर्ममेघः समाधिः ॥४-२८॥
સૂત્રાર્થ :
પ્રસંખ્યાનમાં પણ તત્ત્વના યથાવસ્થિત સ્વરૂપના ભાવનમાં પણ, અકુસીદ એવા યોગીને ફળની અલિપ્તાવાળા એવા યોગીને, સર્વથા વિવેકખ્યાતિથી ધર્મમેઘસમાધિ થાય છે. I૪-૨૮ ટીકા :
'प्रसङ्ख्यान इति'-प्रसङ्ख्यानं यावतां तत्त्वानां यथाक्रमं व्यवस्थितानां परस्परविलक्षणस्वरूपविभावनं, तस्मिन् सत्यप्यकुसीदस्य-फलमलिप्सोः, प्रत्ययान्तराणामनुदये सर्वप्रकारविवेकख्याते: परिशेषाद्धर्ममेघः समाधिर्भवति, प्रकृष्टमशुक्लकृष्णं धर्मं परमपुरुषार्थसाधकं मेहति सिञ्चतीति धर्ममेघः, अनेन प्रकृष्टधर्मस्यैव ज्ञानहेतुत्वमित्युपपादितं મવતિ I૪-૨૮ ટીકાર્ય :
પ્રસધ્ધાનં ... મવતિ, પાતંજલદર્શનાનુસાર જેટલા તત્ત્વો યથાક્રમ વ્યવસ્થિત છે, તેઓના પરસ્પર વિલક્ષણસ્વરૂપનું ભાવન પ્રસંખ્યાન છે, તે પોતે છતે પ્રસંખ્યાન હોતે છતે, અકુસીદ એવા યોગીને ફળની અલિપ્સાવાળા એવા યોગીને, પ્રત્યાંતરનો અનુદય થયે છતે વચ્ચે વચ્ચમાં વ્યુત્થાનના
Page #223
--------------------------------------------------------------------------
________________
૧૯૪
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૨૮-૨૯ સંસ્કરોનો અનુદય થયે છત, સર્વ પ્રકારની વિવેકખ્યાતિ થવાના કારણે પરિશેષથી ધર્મમેઘસમાધિ થાય છે.
ધર્મમેઘસમાધિની વ્યુત્પત્તિ સ્પષ્ટ કરે છે –
પ્રકૃDF મતિ પ્રકૃષ્ટ અશુક્લ-અકૃષ્ણ પરમપુરુષાર્થસાધક ધર્મ, તેને સિંચન કરે છે તે ધર્મમેઘ છે. આના દ્વારા પ્રસ્તુત સૂત્રના કથન દ્વારા, પ્રકૃષ્ટ ધર્મનું ધર્મમેઘ સમાધિકાલીન પ્રકૃષ્ટ ધર્મનું જ, જ્ઞાનનું હેતુપણું છે મોક્ષ પ્રાપ્તિના પ્રબળ કારણ એવા ૨૫ તત્ત્વોનો બોધ સ્વરૂપજ્ઞાનનું હેતુંપણું છે, એ પ્રમાણે ઉપપાદિત થાય છે. ll૪-૨૮ ભાવાર્થ : ફળની અલિપ્સાવાળા યોગીને સર્વથા વિવેકખ્યાતિથી ધર્મમેઘસમાધિની પ્રાતિ :
જે યોગીઓ વ્યુત્થાનના સંસ્કારના નાશ માટે સમ્યગ યત્ન કરે છે, તેના બળથી સમાધિની વચમાં વ્યુત્થાનના સંસ્કારોનો અનુદય થાય છે, તેના ફળરૂપે તે યોગીઓને સમાધિના પ્રકર્ષની પ્રાપ્તિ થાય છે, તે સમાધિનો પ્રકર્ષ તે યોગીને કઈ રીતે થાય છે ? તે બતાવવા અર્થે કહે છે –
પાતંજલમતાનુસાર પુરુષ અને પ્રકૃતિરૂપ બે તત્ત્વો છે, પ્રકૃતિમાંથી બુદ્ધિ આદિ તત્ત્વો જે ક્રમથી વ્યવસ્થિત છે તે સર્વ તત્ત્વોના પાતંજલદર્શનની પ્રક્રિયા અનુસાર પરસ્પર વિલક્ષણ સ્વરૂપને જાણીને તેનું વિભાવન કરવામાં આવે તે પ્રસંખ્યાન કહેવાય છે અર્થાત્ પ્રકૃષ્ટ માર્ગાનુસારી બુદ્ધિ કહેવાય છે અને તેવી બુદ્ધિનો ઉદય થયે છતે પણ જે યોગી ફળની લિપ્સા વગરના છે, તેમની ચિત્તભૂમિમાં વ્યુત્થાનના કોઈ સંસ્કારોનો ઉદય થતો નથી, તેથી સમાધિમાં સુદઢ યત્ન કરીને અનવરત વિવેકખ્યાતિમાં વર્તે છે, જ્યારે તે યોગીને સર્વ પ્રકારની વિવેકખ્યાતિ પ્રાદુર્ભાવ થાય છે ત્યારે તેના પ્રકર્ષરૂપ પરિશેષથી ધર્મમેઘસમાધિ થાય છે, તે ધર્મમેઘસમાધિ પ્રકૃષ્ટ એવા અશુક્લ-અકૃષ્ણરૂપ અને પરમપુરુષાર્થ એવા મોક્ષના સાધક ધર્મને આત્મામાં સિંચન કરે છે, તે ધર્મમઘસમાધિ છે અને તેવી સમાધિને તે યોગી પ્રાપ્ત કરે છે.
આ કથનથી શું ફલિત થાય છે, તે સ્પષ્ટ કરતાં કહે છે –
પાતંજલદર્શનની પ્રક્રિયા અનુસાર પચ્ચીશ તત્ત્વના જ્ઞાનથી પુરુષની મુક્તિ થાય છે અને તે જ્ઞાનનો હેતુ પ્રકૃષ્ટ ધર્મ છે અને આ પ્રકૃષ્ટ ધર્મ ધર્મમેઘસમાધિથી પ્રગટે છે માટે પચ્ચીશ તત્ત્વના પારમાર્થિક જ્ઞાનના અર્થીએ ધર્મમેઘસમાધિના ઉપાયભૂત વિવેકખ્યાતિ આદિમાં યત્ન કરવો જોઈએ. II૪-૨૮ અવતરણિકા:
तस्माद्धर्ममेघात् किं भवतीत्याह - અવતરણિકાર્ય :
તે ધર્મમેઘસમાધિથી શું થાય છે ? એને કહે છે –
Page #224
--------------------------------------------------------------------------
________________
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કેવલ્યપાદ | સૂત્ર-૨૯-૩૦
૧૯૫
સૂત્ર :
તત: વન્ત્રશર્મનિવૃત્તિ: ૪-૨૧ સૂત્રાર્થ :
તેનાથી=ધર્મમેઘસમાધિથી, ક્લેશ અને કર્મની નિવૃત્તિ થાય છે. II૪-૨૯ll ટીકા : _ 'तत इति'-क्लेशानामविद्यादीनामभिनिवेशान्तानां कर्मणां च शुक्लादिभेदेन त्रिविधानां ज्ञानोदयात् पूर्वपूर्वकारणनिवृत्त्या निवृत्तिर्भवति ॥४-२९॥ ટીકાર્ય :
વર્તેશના .... મવતિ | જ્ઞાનના ઉદયને કારણે પુરુષ અને પ્રકૃતિનો પારમાર્થિક ભેદ છે એ પ્રકારના નિર્મળ બોધને કારણે, પૂર્વ પૂર્વના કારણની નિવૃત્તિ થવાથી=અવિદ્યાદિ જે ક્લેશો છે તેમાંથી પૂર્વ પૂર્વના ક્લેશોના કારણોની નિવૃત્તિ થવાથી, અવિદ્યા છે આદિમાં જેને અને અભિનિવેશ છે અંતમાં જેને એવા ક્લેશોની અને શુક્લાદિભેદથી ત્રિવિધ કર્મોની નિવૃત્તિ થાય છે. II૪-૨ ભાવાર્થ : ધર્મમેઘસમાધિથી ક્લેશો અને કર્મોની નિવૃત્તિઃ
પાતંજલમતાનુસાર સાધક યોગીને ધર્મમેઘસમાધિ થાય છે ત્યારે પ્રકૃષ્ટ કોટિનું પ્રકૃતિના અને પુરુષના ભેદનું જ્ઞાન વર્તે છે અને પ્રકૃષ્ટ જ્ઞાનના ઉદયને કારણે પ્રથમ અવિદ્યારૂપ ક્લેશના કારણની નિવૃત્તિ થાય છે તેનાથી અવિદ્યારૂપ ક્લેશ નિવર્તન પામે છે. આ રીતે ક્રમસર સર્વ ક્લેશોના કારણોની નિવૃત્તિ થવાથી તેના કાર્યરૂપ ક્લેશ પણ નિવર્તન પામે છે, તેથી બુદ્ધિમાં અવિદ્યા આદિ જે ક્લેશો પૂર્વે થતા હતા અને શુક્લાદિ ત્રણ ભેદથી જે કૃત્યો થતા હતા તે સર્વની નિવૃત્તિ થાય છે. ll૪-૨૯ અવતરણિકા :
तेषु निवृत्तेषु किं भवतीत्यत आह - અવતરણિકાર્ય :
ક્લેશ અને કર્મની નિવૃત્તિ થયે છતે શું થાય છે ? એથી કહે છે – સૂત્ર :
तदा सर्वावरणमलापेतस्य ज्ञानस्यानन्त्याज्ज्ञेयमल्पम् ॥४-३०॥
Page #225
--------------------------------------------------------------------------
________________
૧૯૬
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૩૦ સૂત્રાર્થ :
ત્યારે ક્લેશો અને કર્મોની નિવૃત્તિ થાય છે ત્યારે, સર્વ આવરણરૂપ મલથી રહિત એવા જ્ઞાનનું અનંતપણું હોવાથી ત્તેય અલ્પ થાય છે=જ્ઞાનની અપેક્ષાએ શેય પરિમિત થાય છે. II૪-3 || ટીકા: ___'तदेति'-आवियते चित्तमेभिरित्यावरणानि क्लेशास्त एव मलास्तेभ्योऽपेतस्य तद्विरहितस्य ज्ञानस्य शरद्गगननिभस्याऽऽनन्त्यादनवच्छेदाज्ज्ञेयमल्पं गणनास्पदं भवत्यक्लेशेनैव સર્વ સેવં નાનાતીર્થ: I૪-રૂ|. ટીકાર્ય :
બ્રિયતે .... ત્યર્થ: છે આના વડે ચિત્ત આવરણ પામે તે આવરણ ક્લેશો છે, ક્લશોરૂપ આવરણ જ મલ છે, આવરણરૂપ મલથી રહિત શરદઋતુના ગગન જેવા જ્ઞાનનું આનન્ય હોવાથી અનવચ્છેદ હોવાથી, ષેય અલ્પ થાય છે ગણનાસ્પદ થાય છે અર્થાત્ જ્ઞાનની અપેક્ષાએ શેય પરિમિત થાય છે.
આનાથી શું ફલિત થાય છે એથી કહે છે –
અદ્દેશથી જ સર્વશ્રેયને જાણે છે=આવરણરૂપ મલની નિવૃત્તિ થવાના કારણે યોગી અદ્દેશથી જ સર્વ જ્ઞેયને જાણે છે. II૪-૩||
ભાવાર્થ :
પાતંજલમતાનુસાર ક્લેશો અને કર્મોની નિવૃત્તિ થયે છતે સર્વઆવરણરૂપ મલથી રહિત એવા જ્ઞાનનું અનંતપણું હોવાથી અપ :
પાતંજલદર્શનની પ્રક્રિયાઅનુસાર ધર્મમઘસમાધિથી ક્લેશો નિવૃત્ત થાય છે અને આ ક્લેશો ચિત્તના આવરણો છે, તેથી જ્યારે શરદઋતુના ગગનની આકાશની જેમ સર્વઆવરણરૂપ મલરહિત યોગીનું જ્ઞાન બને છે તે વખતે તે જ્ઞાન અનંત બને છે અને જ્ઞાન અનંત બનવાથી જ્ઞેય અલ્પ બને છે અર્થાત્ પૂર્વમાં જ્ઞાન પરિમિત હતું અને જોય ઘણા હતા, તેથી સંસારી જીવો શેય પદાર્થોને એક સાથે જાણી શકતા નથી, પરંતુ ક્યારેક કોઈક શેયને જાણે છે, તો ક્યારેક કોઈક અન્ય કાળે અન્ય શેયને જાણે છે, પરંતુ સંસારીજીવો સર્વ જ્ઞેયને એક સાથે જાણી શકતા નથી, પરંતુ જયારે આકાશની જેમ જ્ઞાનનું આવરણ દૂર થાય છે ત્યારે જ્ઞાન સ્વચ્છ અનંત બને છે, તે જ્ઞાનની અપેક્ષાએ જગતના ય પદાર્થો અલ્પ છે, તેથી આવરણરહિત જ્ઞાનવાળા યોગી અક્લેશથી સર્વ શેયને જાણે છે. ll૪-૩૦|
Page #226
--------------------------------------------------------------------------
________________
૧૯o
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૩૦ની ઉપા. મ.સા.ની ટિપ્પણી પાતંજલ યોગસૂત્ર ૪-૩૦ ઉપર ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબની ટિપ્પણરૂપ વ્યાખ્યા : [य.] व्याख्या-प्रकृतं प्रस्तुमः -
अयुक्तमेतत्-ज्ञानस्य ज्ञेयांश एवावरणस्यावारकत्वात्, स्वरूपावरणेऽचैतन्यप्रसङ्गात्, ज्ञानानन्त्ये ज्ञेयानन्त्यस्यापि ध्रौव्यात्, उक्तं च सूक्तं आत्मपरात्मकर्तृकर्म जाव पदमिति હિમ્ . અર્થ : પ્રતં પ્રસ્તુમ: - પ્રકૃતિને પ્રસ્તુત કરીએ છીએ –
કયુમેતત્ ચૈતન્યસિાત્, આ પ્રસ્તુત પાતંજલયોગસૂત્ર ૪-૩૦માં કહ્યું એ અયુક્ત છે; કેમ કે જ્ઞાનના આવરણનું ષેય અંશમાં જ આવારકપણું છે અર્થાત્ જે જ્ઞેયના જ્ઞાનનું આવરણ હોય તે આવરણથી તે શેયનો બોધ થઈ શકતો નથી. જો જ્ઞાનનું આવરણ ક્ષેય પદાર્થને જાણવામાં આવારક છે, તેમ ન માનવામાં આવે અને પાતંજલદર્શનકાર સ્વીકારે છે તેમ જ્ઞાનનું આવરણ જ્ઞાનના સ્વરૂપને આવરણ કરે છે તેમ સ્વીકારવામાં અચૈતન્યનો પ્રસંગ છે.
વળી આવરણના અપગમથી જ્ઞાનના આતંત્રને પાતંજલદર્શનકાર સ્વીકારે છે તેમ સ્વીકારીએ તો શેય અલ્પ થઈ શકે નહીં તે બતાવવા અર્થે કહે છે –
જ્ઞાનાનત્યે .... ધ્રૌવ્યા, જ્ઞાનના આનત્યમાં અનંતપણામાં, શેયના આનત્યનું અનંતપણાનું, ધ્રુવપણું હોવાથી ત્તેય અલ્પ છે. એ પ્રમાણે પાતંજલદર્શનકારનું કથન અયુક્ત છે.
કરૂં ..... સૂર્જ, અને કહેવાયેલું જ્ઞાનનું અનંતપણું હોય તો શેયનું અનંતપણું છે તે પૂજ્ય ઉપાધ્યાય મહારાજ વડે કહેવાયેલું સુઉક્ત છે.
કેમ સૂકત=સારી રીતે કહેવાયેલું છે, તે સ્પષ્ટ કરે છે –
માત્મપરા- .... િ આત્મા-પરસ્વરૂપ કáકર્મભાવ યાવત્ પદ સુધી છે યાવસ્થાન સુધી છે. અર્થાત્ આત્મા જ્ઞાનનો કર્તા છે અને આત્માના જ્ઞાન કરવાની ક્રિયાનું ષેયના ભાવો કર્મ બને છે અને તે કર્તકર્મભાવ જ્ઞાન-ય વચ્ચે યાવત્ પદ સુધી છે દરેક સ્થાનોમાં છે, તેથી જ્ઞાનના આનત્યમાં જ્ઞાનના અનંતપણામાં, બ્રેયના આમંત્યનું જ્ઞેયના અનંતપણાનું, પણ ધ્રુવપણું છે, એમ અન્વય છે. ભાવાર્થ : જ્ઞાનનું આવરણ દૂર થાય છે, ત્યારે જ્ઞાન અનંત બને છે, તે પાતંજલદર્શનકારનું કથન અયુક્તઃ
પાતંજલદર્શનકાર જ્ઞાનનું આવરણ અવિદ્યા આદિ ક્લેશોને માને છે; કેમ કે પાતંજલદર્શનની પ્રક્રિયાનુસાર બુદ્ધિરૂપ ચિત્ત છે, તે ચિત્તમાં જ અવિદ્યા આદિ ક્લેશો વર્તે છે, ત્યારે તેમના મતાનુસાર જ્ઞાન અવિદ્યા આદિ ક્લેશોથી આવૃત્ત બને છે, તેથી જ્ઞાન અનંત નથી પરંતુ પરિમિત છે અને જ્ઞાનનું આવરણ દૂર થાય છે ત્યારે જ્ઞાન અનંત બને છે તેમ કહે છે એ તેઓનું કથન અયુક્ત છે.
Page #227
--------------------------------------------------------------------------
________________
૧૯૮
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કેવલ્યપાદ | સૂત્ર-૩૦ની ઉપા. મ.સા.ની ટિપ્પણી કેમ અયુક્ત છે તેમાં હેતુ કહે છે – જ્ઞાનના આવરણનું શેય અંશમાં જ આવારકપણું છે, જ્ઞાનના સ્વરૂપના આવરણમાં પુરુષને અચેતન્ય માનવાનો પ્રસંગ :
જ્ઞાનનું જે આવરણ છે તે જ્ઞાનના વિષયભૂત શેયને જાણવા દેતું નથી, તેથી જ્ઞાનનું આવરણ શેય પદાર્થોનું આવારક છે અર્થાત્ શેય પદાર્થોના બોધમાં પ્રતિબંધક છે. જો તેમ ન સ્વીકારવામાં આવે અને પાતંજલદર્શનકાર કહે છે તે પ્રમાણે જ્ઞાનનું આવરણ જ્ઞાનના સ્વરૂપને આવરણ કરનાર છે તેમ માનીએ તો જ્ઞાનનું સ્વરૂપ આવૃત્ત થઈ જાય અને જ્ઞાનના આવરણથી જ્ઞાનનું સ્વરૂપ આવૃત્ત થાય છે તેમ માનીએ તો પુરુષને અચૈતન્ય માનવાનો પ્રસંગ આવે.
વસ્તુતઃ પુરુષમાં રહેવું જ્ઞાન શેયનો બોધ કરે છે, તે બોધ કરવામાં જ્ઞાનનું આવારક કર્મ જ્ઞાનશક્તિને કુંઠિત કરે છે, તેથી પુરુષની વિદ્યમાન જ્ઞાનશક્તિ કેટલાક શેયોનું જ્ઞાન કરી શકતી નથી, તેમ માનવું ઉચિત છે. જ્ઞાનના અનંતપણામાં ડ્રેયના અનંતપણાનું ધ્રુવપણુંઃ
વળી પાતંજલદર્શનકાર સ્વીકારે છે તે પ્રમાણે જ્ઞાનના આવરણરૂપ મલ દૂર થાય તો જ્ઞાન અનંત બને અને તેમ સ્વીકારીએ તો જ્ઞાનના વિષયભૂત જ્ઞયને પણ અનંત માનવું જોઈએ; કેમ કે જ્ઞાનના આવારક કર્મોએ જ્ઞાનશક્તિને અવરુદ્ધ કરેલ, તેથી સર્વજ્ઞયનું જ્ઞાન થતું ન હતું અને આવરણના અપગમથી જ્ઞાન અનંત બને તો તે જ્ઞાનનો વિષય ય પણ અનંત છે તેમ માનવું જોઈએ.
અહીં પ્રશ્ન થાય કે આવરણના અપગમથી જ્ઞાન અનંત થયું તેમ સ્વીકારીએ અને શેય અનંત નથી તેમ સ્વીકારીએ તો શું વાંધો છે ? તેથી કહે છે – જ્ઞાનના આનન્યમાં શેયના આનન્યનું ધ્રુવપણું છે એમ જે કહેવાયું તે સુકત છે તેમાં યુક્તિ:
આત્મરૂપ જ્ઞાન અને પરરૂપ એવું જોય એ બે વચ્ચે કર્ત-કર્મભાવ છે, તેથી કર્મ વગર-જ્ઞાનના વિષયભૂત એવા શેયરૂપ કર્મ વગર, જ્ઞાન છે એમ કહી શકાય નહીં, આ પ્રકારનો કર્તૃ-કર્મભાવ યાવત્ સ્થાનમાં છે, તેથી જ્યાં જ્યાં જ્ઞાન છે, ત્યાં ત્યાં તે જ્ઞાનના વિષયભૂત કર્મ=mયરૂપ કર્મ, અવશ્ય જોઈએ અને તેમ સ્વીકારીએ તો જ્ઞાન અનંત હોય તો તેના વિષયભૂત જોય પણ અનંત હોય અને જો જ્ઞાનના વિષયભૂત શેય પરિમિત હોય તો તે જ્ઞાન પણ પરિમિત બને.
અહીં વિશેષ એ છે કે જેમ બાહ્ય એવા શેય ઘટ-પટાદિરૂપ અનેક છે તેમ પુરુષમાં રહેલું જ્ઞાન અનેક નથી, પરંતુ પુરુષનું સ્વરૂપ હોવાથી તે એક છે, આમ છતાં તે જ્ઞાનના વિષયો અનેક છે, તેથી તે અનેક વિષયવાળું જ્ઞાન હોવાથી જ્ઞાન અનેક કહેવાય છે અને તેમ સ્વીકારીને જ્ઞાનને અનંત સ્વીકારવું હોય તો મને અનંત સ્વીકારવું જોઈએ માટે પાતંજલદર્શનકાર જે કહે છે કે જ્ઞાન અનંત હોવાથી તેના વિષયભૂત શેય અલ્પ છે તે કથન તેઓનું અસંગત છે.
Page #228
--------------------------------------------------------------------------
________________
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કેવલ્યપાદ | સૂત્ર-૩૧
૧૯૯
અવતરણિકા :
તત: નિમિત્યંત મીઠું – અવતરણિતાર્થ :
ત્યારપછી શું થાય છે ?) એથી કહે છે – ભાવાર્થ :
પાતંજલ યોગસૂત્ર ૪-૨૯માં કહ્યું કે ધર્મમઘસમાધિથી ક્લેશો અને કર્મોની નિવૃત્તિ થાય છે અને ૪-૩૦માં કહ્યું કે ધર્મને સમાધિથી ક્લેશો અને કર્મોની નિવૃત્તિ થાય છે ત્યારે સર્વ આવરણરૂપ મલ દૂર થવાથી જ્ઞાન અનંત થાય છે, ત્યારપછી તે ધર્મમઘસમાધિથી શું થાય છે ? તે પતંજલિઋષિ બતાવે છે.
સૂત્ર :
ततः कृतार्थानां परिणामक्रमसमाप्तिर्गुणानाम् ॥४-३१॥
સૂત્રાર્થ :
ત્યારપછી ધર્મમેઘસમાધિથી જ્ઞાન અનંત પ્રાપ્ત થાય છે ત્યારપછી, કૃતાર્થ થયેલા ગુણોના પરિણામ ક્રમની સમાપ્તિ થાય છે. Il૪-૩૧II ટીકા :
'तत इति'-कृतो-निष्पादितो, भोगापवर्गलक्षणः पुरुषार्थः प्रयोजनं, यैस्ते कृतार्था गुणाः सत्त्वरजस्तमांसि, तेषां परिणाम आपुरुषार्थसमाप्तेरानुलोम्येन प्रातिलोभ्येन चाङ्गाङ्गिभावैः स्थितिलक्षणस्तस्य योऽसौ क्रमो वक्ष्यमाणस्तस्य परिसमाप्तिर्निष्ठा न पुनरुद्भव રૂત્યર્થ: In૪-રૂા. ટીકાર્ય :
વૃત: .... રૂત્યર્થ: ભોગ, અપવર્ગસ્વરૂપ પુરુષાર્થ પ્રયોજન, જેમના વડે કરાયોનિષ્પાદિત કરાયો, તે સત્ત્વ, રજસ્ અને તમસ્ સ્વરૂપ ગુણો કૃતાર્થ છે. તેઓનો પુરુષાર્થ સમાપ્તિ સુધી આનુલોમથી અને પ્રાતિલોમ્યથી અંગાંગિભાવ વર્ડ સ્થિતિસ્વરૂપ પરિણામ, તેનો જે આ વફ્યુમાણઆગળમાં કહેવાશે એ, ક્રમ તેની પરિસમાપ્તિ-નિષ્ઠા છે, પરંતુ ફરી ઉભવ ઉત્પત્તિ નથી. એ પ્રકારનો અર્થ છે. ૪-૩૧/l.
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૦૦
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૩૧-૩૨
ભાવાર્થ :
ધર્મમેઘસમાધિથી જ્ઞાન અનંત પ્રાપ્ત થયા પછી કૃતાર્થ થયેલા ગુણોના પરિણામક્રમની સમાપ્તિઃ
પાતંજલદર્શનની પ્રક્રિયાનુસાર યોગીને સાધનાની ચમભૂમિકામાં ધર્મને સમાધિ પ્રગટે છે અને તેનાથી સર્વઆવરણરૂપ મલરહિત જ્ઞાન થાય છે, અને તે જ્ઞાન આકાશની જેમ અનંત છે. ધર્મમેઘસમાધિથી આવું જ્ઞાન થયા પછી પ્રકૃતિના જે સત્ત્વ, રજસ્ અને તમન્ ગુણો છે તે પુરુષને આશ્રયીને કૃતાર્થ બને છે; કેમ કે પુરુષ માટે પ્રકૃતિએ ભોગ અને અપવર્ગરૂપ બંને પ્રયોજનો નિષ્પાદન કર્યા છે, તેથી પ્રકૃતિના ગુણોના પરિણામના ક્રમની સમાપ્તિ થાય છે અર્થાત્ અનુલોમપણાથી અને પ્રતિલોમપણાથી અંગાંગિભાવરૂપે રહેવા સ્વરૂપ પ્રકૃતિનો જે પુરુષાર્થની સમાપ્તિ સુધી પરિણામ છે તે પરિણામનો ક્રમ સમાપ્ત થાય છે.
આનાથી એ પ્રાપ્ત થાય છે કે પ્રકૃતિમાંથી બુદ્ધિ ઉત્પન્ન થયેલી અને તે બુદ્ધિમાં પુરુષનું જે પ્રતિબિંબ પડેલું તે પુરુષને આશ્રયીને તે પ્રકૃતિ અનુલોમપરિણામથી બુદ્ધિ અહંકારાદિ તત્ત્વોને ઉત્પન્ન કરીને પુરુષના ભોગનું સંપાદન કરતી હતી, જયારે યોગી સાધના માટે પ્રવૃત્તિ કરે છે ત્યારે પ્રકૃતિમાંથી અનુલોમના ક્રમથી ઉત્પન્ન થયેલા સર્વ ભાવો ક્રમસર પ્રતિલોમરૂપે પ્રકૃતિમાં વિશ્રાંત થવા માંડે છે. આ રીતે અનુલોમથી અને પ્રતિલોમથી અંગાંગિભાવરૂપે જે પરિણામની સ્થિતિ છે તે સત્ત્વ, રજસ અને તમસૂ ગુણોનો પરિણામ છે અને આ ગુણોનો પરિણામ પૂર્વે ક્રમસર ભોગનિષ્પત્તિ અર્થે થતો હતો, પછી ક્રમસર અપવર્ગ સંપાદન માટે થતો હતો તે ક્રમની પરિસમાપ્તિ થાય છે, કેમ કે હવે પ્રકૃતિ તે પુરુષને આશ્રયીને કૃતાર્થ થયેલી છે, તેથી ફરી તે પુરુષને આશ્રયીને પ્રકૃતિનો કોઈ પ્રકારનો પરિણામ થતો નથી.
આનાથી એ પ્રાપ્ત થાય છે કે ધર્મમેઘસમાધિથી તે પુરુષને આશ્રયીને કૃતાર્થ થયેલા પ્રકૃતિના ગુણો થવાથી તે પ્રકૃતિના ગુણો ફરી કોઈ કાર્ય કરતાં નથી, તેથી તે પુરુષને પ્રકૃતિકૃત કોઈ ઉપદ્રવની પ્રાપ્તિ થતી નથી, પરંતુ મોક્ષની પ્રાપ્તિ થાય છે. ll૪-૩૧ અવતરણિકા:
क्रमस्योक्तस्य लक्षणमाह - અવતરણિકાર્ય :
કહેવાયેલા ક્રમનું લક્ષણ કહે છે – ભાવાર્થ :
પાતંજલયોગસૂત્ર ૪-૩૧માં કહ્યું કે કૃતાર્થ એવા ગુણોના પરિણામના ક્રમની સમાપ્તિ થાય છે, તેથી જિજ્ઞાસા થાય છે પરિણામનો ક્રમ શું છે? તેથી ક્રમના લક્ષણને કહે છે.
Page #230
--------------------------------------------------------------------------
________________
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કેવલ્યપાદ | સૂત્ર-૩૨
૨૦૧
સૂત્ર :
क्षणप्रतियोगी परिणामापरान्तनिर्ग्राह्यः क्रमः ॥४-३२॥ સૂત્રાર્થ :
પરિણામના અપરાંતથી નિર્વાહ્ય ક્ષણપ્રતિયોગી ક્રમ છે. ll૪-1શા ટીકા :
'क्षणेति'-क्षणोऽल्पीयान्कालस्तस्य योऽसौ प्रतियोगी क्षणविलक्षणः परिणामापरान्तनिर्ग्राह्योऽनुभूतेषु क्षणेषु पश्चात् सङ्कलनबुद्ध्यैव यो गृह्यते स क्षणानां क्रम उच्यते, न
ह्यननुभूतेषु क्षणेषु क्रमः परिज्ञातुं शक्यः ॥४-३२॥ ટીકાર્ય :
ક્ષ: .... નિ., અલ્પીયકાળ ક્ષણ છે, તેનો જે આ પ્રતિયોગી ક્રમ છે તે ક્ષણવિલક્ષણ પરિણામ છે પૂર્વેક્ષણ કરતાં ઉત્તરની ક્ષણરૂપ વિલક્ષણ પરિણામ છે. તે વિલક્ષણ પરિણામરૂપ ક્રમ, પરિણામના અપરાંતથી નિર્વાહા છે અર્થાત્ પૂર્વના પરિણામ પછી જે અંતિમ પરિણામ થાય છે, તેનાથી ગ્રહણ થઈ શકે તેવો છે.
ક્ષણનો પ્રતિયોગી એવો ક્રમ પરિણામના અપરાંતથી નિર્વાહ્ય કેમ છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે –
મનુભૂપુ.... શક્ય: II અનુભૂત થયેલી ક્ષણમાં કોઈ પુરુષે માટીમાંથી ઘડો થતાં જોયેલો હોય અને તે પુરુષે માટીની પિંડઅવસ્થા, સ્વાસઅવસ્થા, કોશઅવસ્થા વગેરે અનુભૂત ક્ષણો છે તેમાં પાછળથી સંક્લન બુદ્ધિ વડે તે સર્વ અનુભવો પછી આ માટીની પિંડ આદિ અનેક ક્ષણો છે એ પ્રકારની સંક્લન બુદ્ધિ વડે જ, જે ગ્રહણ થાય છે તે ક્ષણોનો ક્રમ કહેવાય છે, જે કારણથી અનુભૂત ક્ષણોમાં કોઈ પદાર્થની અનેક ક્ષણોનો કોઈ પુરુષ અનુભવ કર્યો ન હોય તેવી ક્ષણોમાં, ક્રમનું પરિજ્ઞાન કરવા માટે શક્ય નથી, માટે પરિણામના અપરાંતથી નિર્વાહ્ય ક્રમ છે. ll૪-૩૨ી. ભાવાર્થ :
પાતંજલયોગસૂત્ર ૪-૩૧માં કહ્યું કે કૃતાર્થ એવા ગુણોના પરિણામના ક્રમની સમાપ્તિ થાય છે. ત્યાં ક્રમ શબ્દથી વાચ્ય ક્રમસર થતાં ક્ષણોના પરિણામોનું ગ્રહણ છે. જેમ - માટીમાંથી ઘડો થાય છે ત્યારે માટીની પ્રથમ પિંડઅવસ્થા હોય છે, પછી સ્થાસ, કોશ, કુસુલ આદિના ક્રમથી અંતિમ ઘટઅવસ્થા પ્રાપ્ત થાય છે. જે પુરુષે માટીની આ સર્વ અવસ્થા પ્રત્યક્ષ જોઈને અનુભવ કરેલી હોય તે અનુભૂત ક્ષણોમાં પાછળથી સંકલન બુદ્ધિ દ્વારા અર્થાત્ આ પ્રથમ અવસ્થા છે, આ બીજી અવસ્થા છે, ઇત્યાદિ સંકલન બુદ્ધિ દ્વારા જે ગ્રહણ થાય છે, તે ક્ષણોનો ક્રમ કહેવાય છે અને કોઈ પદાર્થમાં ક્રમસર અનેક ભાવો થયેલાં હોય છતાં તેની પ્રતિક્ષણની અવસ્થા જે પુરુષને જ્ઞાત ન હોય તેવી ક્ષણોમાં ક્રમને તે પુરુષ જાણી શકતો નથી.
Page #231
--------------------------------------------------------------------------
________________
૨૦૨ પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૩૨ / સૂત્ર-૩૨ની ઉપા. મ.સા.ની ટિપ્પણી
આનાથી એ ફલિત થાય છે કે ક્ષણોનો ક્રમ તે પરિણામના અપરાંતવાળા પરિણામથી નિર્વાહ્ય છે. જેમ - માટીના પિંડપરિણામના અપરાંતવાળો ઘટ પરિણામ છે, તેનાથી માટીમાં વર્તતા પિંડાદિ પરિણામોના ક્રમનું ગ્રહણ થાય છે.
વળી આ ક્રમ ક્ષણપ્રતિયોગી છે, તેમ કહેવાથી એ પ્રાપ્ત થાય છે કે વીરભગવાનની પ્રતિમાને વીરપ્રતિયોગી પ્રતિમા કહેવાય છે, તેમ પ્રથમ ક્ષણની ઉત્તરમાં જે વિલક્ષણ ક્ષણ થાય છે, તેની સાથે સંબંધવાળી પ્રથમની ક્ષણ છે, તેથી ક્ષણોનો ક્રમ એ ક્ષણપ્રતિયોગી છે, માટે જેમ વી૨પ્રતિયોગી મૂર્તિ એ વીરસંબંધી મૂર્તિ કહેવાય છે, તે રીતે ક્ષણપ્રતિયોગી ક્રમ એટલે ક્ષણસંબંધી ક્રમ એ પ્રમાણે ફલિત થાય છે=કહેવાય છે. II૪-૩૨ા
પાતંજલયોગસૂત્ર ૪-૩૨ ઉપર પૂજ્ય ઉપાધ્યાય યશોવિજય મહારાજ સાહેબની ટિપ્પણરૂપ વ્યાખ્યા [य.] व्याख्या-सर्वत्र द्रव्यतयाऽक्रमस्य पर्यायतया च क्रमस्यानुभवात् क्रमाक्रमानुविद्धत्रैलक्षण्यस्यैव सुलक्षणत्वात् कूटस्थनित्यतायां मानाभावः पर्याये च स्थितिचातुविध्याद्वैचित्र्यमिति प्रवचनरहस्यमेव सयुक्तिकमिति तु श्रद्धेयम् ॥
અર્થ:
"
સર્વત્ર-સર્વ પદાર્થોમાં દ્રવ્યપણાથી અક્રમનો અને પર્યાયપણાથી ક્રમનો અનુભવ હોવાને કારણે ક્રમ, અમથી અનુવિદ્વ ઐલક્ષણ્યનું સુલક્ષણપણું હોવાથી=પર્યાયાર્થિકપણાથી ક્રમ અનુવિદ્ધ અને દ્રવ્યાર્થિકપણાથી અમઅનુવિદ્ધ એવા ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યરૂપ ત્રૈલક્ષણ્યનું સુલક્ષણપણું હોવાથી, કૂટસ્થનિત્યપણામાં=પુરુષને પાતંજલદર્શનકાર કૂટસ્થનિત્ય માને છે તેમાં, માનાભાવ છે=પ્રમાણનો અભાવ છે અર્થાત્ કોઈ પ્રમાણ નથી, અને પર્યાયમાં સ્થિતિના ચાતુર્વિધ્યથી વૈચિત્ર્ય છે એ પ્રમાણે-પદાર્થ ત્રિલક્ષણરૂપ છે કોઈ પદાર્થ કૂટસ્થ નિત્ય નથી અને પર્યાયમાં સ્થિતિના ચતુર્વિધપણાના કારણે વિચિત્રપણું છે એ પ્રમાણે, પ્રવચનનું રહસ્ય જૈન શાસનના તત્ત્વો જ, સયુક્તિક છે=યુક્તિ યુક્ત છે, એ પ્રમાણે વળી શ્રદ્ધા કરવી જોઈએ.
ભાવાર્થ:
સર્વ પદાર્થોના દ્રવ્યપણાથી અક્રમનો અને પર્યાયપણાથી ક્રમનો અનુભવ હોવાને કારણે ક્રમઅક્રમથી અનુવિદ્ધ ઉત્પાદ-વ્યય અને ધૌવ્યરૂપ ત્રૈલક્ષણ્યનું સુલક્ષણપણું હોવાથી પુરુષના ફૂટસ્થનિત્યપણામાં માનાભાવ :
જગતવર્તી સર્વ પદાર્થોને જિનવચનાનુસાર યુક્તિથી અને અનુભવથી જોવામાં આવે તો સર્વ પદાર્થો દ્રવ્યપણારૂપે અવસ્થિત છે, તેથી તેમાં કોઈ ક્રમ નથી, પરંતુ સદા એકસ્વરૂપે દેખાય છે. જેમ - પુદ્ગલદ્રવ્ય તે તે રૂપે પરિણમન પામતું પ્રત્યક્ષથી દેખાય છે, તોપણ તે પુદ્ગલો તે તે પર્યાયથી અન્ય અન્યરૂપે પરિણમન પામતા હોવા છતાં દ્રવ્યરૂપે સદા તે પુદ્ગલરૂપે અવસ્થિત છે, માટે દ્રવ્યને જોનારી દૃષ્ટિથી પદાર્થમાં કોઈ ક્રમ નથી.
Page #232
--------------------------------------------------------------------------
________________
૨૦૩
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૩૨ની ઉપા. મ.સા.ની ટિપ્પણી
વળી પર્યાયની દૃષ્ટિથી સર્વ પદાર્થમાં કમનો અનુભવ છે. જેમ પુદ્ગલદ્રવ્યમાં પ્રતિક્ષણ નવા નવા પર્યાય થતાં પ્રત્યક્ષથી દેખાય છે, આથી જ પિંડઅવસ્થાને પામેલું માટીદ્રવ્ય ક્રમસર સ્થાસ, કોશ આદિ અવસ્થાને પામતું પ્રત્યક્ષથી દેખાય છે.
આપણો પોતાનો આત્મા પણ દ્રવ્યરૂપે અવસ્થિત દેખાય છે, તોપણ બાળ, યુવા વગેરે પર્યાયરૂપે ક્રમસર પરિણમન પામતો દેખાય છે. તેથી એ ફલિત થાય છે કે દેખાતાં સર્વ પદાર્થો ક્રમથી અને અક્રમથી અનુવિદ્ધ એવા ત્રિલક્ષણવાળાં છે માટે પદાર્થનું ક્રમ-અક્રમથી અનુવિદ્ધ àલક્ષણ્યનું સુલક્ષણપણું છે, આ રીતે જયારે પદાર્થનું ત્રિલક્ષણપણું સુલક્ષણ હોય ત્યારે કોઈ પદાર્થને કૂટસ્થ નિત્ય સ્વીકારી શકાય નહીં, માટે પાતંજલદર્શનકાર આત્માને જે ફૂટસ્થ નિત્ય માને છે. તેમાં કોઈ પ્રમાણ નથી.
પર્યાયમાં સ્થિતિનું ચતુર્વિઘપણું હોવાથી વૈચિત્ર્ય :
વળી પર્યાયમાં પણ સ્થિતિના ચાતુર્વિધ્યને કારણે વૈચિત્ર્ય છે, આથી જ આકાશાદિ કેટલાક દ્રવ્યોનો પરિણામ પ્રતિક્ષણ પરિણામાંતર થાય છે તો પણ તે પરિણામાંતર પર્યાય સદા સદશ વર્તે છે, માટે તે પર્યાયની સ્થિતિ અનાદિ અનંત છે. કેટલાક ભાવો અનાદિના છે છતાં સાંત થાય છે. જેમ - આત્માનો સંસારપર્યાય પ્રતિક્ષણ પરાવર્તન થાય છે, તોપણ અનાદિથી તે સંસારપર્યાય સંસારપર્યાયરૂપે રહેલ છે અને જે જીવ મોક્ષ પ્રાપ્ત કરે છે તે જીવનો સંસારપર્યાય અનાદિનો હોવા છતાં સાંત થાય છે માટે તે પર્યાયમાં અનાદિ સાંત સ્થિતિ છે. વળી સંસારી જીવો મુક્ત થાય છે ત્યારે મુક્તપર્યાય તેમાં પ્રગટે છે તે મુક્તપર્યાય પ્રતિક્ષણ સદેશરૂપે પરિણમન પામે છે, પરંતુ ક્યારેય પણ વિદેશ પરિણમન પામતું નથી તેથી તે મુક્ત પર્યાય સાદિ અનંત છે. વળી કેટલાક પર્યાયો પૂર્વમાં હતા નથી અને પાછળથી થાય છે અને તે પર્યાય પણ અમુક કાળ પછી નાશ પામે છે. જેમ – આત્માનો મનુષ્યપર્યાય જન્મ વખતે ઉત્પન્ન થાય છે અને પ્રતિક્ષણ મનુષ્ય, મનુષ્યરૂપે જીવનની સમાપ્તિ સુધી રહે છે, પછી નાશ પામે છે, તેથી મનુષ્યપર્યાય સાદિ સાંત છે, માટે પર્યાયમાં સ્થિતિના ચતુર્વિધપણાથી વિચિત્રપણું છે. આ પ્રકારનું=પદાર્થનું ત્રિલક્ષણપણું છે માટે કૂટસ્થ નિત્યમાં પ્રમાણ નથી અને પર્યાયમાં સ્થિતિનું ચતુર્વિધપણું છે, એ પ્રકારનું પ્રવચનનું રહસ્ય યુક્તિક છે યુક્તિ સંગત છે, એ પ્રમાણે શ્રદ્ધા કરવી જોઈએ. સ્વસમયથી અંકિત પાતંજલયોગસૂત્ર ઉપર વ્યાખ્યારૂપ આ ટિપ્પણ રચવાનું પ્રયોજન :
પાતંજલયોગસૂત્ર ઉપર પૂજ્ય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબે જે જે સૂત્રો ઉપર ટિપ્પણરૂપ વ્યાખ્યા કરી છે તે જૈનદર્શનના શાસ્ત્રની મર્યાદાથી અંકિત છે.
અહીં પ્રશ્ન થાય કે અન્યદર્શનના યોગ ગ્રંથ ઉપર જૈનશાસનની મર્યાદાથી ટિપ્પણી લખવાનું પ્રયોજન શું ? તેથી કહે છે –
Page #233
--------------------------------------------------------------------------
________________
૨૦૪
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૩૨ની ઉપા. મ.સા.ની ટિપ્પણી | સૂત્ર-૩૩ પ્રાજ્ઞપુરુષના બોધ માટે પૂજય ઉપાધ્યાય મહારાજે આ ટિપ્પણી લખેલી છે. તેથી એ ફલિત થાય છે કે કોઈ પ્રાજ્ઞપુરુષ યોગમાર્ગના અર્થી હોય અને પાતંજલદર્શનકારના યોગમાર્ગને કહેનારા પ્રસ્તુત ગ્રંથનું અધ્યયન કરે અને તે પ્રાજ્ઞપુરુષને પતંજલિઋષિએ બતાવેલા યોગમાર્ગમાં ઉચિત વિવેક કરવાનો માર્ગાનુસારી બોધ થાય, તેનાથી પતંજલિઋષિએ તત્ત્વસ્પર્શી જે યોગમાર્ગનું વર્ણન કર્યું છે. તેને ગ્રહણ કરે અને ભગવાનના પ્રવચનના અજ્ઞાનને કારણે જે કાંઈ સ્વદર્શનની પ્રક્રિયા અનુસાર એકાંતનો અસંબદ્ધપ્રલાપ કરે છે તે પણ યુક્તિ અનુસાર જાણીને તેનો ત્યાગ કરે અને શુદ્ધયોગમાર્ગને પામીને તે પ્રાજ્ઞપુરુષ સર્વજ્ઞના વચનાનુસાર યોગમાર્ગના રહસ્યોને સેવીને આત્મહિત સાધી શકે તે માટે પૂજય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે યત્ન કરેલ છે પરંતુ પરદર્શન પ્રત્યે દ્વેષ અને સ્વદર્શન પ્રત્યેના રાગથી પૂજ્ય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજે યત્ન કરેલ નથી એ પ્રમાણે સૂચિત થાય
બ્લોક :
अयं पातञ्जलस्यार्थः किञ्चित्स्वसमयाङ्कितः ।
दर्शितः प्राज्ञबोधाय यशोविजयवाचकैः ॥१॥ બ્લોકાર્થ :
પાતંજલનોપાતંજલયોગસૂત્રોનો, આ અર્થ કાંઈક સ્વસમયથી અંકિત=સ્વસિદ્ધાંતથી યુક્ત, યશોવિજયવાચક વડે પ્રાજ્ઞપુરુષના બોધ માટે બતાવાયો છે. [૧] અવતરણિકા:
इदानीं फलभूतस्य कैवल्यस्यासाधारणं स्वरूपमाह - અવતરણિકાર્ય :
યોગમાર્ગના ચાર પાદોનું વર્ણન કર્યા પછી હવે પાતંલદર્શનકાર યોગમાર્ગના સેવનના ફળભૂત એવા કૈવલ્યનું અસાધારણ સ્વરૂપ કહે છે –
સૂત્ર :
पुरुषार्थशून्यानां गुणानां प्रतिप्रसवः कैवल्यं स्वरूपप्रतिष्ठा वा चितिशक्तिरिति I૪-૩રૂા સૂત્રાર્થ : - પુરષાર્થશૂન્ય એવા ગુણોનો પ્રતિપ્રસવ કૈવલ્ય છે અથવા સ્વરૂપ પ્રતિષ્ઠાવાળી ચિતિશક્તિ કેવલ્ય છે.
Page #234
--------------------------------------------------------------------------
________________
૨૦૫
पातलयोगसूत्र भाग-२ | पत्यपाE | सूत्र-33
* अथवा स्वरूपप्रतिष्ठा वा चितिशक्तेरिति मा ५४iतर मु४५ थितिशस्तिनी १३५प्रतिडावल्य छ એ પ્રમાણે અર્થ જાણવો. ___ इति श६ ग्रंथनी समाप्ति मर्थ छ. ॥४-33|| टी :
'पुरुषार्थेति'-समाप्तभोगापवर्गलक्षणपुरुषार्थानां गुणानां यः प्रतिप्रसवः-प्रतिलोमस्य परिणामस्य समाप्तौ विकारानुद्भवः, यदि वा चितिशक्तेर्वृत्तिसारूप्यनिवृत्तौ स्वरूपमात्रेऽवस्थानं तत्कैवल्यमुच्यते, न केवलमस्मद्दर्शने क्षेत्रज्ञः कैवल्यावस्थायामेवंविधश्चिद्रूपो यावद्दर्शनान्तरेष्वपि विमृष्यमाण एवंरूपोऽवतिष्ठते । तथाहि-संसारदशायामात्मा कर्तृत्वभोक्तृत्वानुसन्धातृत्वमयः प्रतीयतेऽन्यथा यद्ययमेकः क्षेत्रज्ञस्तथाविधो न स्यात्तदा ज्ञानक्षणानामेव पूर्वापरानुसन्धातृशून्यानामात्मभावे नियतः कर्मफलसम्बन्धो न स्यात् कृतहानाकृताभ्यागमप्रसङ्गश्च, यदि येनैव शास्त्रोपदिष्टमनुष्ठितं कर्म तस्यैव भोक्तृत्वं भवेत् तदा हिताहितप्राप्तिपरिहाराय सर्वस्य प्रवृत्तिर्घटेत, सर्वस्यैव व्यवहारस्य हानोपादानलक्षणस्यानुसन्धानेनैव प्राप्तत्वात्, ज्ञानक्षणानां परस्परभेदेनानुसन्धानशून्यत्वात्तदनुसन्धानाभावे कस्यचिदपि व्यवहारस्यानुपपत्तेः कर्ता भोक्ताऽनुसन्धाता यः स आत्मेति व्यवस्थाप्यते, मोक्षदशायां तु सकलग्राह्यग्राहकलक्षणव्यवहाराभावाच्चैतन्यमात्रमेव तस्यावशिष्यते, तच्चैतन्यं चितिमात्रत्वेनैवोपपद्यते न पुनरात्मसंवेदनेन, यस्माद्विषयग्रहणसमर्थत्वमेव चिते रूपं नाऽत्मग्राहकत्वम् । तथाहि-अर्थश्चित्या गृह्यमाणोऽयमिति गृह्यते स्वरूपं गृह्यमाणमहमिति न पुनर्युगपद् बहिर्मुखतान्तर्मुखतालक्षणव्यापारद्वयं परस्परविरुद्ध कर्तुं शक्यम्, अतः (एवम्) एकस्मिन् समये व्यापारद्वयस्य कर्तुमशक्यत्वाच्चिद्रूपतैवावशिष्यते, अतो मोक्षावस्थायां निवृत्ताधिकारेषु गुणेषु चिन्मात्ररूप एवाऽऽत्माऽवतिष्ठत इत्येव युक्तम्, संसारदशायां त्वेवंभूतस्यैव कर्तृत्वं भोक्तृत्वमनुसन्धातृत्वं च सर्वमुपपद्यते । तथाहि-योऽयं प्रकृत्या सहानादिर्नैसर्गिकोऽस्य भोग्यभोक्तृत्वलक्षणः सम्बन्धोऽविवेकख्यातिमूलस्तस्मिन् सति पुरुषार्थकर्तव्यतारूपशक्तिद्वयसद्भावे या महदादिभावेन परिणतिस्तस्यां संयोगे सति यदात्मनोऽधिष्ठातृत्वं चिच्छायासमर्पणसामर्थ्य बुद्धिसत्त्वस्य च सङ्क्रान्तचिच्छायाग्रहणसामर्थ्यं चिदवष्टब्धायाश्च बुद्धेर्योऽयं कर्तृत्वभोक्तृत्वाध्यवसायस्तत एव सर्वस्यानुसन्धानपूर्वकस्य व्यवहारस्य निष्पत्तेः किमन्यैः फल्गुभिः कल्पनाजल्पैः । ___ यदि पुनरेवंभूतमार्गव्यतिरेकेण पारमार्थिकमात्मनः कर्तृत्वाद्यङ्गीक्रियेत तदाऽस्य परिणामित्वप्रसङ्गः परिणामित्वाच्चानित्यत्वे तस्याऽऽत्मत्वमेव न स्यात्, न होकस्मिन्नेव समय एकेनैव रूपेण परस्परविरुद्धावस्थानुभवः सम्भवति, तथाहि-यस्यामवस्थाया
Page #235
--------------------------------------------------------------------------
________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૩૩ मात्मसमवेते सुखे समुत्पन्ने तस्यानुभवितृत्वं न तस्यामेवावस्थायां दुःखानुभवितृत्वम्, अतोऽवस्थानां नानात्वात् तदभिन्नस्यावस्थावतोऽपि नानात्वं, नानात्वेन च परिणामित्वान्नाऽऽत्मत्वम्, नापि नित्यत्वम्, अत एव शान्तब्रह्मवादिभिः साङ्ख्यैरात्मनः सदैव संसारदशायां मोक्षदशायां चैकरूपत्वमङ्गीक्रियते ।
૨૦૬
ટીકાર્ય :
समाप्त . ૩તે, સમાપ્ત કર્યા છે ભોગ અને અપવર્ગસ્વરૂપ પુરુષનાં અર્થ જેને એવા ગુણોનો જે પ્રતિપ્રસવ=પ્રતિલોમપરિણામની સમાપ્તિમાં વિકારનો અનુભવ, કૈવલ્ય છે એમ અન્વય છે અથવા ચિતશક્તિની વૃત્તિના સારુષ્યની નિવૃત્તિ થયે છતે અર્થાત્ ચિતિશક્તિ બુદ્ધિમાં પ્રતિબિંબ થવાના કારણે બુદ્ધિમાં ઉત્પન્ન થતું બુદ્ધિનું સારુપ્ય ચિતિશક્તિમાં છે તે પ્રકારના વ્યવહાર થાય છે તેની નિવૃત્તિ થયે છતે, સ્વરૂપમાત્રમાં અવસ્થાન=આત્માનું પોતાના સ્વરૂપમાત્રમાં અવસ્થાન, તે કેવલપણું કહેવાય છે અર્થાત્ આત્માનું પ્રકૃતિથી મુક્ત એવું કેવલપણું કહેવાય છે.
-----
ન લેવલમ્ .... અતિતે । શરીરરૂપ ક્ષેત્રના સ્વરૂપને જાણનારો એવો સંસારીજીવ કૈવલ્ય અવસ્થામાં આવા પ્રકારના સ્વરૂપવાળો ચિદ્રૂપ=પ્રસ્તુત સૂત્રમાં બતાવ્યો તેવા સ્વરૂપવાળો ચિદ્રૂપ, કેવલ અમારા દર્શનમાં નથી, યાવદ્ દર્શનાંતરમાં પણ વિચારાતો આવા સ્વરૂપવાળો પ્રાપ્ત થાય છે.
અન્ય દર્શનોમાં પણ ક્ષેત્રજ્ઞ આવા સ્વરૂપવાળો પ્રાપ્ત થાય છે તે તથાર્ત્તિથી બતાવે છે
તેમાં પ્રથમ બૌદ્ધદર્શનની માન્યતાને સામે રાખીને ક્ષેત્રજ્ઞ આવા સ્વરૂપવાળો સ્વીકારવો જોઈએ તે બતાવે છે –
તથાહિ – તે આ પ્રમાણે
સંસાર વાયામ્..... અભ્યાનમપ્રસŞA, સંસારદશામાં આત્મા કર્તૃત્વ, ભોક્તૃત્વ, અનુસંધાતૃત્વમય પ્રતીત થાય છે=હું આ કૃત્યો કરું છું, હું આ ભોગો ભોગવું છું, અને કરાયેલા કર્મોનો હું ભોક્તા છું એ પ્રકારે હું અનુસંધાન કરું છું એ સ્વરૂપે આત્મા પ્રતીત થાય છે.
અન્યથા=સંસારદશામાં આત્મા કર્તૃત્વ, ભોક્તૃત્વ, અનુસંધાતૃત્વમય પ્રતીત થાય છે એમ ન સ્વીકારો અને જો આ એક ક્ષેત્રજ્ઞ તેવા પ્રકારનો ન થાય=ર્તૃત્વ, ભોક્તત્વ અને અનુસંધાતૃત્વમય ન થાય તો પૂર્વ-અપર અનુસંધાતૃશૂન્ય એવી જ્ઞાનક્ષણોનો જ આત્મભાવમાં નિયત કર્મના ફળનો સંબંધ થાય નહીં અર્થાત્ પોતે જે નિયત કૃત્ય ક્યું છે તેના ફળનો સંબંધ થાય નહીં, અને કૃતહાન અને અકૃતઅભ્યાગમનો પ્રસંગ છે માટે સંસારદશામાં આત્મા કર્તૃત્વ, ભોક્તત્વ અને અનુસંધાતૃત્વમય છે એમ સ્વીકારવું જોઈએ, એ પ્રમાણે અધ્યાહાર છે.
વળી સંસારદશામાં આત્માને કર્તા, ભોક્તા અને અનુસંધાતા ન સ્વીકારવામાં આવે તો દેખાતા વ્યવહા૨ની સંગતિ થાય નહીં તે બતાવવા અર્થે કહે છે –
Page #236
--------------------------------------------------------------------------
________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૩૩
૨૦૦ યદ્રિ ......પ્રાતત્વીત્, જો જે પુરુષ વડે જ શાસ્ત્ર ઉપદિષ્ટ કર્મ અનુષ્ઠિત છે, તેનું તે પુરુષનું જ, ભોક્નત્વ થાય તો હિતની પ્રાપ્તિ અને અહિતના પરિવાર માટે સર્વની પ્રવૃત્તિ ઘટે; કેમ કે હાનઉપાદાનસ્વરૂપ સર્વવ્યવહારનું અનુસંધાનથી જે કૃત્ય હું કરું છું એનું ફળ મને મળશે એ પ્રકારના અનુસંધાનથી જ, પ્રાપ્તપણું છે, તેથી જ્ઞાનક્ષણરૂપ આત્મા સ્વીકારી શકાય નહીં, પરંતુ સર્વેક્ષણોમાં અનુગત આત્મા સ્વીકારવો પડે એ પ્રમાણે અધ્યાહાર છે.
વળી જ્ઞાનક્ષણાત્મક આત્મા સ્વીકારીએ તો કોઈ વ્યવહાર સંગત થાય નહીં તેમાં હેતુ કહે છે –
જ્ઞાનક્ષUTનાં ....... વ્યવસ્થાપ્યતે, જ્ઞાનક્ષણોનો પરસ્પર ભેદ હોવાને કારણે અનુસંધાનશૂન્યપણું હોવાથી તેના અનુસંધાનના અભાવમાં=જ કૃત્ય હું કરું એનું ફળ મને મળશે એ પ્રકારના અનુસંધાનના અભાવમાં, કોઈ પણ વ્યવહારની અનુપત્તિ છે-હિતની પ્રાપ્તિ અને અહિતના પરિણારરૂપ કોઈ પણ વ્યવસરની ઉપપત્તિ સંગત થતી નથી માટે જ્ઞાનક્ષણરૂ૫ આત્મા સ્વીકારી શકાય નહીં, પરંતુ અનેક ક્ષણોમાં અનુગત આત્મા સ્વીકારી શકાય અને કર્તા, ભોક્તા અને અનુસંધાતા જે છે તે આત્મા છે એ પ્રકારે વ્યવસ્થાપન કરાય છે.
મોક્ષાથાં ....... માત્મપ્રીત્વમ્ ! વળી મોક્ષદશામાં સક્લ ગ્રાહ્ય-ગ્રાહકસ્વરૂપ વ્યવહારનો અભાવ હોવાથી અર્થાત્ આ ભોગ પદાર્થો મારા માટે ગ્રાહ્યા છે અથવા આ યોગમાર્ગ મારા માટે ગ્રાહ્યા છે અને તેનો હું ગ્રાહક છું એ રૂપ વ્યવહારનો અભાવ હોવાથી, ચૈતન્યમાત્ર જ તેનું આત્માનું, અવશેષ રહે છે. તે ચૈતન્ય મોક્ષમાં રહેલું ચૈતન્ય, ચિતિમાત્રપણાથી ઘટે છે, નહિ કે આત્મસંવેદનથી= આત્મસંવેદનથી ઘટતું નથી, જે કારણથી ચિતિનું વિષયગ્રહણ સમર્થપણું જ સ્વરૂપ છે, આત્મગ્રાહકપણું સ્વરૂપ નથી.
આત્માનું ચૈતન્ય ચિતિમાત્રપણાથી ઉપપન્ન થાય છે, આત્મસંવેદનથી થતું નથી. તે પદાર્થ સ્પષ્ટ કરવા તથઢિથી કહે છે –
તથાદિ - તે આ પ્રમાણે –
૩મર્થfશ્ચત્યા . ૩પપ ચિતિથી ગ્રહણ કરાતો અર્થ ‘આ’ એ પ્રમાણે ગ્રહણ થાય છે, “હું” એ પ્રમાણે ગ્રહણ કરાતું સ્વરૂપ છે-ચિતિથી ગ્રહણ કરાતું સ્વરૂપ છે, વળી એક સાથે પરસ્પર વિરુદ્ધ એવા બહિર્મુખતાસ્વરૂપ અને અંતર્મુખતાસ્વરૂપ વ્યાપાર કરવા માટે શક્ય નથી.
આ રીતે પૂર્વમાં કહ્યું એ રીતે, એક સમયમાં વ્યાપારલયનું અંતર્મુખતા અને બહિર્મુખતારૂપ બે વ્યાપારનું, કરવા માટે અશક્યપણું હોવાથી ચિદ્રુપતા જ અવશેષ રહે છે આત્માની ચિદ્રુપતા જ અવશેષ રહે છે (પરંતુ આત્મસંવેદન થતું નથી.)
આથી=સંસારઅવસ્થામાં આત્માની ચિદ્રુપતા જ રહે છે, આત્મસંવેદન થતું નથી આથી, મોક્ષઅવસ્થામાં નિવૃત્ત અધિકારવાળા ગુણો થયે છતે, ચિન્માત્રરૂપ આત્મા રહે છે. એ પ્રમાણે જ યુક્ત છે.
Page #237
--------------------------------------------------------------------------
________________
૨૦૮
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૩૩ વળી સંસારદશામાં આવા પ્રકારનું પૂર્વમાં વર્ણન કર્યું એવા પ્રકારનું જ, કર્તૃત્વ, ભોફ્તત્વ અને અનુસંધાતૃત્વ સર્વ ઉપપન્ન થાય છે.
તથાદિ - તે આ પ્રમાણે –
વોડ્યું... વાત્પનાનન્દ:, પ્રકૃતિની સાથે આનો આત્માનો, અવિવેકખ્યાતિમૂળ જે આ અનાદિ નૈસર્ગિક એવો ભોગ્ય-ભોક્નત્વસંબંધ છે, તે હોતે છતે પ્રકૃતિ સાથે પુરુષનો ભોગ્ય-ભોક્નત્વસંબંધ હોતે છતે, પુરુષાર્થ કર્તવ્યતારૂપ શક્તિયનો સદુભાવ હોતે છતે પુરુષના પ્રયોજનની કર્તવ્યતારૂપ અનુલોમ અને પ્રતિલોમ રૂ૫ બે શક્તિનો સદ્ભાવ પ્રકૃતિમાં હોતે છતે, જે મહદ્ આદિ ભાવથી પરિણતિ છે પ્રકૃતિની મહદાદિભાવરૂપે પરિણતિ છે, તેનો સંયોગ હોતે છતે પ્રકૃતિનો મહદાદિભાવરૂપે સંયોગ હોતે છતે, આત્માનું ચિછાયાના સમર્પણના સામર્થ્યરૂપ જે અધિષ્ઠાતૃપણું છે અને બુદ્ધિસત્ત્વનું સંક્રાન્ત ચિછાયાના ગ્રહણનું સામર્થ્ય છે-બુદ્ધિમાં સંક્રાંત થયેલ પુરુષની છાયાના ગ્રહણનું સામર્થ્ય છે, અને ચિથી અવષ્ટબ્ધ એવી બુદ્ધિનો પુરુષની ચિછાયાથી યુક્ત એવી બુદ્ધિનો, જે આ કર્તુત્વભોક્નત્વ અધ્યવસાય છે, તેનાથી આત્માનું ચિછાયાનું સમર્પણ અને બુદ્ધિસત્ત્વનું ચિછાયાનું ગ્રહણ અને ચિત્છાયારૂપ બુદ્ધિના કર્તુત્વ-ભોક્નત્વના અધ્યવસાયથી જ, સર્વ અનુસંધાનપૂર્વક્તા મેં આ કૃત્ય કર્યું છે તેનું ફળ મને મળશે એ પ્રકારના અનુસંધાનપૂર્વના, વ્યવહારની નિષ્પત્તિ હોવાથી અન્ય ફલ્ગ કલ્પનાજ૫ વડે શું ? પાતંજલદર્શનકાર સ્વીકારે છે એ પ્રકારના પદાર્થની વ્યવસ્થાને છોડીને પૂર્વ-અપર અનુસંધાનશૂન્ય જ્ઞાનક્ષણો રૂપ જ આત્મા છે ઇત્યાદિ નિરર્થક કલ્પનાના સમૂહ વડે શું ? એ પ્રમાણે રાજમાર્તડ ટીકાકાર કહે છે –
વળી પાતંજલદર્શનકારે પોતાની પ્રક્રિયાનુસાર કેવો આત્મા સ્વીકારીને સંસારદશામાં અને મુકાદશામાં સર્વ વ્યવહાર સંગત થાય છે તે અત્યાર સુધી બતાવ્યું. તેને બદલે સંસારદશામાં આત્માના પારમાર્થિક કર્તુત્વ-ભોસ્તૃત્વાદિ ભાવો સ્વીકારીએ તો શું દોષ આવે છે તે બતાવતાં કહે છે –
પુિન:... નચત્, જો વળી આવા પ્રકારના માર્ગના વ્યતિરેકથી=પ્રકૃતિના કર્તુત્વ-ભોક્નત્વનો આત્મામાં ઉપચાર કરાય છે એવા પ્રકારના માર્ગના ત્યાગથી, આત્માનું પારમાર્થિક કર્તુત્વાદિ સ્વીકાર કરાય તો આના-આત્માના, પરિણામીપણાનો પ્રસંગ છે અને પરિણામીપણું હોવાથી અનિત્યપણામાંs આત્માના અનિત્યપણામાં, તેનું આત્માનું, આત્મપણું જ ન થાય.
આત્માને પરિણામી સ્વીકારીએ તો આત્માનું આત્મપણું કેમ ન થાય ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – - ર દિ સામવતિ, એક જ સમયમાં એક જ રૂપે પરસ્પર વિરુદ્ધ અવસ્થાનો અનુભવ સંભવતો
નથી,
એક જ સમયમાં એક જ સ્વરૂપે પરસ્પર વિરુદ્ધ અવસ્થાનો અનુભવ કેમ સંભવતો નથી? તે તથાદિથી સ્પષ્ટ કરે છે –
Page #238
--------------------------------------------------------------------------
________________
૨૦૯
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | કેવલ્યપાદ | સૂત્ર-૩૩
તથાપ્તિ - તે આ પ્રમાણે –
યસ્યામ્ ... ૩ જિયતે. જે અવસ્થામાં આત્મામાં સમવેત એવું સુખ ઉત્પન્ન થયે છતે તેનું અનુભવીપણું છે તે અવસ્થામાં દુ:ખ અનુભવીપણું નથી, આથી અવસ્થાના નાનાપણાને કારણે આત્માની અવસ્થાના જુદા જુદાપણાને કારણે, તેનાથી અભિન્ન એવા અવસ્થાવાળાનું પણ નાનાપણું-જુદા જુદાપણું, પ્રાપ્ત થાય અને નાનાપણાને કારણે=આત્માના જુદા જુદાપણાને કારણે, પરિણામીપણું હોવાથી આત્મત્વ જ ન થાય, વળી નિત્યપણું પણ ન થાય, આથી જ શાંતબ્રહ્મવાદી એવા સાંખ્યો વડે આત્માનું સદા સંસારઅવસ્થામાં અને મોક્ષઅવસ્થામાં હંમેશા જ, એકરૂપપણું સ્વીકારાય છે. ભાવાર્થ : પાતંજલદર્શનાનુસાર કૈવલ્યરૂપ મુક્તાત્માનું સ્વરૂપ :
સાધના કરીને મુક્ત થયેલો આત્મા કેવલ્યરૂપ છે અર્થાત્ કેવલ એક છે તે કેવો છે ? તેનું સ્વરૂપ બતાવતાં પાતંજલદર્શનકાર કહે છે – પુરુષના કૈવલ્યનું સ્વરૂપ :
પ્રકૃતિ સત્ત્વ, રજસ્ અને તમસગુણવાળી છે અને તે ત્રણે ગુણો પુરુપના ભોગ અને અપવર્ગ સંપાદન અર્થે પ્રવર્તે છે, તેથી સત્ત્વ, રજ અને તમોગુણવાળી પ્રકૃતિ સંસારઅવસ્થામાં પુરુષના ભોગ માટે પ્રયત્ન કરે છે અને યોગી જયારે સાધના કરે છે ત્યારે મોક્ષરૂપ પુરુષના પ્રયોજનને કરે છે. જ્યારે પુરુષના ભોગ અર્થે પ્રકૃતિ પ્રવર્તે છે ત્યારે સત્ત્વ, રજસ અને તમસગુણવાળી પ્રકૃતિનો અનુલોમ પરિણામ વર્તે છે, અને યોગી જયારે મોક્ષ માટે યત્ન કરે છે ત્યારે સત્ત્વ, રજસ અને તમસગુણવાળી પ્રકૃતિનો પ્રતિલોમપરિણામ વર્તે છે, જયારે પ્રતિલોમપરિણામની સમાપ્તિ થાય છે ત્યારે ગુણોના વિકારોનો અનુભવ છે તે પુરુષનું કેવલ્ય છે અથવા પુરુષની ચિશક્તિ છે તેની વૃત્તિના સારુષ્યની નિવૃત્તિ થયે છતે ચિતશક્તિ પોતાના સ્વરૂપમાં અવસ્થાન પામે છે તે કૈવલ્ય છે.
આશય એ છે કે પ્રકૃતિમાંથી બુદ્ધિ ઉત્પન્ન થાય છે, તે બુદ્ધિમાં પુરુષનું પ્રતિબિંબ પડે છે, તેથી તે બુદ્ધિ ચેતના જેવી બને છે અને તે બુદ્ધિમાં પાંચ પ્રકારની વૃત્તિઓ ઉત્પન્ન થાય છે, તે વખતે વ્યુત્થાનદશાવાળા પુરુષમાં વૃત્તિઓનું સારુય ભાસે છે અને યોગી જ્યારે યોગસાધના કરે છે ત્યારે વૃત્તિઓના સારુણ્યની નિવૃત્તિ થાય છે, તેના કારણે બુદ્ધિમાંથી ઉત્પન્ન થયેલા સર્વભાવો પ્રતિલોમપરિણામથી પ્રકૃતિમાં વિશ્રાંત થાય છે ત્યારે પુરુષની ચિશક્તિ પોતાના સ્વરૂપમાં અવસ્થાન પામે છે, પરંતુ બુદ્ધિમાં પ્રતિબિંબિત થતી નથી તે પુરુષનું કેવલપણું છે. સ્વમતની પુષ્ટિ અર્થે પાતંજલદર્શનકારનું કથન:
વળી પાતંજલદર્શનકાર પોતાના મતને દઢ કરવા અર્થે કહે છે કે સંસારઅવસ્થામાં પુરુષ ક્ષેત્રજ્ઞ છે અને ક્ષેત્રજ્ઞ એવો પુરુષ કેવલઅવસ્થામાં અમે કહ્યો એવા સ્વરૂપવાળો કેવલ અમારા દર્શનમાં
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૧૦
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૩૩ નથી પરંતુ સર્વદર્શનોમાં પણ કેવલદશાવાળા પુરુષનું સ્વરૂપ વિચાર કરવામાં આવે તો આવા પ્રકારનો પુરુષ પ્રાપ્ત થાય છે.
કેમ સર્વદર્શનમાં વિચાર કરવાથી તેવા પ્રકારનું પુરુષનું સ્વરૂપ પ્રાપ્ત થાય છે ? તે તથાદિથી બતાવે છે –
સૌ પ્રથમ જ્ઞાનક્ષણસ્વરૂપ આત્માને માનનાર બૌદ્ધદર્શનકારને સંસારઅવસ્થામાં થતાં અનુભવો સંગત થાય નહીં, તેમ બતાવીને તેમને પણ આવા સ્વરૂપવાળા કેવલ આત્મા છે, તેમ સ્વીકારવું જોઈએ તે બતાવતાં રાજમાર્તડવૃત્તિકાર કહે છે – ક્ષેત્રજ્ઞ એવો એક આત્મા કર્તા-ભોક્તા ન હોય તો કૃતતાન અને અકૃતાભ્યાગમનો પ્રસંગ :
સંસારદશામાં દરેક આત્માને પોતે આ ક્રિયાઓ કરે છે, તે ક્રિયાઓનું પોતે ફળ ભોગવે છે, તે પ્રકારનું અનુસંધાન થાય છે, તેથી સંસારીદશામાં આત્મા કર્તુત્વ-ભાતૃત્વ અને અનુસંધાતૃત્વમય પ્રતીત થાય છે. હવે જો તે ક્ષેત્રજ્ઞ એવા પ્રકારનો ન હોય અર્થાત્ કર્તુત્વ-ભોક્નત્વ-અનુસંધાતૃત્વમય ન હોય અને બૌદ્ધમતાનુસાર જ્ઞાનના ક્ષણમય શરીરધારી આત્મા છે તેમ માનવામાં આવે તો દરેક શરીરધારી જીવોને અનુભવાતી જ્ઞાનની ક્ષણો પૂર્વાપરઅનુસંધાનથી શૂન્ય છે, તેમ માનવું પડે. તેથી નિયત કર્મફળનો સંબંધ થાય નહીં અર્થાત્ જે જ્ઞાનની ક્ષણે કૃત્ય કર્યું, તેનાથી ભિન્ન એવી જ્ઞાનની ક્ષણને તેની પૂર્વની જ્ઞાનની ક્ષણે કરેલા કર્મના ફળની પ્રાપ્તિ થાય છે તેમ માનવું પડે, અને તેમ સ્વીકારીએ તો જેણે કૃત્ય કર્યું છે, તે વ્યક્તિ કૃત્યના ફળનો ભોક્તા નથી, અન્ય વ્યક્તિ કૃત્યના ફળનો ભોક્તા છે તેમ સિદ્ધ થાય, તેથી કરાયેલા કર્મોનો નાશ=જે જ્ઞાનની ક્ષણે જે કર્મ કર્યું તેનું તેને ફળ નહીં મળવાથી તેના કર્યો નાશ, અને નહીં કરાયેલા કૃત્યના ફળનું આગમન=જે ઉત્તરની જ્ઞાનની ક્ષણે કાર્ય કર્યું નથી તે ક્ષણને પોતાનાથી નહીં કરાયેલા કૃત્યના ફળનું આગમન, પ્રાપ્ત થાય માટે જ્ઞાનક્ષણરૂપ આત્મા સ્વીકારી શકાય નહીં, તેથી જે પુરુષ શાસ્ત્ર ઉપદિષ્ટ શાસ્ત્રમાં બતાવેલ કર્મ કરે છે, તે પુરુષને તેનું ફળ મળે છે, તેમ માનવામાં આવે તો હિતની પ્રાપ્તિ અને અહિતના પરિવાર માટે સંસારીજીવોની જે પ્રવૃત્તિ છે, તે સર્વ ઘટે. જ્ઞાનક્ષણોને પરસ્પર ભેદ હોવાને કારણે અનુસંધાનશૂન્યપણું હોવાથી અનુસંધાનના અભાવમાં કોઈ પણ વ્યવહારની અનુપપત્તિ :
વળી જ્ઞાનક્ષણરૂપ આત્મા સ્વીકારવામાં આવે તો જ્ઞાનક્ષણોનો પરસ્પરભેદ હોવાને કારણે મેં આ કૃત્ય કર્યું છે, તેનું ફળ હું ભોગવું છું, એ પ્રકારે અનુસંધાને પણ થાય નહીં, માટે જ્ઞાનક્ષણરૂપ આત્મા સ્વીકારી શકાય નહીં, પરંતુ જે કર્તા છે તે ભોક્તા છે અને કર્તા અને ભોક્તાનો જે અનુસંધાતા છે તે આત્મા છે, તે પ્રમાણે વ્યવસ્થાપન થાય છે. મોક્ષદશામાં સકલ ગ્રાહ્ય-ગ્રાહકસ્વરૂપ વ્યવહારનો અભાવ હોવાથી આત્માનું ચેતન્યમાત્ર અવશેષ :
વળી આવો આત્મા મોક્ષદશામાં હોય ત્યારે બધા જ ગ્રાહ્ય-ગ્રાહકલક્ષણ વ્યવહારનો અભાવ થાય
Page #240
--------------------------------------------------------------------------
________________
૨૧૧
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૩૩ છે અર્થાત્ હું આ વિષયોને ગ્રહણ કરું છું અને આ વિષયો મારાથી ગ્રાહ્ય છે, એવો જે વ્યવહાર સંસારદશામાં પ્રવર્તતો હતો તેનો મુક્તદશામાં અભાવ થાય છે, માટે મુક્તદશામાં આત્મા ચૈતન્યમાત્ર રહે છે, તેથી જેવો આત્મા સાંખ્યદર્શનકારે સ્વીકાર્યો છે તેવો આત્મા બૌદ્ધદર્શનકારે પણ સ્વીકારવો જોઈએ. સાંખ્યમત પ્રમાણે ચિતિનું વિષયગ્રહણ સમર્થત્વ સ્વરૂપ, આત્માગ્રાહકત્વ નહિ?
વળી સાંખ્યદર્શનકાર પોતાની માન્યતાનુસાર કહે છે કે આત્માનું ચૈતન્ય ચિતિમાત્રપણાથી ઉપપન્ન થાય છે, પરંતુ આત્માનું પોતાનું સંવેદન આત્માને થતું નથી. તેમાં યુક્તિ બતાવે છે –
ચિતિનું વિષયગ્રહણસમર્થપણું સ્વરૂપ છે, આત્મગ્રાહકવરૂપ સ્વરૂપ નથી. તેથી એ પ્રાપ્ત થાય છે કે સંસારીજીવોમાં રહેતી ચિતિશક્તિ બુદ્ધિમાં પ્રતિબિંબ થાય છે અને તે બુદ્ધિ જે વિષયોને ગ્રહણ કરે છે, તેમાં સંસારીજીવોની ચિતિશક્તિનું સામર્થ્ય છે, પરંતુ પોતાના આત્માના સ્વરૂપનું ગ્રાહકપણું નથી, તેથી ચિતિશક્તિ આત્માને પોતાનું સંવેદન કરાવતી નથી.
ચિતિથી ‘હું' એ પ્રમાણે ગ્રહણ કરાતું સ્વરૂપ કેમ ચિતિશક્તિ પોતાના સ્વરૂપને ગ્રહણ કરી શકતી નથી તે સ્પષ્ટ કરતાં કહે છે – એક સાથે બહિંમુખતાસ્વરૂપ અને અંતર્મુખતાસ્વરૂપ બે વ્યાપારનો પરસ્પર વિરોધ :
એક સાથે બહિર્મુખતા અને અંતર્મુખતાસ્વરૂપ વ્યાપારદ્વય બે વ્યાપાર, વિરુદ્ધ છે. આશય એ છે કે ચિતિશક્તિ જ્યારે બાહ્ય ઘટ-પટાદિને ગ્રહણ કરે છે ત્યારે બહિર્મુખતારૂપ વ્યાપાર વર્તે છે તે વખતે જો ચિતિશક્તિ પોતાના સ્વરૂપનું સંવેદન કરે તો અંતર્મુખતારૂપ વ્યાપાર માનવો પડે અને બહિર્મુખતારૂપ અને અંતર્મુખતારૂપ બે વ્યાપાર પરસ્પર વિરુદ્ધ હોવાના કારણે એક સાથે થઈ શકે નહીં અને સંસારીજીવ બાહ્ય ઘટ-પટાદિ વિષયને ગ્રહણ કરે છે તે પ્રત્યક્ષથી દેખાય છે માટે ચિતિશક્તિ પોતાનું સંવેદન કરતી નથી તેમ માનવું પડે. આ રીતે ચિતિશક્તિને ચૈતન્યમાત્રરૂપે બતાવીને ચિતિશક્તિને આત્મસંવેદન થતું નથી તેમ સ્થાપન કર્યું. હવે તે ચિતિશક્તિ મોક્ષદશામાં કેવી છે અને સંસારદશામાં કેવી છે તે સ્પષ્ટ કરે છે – મોક્ષદશામાં અને સંસારદશામાં વર્તતી ચિતિશક્તિનું સ્વરૂપ :
મોક્ષઅવસ્થામાં નિવૃત્તઅધિકારવાળા ગુણો હોત છતે ચિન્માત્રરૂપ આત્મા રહે છે, તેથી બાહ્ય કોઈ ઘટ-પટાદિ વિષયોનું મોક્ષ અવસ્થામાં ગ્રહણ થતું નથી. વળી સંસારઅવસ્થામાં આત્માને પૂર્વમાં વર્ણન કર્યું એમ કર્તૃત્વ, ભોસ્તૃત્વ અને અનુસંધાતૃત્વ સર્વ ઘટે છે.
સંસારદશામાં કઈ રીતે આત્માને કર્તુત્વાદિ સર્વ ઘટે છે તે સ્પષ્ટ કરતાં કહે છે –
આત્માનો પ્રકૃતિની સાથે અનાદિ નૈસર્ગિક એવો ભોગ્ય-ભોક્નત્વરૂપસંબંધ છે, તે અવિવેકખ્યાતિમૂલક છે; કેમ કે આત્મા કર્તા અને ભોક્તા નથી છતાં આત્માનું પ્રતિબિંબ બુદ્ધિમાં પડે છે, તેથી બુદ્ધિ જે કરે છે અને તેના ફળનો અનુભવ કરે છે, તે સર્વ હું કરું છું, તેવો બોધ આત્માને
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૧૨
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૩૩ થાય છે, તેનું કારણ પ્રકૃતિથી પોતાનો ભેદ છે, તેનું આત્માને અગ્રહણ છે અને આવો ભોગ્યભોક્તત્વસંબંધ વિદ્યમાન હોય ત્યારે પ્રકૃતિમાં પુરુષના પ્રયોજનની કર્તવ્યતારૂપ શક્તિદ્વય વિદ્યમાન હોય છે અર્થાત્ પુરુષનો ભોગસંપાદન કરવો અને પુરુષનો અપવર્ગસંપાદન કરવો એ રૂપ બે શક્તિ વિદ્યમાન હોય છે, તેના કારણે પ્રકૃતિમાંથી બુદ્ધિ આદિ ભાવોની પરિણતિ પ્રગટે છે અને જ્યારે મહદાદિભાવોની પરિણતિ વર્તે છે ત્યારે આત્માનો બુદ્ધિમાં સંયોગ થવાના કારણે આત્માનું પોતાની ચિત્કાયાનું બુદ્ધિને સમર્પણ કરે તેવા સામર્થ્યરૂપ અધિષ્ઠાતૃપણું છે અને બુદ્ધિનું પોતાનામાં સંક્રાંત એવી ચિત્કાયાના ગ્રહણનું સામર્થ્ય છે અને ચિત્ઝાયાની સંક્રાંતિના કારણે બુદ્ધિને ‘આ કૃત્યો હું કરું છું, આ કૃત્યોનું ફળ હું ભોગવું છું', એ પ્રકારનો અધ્યવસાય થાય છે, અને તેના કારણે આ કૃત્ય મેં કરેલું, તેનું ફળ મને મળ્યું એ પ્રકારનું સર્વ પ્રવૃત્તિઓમાં અનુસંધાનપૂર્વક વ્યવહાર સંગત થાય છે માટે આત્મા જ્ઞાનક્ષણરૂપ છે ઇત્યાદિ નિરર્થક કલ્પના કરવી ઉચિત નથી, પરંતુ અનુભવથી દેખાતી વ્યવસ્થાની સંગતિ થાય તે રીતે આત્માનું સ્વરૂપ સ્વીકારવું ઉચિત છે એ પ્રકારનો પાતંજલદર્શનકારનો આશય છે.
વળી પૂર્વમાં પાતંજલદર્શનકારે સ્થાપન કર્યું કે સંસારદશામાં પ્રકૃતિનો કર્તૃત્વ-ભોક્તભાવ છે છતાં પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલી બુદ્ધિમાં આત્માનું પ્રતિબિંબ પડે છે માટે પ્રકૃતિના અને પુરુષના અભેદના જ્ઞાનને કારણે પુરુષને સંસારઅવસ્થામાં કર્તૃત્વ અને ભોક્તત્વની બુદ્ધિ ઉત્પન્ન થાય છે, પરંતુ આત્માનું પારમાર્થિક કતૃત્વાદિ નથી, એ કથનને દઢ કરવા અર્થે કહે છે –
આત્માનું પારમાર્થિક કતૃત્વાદિ સ્વીકાર કરવામાં આત્માના પરિણામીપણાનો પ્રસંગ અને પરિણામીપણું હોવાથી અનિત્યપણામાં આત્માનું આત્મપણું અસંગત :
જો આત્માનું પારમાર્થિક કતૃત્વાદિ સ્વીકારવામાં આવે તો આત્માનું પરિણામીપણું માનવાનો પ્રસંગ આવે; કેમ કે આત્મા જે કાળમાં તે ક્રિયા કરે છે ત્યારે તે ક્રિયાના પરિણામવાળો છે, અન્ય કાળે તે ક્રિયાના ફળને ભોગવે છે ત્યારે તે ફળ ભોગવવાના પરિણામવાળો છે, વળી અન્ય કાળે અન્ય અન્ય ક્રિયા કરે છે ત્યારે તે ક્રિયાને અનુરૂપ અન્ય અન્ય પરિણામવાળો છે તેમ માનવું પડે અને આત્માને પરિણામી માનવામાં આવે તો આત્માને અનિત્ય સ્વીકારવો પડે, અને આત્મા અનિત્ય હોય તો તેનું આત્મત્વ જ રહે નહીં.
કેમ આત્માને પરિણામી અને અનિત્ય સ્વીકારીએ તો આત્મામાં આત્મત્વ રહે નહીં તે સ્પષ્ટ કરવા અર્થે પાતંજલદર્શનકાર યુક્તિ બતાવે છે –
આત્માની અવસ્થાના જુદા જુદાપણાના કારણે તેનાથી અભિન્ન એવા અવસ્થાવાળાનું પણ જુદા જુદાપણું પ્રાપ્ત થતું હોવાના કારણે આત્માનું પરિણામીપણું થવાથી આત્માના આત્મત્વની અસંગતિઃ
એક જ સમયમાં એક જ રૂપથી પરસ્પર વિરુદ્ધ અવસ્થાનો અનુભવ સંભવતો નથી. કેમ સંભવતો નથી ? તે સ્પષ્ટ કરે છે
Page #242
--------------------------------------------------------------------------
________________
૨૧૩
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૩૩
જે અવસ્થામાં આત્મામાં પ્રગટ થયેલ સુખ છે અને તેનો અનુભવ કરનાર આત્મા છે, તે જ અવસ્થામાં દુ:ખનો અનુભવ કરનાર આત્મા હોઈ શકે નહીં, તેથી આત્માને કર્તા-ભોક્તા સ્વીકારીએ તો ભિન્ન ક્ષણોમાં આત્મા સુખનો અનુભવ કરનાર છે અને ભિન્ન ક્ષણોમાં આત્મા દુઃખનો અનુભવ કરનાર છે એમ સિદ્ધ થાય અને આત્માની સુખ-દુઃખાદિ અવસ્થા જુદી સ્વીકારીએ તો તે અવસ્થાવાળા આત્માનું પણ જુદાપણું સિદ્ધ થાય અને આત્માનું ભિન્ન ભિન્ન ક્ષણોમાં જુદાપણું સ્વીકારીએ તો આત્માનું પરિણામીપણું પ્રાપ્ત થાય અને આત્માનું પરિણામીપણું પ્રાપ્ત થાય તો આત્માને સદા એકસ્વરૂપ આત્મપણું રહે નહીં અને આત્માનું નિત્યપણું રહે નહીં, તેથી શાંત બ્રહ્મવાદી એવા સાંખ્યદર્શનકારે આત્માને સદા જ=સંસારદશામાં અને મોક્ષદશામાં હંમેશા જ, એકરૂપ સ્વીકારેલ છે અને તે એકરૂપ છે તેનો સ્વીકાર તો જ થઈ શકે કે બુદ્ધિમાં પ્રતિબિંબ પડતો એવો આત્મા સ્વયં કર્તા કે ભોક્તા નથી પરંતુ આત્માના પ્રતિબિંબવાળી બુદ્ધિ કર્તા અને ભોક્તા છે, ફક્ત બુદ્ધિથી આત્માનો ભેદ છે, તેવા જ્ઞાનના અભાવને કારણે આત્મા કર્તા છે, ભોક્તા છે તેવો ભ્રમ થાય છે. એ પ્રમાણે સાંખ્યદર્શનકાર સ્થાપન કરે છે.
રાજમાર્તડવૃત્તિકારે ટીકામાં કહ્યું કે શાંતબ્રહ્મવાદી એવા સાંખો વડે આત્મા સદા એકરૂપ સ્વીકારાય છે ત્યાં સાંખ્યનું વિશેષણ શાંતબ્રહ્મવાદી બતાવવાથી એ જણાય છે કે, બ્રહ્મસ્વરૂપ આત્મા છે અને તે આત્મા સદા ચિન્માત્રમાં અવસ્થાન હોવાથી શાંત છે, સંસારની પ્રવૃત્તિ કરવારૂપ કોલાહલવાળો નથી, સંસારની પ્રવૃત્તિ કરવારૂપ કોલાહલ કરનાર પ્રકૃતિ છે, તેમ સાંખ્યદર્શનકાર માને છે માટે આત્માને શાંત બ્રહ્મ સ્વીકારનાર સાંખ્યદર્શનકાર છે તેથી તેનું વિશેષણ શાંતબ્રહ્મવાદી આપ્યું છે. ઉત્થાન :
સાંખ્યદર્શનકારે બૌદ્ધદર્શનની માન્યતા યુક્ત નથી એમ સ્થાપન કરીને આત્માનું પારમાર્થિક કર્તૃત્વ, ભોસ્તૃત્વ નથી તેમ યુક્તિથી સ્થાપન કર્યું, અને પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલી બુદ્ધિમાં આત્માનું પ્રતિબિંબ પડે છે તેના કારણે સંસારદશામાં આત્માનું કર્તૃત્વ, ભોસ્તૃત્વ, અનુસંધાતૃમમત્વ પ્રતીત થાય છે, તેમ સ્થાપન કર્યું. હવે વેદાંતવાદીઓ જે પ્રકારે આત્માને સ્વીકારે છે અને સંસારની વ્યવસ્થાની સંગતિ કરે છે, તે યુક્ત નથી તેમ બતાવીને પોતાના દર્શનને અભિમત વ્યવસ્થા સ્વીકારવાથી સંસારદશામાં કર્તૃત્વ, ભોસ્તૃત્વ અને અનુસંધાતૃત્વમય આત્મા પ્રતીત થાય છે, તેની સંગતિ થાય છે તે બતાવવા અર્થે કહે છે –
ટીકા :
ये तु वेदान्तवादिनश्चिदानन्दमयत्वमात्मनो मोक्षे मन्यन्ते तेषां न युक्तः पक्षः, तथाहिआनन्दस्य सुखरूपत्वात् सुखस्य च सदैव संवेद्यमानतयैव प्रतिभासात् संवेद्यमानत्वं च संवेदनव्यतिरेकेणानुपपन्नमिति संवेद्यसंवेदनयोरभ्युपगमादद्वैतहानिः, अथ सुखात्मकत्वमेव तस्योच्येत-तद्विरुद्धधर्माध्यासादनुपपन्नम्, न हि संवेदनं संवेद्यं चैकं भवितुमर्हति,
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૧૪
पiixeयोगसूत्र भाग-२ / पल्यपाE / सूत्र-33 किञ्चाद्वैतवादिभिः कर्मात्मपरमात्मभेदेनाऽऽत्मा द्विविधः स्वीकृतः, इत्थं च तत्र येनैव रूपेण सुखदुःखभोक्तृत्वं कर्मात्मनस्तेनैव रूपेण यदि परमात्मनः स्यात् तदा कर्मात्मवत्परमात्मनः परिणामित्वमविद्यास्वभावत्वं च स्यात्, अथ न तस्य साक्षाद्भोक्तृ त्वं किन्तु तदुपढौकितमुदासीनतयाऽधिष्ठातृत्वेन स्वीकरोति तदाऽस्मद्दर्शनानुप्रवेशः, आनन्दरूपता च पूर्वमेव निराकृता, किञ्चाविद्याऽस्वभावत्वे निःस्वभावत्वात्कर्मात्मनः कः शास्त्राधिकारी ? न तावन्नित्यनिर्मुक्तत्वात्परमात्मा, नापि अविद्याऽस्वभावत्वात्कर्मात्मा, ततश्च सकलशास्त्रवैयर्थ्यप्रसङ्गः, अविद्यामयत्वे च जगतोऽङ्गीक्रियमाणे कस्याविद्येति विचार्यते, न तावत्परमात्मनो नित्यमुक्तत्वाद्विद्यारूपत्वाच्च, कर्मात्मनोऽपि परमार्थतो निःस्वभावतया शशविषाणप्रख्यत्वे कथमविद्यासम्बन्धः । अथोच्यते-एतदेवाविद्याया अविद्यात्वं यदविचारणीयत्वम् । अविचारणीयत्वं नाम, यैव हि विचारेण दिनकरस्पृष्टनीहारवद्विलयमुपयाति साऽविद्येत्युच्यते, मैवं, यद्वस्तु किञ्चित् कार्यं करोति तदवश्यं कुतश्चिद्भिन्नमभिन्नं वा वक्तव्यम्, अविद्यायाश्च संसारलक्षणकार्यकर्तृत्वमवश्यमङ्गीकर्तव्यम्, तस्मिन् सत्यपि यद्यनिर्वाच्यत्वमुच्यते तदा कस्याश्चिदपि वाच्यत्वं न स्यात्, ब्रह्मणोऽप्यवाच्यत्वप्रसक्तिः, तस्मादधिष्ठतृतारूपव्यतिरेकेण नान्यदात्मनो रूपमुपपद्यते, अधिष्ठातृत्वं च चिद्रूपमेव, तद्व्यतिरिक्तस्य धर्मस्य कस्यचित् प्रमाणानुपपत्तेः । टीमार्थ :
ये तु ..... पक्षः, ॐ वजी idवीमो मोक्षमा मात्मानु यिहानभयपएj भाने छ, तमोनो पक्ष युति नथी.
કેમ તેઓનો પક્ષ યુક્ત નથી તે તથાદિથી સ્પષ્ટ કરે છે – तथाहि - ते मा प्रभाए -
आनन्दस्य .... अद्वेतहानिः, माननु सुप३५५j वाथी मने सुमन सा ४ संवेधमानपाथी જ પ્રતિભાસ હોવાના કારણે અને સંવેદ્યમાનપણું સંવેદન વગર અનુપપન્ન છે એથી સંવેદ્ય અને સંવેદન એ બેના સ્વીકારથી અદ્વૈતની હાનિ છે અર્થાત્ મોલમાં સંવેદ્ય એવું સુખ છે અને તે સુખનું સંવેદન આત્માને થાય છે તેમ માનવાથી વેદાંતવાદીઓ બહ્માદ્વૈતને સ્વીકારે છે તેની શનિ છે. ___ अथ ..... उच्येत - अथथी प्रहातवाही 5 तेनुसंवेहन३५ प्रहसन, सुमात्माऽ५५j ४ पाय છે, માટે અદ્વૈતની હાનિ થશે નહીં; કેમ કે સંવેદન પણ સુખરૂપ છે અને સંવેદ્યમાન પણ સુખ છે માટે બ્રહ્માદ્વૈતની હાનિ થશે નહીં એમ અધ્યાહાર છે. તેને પાતંજલદર્શનકાર કહે છે –
तद्विरुद्ध ..... अनुपपन्नम्, त संवेहननु सुमात्मऽपएj विरुद्धधर्मना मध्यासने २५-संवेदनमा સંવેદનત્વ છે અને સંવેદ્યમાં સંવેદ્યત્વ છે એ પ્રકારના વિરુદ્ધ ધર્મના અધ્યાસને કારણે, અનુ૫૫ન્ન છે.
Page #244
--------------------------------------------------------------------------
________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ / સૂત્ર-૩૩
કેમ સંવેદનનુ સુખાત્મકપણું અનુપપન્ન છે ? તે સ્પષ્ટ કરતાં કહે છે અદ્ભૂતિ, સંવેદન અને સંવેદ્ય એક થવા માટે યોગ્ય નથી જ.
7fe.....
વળી વેદાંતીઓ મોક્ષમાં ચિદાનંદમય આત્માને માને છે તે યુક્ત નથી, તે સ્પષ્ટ કરવા માટે ગ્રિંથી અન્ય દોષ આપે છે .
૨૧૫
किञ्च સ્વાત્, વળી અદ્વૈતવાદી એવા વેદાંતીઓ વડે કર્માત્માના અને પરમાત્માના ભેદથી બે પ્રકારનો આત્મા સ્વીકાર કરાયો છે, અને એ રીતે-બ્રહ્માદ્વૈતવાદી વેદાંતીઓ અદ્વૈતને સ્વીકાર્યા પછી સંસારમાં દેખાતા પદાર્થની સંગતિ અર્થે વ્યવહારિક ર્માત્મારૂપ અને મુક્તની સંગતિ અર્થે પરમાત્મારૂપ બ્રહ્મ સ્વીકારે છે એ રીતે, ત્યાં=બે પ્રકારના બ્રહ્મમાં, જે સ્વરૂપે પરિણામિત્વ અને અવિદ્યાસ્વભાવત્વ સ્વરૂપે જ, સુખ-દુ:ખ ભોક્તપણું ર્માત્માનું છે, તે જ સ્વરૂપે=પરિણામિત્વ અને અવિદ્યાસ્વભાવત્વ સ્વરૂપે જ, જો પરમાત્માનું થાય અર્થાત્ પરમાત્માનું સુખ-દુ:ખ ભોક્તપણું થાય તો કર્માત્માની જેમ પરમાત્માનું પરિણામિત્વ અને અવિદ્યાસ્વભાવત્વ થાય.
અર્થે .....
અનુપ્રવેશ:, અથથી રાજ્માર્તંડકાર હે કે તેનું=કર્માત્માનું, સાક્ષાત્ ભોક્તત્વ નથી, પરંતુ ઉદાસીનપણારૂપે બુદ્ધિમાં અધિષ્ઠાતૃપણું હોવાના કારણે-શુદ્ધ બ્રહ્મનું ઉદાસીનપણારૂપે બુદ્ધિમાં અધિષ્ઠાતૃપણું હોવાના કારણે, તેનાથી ઉપઢૌક્તિ એવું ભોક્તત્વ-અવિદ્યાથી સહિત એવું ભોક્તત્વ કર્મરૂપ આત્મા વેદાંતવાદી સ્વીકારે છે તો અમારા દર્શનમાં અનુપ્રવેશ છે=વેદાંતવાદીઓનો સાંખ્યદર્શનમાં અનુપ્રવેશ છે.
અહીં પ્રશ્ન થાય કે વેદાંતવાદીઓ તો બ્રહ્મને સુખરૂપ માને છે ચિન્માત્રરૂપ માનતા નથી, તેથી વેદાંતદર્શનની કઈ માન્યતા સાંખ્યમતાનુસાર થાય ? તેથી કહે છે -
आनन्दरूपता .નિરાતા, અને આનંદરૂપતા=મોક્ષમાં આત્માનું આનંદરૂપપણું, પૂર્વમાં નિરાકૃત કરાયું છે, અર્થાત્ પૂર્વમાં જ હેવાયું છે કે બ્રહ્મને આનંદરૂપ સ્વીકારવામાં આવે તો સંવેદ્ય અને સંવેદનનો સ્વીકાર હોવાથી અદ્વૈતની હાનિ છે, તે કથન દ્વારા બ્રહ્મનું આનંદરૂપપણું નિરાકૃત કરાયું છે.
વળી વેદાંતવાદી કર્માત્મા અને પરમાત્મા એમ બે ભેદ સ્વીકારીને અવિદ્યાને કારણે શુદ્ધ બ્રહ્મની કર્માત્મારૂપે પ્રાપ્તિ છે, તેમ સ્વીકારે છે તેને દોષ આપતાં સાંખ્યદર્શનકાર ગ્નિથી કહે છે -
=
જ્જિ. . શાસ્ત્રાધિારી ? વળી કર્માત્માનું અવિદ્યા અસ્વભાવપણું હોતે છતે નિ:સ્વભાવપણું પ્રાપ્ત થવાને કારણે=ર્માત્માનો ચિન્માત્રરૂપસ્વભાવ કે અવિદ્યારૂપસ્વભાવ બંનેનો અભાવ પ્રાપ્ત થવાને કારણે, કોણ શાસ્ત્રનો અધિકારી થાય ? અર્થાત્ કોઈ થઈ શકે નહીં.
કેમ શાસ્ત્રનો અધિકારી કોઈ થઈ શકે નહીં ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે
-
न तावत् . ... વૈયર્થ્યપ્રમ:, નિત્યનિર્યુક્તપણું હોવાથી પરમાત્મા શાસ્ત્રના અધિકારી નથી, વળી અવિદ્યાનું અસ્વભાવપણું હોવાથી કર્માત્મા શાસ્ત્રના અધિકારી નથી, અને તેથી સક્લશાસ્ત્રના વ્યર્થપણાનો પ્રસંગ આવે.
Page #245
--------------------------------------------------------------------------
________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ / સૂત્ર-૩૩ કર્માત્માને અવિદ્યાના અસ્વભાવરૂપ સ્વીકારવાથી શાસ્ત્રના વ્યર્થપણાનો દોષ વેદાંતવાદીને સાંખ્યદર્શનકારે આપ્યો. ત્યાં વેદાંતવાદી કહે કે જગત્વર્તી કર્માત્મા છે તેઓ અવિદ્યાસ્વભાવવાળા નથી પરંતુ અવિદ્યામય છે માટે તેઓના અવિઘામયત્વના નાશ અર્થે શાસ્ત્રને ઉપયોગી સ્વીકારી શકાશે. તેના નિરાકરણ માટે સાંખ્યદર્શનકાર કહે છે
૨૧૬
अविद्यामयत्वे સમ્બન્ધ: । અને જગતનું અવિદ્યામયપણું સ્વીકાર કરાયે છતે કોને અવિદ્યા છે ? એ પ્રમાણે વિચાર કરાય છે, પરમાત્માની તો અવિદ્યા નથી; કેમ કે (તેમનું) નિત્યયુક્તપણું છે અને વિદ્યારૂપપણું છે, કર્માત્માનું પણ પરમાર્થથી નિ:સ્વભાવપણું હોવાથી શશવિષાણતુલ્ય વસ્તુને કઈ રીતે અવિદ્યાનો સંબંધ થઈ શકે ? અર્થાત્ અવિદ્યાનો સંબંધ થઈ શકે નહીં.
પૂર્વમાં વેદાંતવાદીએ કહ્યું કે આ જગત અવિદ્યામય છે, પરંતુ અવિદ્યાસ્વભાવવાળું નથી માટે અવિદ્યાના નાશ માટે સકલ શાસ્ત્રો વ્યર્થ થશે નહીં. ત્યાં સાંખ્યદર્શનકારે કહ્યું કે, અવિદ્યામય જગત્ સ્વીકારવામાં આવે તો કોની અવિદ્યા તેનો વિચાર કરવો પડે અને પરમાત્માની કે કર્માત્માની તે અવિદ્યા સંગત નથી તેમ બતાવ્યું. ત્યાં અથથી વેદાંતવાદી કહે છે -
ઞથ ..... ઉન્મત્તે, આ જ અવિદ્યાનું અવિદ્યાપણું છે, જે અવિચારણીયપણું છે. અવિચારણીયપણું એટલે વિચારણાથી દિનકરથી-સૂર્યથી, સ્પર્શાયેલા નીહારની જેમ=હિમના કરાની જેમ, જે જ વિલયને પામે છે તે અવિદ્યા વ્હેવાય છે.
મૈત્રં, – તેનો ઉત્તર આપતાં સાંખ્યદર્શનકાર કહે છે કે એ પ્રમાણે ન ક્લેવું.
યદ્રસ્તુ .... અનુપપત્તે: । જે વસ્તુ કાંઈક કાર્ય કરે છે, તે અવશ્ય કોઈનાથી ભિન્ન કે અભિન્ન કહેવી જોઈએ અને અવિદ્યાનું સંસારસ્વરૂપકાર્યકર્તૃત્વ અવશ્ય સ્વીકારવું જોઈએ, અને તે હોતે છતે પણ અર્થાત્ અવિદ્યાનું સંસારસ્વરૂપકાર્યકર્તૃત્વ હોતે છતે પણ, જો અનિર્વાચ્યપણું કહેવાય છે=અવિદ્યા અવિચારણીય છે એમ કહીને અવિદ્યાનું અનિર્વાચ્ય સ્વરૂપ છે એમ કહેવાય છે, તો કોઈપણ વસ્તુનું વાચ્યપણું નહીં થાય. બ્રહ્મના પણ અવાચ્યપણાની પ્રસક્તિ=પ્રસંગ છે, તે કારણથી અધિષ્ઠાતૃપણારૂપના વ્યતિરેથી આત્માનું અન્ય સ્વરૂપ ઘટતું નથી અને અધિષ્ઠાતૃપણું ચિદ્રૂપ જ છે; કેમ કે તેનાથી વ્યતિરિક્ત કોઈ ધર્મના પ્રમાણની અનુપપત્તિ છે.
ભાવાર્થ :
વેદાંતવાદીઓ મોક્ષમાં આત્માનું કેવું સ્વરૂપ માને છે તે બતાવીને તેવું સ્વરૂપ માનવું ઉચિત નથી, પરંતુ પ્રસ્તુત સૂત્રમાં જેવું મોક્ષનું સ્વરૂપ બતાવ્યું છે તેવું સ્વરૂપ માનવું ઉચિત છે તે બતાવવા અર્થે પાતંજલદર્શનકાર કહે છે
મોક્ષમાં આત્માને ચિદાનંદમય માનવાથી બ્રહ્માદ્વૈતની હાનિ
જે વળી વેદાંતવાદીઓ મોક્ષમાં આત્માને ચિદાનંદમય માને છે તે યુક્ત નથી. કેમ યુક્ત નથી તે બતાવતાં કહે છે
Page #246
--------------------------------------------------------------------------
________________
૨૧૦
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૩૩
આનંદ એ સુખરૂપ છે અને સુખનું સંવેદન સદા થાય છે, તેથી સુખ સંવેદ્યમાનરૂપે સદા પ્રતિભાસ થાય છે અને જે સંવેદ્યમાન હોય તે સંવેદન વગર ઘટે નહીં. તેથી એ પ્રાપ્ત થાય છે કે સુખ સંવેદ્યમાન છે અને તેનું સંવેદન બ્રહ્મને છે અને તેમ સ્વીકારીએ તો બ્રહ્માદ્વૈતની હાનિ થાય અને વેદાંતવાદીઓ બ્રહ્માદ્વૈતવાદી છે, તેથી બ્રહ્માતને સ્વીકાર્યા પછી બ્રહ્મને આનંદમય સ્વીકારી શકે નહીં, કેમ કે બ્રહ્મને આનંદમય સ્વીકારીએ તો બ્રહ્માતની હાનિ થાય.
અહીં વેદાંતવાદીઓ કહે કે સંવેદનરૂપ બ્રહ્મનું સુખાત્મકપણું છે માટે સંવેદનરૂપ બ્રહ્મથી અતિરિક્ત સુખ નથી, તેથી સુખાત્મક બ્રહ્મ સ્વીકારવા છતાં બ્રહ્માતની હાનિ થતી નથી. તેને સાંખ્યદર્શનકાર કહે છે – બ્રહ્મમાં અને સુખમાં વિરુદ્ધ ધર્મનો અધ્યાસ હોવાથી બહાને આનંદમય સ્વીકારવામાં બ્રહ્માદ્વૈતની હાનિ :
બ્રહ્મમાં અને સંવેદ્ય એવા સુખમાં વિરુદ્ધધર્મનો અધ્યાસ હોવાથી બ્રહ્મ સુખાત્મક છે, તેમ કહી શકાય નહીં, આશય એ છે કે બ્રહ્મ આનંદનું સંવેદન કરનાર છે, તેથી સંવેદનરૂપ છે અને સુખ સંવેદનથી સંવેદ્ય છે માટે સંવેદ્ય એવા સુખમાં સંવેદ્યત્વધર્મ રહેલો છે અને સંવેદનરૂપ બ્રહ્મમાં સંવેદનત્વધર્મ રહેલો છે, એથી જે બે વસ્તુમાં વિરુદ્ધ ધર્મો રહેલા હોય તે બે વસ્તુને એક કહી શકાય નહીં, એથી આનંદમય બ્રહ્મ સ્વીકારવામાં આવે તો બ્રહ્માતની હાનિ સ્વીકારવી પડે એમ કહીને બ્રહ્મ આનંદમય નથી તેમ સાંખ્યદર્શનકાર સ્થાપન કરે છે.
આ રીતે મોક્ષમાં આત્મા આનંદમય છે, એમ વેદાંતવાદીઓ કહે છે તે યુક્ત નથી, તેમ સ્થાપન કર્યા પછી વેદાંતવાદીઓ બ્રહ્માદ્વૈત સ્વીકાર્યા પછી ઉપાસ્ય એવા બ્રહ્મથી અતિરિક્ત સંસારઅવસ્થાની સંગતિ કરવા જે વ્યવહાર કરવા માટે બે પ્રકારના બ્રહ્મ સ્વીકારે છે તે પણ યુક્ત નથી, પરંતુ પાતંજલદર્શનકાર જે રૂપે સંસારની વ્યવસ્થા સંગત કરે છે તે યુક્ત છે. તે બતાવવા અર્થે પાતંજલદર્શનકાર કહે છે – અદ્વૈતવાદીઓ સંસારના પદાર્થની સંગતિ કરવા માટે કર્માત્મા અને પરમાત્મા એમ બે પ્રકારે બ્રહ્મ સ્વીકારે તો કર્માત્માની જેમ પરમાત્માને પરિણામીપણાની અને અવિધાસ્વભાવપણાની પ્રાપ્તિ
વળી અદ્વૈતવાદીઓ કર્મરૂપ આત્મા અને પરમાત્મા એમ બે ભેદરૂપે આત્માને સ્વીકારે છે અને પરમાત્માને આનંદમય કહે છે. તેથી એ પ્રાપ્ત થાય છે કે સંસારવર્તી જીવો કર્માત્મારૂપે છે અને સુખ, દુ:ખને ભોગવે છે, તે રીતે જો પરમાત્મા પણ સુખ ભોગવે છે, તેમ સ્વીકારવામાં આવે તો સંસારી જીવો ઘડીક સુખરૂપે, ઘડીક દુઃખરૂપે પરિણમન પામતાં દેખાય છે, તેથી પરિણામી છે અને પોતાના પારમાર્થિક સ્વરૂપના અજ્ઞાનવાળા હોવાથી અવિદ્યાસ્વભાવવાળા છે, તે રીતે પરમાત્મા પણ સુખને ભોગવનારા હોવાથી પરિણામી છે તેમ માનવું પડે. વળી, પરમાત્મા પણ સુખને ભોગવનારા હોવાથી પરિણામી છે તેમ સ્વીકારીએ તો પોતાના પારમાર્થિક કૂટસ્થ નિત્યસ્વરૂપને નહીં જાણનારા હોવાથી
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૧૮
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કેવલ્યપાદ | સૂત્ર-૩૩ અવિદ્યાસ્વભાવવાળા છે તેમ માનવું પડે. આ રીતે પરમાત્મારૂપ પરમબ્રહ્મને પરિણામી અને અવિદ્યાસ્વભાવવાળા માનવાની આપત્તિ સાંખ્યદર્શનકારે વેદાંતીઓને આપી ત્યાં વેદાંતીઓ કહે છે – કર્માત્માનું સાક્ષાતભોસ્તૃત્વ નથી પરંતુ ઉદાસીનપણારૂપે અધિષ્ઠાતૃપણું હોવાના કારણે ભોસ્તૃત્વ છે એ પ્રમાણે વેદાંતીઓ કહે તો તેમનો સાંખ્યદર્શનમાં અનુપ્રવેશ:
કર્માત્માનું સાક્ષાત્ ભોત્વ નથી, અર્થાત્ પરમાત્માનું તો સુખભોક્નત્વ નથી પણ કર્માત્માનું પણ સાક્ષાત્ ભાતૃત્વ નથી, પરંતુ કર્માત્મા ભોગો પ્રત્યે ઉદાસીન છે છતાં બુદ્ધિમાં કર્માત્માનુ અધિષ્ઠાનતૃપણું છે તેના કારણે ઉપઢૌકિત એવું ભોસ્તૃત્વ છે અર્થાત્ આત્માનું બુદ્ધિમાં પ્રતિબિંબ પડવાના કારણે બુદ્ધિ જે ભોગાદિ કરે છે, તે આત્મા કરે છે, પરમાર્થથી આત્મા ભોક્તા નથી એમ વેદાંતવાદીઓ સ્વીકારે તો તેમનો સાંખ્યદર્શનમાં અનુપ્રવેશ થાય.
અહીં પ્રશ્ન થાય કે સાંખ્યદર્શનકાર તો આત્માને આનંદમય માનતા નથી, તેથી વેદાંતીઓ આત્માનું સાક્ષાત ભોસ્તૃત્વ ન સ્વીકારે તોપણ આત્માનું આનંદમયપણું સ્વીકારે છે, તેથી સાંખ્યમતમાં પ્રવેશ થઈ શકે નહીં. તેના સમાધાનરૂપે સાંખ્યદર્શનકાર કહે છે કે આત્માની આનંદરૂપતા પૂર્વમાં જ સાંખ્યદર્શનકારે નિરાકરણ કરેલ છે, તેથી જો વેદાંતીઓ આત્માનું સાક્ષાત્ ભાતૃત્વ ન સ્વીકારે તો તેમનો સાંખ્યદર્શનમાં પ્રવેશ થાય.
અહીં વિશેષ એ છે કે વેદાંતીઓ બે પ્રકારના આત્મા સ્વીકારે છે. (૧) કર્માત્મા અને (૨) પરમાત્મા.
સંસારીજીવો કર્માત્મા છે અને મુક્તજીવો પરમાત્મા છે. પરમાર્થથી બ્રહ્મ એક જ છે, તેમાંથી નીકળેલા બ્રહ્મના અંશરૂપ કર્માત્માઓ છે અને કર્માત્માનું સુખ, દુઃખભોજીંપણું છે તેમ વેદાંતીઓ માને છે અને મોક્ષમાં જે બ્રહ્મ છે તે ચિદાનંદમય છે તેમ માને છે, તેથી જો વેદાંતમતાનુસાર કર્માત્મા સાક્ષાત્ સુખ, દુ:ખનો ભોક્તા હોય તો પરમાત્માને પણ કર્માત્માની જેમ જ પરિણામિત્વ અને અવિદ્યાસ્વભાવત્વ પ્રાપ્ત થાય અને વેદાંતીઓ કર્માત્માનું સાક્ષાત્ ભાતૃત્વ ન સ્વીકારે તો એ પ્રાપ્ત થાય કે જેમ સાંખ્યદર્શનકાર સ્વીકારે છે કે બુદ્ધિમાં આત્માનું પ્રતિબિંબ પડે છે અને તેનો અધિષ્ઠાતા આત્મા છે તેથી અધિષ્ઠાતા એવા આત્માનું ઉપચારથી ભોક્નત્વ છે, તેવું ભોસ્તૃત્વ વેદાંતીઓ દ્વારા સ્વીકૃત થાય માટે વેદાંતીઓનો સાંખ્યમતમાં પ્રવેશ થાય એ પ્રકારનો પાતંજલદર્શનકારનો આશય છે.
પૂર્વમાં સાંખ્યદર્શનકારે વેદાંતીઓને કહ્યું કે કર્માત્મામાં સુખનું, દુઃખનું ભોસ્તૃત્વ સ્વીકારવામાં આવે તો કર્માત્મા જે રીતે પરિણામી અને અવિદ્યાસ્વભાવાળો છે તે રીતે પરમાત્માને પણ પરિણામી અને અવિદ્યાસ્વભાવવાળો માનવો પડે તેના સમાધાન માટે વેદાંતી કહે કે કર્માત્માનો અવિદ્યાસ્વભાવ નથી પરંતુ અવિદ્યામય છે, માટે પરમાત્માને અવિદ્યાસ્વભાવવાળો સ્વીકારવાની આપત્તિ નહિ આવે. તેને દોષ આપતાં સાંખ્યદર્શનકાર ગ્નિથી કહે છે –
Page #248
--------------------------------------------------------------------------
________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૩૩
૨૧૯
કર્માત્માનું અવિધાનું અસ્વભાવપણું હોતે છતે નિઃસ્વભાવપણું પ્રાપ્ત થવાને કારણે શાસ્ત્રનો અધિકારી કોણ થાય ?
વળી કર્માત્માનું અવિદ્યાનું અસ્વભાવપણું હોતે છતે નિઃસ્વભાવપણું હોવાથી શાસ્ત્રનો કોણ અધિકારી થાય ? અર્થાત્ કોઈ શાસ્ત્રનો અધિકારી થઈ શકે નહીં. આશય એ છે કે સંસારીજીવો વેદાંતદર્શન અનુસાર કર્માત્મા છે અને તેઓ પરમાત્મા તુલ્ય ચિન્માત્રરૂપ નથી, તેથી તેઓમાં ચિન્માત્રસ્વભાવત્વ નથી અને સંસારઅવસ્થામાં દેખાતાં જીવો અવિદ્યામય છે પરંતુ અવિદ્યાના સ્વભાવવાળા નથી એમ જો વેદાંતી કહે તો સંસારમાં દેખાતા જીવો ચિત્માત્રરૂપ પણ નથી અને અવિદ્યાસ્વભાવવાળા પણ નથી માટે તેઓમાં કોઈ સ્વભાવ નથી, તેમ માનવું પડે અને તેમ સ્વીકારીએ તો શાસ્ત્રનો અધિકારી કોણ થાય ? અર્થાત્ કોઈ જીવ શાસ્ત્રનો અધિકારી થઈ શકે નહીં ? કેમ કોઈ શાસ્ત્રનો અધિકારી થઈ શકે નહીં. તે સ્પષ્ટ કરતાં કહે છે
-
નિત્યનિર્યુક્તપણું હોવાથી પરમાત્મા શાસ્ત્રના અધિકારી નથી અને અવિધાનું અસ્વભાવપણું હોવાથી કર્માત્મા પણ શાસ્ત્રના અધિકારી નહિ હોવાથી સર્વ શાસ્ત્રોને વ્યર્થ સ્વીકારવાનો પ્રસંગ ઃ
પરમાત્મા નિત્યમુક્ત હોવાથી શાસ્ત્રના અધિકારી નથી; કેમ કે શાસ્ત્ર મુક્ત થવાનો જ ઉપદેશ આપે છે અને મુક્તને મુક્ત થવાનો ઉપદેશ આપવો નિરર્થક છે અને કર્માત્મા પણ શાસ્ત્રના અધિકારી થશે નહીં; કેમ કે જો સંસારી જીવોનો અવિદ્યાસ્વભાવ પણ ન હોય અને ચિન્માત્ર સ્વભાવ પણ ન હોય તો સર્વથા સ્વભાવ વગરના જીવોને અવિદ્યાસ્વભાવને દૂર કરીને મુક્ત થવાનો ઉપદેશ આપવો નિરર્થક છે માટે મુક્ત થવાના ઉપદેશને કહેનાર સર્વ શાસ્ત્રોને વ્યર્થ સ્વીકારવાનો પ્રસંગ આવશે.
અહીં વેદાંતીઓ કહે કે સંસારીજીવો અવિદ્યાસ્વભાવવાળા નથી પરંતુ અવિદ્યામય છે અને અવિદ્યાનો નાશ કરવા માટે શાસ્ત્ર ઉપયોગી થશે તેને પાતંજલદર્શનકાર કહે છે -
જગતનું અવિધામયપણું સ્વીકાર કરાયે છતે કોની અવિધા ?
જગતનું અવિદ્યામયપણું સ્વીકાર કરાયે છતે કોની અવિદ્યા ? એ પ્રમાણે વિચારતાં એ જણાય છે કે પરમાત્માની તો અવિદ્યા નથી; કેમ કે પરમાત્માનું તો નિત્યમુક્તપણું છે અને વિદ્યારૂપપણું છે અને કર્માત્માનું પણ પરમાર્થથી નિઃસ્વભાવપણું હોવાથી શશશૃંગતુલ્યપણું છે, તેથી શશશૃંગ જેવા કર્માત્માને અવિદ્યાનો સંબંધ કેવી રીતે થાય ? અર્થાત્ થઈ શકે નહીં.
સાંખ્યદર્શનકારનો આશય એ છે કે સંસારવર્તી જીવો અવિદ્યાના સ્વભાવવાળા દેખાય છે, તે સિવાય તેઓનો મુક્ત આત્મા જેવું ચિન્માત્રસ્વરૂપ દેખાતું નથી. હવે અવિદ્યા પણ તેમનો સ્વભાવ ન હોય તો તે વસ્તુમાં કોઈ સ્વભાવ નથી તેમ માનવું પડે અને તેમ સ્વીકારીએ તો જેમ જગતમાં શશશૃંગ નથી, તેમ કર્માત્મા પણ નથી તેમ માનવું પડે અને જે વસ્તુ જગતમાં હોય જ નહિ, તે વસ્તુને અવિદ્યાનો સંબંધ કઈ રીતે થાય ? અર્થાત્ થઈ શકે નહીં. જેમ ઘટ નામનો પદાર્થ હોય તો તે પદાર્થ અંધકારથી વ્યાપ્ત થાય છે, તેથી અંધકારમય છે તેમ કહી શકાય, પરંતુ કર્માત્મામાં કોઈ
Page #249
--------------------------------------------------------------------------
________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ / સૂત્ર-૩૩ સ્વભાવ નહીં હોવાથી તે કોઈ વસ્તુરૂપે નથી તો તેને અવિદ્યાનો સંબંધ કઈ રીતે થાય ? કે જેથી આત્માને અવિદ્યામય સ્વીકારી શકાય ? અર્થાત્ કર્માત્માને અવિદ્યામય સ્વીકારી શકાય નહીં.
સાંખ્યદર્શનકારે કહ્યું કે અવિદ્યામય જગત સ્વીકારવામાં આવે તો કોની અવિદ્યા ? એ પ્રકારે વિચારવામાં આવે તો પરમાત્માની અવિદ્યા છે, તેમ સ્વીકારી શકાય નહીં અને કર્માત્માની અવિદ્યા છે તેમ પણ સ્વીકારી શકાય નહીં. ત્યાં ઉત્તર આપતાં વેદાંતીઓ કહે છે
૨૨૦
—
અવિધાનું અવિધાપણું છે તે અવિચારણીયપણું :
અવિદ્યામય જગત છે, એમ અમે સ્વીકારીએ છીએ ત્યાં અવિદ્યાનું આ અવિદ્યાપણું છે જે અવિચારણીયપણું છે. અવિદ્યાનું અવિચારણીયપણું શું છે ? તે સ્પષ્ટ કરે છે – સૂર્યના સ્પર્શથી બરફના કરાની જેમ વિચારથી અવિદ્યા વિલયને પામે છે તેથી જેનું સ્વરૂપ વિચારી શકાય નહીં તેવું છે તે અવિદ્યા છે. આ પ્રકારના વેદાંતીઓના કથનમાં પાતંજલદર્શનકાર કહે છે
અવિધાનું સંસારરૂપ કાર્યકર્તૃત્વ હોત છતે પણ અનિર્વાચ્યપણું કહેવાય તો દરેક વસ્તુને અનિર્વાચ્ય કહેવાની આપત્તિ
જે વસ્તુ કાંઈક કાર્ય કરે છે, તે અવશ્ય કોઈક વસ્તુથી ભિન્ન અથવા અભિન્ન છે, તેમ કહેવું જોઈએ જેમ દંડ ઘટરૂપ કાર્ય કરે છે તે ઘટથી ભિન્ન છે. વળી જ્ઞાનશક્તિ જ્ઞેયનું જ્ઞાન કરે છે તેથી શેયના જ્ઞાનરૂપ કાર્ય કરનાર જ્ઞાનશક્તિ આત્માથી અભિન્ન છે તેમ સંસારરૂપ કાર્ય કરનાર અવિદ્યા પણ પુરુષથી ભિન્ન અથવા અભિન્ન સ્વીકારવી જોઈએ અને અવિદ્યાનું સંસારરૂપ કાર્યનું કર્તૃત્વ અવશ્ય સ્વીકારવું જોઈએ તો જ દેખાતા સંસારની વ્યવસ્થા સંગત થાય. અને જે અવિદ્યા સંસારરૂપ કાર્ય કરતી હોય તે અવિચારણીય છે એમ કહીને તેનું અનિર્વાચ્યપણું સ્થાપન કરવું ઉચિત નથી. આમ છતાં સંસારનું કારણ છે એમ સ્વીકારીને પણ અવિદ્યાનું અવાચ્યપણું સ્થાપન કરવામાં આવે તો કોઈપણ વસ્તુનું વાચ્યપણું થાય નહિ, અને તેમ સ્વીકારીએ તો બ્રહ્મનું પણ અવાચ્યપણું સ્વીકારવાનો પ્રસંગ આવે માટે અવિઘાને અવિચારણીય સ્વીકારી શકાય નહીં.
વળી અવિદ્યા કેવી છે ? તેનો વિચાર કરવામાં આવે તો તે અવિદ્યામય પરમાત્મા કે કર્માત્મા ઘટી શકે તેમ ન હોય તો અવિદ્યામય જગત છે તેમ સ્વીકારી શકાય નહીં.
આ સર્વ કથનથી શું ફલિત થાય છે તે સ્પષ્ટ કરતાં કહે છે
આત્માનું અધિષ્ઠાતા સ્વરૂપ અને આત્માનું અધિષ્ઠાતૃપણું ચિદ્રૂપ :
આત્માનું અધિષ્ઠાતા સ્વરૂપથી અન્ય કોઈ સ્વરૂપ નથી. જેમ સાંખ્યદર્શનકાર બુદ્ધિમાં આત્માનું પ્રતિબિંબ પડતું હોવાના કારણે આત્માને અધિષ્ઠાતા સ્વીકારે છે તેમ સ્વીકારવું જોઈએ, તેથી દષ્ટ સર્વ વ્યવસ્થા સંગત થાય અને આત્માનું અધિષ્ઠાતૃપણું ચિત્તૂપ જ છે; કેમ કે ચિત્તૂપથી વ્યતિરિક્ત કોઈ ધર્મ આત્મામાં સ્વીકારવા માટે પ્રમાણની અનુપપત્તિ=અસંગતિ છે.
Page #250
--------------------------------------------------------------------------
________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૩૩
૨૨૧ વેદાંતવાદીઓ મોક્ષમાં આત્માને ચિદાનંદમય માને છે તે યુક્ત નથી તે પાતંજલદર્શનકારે બતાવ્યું. હવે નૈયાયિકો મોક્ષમાં આત્માને કેવો માને છે તે બતાવીને તે કેવી રીતે સંગત થતું નથી તે પાતંજલદર્શનકાર બતાવે છે – ટીકા :
यैरपि नैयायिकादिभिरात्मा चेतनायोगाच्चेतन इत्युच्यते, चेतनाऽपि तस्य मनःसंयोगजा, तथाहि-इच्छाज्ञानप्रयत्नादयो गुणास्तस्य व्यवहारदशायामात्ममनः संयोगादुत्पद्यन्ते , तैरेव च गुणैः स्वयं ज्ञाता कर्ता भोक्तेति व्यपदिश्यते, मोक्षदशायां तु मिथ्याज्ञाननिवृत्तौ तन्मूलानां दोषाणामपि निवृत्तेस्तेषां बुद्ध्यादीनां विशेषगुणानामत्यन्तोच्छितेः स्वरूपमात्रप्रतिष्ठत्वमात्मनोऽङ्गीकृतं, तेषामयुक्तः पक्षः, यतस्तस्यां दशायां नित्यत्वव्यापकत्वादयो गुणा आकाशादीनामपि सन्ति अतस्तद्वैलक्षण्येनाऽऽत्मनश्चिद्रूपत्वमवश्यमङ्गीकार्यम्, आत्मत्वलक्षणजातियोग इति चेत् ? न, सर्वस्यैव हि तज्जातियोगः सम्भवति, अतो जातिभ्यो वैलक्षण्यमात्मनोऽवश्यमङ्गीकर्तव्यम्, तच्चाधिष्ठातृत्वं, तच्च चिद्रूपतयैव घटते नान्यथा । ટીકાર્ય :
વૈરપિ .... સંયોગના, જે પણ તૈયાયિકાદિઓ વડે આત્મા ચેતનાના યોગથી ચેતન એ પ્રમાણે કહેવાય છે, તેની ચેતના પણ=આત્માની ચેતના પણ, મનના સંયોગથી થયેલી છે.
તથા દિ- તે આ પ્રમાણે –
રૂછી .... નાથ ! વ્યવહારદશામાં આત્મમન:સંયોગથી તેના આત્માના, ઇચ્છા, જ્ઞાન અને પ્રયત્ન આદિ ગુણો ઉત્પન્ન થાય છે અને તે જ ગુણો વડે ઇચ્છા, જ્ઞાન અને પ્રયત્ન આદિ ગુણો વડે, સ્વયં જ્ઞાતા, કર્તા, ભોક્તા એ પ્રમાણે વ્યપદેશ કરાય છે, વળી મોક્ષદશામાં મિથ્યાજ્ઞાનની નિવૃત્તિ થયે છતે તભૂલદોષોની પણ મિથ્યાજ્ઞાનમૂળ દોષોની પણ, નિવૃત્તિ થવાથી તે બુદ્ધિ આદિ વિશેષ ગુણોનો અત્યંત ઉચ્છેદ થવાથી આત્માનું સ્વરૂપમાત્ર પ્રતિષ્ઠાણું સ્વીકાર કરાયું અર્થાત્ નૈયાયિકો વડે સ્વીકાર કરાયું, તેઓનો પક્ષ અયુક્ત છે. જે કારણથી નિત્યત્વ, વ્યાપકત્વાદિગુણો આકાશાદિમાં પણ છે, આથી તે દશામાં મુક્તદશામાં, તેનાથી વિલક્ષણપસાવડે આકાશાદિથી વિલક્ષણપણા વડે આત્માનું ચિટૂ૫૫ણું અવશ્ય સ્વીકારવું જોઈએ.
અહીં નૈયાયિકો કહે કે મુક્ત અવસ્થામાં આત્મામાં ચિકૂપપણું નહીં હોવા છતાં આત્મત્વસ્વરૂપ જાતિનો યોગ છે માટે આકાશાદિથી વિલક્ષણ છે તેને સાંખ્યદર્શનકાર કહે છે કે એ પ્રમાણે ન કહેવું. સર્વને આકાશ આદિ સર્વને જ, તે જાતિનો યોગ સંભવે છે, આથી જાતિઓથી આત્મત્વ, ઘટત્વ આદિ જે જે જાતિઓ તૈયાયિક માને છે તે સર્વ જાતિઓથી, આત્માનું વિલક્ષણપણું અવશ્ય સ્વીકારવું જોઈએ, અને તે વિલક્ષણપણું અધિષ્ઠાતૃપણું છે, અને તે આત્માનું અધિષ્ઠાતૃપણું, ચિકૂપપણાથી ઘટે છે. અન્યથાચિકૂપપણું ન સ્વીકારવામાં આવે તો, આત્માનું અધિષ્ઠાતૃપણું ઘટતું નથી.
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૨૨
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કેવલ્યપાદ | સૂત્ર-૩૩ ભાવાર્થ :
પાતંજલદર્શનકાર નૈયાયિક જે પ્રકારે દષ્ટવ્યવસ્થાની સંગતિ કરે છે તે સંગત નથી અને પોતે જે પ્રકારે દૃષ્ટવ્યવસ્થાની સંગતિ કરીને આત્માનું સ્વરૂપ સ્થાપન કરે છે એ પ્રકારે આત્માનું સ્વરૂપ માનવું ઉચિત છે તે બતાવવા માટે તૈયાયિકના મતનો ઉપન્યાસ કરે છે. નૈયાયિકાદિ વડે ચેતનાના યોગથી આત્મા ચેતન છે એમ કહેવાય છે તે ચેતનાની મનના સંયોગથી ઉત્પત્તિ :
નિયાયિકો વગેરે ચેતનાના યોગથી આત્મા ચેતન છે, એમ કહે છે, વળી આત્મામાં રહેલી ચેતના મનના સંયોગથી થયેલી છે અને તે આ પ્રમાણે –
વ્યવહાર દશામાં આત્માને મનનો સંયોગ થાય છે ત્યારે આત્મામાં ઇચ્છા, જ્ઞાન, પ્રયત્ન વગેરે ગુણો પ્રગટે છે અને તે ગુણોથી આત્મા જ્ઞાતા બને છે, બાહ્ય પદાર્થોનો કર્તા બને છે અને બાહ્ય પદાર્થોનો ભોક્તા બને છે એ પ્રમાણે વ્યપદેશ કરાય છે. નૈયાયિકના મતે મોક્ષદશામાં મિથ્યાજ્ઞાનની નિવૃત્તિ થવાથી મિથ્યાજ્ઞાનમૂલક દોષોની નિવૃત્તિ થવાના કારણે બુદ્ધિ આદિ વિશેષ ગુણોનો અત્યંત ઉચ્છેદ થવાથી આત્માનું સ્વરૂપમાત્ર પ્રતિષ્ઠાણું:
વળી સાધના કરીને યોગી મોક્ષમાં જાય છે ત્યારે મુક્ત અવસ્થામાં મિથ્યાજ્ઞાનની નિવૃત્તિ થયેલી હોવાથી મિથ્યાજ્ઞાનમૂલક દોષોની નિવૃત્તિ થાય છે અને મિથ્યાજ્ઞાનમૂલક દોષોની નિવૃત્તિ થાય છે ત્યારે તૈયાયિકમતાનુસાર બુદ્ધિઆદિ વિશેષગુણોનો અત્યંત ઉચ્છેદ થાય છે, તેથી બુદ્ધિ આદિ વિશેષગુણો અંતર્ગત ઇચ્છા, જ્ઞાન, પ્રવૃત્તિ આદિ ગુણો મોક્ષમાં નથી માટે મુક્તઅવસ્થામાં આત્માનું
સ્વરૂપમાત્ર પ્રતિષ્ઠાણું તૈયાયિકો દ્વારા સ્વીકારાય છે આ પ્રમાણે તૈયાયિકનો મત છે તે યુક્ત નથી તેમ સાંખ્યદર્શનકાર કહે છે. કેમ યુક્ત નથી ? તેમાં યુક્તિ આપે છે – આત્મામાં નિત્યત્વ, વ્યાપકત્વાદિ ગુણો છે તેમ આકાશાદિમાં પણ નિત્યત્વ, વ્યાપકત્વાદિ ગુણો હોવાથી આકાશાદિથી વિલક્ષણપણારૂપે મુક્તદશામાં આત્માનું ચિતૂપપણું :
જેમ આત્મામાં નિત્યત્વ, વ્યાપકત્વ આદિ ગુણો છે તેમ આકાશાદિમાં પણ નિત્યત્વ, વ્યાપકત્વાદિ ગુણો છે, આથી આકાશાદિથી વિલક્ષણપણારૂપે મુક્તદશામાં આત્માનું ચિતૂપપણું અવશ્ય સ્વીકારવું જોઈએ.
અહીં નૈયાયિકાદિ કહે કે આકાશાદિથી આત્માને વિલક્ષણ સ્વીકારવા માટે આત્મામાં આત્મત્વજાતિનો યોગ છે અને આકાશાદિમાં આત્મત્વજાતિ નથી માટે આત્માને ચિતૂપ સ્વીકારવાની જરૂર નથી, પરંતુ આત્મત્વજાતિથી આત્માની આકાશાદિથી વિલક્ષણપણાની સિદ્ધ થશે. તેને સાંખ્યદર્શનકાર કહે છે –
Kણા :
Page #252
--------------------------------------------------------------------------
________________
૨૨૩
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૩૩ આત્મત્વજાતિનો યોગ આકાશાદિ સર્વને થઈ શકતો હોવાથી આત્માનું સર્વ જાતિઓથી વિલક્ષણપણું અને તે વિલક્ષણપણું તે અધિષ્ઠાતૃપણુંઃ
નૈયાયિકનું આ કથન બરાબર નથી; કેમ કે આત્મત્વજાતિનો યોગ આકાશાદિ બધાને થઈ શકે છે, આથી સર્વ જાતિઓથી વિલક્ષણપણું આત્માનું અવશ્ય સ્વીકારવું જોઈએ અને તે વિલક્ષણપણું અધિષ્ઠાતૃપણું છે.
સાંખ્યદર્શનકારનો આશય એ છે કે આત્મત્વજાતિનો યોગ આત્મામાં સમવાયસંબંધથી થાય છે અને આત્મત્વજાતિ નિત્ય છે, તે રીતે ઘટમાં ઘટત્વજાતિનો પણ યોગ સમવાયસંબંધથી થાય છે અને ઘટત્વજાતિ નિત્ય છે તેમ તૈયાયિકો માને છે અને જયારે ઘટ ઉત્પન્ન થાય છે ત્યારે સમવાયસંબંધથી ઘટત્વજાતિનો યોગ થાય છે. વળી ઘટત્વજાતિ કે આત્મત્વજાતિ વગેરે સર્વ જાતિ સર્વવ્યાપી છે, તેથી જયાં જયાં ઘટ ઉત્પન્ન થાય છે તે ઘટમાં ઘટવજાતિ સમવાયસંબંધથી સંબંધિત થાય છે અને આ ઘટવજાતિ ભૂતકાળના ઘટમાં હતી અને ભવિષ્યમાં થનારા ઘટમાં પણ સંબંધિત થશે માટે નિત્ય છે આ પ્રકારે તૈયાયિકો માને છે, તેથી સાંખ્યદર્શનકાર તેને કહે છે –
જેમ આત્મત્વજાતિનો આત્મા સાથે સમવાય સંબંધથી યોગ થયો તેમ આકાશાદિ સાથે પણ આત્મત્વજાતિનો સંબંધ થઈ શકે છે; કેમ કે જેમ આકાશ નિત્ય અને વ્યાપક છે તેમ આત્મત્વજાતિ પણ નિત્ય અને વ્યાપક છે, તેથી જેમ આત્માની સાથે આત્મત્વજાતિનો સંબંધ થાય છે તેમ આકાશાદિની સાથે પણ આત્મત્વજાતિનો સંબંધ થવામાં કોઈ બાધક નથી; કેમ કે સમવાયસંબંધ સર્વત્ર વિદ્યમાન છે, તેથી તે સમવાયસંબંધ જેમ આત્મામાં આત્મત્વજાતિનો યોગ કરે છે, તેમ આકાશાદિમાં પણ આત્મત્વજાતિનો યોગ કરાવી શકે છે, આથી આત્મત્વ, ઘટત્વ આદિ સર્વ જાતિઓથી આત્માનું વિલક્ષણપણું નૈયાયિકે સ્વીકારવું જોઈએ, અને આત્માનું તે વિલક્ષણપણું આત્માનું અધિષ્ઠાતૃપણું છે અર્થાત્ જેમ જલમાં ચંદ્રનું પ્રતિબિંબ પડે છે, તેથી જલમાં ચંદ્રનું અધિષ્ઠાન થાય છે, તેમ આત્માનું બુદ્ધિમાં પ્રતિબિંબ પડે છે, તેથી બુદ્ધિમાં આત્માનું અધિષ્ઠાન થાય છે અને તેવું અધિષ્ઠાતૃપણું આત્મામાં છે તેમ માનવું જોઈએ અને તે અધિષ્ઠાતૃપણું આત્મામાં ચિતૂપપણાથી ઘટે છે અન્યથા ઘટતું નથી; કેમ કે પ્રકૃતિ જડ છે અને તેમાંથી ઉત્પન્ન થયેલી બુદ્ધિ પણ જડ થાય, તેમાં ચૈતન્ય આવે નહીં અને બુદ્ધિમાં ચૈતન્ય દેખાય છે, તેથી માનવું પડે કે બુદ્ધિમાં પ્રતિબિંબરૂપે અધિષ્ઠાતા એવો આત્મા ચિટૂપ છે અને આ ચિતૂપને કારણે જ નિત્યત્વ, વ્યાપકત્વ આદિ ગુણવાળો આત્મા આકાશાદિથી વિલક્ષણ છે તેમ સિદ્ધ થાય છે.
સાંખ્યદર્શનકાર મીમાંસકમતનો પણ વિમર્શ કરીને મીમાંસકોએ પણ આત્માને ચિતૂપ જ સ્વીકારવો જોઈએ તે બતાવવા અર્થે કહે છે – ટીકા :
यैरपि मीमांसकैः कर्मकर्तृरूप आत्माऽङ्गीक्रियते तेषामपि न युक्तः पक्षः । तथाहिअहम्प्रत्ययग्राह्य आत्मेति तेषां प्रतिज्ञा, अहम्प्रत्यये च कर्तृत्वं कर्मत्वं चाऽऽत्मन एव, न
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૨૪
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૩૩ चैतद् विरुद्धत्वादुपपद्यते, कर्तृत्वं प्रमातृत्वं, कर्मत्वं च प्रमेयत्वम्, न चैतद् (चैषः) विरुद्धधर्माध्यासो युगपदेकस्य घटते, यद्विरुद्धधर्माध्यस्तं न तदेकं, यथा भावाभावौ, विरुद्धे च कर्तृत्वकर्मत्वे । अथोच्यते-न कर्तृत्वकर्मत्वयोर्विरोधः किन्तु कर्तृत्वकरणत्वयोः, केनैतदुक्तं विरुद्धधर्माध्यासस्य तुल्यत्वात् कर्तृत्वकरणत्वयोरेव विरोधो न कर्तृत्वकर्मत्वयोः ? । तस्मादहम्प्रत्ययग्राह्यत्वं परिहृत्याऽऽत्मनोऽधिष्ठातृत्वमेवोपपन्नम्, तच्च चेतनत्वमेव ।
ટીકાર્ય :
વૈરપિ . પક્ષ: ! જે પણ મીમાંસકો વડે કર્મકર્તારૂપ આત્મા સ્વીકારાય છે, તેઓનો પણ પક્ષ યુક્ત નથી.
કઈ રીતે મીમાંસકો કર્મકર્તારૂપ આત્મા સ્વીકારે છે તે તથાદિથી સ્પષ્ટ કરે છે – તથાર્દિ- તે આ પ્રમાણે –
પ્રત્યય....વિ, અહંપ્રત્યયથી ગ્રાહા આત્મા છે, એ પ્રકારે તેઓની પ્રતિજ્ઞા છે અને અહંપ્રત્યયમાં કર્તુત્વ અને કર્મત્વ આત્માનું જ છે અર્થાત્ હું એ પ્રત્યય કરનાર આત્મા છે અને તે પ્રત્યયથી ગ્રાહા એવું કર્મપણું પણ આત્માનું છે માટે કર્તુપણું અને કર્મપણે આત્માનું છે.
તેનું નિરાકરણ કરતાં સાંખ્યદર્શનકાર કહે છે –
૧ ૨ .......૩પપદ્યતે, વિરુદ્ધપણું હોવાથી=કર્તીપણું અને કર્મપણું વિરુદ્ધ હોવાથી, આ=કર્ત-કર્મરૂપ આત્મા સ્વીકારવો એ, ઉપપત્ર સંગત થતો નથી. કતૃત્વ અને કર્મત્વ કેમ વિરુદ્ધ છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
સ્તૃત્વ ઘટતે, કર્તૃત્વ એટલે પ્રમાતૃત્વ અર્થાત્ અહં એ પ્રત્યય દ્વારા પોતાનું પ્રમાતાપણું અને કર્મત્વ એટલે પ્રમેયત્વ અર્થાત્ અહં પ્રત્યયથી ગ્રાહ્યપણું અને આ વિરુદ્ધ ધર્મોનો અધ્યાસઆરોપ, એકીસાથે એક્સે એક વસ્તુને, ઘટતો નથી. કેમ ઘટતો નથી ? તે સ્પષ્ટ કરે છે –
યે .... મૈત્વે જે વિરુદ્ધ ધર્મ અધ્યસ્ત છે, તે એક નથી. જે પ્રમાણે ભાવ અને અભાવ અને કર્તુત્વ-કર્મત્વ વિરુદ્ધધર્મ છે તેથી વિરુદ્ધ ધર્મથી અધ્યસ્ત કર્તુત્વ-કર્મવરૂપ આત્મા સ્વીકારી શકાય
નહીં.
અથોતે – ૩થથી મીમાંસકો વડે કહેવાય છે –
ન ઋતૃત્વ કરાયો:, કર્તૃત્વ અને કર્મત્વનો વિરોધ નથી, પરંતુ કર્તુત્વ અને કરણત્વનો વિરોધ છે.
મૈતન્... વર્તુત્વ-ર્મત્વો: - ક્યાં કારણથી આ કહેવાયું પૂર્વમાં કહ્યું કે કર્તુત્વ અને કર્મત્વનો વિરોધ નથી પરંતુ કર્તુત્વ અને કરણત્વનો વિરોધ છે તે કયા કારણથી હેવાયું.
Page #254
--------------------------------------------------------------------------
________________
૨૨૫
પાતંજલચોગસૂત્ર ભાગ-૨ | કેવલ્યપાદ | સૂત્ર-૩૩
શું કહેવાયું તે જ સ્પષ્ટ કરે છે –
વિરુદ્ધ ધર્મના અધ્યાસનું તુલ્યપણું હોવાના કારણે કર્તુત્વ કરણત્વનો જ વિરોધ છે. કર્તુત્વ અને કર્મત્વનો વિરોધ નથી એ કયા કારણથી કહેવાયું અર્થાત્ તેમ કહેવું ઉચિત નથી એમ અન્વય છે.
સર્વકથનનું નિગમન કરતાં કહે છે – તસ્માત્ .... વેતનત્વમેવ ! તે કારણથી અહંપ્રત્યયગ્રાહાપણાનો પરિહાર કરીને આત્માનું અધિષ્ઠાતૃપણું ઉપપત્રસંગત, થાય છે અને તે ચેતનપણું જ છે. ભાવાર્થ : મીમાંસકોના મતે અહંપ્રત્યયથી ગ્રાહ્ય આત્મા છે અને અહંપ્રત્યયમાં આત્માનું કર્તૃત્વ અને કર્મત પ્રાપ્ત થાય છે, તેનું સાંખ્યદર્શનકાર દ્વારા નિરાકરણ :
મીમાંસકો આત્માને કર્યા અને કર્મરૂપે સ્વીકારે છે અને તેઓ કહે છે કે આત્મા અહંપ્રત્યયથી ગ્રાહ્ય છે, તેથી એ પ્રાપ્ત થાય છે કે આત્માને જે અહંપ્રત્યય થાય છે તે અહંપ્રત્યયનું કર્તુપણું આત્મામાં છે અને અહંપ્રત્યય કરીને સ્વને ગ્રહણ કરે છે, એથી પોતાનો આત્મા ગ્રાહ્ય બને છે અર્થાત્ પોતાના જ્ઞાનનો વિષય પોતાનો આત્મા બને છે, તેથી આત્મામાં કત્વ પણ છે. આનાથી એ પ્રાપ્ત થાય છે કે આત્મા અહંપ્રત્યયથી પોતાનો પ્રમાતા છે અને અહંપ્રત્યયથી ગ્રાહ્ય હોવાથી પ્રમેય પણ છે.
મીમાંસકોનું આ પ્રકારનું આત્માનું સ્વરૂપ સાંખ્યદર્શનકારને ઇષ્ટ નથી, તેથી સાંખ્યદર્શનકાર કહે છે – કર્તીપણું અને કર્મપણું વિરુદ્ધ હોવાથી કતૃ-કર્મરૂપ આત્મા સ્વીકારવો અસંગતઃ
એક એવા આત્માને એકી સાથે કર્તૃત્વ અને કર્મસ્વરૂપ વિરુદ્ધ ધર્મનો અધ્યાસ ઘટી શકે નહીં અર્થાત્ જે પ્રમાતા હોય તે પ્રમેય હોઈ શકે નહીં અને જે પ્રમેય હોય તે પ્રમાતા હોઈ શકે નહીં. જેમ – ઘટ-પટાદિ પ્રમેય છે તો તે પ્રમાતા નથી. ઘટ-પટાદિ પ્રમેયનો પ્રમાતા આત્મા છે તે પોતે પ્રય બની શકે નહિ. આ પ્રમાણે એક આત્મામાં પ્રમાતૃત્વ અને પ્રમેયત્વરૂપ બે ધર્મોનો વિરોધ છે તે સ્પષ્ટ કરતાં કહે છે –
જે વિરુદ્ધ ધર્મઅધ્યસ્ત હોય તે એક હોય નહીં. જેમ વિરુદ્ધધર્મ અધ્યસ્ત એવા ભાવ અને અભાવ એક નથી અર્થાત્ ઘટનો ભાવ અને ઘટનો અભાવ એ અસ્તિત્વ અને નાસ્તિત્વ ધર્મથી અધ્યસ્ત છે માટે અસ્તિત્વ અને નાસ્તિત્વધર્મવાળી વસ્તુ એક નથી તેમ કર્તૃત્વ અને કર્મત્વ વિરુદ્ધ ધર્મ છે માટે કતૃત્વ અને કર્મવરૂપ વિરુદ્ધધર્મવાળો આત્મા એક માની શકાય નહીં. મીમાંસકો કહે કે કતૃત્વ અને કરણત્વનો વિરોધ છે પરંતુ કતૃત્વ અને કર્મત્વનો વિરોધ નથી તો સાંખ્યદર્શનકાર કહે છે કે કયાં કારણથી આ પ્રમાણે કહ્યું છે?
અહીં મીમાંસકો કહે કે કર્તૃત્વનો અને કર્મત્વનો પરસ્પર વિરોધ નથી, આથી જ આત્માને અહ
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૬
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૩૩ પ્રતીતિ દ્વારા પોતાનું જ્ઞાન થાય છે અને તે પ્રતીતિ દ્વારા આત્મા ગ્રાહ્ય પણ થાય છે પરંતુ કતૃત્વ અને કરણત્વનો વિરોધ છે અર્થાત્ જે કર્તા હોય તે કરણ બને નહીં. જેમ - કુંભાર ઘટનો કર્તા છે અને ઘટનું કરણ દંડ છે, તે બંને એક હોઈ શકે નહીં. તેને સાંખ્યદર્શનકાર કહે છે – વિરુદ્ધ ધર્મના અધ્યાસનું તુલ્યપણું હોવાથી અહંપ્રત્યયગ્રાહ્યપણાનો ત્યાગ કરીને આત્માનું અધિષ્ઠાતૃપણું સંગત અને તે અધિષ્ઠાતૃપણું આત્માનું ચેતનપણુંઃ
કર્તૃત્વ અને કરણત્વનો વિરોધ છે અને કર્તૃત્વ અને કર્મત્વનો વિરોધ નથી તે ક્યા કારણથી કહી શકાય? અર્થાત્ કહી શકાય નહીં, કેમ કે વિરુદ્ધ ધર્મનો અધ્યાસ બંનેમાં સમાન છે અર્થાત્ જેમ કુંભારમાં કર્તુત્વ છે ત્યાં કરણત્વ નથી, તેમ આત્મામાં કર્તુત્વ છે ત્યાં કર્મત્વ હોઈ શકે નહીં. આ રીતે કર્તૃત્વ અને કર્મત્વનો વિરોધ સ્થાપન કરીને પાતંજલદર્શનકાર સ્થાપન કરે છે કે અહંપ્રત્યયગ્રાહ્યપણાનો ત્યાગ કરીને આત્માનું અધિષ્ઠાતૃપણું જ ઘટે છે અને તે અધિષ્ઠાતૃપણું આત્માનું ચેતનપણું છે.
મીમાંસકમતનો વિમર્શ કરીને પાતંજલદર્શનકારે સ્થાપન કર્યું કે મીમાંસકોએ ચિતૂપ જ આત્મા સ્વીકારવો જોઈએ. હવે જૈનદર્શનની માન્યતાનો વિમર્શ કરીને જૈનદર્શનકારે પણ ચિતૂપ જ આત્મા સ્વીકારવો જોઈએ તે બતાવવા માટે રાજમાર્તડ વૃત્તિકાર કહે છે – ટીકા :
यैरपि द्रव्यबोधपर्यायभेदेनाऽऽत्मनोऽव्यापकस्य शरीरपरिमाणस्य परिणामित्वमिष्यते तेषामुत्थानपराहत एव पक्षः, परिणामित्वे चिद्रूपताहानिश्चिद्रूपताभावे किमात्मन आत्मत्वम् ? तस्मादात्मन आत्मत्वमिच्छता चिद्रूपत्वमेवाङ्गीकर्तव्यम्, तच्चाधिष्ठातृत्वमेव । ટીકાર્ય :
વૈરપિ... ધષ્ઠાતૃમેવાજે જૈનો વડે પણ દ્રવ્યના અને બોધપર્યાયના ભેદ વડે આત્મદ્રવ્યના અને બોધપર્યાયના ભેદ વડે, અવ્યાપક શરીર પ્રમાણ એવા આત્માનું પરિણામીપણું ઇચ્છાય છે તેઓનો પક્ષ ઉત્થાનથી પરાહત જ છે; કેમ કે પરિણામીપણામાં ચિદ્રુપતાની હાનિ છે અને ચિદ્રુપતાના અભાવમાં આત્માનું આત્મત્વ રહે નહીં, તેથી આત્માના આત્મત્વને ઇચ્છતા પુરુષે (આત્માનું) ચિહ્નપપણું સ્વીકારવું જોઈએ અને તે આત્માનું ચિટૂ૫૫ણું, અધિષ્ઠાતૃપણું જ છે. ભાવાર્થ : જૈનદર્શનકારવડે દ્રવ્યના અને બોધપર્યાયના ભેદથી અવ્યાપક શરીર પ્રમાણ આત્માનું પરિણામીપણું ઇચ્છાય છે તેઓનો પક્ષ ઉત્થાનથી પરાહત :
જૈનદર્શન દરેક વસ્તુને દ્રવ્ય અને પર્યાયરૂપે સ્વીકારે છે, તેમ આત્મા પણ દ્રવ્ય છે અને બોધ તેનો પર્યાય છે એમ સ્વીકારે છે અને આત્મદ્રવ્યના બોધપર્યાયનો પ્રતિક્ષણ ભેદ પ્રાપ્ત થતો હોવાથી
Page #256
--------------------------------------------------------------------------
________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૩૩
૨૨
આત્માને પરિણામી સ્વીકારે છે. વળી જૈનદર્શનકાર આત્માને સર્વવ્યાપક માનતા નથી પરંતુ શરીર પ્રમાણ સ્વીકારે છે. આ પ્રકારની જૈનદર્શનની માન્યાતાનુસાર શરીરપ્રમાણવાળો આત્મા બોધપર્યાયના ભેદથી પરિણામી છે એમ ઇચ્છાય છે. તેને પાતંજલદર્શનકાર કહે છે –
જૈનોનો આ પક્ષ ઉત્થાનથી હણાયેલો જ છે. કેમ ઉત્થાનથી હણાયેલો છે ? તેમાં તેઓ યુક્તિ આપે છે
આત્માને પરિણામી સ્વીકારવામાં આત્માની ચિદ્રુપતાની હાનિ થવાથી આત્માના આત્મત્વનો
અભાવ :
આત્માને પરિણામી સ્વીકારવામાં આવે તો આત્માની ચિદ્રુપતાની હાનિ થાય અને આત્માની ચિત્તૂપતાની હાનિ સ્વીકારીએ તો આત્માનું આત્મત્વ નથી એમ માનવું પડે, તેથી આત્માને પરિણામી સ્વીકારી શકાય નહીં, પરંતુ આત્માના આત્મત્વને ઇચ્છતા જૈનોએ આત્માને ચિદ્રૂપ જ સ્વીકારવો જોઈએ અને ચિદ્રૂપ એવા આત્માનું બુદ્ધિમાં અધિષ્ઠાતૃપણું છે, તેથી જડ એવી બુદ્ધિ પણ ચેતન જેવી ભાસે છે, તેની સંગતિ થાય છે માટે આત્માનું અધિષ્ઠાતૃપણારૂપ ચિત્તૂપ સ્વીકારવાથી સર્વ વ્યવસ્થા સંગત થાય છે. આ પ્રકારનો પાતંજલદર્શનકારનો આશય છે.
નોંધ : આ વિષયમાં વિશેષ ચર્ચા પૂજ્ય ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ સાહેબે ૧૧મી પાતંજલયોગલક્ષણવિચારદ્વાત્રિંશિકામાં કરેલ છે. તેથી તે વાંચીને વિચારકોએ જૈનદર્શનના તાત્પર્યને જાણવા યત્ન કરવો.
ટીકા :
केचित् कर्तृरूपमेवाऽऽत्मानमिच्छन्ति । तथाहि - विषयसान्निध्ये या ज्ञानलक्षणा क्रिया समुत्पन्ना तस्या विषयसंवित्तिः फलं, तस्यां च फलरूपायां संवित्तौ स्वरूपं प्रकाशरूपतया प्रतिभासते, विषयश्च ग्राह्यतया, आत्मा च ग्राहकतया, घटमहं जानामीत्याकारेण तस्याः समुत्पत्तेः क्रियायाश्च कारणं कर्तेव भवतीत्यतः कर्तृत्वं भोक्तृत्वं चाऽऽत्मनो रूपमिति, तदनुपपन्नं, यस्मात् तासां संवित्तीनां स किं कर्तृत्वं युगपत् प्रतिपद्यते क्रमेण वा ? युगपत् कर्तृत्वे क्षणान्तरे तस्य कर्तृत्वं न स्यात् । अथ क्रमेण कर्तृत्वम् ? तदैकरूपस्य न घटते । एकेन रूपेण चेत् तस्य कर्तृत्वं तदैकस्य रूपस्य सदैव संनिहितत्वात् फलमेकरूपं स्यात् । अथ नानारूपतया तस्य कर्तृत्वं तदा परिणामित्वं परिणामित्वाच्च न चिद्रूपत्वम्, अतश्चिद्रूपत्वमेवाऽऽत्मन इच्छद्भिर्न साक्षात् कर्तृत्वमङ्गीकर्तव्यम्, [ किन्तु ] यादृशमस्माभिः कर्तृत्वमात्मनः प्रतिपादितं [ तादृशं कर्तृत्वं स्वीकर्तव्यं ] कूटस्थस्य नित्यस्य चिद्रूपस्य तदेवोपपन्नम् ।
एतेन स्वप्रकाशस्याऽऽत्मनो विषयसंवित्तिद्वारेण ग्राहकत्वमभिव्यजत इति ये वदन्ति तेऽपि अनेनैव निराकृताः ।
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૨૮
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કેવલ્યપાદ | સૂત્ર-૩૩ ટીકાર્ય :
ચિત્ રૂછત્ત કેટલાક દર્શનકારો કર્તરૂપ જ આત્માને સ્વીકારે છે. તથાદિ - તે આ પ્રમાણે –
વિષયસાન્નિધ્યે .... રૂપતિ, વિષયના સાંનિધ્યમાં જે જ્ઞાનસ્વરૂપ ક્રિયા ઉત્પન્ન થઈ, તેનું ફળ વિષયની સંવિત્તિ છે અને તે ફળરૂપ સંવિત્તિમાં જ્ઞાન પ્રકાશરૂપપણાથી પ્રતિભાસે છે, વિષય ગ્રાહાપણાથી પ્રતિભાસે છે અને આત્મા ગ્રાહકપણાથી પ્રતિભાસે છે; કેમ કે ઘટને હું જાણું છું એ આકારથી તેની સમુત્પત્તિ છે ફળરૂપ સંવિત્તિની ઉત્પત્તિ છે, અને ક્રિયાનું કારણ કર્તા જ થાય, એથી આત્માનું કર્તુત્વ, ભોક્નત્વ રૂપ છે.
રૂતિ શબ્દ કેટલાક દર્શનકારોના કથનની સમાપ્તિ સૂચક છે. તનુપપત્રમ્ - તે અનુપપન્ન છે આત્માનું કર્તૃત્વ, ભોıત્વરૂપ કેટલાક સ્વીકારે છે તે અનુપપન્ન અસંગત છે, એ પ્રમાણે પાતંજલદર્શનકાર કહે છે.
કેમ અનુપપન્ન=અસંગત છે? તે સ્પષ્ટ કરતાં રાજમાર્તડ વૃત્તિકાર કહે છે –
યWાત્ ... ૩૫૫ત્રમ્ જે કારણથી તે સંવિત્તિઓનું તે કર્તુપણું યુગપત્રએકી સાથે સ્વીકારે છે કે ક્રમસર સ્વીકારે છે? આત્માનું યુગપ-એકીસાથે, કર્તૃત્વ સ્વીકારાયે છતે ક્ષણાન્તરમાં તેનું આત્માનું, કર્તુત્વ ન થાય. હવે ક્રમથી કર્તુત્વ છે (એમ કહે) તો એકરૂપ એવા આત્માનું (ક્રમથી કર્તુત્વ) ઘટતું નથી. એકરૂપથી જો તેનું આત્માનું, કર્તુત્વ છે તો એકરૂપનું આત્માના એકરૂપનું, સદા હંમેશા, સંનિહિતપણું હોવાથી સર્વ ફળ એકરૂપ થાય.
હવે નાનારૂપપણાથી જુદા જુદા સ્વરૂપે, તેનું આત્માનું, કર્તુત્વ છે તો પરિણામીપણું થાય અર્થાત્ આત્માનું પરિણામીપણું થાય, અને આત્માનું પરિણામીપણું હોવાથી ચિદ્રુપપણું થાય નહીં આત્માનું ચિકૂપપણું થાય નહીં. આથી આત્માનું ચિહ્નરૂપણું ઇચ્છતા એવા દર્શનકારો વડે (આત્માનું) સાક્ષાત્ કર્તૃત્વ સ્વીકારવું જોઈએ નહીં, પરંતુ જેવા પ્રકારનું આત્માનું કર્તુત્વ અમારા વડે પાતંજલદર્શનકારવડે, પ્રતિપાદન કરાયું તેવું કર્તૃત્વ સ્વીકારવું જોઈએ. ફૂટસ્વ નિત્ય ચિદ્રપ એવા આત્માનું તે જ ઉપપન્ન છેઉપચારથી અમે પાતંજલદર્શનકાર, સ્વીકારે છે તે જ, કર્તુત્વ ઉપપન્ન સંગત છે
તેન... નિરીછૂતા: | આના દ્વારા પૂર્વમાં કહયું કે કૂટસ્થનિત્ય ચિદ્રપ એવા આત્માનું તે જ ઉપપન્ન છે એ કથન દ્વારા, સ્વપ્રકાશરૂપ આત્માનું વિષયસંવિત્તિ દ્વારા ગ્રાહકપણું અભિવ્યક્ત થાય છે તે પ્રમાણે જેઓ કહે છે તેઓ પણ નિરાકૃત થાય છે અર્થાત્ આત્માનું કર્તુત્વને કહેનારા તો નિરાકૃત થાય છે પરંતુ આત્માના ગ્રાહકત્વને કહેનારા પણ નિરાકૃત થાય છે. ભાવાર્થ : આત્માનું કતૃત્વ-ભોસ્તૃત્વસ્વરૂપ કેટલાક સ્વીકારે છે તે અનુપપન્ન :
સાંખ્યદર્શનકાર કહે છે કે અમે પ્રકૃતિને કર્તારૂપે માનીએ છીએ અને ઉપચારથી આત્માને કર્તા
Page #258
--------------------------------------------------------------------------
________________
૨૨૯
પાતંજલચોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૩૩ સ્વીકારીએ છીએ તેમ કેટલાક માનતા નથી, પરંતુ આત્માનું કર્તુત્વ જ ઇચ્છે છે. કઈ રીતે તેઓ આત્માનું કર્તુત્વ ઇચ્છે છે તે તથાદિથી સ્પષ્ટ કરે છે –
વિષયના સાંનિધ્યથી આત્મામાં જ્ઞાનસ્વરૂપ ક્રિયા ઉત્પન્ન થાય છે=વિષયના બોધને અનુકૂળ વ્યાપારરૂપ ક્રિયા ઉત્પન્ન થાય છે, તેનું ફળ વિષયનો બોધ છે અને વિષયના બોધરૂપ ફળમાં જ્ઞાન પ્રકાશરૂપપણાથી ભાસે છે, વિષય ગ્રાહ્યપણાથી ભાસે છે અને આત્મા ગ્રાહકપણાથી ભાસે છે. આ કથનને દષ્ટાંતથી સ્પષ્ટ કહે છે. ઘટને હું જાણું છું, એ પ્રકારના આકારથી વિષયની સંવિત્તિરૂપ ફળ થાય છે અર્થાત્ “ઘટ હું જાણું છું' એ પ્રકારના બોધમાં ઘટ વિષય ગ્રાહ્યપણાથી ભાસે છે અને તે વિષયને ગ્રહણ કરવા માટે આત્મા જ્ઞાનનો વ્યાપાર કરે છે તેથી જ્ઞાનરૂપ વ્યાપાર પ્રકાશરૂપથી ભાસે છે અને આત્મા તે જ્ઞાનના વ્યાપાર દ્વારા ઘટને જાણે છે, તેથી આત્મા ગ્રાહક તરીકે ભાસે છે. આ રીતે બોધને અનુકૂળ એવી જ્ઞાનની ક્રિયાનું કારણ એવો આત્મા કર્તા જ થાય છે, એથી આત્માનું કતૃત્વ અને ભાતૃત્વસ્વરૂપ છે અર્થાત્ આત્મા જ્ઞાનની ક્રિયા દ્વારા ઘટાદિને જાણે છે ત્યારે તે ક્રિયાનો કર્તા આત્મા છે અને ઘટાદિને જાણ્યા પછી તે ઘટાદિ વિષયોનો સ્વઇચ્છાનુસાર ઉપભોગ કરે છે, તેથી આત્માનું ભોસ્તૃત્વ સ્વરૂપ છે. આ પ્રમાણે આત્માનું કર્તૃત્વ અને ભોસ્તૃત્વસ્વરૂપ જેઓ માને છે તે યુક્તિથી ઘટતું નથી, એ પ્રમાણે સાંખ્યદર્શનકાર કહે છે. કેમ ઘટતું નથી ? તે બતાવે છે – સંવિત્તિઓનું કર્તૃપણું આત્માનું યુગપ સ્વીકારાયે છતે ક્ષણાંતરમાં આત્માનું કર્તુત્વ અસંગત અને સદા એકરૂપ આત્માનું ક્રમથી કતૃત્વ સ્વીકારવામાં આત્માના એકરૂપનું સદા સંનિહિતપણું હોવાથી સર્વફળ એકરૂપ થવાની આપત્તિ :
આત્મા જે કાંઈ સંવિત્તિઓ કરે છે અર્થાત વિષયોનો બોધ કરે છે, તે સર્વ સંવિત્તિઓનું કર્તુત્વ આત્માનું સ્વીકારીએ તો ત્યાં બે વિકલ્પો ઊઠે છે. તે સર્વ સંવિત્તિઓનો આત્મા યુગપ=એકી સાથે, કર્તા છે કે ક્રમથી કર્તા છે ?
તેથી એ પ્રાપ્ત થાય છે કે કર્તા એવા આત્માને જીવન દરમિયાન જે કાંઈ અનેક વિષયોનો બોધ થાય છે તે સર્વ બોધ એક સાથે કરે છે કે ક્રમસર કરે છે ? એમ બે વિકલ્પો થાય છે. જો આત્મા પોતાના જીવનમાં થતાં ઘટાદિ વિષયોનો બોધ એક સાથે કરે છે તેમ સ્વીકારીએ તો જીવનમાં થતાં સર્વ બોધોનો તે કર્તા એક ક્ષણમાં છે તેમ માનવું પડે અને તેમ સ્વીકારીએ તો એક જ ક્ષણમાં આત્માને સર્વ વિષયોનો બોધ થઈ જવાથી બીજી ક્ષણમાં તેનું કર્તૃત્વ થાય નહીં અર્થાત્ બીજી ક્ષણમાં તે બોધનું કર્તૃત્વ આત્માનું થાય નહીં અને જો ક્રમથી કર્તૃત્વ સ્વીકારીએ તો સદા એકરૂપ એવા આત્માનું ક્રમસર કર્તુત્વ ઘટે નહીં અર્થાત્ આત્મા ભિન્ન ભિન્ન ક્ષણમાં ભિન્ન ભિન્ન બોધો કરે છે માટે ભિન્ન ભિન્ન બોધનો કર્તા ક્રમસર છે તેમ માનીએ તો આત્મા સદા એકરૂપ છે તેમ શાસ્ત્રકારો સ્વીકારે છે તેની સંગતિ થાય નહિ અને તેની સંગતિ કરવા માટે પૂર્વપક્ષી કહે કે આત્મા સદા એકરૂપ છે અને તે એકરૂપથી જ તેનું કમસર કત્વ છે માટે સદા એકરૂપ આત્માને સ્વીકારવા છતાં ક્રમસર થતાં બોધની સંગતિ થશે. તેના નિરાકરણ માટે પાતંજલદર્શનકાર કહે છે -
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૩૦
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૩૩ જો આત્માનું એકરૂપથી કર્તૃત્વ સ્વીકારીએ તો આત્માનું એકરૂપ સદા જ આત્મામાં સંનિહિત હોવાના કારણે સર્વફળ એકરૂપ થવું જોઈએ અર્થાત્ આત્માને સદા એકરૂપ સ્વીકારીએ તો સદા એક પ્રકારના જ્ઞાનવાળો છે તેમ માનવું પડે, પરંતુ અન્ય અન્ય પ્રકારના જ્ઞાનવાળો છે તેમ સ્વીકારી શકાય નહીં અર્થાત્ આત્મા ઘટાદિ કોઈ એક પદાર્થના એક પ્રકારના જ્ઞાનને સદા કરતો હોય તો તે બોધની ક્રિયાથી આત્માને સદા ઘટનું જ્ઞાન થવું જોઈએ, પરંતુ એક ક્ષણમાં ઘટનું જ્ઞાન અને અન્ય ક્ષણમાં પટાદિનું જ્ઞાન થાય છે, તેની સંગતિ થાય નહીં માટે આત્માને સદા એકરૂપ સ્વીકારીને ઘટાદિ વિષયના જ્ઞાનની ક્રિયા કરે છે એમ સ્વીકારવું હોય તો સદા ઘટાદિનો બોધ કરે છે તેમ સ્વીકારવું જોઈએ અને તેમ સ્વીકારીએ તો સંસારીજીવોને પ્રતીતિ છે કે અમુક ક્ષણમાં અમુક વસ્તુનું જ્ઞાન થાય છે અને પછીની ક્ષણમાં અન્ય અન્ય પદાર્થનું જ્ઞાન થાય છે તેની સંગતિ થાય નહીં. ભિન્ન ભિન્નપણાથી આત્માનું કતૃત્વ સ્વીકારવામાં આત્માનું પરિણામીપણું થાય અને પરિણામીપણું થવાથી આત્માના ચિટૂમપણાની અસંગતિઃ
વળી પૂર્વપક્ષી ભિન્ન ભિન્નરૂપપણાથી આત્માનું કર્તૃત્વ સ્વીકારે તો આત્માને પરિણામી માનવો પડે અર્થાત્ આત્મા ક્યારેક ઘટના જ્ઞાનવાળો છે અને ક્યારેક પટના જ્ઞાનવાળા છે ઇત્યાદિ પ્રાપ્ત થવાથી આત્માને પરિણામી સ્વીકારવો પડે અને પૂર્વપક્ષી આત્માને પરિણામી સ્વીકારે તો આત્માનું ચિતૂપપણું ઘટે નહીં, આથી આત્માના ચિટૂપને ઇચ્છનારા એવા પૂર્વપક્ષીએ આત્માનું સાક્ષાત્ કર્તૃત્વ સ્વીકારવું જોઈએ નહીં પરંતુ જેવું આત્માનું કર્તૃત્વ અમે કહીએ છીએ તેવું સ્વીકારવું જોઈએ અર્થાત્ સાંખ્યદર્શનકાર કહે છે કે આત્મા ચિકૂપ છે અને ચિકૂપ આત્માનું બુદ્ધિમાં પ્રતિબિંબ પડે છે અને બુદ્ધિ કર્તા અને ભોક્તા છે અને બુદ્ધિમાં ચિતૂપ આત્માનું પ્રતિબિંબ પડતું હોવાથી ઉપચારથી આત્મા કર્તા અને ભોક્તા છે, પરમાર્થથી આત્મા કર્તા અને ભોક્તા નથી તેમ પૂર્વપક્ષીએ સ્વીકારવું જોઈએ; કેમ કે તેમ સ્વીકારવામાં આવે તો કૂટસ્થનિત્ય ચિતૂપ આત્મા સંગત થાય માટે કૂટસ્થનિત્ય ચિદ્રુપ આત્મા સ્વીકાર્યા પછી આત્માનું ઔપચારિક કર્તુત્વ જ ઉપપન્ન સંગત, થાય છે. સાક્ષાત્ આત્માનું કતૃત્વ ઉપપન્ન=સંગત, થતું નથી.
સાંખ્યદર્શનકારે આત્માનું ઔપચારિક કર્તૃત્વ સ્વીકાર્યું એના દ્વારા અન્યનો મત પણ નિરાકૃત થાય છે તે બતાવે છે – ફૂટસ્થનિત્યચિતૂપ એવો આત્મા સંગત થાય છે એ કથન દ્વારા સ્વપ્રકાશરૂપ આત્માનું વિષયસંવિત્તિ દ્વારા ગ્રાહકપણું અભિવ્યક્ત થાય છે એ અન્યનો મત પણ નિરાકૃતઃ
અન્ય કેટલાક આત્માને સ્વપ્રકાશરૂપ માને છે અને સ્વપ્રકાશરૂપ આત્મા બાહ્ય વિષયોનો બોધ કરે છે, તેના દ્વારા તેનું ગ્રાહકપણું અભિવ્યક્ત થાય છે અર્થાત્ આત્માને બાહ્ય વિષયોનું ગ્રાહકપણું અભિવ્યક્ત થાય છે, આ પ્રકારે અન્યદર્શનકારો કહે છે તેનું નિરાકરણ થાય છે, કેમ કે આત્માને પરિણામી સ્વીકારીએ તો કૂટસ્થનિત્ય ચિટૂપ આત્મા સિદ્ધ થાય નહીં અને કૂટનિત્ય ચિતૂપ આત્માને સ્વીકારવાથી તેનું પ્રતિબિંબ બુદ્ધિમાં પડે છે, તેમ સ્વીકારીને દષ્ટ સર્વ વ્યવસ્થા સંગત થાય છે, તેમ
Page #260
--------------------------------------------------------------------------
________________
૨૩૧
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૩૩ સાંખ્યદર્શનકારે અત્યાર સુધી સ્થાપન કર્યું, તેથી આત્માને કૂટસ્થ નિત્ય ચિતૂપ જ સ્વીકારવો ઉચિત છે તે પ્રમાણે પાતંજલદર્શનકાર કહે છે. ટીકા : ___ केचिद्विमर्शात्मकत्वेनाऽऽत्मनश्चिन्मयत्वमिच्छन्ति, ते ह्याहुन विमर्शव्यतिरेकेण चिद्रूपत्वमात्मानो निरूपयितुं शक्यम्, जडाद्वैलक्षण्यमेव चिद्रूपत्वमुच्यते, तच्च विमर्शव्यतिरेकेण निरूप्यमाणं न, अन्यथाऽवतिष्ठते, तदनुपपन्नम्, इदमित्थमेवंरूपमिति यो विचारः स विमर्श इत्युच्यते, स चास्मिताव्यतिरेकेण नोत्थानमेव लभते । तथाहिआत्मन्युपजायमानो विमर्शोऽहमेवम्भूत इत्यनेनाऽऽकारेण संवेद्यते, ततश्चाहंशब्दसम्भिन्नस्यात्मलक्षणस्यार्थस्य तत्र स्फुरणान्न विकल्परूपतातिक्रमः, विकल्पश्चाध्यवसायात्मा बुद्धिधर्मो न चिद्धर्मः, कूटस्थनित्यत्वेन चितेः सदैकरूपत्वान्नाहङ्कारानुप्रवेशः, तदनेन सविमर्शत्वमात्मनः प्रतिपादयता बुद्धिरेवाऽऽत्मत्वेन भ्रान्त्या प्रतिपादिता न प्रकाशात्मनः परस्य पुरुषस्य स्वरूपमवगतमिति । ટીકાર્ય :
ક્રેરિત્ .... શક્યમ્, કેટલાક દર્શનકારો આત્માનું વિમર્શાત્મકપણું હોવાના કારણે ચિન્મયત્વ ઇચ્છે છે. તેઓ કહે છે – વિમર્શ વગર આત્માનું ચિહ્નપપણું નિરૂપણ કરવા માટે શક્ય નથી.
કેમ વિમર્શ વગર આત્માનું ચિતૂપપણું નિરૂપણ કરવા માટે શક્ય નથી ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
નડા ....... નિરૂપ્યમાન, જડપદાર્થથી વિલક્ષણપણું, જચિદ્રપપણું કહેવાય છે અને તે વિમર્શના વ્યતિરેકથી નિરૂપણ કરાતું નથી=નિરૂપણ કરાતું વિદ્યમાન નથી. કેમ વિમર્શ વગર નિરૂપણ કરાતું નથી. તેથી કહે છે –
અન્યથાáતિકતે - અન્યથા પ્રાપ્ત થાય છે-વિમર્શરૂપ આત્માને ન સ્વીકારવામાં આવે તો ચિટૂપથી અન્યથા જડરૂપ આત્મા પ્રાપ્ત થાય છે.
તદનુપાત્રમ્ - તે અનુ૫૫ન્ન અસંગત, છે કે ચિત્ મતવાળા વિમર્શરૂપે આત્માને ચિકૂપ સ્વીકારે છે તે અનુપપત્ર-અસંગત, છે.
કેમ અનુપપન્ન છે ? તે બતાવે છે –
ફરમ્ ...નમિતે આ આવા પ્રકારનું છે, આવા સ્વરૂપવાનું છે એ પ્રકારનો જે વિચાર તે વિમર્શ એ પ્રમાણે કહેવાય છે, અને તે વિમર્શ, અસ્મિતા વગર ઉત્થાન જ પ્રાપ્ત કરતો નથી.
કેમ અસ્મિતા વગર વિમર્શ પ્રાપ્તો નથી ? તે તથાદિથી સ્પષ્ટ કરે છે – તથાદિ- તે આ પ્રમાણે –
Page #261
--------------------------------------------------------------------------
________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૩૩ आत्मनि અવામિતિ । આત્મામાં થતો વિમર્શ હું આવા સ્વરૂપવાળો છું=હું પદાર્થના વિમર્શને કરું છું એવા સ્વરૂપવાળો છું, એ આકારથી સંવેદન થાય છે, અને તેથી અહં શબ્દથી સંભિન્ન એવા આત્મસ્વરૂપ અર્થનું ત્યાં સ્ફુરણ હોવાથી=વિમર્શમાં સ્ફુરણ હોવાથી, વિલ્પરૂપતાનો અતિક્ર્મ નથી. અને વિક્લ્પ અધ્યવસાયરૂપ બુદ્ધિનો ધર્મ છે, ચિત્ત્નો ધર્મ નથી; કેમ કે કૂટસ્થનિત્યપણાને કારણે ચિતિનું સદા એકરૂપપણું હોવાના કારણે અહંકારનો અનુપ્રવેશ નથી, તે કારણથી આના દ્વારા=કેચિત્ દ્વારા કહેવાતા મત દ્વારા, સવિમર્શપણું આત્માનું પ્રતિપાદન કરતાં બુદ્ધિ જ આત્મપણાથી ભ્રાંતિથી પ્રતિપાદન કરાઈ, પરંતુ પ્રકાશરૂપ પર એવા પુરુષનું=બુદ્ધિથી પર એવા પુરુષનું, સ્વરૂપ ણાયું નથી.
૨૩૨
.....
ટીકાના પ્રારંભમાં તથાહિથી સ્વદર્શનની માન્યતા પ્રમાણે આત્મા મુક્તાવસ્થામાં કેવો છે અને સંસારાવસ્થામાં કેવા છે ? તેનું સ્થાપન કર્યું. ત્યાર પછી અન્ય અન્યદર્શનની માન્યતાઓ સંગત નથી. તેનું અત્યાર સુધી સ્થાપન કર્યું. તે સર્વ ક્શનની સમાપ્તિ માટે ‘કૃતિ' શબ્દ છે.
ભાવાર્થ:
કેટલાક દર્શનકારો આત્માનું વિમર્શાત્મક ચિપપણું ઇચ્છે છે અને કહે છે કે વિમર્શ વગર આત્માનું ચિદ્રુપપણું નિરૂપણ કરી શકાતું નથી તે સાંખ્યદર્શનકારના મતે અસંગત :
સંસારવર્તી જીવોમાં વિમર્શ પ્રત્યક્ષથી દેખાય છે, તેના બળથી કેટલાક દર્શનકારો કહે છે કે આત્મામાં જે વિમર્થાત્મકસ્વરૂપ છે, તે સ્વરૂપે આત્માનું ચિન્મયપણું છે અને તેમાં યુક્તિ આપે છે કે સંસારી જીવો જે વિમર્શ કરે છે તે વિમર્શ વગર આત્મા ચિદ્રુપ છે તેમ નિરૂપણ થઈ શકે નહીં; કેમ કે જડ પદાર્થથી વિલક્ષણપણું જ ચિદ્રુપપણું કહેવાય છે અને જડ પદાર્થથી વિલક્ષણપણું આત્માનું વિમર્શરૂપ છે; કેમ કે જડ પદાર્થો કાંઈ વિમર્શ કરતાં નથી, જે કાંઈ વિમર્શ કરે છે તે ચેતન છે, માટે જડ પદાર્થથી વિલક્ષણપણું વિમર્શ વગર નિરૂપણ કરાતું વિદ્યમાન નથી; કેમ કે વિમર્શ વગર ચિદ્રૂપપણું જડ પદાર્થતુલ્ય જ દેખાય છે.
આ રીતે જેઓ આત્માને વિમર્શરૂપ સ્વીકારે છે તેઓના મતે આત્મા પરિણામી સિદ્ધ થાય છે; કેમ કે વિમર્શ જ્ઞાનરૂપ છે અને પ્રતિક્ષણ સંસારીજીવો જુદાં જુદાં વિમર્શ કરે છે તે દેખાય છે, તેથી વિમર્શરૂપ આત્માને સ્વીકારવાથી આત્મા પરિણામી સિદ્ધ થાય અને તે સાંખ્યદર્શનકારને અભિમત નથી, તેથી સ્વપ્રક્રિયાને સામે રાખીને સાંખ્યદર્શનકાર કહે છે
આત્માનું વિમર્શસ્વરૂપ અનુપપન્ન=અસંગત છે. કેમ અસંગત છે તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે આત્મામાં થતો વિમર્શ અસ્મિતારૂપ હોવાથી બુદ્ધિનો ધર્મ છે ચિતિનો ધર્મ નથી :
આ વસ્તુ આ પ્રમાણે છે અથવા આ વસ્તુ આ સ્વરૂપવાળી છે એ પ્રકારનો વિચાર એ વિમર્શ છે, જેમ સંસારીજીવો વિચાર કરે છે, કે સામે દેખાતી ઘટરૂપ વસ્તુ આવા આકારવાળી છે અને
Page #262
--------------------------------------------------------------------------
________________
૨૩૩
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૩૩ જલાધારણ કરવાના સ્વરૂપવાળી છે તે વિચાર વિમર્શ કહેવાય છે અને આવો વિમર્શ અસ્મિતા વગર ઉત્થાન પ્રાપ્ત કરતો નથી. કેમ અસ્મિતા વગર આવો વિમર્શ થતો નથી? તે સ્પષ્ટ કરતાં કહે છે –
આત્મામાં થતો વિમર્શ હું આવા પ્રકારનો છું અર્થાત્ વિમર્શ કરનાર હું છું' એ રૂપ અસ્મિતાથી વિમર્શ થાય છે અને આ પ્રકારે વસ્તુનો વિમર્શ કરું છું, તે આકારથી સંવેદન થાય છે, તેથી હું આવા પ્રકારનો વિમર્શ કરું છું એ પ્રકારના ઉલ્લેખમાં અહં શબ્દથી અભિન્ન એવો આત્મારૂપ અર્થ પ્રતીત થાય છે અને તે પ્રતીતિ વિકલ્પરૂપતાને અતિક્રમ કરતી નથી અર્થાત્ હું આવા પ્રકારનો વિમર્શ કરું છું એ પ્રકારના વિકલ્પરૂપ છે અને એ વિકલ્પ એ અધ્યવસાયસ્વરૂપ છે અને અધ્યવસાય એ બુદ્ધિનો ધર્મ છે, ચિતિનો ધર્મ નથી.
કેમ વિકલ્પ બુદ્ધિનો ધર્મ છે ચિતિનો ધર્મ નથી, તેથી કહે છે – આત્માનું ફૂટસ્થનિત્યપણું હોવાથી ચિતિનું સદા એકરૂપપણું હોવાને કારણે અહંકારના અનુપ્રવેશનો અભાવ :
આત્માનું કૂટસ્થનિત્યપણું હોવાના કારણે ચિતિનું સદા એકરૂપપણું છે આત્માના ચૈતન્યધર્મનું સદા એકરૂપપણું છે, તેથી અહંકારનો અનુપ્રવેશ નથી અર્થાત્ હું આનો વિમર્શ કરું છું એ પ્રકારના વિકલ્પરૂપ અહંકારનો અનુપ્રવેશ નથી.
આ પ્રકારે વિમર્શાત્મક આત્માને માનનાર મતનું નિરાકરણ કરીને તેનાથી શું ફલિત થાય છે તે પાતંજલદર્શનકાર બતાવે છે – આત્માને વિમર્શાત્મક સ્વીકારનાર દર્શનકાર વડે ભ્રાંતિથી બુદ્ધિનું આત્મારૂપે પ્રતિપાદન :
આત્માને વિમર્શાત્મક સ્વીકારનાર દર્શનકારે ભ્રાંતિથી બુદ્ધિને આત્મારૂપે પ્રતિપાદિત કરેલ છે, પરંતુ બુદ્ધિથી પર એવો પ્રકાશરૂપ જે પુરુષ છે=આત્મા છે, તે કૂટસ્થ નિત્ય ચિકૂપ છે તેના સ્વરૂપને પૂર્વપક્ષી જાણતો નથી, તેથી બુદ્ધિને જ આત્મા તરીકે કહે છે.
રાજમાર્તડવૃત્તિકારે પ્રસ્તુત સૂત્રની ટીકાના પ્રારંભમાં તથાદિથી પ્રારંભ કરતાં પૂર્વે કહેલું કે ક્ષેત્રજ્ઞા કૈવલ્યઅવસ્થામાં આવા સ્વરૂપવાળો ચિટૂપ જ કેવલ અમારા દર્શનમાં નથી, પરંતુ સર્વદર્શનોમાં પણ વિચારાતો ક્ષેત્રજ્ઞ આવા સ્વરૂપવાળો જ પ્રાપ્ત થાય છે. કેમ સર્વદર્શનોમાં આત્મા આવા સ્વરૂપવાળો પ્રાપ્ત થાય છે તે ક્રમસર તથાદિથી અત્યાર સુધી બતાવ્યું. હવે તે સર્વનો ફલિતાર્થ બતાવતાં કહે છે – ટીકા :
इत्थं सर्वेष्वपि दर्शनेष्वधिष्ठातृत्वं विहाय नान्यदात्मनो रूपमुपपद्यते, अधिष्ठातृत्वं च चिद्रूपत्वम्, तच्च जडाद्वैलक्षण्यमेव, चिद्रूपतया यदधितिष्ठति तदेव भोग्यतां नयति, यच्च चेतनाधिष्ठितं तदेव सकलव्यापारयोग्यं भवति, एवं च सति कृतकृत्यत्वात् प्रधानस्य
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૩૪
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૩૩ व्यापारनिवृत्तौ यदात्मनः कैवल्यमस्माभिरुक्तं, तद्विहाय दर्शनान्तराणामपि नान्या गतिः, तस्मादिदमेव युक्तमुक्तं वृत्तिसारूप्यपरिहारेण स्वरूपे प्रतिष्ठा चितिशक्तेः कैवल्यम् । ટીકાર્થ:
હ્યું... વૌવન્યમ્' આ રીતે અત્યાર સુધી વર્ણન કર્યું એ રીતે, સર્વે પણ દર્શનોમાં અધિષ્ઠાતૃત્વને છોડીને બુદ્ધિમાં પ્રતિબિંબરૂપ અધિષ્ઠાતૃપણાને છોડીને, આત્માનું અન્ય રૂપ ઘટતું નથી=અન્ય અન્ય દર્શનકારો જે આત્માનું અન્ય અન્ય રૂપ ધે છે તે ઘટતું નથી, અને અધિષ્ઠાતૃપણું ચિદ્રપપણું છે અને તે આત્માનું ચિહ્નપપણું, જડથી વૈલક્ષણ્ય જ છે. ચિકૂપપણાથી જે વસ્તુ આત્મારૂપ જે વસ્તુ, અધિષ્ઠાન કરે છે તે આત્મારૂપ તે વસ્તુ જ, ભોગ્યતાને પ્રાપ્ત કરે છે અને જે ચેતનાથી અધિષ્ઠિત છે તે
ચેતનાથી અધિષ્ઠિત એવી બુદ્ધિરૂપ વસ્તુ જ, સલવ્યાપારને યોગ્ય થાય છે અને આમ પોતે છતે અધિષ્ઠાતા એવો આત્મા ચિદ્રપપણાથી બુદ્ધિમાં અધિષ્ઠાન કરે છે અને ચેતનાથી અધિષ્ઠિત હોતે છતે, પ્રધાનનું કૃતકૃત્યપણું હોવાથી વ્યાપારની નિવૃત્તિ થયે છતે બુદ્ધિના વ્યાપારની નિવૃત્તિ થયે છતે, જે આત્માનું કેવલપણું અમારા વડે કહેવાયું=સાંખ્યદર્શનકારવડે કહેવાયું, તેને છોડીને અન્યદર્શનવાળાઓને પણ અન્ય ગતિ નથી તેને છોડીને અન્યદર્શનવાળા પણ અન્ય પ્રકારે આત્માને સ્વીકારીને દેખ વ્યવસ્થાની સંગતિ કરી શક્તા નથી, તે કારણથી આ વૃત્તિના સારણના પરિહારથી ચિતિશક્તિની સ્વરૂપમાં પ્રતિષ્ઠા કેવલપણું છે એ જ, યુક્ત કહેવાયું છે. ભાવાર્થ : બુદ્ધિમાં પ્રતિબિંબપણારૂપે અધિષ્ઠાતૃત્વને છોડીને આત્માનું અન્યરૂપ સર્વ પણ દર્શનોમાં ઘટતું નથી એ પ્રકારે પાતંજલદર્શનકારનું કથન :
સાધના કરીને કેવલપણાને પામેલ આત્માનું સ્વરૂપ કેવું છે તે પ્રસ્તુત સૂત્રમાં પાતંજલદર્શનકારે બતાવેલ છે અને આત્માનું કેવલપણું જે સાંખ્યદર્શનકાર માને છે, તેવું જ કેવલપણું અન્ય દર્શનકારો વડે સ્વીકારવું જોઈએ. એ સિવાય સંસારઅવસ્થામાં જે કર્તૃત્વ, ભોસ્તૃત્વ અને અનુસંધાનતૃત્વમય આત્મા પ્રતીત થાય છે તે સંગત થાય નહીં.
