SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ પાતંજલ યોગસૂત્ર ભાગ-૨ / કૈવલ્યપાદ | સૂત્ર-૧૮ સૂત્રઃ न तत् स्वाभासं दृश्यत्वात् ॥४-१८॥ સૂત્રાર્થ : તે ચિત્ત, સ્વાભાસરસ્વ પ્રકાશક નથી; કેમ કે દશ્યપણું છે. ll-૧૮II ટીકા : ‘નેતિ'-શ્ચત્ત સ્વમાનં-સ્વછાશવ, રમવતિ, પુરુષવેદ્ય મવતીતિ થાવત્ કુત: ? दृश्यत्वात्, यत्किल दृश्यं तद् द्रष्टुवेद्यं दृष्टं यथा घटादि, दृश्यं च चित्तं तस्मान्न स्वाभासम् NI૪-૨૮ાા ટીકાર્ય : તત્વ માસમ્ | તેરચિત્ત સ્વાભાસ-સ્વપ્રકાશક નથી અર્થાત્ પુરુષથી વેદ્ય છે, એ પ્રમાણે જાણવું. કેમ પુરુષવેદ્ય છે ? તેમાં હતુ કહે છે – દેશ્યપણું છે. દેશ્યપણું હોવાથી પુરુષવેદ્ય છે, તે યુક્તિથી સ્પષ્ટ કરે છે – જે ખરેખર દેશ્ય છે તે દેખાથી વેદ્ય જોવાયું છે. જે પ્રમાણે-ઘટાદિ અને ચિત્ત દશ્ય છે તે કારણથી સ્વાભાસ સ્વપ્રકાશક, નથી. //૪-૧૮ ભાવાર્થ : પાતંજલમતાનુસાર દેશ્યપણું હોવાથી ચિત્ત પરપ્રકાશક : પાતંજલદર્શનકાર ચિત્તરૂપ જ્ઞાનને પરપ્રકાશક સ્વીકારે છે, સ્વપ્રકાશક સ્વીકારતા નથી, એથી પ્રસ્તુત અવતરણિકામાં શંકા કરેલ છે કે, જો ચિત્ત પ્રકાશક હોય તો જેમ તે ચિત્ત પરનું પ્રકાશન કરે છે તેમ પોતાનું પણ પ્રકાશન કરે અને તેમ સ્વીકારવામાં આવે તો દેખાતો સર્વ અનુભવ આત્માને સ્વીકાર્યા વગર સંગત થાય છે, કેમ કે ચિત્ત ઘટ-પટાદિનું પ્રકાશન કરે છે અને પોતાના સ્વરૂપનું પણ પ્રકાશન કરે છે માટે આત્માને માનવાની આવશ્યકતા રહે નહીં. તેના નિરાકરણરૂપે સ્વમાન્યતાનુસાર ચિત્તને પરપ્રકાશક સ્વીકારીને ચિત્તથી અતિરિક્ત ચિત્તનો પ્રકાશક પુરુષ છે. તે બતાવવા અર્થે કહે છે – ચિત્ત સ્વપ્રકાશક નથી, પરંતુ પુરુષથી વેદ્ય છે. જેમ ઘટ-પટાદિ પદાર્થો ચિત્તથી વેદ્ય છે, સ્વવેદ=સ્વપ્રકાશક નથી, તેમ ઘટ-પટાદિ જેવું દશ્ય ચિત્ત પુરુષથી વેદ્ય છે, સ્વવેદ્ય સ્વપ્રકાશક, નથી માટે ચિત્તનો પ્રકાશક પુરુષ છે તેમ સિદ્ધ થાય છે, આ પ્રકારે પાતંજલદર્શનકાર કહે છે. |૪-૧૮
SR No.022736
Book TitlePatanjalyog Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2011
Total Pages272
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy