Book Title: Patanjal Yogdarshan
Author(s): Rajveer Shastri
Publisher: Darshan Yog Mahavidyalay

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નાશ થઈને સત્યજ્ઞાનનો પ્રકાશ થઈ જાય છે. દર્શનકારોની આ પરીક્ષા-વિધિઓથી મિથ્યા મત-મતાંતરવાળા સિંહની ‘આગળ બકરીની જેમ ગભરાય છે. જેવા કે આળસુ, પુરુષાર્થહીન તથા મંદમતિ પરીક્ષાર્થી પરીક્ષાના નામથી જ ભયભીત રહે છે. આ જ પ્રકારે સત્યજ્ઞાનથી વિમુખ સ્વાર્થી, દુરાગ્રહી તથા મિથ્યા પક્ષવાળી વ્યક્તિઓ પણ આ સત્યની કસોટીઓથી ભયભીત જ નથી થતાં. બધે આને શુદ્ધ-વિરોધ અથવા કલહનું કારણ કહીને લોકોને બહેકાવે છે. પરંતુ અજ્ઞાનનો નાશ અને વિદ્યાની પ્રાપ્તિ આ વિધિઓ વિના કદાપિ સંભવ નથી. માટે દુઃખોથી છૂટવાને માટે દર્શનવિદ્યાનું પારાયણ અવશ્ય કરવું જોઈએ. (૨) દર્શન કોને કહે છે સૃષ્ટિના પ્રારંભથી જ માનવમાં જિજ્ઞાસા અને અન્વેષણ (શોધ)ની પ્રવૃત્તિ રહી છે. માનવે જયારે આ ધરાતલ પર અવતરણ કર્યું અને પોતાનાં ચક્ષુઓને ખોલ્યાં, ત્યારથી જ તે પોતાની ચારેય તરફની વિદ્યમાન (દખાતી) પ્રાકૃતિક વસ્તુઓ, સૂર્ય, ચંદ્ર વગેરેનાં વ્યવસ્થિત ભ્રમણ, ઘુલોકવર્તી અસંખ્ય નક્ષત્ર મંડળ, બધા જ જીવોને કર્મ-પ્રમાણે સુખ દુઃખની અદ્ભુત વ્યવસ્થા કરનારા નિયંતા પરમેશ્વર વગેરેના વિષયમાં જાણવાની ઈચ્છા કરતો રહ્યો છે. આ જિજ્ઞાસા વૃત્તિને શાન્ત કરવા માટે તથા લૌકિક પારલૌકિક સુખોનાં સાધનોને પ્રાપ્ત કરવા માટે કરેલા સતત પ્રયત્નોનું જ આ ફળ છે કે માનવે લોક-લોકાંતરોમાં પણ પહોંચવાની સફળતા પ્રાપ્ત કરી લીધી છે. પરંતુ પ્રાચીન ઋષિ-મુનિઓએ, ફક્ત ભૌતિક ઉન્નતિથી જ સંતોષ નથી માન્યો બલ્ક સૂક્ષ્મથી સૂક્ષ્મ, ગૂઢતમ, જે તત્ત્વોને સતત-સાધના તથા ઈશ્વર આરાધનાથી જાણવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. આવા યથાર્થ-જ્ઞાનનું નામ “દર્શન' છે. તેનેતિ ટર્શનનું આ દર્શન શબ્દની વ્યુત્પત્તિથી પણ એ જ સ્પષ્ટ થાય છે કે સત અસત પદાર્થોના જ્ઞાનને જ દર્શન કહે છે. યોગદર્શન તથા વ્યાસ-ભાષ્યમાં દર્શન' શબ્દનો પ્રયોગ આ જ અર્થમાં કરતાં લખ્યું છે કે – (ક) પરમાર્થતતુ જ્ઞાનદર્શન નિવતા (વ્યાસ ભાષ્ય ૩/૫૫) (ખ) મેવ ટર્શને રાતિસેવ ડર્શનમ્ (વ્યાસ-ભાષ્ય ૨/૨૪) અર્થાત્ – સત્યજ્ઞાનથી અદર્શન =અજ્ઞાનની નિવૃત્તિ થઈ જાય છે. અથવા સમસ્ત જ્ઞાનોમાં સર્વોત્તમ જ્ઞાન ખ્યાતિ=વિવેકખ્યાતિ છે. સૂત્રકારે બુદ્ધિને માટે પણ દર્શન શબ્દનો પ્રયોગ કર્યો છે - નશોરાવૈવામિત” (યો. ર/૬) પુરુષ અને બુદ્ધિને એક માનવી એ જ “અસ્મિતા' કલેશ છે. વ્યાસ ભાષ્યમાં અન્યત્ર અદર્શનને બંધનનું કારણ તથા દર્શનને મોક્ષનું કારણ બતાવતાં લખ્યું છે - “તથ્વીન વાર દર્શનાનિવર્તિત ' (યો. ર/ર૪) યથાર્થમાં માનવ જેમ જેમ તર્ક અને પ્રાકથન For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 401