કેમ અન્યદર્શનાનુસાર સંગત થાય નહીં તે અત્યાર સુધી નિરૂપણ કર્યું એ રીતે સર્વ પણ દર્શનોમાં આત્માને બુદ્ધિમાં પ્રતિબિંબરૂપે અધિષ્ઠાતૃરૂપ સ્વીકાર્યા વગર આત્માનું અન્ય સ્વરૂપ સંગત થતું નથી, માટે બુદ્ધિમાં અધિષ્ઠાતૃરૂપ જ આત્માનું ચિતૂપપણું છે, અને તે ચિતૂપપણું જડ કરતાં વિલક્ષણ છે તેમ સ્વીકારવું જોઈએ.
આત્મા બુદ્ધિમાં અધિષ્ઠાતા છે તે સ્પષ્ટ કરે છે – વૃત્તિના સારુણ્યના પરિહારથી ચિતિશક્તિની સ્વરૂપમાં પ્રતિષ્ઠા કેવલપણું છે એ પ્રમાણે પાતંજલદર્શનકાર વડે કહેવાયેલું સંગતઃ
ચિતૂપપણાથી જે આત્મા બુદ્ધિમાં અધિષ્ઠાન કરે છે, તે જ ભોગ્યતાને પામે છે અર્થાત્ બુદ્ધિ જે
Page #264
--------------------------------------------------------------------------
________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૩૩ | ઉપસંહાર
૨૩૫ કાંઈ કરે છે તે સર્વ ભોગો બુદ્ધિમાં અધિષ્ઠાતા એવા આત્માને પ્રાપ્ત થાય છે અને ચેતનાથી અધિષ્ઠિત એવી જે બુદ્ધિ છે તે જ સકલ વ્યાપાર યોગ્ય છે, તેથી સંસારઅવસ્થામાં જે કાંઈ આત્માની પ્રવૃત્તિ દેખાય છે, તે સર્વ બુદ્ધિનો વ્યાપાર છે અને આ પ્રકારે પદાર્થ સિદ્ધ થાય છે તેથી યોગી જયારે સાધના કરીને કેવલપણાને પામે છે ત્યારે પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલી બુદ્ધિ આદિ તત્ત્વો પ્રતિલોમ પરિણામથી પ્રકૃતિમાં વિલય પામે છે, તેથી પ્રકૃતિરૂપ પ્રધાન કૃતકૃત્ય બને છે અર્થાત્ પ્રકૃતિનું જે કૃત્ય હતું કે પુરુષના ભોગસંપાદન માટે અને અપવર્ગસંપાદન માટે યત્ન કરવો જોઈએ તે કૃત્ય પ્રકૃતિએ કરી લીધું, તેથી પ્રકૃતિરૂપ પ્રધાન કૃતકૃત્ય બને છે અર્થાત્ પ્રકૃતિનું જે પ્રયોજન હતું કે પુરુષના ભોગસંપાદન માટે અને અપવર્ગસંપાદન માટે યત્ન કરવો જોઈએ તે કૃત્ય પ્રકૃતિએ કરી લીધું, તેથી પ્રકૃતિ કૃતકૃત્ય થઈ અને પ્રકૃતિ કૃતકૃત્ય થવાના કારણે પ્રકૃતિનો પુરુષ માટે ભોગસંપાદનનો વ્યાપાર કે અપવર્ગ સંપાદનનો વ્યાપાર નિવૃત્ત થાય છે, જે આત્માનું કૈવલ્યસ્વરૂપ છે તે અમારા વડે પાતંજલદર્શનકાર વડે, કહેવાયું, તેવા કૈવલ્યસ્વરૂપને છોડીને અન્ય દર્શનોમાં પણ અન્ય પ્રકારનું આત્માનું કૈવલ્ય સ્વીકારવું સંગત નથી, તેથી આ જ પાતંજલદર્શનકાર વડે યુક્ત કહેવાયું છે કે સંસારઅવસ્થામાં આત્માનું બુદ્ધિમાં પ્રતિબિંબ પડતું હોવાના કારણ વૃત્તિનું સારુપ્ય હતું અને જ્યારે આત્માનો મોક્ષ થાય છે ત્યારે તે વૃત્તિના સારુણ્યનો પરિહાર થાય છે અને ચિતિશક્તિ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠા પામે છે=રહે છે, તે જ પુરુષનું કૈવલ્ય છે. ll૪-૩૩
કેવલ્યપાદનો ઉપસંહાર કરતાં પ્રથમ સૂત્રથી માંડીને અત્યાર સુધીના કથનનું એકવાક્યતાથી યોજન કરતાં કહે છે – ટીકા :
तदेवं सिद्ध्यन्तरेभ्यो विलक्षणां सर्वसिद्धिमूलभूतां समाधिसिद्धिमभिधाय जात्यन्तरपरिणामलक्षणस्य च सिद्धिविशेषस्य प्रकृत्यापूरणमेव कारणमित्युपपाद्य धर्मादीनां प्रतिबन्धकनिवृत्तिमात्र एव सामर्थ्यमिति प्रदर्श्य निर्माणचित्तानामस्मितामात्रादुद्भव इत्युक्त्वा तेषां च योगिचित्तमेवाधिष्ठापकमिति प्रदर्श्य योगचित्तस्य चित्तान्तरवैलक्षण्यमभिधाय तत्कर्मणामलौकिकत्वं चोपपाद्य विपाकानुगुणानां च वासनानामभिव्यक्तिसामर्थ्य कार्यकारणयोश्चैक्यप्रतिपादनेन व्यवहितानामपि वासनानामानन्तर्यमुपपाद्य[आशिषः नित्यत्वात् तासामनादित्वमुपपाद्य] तासामानन्त्येऽपि हेतुफलादिद्वारेण हानमुपदातीतादिष्वध्वसु धर्माणां सद्भावमुपपाद्य विज्ञानवादं निराकृत्य साकारवादं च प्रतिष्ठाप्य पुरुषस्य ज्ञातृत्वमुक्त्वा चित्तद्वारेण सकलव्यवहारनिष्पत्तिमुपपाद्य पुरुषसत्त्वे प्रमाणमुपदर्श्य कैवल्यनिर्णयाय दशभिः सूत्रैः क्रमेणोपयोगिनोऽर्थानभिधाय शास्त्रान्तरेऽप्येतदेव कैवल्यमित्युपपाद्य कैवल्यस्वरूपं निर्णीतमिति व्याकृतः कैवल्यपादः ॥
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૩૬
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | ઉપસંહાર ટીકાર્થ:
તેવું વન્યપાઃ . તે આ રીતે પ્રસ્તુત કૈવલ્યપાદમાં વર્ણન કર્યું એ રીતે, સિદ્ધિ અંતરથી વિલક્ષણતૃતીય વિભૂતિપાદમાં બતાવાયેલી સિદ્ધિઓથી વિલક્ષણ અને સર્વ સિદ્ધિઓના મૂળભૂત એવી સમાધિસિદ્ધિને કહીને અર્થાત્ પાતંજલ યોગસૂત્ર ૪૧માં સમાધિસિદ્ધિને કહીને, જાત્યંતર પરિણામસ્વરૂપ સિદ્ધિવિશેષનું પ્રકૃતિનું આપૂરણ જ કારણ છે એ પ્રમાણે ઉપપાદન કરીને અર્થાત્ પાતંજલ યોગસૂત્ર ૪રમાં ઉપપાદન કરીને, ધર્માદિનું પ્રતિબંધકનિવૃત્તિમાત્રમાં જ સામર્થ્ય છે એ પ્રમાણે પ્રદર્શન કરીને અર્થાત્ પાતંજલયોગસૂત્ર ૪૩માં બતાવીને, નિર્માણચિત્તોનો અસ્મિતામાત્રથી ઉદ્દભવ છે એ પ્રમાણે જ્હીને અર્થાત્ પાતંજલયોગસૂત્ર ૪/૪માં ક્વીને, અને તેઓનું નિર્માણચિત્તોનું, યોગિચિત્ત જ અધિષ્ઠાપક છે એ પ્રમાણે પ્રદર્શન કરીને અર્થાત્ પાતંજલયોગસૂત્ર ૪પમાં બતાવીને, યોગિચિત્તનું ચિત્તાન્તરથી=અન્ય ચિત્તોથી વિલક્ષણપણું કહીને અર્થાત્ પાતંજલયોગસૂત્ર ૪/૬માં કહીને અને તેઓના કર્મોનું યોગીઓના કર્મોનું, અલૌકિકપણું ઉપપાદન કરીને અર્થાત્ પાતંજલયોગસૂત્ર ૪૭માં ઉપપાદન કરીને, વિપાને અનુગુણ વાસનાઓની અભિવ્યક્તિના સામર્થ્યને અને કાર્યકારણના ઐક્ય પ્રતિપાદનથી વ્યવહિત એવી પણ વાસનાઓના આનંતર્યને ઉપપાદન કરીને અર્થાત્ પાતંજલયોગસૂત્ર ૪૮-માં ઉપપાદન કરીને, આશિષનું મહામોહરૂપી આશાનું નિત્યપણું હોવાને કારણે તેઓનું વાસનાઓનું અનાદિપણું ઉપપાદન કરીને અર્થાત્ પાતંજલયોગસૂત્ર ૪/૧૦માં સિદ્ધ કરીને,] તેઓના=વાસનાઓના આતંત્યમાં પણ હેતુ અને ફલાદિ દ્વારા હાનને બતાવીને અર્થાત્ પાતંજલ યોગસૂત્ર ૪/૧૧માં હનને બતાવીને, અતીત અધ્વાદિમાં ધર્મોના સદ્દભાવનું ઉપપાદન કરીને, અર્થાત્ પાતંજલયોગસૂત્ર ૪/૧૨માં ઉપપાદન કરીને, વિજ્ઞાનવાદનું નિરાકરણ કરીને અર્થાત્ પાતંજલયોગસૂત્ર ૪/૧૩થી ૧૫માં વિજ્ઞાનવાદનું નિરાકરણ કરીને, અને સાકારવાદનું પ્રતિષ્ઠાપન કરીને અર્થાત્ પાતંજલયોગસૂત્ર ૪|૧૬માં સાકારવાદનું પ્રતિષ્ઠાપન કરીને, પુરુષનું જ્ઞાતૃપણું કહીને અર્થાત્ પાતંજલયોગસૂત્ર ૪/૧૭માં પુરુષનું જ્ઞાતૃપણું કહીને, ચિત્ત દ્વારા સક્લવ્યવહારની નિષ્પત્તિનું ઉપપાદન કરીને અર્થાત્ પાતંજલયોગસૂત્ર ૪/૧૮થી ૨૨ સુધીમાં ઉપપાદન કરીને, પુરુષના સત્ત્વમાં પ્રમાણ બતાવીને અર્થાત્ પ્રકૃતિથી અતિરિક્ત આત્માના સત્ત્વમાં પાતંજલયોગસૂત્ર ૪૨૩માં પ્રમાણ બતાવીને, કૈવલ્યના નિર્ણય માટે દશ સૂત્રો વડે અર્થાત્ પાતંજલયોગસૂત્ર ૪,૨૪થી ૩૩ સુધીના દશમૂત્રો વડે, ક્રમસર ઉપયોગી અર્થને ક્વીને મુક્તિરૂપ કૈવલ્યની પ્રાપ્તિ માટે ઉપયોગી અર્થને કહીને, શાસ્ત્રાન્તરમાં પણ અન્ય શાસ્ત્રમાં પણ, આ જ કેવલ્ય છે, એ પ્રમાણે ઉપપાદન કરીને, અર્થાત્ પાતંજલ યોગસૂત્ર ૪૩૩માં ઉપપાદન કરીને કેવલ્યનું સ્વરૂપ નિર્ણત કરાયું ચોથા કૈવલ્યપાદ દ્વારા મુક્ત આત્માનું સ્વરૂપ નિર્મીત કરાયું, એ પ્રમાણ કૈવલ્યપાદ વિવરણ કરાયો.
सर्वे यस्य वशाः प्रतापवसतेः पादान्तसेवानति, प्रभ्रश्यन्मुकुटेषु मूर्धसु दधत्याज्ञां धरित्रीभृतः । यद्वक्त्राम्बुजमाप्य गर्वमसमं वाग्देवताऽपि श्रिता; स श्रीभोजपतिः फणाधिपतिकृत् सूत्रेषु वृत्तिं व्यधात् ॥१॥
Page #266
--------------------------------------------------------------------------
________________
૨૩૦
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | ઉપસંહાર ભાવાર્થ : ચતુર્થ કેવલ્યપાદનો ઉપસંહાર : * તૃતીય વિભૂતિપાદમાં બતાવાયેલી સિદ્ધિઓથી વિલક્ષણ સર્વસિદ્ધિઓના મૂળભૂત એવી
સમાધિસિદ્ધિઓનું વર્ણન. ન જાયંતર પરિણામસ્વરૂપ સિદ્ધિવિશેષનું કારણ પ્રકૃતિનું પૂરણ . * ધર્માદિનું પ્રતિબંધકનિવૃત્તિમાત્રમાં સામર્થ્ય. - નિર્માણચિત્તોનો અસ્મિતામાત્રથી ઉદ્ભવ. - નિર્માણચિત્તોનું યોગિચિત્ત જ અધિષ્ઠાપક. - યોગીઓના ચિત્તનું અન્ય ચિત્તોથી વિલક્ષણપણું અને તેઓના કર્મોનું અલૌકિકપણું. - વિપાકને અનુગુણ વાસનાઓની અભિવ્યક્તિના સામર્થ્યનું અને કાર્ય-કારણના ઐક્યપ્રતિપાદનથી
વ્યવહિત એવી પણ વાસનાઓમાં આનંતર્યનું ઉપપાદન. * મહામોહરૂપી આશાનું નિત્યપણું હોવાને કારણે વાસનાઓમાં અનાદિપણાનું ઉપપાદન. * વાસનાઓના અનંતપણામાં પણ હેતુ અને ફલાદિ દ્વારા હાનનું કથન.
અતીત અધ્વાદિમાં ધર્મોના સભાવનું ઉપપાદન. - વિજ્ઞાનવાદનું નિરાકરણ અને સાકારવાદનું પ્રતિષ્ઠાપન. - પુરુષના જ્ઞાતૃપણાનું કથન. * ચિત્ત દ્વારા સકલ વ્યવહારની નિષ્પત્તિનું ઉપપાદન. * પ્રકૃતિથી અતિરિક્ત પુરુષના સત્ત્વમાં પ્રમાણમાં ઉપદર્શન. - કેવલ્યના નિર્ણય માટે ક્રમસર ઉપયોગી અર્થનું અભિધાન. ને શાસ્ત્રાંતોમાં પણ પાતંજલદર્શનકારે કહેલ કૈવલ્યના સ્વરૂપનો નિર્ણય.
આ રીતે ચોથા કૈવલ્યપાદમાં આવતા પદાર્થોનો સંક્ષિપ્તમાં ઉપસંહાર બતાવ્યો.
इति श्रीधारेश्वरभोजदेवविरचितायां राजमार्तण्डाभिधायां
पातञ्जलयोगसूत्रवृत्तो कैवल्यपादश्चतुर्थः ॥
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૩૮
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | પરિશિષ્ટ
योगसूत्राणि
तृतीयः विभूतिपादः ॥
पृष्ठम्
सूत्रम् देशबन्धश्चित्तस्य धारणा ॥३-१॥ तत्र प्रत्ययैकतानता ध्यानम् ॥३-२॥ तदेवार्थमात्रनिर्भासं स्वरूपशून्यमिव समाधिः ॥३-३॥ त्रयमेकत्र संयमः ॥३-४।। तज्जयात् प्रज्ञालोकः ॥३-५॥ तस्य भूमिषु विनियोगः ॥३-६।। त्रयमन्तरङ्गं पूर्वेभ्यः ॥३-७॥ तदपि बहिरङ्ग निर्बीजस्य ॥३-८।। व्युत्थाननिरोधसंस्कारयोरभिभवप्रादुर्भावौ निरोधक्षणचित्तान्वयो निरोधपरिणामः ॥३-९॥ तस्य प्रशान्तवाहिता संस्कारात् ॥३-१०॥ सर्वार्थैकाग्रतयोः क्षयोदयौ चित्तस्य ततः पुनः समाधिपरिणामः ॥३-११।। शान्तोदितौ तुल्यप्रत्ययौ चित्तस्यैकाग्रतापरिणामः ॥३-१२।। एतेन भूतेन्द्रियेषु धर्मलक्षणावस्थापरिणामा व्याख्याताः ॥३-१३।। शान्तोदिताव्यपदेश्यधर्मानुपाती धर्मी ॥३-१४।। क्रमान्यत्वं परिणामान्यत्वे हेतुः ॥३-१५॥ परिणामत्रयसंयमादतीतानागतज्ञानम् ॥३-१६॥ शब्दार्थप्रत्ययानामितरेतराध्यासात् सङ्करस्तत्प्रविभागसंयमात् सर्वभूतरुतज्ञानम् ॥३-१७॥
Page #268
--------------------------------------------------------------------------
________________
પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | પરિશિષ્ટ
૨૩૯
सूत्रम्
पृष्ठम्
३२
38
३४
४१
४४
४५
संस्कारसाक्षात्करणात् पूर्वजातिज्ञानम् ॥३-१८॥ प्रत्ययस्य परचित्तज्ञानम् ॥३-१९।। न च तत् सालम्बनं तस्याविषयीभूतत्वात् ॥३-२०।। कायरूपसंयमात् तद्ग्राह्यशक्तिस्तम्भे चक्षुष्प्रकाशासम्प्रयोगेऽन्तर्धानम् ॥३-२१॥ सोपक्रमं निरुपक्रमं च कर्म तत्संयमादपरान्तज्ञानमरिष्टेभ्यो वा ॥३-२२॥ मैत्र्यादिषु बलानि ॥३-२३॥ बलेषु हस्तिबलादीनि ॥३-२४।। प्रवृत्त्यालोकसंन्यासात् सूक्ष्मव्यवहितविप्रकृष्टार्थज्ञानम् ॥३-२५॥ भुवनज्ञानं सूर्ये संयमात् ॥३-२६।। चन्द्रे ताराव्यूहज्ञानम् ॥३-२७॥ ध्रुवे तद्गतिज्ञानम् ॥३-२८॥ नाभिचक्रे कायव्यूहज्ञानम् ॥३-२९।। कण्ठकूपे क्षुत्पिपासानिवृत्तिः ॥३-३०॥ कूर्मनाड्यां स्थैर्यम् ॥३-३१॥ मूर्धज्योतिषि सिद्धदर्शनम् ॥३-३२॥ प्रातिभाद् वा सर्वम् ॥३-३३।। हृदये चित्तसंवित् ॥३-३४॥ सत्त्वपुरुषयोरत्यन्तासङ्कीर्णयोः प्रत्ययाविशेषो(षात्) भोगः परार्थान्यस्वार्थसंयमात् पुरुषज्ञानम् ॥३-३५॥ ततः प्रातिभश्रावणवेदनादर्शास्वादवार्ता जायन्ते ॥३-३६।। ते समाधावुपसर्गा व्युत्थाने सिद्धयः ॥३-३७|| बन्धकारणशैथिल्यात् प्रचारसंवेदनाच्च चित्तस्य परशरीरप्रवेशः ॥३-३८॥ उदानजयाज्जलपङ्ककण्टकादिष्वसङ्ग उत्क्रान्तिश्च ॥३-३९।।
४७
४८
५४
५६
५
U०
६
Page #269
--------------------------------------------------------------------------
________________
२४०
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | પરિશિષ્ટ
सूत्रम्
पृष्ठम्
समानजयाज्ज्व लनम् ॥३-४०।। श्रोत्राकाशयोः सम्बन्धसंयमाद् दिव्यं श्रोत्रम् ॥३-४१।। कायाकाशयोः सम्बन्धसंयमाल्लघुतूलसमापत्तेश्चाकाशगमनम् ॥३-४२।। बहिरकल्पितावृत्तिर्महाविदेहा ततः प्रकाशावरणक्षयः ॥३-४३।। स्थूलस्वरूपसूक्ष्मान्वयार्थवत्त्वसंयमाद् भूतजयः ॥३-४४।। ततोऽणिमादिप्रादुर्भाव: कायसम्पत् तद्धर्मानभिघातश्च ॥३-४५।। रूपलावण्यबलवज्रसंहननत्वानि कायसम्पत् ॥३-४६॥ ग्रहणस्वरूपास्मितान्वयार्थवत्त्वसंयमाद् इन्द्रियजयः ॥३-४७।। ततो मनोजवित्वं विकरणभावः प्रधानजयश्च ॥३-४८।। सत्त्वपुरुषान्यताख्यातिमात्रस्य सर्वभावाधिष्ठातृत्वं सर्वज्ञातृत्वं च ॥३-४९।। तद्वैराग्यादपि दोषबीजक्षये कैवल्यम् ॥३-५०।। स्वाम्युपनिमन्त्रणे सङ्गस्मयाकरणं पुनरनिष्टप्रसङ्गात् ॥३-५१॥ क्षणतत्क्रमयोः संयमाद् विवेकजं ज्ञानम् ॥३-५२॥ जातिलक्षणदेशैरन्यतानवच्छेदात् तुल्ययोस्ततः प्रतिपत्तिः ॥३-५३॥ तारकं सर्वविषयं सर्वथाविषयमक्रमं चेति विवेकजं ज्ञानम् ॥३-५४|| सत्त्वपुरुषयोः शुद्धिसाम्ये कैवल्यम् ॥३-५५।।
१०८
११०
चतुर्थः कैवल्यपादः ॥ जन्मौषधिमन्त्रतप:समाधिजाः सिद्धयः ॥४-१॥ जात्यन्तरपरिणामः प्रकृत्यापूरात् ॥४-२॥ निमित्तमप्रयोजकं प्रकृतीनां वरणभेदस्तु ततः क्षेत्रिकवत् ॥४-३।। निर्माणचित्तान्यस्मितामात्रात् ॥४-४।। प्रवृत्तिभेदे प्रयोजकं चित्तमेकमनेकेषाम् ॥४-५॥
११२
११५
११७
Page #270
--------------------------------------------------------------------------
________________
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | પરિશિષ્ટ
૨૪૧
सूत्रम्
पृष्ठम्
११९ १२० १२१ १२४
१२८
१३०
१३३ १३८
तत्र ध्यानजमनाशयः ॥४-६।। कर्माशुक्लाकृष्णं योगिनस्त्रिविधमितरेषाम् ॥४-७|| ततस्तद्विपाकानुगुणानामेवाभिव्यक्तिर्वासनानाम् ॥४-८॥ जातिदेशकालव्यवहितानामप्यानन्तर्यं स्मृतिसंस्कारयोरेकरूपत्वात् ॥४-९॥ तासामनादित्वं चाशिषो नित्यत्वात् ॥४-१०।। हेतुफलाश्रयालम्बनैः सङ्ग्रहीतत्वादेषामभावे तदभावः ॥४-११।। अतीतानागतं स्वरूपतोऽस्त्यध्वभेदाद् धर्माणाम् ॥४-१२॥ ते व्यक्तसूक्ष्मा गुणात्मानः ॥४-१३।। परिणामैकत्वाद् वस्तुतत्त्वम् ॥४-१४।। वस्तुसाम्ये चित्तभेदात् तयोविभक्तः पन्थाः ॥४-१५।। तदुपरागापेक्षित्वाच्चित्तस्य वस्तु ज्ञाताज्ञातम् ॥४-१६।। सदा ज्ञाताश्चित्तवृत्तयस्तत्प्रभोः पुरुषस्यापरिणामित्वात् ॥४-१७।। न तत् स्वाभासं दृश्यत्वात् ॥४-१८।। एकसमये चोभयानवधारणम् ॥४-१९।। चित्तान्तरदृश्ये बुद्धिबुद्धरतिप्रसङ्गः स्मृतिसङ्करश्च ॥४-२०॥ चितेरप्रतिसक्रमायास्तदाकारापत्तौ स्वबुद्धिसंवेदनम् ॥४-२१॥ द्रष्टदृश्योपरक्तं चित्तं सर्वार्थम् ॥४-२२।। तदसङ्ख्येयवासनाभिश्चित्रमपि परार्थं संहत्यकारित्वात् ॥४-२३॥ विशेषदर्शिन आत्मभावभावनानिवृत्तिः ॥४-२४|| तदा विवेकनिम्नं कैवल्यप्राग्भारं चित्तम् ॥४-२५।। तच्छिद्रेषु प्रत्ययान्तराणि संस्कारेभ्यः ॥४-२६।। हानमेषां क्लेशवदुक्तम् ॥४-२७॥ प्रसङ्ख्यानेप्यकुसीदस्य सर्वथा विवेकख्यातेधर्ममेघः समाधिः ॥४-२८॥
१३९ १४१ १४९ १५१
१५५
१५८ १५९ १६२
१६५
१८४
१८८
१८९
१९० १९२ १९३
Page #271
--------------------------------------------------------------------------
________________
૨૪૨
પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | પરિશિષ્ટ
पृष्ठम्
१९५
सूत्रम् तत: क्लेशकर्मनिवृत्तिः ॥४-२९।। तदा सर्वावरणमलापेतस्य ज्ञानस्यानन्त्याज्ज्ञेयमल्पम् ॥४-३०॥ ततः कृतार्थानां परिणामक्रमसमाप्तिर्गुणानाम् ॥४-३१॥ क्षणप्रतियोगी परिणामापरान्तनिर्ग्राह्यः क्रमः ॥४-३२॥ पुरुषार्थशून्यानां गुणानां प्रतिप्रसवः कैवल्यं स्वरूपप्रतिष्ठा वा चितशक्तिरिति ॥४-३३॥
२०४
Page #272
--------------------------------------------------------------------------
________________ प्रसङ्ख्यानेप्यकुसीदस्य सर्वथा विवेकख्यातेर्धर्ममेघः समाधिः // પ્રસંખ્યાનમાં પણ=તત્વના યથાવસ્થિત સ્વરૂપના ભાવનમાં પણ, અકુસીદ એવા યોગીને ફળની અલિપ્સાવાળા એવા યોગીને, સર્વથા વિવેકખ્યાતિથી ધર્મમેઘસમાધિ થાય છે. પ્રકાશક 8 માતા LP DESIGN BY શ્રુતદેવતા ભવન, , જેના મર્ચન્ટ સોસાયટી, ફતેહપુરા રોડ, પાલડી, અમદાવાદ-૩૮G. ટેલિફિક્સ 8 (079) 26411, ફોના 8 (999) 2211471 E-mail : gitarthganga@yahoo.co.in QB2+04BB8d 9429500401