SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | વિભૂતિપાદ | સૂત્ર-૧૩ સ્વીકાર તે ધર્મપરિણામ, એ પ્રમાણે કહેવાય છે. નક્ષUTUરિUTINો ..... સતીતાäપરિગ્રહ, લક્ષણપરિણામ - જે પ્રમાણે - તે જ ઘટનો અર્થાત્ પિjરૂપ ધર્મનો ત્યાગ કરીને ઘટરૂપ ધર્મને પામેલ એવા તે જ ઘટનો, અનાગત અધ્વના પરિત્યાગથી વર્તમાન અધ્વનો સ્વીકાર અર્થાત્ ઘટનિષ્પત્તિ પૂર્વે તે ઘટ અનાગત એવી ક્ષણમાં હતો તે અનાગત ક્ષણના પરિત્યાગ દ્વારા ઘટ બન્યો ત્યારે વર્તમાન ક્ષણમાં પ્રાપ્ત થયો તે વર્તમાન ક્ષણનો સ્વીકાર અને તેના પરિત્યાગ દ્વારા અતીત અધ્વનો સ્વીકાર=પ્રથમ ક્ષણવાળા ઘટના વર્તમાન અધ્વના પરિત્યાગ દ્વારા બીજી ક્ષણમાં પૂર્વની ક્ષણ જેવો જ તે ઘટ હોવાથી પૂર્વના ઘટ ક્ષણરૂપ અતીત અધ્વનો સ્વીકાર તે લક્ષણ પરિણામ છે. ૩વસ્થાપરિમો .... ક્ષUTHતિ અવસ્થા પરિણામ - જે પ્રમાણે - તે જ ઘટનોકપિjપરિણામનો ત્યાગ કરીને ઘટરૂપ ધર્મને પામેલ એવા તે જ ઘટનો, સંદેશ એવી પ્રથમ-દ્વિતીય ક્ષણનું અન્વયિપણું હોવાને કારણે અવસ્થા પરિણામ છે અર્થાત્ પ્રથમ ક્ષણમાં અને બીજી ક્ષણમાં તે ઘટ સમાન અવસ્થારૂપે પરિણમન પામે છે. કેમ પ્રથમ અને બીજી ક્ષણમાં તે ઘટ સમાન અવસ્થારૂપે પરિણમન પામે છે તેમાં હેતુ કહે છે – જે કારણથી ગુણની વૃત્તિ અપરિણમન પામતી ક્ષણ પણ રહેતી નથી અર્થાત્ ઘટરૂપે પરિણમન પામેલ ગુણની વૃત્તિ પરિણતિ, અવશ્ય બીજી ક્ષણમાં સદેશરૂપે અથવા વિદેશરૂપે અવશ્ય પરિણમન પામે છે. l૩-૧3II ભાવાર્થ : પાતંજલયોગસૂત્ર ૩-૯૧૧/૧૨માં નિરોધનો પરિણામ, સમાધિનો પરિણામ અને એકાગ્રતાનો પરિણામ બતાવ્યો. ત્યાં ચિત્તને અન્વયિરૂપે સ્વીકાર્યું અને પ્રાદુર્ભાવતિરોભાવરૂપે ધર્મોને સ્વીકાર્યા એ રીતે ચિત્ત અન્વય-વ્યતિરેકવાળું પ્રાપ્ત થયું અર્થાત્ ચિત્ત ચિત્તરૂપે અન્વયી અને તે તે ધર્મોનો ચિત્તમાં વ્યતિરેક પરસ્પર ભેદ, પ્રાપ્ત થયો એ પ્રકારે કહેવાયેલા ત્રણ પ્રકારના ચિત્તના પરિણામ દ્વારા ભૂતોમાં અને ઇન્દ્રિયોમાં ધર્મપરિણામ, લક્ષણ પરિણામ અને અવસ્થા પરિણામ વ્યાખ્યાન કરાયો. તે ધર્મપરિણામ, લક્ષણપરિણામ અને અવસ્થા પરિણામનાં સ્વરૂપને સ્પષ્ટ કરતાં રાજમાર્તડકાર કહે ધર્મપરિણામ, લક્ષણપરિણામ અને અવસ્થા પરિણામનું સ્વરૂપ : (૧) ધર્મપરિણામ : ધર્મીના પૂર્વધર્મની નિવૃત્તિ થયે છતે ઉત્તરધર્મની પ્રાપ્તિ તે ધર્માનો ધર્મપરિણામ છે. જેમ - માટીરૂપ ધર્મી પૂર્વમાં પિંડરૂપે હતો, તે પિંડરૂપ ધર્મનો પરિત્યાગ કરીને ઘટરૂપ ધર્માતરને પ્રાપ્ત કરે છે, તેથી પિંડરૂપ અને ઘટરૂપ ધર્મમાં માટી અન્વયી છે, માટે ધર્મપરિણામના બળથી અન્વયવ્યતિરેકવાળી વસ્તુ સિદ્ધ થાય છે.
SR No.022736
Book TitlePatanjalyog Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy