SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪ પાતંજલયોગસૂત્ર ભાગ-૨ | કેવલ્યપાદ | સૂત્ર-૧૫ व्यतिरिक्तोऽस्ति बाह्योऽर्थः, तदेवं न विज्ञानार्थयोस्तादात्म्यं विरोधान्न कार्यकारणभावः, कारणभेदे सति कार्यभेदप्रसङ्गादिति ज्ञानाद् व्यतिरिक्तत्वमर्थस्य व्यवस्थापितम् ॥४-१५॥ ટીકાર્ય : વિશ્ચન વિત્તર્યમ્ વળી વસ્તુનું ચિત્તકાર્યપણું હોતે છતે જેમના ચિત્તની તે વસ્તુ કાર્ય છે તે ચિત્ત અર્થાતરમાં વ્યાસક્ત હોતે છતે તે વસ્તુ ન થાય. અહીં એ પ્રમાણે હો તે વસ્તુ કાંઈપણ ન થાવ એ પ્રમાણે હો ! એ પ્રમાણે પૂર્વપક્ષી=બૌદ્ધ, ધે તો પાતંજલદર્શનકાર કહે છે કે એ પ્રમાણે ન કહેવું; કેમ કે તે જ વસ્તુ કેવી રીતે અન્ય એવા ઘણા લોકો વડે પ્રાપ્ત કરાય છે અર્થાત્ તે વસ્તુ અન્ય લોકોને પ્રાપ્ત થવી જોઈએ નહીં અને તે વસ્તુ અન્ય લોકોને ઉપલબ્ધ પ્રાપ્ત થાય છે, તે કારણથી ચિત્ત કાર્ય નથી અર્થાત્ બાહ્ય વસ્તુ જ્ઞાનનું કાર્ય નથી. ૩થ .... ચાત્, અથથી બૌદ્ધદર્શનકાર કહે કે, એકી સાથે ઘણા વડે તે અર્થ કરાય છે ત્યારે ઘણાથી નિમિત એવા અર્થનું ઘણા લોકોના ચિત્તથી નિર્મિત એવા તે અર્થનું, એક વ્યક્તિના ચિત્તથી નિમિત એવા અર્થથી વિલક્ષણપણું થાય અને જો વૈશક્ષણ્ય ન ઇચ્છાય તોઘણા લોકોના ચિત્તથી નિમિત એવા અર્થનું અને એક વ્યક્તિના ચિત્તથી નિમિત એવા અર્થનું વિલક્ષણપણું ન સ્વીકારાય તો, કારણભેદ હોતે છતે કાર્યભેદના અભાવમાં નિર્દેતુક અથવા એકરૂપ જગત-સંસાર, થાય. Uત મવતિ - આ હેવાયેલું થાય છે કારણભેદ હોવા છતાં કાર્યભેદ ન સ્વીકારીએ તો નિહેતુક અથવા એકરૂપ ગત થાય એ કથનથી આગળમાં કહેવાય છે તે કહેવાયેલું થાય છે. સત્યપિ... ચીત્, ભિન્ન કરણ વિદ્યમાન હોતે છતે પણ જો કાર્યનો અભેદ છે તો સમગ્ર જગત નાનાવિધ અનેક પ્રકારના કારણથી જન્ય એકરૂપ થાય, અથવા કારણભેદનો અનનગમ હોવાના કારણે સ્વતંત્રપણું હોવાથી કાર્યને કારણની અપેક્ષા વગર નિષ્પત્તિરૂપ સ્વતંત્રપણું હોવાથી, નિર્દેતુક થાય. પાતંજલદર્શનકારે આ પ્રમાણે જ્ઞાનથી અતિરિક્ત અર્થ છે તેમ સ્થાપન કર્યું. ત્યાં બૌદ્ધદર્શનકાર કહે છે – યવં.....મૈવમ્, જો આ પ્રમાણે છે પૂર્વમાં કહ્યું એ રીતે કારણનો ભેદ હોતે છતે કાર્યનો ભેદ છે, તો તે ત્રિગુણાત્મક અર્થ વડે સત્ત્વ, રજસ્ અને તમન્નુરૂપ ત્રિગુણાત્મક બાહ્ય અર્થ વડે, એક જ પ્રમાતાને સુખ, દુ:ખ અને મોહમય ત્રણેય જ્ઞાનો કેમ થતાં નથી ? અર્થાત્ ત્રણેય જ્ઞાનો થવા જોઈએ. આ પ્રમાણે બૌદ્ધદર્શનકાર કહે તો તેને પાતંજલદર્શનકાર કહે છે કે એ પ્રમાણે ન કહેવું. કેમ એ પ્રમાણે ન કહેવું તે સ્પષ્ટ કરે છે – યથા .... વીર્થ, જે પ્રમાણે અર્થ ત્રિગુણ છે=બાહા અર્થ સત્ત્વ, રજસ્ અને તમન્નુરૂપ ત્રિગુણ છે, તે પ્રમાણે ચિત્ત પણ ત્રિગુણ છે અને તેના ચિત્તના, અર્થપ્રતિભાસની ઉત્પત્તિમાં ધર્માદિ સહકારી કરણ છે. તેના ઉદ્ભવ અને અભિભવના વશથી ધર્મના ઉદ્ભવ અને અધર્મના અભિભાવના વશથી,
SR No.022736
Book TitlePatanjalyog Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy