SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ | કૈવલ્યપાદ | સૂત્ર-૩૦ સૂત્રાર્થ : ત્યારે ક્લેશો અને કર્મોની નિવૃત્તિ થાય છે ત્યારે, સર્વ આવરણરૂપ મલથી રહિત એવા જ્ઞાનનું અનંતપણું હોવાથી ત્તેય અલ્પ થાય છે=જ્ઞાનની અપેક્ષાએ શેય પરિમિત થાય છે. II૪-3 || ટીકા: ___'तदेति'-आवियते चित्तमेभिरित्यावरणानि क्लेशास्त एव मलास्तेभ्योऽपेतस्य तद्विरहितस्य ज्ञानस्य शरद्गगननिभस्याऽऽनन्त्यादनवच्छेदाज्ज्ञेयमल्पं गणनास्पदं भवत्यक्लेशेनैव સર્વ સેવં નાનાતીર્થ: I૪-રૂ|. ટીકાર્ય : બ્રિયતે .... ત્યર્થ: છે આના વડે ચિત્ત આવરણ પામે તે આવરણ ક્લેશો છે, ક્લશોરૂપ આવરણ જ મલ છે, આવરણરૂપ મલથી રહિત શરદઋતુના ગગન જેવા જ્ઞાનનું આનન્ય હોવાથી અનવચ્છેદ હોવાથી, ષેય અલ્પ થાય છે ગણનાસ્પદ થાય છે અર્થાત્ જ્ઞાનની અપેક્ષાએ શેય પરિમિત થાય છે. આનાથી શું ફલિત થાય છે એથી કહે છે – અદ્દેશથી જ સર્વશ્રેયને જાણે છે=આવરણરૂપ મલની નિવૃત્તિ થવાના કારણે યોગી અદ્દેશથી જ સર્વ જ્ઞેયને જાણે છે. II૪-૩|| ભાવાર્થ : પાતંજલમતાનુસાર ક્લેશો અને કર્મોની નિવૃત્તિ થયે છતે સર્વઆવરણરૂપ મલથી રહિત એવા જ્ઞાનનું અનંતપણું હોવાથી અપ : પાતંજલદર્શનની પ્રક્રિયાઅનુસાર ધર્મમઘસમાધિથી ક્લેશો નિવૃત્ત થાય છે અને આ ક્લેશો ચિત્તના આવરણો છે, તેથી જ્યારે શરદઋતુના ગગનની આકાશની જેમ સર્વઆવરણરૂપ મલરહિત યોગીનું જ્ઞાન બને છે તે વખતે તે જ્ઞાન અનંત બને છે અને જ્ઞાન અનંત બનવાથી જ્ઞેય અલ્પ બને છે અર્થાત્ પૂર્વમાં જ્ઞાન પરિમિત હતું અને જોય ઘણા હતા, તેથી સંસારી જીવો શેય પદાર્થોને એક સાથે જાણી શકતા નથી, પરંતુ ક્યારેક કોઈક શેયને જાણે છે, તો ક્યારેક કોઈક અન્ય કાળે અન્ય શેયને જાણે છે, પરંતુ સંસારીજીવો સર્વ જ્ઞેયને એક સાથે જાણી શકતા નથી, પરંતુ જયારે આકાશની જેમ જ્ઞાનનું આવરણ દૂર થાય છે ત્યારે જ્ઞાન સ્વચ્છ અનંત બને છે, તે જ્ઞાનની અપેક્ષાએ જગતના ય પદાર્થો અલ્પ છે, તેથી આવરણરહિત જ્ઞાનવાળા યોગી અક્લેશથી સર્વ શેયને જાણે છે. ll૪-૩૦|
SR No.022736
Book TitlePatanjalyog Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy